________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
શરીરને ખંજવાળવું વગેરે ક્રિયાનો ત્યાગ દુષ્કર છે એ જણાવવા માટે - ગાથામાં મારે શબ્દનો પ્રયોગ કર્યો છે.
વિશેષાર્થ – બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટની સાંકળ. તેનો ન છૂટકે જ ઉપયોગ કરવો જોઈએ. આથી મુખકોશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તો પણ તે તકલીફ સહન થઈ શકતી હોય તો મુખ બાંધીને જ પૂજા કરવી જોઈએ. તકલીફના કારણે અસમાધિ થતી હોય તો જ છૂટ લેવી જોઈએ. “મુખકોશ બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે” એવું જાણીને વગર કારણે મુખકોશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાનો ભાગી બને છે. (૧૦૧)
ઘા-દ્ધ-દિવ-ઘોફિટ્ટા પાવUIના सइ गीई-वाइयाईसंजोगे कुणइ पव्वेसु ॥२०२॥ घृत-दुग्ध-दधि-गन्धोदकादिस्नानं प्रभावनाजनकम् । सति गीत-वादित्रादिसंयोगे करोति पर्वसु ।।२०२।।
શ્રાવક ઘી, દૂધ અને દહીંથી મિશ્રિત સુગંધી જલ આદિથી જિનની પ્રક્ષાલ : પૂજા કરે. પર્વ દિવસોમાં જો ગીત-વાજિંત્ર આદિનો સંયોગ હોય તો ગીત-વાજિંત્ર આદિ (આડંબર) પૂર્વક પ્રક્ષાલ પૂજા કરે. આવી પૂજા શાસનપ્રભાવના કરનારી છે. (૨૦૨)
एमाइ अंगपूया, कायव्वा नियमओ ससत्तीए। सामत्थाभावम्मि उ, धरेज्ज तक्करणपरिणामं ॥२०॥ एवमाद्यङ्गपूजा कर्तव्या नियमतः स्वशक्त्या । . सामर्थ्याभावे तु धारयेत् तत्करणपरिणामम् ।।२०३।।
ઈત્યાદિ અંગપૂજા સ્વશક્તિથી અવશ્ય કરવી જોઈએ. શક્તિ ન હોય તો અંગ પૂજા કરવાના પરિણામને ધારણ કરે = ભાવના રાખે. (૨૦૦૩)
जो पंचवन्नसत्थिय-बहुविहफल-भक्ख-दीवदाणाई । उवहारो जिणपुरओ, कीरइ सा आमिससवज्जा ॥२०४॥
૮૯