________________
ચૈત્યવદન મહાભાષ્ય
भासते। एवं प्रणिधानमपि स्वरूपेणैकत्र वर्तमानमाशुवृत्तेः सर्वत्रावभासत इत्यत्र साधूक्तं सव्वत्थ वि पणिहाणमिति गाथार्थः (पञ्चाशक - ३/२२)
આ વિષે કહ્યું છે કેતે સંપૂર્ણ ચૈત્યવંદનમાં ચૈત્યવંદન સંબંધી (૧) ક્રિયા, (મુદ્રા કરવી, મુખ આગળ મુહપત્તિ રાખવી, ભૂમિનું પ્રમાર્જન કરવું, કાયોત્સર્ગ કરવો વગેરે ક્રિયા.) (૨) સૂત્રોનાં પદો, (૩) અકારાદિ વર્ણો, (૪) સૂત્રોનો અર્થ, (૫) જિનપ્રતિમા, આ પાંચમાં ચિત્તનો ઉપયોગ રાખવો જોઈએ.
આ વિષયને સમજવા છિન્નજ્વાલાનું દૃષ્ટાંત છે. જેમ અગ્નિની મૂલવાલામાંથી નવી નવી જ્વાલાઓ નીકળીને મૂલજ્વાલામાંથી છૂટી પડેલી દેખાતી હોવા છતાં મૂલજ્વાલા સાથે સંબંધવાળી માનવી પડે છે. કારણ કે છૂટી પડેલી જ્વાલામાંના પરમાણુઓ રૂપાંતર પામીને ત્યાં અવશ્ય હોય છે, અર્થાત્ છૂટી પડેલી જ્વાલાના પરમાણુઓ રૂપાંતર પામી ગયા હોવાથી ત્યાં હોવા છતાં આપણને વ્યક્તરૂપે દેખાતા નથી. અથવા છિન્નજવાલા શબ્દનો અર્થ બીજી રીતે છે- એક ઘરમાં રહેલા દીવાની પ્રભા (સામેના) બીજા ઘરમાં દેખાય છે. અહીં પ્રભા મૂળથરના બારણામાંથી નીકળીને આવી હોવા છતાં આપણને સ્પષ્ટ દેખાતી નથી, છતાં નીકળેલી છે એમ માનવું પડે. કારણકે મૂળ ઘરના બારણામાંથી નીકળ્યા વિના બીજા ઘરમાં આવે શી રીતે ? જેમ અહીં ઘરના - બારણામાંથી નીકળેલી પ્રભા દેખાતી ન હોવા છતાં છે એમ માનવું પડે છે. . આ બીજા અર્થમાં વાલા એટલે પ્રભા. છિન્નવાલા એટલે છિન્નપ્રભા. પ્રભા 'છિન્ન છે = છેડાયેલી છે. કેમકે વચ્ચે દેખાતી નથી. તે પ્રમાણે પ્રસ્તુતમાં મનનો ઉપયોગ ક્રિયા વગેરે કોઈ એકમાં દેખાતો હોવા છતાં બીજે પણ અવ્યક્તરૂપે રહેલો જાણવો.
અથવા જ્વાલા એટલે ઉમાડિયાની જ્વાલા. એ જ્વાલા પ્રતિનિયત સ્થાનમાં રહેલી હોવાથી છિન્ન છે, અર્થાત્ છિન્ન એટલે પ્રતિનિયત સ્થાનમાં રહેલી. - ઉમાડિયાની જ્વાલા નિયત સ્થાનમાં રહેલી હોવા છતાં ઉમાડિયાને ગોળ ભમાવવાથી ચક્રાકારને કે દંડાકારને ધારણ કરતી તે જ્વાલાભ્રમણ અતિશીધ્ર થવાના કારણે
૧૧૧