SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય - અરિહંતોએ મોક્ષમાર્ગને સમ્યગ્દર્શનથી (= અવિપરીતદર્શનથી) જોયો છે, જ્ઞાનથી યથાવસ્થિત જાણ્યો છે, અને ચરણ-કરણ વડે આચર્યો છે. ' ' વિશેષાર્થ– તેમાં વ્રતો વગેરે ચરણ છે અને પિંડવિશુદ્ધિ વગેરે કરણ છે. કહ્યું છે કે- ૫ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્ય ગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ, ૪ ક્રોધાદિનિગ્રહ આ ચરણ છે. ૪ પિંડ. વિશદ્ધિ, ૫ સમિતિ, ૧ર ભાવના, ૧ર પ્રતિમા, ૫ ઈંદ્રિયનિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ આ કરણ છે. (૩૩૦) भवभीयाण जियाणं, सरणागयवच्छला जओ ताणं। .. होति जिणेंदा नियमा, सरणदया तेण वुच्चंति ॥३३॥ भवभीतानां जीवानां शरणागतवत्सला यतस्तेषाम् । . भवन्ति जिनेन्द्रा नियमात् शरणदयास्तेनोच्यन्ते ।।३३१।। .. શરણાગત વત્સલ અરિહંતો ભવથી ભય પામેલા જીવોનું નિયમો રક્ષણ કરનારા થાય છે, માટે અરિહંતો શરણદાતા કહેવાય છે. વિશેષાર્થ – શરણાગત વત્સલ એટલે શરણે આવેલા જીવોને સ્નેહ આપનાર. જે શરણે આવે તેનું જ અરિહંતો રક્ષણ કરે. ભવથી ભય પામેલા જીવો જ અરિહંતના શરણે જાય. માટે અહીં ભવથી ભય પામેલા જીવોનું રક્ષણ કરનારા થાય છે એમ કહ્યું. (૩૩૧) बोही जिणेहि भणिया, भवंतरे सुद्धधम्मसंपत्ती। जिणसंथवेण लब्भइ, बोहिदया तेण वुच्चंति ॥३३२॥ बोधिर्जिनैणिता भवान्तरे शुद्धधर्मसं(प्राप्तिः)पत्तिः । जिनसंस्तवेन लभ्यते बोधिदयास्तेनोच्यन्ते ।।३३२।। ભવાંતરમાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિને અરિહંતોએ બોધિ કહી છે. અરિહંતોની ભાવપૂર્વક સ્તુતિ કરવાથી બોધિ પ્રાપ્ત કરી શકાય છે, માટે અરિહંતો બોધિદાતા કહેવાય છે. (૩૩૨) ૧૫૦
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy