________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ઉત્તર:- તેને ભવની ભયાનકતાનું ભાન થઈ ગયું હોય છે.
અપુનબંધક જીવ માર્ગાનુસારીપણાની સન્મુખ હોવાથી તેનામાં આ ગુણો સ્વાભાવિક હોય છે.
પ્રશ્ન – અપુનબંધકમાં ગુણો સ્વાભાવિક હોય છે એ બરોબર છે, પણ માર્ગાનુસારીપણાની સન્મુખ અવસ્થા સ્વાભાવિક હોય કે કોઈના ઉપદેશથીપ્રેરણાથી આવે ?
ઉત્તર– તેનામાં મયૂરશિશુના દૃષ્ટાંતથી માર્ગનુસારીપણું સ્વાભાવિક હોય છે. જેમ મોરના બચ્ચાને ચિતરવાની જરૂર પડતી નથી, તે પોતાની યોગ્યતાથી સ્વાભાવિકપણે જ રંગીન હોય છે, તેમ અપુનબંધક જીવ તેના આત્મામાં થયેલા કર્મભ્રાસથી સ્વાભાવિકપણે જ માર્ગાનુસારીપણાની સન્મુખ હોય છે. (૧૭૬)
तत्थत्थे रोयंतो, सम्मट्ठिी असग्गहविमुक्को। देसे-यरविरइजुओ, चारित्ती तुलियसामत्थो ॥१७७॥ तत्रार्थान् रोचयन् सम्यग्दृष्टिरसद्ग्रहविमुक्तः ।। देशे-तरविरतियुतश्चारित्री तुलितसामर्थ्यः ।।१७७।।
તેમાં (સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર એ ત્રણમાં) જે અસદ્ આગ્રહથી રહિત હોય અને જિનોક્ત પદાર્થોની શ્રદ્ધા કરતો હોય તે સમ્યગ્દષ્ટિ છે. પોતાની શક્તિનો નિર્ણય કરીને જે દેશવિરતિથી યુક્ત હોય તે દેશચારિત્રી છે, અને સર્વવિરતિથી યુક્ત હોય તે સર્વચારિત્રી છે. (૧૭૭)
अहिगारीणमिमेसिं, विनेया वंदणा तिहा कमसो। '. સી મક્વોસા, સાહિારિો વેવ ૭૮
अधिकारिणामेषां विज्ञेया वन्दना त्रिधा क्रमशः । રીના-
મોટા શેષ નધિવાળિશેવ ૭૮
આ ચાર અધિકારીઓનું ચૈત્યવંદન ક્રમશઃ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું જાણવું. (અપુનબંધકનું જઘન્ય, સમ્યગુદૃષ્ટિનું મધ્યમ, દેશવિરતિ-સર્વવિરતિઘરનું ઉત્કૃષ્ટ જાણવું.) બાકીના સકુબંધક વગેરે જીવો
૮ ૧