________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
- તેમની આજ્ઞામાં રહેનારાઓને ચારિત્રધર્મ વિશિષ્ટ થાય છે. તેથી અરિહંતો ધર્મના નાયક છે. તેમને મારો નમસ્કાર થાઓ.(૩૩૬)
जह सारही सुकुसलो, तहा तहा खेडए रह-तुरंगे । जह नो होइ अवाओ, तुरंगमाणं रहस्सावि ॥३३७॥ यथा सारथिः सुकुशलस्तथा तथा खेटयति रथ-तुरङ्गान् । यथा नो भवत्यपायस्तुरङ्गमाणां रथस्याऽपि ।।३३७।। । एवं जिणुत्तमेहि, वि उस्सग्ग-ऽववायपमुहजुत्तीहि । एगंतहिओ धम्मो, उवइट्ठो धम्म-धम्मीणं ॥३३८॥ एवं जिनोत्तमैरप्युत्सर्गा-ऽपवादप्रमुखयुक्तिभिः । एकान्तहितो धर्म उपदिष्टो धर्म-धर्मिणाम् ।।३३८।।
જેમ અત્યંત કુશલ સારથિ ઘોડાઓને અને રથને પણ અનર્થ ન થાય તે રીતે રથ અને ઘોડાઓને હાંકે છે, તેમ અરિહંતોએ ઉત્સર્ગ-અપવાદ વગેરે સંગતિઓથી ધર્મ અને ધર્મીઓનું એકાંતે હિત કરે તેવા ધર્મનો ઉપદેશ આપ્યો છે.
પ્રશ્ન – જેમ રથ ભાંગી જાય વગેરે રથનું અનર્થ થયું ગણાય તેમ પ્રસ્તુતમાં ધર્મનું અનર્થ શું?
ઉત્તર–અસંગતધર્મનો ઉપદેશએ ધર્મનું અનર્થછે. અસંગતધર્મનો ઉપદેશ આપવાથી લોકો આવો તે ધર્મ હોય? એમ ધર્મનો અનાદર કરે. માટે અહીં “ઉત્સર્ગઅપવાદ વગેરે સંગતિઓથી” એમ કહ્યું છે. (૩૩૭-૩૩૮)
૪ થો રોડ હો, તુમ તાસ થાર પરિક્ષા उभयहियमुवइसंता, जिणनाहा धम्मसारहिणो ॥३३९॥ इह धर्मो भवति रथस्तुरङ्गमास्तस्य धारकाः पुरुषाः । उभयहितमुपदिशन्तो जिननाथा धर्मसारथयः ।।३३९।।
અહીં ધર્મ એ રથ છે અને ધર્મને ધારણ કરનારા પુરુષો અશ્વ છે. એ બંનેનું હિત કરે તેવા ધર્મનો ઉપદેશ આપનારા અરિહંતો ધર્મસારથિ છે. (૩૩૯)
૧૫ર