________________
ચૈત્યવદન મહાભાષ્ય
स्वयमेव यतः सम्यगबुद्धा नान्येन बोधिताः सर्वे । तेन स्वयंसंबुद्धास्तेषां नमः संपद् द्वितीया ।।३०३।।
સર્વ અરિહંતો જાતે જ સમ્યગ્બોધ પામેલા હોય છે. બીજાના ઉપદેશથી બોધ પામેલા હોતા નથી, તેથી સ્વયંબુદ્ધ કહેવાય છે. તેમને નમસ્કાર થાઓ. આ બીજી સંપદા છે.
વિશેષાર્થ – જો કે તેમનો આત્મા પૂર્વના ભવોમાં તેવા પ્રકારના ગુરુઓથી બોધ પામેલો હોય છે, પણ તીર્થકરના ભવમાં બીજાના ઉપદેશ વિના સ્વયં જ બોધ પામેલા હોય છે. જો કે તીર્થકરના ભવમાં લોકાંતિક દેવો મયર્વ નિત્ય પવિત્તે “હે ભગવંત ! તીર્થ પ્રવર્તાવો” એમ કહે છે. અને પછી ભગવાન દીક્ષા લે છે, પરંતુ કાલજ્ઞાપક વૈતાલિકના વચન પછી જ રાજા પ્રવૃત્તિ કરે, તેની માફક દેવો માત્ર વિનંતિ કરે એટલે તીર્થકરો સ્વયે દીક્ષા ગ્રહણ કરે છે. લોકાંતિક દેવોનો વિનંતિ કરવાનો માત્ર આચાર છે, તીર્થકરો દેવોના કહેવાથી કે ઉપદેશથી દીક્ષા લે છે એવું નથી. (૩૦૩)
પરિસ સંનિયા, નર-નારય-તિથિ-વે ફિવાસી सव्वेसि तेसि पुज्जा, हवंति पुरिसोत्तमा तम्हा ॥३०४॥ पुरुषाः संसारिजीवा नर-नारक-तिर्यग्देवगतिवासिनः । सर्वेषां तेषां पूज्या भवन्ति पुरुषोत्तमास्तस्मात् ।।३०४।।
પુરુષો એટલે મનુષ્ય-નરક-તિર્યંચ-દેવગતિમાં રહેનાર જીવો. અરિહંતો તે બધાના પૂજ્ય હોવાથી પુરુષોત્તમ છે. (૩૦૪)
बीहंति न चेव जओ, उवसग्ग-परीसहाण घोराणं । विअरंति असंकमणा, भन्नति तओ पुरिससीहा ॥३०५॥ बिभ्यति न चैव यत उपसर्ग-परीषहाणां घोराणाम् । विचरन्त्यशङ्कमनसो भण्यन्ते ततः पुरुषसिंहाः ।।३०५।। અરિહંતો ઘોર ઉપસર્ગ-પરિષહોથી ભય પામતા નથી, નિઃશંકપણે
૧૪૦