Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005846/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | (ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨) ચિત અગાકાર ભાગ છે પ્રકાશક શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણઘર્મ ઘર્મસંગ્રહ સાણોદ્ધાર ભાગ-બીજો રચયિતા ૦ પૂ. મહોપાધ્યાયશ્રી માનવિજયજી ગણિવર . * સંશોધક પૂ. મહોપાધ્યાયશ્રી લાવણ્યવિજયજી ગણિવર • ટિપ્પણકાર ૦ પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર • ભાષાંતરકાર છે પૂ. આ. શ્રી વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ • માર્ગદર્શન પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સંક્ષેપકાર પૂ. મુ. શ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ |ઃ પૂર્વ પ્રકાશક : જન્મા પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૫૩૯૨૭૮૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દક્ષાશતાબ્દી ગ્રંથમાળા-પુષ્પ-૧૮ પુસ્તકનું નામ : શ્રમણ ધર્મ (ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨) પુનઃપ્રકાશન : ૫૦૦ નકલ. સાહિત્યસેવા : ૧૦૦/કર્તા: પૂ. મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર સંક્ષેપકાર : પૂ.મુ.શ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ પૂર્વ પ્રકાશક: સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ ભણ ધર્મ - ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨ . ISBN 81-87163-65-8 - સાહિત્ય સેવા : 100-00 પ્રથમ આવૃત્તિ – વિ. સં. 2061 નકલ :1000 દ્વિતીય આવૃત્તિ - વિ. સં. 2068 નકલ 500 (સૂચના) આ ગ્રંથ “જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત કરાયેલો હોવાથી કોઈપણ ગૃહસ્થ એનું પૂરું મૂલ્ય જ્ઞાનનિધિ'માં ચૂકવીને જ એની માલિકી કરવી. ગૃહસ્થોએ આ ગ્રંથ વાચવા માટે સુયોગ્ય નકરો જ્ઞાનનિધિમાં આપવો જરૂરી છે. વિ.સં. ૨૦૧૮ ઈ.સ. ૨૦૧૨ શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી વર્ષ Y8 મકરાઇ ૦ મુદ્રણસહયોગ - પ્રાપ્તિસ્થાન ૦ જન્સાઈ પદાજીત જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલિફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૯૨૭૮૯ * E-mail : sanmargprakashan@gmail.com Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનના મહાન જયોતિર્ધર, પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ શાસન શિરતાજ, દીક્ષાયુગપ્રવર્તકશ્રીજીના શ્રીચરણે ભાવભરી અંજલી ન્યાયાભાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના સ્વર્ગવાસના વર્ષે જન્મી ચૂકેલા પાદરાના મા સમરથ અને પિતા છોટાલાલ રાયચંદના એકમેવ સુપુત્રરત્ન ત્રિભુવનકુમારે દીક્ષા માટેની સાર્વત્રિક વિપરીત અવસ્થાઓના વાદળાંઓને સ્વપુરુષાર્થથી વિખેરી ભરૂચ પાસેના ગંધાર તીર્થના આંગણે પૂ.મુ.શ્રી મંગલવિજયજી મહારાજાના વરદહસ્તે રજોહરણ પ્રાપ્ત કરી પૂ.મુ.શ્રી પ્રેમવિજયજી મહારાજ (ત્યાર બાદ સૂરીશ્વરજી)ના પ્રથમ પટ્ટશિષ્ય રૂપે પૂ. શ્રી રામવિજયજી મહારાજનું નામ ધારણ કર્યું. એ વખતે દીક્ષિતો અને દીક્ષાર્થીઓને દીક્ષાનું પ્રદાન-આદાન કરવા માટે જે ભીષણ રીતે ઝઝૂમવું પડતું હતું તે પરિસ્થિતિમાં પૂર્વ-પશ્ચિમ જેવો પ્રચંડ પલટો લાવવાનો દઢ સંકલ્પ કરી એનાં મૂળ કારણો શોધી એને ધરમૂળથી ઉખેડવાનો ભીષ્મ પુરુષાર્થ તેઓશ્રીમદે આદર્યો. એ પુરુષાર્થની પાયાની શિલા પ્રવચન ધારા” બની. અનંત તીર્થકરોને હૃદયમાં વસાવી, જિનાજ્ઞા-ગુર્વાજ્ઞાને ભાલપ્રદેશે સ્થાપી, કરકમળમાં આગમાદિ ધર્મશાસ્ત્રો ધરી, ચરણદ્વયમાં ચંચલા લક્ષ્મીને ચાંપી, જીવ્હાના અગ્રભાવે મા શારદાને સંસ્થાપિત કરી આ મહાપુરુષે દીક્ષા વિરોધની સામે ભીષણ જેહાદ જગાવી દીધી. અનેક બાળ, યુવા, પ્રૌઢ અને વૃદ્ધોને દીક્ષા આપી. એક સામટા પરિવારો દીક્ષિત થવા Page #7 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. હીરા બજારના વેપારીઓ, મીલમાલિકો, ડૉક્ટરો, એજીનીયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ તેઓશ્રીની વૈરાગ્ય ઝરતી વાણીને ઝીલી વીર શાસનના ભિક્ષુક બન્યા. આ કાર્ય કાળ દરમ્યાન તેઓશ્રીમદ્ કેઈ ઝંઝાવાતો, અપમાનો, તિરસ્કારો, કાચની વૃષ્ટિઓ અને કેટકોની પગથાર, કાળા વાવટાઓ, સ્થાન અને ગામમાં પ્રવેશ પણ ન મળે તેવા કારસ્તાનોનો સામનો કરવો પડ્યો. પાંત્રીસથી વધુ વાર તો તેઓશ્રીને સીવીલ કે ક્રિમીનલ ગૂનાના આરોપી બનાવી જૈન વેષધારીઓએ જ ન્યાયની કોર્ટ બતાવી. મા સમરથના જાયા, રતનબાના ઘડતરપાયા, સૂરિદાનની આંખની કીકી અને સમકાલીન સર્વ વડીલ ગુરુવર્યોના હૃદયહાર રૂપે સ્થાન પામેલા પૂજ્યશ્રીએ જિનાજ્ઞા અને સત્યવાદિતાના જોરે એ બધાં જ આક્રમણોને ખાળી વિજયશ્રી પ્રાપ્ત કરી. પૂ.મુ.શ્રી રામવિજયજી મહારાજામાંથી પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપે વિખ્યાત બનેલા તેઓશ્રીમદ્ વ્યાખ્યાન વાચસ્પતિ, પરમ શાસન પ્રભાવક, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, દીક્ષાયુગ પ્રવર્તક, જૈન શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ જેવા ૧૦૮થી ય વધુ સાર્થક બિરૂદોને પામી જૈન શાસનને આરાધના, પ્રભાવના અને સુરક્ષાના ત્રિવેણી સંગમથી પરિસ્નાત કરતા રહ્યા. કટ્ટરમાં કટ્ટર વિરોધી વર્ગને પણ વાત્સલ્યથી નિહાળતા અને પોતાના પ્રત્યે ગંભીર ગુનો આચરનારને પણ ઝટ ક્ષમાનું દાન કરતા તેઓશ્રીએ પોતાના ૭૭૭૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં મુખ્યત્વે દીક્ષાધર્મની સર્વાગીણ સુરક્ષા-સંવર્ધના કરી એનાં બીજ એવાં સુનક્ષત્રમાં વાવ્યાં કે તેઓશ્રીના નામ સાથે પુણ્ય સંબંધ ધરાવતા એક જ સમુદાયમાં આજે આશરે ૧૪૦૦ જેટલા સંયમીઓ સાધનારત છે. અન્ય અન્ય સમુદાયો, ગચ્છો અને સંપ્રદાયોમાં દીક્ષા-પ્રવૃત્તિના વેગમાં પણ તેઓશ્રીમદ્ અસામાન્ય કારણરૂપ છે એમ કોઈપણ નિષ્પક્ષપાતીને કહ્યા વિના ચાલે તેમ નથી. પૂજ્યપાદશ્રીજીના દીક્ષા સ્વીકારની ક્ષણ વિ.સં. ૨૦૧૮ના પોષ સુદ ૧૩ના દિને શતાબ્દી'માં મંગલ પ્રવેશ કરી હતી અને પૂરા વર્ષભર એ નિમિત્તે દીક્ષા ધર્મની પ્રભાવનાનાં વિધવિધ અનુષ્ઠાનોની હારમાળા સર્જાઈ રહી છે. . શાશ્વત ગિરિરાજ શ્રી સિદ્ધગિરિ પાલીતાણા ખાતે “સૂરિરામચંદ્ર' સામ્રાજ્યના મોવડી પૂજ્યો ગચ્છસ્થવિર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી Page #8 -------------------------------------------------------------------------- ________________ મહારાજા, વાત્સલ્યનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા, પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દશાધિક સૂરિવરો, પદસ્થો, શતાધિક મુનિવરો અને પંચશતાધિક શ્રમણીવરોની નિશ્રા-ઉપસ્થિતિમાં પંચ દિવસીય મહામહોત્સવના આયોજન સાથે પ્રારંભાયેલ ‘દીક્ષા-શતાબ્દી’ની ભારતભરમાં અનેક સ્થળે ભાવસભર ઉજવણી થઈ છે અને થઈ રહી છે. પૂજ્યશ્રી સાથે સંકળાયેલાં સ્મૃતિ સ્થાનો-તીર્થોમાં પણ વિધવિધ ઉજવણીઓ આયોજાયેલ છે. સમુદાયના અન્ય અન્ય સૂરિવરો આદિની નિશ્રાઉપસ્થિતિમાં ય રાજનગર, સુરત, મુંબઈ વગેરે સ્થળોમાં પ્રભાવક ઉજવણીઓનાં આયોજનો થયા અને થઈ રહ્યાં છે. આ સર્વે ઉજવણીઓના શિરમોર અને સમાપન રૂપે પૂજ્યપાદશ્રીજીનાં દીક્ષા સ્થળ શ્રી ગંધારતીર્થના આંગણે વધુમાં વધુ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘને આમંત્રી દિગદિગંતમાં ગાજે એવો દીક્ષાદુંદુભિનો પુણ્યઘોષ કરવાનો ય મનસૂબો ગુરુભક્તો અને મિતિ સેવી રહ્યા છે. દીક્ષા શતાબ્દી વર્ષમાં જિનભક્તિ,ગુરુભક્તિ,સંઘ-શાસન ભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો જેમ યોજવાનાં છે તેમ વધુમાં વધુ સંખ્યામાં મુમુક્ષુઓ મહાત્માઓ બને એવા દીક્ષામહોત્સવો પણ યોજવાના છે. સાથોસાથ જ્ઞાન સુરક્ષાવૃદ્ધિ, અનુકંપા અને જીવદયાદિનાં સંગીન કાર્યો કરી પૂજ્યપાદશ્રીજીના આજ્ઞા સામ્રાજ્યને આદરભરી અંજલી સમર્પવાની છે. આ મહદ્ યોજનાના જ એક ભાગરૂપે પ્રાચીન-અર્વાચીન શ્રુત-પ્રકાશનનું સુંદર અને સુદૃઢ કાર્ય હાથ ઉપર લેવાયું છે. સૂરિરામચન્દ્ર સામ્રાજ્યના વર્તમાન ગચ્છાધિપતિ પ્રવચન પ્રદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાશીર્વાદને ઝીલી પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શન અનુસારે વિવિધ શ્રુતરત્નોનું પ્રકાશન ‘શાસન શિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષા શતાબ્દી ગ્રંથમાળાના’ ઉપક્રમે નિર્ધાર્યું છે, તેના અઢારમા પુષ્પરૂપે પૂ. મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર દ્વારા રચિત શ્રમણ ધર્મ: ધર્મસંગ્રહ સારોદ્વાર ભાગ-૨ પુસ્તકનું પ્રકાશન કરતાં અતીવ આનંદ અનુભવીએ છીએ. 5 Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક વિ.સં. ૨૦૬૧માં પૂ.મુ. શ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ દ્વારા સંક્ષેપિત થઈ, સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું હતું. તે સર્વેનો અત્રે આભાર માનવામાં આવે છે. આ પુસ્તકના પુનર્મુદ્રણ કાર્યનું માર્ગદર્શન આપીને પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ મહદ્ ઉપકાર કર્યો છે તો સન્માર્ગ પ્રકાશન, અમદાવાદે પણ ખૂબ જ જહેમતથી મુદ્રણ-પ્રકાશન વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સહુના ઉપકૃત છીએ. સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિ માર્ગમાં આગળ વધી આત્મ-શ્રેય સાધે એ જ અંતર-ભાવના. વિ.સં. ૨૦૧૮, આસો સુદ ૧૦ શાસનશિરતાજ સૂરિરામચંદ્ર બુધવાર તા. ૨૪-૧૦-૨૦૧૨ દીક્ષાશતાબ્દી સમિતિ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનશિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, દીક્ષાયુગ પ્રવર્તક સુવિશુદ્ધ સિદ્ધાંત દેશનાદાતા, તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના દીક્ષાશતાબ્દી વર્ષમાં તેઓશ્રીમા દીક્ષા-યુગ-પ્રવર્તનાદિ ગુણોની અનુમોદનાર્થે શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના પુષ્પ-૧૮ રૂપે પૂ.મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવિરચિત . શ્રમણધર્મ. ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨ પુસ્તકના પ્રકાશનનો પુણ્યલાભ સંપ્રાપ્ત કરનાર શ્રી સિદ્ધગિરિરાજની છત્રછાયામાં વિ.સં. ૨૦૦૭ની સાલે જેનશાસન શિરતાજ, દીક્ષા યુગ પ્રવર્તક, તપાગચ્છાધિરાજ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગુરુગચ્છ વિશ્વાસધામ, વર્ધમાન તપોનિધિ, પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં 6 શ્રમણો, ૩૦૦ શ્રમણીઓ, ૧૭૦૦ જેટલા ચાતુર્માસ આરાધકો, ૧૦૬૦ જેટલા ઉપધાન આરાધકો અને પ૮૫ જેટલા માળ આરાધકો આદિની સભર ઐતિહાસિક ચાતુર્માસ તથા ઉપધાન તપનું આયોજન કર્યું હતું. કુળદીપિકા પૂ.સા.શ્રી રાજનંદિતાશ્રીજી મ.ના સદુપદેશથી ધાનેરા નિવાસી માતુશ્રી ચંપાબેન જયંતિલાલ દાનસુંગભાઈ અજબાણી - ધાનેરા ડાયમંડસ પરિવારે એ દરમ્યાન થયેલી જ્ઞાન-ખાતાની વિશિષ્ટ ઉપજમાંથી શાસન શિરતાજ સૂરિરામચંદ્ર-દીક્ષા શતાબ્દીની સ્મૃતિમાં વિવિધ પ્રાકૃત સંસ્કૃત-અનુવાદાદિ ગ્રંથોના પ્રકાશનનો પુણ્ય લાભ લેવામાં આવ્યો છે. અમો એ સુકૃતની ભાવપૂર્વકઅનુમોદના કરવા સાથે ભવિષ્યમાં પણ આવાં સુંદર કાર્યો થતાં રહે એવી શુભકામના કરીએ છીએ. લી. શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ Page #11 -------------------------------------------------------------------------- ________________ • શાસન શિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષા-શતાબ્દી ગ્રંથમાળાનાં પુષ્પો સાહિત્ય સેવા ૧પ GO ૧૦૦૦ २५० - TOO ૧00 ૧. સત્તરભેદી પૂજા સાથે ૨. સન્માર્ગ દેશના 3. योग-व्याख्या संग्रह ૪. શિક્ષક અને શિક્ષણ ५-७ षड्दर्शन समुच्चय हिंदी भावानुवाद भाग १-२. ७ षड्दर्शन विषयकं कृति संग्रह ૮. અધ્યાત્મકલ્પદ્રુમ-અધિરોહિણી ટીકા સહ ૯. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૧ , ૧૦. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૨ ૧૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૩ ૧૨. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૪ ૧૩. દ્રવ્ય સપ્તતિકા ૧૪. મત-મીમાંસા ભાગ-૧ ૧૫. ઓઘનિર્યુક્તિ પરાગ ૧૬. પિંડનિયુક્તિ પરાગ ૧૭. શ્રી જંબૂસ્વામી રાસ તથા બારવ્રતની ટીપનો રાસ ૧૮. શ્રમણધર્મ (ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨) ૧૯. ચતુર્વિશતિ પ્રબંધ કોશ ૨૦. પ્રાચીન ગુર્જર-કાવ્ય સંગ્રહ ૨૧. ઉપદેશ રત્નમાલા ૨૨. ઈમ્પીરીયલ મુઘલ ફરમાન્સ ઈન ગુજરાત ૧00 ૧Oo પ0 uo ૧૦૦ ૧00 ૧00 ૨૫ * ૨૦૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ધર્મનાં ચાર અંગો : શ્રદ્ધા વિના એટલે કોઈ પણ એક સારા વિષયની જિજ્ઞાસા થયા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વર્તન સુધરતું નથી અને વર્તન સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે, શુદ્ધ વર્તન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. જ્ઞાન વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્ર વિનાનું ધ્યાન દુર્થાન છે. દુર્ગાનનું પરિણામ દુર્ગતિ છે. દુર્ગતિથી ભીરુ અને સદ્ગતિના કામી આત્માઓને જેટલી જરૂર શુભ ધ્યાનની છે, તેટલી જ જરૂર ધ્યાનને સુધારનાર સદ્વર્તનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને સજ્ઞાનને પેદા કરનાર સશ્રદ્ધાની છે. શ્રી જૈન શાસનની આરાધના એટલે સત્શ્રદ્ધા, સજજ્ઞાન, સદ્વર્તન અને સધ્યાન તથા એ ચારને ધારણ કરનારા સપુરુષોની આરાધના છે. એ ચારમાંથી કોઈની, કે એ ચારને ધારણ કરનાર કોઈ એકની પણ અવગણના એ શ્રી જૈન શાસનની અવગણના છે. એ ચારેતી અને એ ચારને ધારણ કરનાર પુરુષોની આરાધના એ શ્રી જૈનશાસનની સાચી આરાધના છે. એકલું જ્ઞાન કે એકલું ધ્યાન, એલી. શ્રદ્ધા કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. મુક્તિનો માર્ગ એટલે શ્રદ્ધા અને શાન, ક્રિયા અને ધ્યાન, એ ચારેનો સુમેળ અને એ ચારેની સંપૂર્ણ શુદ્ધિ છે. અહીં શ્રદ્ધા શબ્દ શ્રદ્ધેય, શ્રદ્ધાવાન્ અને શ્રદ્ધાદિનાં હેતુ, એ ત્રણેનો સૂચક છે. એ રીતે જ્ઞાન શબ્દ શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન, એ ત્રિપુટીને જણાવનારો છે. ક્રિયા શબ્દ ક્રિયા, ક્રિયાવાનું અને ક્રિયાનાં સાધનોને તથા ધ્યાન શબ્દ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોને જણાવનારો છે. એ ચારેની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રદ્ધેય, શ્રદ્ધાવાનું અને શ્રદ્ધાનાં હેતુઓ, શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનો, ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં હેતુઓ તથા ધ્યેય, ધ્યાતા અને ધ્યાનમાં સાધનોની શુદ્ધિ. જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેમને માર્ગે ચાલનારા નિર્ઝન્થ અને તેમણે બતાવેલો અનુપમ શ્રત અને ચારિત્રધર્મ છે. તેમાં વીતરાગ વીતરાગ તે છે કે જેમણે રાગાદિ દોષો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો હોય. જે રાગાદિ દોષોએ ત્રણે જગત ઉપર વિજય મેળવ્યો છે, તેના ઉપર પણ જેઓએ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ત્રણે જગતના 'Victors' વિજેતા ગણાય છે. દોષો ઉપરના એ વિજયનું નામ જ વીતરાગતા છે. વીતરાગતા ઉપરની શ્રદ્ધા એટલે દોષોના વિજય ઉપરની શ્રદ્ધા અર્થાત્ ‘ગતમાં જેમ દોષો છે, તેમ તે દોષો ઉપર વિજય મેળવનારાઓ પણ છે. એવી અખંડ ખાત્રી. એ શ્રદ્ધા દોષોના વિજેતાઓ ઉપર ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. દોષોના વિજેતાઓ ઉપરનો આ ભક્તિરાગ એક પ્રકારનો વેધક રસ છે. વેધક રસ જેમ ત્રાંબાને પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ દોષોના વિજેતાઓ ઉપરનો ભક્તિરાગ જીવરૂપી તામ્રને શુદ્ધ કાંચનસમાનસર્વ દોષ રહિત અને સર્વગુણ સહિત-શિવ-સ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દોષરહિતતા અને ગુણસહિતતા સમ વ્યાપ્ત છે. જેમ અંધકારનો નાશ અને પ્રકાશનો ઉદ્ગમ એક સાથે જ થાય છે, તેમ દોષોનો વિજય અને ગુણોનો પ્રકર્ષ સમકાળે જ ઉદય પામે છે. વીતરાગ એ દોષોના વિજેતા છે, માટે જ ગુણોના પ્રકર્ષવાળા છે. એ રીતે વીતરાગ ઉપરની શ્રદ્ધામાં જેમ દોષોના વિજય ઉપરની શ્રદ્ધા વ્યક્ત થાય છે, તેમ ગુણોના પ્રકર્ષની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય પરની શ્રદ્ધાથી જાગેલો ભક્તિરાગ જ્યારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક્ષણવારમાં વીતરાગ સમ બની જાય છે. નિર્ગથ - શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પ્રથમ નંબરે જેમ વીતરાગ છે, તેમ બીજે નંબરે નિગ્રંથ છે. નિગ્રંથ એટલે વિતરાગ નહિ, છતાં વીતરાગ બનવાને સતત પ્રયત્નશીલ. ગ્રંથ એટલે ગાંઠ અથવા પરિગ્રહ. પરિગ્રહ શબ્દ મૂછના પર્યાય તરીકે ઓળખાય છે. આત્મા અને તેના ગુણો સિવાય જગતના કોઈપણ પદાર્થ ઉપર-મૂછના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ કે રાગભાવ ધારણ કરવો નહિ, એ નિર્ગથતાની ટોચ છે. આત્મા અને તેના ગુણો ઉપરનો રાગ એ મૂર્છા કે મમત્વ સ્વરૂપ નથી, કિન્તુ સ્વભાવોન્મુખતારૂપ છે. તેથી તે દોષરૂપ નહિ પણ ગુણરૂપ છે. નિગ્રંથતા ઉપરની શ્રદ્ધા એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાનો જ એક ફણગો છે. વીતરાગ દોષરહિત છે, તો નિગ્રંથ દોષરહિત હોવા છતાં દોષરહિત થવાનો પ્રયત્નશીલ છે. દોષના અભાવમાં દોષરહિત બની રહેવું, એ સહજ છે. દોષની હયાતિમાં દોષને આધીન ન થવું એ સહજ નથી, કિંતુ પરાક્રમસાધ્ય છે. દોષોના હલ્લાની સામે અડગ રહેવું અને દોષોને મૂળમાંથી ઉખેડી Page #14 -------------------------------------------------------------------------- ________________ 11 નાખવા માટે સતત મચ્યા રહેવું, એ જેનું સાધ્ય છે તે નિગ્રંથતા વીતરાગતાની સગીબહેન છે-બહેનપણી છે. એવી નિગ્રંથતાને વારેલા મહાપુરુષો પ્રત્યે શ્રદ્ધા Respect for the Spiritual Heroes (Masters)' વીતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે. વીતરાગ ઉપરનો ભક્તિભાવ એ જેમ દોષોનો દાહક અને ગુણોનો ઉત્તેજક છે, તેમ નિગ્રંથ ઉપરનો ભક્તિભાવ પણ દોષદાહક અને ગુણોત્તેજક છે. શ્રુત-ચારિત્રધર્મ શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલો નંબર વીતરાગનો અને બીજો નંબર નિગ્રંથનો છે, તેમ ત્રીજો નંબર વીતરાગે કહેલા અને નિગ્રંથે પાળેલા શ્રુતધર્મ અને ચારિત્રધર્મનો આવે છે. શ્રુતધર્મની શ્રદ્ધા એટલે વીતરાગના વચન સ્વરૂપ શાસ્ત્ર બતાવેલા પદાર્થો અને તત્ત્વો ઉપરનો વિશ્વાસ ‘જીવાદિક દ્રવ્યો અને મોક્ષાદિક તત્ત્વોનું નિરૂપણ શાસ્ત્રોમાં જે રીતે કર્યું છે, તે તેમજ છે' એવી અખંડ પ્રતીતિ. એ પ્રતીતિના યોગે જગતનો સ્વભાવ અને મોક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જાણવાની અને સમજવાની તક મળે છે અને તેના ફળ સ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મ તેને કહેવાય છે કે જેમાં બીજાની પીડાનો પરિહાર હોય. જ્યાં સુધી જીવ બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સર્વાંશે કે અમુક અંશે પણ મુક્ત થતો નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતો કર્મબંધ અટકી શકતો નથી. અને કર્મબંધ અટકતો નથી ત્યાં સુધી તેના ફળસ્વરૂપ જન્મ-મરણ અને તજ્જનિત પીડાઓ અટકી શકતી નથી. સ્વપીડાનું ઉત્પત્તિસ્થાન જાણે કે અજાણે પરપીડામાં થવાતું નિમિત્ત છે. એ નિમિત્ત મનથી, વચનથી કે કાયાથી લેશ પણ થવાતું હોય, ત્યાં સુધી તન્નિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે હિંસાદિ પાપસ્થાનોથી નિવૃત્ત થવું તે છે. પરપીડા એ પાપ છે અને પર ઉપકાર એ પુણ્ય છે, એ નિર્વિવાદ છે. પોતાને કોઈ પીડા આપે તો તે પાપી છે, એમ માનનારો બીજાને પીડા આપતી વખતે પોતે પાપ કરનારો નથી, એમ કઈ રીતે કહી શકે ? પોતાના ઉપર કોઈ ઉપકાર કરે તો તે પુણ્યનું કામ કરે છે એમ જો લાગે છે, તો તે નિયમ પોતાને માટે સાચો છે અને બીજાને માટે સાચો નથી, એમ કોણ કહી શકે ? વિશ્વના અવિચલ નિયમો અકાટ્ય હોય છે. કાંટામાંથી કાંટા ઉગે છે અને અનાજમાંથી અનાજ ઉગે છે. એ નિયમના અનુસારે જ પીડામાંથી પીડા અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રધર્મ એ પરપીડાના પરિહારસ્વરૂપ અને પરોપકારના પ્રધાન અંગરૂપ છે. તે ચારિત્રધર્મ ઉપરની શ્રદ્ધા અને તેના પાલનના શુભ અને કલ્યાણકારી ફળો ઉપરનો અખંડ વિશ્વાસ, એ સદ્ભક્તિ અને સદાચરણની પ્રેરણાનું અનુપમ બીજ છે. પરને લેશ માત્ર પીડા ન થાય અને સંસર્ગમાં આવનાર યોગ્ય જીવોને શુદ્ધ ધર્મની પ્રાપ્તિરૂપ ભાવોપકાર થાય, એવા ચારિત્રધર્મનું પાલન કરવા માટે શ્રી જૈનશાસ્ત્રોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અગણિત નિયમો બતાવ્યા છે. તે બધાનો સંગ્રહ ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦-૭૦ ભેદોમાં અગર સંયમ અને શીલના ૧૮૦૦૦ પ્રકારોમાં થઈ જાય છે. સદાચારના સર્વ શ્રેષ્ઠ અંગો તેમાં સમાઈ જાય છે અને એક પણ અંગ બાકી રહેતું નથી. આ પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રંથ એટલા માટે મહાગ્રંથ છે કે સદાચારના એ સર્વ શ્રેષ્ઠ અંગોનું વર્ણન કરવા સાથે એના પાલન માટે અતિ આવશ્યક એવી ચક્રવાલ સમાચારી અને પ્રતિદિન (ઘ) સમાચારી વગેરે સામાચારીઓનું એમાં યુક્તિયુક્ત વિસ્તૃત વિવેચન છે. ઇચ્છા-મિચ્છાદિક દેશ પ્રકારની ચક્રવાલ સામાચારી કહેવાય છે અને આવશ્યક-પ્રતિલેખનાદિ પ્રતિદિન (ઓઘ) સામાચારી કહેવાય છે. એના પાલનમાં સતત ઉપયોગવંત જીવને જીવનમાં સદાચારનો ભંગ કે તેના ફળ સ્વરૂપ કર્મનો બંધ થવાનો અવકાશ રહેતો નથી. શ્રદ્ધાની શુદ્ધિ માટે વીતરાગ, નિગ્રંથ અને શ્રુત-ચારિત્ર ધર્મરૂપ શ્રદ્ધેય વસ્તુઓની શુદ્ધિ જોઈએ. એવી શુદ્ધ વસ્તુઓ ઉપરની શ્રદ્ધા કોઈ પણ આત્માને પવિત્ર બનાવી શકે છે, એમાં કોઈ પણ જાતની શંકા નથી. શ્રદ્ધાવાન્ આત્માદિની શુદ્ધિ શ્રદ્ધા એક ગુણ છે. ગુણ ગુણી વિના રહી શકતો નથી. શ્રદ્ધા રૂપી ગુણને ધારણ કરનારો ગુણી “આત્મા છે. એ આત્માની શુદ્ધિ એટલા તેના સ્વરૂપની શુદ્ધિ. આત્માનું સ્વરૂપ તેવું માનવું જોઈએ કે જેથી તેનામાં બંધમોક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવો) ઘટે. આત્માને એકાંત નિત્ય માનવામાં આવે કે એકાંત ક્ષણિક માનવામાં આવે, એકાંત શુદ્ધ એ એકાંત અશુદ્ધ માનવામાં આવે, શરીરાદિથી એકાંત ભિન્ન કે એકાંત અભિન્ન માનવામાં આવે તો કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કોઈ પણ ગુણની, પુણ્યપાપની, સુખ-દુ:ખની, કે બંધ-મોક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, જ્ઞાન, Page #16 -------------------------------------------------------------------------- ________________ આદિ ગુણો કે સુખ-દુઃખ આદિ અવસ્થાઓ આત્મામાં તો જ ઘટી શકે છે, કે જો તે કથંચિત્ નિત્યાનિત્ય, કથંચિત્ શુદ્ધ શુદ્ધ કે કથંચિત્ શરીરાદિથી ભિન્નભિન્ન સ્વરૂપવાળો હોય. દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મોક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન્ન ઇત્યાદિ પ્રકારનો જો આત્માને માનવામાં ન આવે, તો શ્રદ્ધાદિ ગુણોની કે બંધ-મોક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો વિચાર નિરર્થક બને અને એ વિચારોને દર્શાવનારાં શસ્ત્રો પણ કલ્પિત ઠરે. શ્રી જૈનશાસનમાં આત્માદિ દ્રવ્યોનું સ્વરૂપ જે રીતે નિત્યાનિત્યાત્મક આદિ રૂપે બતાવેલું છે, તે રીતે માનવામાં આવે તો જ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રદ્ધેય ઠરે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન્ આત્માની શુદ્ધિની સાથે શ્રી જૈનશાસનમાં શ્રદ્ધા આદિ ગુણોને પ્રગટ કરનારાં સાધનોની પણ શુદ્ધિ બતાવેલી છે. * . શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધનો શ્રી જૈનશાસનમાં બે પ્રકારનાં કહ્યાં છે. ‘તસિધામા I' અર્થાત્ સમ્યમ્ દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી અને અધિગમથી કહી છે. નિસર્ગ એટલે જેમાં આત્મા સિવાય બીજા કોઈ પણ સાધનની જરૂર ન રહે. અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરુ ઉપદેશાદિ બીજા સાધનની આવશ્યક્તા રહે. એકલા નિ:સર્ગથી કે એકલા અધિગમથી સમ્યક્ દર્શનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ બાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વ જન્મોના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે અને કોઈ જીવને ઉપદેશાદિ મળ્યા પછી જ થઈ શકે છે, માટે એ બન્ને પ્રકારોને માનવા એ શ્રદ્ધાનાં સાધનોની શુદ્ધિ છે. જેમ શ્રદ્ધાની, તેમ જ્ઞાનની, શુદ્ધિ માટે ય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનોની, ક્રિયાની શુદ્ધિ માટે ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં સાધનોની, તથા ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની શુદ્ધિ પણ તેટલી જ જરૂરી છે. આ શ્રી જૈનશાસનમાં શેય તરીકે અનંત વિશ્વ, તેમાં રહેલા સચેતન જીવો, અચેતન પગલો, પરમાણુ, પ્રદેશો, સ્કંધો, ઉપરાંત જીવ અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિ તથા તેનાં સહાયક દ્રવ્યો, એ બધાને અવકાશ આપનાર આકાશ, પરિવર્તન કરનાર કાળ વગેરે પ્રત્યેક પદાર્થો તેના યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલ છે. જ્ઞાતા આત્મા પણ કથંચિત્ નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધ અને શરીરાદિથી ભિક્ષાભિન્ન બતાવેલો છે તથા જ્ઞાનનો બહિરંગ સાધનો ઉપદેશાદિ અને અંતરંગ સાધનો Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમાદિ યથાસ્થિત વર્ણવેલાં છે. જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, એ પાંચ મૂળભેદો, એકાવન પેટાભેદો અને અવાંતર સૂક્ષ્મ અસંખ્ય ભેદો સંગત રીતે નિરૂપણ કરેલા છે. ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સીત્તેર વગેરે ભેદો, પ્રભેદો અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંયમસ્થાનો બતાવેલાં છે. ક્રિયાવાન્ આત્માની લેશ્યા, તેની શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ-અપકર્ષથી પ્રાપ્ત થતાં ગુણસ્થાનકો અને તેના અવાંતર સંખ્ય-અસંખ્ય ભેદો-પ્રભેદો પ્રરૂપેલાં છે. ક્રિયાનાં બાહ્ય સાધનો ગુરુકુલવાસાદિનું અને અત્યંતર સાધનો વીઆંતરાયના ક્ષયોપશમાદિનું પણ શુદ્ધ વર્ણન કરેલું છે. ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય તરીકે મુક્તિ, મુક્તિસ્થાન અને મુક્તજીવોનું સુખ, ધ્યાતા તરીકે કથંચિત્ નિત્યાનિત્યવાદિ સ્વરૂપવાળો આત્મા અને ધ્યાનમાં સાધનો તરીકે બાહ્ય-અત્યંતરાદિ તપના અનેક પ્રકારોનું સુવિસ્તૃત, સુસંગત અને સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કરેલું છે. આપણે જોયું કે અહિંસા ધર્મના શ્રેષ્ઠ પાલન વિના મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. કેવળ શરીરથી, જ નહિ, કિંતુ વચન અને મનથી પણ પૂર્ણ અહિંસાનું પાલન થવું જોઈએ. જૈન શાસનમાં અહિંસાના પરિપૂર્ણ કાયિક પાલન માટે વિવિધ પ્રકારના ઉત્તમ આચારો બતાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે સ્યાદ્વાદ સિદ્ધાંતનું નિરૂપણ કરેલું છે. સ્યાદ્વાદ એક એવા પ્રકારની વ્યાયબુદ્ધિ છે કે જેમાં સત્યના કોઈ પણ અંશનો અસ્વીકાર કે અસત્યના કોઈ પણ અંશનો સ્વીકાર સંભવી શકતો નથી. આ ગ્રંથના પ્રથમ વિભાગના પ્રારંભમાં જ આપેલા માર્ગાનુસારિતા ‘ન્યાયસંપદ્યવિભવ'થી માંડીને પ્રકૃતિ સૌમ્યતા પર્વતના સઘળા (પાંત્રીશ) નિયમોનું પાલન એ સ્યાદ્વાદ સિદ્ધાંતને પામવાની અને પચાવવાની પૂર્વ ભૂમિકા કે માર્ગાનુસારીના ગુણોથી આરંભીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મના પાલન સુધીના સર્વ સદાચારો સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમોને આ ગ્રંથમાં એવી રીતે વર્ણવી બતાવ્યા છે કે તેને વાંચનાર-ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં નિપુણ થાય એટલું જ નહિ પણ સ્યાદ્વાદન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને. પ્રત્યેક વિચાર કે ઉચ્ચાર કોઈ એક અપેક્ષાને આગળ કરીને જ થએલો હોય છે. તે પૂર્ણ સત્ય ત્યારે જ બને કે જ્યારે અન્ય અપેક્ષાઓ તેમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ 15 આવીને ભળે અને વસ્તુ કે વિષયના સમગ્ર રૂપને સ્વીકારવા તત્પર થાય. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ પણ મોક્ષગામી ત્યારે બને કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિનો હેતુ હોય. અર્થાત્ પૂર્ણતાના સાધનરૂપ માનીને તેને અપનાવવામાં આવે. પ્રવૃત્તિ પોતે કદી પૂર્ણરૂપ હોઈ શકતી નથી, કિંતુ પૂર્ણતા તરફ લઈ જનારી અપૂર્ણ પ્રવૃત્તિઓ પણ પૂર્ણતાનો હેતુ હોવાથી પૂર્ણ મનાય છે. સ્યાદ્વાદીના અંત:કરણમાં આ જાતિનો વિચાર સદા જાગ્રત હોય છે. વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યનો ઘાત કે વિરોધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદ્વાદને પરિણમાવવો તે છે. કોઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનનો અભાવે સંસારમાં ભટકે છે, કોઈ કહે છે કે ક્રિયાના અભાવે ભટકે છે; ત્યારે સ્યાદ્વાવાદી કહે છે કે જીવનમાં સ્યાદ્વાદ પરિણતિના અભાવે જીવ સંસારમાં ભટકે છે. ‘મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ સત્યમાં મમત્વ અને અસત્યનું અમમત્વ છે' એવી સમજણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવનમાં સ્યાદ્વાદ રુચિ જાગે છે. પછી તેને સ્યાદ્વાદી પુરુષોનાં વચનો અને નિરૂપણો અમૃત સમાન મીઠાં લાગે છે. ધર્મસંગ્રહ નામનો આ ગ્રંથ અપેક્ષાએ સ્યાદ્વાદનો દરીઓ છે. સ્વાદ્વાદી એવા પૂ. મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજા એના કર્તા છે અને મહાસ્યાદ્વાદી એવા પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા એના સંશોધન કર્તા તથા ટીપ્પણકાર છે. એ કારણે એમાં ધર્મનાં પ્રત્યેક અંગોનો સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય-અનૌચિત્યનો પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યો છે. કયી ભૂમિકાવાળા જીવ માટે કયો અને કેટલો ધર્મ કેવી રીતે મોક્ષનો હેતુ બને છે, તથા પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગો કેટલું મહત્ત્વ ધરાવે છે, તેનું સુસ્પષ્ટ વિવેચન આ ગ્રંથમાં મળી રહે છે. * એકાંત રુચિ જીવને આ ગ્રંથમાં વર્ણવેલી વિસ્તૃત વિગતો કદાચ રુચિકર ન નિવડે, એ બનવા યોગ્ય છે. કિંતુ અનેકાંત રુચિ જીવને તો આ ગ્રંથમાં વર્ણવેલો એક એક વિષય અત્યંત ઉપયોગી, પુન: પુન: વાંચવા લાયક, વિચારવા લાયક અને જીવનમાં ઉતારવા લાયક છે, એની ખાત્રી થાય છે. ગ્રંથકારે ગ્રંથમાં નવું કાંઈ જ કહ્યું નથી. પૂર્વ મહર્ષિઓએ જે વાતો કહી છે, તેની તે જ કહી છે. તો પણ તેની સંકલના એવી સુંદર રીતે કરી આપી છે કેઆ એક જ ગ્રંથને ભણવાથી કે વાંચવાથ ચારે અનુયોગનો સાર સમજાઈ Page #19 -------------------------------------------------------------------------- ________________ 16 જાય છે. ધર્મનાં ચારે અંગો દાન-શીલ-તપ-ભાવ અથવા દર્શન-જ્ઞાન-ચારિત્રતપ સંબંધી આવશ્યક સઘળીય માહિતી મળી રહે છે. વધારે મહત્ત્વની વાત તો તે છે કે-આગમશૈલી અને યોગશૈલીનું મિલાન કેવી રીતે થાય છે, તેને સમજવા માટે આ ગ્રંથ એક અનન્ય ભોમીયાની ગરજ સારે છે. યોગ સંબંધી પૂજ્યપાદ સુવિહિત શિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો અને આગમ સંબંધી પૂર્વાચાર્ય મહર્ષિઓના ગ્રંથોનું દોહન કરીને ગ્રંથકાર મહર્ષિએ ઉભયની ઉપયોગિતા અને એકતાનું સચોત માર્ગદર્શન કરાવ્યું છે. આ ગ્રંથનું સર્જન જૈન સંઘને માટે આજસુધી અપૂર્વ આશીર્વાદરૂપ નિવડ્યું છે, ભવિષ્યમાં પણ આધારરૂપ નિવડશે. સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલો આ ગ્રંથ સર્વ કોઈને સુલભ બને, તે માટે તેના ભાષાનુવાદની આવશ્યકતા હતી. ગ્રંથના બે વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગનો અનુવાદ કરવા માટે તો આજે પૂર્વે પણ પ્રયત્ન થયેલો હતો. બીજા વિભાગના અનુવાદનું કામ તેટલું સરલ ન હતું. તેમાં પ્રભુ મહાવીરે પ્રરૂપેલો સાધુધર્મ વર્ણવેલો, હોઈ તેને સમજવા અને સમજાવવા માટે અધિકારી વ્યક્તિની જરૂર હતી. ગ્રંથમાં કહેલી વિધિમુજબ સાધુપણું અંગીકાર કરી ગુરુકુલવાસમાં વસી, શ્રુતધર્મનું અધ્યયન કરી, ચારિત્રધર્મનું પાલન કરી, જ્ઞાનક્રિયામાં નિષ્ણાત બની ગીતાર્થપણાને પામેલા વ્યક્તિ ખરી અધિકારી હતી. તેવું વ્યક્તિત્વ સ્વર્ગસ્થ સૂરિપુંગવ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજમાં હતું. તેઓ આ ગ્રંથ ઉપર અત્યંત પ્રેમ અને મમત્વ ધારણ કરતા હતા. ગ્રંથમાં કહેલા પદાર્થોને અનેક વાર વાંચી વિચારીને આત્મસાત્ કરવા માટે સતત પ્રયત્નશીલ હતા. પોતાનું જીવન તે રીતે ઘડતા હતા, એટલું જ નહિ પણ પોતાના સંસર્ગમાં આવનાર અનેક મુનિવરોનું જીવન તે રીતે ઘડવા સતત પ્રયાસો કરતા હતા. તેના જ એક ફળરૂપે ન હોય તેમ તેમના જ એક પ્રશિષ્ય મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી (ત્યારબાદ આચાર્ય) આજે આ ગ્રંથના દળદાર બંને વિભાગોનું સરળ અને સ્પષ્ટ ભાષાંતર નિર્વિઘ્નપણે પૂર્ણ કરી શક્યા છે. તથા સેંકડો ટિપ્પણો આપી ગ્રંથનાં વિષમ સ્થળોને બાળભોગ્ય બનાવી શક્યા છે. આ કાર્ય તેમની એકલાની શક્તિ બહારનું હતું, છતાં તેને પાર પાડી શક્યા છે, તે એમ બતાવે છે કે ગુરુભક્તિ અને મહાપુરુષોના આશીર્વાદને કાંઈ દુષ્કર નથી. આ બીજા ભાગનો અનુવાદ અને ટિપ્પણો વાંચતાં એમ લાગે છે કે સ્વર્ગસ્થ સૂરિપુંગવ પોતે જ તેમના એક પ્રશિષ્ય દ્વારા જાણે આપણને ગ્રંથનાં રહસ્યો Page #20 -------------------------------------------------------------------------- ________________ 17 સમજાવી રહ્યા ન હોય !. ગુરુભક્તિ ઉપરાંત સંઘભક્તિ પણ આ દુષ્કર કાર્યને સુકર બનાવનાર નિવડી હોય, તો ના પાડી શકાય નહિ. આ ગ્રંથ ચતુર્વિધસંઘને અને તેમાં પણ ખાસ કરીને શ્રમણ-શ્રમણી વર્ગને પોતાની સાધનામાં એટલો બધો ઉપકારક છે કે વર્તમાન પડતા કાળમાં આવા એક ગ્રંથનો સ્વાધ્યાય ઘણો આવશ્યક છે. પૂર્વમહર્ષિઓના ઉત્કૃષ્ટ જીવનનો સાક્ષાત્કાર કરાવવાની સાથે સાધુપણું નિરતિચારપણે પાળના માટે અને તેમાં પ્રવેશ પામતા દોષોથી બચવા માટે આ ગ્રંથ સાચું માર્ગદર્શન આપે છે, એક સાચા ગુરુની ગરજ સારે છે. આ ગ્રંથના અધ્યયનથી મુનિજીવનમાં ભાષાંતરકારને અપૂર્વ પ્રેરણા મળેલી હોઈ સકલ સંઘને પણ તે પ્રેરણા મળે. સંયમના ખપી એવા સાધુ-સાધ્વી વર્ગને શાસ્ત્રોક્ત જીવન જીવવા માટેનું સુંદર માર્ગદર્શન મળે, એવા ઉદાત્ત આશયથી આ ગ્રંથના અનુવાદનું કામ આરંભેલું, તે સતત પ્રયત્નના પરિણામે આજે પૂર્ણ થયું છે. તેની પાછળ એ ઉદાત્ત ભાવનાનું બળ અને સંઘભક્તિના ભાવનો પ્રભાવ પણ કામ કરી ગયેલ છે, એમ માનવું પડે છે. આ ગ્રંથના પહેલા ભાગનો અનુવાદ ખૂબ રસપૂર્વક વંચાઈ રહ્યો છે. ગૃહસ્થ જીવનનું ધોરણ ઉંચું લાવવા માટે તે ઘણું અગત્યનું વાંચન પૂરું પાડે છે. સાધુ-સાધ્વીઓનું જીવન ધોŘણ અર્થાત્ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણનું પ્રમાણ ઉંચું લાવવાની સૌથી વધુ અગત્ય છે. તેમાં આ બીજા ભાગનો અનુવાદ તેના વાંચનદ્વારા સારો ફાળો આપશે. એમાં જરાપણ શંકા નથી. ટિપ્પણોમાં વિસ્તારવા જેવી જે વાતો છે, તેનો યોગ્ય વિસ્તાર થયો છે. કેવળ ગ્રંથ લગાવવા માટે જ નહિ પણ ગ્રંથમાં આપેલા પદાર્થોને હૃદયંગમ કરાવવા માટે જે યુક્તિઓ જોઈએ, તે પણ વર્તમાન યુગને અનુરૂપ અપાણી છે. અનુવાદ અને ટિપ્પણો લખવાના આ કાર્યમાં અનેક ત્રુટિઓ રહી ગઈ હશે, તેને બહુશ્રુત પુરુષો ક્ષેતવ્ય ગણશે. આ કાર્યની પાછળ સેવાયેલી દીર્ઘ પરિશ્રમનો લાભ લંઘમાં વધુને વધુ લેવાય એ માટે સૌ કોઈ પોતપોતાથી બનતું કરશે, એવી આશા સાથે વિરમીએ છીએ. પ્રથમ શ્રાવણ વદ ૮, વિ. સં. ૨૦૧૪. નવા ડીસા જૈન ઉપાશ્રય. - વ્યાખ્યાનવાચસ્પતિ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણચંચરીક પં. ભદ્રંકરવિજય ગણી. Page #21 -------------------------------------------------------------------------- ________________ // મર્દ / નમ: શ્રીનિનપ્રવનાય || પ્રાફિકથન જીવન કળા-અનાદિ સંસારમાં ભટકતા જીવને અનંતાનંત જન્મ-મરણો થયાં અને હજુપણ ચાલુ છે, તેમાં એ કારણ છે કે જીવને જેવું શુદ્ધ જીવન જીવવું જોઈએ, જે જીવન તેના જન્મ-મરણોનો અંત લાવી શકે, તેવું જીવન આજ સુધી તે ક્યારેય પણ જીવી શક્યો નથી. જીવ ચૈતન્ય સ્વરૂપ છે, તેથી તેણે ચૈતન્યના આલંબને જીવવું જોઈએ. મળેલી જડ સામગ્રીથી પણ ચૈતન્યને જ પુષ્ટ કરવું જોઈએ-અનાદિ કાળથી કર્મોનાં આવરણોથી અવરાઈ ગયેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોને પ્રગટ કરવા જોઈએ. જ્યાં સુધી તેવું જીવન ન જીવી શકે ત્યાં સુધી તે શક્તિ પ્રગટાવવા માટે લેવા પડતા નવા નવા જન્મોથી અને તેનાં વિવિધ કષ્ટોથી જીવ કદી પણ છૂટી ન શકે ! ભલે તેને દુઃખ ન ગમતું હોય, પણ એટલા માત્રથી દુ:ખે ટળે નહિ. તેને ટાળવા માટે તો જ્ઞાનીઓએ કહેલા અને આચરેલા માર્ગે તેવું વિશિષ્ટ જીવન જીવવું જોઈએ. એ માર્ગ સ્વીકાર્યા વિના ત્રણે કાળમાં કોઈ મુક્ત થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આ એક સુનિશ્ચિત હકીકત છે, તેથી આત્માનું કર્તવ્ય થઈ પડે છે કે તેણે પોતાનાં ભાવિ જન્મ-મરણોની પરંપરાને અટકાવી શકે તેવું જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી. ધર્મ અને જીવન-જીવનમાં (જગતમાં) ધર્મની આવશ્યક્તા ઉપર કહેલા એક જ કારણે છે. દરેક ધર્મનાં પ્રત્યેક અનુષ્ઠાનોનો સાર એ છે કે તે તે અનુષ્ઠાનના આલંબનથી જીવે સંપૂર્ણ-નિર્દોષ જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી. જીવનની આ નિર્દોષતા અને તેનાં સાધનો એ બન્નેને ધર્મ કહેવાય છે. જેના આશ્રયથી સ્વ-પર દુ:ખો ટળે તે ધર્મ. ધર્મ સિવાય કોઈ એવું તત્વ નથી કે જે જીવને સુખ આપી શકે-દુ:ખને દૂર કરી શકે. આ કંઈ કેવળ વ્યાખ્યા જ નથી, વસ્તુતઃ સુખનો અને ધર્મનો એવો સંબંધ છે. માટે જ સૌને ધર્મ ગમે છે. ભલે ધર્મને સાચા સ્વરૂપમાં સમજી ન શકે, કિન્તુ થોડા પણ વિવેકને પામેલા સૌ કોઈ ધર્મનો પક્ષ કરે છે, ધર્મી કહેવડાવવું સૌને ગમે છે, અધર્મીની છાપ કોઈને ગમતી નથી, મનુષ્ય ઉપરાંત પશુઓમાં પણ આ હકીકત કેટલેક અંશે દેખાય છે, તેનું કારણ સુખ સાથેનો ધર્મનો સંબંધ જ છે. “ધર્મ જ આત્માના સુખનું એક સફળ સાધન છે' Page #22 -------------------------------------------------------------------------- ________________ (19) એવું ગત જન્મોમાં ઘણીવાર જીવે અનુભવ્યું છે, આજે એ ભૂલી જવા છતાં એના સંસ્કારો ભૂંસાયા નથી. વર્તમાનમાં ધર્મના અભાવે પણ મળેલી સુખ સામગ્રીની પાછળ ધર્મ રહેલો જ છે. પૂર્વકૃત પુણ્ય(ઘર્મ) વિના વર્તમાનમાં સુખ સામગ્રી મળતી નથી, મળેલી ટકતી નથી અને ભોગવી શકાતી નથી. પૌદ્ગલિક પદાર્થો પણ તે જ સુખ આપી શકે છે કે જેનો સર્જકતેમાં ઉત્પન્ન થયેલો આત્મા કોઈને કોઈ અંશમાં ધર્મને પામેલો હોય. ચિંતામણિ, કામધેનુ વગેરે કે સુવર્ણ-ચાંદીહીરા, માણેક-મોતી વગેરે જે જે પદાર્થો જગતમાં આદર પામે છે, કે બીજાને સુખનું સાધન બની શકે છે તે દરેકના સર્જક-તેમાં ઉત્પન્ન થનારા એકેન્દ્રિયાદિ જીવો સજાતીય સામાન્ય જીવોની અપેક્ષાએ પણ અમુક અંશે શુદ્ધ અને પુણ્યવાળા હોય છે, તેઓની એ શુદ્ધિ અને પુણ્ય એ ધર્મનો જ એક અંશ છે. તેના બળે તે આદર પામે છે અને તેને ભોગવનાર પણ સુખ અનુભવે છે. અન્યથા એવી કેટલીય જડ વસ્તુઓ છે કે જેની ઇચ્છા સરખી પણ કોઈ કરતું નથી. ભૂલથી પણ તેનો ઉપયોગ કરે તો તે દુઃખનું કારણ બને છે. એમ સુખના સાધનભૂત પૌદ્ગલિક વસ્તુ પણ ધર્મના પ્રભાવે જ સુખ આપી શકે છે. એટલું જ નહિ, ભોગવનાર પણ ધર્મના પ્રભાવે જ સુખ અનુભવી શકે છે. જેણે પૂર્વે ધર્મનો પક્ષ, આદર કે સેવા કરી હોય તેને જ એવી સુખ સામગ્રી મળે છે અને ધર્મદ્વારા તેને ભોગવવાની કળા જેણે પ્રાપ્ત કરી હોય તે તેનાથી સુખનો અનુભવ કરી શકે છે. અન્યથા સુખ સામગ્રી મળતી નથી, મળે તો પણ સુખનો અનુભવ કરી શકાતો નથી અને બલાત્કારે સુખ માણવા પ્રયત્ન કરે તો પરિણામે દુઃખી થયા વિના રહેતો નથી. એમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં સમજાશે કે સુખની સાથે ધર્મનો વૃક્ષ અને બીજ જેવા સંબંધ છે. જ્યાં ધર્મનો પ્રભાવ છે ત્યાં જ સુખ છે, જે જીવનમાં સુખ નથી ત્યાં ધર્મનો પ્રભાવ નથી. અથવા ધર્મનો પ્રભાવ નથી ત્યાં સુખ નથી, સુખ છે ત્યાં ધર્મનો પ્રભાવ છે જ. આથી એ નિશ્ચિત છે કે સુખના અર્થીને ધર્મ અનિવાર્ય છે. સાચું સુખ-આ હકિકત પણ પૌગલિક સુખને અંગે સમજવી, કે જે સુખ અનિત્ય હોવાથી જીવને અંતે નિરુપયોગી છે. જીવ ઈચ્છે છે તે સુખ તો કોઈ જાદું જ છે. ધર્મથી મળતાં પૌદ્ગલિક સુખ નાશવંત હોવાથી જ્યારે તેનો વિયોગ થાય છે ત્યારે જીવ પોતાની જાતને ઠગાએલી માની ભારે અફસોસ સાથે દુઃખનો અનુભવ કરે છે. તત્ત્વથી તો જીવને કદી નાશ ન પામે તેવું, જેને ભોગવતાં લેશ પણ દુઃખ ન થાય તેવું અને સર્વ રીતે સંપૂર્ણ, અર્થાત્ Page #23 -------------------------------------------------------------------------- ________________ નિરુપાધિક, શાશ્વત, શુદ્ધ અને સંપૂર્ણ સુખ ઈષ્ટ છે. કારણ કે પોતે સ્વરૂપે શાશ્વત, શુદ્ધ (તત્ત્વરૂપ) અને સંપૂર્ણ છે. એ કારણે આજ પૂર્વે ઘણાં ઘણાં સુખો ભોગવ્યાં તો પણ તેને સંતોષ થયો નથી, તે તેને માફક આવ્યાં નથી. જીવને આ ઈષ્ટ છે તેને આધ્યાત્મિક સુખ કહેવાય છે. તે બાહ્ય પદાર્થોની અપેક્ષા વિનાનું, સ્વાધીન અને સ્વ-સ્વભાવરૂપ હોવાથી ત્રણે જગતના સર્વ જીવોનાં પૌદ્ગલિક સુખોનો ત્રણે કાળનો સરવાળો પણ તેના એક અંશની બરાબરી કરી શકતો નથી. એ કારણે જ આજ સુધીની સુખ પ્રાપ્તિ તેને સંતોષી શકી નથી. આ છે જીવની વાસ્તવિક પરિસ્થિતિ !! ધર્મશાસકોનો ઉપકાર-અનંત જ્ઞાનીઓએ પોતાના નિર્મળ-સંપૂર્ણ જ્ઞાનથી આ સત્યને જોયું છે, જાણ્યું છે અને જાહેર કર્યું છે. એટલું જ નહિ, આત્માના તે ઈષ્ટતમ સુખને મેળવવાના અને તેનાં બાધક ભાવોને દૂર કરવાના સફળ ઉપાયો પણ બતાવ્યા છે. એ છે તેઓનો અનન્ય ઉપકાર ! જીવ તે કારણે તેઓનો અત્યંત ઋણી છે. હીરાની પણ ઓળખ વિના તેને મેળવવાના ઉપાયો કે મળવા છતાં તેનાથી સુખનો અનુભવ કરી શકાતો નથી અને પત્થર તુલ્ય માની તેને ફેંકી દેવાનું બને છે. સુખ માટે પણ તેમ જ છે. સુખની ઓળખ વિના તેને મેળવવાનો પ્રયત્ન કે મળે તો પણ તેની કિંમત થઈ શકતી નથી. જીવ તેનું રક્ષણ કે આસ્વાદન કરી શકતો નથી. ઉલટું કોઈવાર વધારે દુઃખનું કારણ બનાવે છે. આ અંધાપામાંથી ઉગારનાર જ્ઞાનીઓનો ઉપકાર અમાપ છે, અનંત છે, કદાપિ બદલો ન વળી શકે તેવો છે. જગતમાં પણ ઔષધ કરતાં રોગ નિદાનનું મહત્ત્વ છે. વર્તમાનમાં તો મોટા ડૉક્ટર તરીકે ગણાતા કેટલાકો માત્ર રોગનિદાન જ કરે છે. ઔષધ તો બીજા જ આપે છે. છતાં નિદાન કરનારા મોટા ગણાય છે. તેમ સુખ સામગ્રી આપનારા માતા-પિતા, સ્વજનાદિ, વિદ્યાગુરુ કે ધર્મગુરુઓ, એ સર્વથી અધિક ઉપકાર દુઃખને તથા તેના ઔષધરૂપ ધર્મને ઓળખાવનારા શ્રી અરિહંત દેવોનો છે. ભલે આજે તે આપણી સામે ન હોય, પણ તેઓનો ઉપકાર અસીમ છે, પ્રત્યક્ષ છે. એમના વિના બીજો કોઈ આ ઉપકાર કરવાને સમર્થ નથી. ક્રોડો વંદન હો એ પરમતારક શ્રી અરિહંત દેવોને ! કે જેઓએ જગતને અનાદિ અજ્ઞાનરૂપી અંધકૃપમાંથી બહાર કાઢ્યું છે. શાસ્ત્રોનો પરમ ઉપકાર-ઉપર જોયું કે સુખને અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયોને બતાવનારા શ્રી અરિહંત દેવો મહા ઉપકારી છે, તેમ એ ઉપદેશને Page #24 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ કરનારા પૂર્વર્ષિઓનો અને તે સંગ્રહ જેમાં કર્યો છે તે શાસ્ત્રોનો પણ પરમ ઉપકાર છે. કારણ કે એક બાજુ જીવને ધર્મનો પક્ષ છે. અને ઉદ્યમ કરવા છતાંય તેને આજસુધી સાચું સુખ મળ્યું નથી. બીજી બાજુ તેનો ઉપાયરૂપ ધર્મને ઓળખાવનારા અરિહંતો આજે વિદ્યમાન નથી. આ પરિસ્થિતિમાં પણ અરિહંતના ઉપદેશને જણાવનારાં શાસ્ત્રો જીવને અરિહંત તુલ્ય ઉપકાર કરી શકે છે. આ કારણે જ અતુલ ઉપકારી એવાં તે શાસ્ત્રોને અખંડ અને અબાધિત રાખવા માટે પૂર્વષિઓએ પોતાનાં જીવનો ખર્ચી નાખ્યાં છે. આજે આપણી સામે જે ધર્મશાસ્ત્રો છે, તે એ પૂર્વ મહાપુરુષોના ઉપકારના ફળરૂપ છે. એના આધારે જ આપણે ઈષ્ટ સુખને અને તેના ઉપાયોને ઓળખી શકીએ તથા તે ઉપાયોરૂપ ધર્મની સેવા કરીને સુખ મેળવી શકીએ. ગ્રંથનું મહત્ત્વ-પ્રસ્તુત ધર્મસંગ્રહ નામક ગ્રંથ એ ઉપકારી શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર છે. તેમાં સુખ અને તેના ઉપાયોરૂપ ધર્મની સાચી ઓળખ કરાવી છે અને પ્રત્યેક જીવ સ્વયોગ્યતા અને શક્તિ અનુસાર તે ઉપાયો કરી શકે તેની વ્યવસ્થા સમજાવી છે. ગ્રંથનું યથાર્થ મહત્ત્વ તો કોઈ તેવો વિશિષ્ટ જ્ઞાની જ સમજી શકશે, બીજાઓ તે સ્વ-સ્વબુદ્ધિ અને રુચિને અનુસરીને તેનું મહત્ત્વ ઓછું વધતું આંકશે. કારણ કે-વસ્તુ ગમે તેટલી શ્રેષ્ઠ હોય પણ તેને સમજવાની જેટલી શક્તિ આત્મામાં હોય તેટલી જ તે તેને શ્રેષ્ઠ માની શકે છે. આ એક સામાન્ય નિયમ છે. અને એ જ કારણે જગતમાં હીરાની કિંમત ઝવેરી જ સમજી શકે' એમ મનાય છે. આ અનુભવ સર્વત્ર વર્તે છે, એક જ વસ્તુ એકને અતિ મહત્વની સમજાય છે ત્યારે બીજાને તે સામાન્ય જેવી લાગે છે. એ કારણે આ ગ્રંથનું મહત્ત્વ અને તેનો ઉપકાર વાચક સ્વયં એનો અભ્યાસ કરીને જ સ્વ-સ્વ શક્તિ પ્રમાણે સમજી લેશે. તો પણ ટુંકમાં આ ગ્રંથ એક સંપૂર્ણ ધર્મશાસ્ત્ર છે' એમ કહેવું જરા પણ ખોટું નથી. ગૃહસ્થને અને સાધુને જીવનમાં ઉપકારક નાની મોટી સર્વ વાતોનો તેમાં ઉકેલ છે. તેનું એ કારણ છે કે ગ્રંથ અતિપ્રાચીન ન હોવા છતાં પ્રાચીનતમ વિવિધ શાસ્ત્રોના રહસ્યોનો એક ભંડાર છે. જૈન દર્શન માન્ય મૂળ આગમો, પંચાંગી, પૂર્વધરોએ રચેલાં વિવિધ શાસ્ત્રો અને પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ૨૨૦૦ વર્ષ પર્યત થયેલા અનેકાનેક સમર્થ વિદ્વાન્ મહર્ષિઓ રચિત શાસ્ત્રોનું એમાં દોહન છે. ગ્રન્થકાર પૂ. મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર એવા સમર્થ વિદ્વાનું છે કે છૂટાં મોતીની માળા Page #25 -------------------------------------------------------------------------- ________________ 22 ગુંથવાની જેમ તેઓએ અન્ય અન્ય શાસ્ત્રોની રહસ્યભૂત સર્વ વાતોને વીણી વીણીને આ ગ્રંથમાં સંકલનાબદ્ધ ગુંથી છે. ઉપરાંત પ્રખર જ્યોતિર્ધર, સર્વવિદ્વમાન્ય ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, પૂ. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વાચકે એને શોધીને વચ્ચે વચ્ચે વિશિષ્ટ ટીપ્પણોથી અલંકૃત કરીને મ્હોર છાપ આપી છે. એ કારણે આ ગ્રંથની એક એક હકીકત નિર્વિકલ્પ પ્રમાણભૂત મનાયેલી છે. અનેક બાબતોના પ્રશ્નો અને સમાધાનો કરીને તેની સિદ્ધિશુદ્ધિ કરી છે, ભિન્ન ભિન્ન વિચારધારાઓનો પણ સમન્વય કરીને તેનો અંતિમ નિષ્કર્ષ આપ્યો છે. એમાં બહુધા પ્રાચીન ધર્મશાસ્ત્રોના પાઠોનો સંગ્રહ કરેલો હોવાથી એનું ધર્મસંગ્રહ નામ સાત્વર્થ છે. ઉપરાંત સમર્થ છતાં ગ્રન્થકારે પૂર્વપુરુષોના પાઠોનો સંગ્રહ કરવારૂપે આ ગ્રંથની રચના કરી છે, તેથી તેઓશ્રીના ‘પૂર્વર્ષિઓ પ્રત્યે પૂજ્યભાવ, ગુણાનુરાગ, લઘુતા, અને વિનય-બહુમાન' વગેરે ગુણોનું એક જાણે આ ગ્રંથ પ્રતિક હોય તેમ તેનું અધ્યયન કરતાં જ સમજાય છે. પ્રાય: એક એવી હકીકત આ. ગ્રંથમાં શોધી નહિ જડે કે જેને અંગે ગ્રંથકારે પૂર્વાચાર્યોના પાઠોની સાક્ષી-આધાર ન આપ્યો હોય. એ કારણે આ ગ્રંથ પ્રાય: બસો ઉપરાંત ગ્રન્થોના આધારે રચાએલો માની શકાય, તેમાં દોઢ સો જેટલાં નામોની યાદિ તો અમે અહીં આપી છે. એ યાદિને તથા વિષયાનુક્રમને જોવા માત્રથી પણ ગ્રંથની મહત્તા સમજાય તેમ છે. ધર્મનું સ્વરૂપ-ગ્રંન્થના મહત્ત્વ વિષે આટલું વિચાર્યા પછી જેનો તેમાં સંગ્રહ કરેલો છે, તે ધર્મને પણ સમજવો જોઈએ. કહ્યું છે કે-‘વત્યુસહાવો ધમ્મો ।' અર્થાત્ વસ્તુ માત્રનો મૂળ સ્વભાવ તે તેનો ધર્મ છે. જો સુખ માટે ધર્મ જરૂરી છે અને એ આત્માનું ઇષ્ટ છે, તો આત્મારૂપી વસ્તુના સ્વભાવરૂપ આત્મધર્મ જ અહીં પ્રસ્તુત છે. આત્મા સ્વરૂપે જ્ઞાનદર્શન ચારિત્રમય છે, તેને કેટલાક સત્-ચિદ્-આનંદનોસમૂહ ‘સચ્ચિદાનંદ' પણ કહે છે. અર્થાત્ ‘સત્યનું જ્ઞાન કરવા પૂર્વક રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓથી પર રહીને સમભાવનો આનંદ અનુભવવો' તે આત્માનો ધર્મ છે. અનાદિ જડ વાસનાઓને જોરે સંસારી જીવ તેવો ધર્મનો અનુભવ કરી શકતો નથી, કારણ કે જડનું આક્રમણ તેને રાગ-દ્વેષાદિની પરિણતિ કરાવે છે. એ જ એનાં સર્વ દુ:ખોનું, જન્મોજન્મનું અને ભવભ્રમણનું મૂળ છે. જીવ અજ્ઞાન અને મૂઢતાને કારણે તેને સમજી શકતો નથી. અનંત અનંત કાળ તો એનો આ રીતે પસાર થઈ જાય છે, પછી જ્યારે ‘કાળનો પરિપાક' વગેરે નિમિત્તો પ્રાપ્ત થાય છે, ત્યારે અશુભ Page #26 -------------------------------------------------------------------------- ________________ કર્મોની મંદતારૂપ પુણ્યના પ્રકર્ષથી તે અજ્ઞાન ટાળવા માટે અને જે જડના આક્રમણથી તે દુઃખી છે તે જડને તેના શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્ધાદિ ધર્મોદ્વારા ઓળખવા માટે તેને જીલ્ડા વગેરે તે તે ઇન્દ્રિયો અને મન પ્રાપ્ત થાય છે. આ ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે, કારણ કે એના દ્વારા માત્ર તે તે પદાર્થોનું અને તેના ધર્મોનું આત્માએ જ્ઞાન કરવું તે જ તેનો સદુપયોગ છે. આવું જ્ઞાન કરવું તે આત્માનું સ્વરૂપ હોવાથી ધર્મ છે. પણ જીવ તેટલેથી અટકતો નથી, જાગ્યા પછી સ્વકલ્પનાનુસાર મનથી શુભ-અશુભ શબ્દાદિ પ્રત્યે રાગ-દ્વેષાદિ કરીને કામ-ક્રોધાદિ પોતાના જ અંતરંગ શત્રુઓને પોષે છે અને નવો કર્મબંધ કરે છે. એ કારણે એવી રાગ-દ્વેષાદિ પરિણતિને અધર્મ કહ્યો છે અને પદાર્થોનું સત્યજ્ઞાન કરીને રાગ-દ્વેષના અભાવ રૂ૫ સમભાવમાં સ્થિર થવું તેને ધર્મ કહ્યો છે. જ્ઞાની તેને કહેવાય કે જે પોતાના જ્ઞાનથી રાગ-દ્વેષાદિ કરી કરીને કામક્રોધાદિનું પોષણ ન કરે. જ્ઞાનીની દૃષ્ટિ વિશુદ્ધ હોય છે, અજ્ઞાનીની વિપરીત હોય છે. માટે શુદ્ધ દૃષ્ટિવાળાને જ્ઞાની અને વિપરિતદષ્ટિને અજ્ઞાની કહ્યો છે. સમ્યગ્દષ્ટિ જીવ-ઇન્દ્રિઓદ્વારા જે જે વસ્તુનું જ્ઞાન મેળવે છે તે તે દ્વારા સમતાને સાધે છે અને મિથ્યાષ્ટિ ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનથી રાગ-દ્વેષાધિને પોષે છે. જેમ કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બે મનુષ્યો કોઈ પશુઓની પાશવતા જુએ, તે જોઈને સમ્યગ્દષ્ટિ એમ વિચારશે કે મારો જીવ ચારે ગતિમાં ભમતાં આવા પણ જન્મો અનેકશઃ કરી ચૂક્યો છે, તે વખતે મેં પોતે પણું આવું જ જીવન અનુભવ્યું છે. અહહ ! આ જીવન કેવું અજ્ઞાન ભરેલું હાસ્યાસ્પદ અને દુઃખદાયી છે ? આવાં દુઃખો મારા જીવે કેટલી વાર ભોગવ્યાં હશે ? હવે તો એવું જીવન જીવું કે પુન: આવો જન્મ ન લેવો પડે. જીવને કર્મોની પરાધીનતા કેવું પાગલ જીવન જીવાડે છે ? વગેરે વગેરે સ્વ આત્મદશાને વિચારીને તે પશુઓ ઉપર પણ કરુણાભાવ પ્રગટાવશે. એ જ દશ્ય જોઈને મિથ્યાદષ્ટિ તેના ઉપર તિરસ્કાર વગેરે અયોગ્ય પ્રવૃત્તિ કરશે, અર્થાત્ જે દશ્યને જોઈને જ્ઞાની કર્મોની નિર્જરા કરશે, સંસાર પ્રત્યે વિરાગી બનશે, તે જ દશ્ય અજ્ઞાનીને કર્મબંધનું કારણ અને રાગ-દ્વેષાદિ શત્રુઓનું પોષક બનશે, એમ સર્વત્ર દૃષ્ટિભેદે પરિણતિ ભેદ સંભવિત છે આ કારણે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે “ને માસવા તે પરિવા, ને પરિસવા તે બાવા' અર્થાત્ અજ્ઞાનીનાં આશ્રવનાં નિમિત્તો જ્ઞાનીને નિર્જરાનાં નિમિત્તો બને છે અને જ્ઞાનીનાં નિર્જરાનાં Page #27 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તો અજ્ઞાનીને આશ્રવનાં કારણો બને છે. વસ્તુત: વિચારીએ તો આ જગતમાં રાગ-દ્વેષ કરવા લાયક કંઈ જ નથી. જે જે દૃશ્યમાન ભાવો છે, તે સઘળાય અપેક્ષાએ પ્રત્યેક આત્માના ભૂતભાવિ જન્મ જન્મોના જીવનનો ઈતિહાસ છે, એનાં સાક્ષાત્ ચિત્રો છે. અનંતા કાળથી ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવે સંસાર નાટકમાં કયો વેશ નથી ભજવ્યો ? અને મોક્ષ નહિ થાય ત્યાં, સુધી કયો વેશ નહિ ભજવે ? સમ્યગ્દષ્ટિ જ્યાં જ્યાં જે જે જુએ છે, તેને તે પોતાના જીવનના ઈતિહાસરૂપ સમજીને સમગ્ર ભૂતકાળનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે સંસારના સ્વરૂપનું જ્ઞાન મેળવીને સમતાની સાધના કરે છે. એમ કરવું એ જ ઇન્દ્રિયોનો અને મનનો સદુપયોગ છે, તે આત્માનો મૂળ સ્વભાવ હોવાથી ધર્મ છે અને અજ્ઞાત તથા મૂઢતાથી તેમ ન કરી શકાય તે અધર્મ છે. ધર્મના પ્રકારો-ઉપર જણાવ્યો તે આત્મસ્વભાવરૂપ શુદ્ધ ધર્મ સાધ્ય છે.' પણ ઈચ્છા કે જ્ઞાન માત્રથી તે સિદ્ધ કરી શકાય તેમ નથી. તે માટે જંન્મ જન્મના પ્રયત્નો પણ ઓછા પડે છે. જેમાં આરોગ્યને સમજવા કે ઈચ્છવા માત્રથી તે મળતું નથી, તેને માટે કરવા યોગ્ય સઘળું કરવું પડે છે અને છોડવા યોગ્ય પ્રવૃત્તિઓને, કુપથ્ય વગેરેને, કે તેવી ઈચ્છાઓને પણ છોડવી પડે છે. તેમ આત્મધર્મની સિદ્ધિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે અને અનેકનો ત્યાગ પણ કરવો પડે છે. આ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારને સાધનધર્મ કહેવાય છે. એમ ધર્મના સાધ્યધર્મ અને સાધનધર્મ એવા બે પ્રકારો પડે છે. એને ભાવધર્મ અને દ્રવ્યધર્મ, નિશ્ચયધર્મ અને વ્યવહાર ઘર્મ, એવાં પણ વિવિધ નામો શાસ્ત્રોમાં આપેલાં છે. આરોગ્યનું લક્ષ્ય અને તેના ઉપાયો બન્ને સાથે મળવાથી આરોગ્ય સંભવિત છે, તેમ સાધ્યધર્મના લક્ષ્ય પૂર્વકનો સાધનધર્મ આત્માને જડના અનાદિ આક્રમણથી (કર્મરોગથી) બચાવી શકે છે. માટે જ સાધ્ય ધર્મનું જ્ઞાન અને સાધન ધર્મરૂપે ક્રિયા, બન્નેને મોક્ષનાં સમાન અંગો માન્યાં છે. કહ્યું પણ છે કે “ જ્ઞાપામ્યાં મોક્ષ " અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બના સહયગથી મોક્ષ થઈ શકે છે. આ સાધ્યધર્મ આત્મસ્વભાવ તરીકે એક જ હોવા છતાં આત્માના ભિન્નભિન્ન ગુણો રૂપે તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ, અથવા ક્ષમા-માર્દવ-આર્જવ વગેરે દશ, એમ વિવિધ પ્રકારો પણ કહ્યા છે. તે પ્રકારો પરસ્પર એટલા સાપેક્ષ છે કે એમાનાં એકના પણ અભાવે આત્માનો મોક્ષ થતો નથી. સાંધનધર્મ પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ક્રિયા તરીકે એક જ પ્રકારનો હોવા છતાં પ્રવૃત્તિના અને નિવૃત્તિના ભિન્ન ભિન્ન વિષયોની અપેક્ષાએ તેના પણ વિવિધ પ્રકારો કહેલા છે, એ બધા પ્રકારોના સરવાળાને વિરતિ ધર્મ કહેવાય છે. અર્થાત્ પાપવ્યાપારોથી વિરામ કરવો અને ઉપલક્ષણથી શુભવ્યાપારોમાં પ્રવૃત્તિ કરવી તેને વિરતિ ધર્મ કહેવાય છે. આ વિરતિધર્મનો અર્થ સામાન્યતયા ‘આત્માને થતા કર્મ બંધને રોકવો' એવો કરીએ તો તેનો પ્રારંભ સાધનધર્મની અપેક્ષાએ જીવને ચરમાવર્ત કાળમાં અપુનર્બન્ધકભાવ પ્રગટ્યા પછી માર્ગાનુસારીતાના વ્યવહારથી થાય છે અને એની અંતિમ સમાપ્તિ સાતમા ગુણસ્થાનકે અપ્રમતભાવમાં થાય છે. સાધ્યધર્મની અપેક્ષાએ વિરતિની ભૂમિકા ચોથા ગુણસ્થાનકે, પ્રારંભ પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકે અને સમાપ્તિ ચૌદમા ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં થાય છે, તે પછી જીવનો તુર્ત મોક્ષ થાય છે. . . આ ગ્રંથમાં વિરતિધર્મના આદિ કાળથી માંડીને સમાપ્તિકાળ સુધીનાં કર્તવ્યોનું ક્રમશ: વર્ણન કર્યું છે, સામાન્યતયા આ ગ્રંથના બે ભાગોમાં વર્ણવેલો ધર્મ કોઈ એક જ ભવમાં પૂર્ણ થાય તેવો નથી. ધર્મના અર્થીએ ગ્રંથના અભ્યાસ દ્વારા સ્વ-સ્વ આત્માની ગુણભૂમિકા નક્કી કરીને ત્યાંથી આગળ વધવાના આ ગ્રંથમાં કહેલા ક્રમિક ઉપાયો આદરવાના છે. સંસારનું મુખ્ય કારણ હિંસા છે. કોઈ પણ જીવને (દુઃખ) અહિત થાય તેવું મન, વચન, કે કાયાથી વર્તન કરવું, તેને અનુક્રમે માનસિકી, વાચિકી અને કાયિકી હિંસા કહેલી છે. ઈચ્છવા છતાં બીજાનું અહિત કરવું નિશ્ચિત નથી, પણ તેવી ઇચ્છા કરનારનું તો અહિત અવશ્ય થાય છે જ. આવું અહિત કરવાની ઇચ્છામાં મોહ, અજ્ઞાન, કામ-ક્રોધાદિની પરિણતિ, તેના પરિણામે કલ્પેલી જીવનની વિવિધ જરૂરીઆતો, હિત કરવાની અનાવડત, વગેરે કારણો રહેલાં છે. તેનાથી અન્ય જીવોની વિવિધ પ્રકારની હિંસા સંભવિત છે અને હિંસકને પણ કર્મબંધ થવા રૂપ પોતની (આત્મ) હિંસા થાય છે. જૈન દર્શનમાં હિંસાની કોઈના પણ પ્રાણોનો વિયોગ કરવો' એટલી ટૂંકી વ્યાખ્યા નથી, કિજુ કોઈને પણ કર્મબંધ થાય તેવું વર્તન કરવું, તેને પણ હિંસા કહી છે, તેમાં પણ પ્રાણ વિયોગરૂપ હિંસા એક જ ભવ પૂરતી થાય છે અને કર્મબંધનરૂપી હિંસા તો અનેકાનેક ભવો સુધી કડવા વિપાકો (દુઃખો) ભોગવાવે છે. પરિણામે જન્મ-મરણાદિરૂપ વિપત્તિઓની પરંપરા ભોગવવી પડે છે. આ કારણે વિરતિનું Page #29 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય સાધન અહિંસા છે. આ અહિંસાની સિદ્ધિ માટે જે જે તજવાની, આચરવાની કે સ્વીકારવાની જરૂર પડે તેનો ત્યાગ, સ્વીકાર કે આદર વગેરે કરવું તે બધાનો અંતર્ભાવ વિરતિધર્મમાં થાય છે, અર્થાત્ તે દરેકને વિરતિ કહેવાય છે. માટે હિંસાના મુખ્ય કારણભૂત અસત્ય, ચૌર્યકર્મ, અબ્રહ્મ અને પરિગ્રહનો પણ ત્યાગ કરવો તેને વિરતિ કહી છે. જૈન દર્શનમાં ક્રમશ: એને અહિસાવ્રત, સત્યવ્રત અચૌર્યવ્રત, બ્રહ્મચર્યવ્રત અને પરિગ્રહવ્રત કહેવાય છે. અન્ય દર્શનોમાં એ પાંચને યમો કહેવાય છે, એ પાંચે વ્રતોને અનુકૂળસહાયક બને તેનો ત્યાગ સ્વીકાર કરવા રૂપ બીજા પણ વિવિધ નિયમો કરવામાં આવે છે, એથી વ્રતોથી સંખ્યા ગૃહસ્થ ધર્મમાં વધીને સામાન્યતયા બારની અને સાધુ જીવનમાં સર્વથા રાત્રિભોજના ત્યાગની સાથે છની કહેલી છે. ગૃહસ્થજીવનમાં એ વ્રતોનું પાલન પૂર્ણતયા થઈ શકતું નથી, અમુક અંશમાં જ થાય છે, તેથી તેને દેશવિરતિ અને સાધુજીવનમાં તે પૂર્ણતયા પાળી શકાય " છે માટે તેને સર્વવિરતિ ધર્મ કહેવાય છે.• આ ગ્રંથના પહેલા ભાગમાં ગૃહસ્થ જીવનમાં પાળી શકાય તેવા ગૃહસ્થધર્મનું અને બીજા ભાગમાં સાધુજીવન સ્વીકારીને પાળવા યોગ્ય યતિધર્મનું આદિથી અંત સુધીની વર્ણન કરેલું છે. પહેલા અને બીજા ભાગમાં અનુક્રમે બન્નેના સાધન ધર્મનું વર્ણન કરીને એના દ્વારા સાધ્યધર્મરૂપ આત્મશુદ્ધિ કેવી રીતે કરી શકાય ? તે સમજાવવામાં આવ્યું છે. પૂર્વે જણાવ્યા પ્રમાણે વ્યવહાર ધર્મની શરૂઆત અપુનર્બન્ધક ભાવથી થાય છે, માટે ગૃહસ્થજીવનમાં અપુનર્બન્ધક ભાવથી માંડીને દેશવિરતિ પર્વતનો ધર્મ કોણ-કેટલો-કેવી રીતે કરી શકે ? તેનું વર્ણન પહેલા ભાગમાં કર્યું છે અને છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ તેને સંપૂર્ણ કેવી રીતે-કોણ કરી શકે ? તે યતિધર્મ તરીકે બીજા ભાગમાં જણાવ્યું છે. આ યતિધર્મને યોગ્ય આત્માની ભૂમિકા તૈયાર કરવા માટેનો કાળ ગૃહસ્થજીવન અને ઉપાયે ગૃહસ્થ ધર્મ છે. તેનો યતિધર્મ સાથે કેવો સંબંધ છે, તે હવે જોઈએ. એક જ જિદગીની બાલ્યકાળ, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, વિગેરે ઉત્તરોત્તર ચડતી અવસ્થાઓ હોય છે, તેમ અહીં ગૃહસ્થ ધર્મ, યતિધર્મ, તેમાં પણ ગણિપદ આદિ વિશિષ્ટધર્મ અને નિરપેક્ષ યતિધર્મ, વગેરે આત્માની ઉત્તરોત્તર ચડતી અવસ્થાઓ છે. અપેક્ષાએ ગૃહસ્વધર્મને આત્માનો બાલ્યકાળ, સાપેક્ષ યતિધર્મને યુવાવસ્થા, ગણિપદ આદિને પ્રૌઢાવસ્થા અને નિરપેક્ષ યતિધર્મને Page #30 -------------------------------------------------------------------------- ________________ - 27 વૃદ્ધાવસ્થા કહી શકાય, એક જીવનમાં શરીર અને આત્મા એ જ હોવા છતાં તેની ભિન્ન ભિન્ન અવસ્થામાં જીવન વ્યવહારો અને કર્તવ્યો બદલાય છે, તેમ અહીં પણ એક જ સાધકની અવસ્થાને અનુરૂપ તે તે ધર્મના પાલન રૂપે જીવન વ્યવહારો અને કર્તવ્યો બદલાય છે. તે સર્વ કર્તવ્યોનું ધ્યેય આત્મશુદ્ધિ છે. આ ભિન્ન ભિન્ન અવસ્થાના જીવનવ્યવહારો અને કર્તવ્યો ઉત્તર ઉત્તર ધર્મની સાધના માટેની યોગ્યતા પ્રગટ કરે છે અને એ વિશિષ્ટ યોગ્યતા ઉત્તર કર્તવ્યોનું કારણ બને છે. એણ પરસ્પર ધર્મના પ્રકારોનો કાર્ય-કારણ રૂપે સંબંધ છે. ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મનો સંબંધ - સાધુધર્મની અપેક્ષાએ ગૃહસ્વધર્મની મહત્તા ઘણી ઓછી છે. સાધુધર્મના પ્રગટીકરણ વિના પૂર્વે કહી તેવી વિશુદ્ધપરિપૂર્ણ જીવન કળા પ્રાપ્ત થતી નથી અને જન્મ મરણનો અંત આવતો નથી, તો પણ એ ધર્મના પ્રગટીકરણમાં ઉપાયભૂત ગૃહસ્વધર્મની આવશ્યકતા લેશ પણ ઓછી નથી. જૈનદર્શનમાં ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ નથી, પણ ગૃહસ્થ ધર્મનું મહત્વ ઘણું છે. માટે જ પૂર્વષિઓએ શાસ્ત્રોમાં ગૃહસ્વધર્મનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ખૂદ તીર્થંકરદેવોએ પણ એ ધર્મને પામેલા શ્રાવક અને શ્રાવિકા વર્ગને ચતુવિધ શ્રીસંઘનાં બે અંગો તરીકે સ્વીકાર્યો છે. સાકર ભલે મોંઘી અને સ્વાદિષ્ટ હોય પણ લૂણનું કામ કરી શકે નહિ, દૂધ, દહીં, કે ઘી વગેરે ગમે તેટલાં શ્રેષ્ઠ કે પૌષ્ટિક હોય પણ તે પાણીનું કામ કરી શકે નહિ અને પાઘડી ગમે તેટલી કિંમતી હોય પણ તે લજ્જા ઢાંકવાનું કામ કરી શકે નહિ. એમ લૂણ, પાણી કે અધોવસ્ત્રાદિનું મૂલ્ય ઓછું છતાં આવશ્યક્તાની અપેક્ષાએ તેનું મહત્ત્વ જરા પણ ઓછું નથી. ઉલટું ઘણાઓના જીવનના સાધનભૂત હોવાની અપેક્ષાએ તે દરેકની મહત્તા અધિક છે. તેમ ગૃહસ્વધર્મ હલકો-સરળ છતાં તેની ઉપાદેયતા જરા પણ ઓછી નથી. ઉલ્યું તેના આરાધકની સંખ્યાની અપેક્ષાએ તેનું મહત્વ વધી જાય છે. સાધુ જીવનની યોગ્યતા પ્રગટાવવા માટે આવશ્યક હોવાથી ગ્રંથકારે પ્રથમ તેનું વર્ણન કર્યું છે અને તે ગૃહસ્વધર્મનું આરાધન કરીને યોગ્ય બનેલા આત્માને સાધુધર્મ માટે યોગ્ય જણાવ્યો છે. ઉપરાંત કોઈ આત્મા પૂર્વજન્મમાં કરેલી આરાધનાદિના યોગે તથાવિધ કર્મની લઘુતા થવાથી આ જન્મમાં સરળ પરિણામી અને ધર્મના રાગવાળો હોય તો તેને ગૃહસ્થ ધર્મની આરાધના વિના પણ સાધુધર્મ સ્વીકારવા માટે યોગ્ય માવ્યો છે. એમ સાધુધર્મની યોગ્યતા પ્રગટ કરવામાં Page #31 -------------------------------------------------------------------------- ________________ મુખ્યતયા ગૃહસ્થધર્મ કારણભૂત હોવાથી તે બન્નેનો કારણ-કાર્યરૂપ પારસ્પરિક સંબંધ છે. સાધુધર્મ માટેની યોગ્યતા-અયોગ્સાનું વિસ્તૃત વર્ણન મધ્યસ્થ અને સ્યાદ્વાદ દૃષ્ટિથી સ્વ-પર કલ્યાણકર થઈ શકે તેવું ગ્રંથકારે આ ગ્રંથની આદિમાં જ કરેલું છે. અહીં તો ગૃહસ્થ ધર્મમાં એવી શું કળા છે કે જે સાધુતાની યોગ્યતા પ્રાપ્ત કરાવે ? એ જ માત્ર વિચારવું અપેક્ષિત છે. ગૃહસ્થધર્મની વિશેષતા-જીવને કોઇપણ પ્રવૃત્તિના મૂળમાં રાગ કારણભૂત હોય છે. રાગ વિના કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. જીવ Àષ કરે છે, કે ક્રોધાદિ કષાયોને વશ થાય છે, તે પ્રત્યેકમાં પણ કોઈને કોઈ પ્રકારનો રાગ નડતો હોય છે. આ રાગના વિવિધ પ્રકારો છે. વિષય ભેદે તે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ, ધર્મરાગ, વિગેરે ભિન્ન ભિન્ન નામોવાળો છે. વિષયોનો કે વિષયોનાં સાધનોભૂત સ્ત્રી આદિનો રાગ તે કામરાગ; માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, આદિ સ્વજનાદિનો રાગ તે સ્નેહરાગ અને મિથ્યાભાવો, શરીર કે કામક્રોધાદિ આંતરશત્રુઓ વગેરે અહિતકર છે, એમ જાણવા છતાં તેના પ્રત્યેનો તીવ્ર રાગ તે દૃષ્ટિરાગ કહેવાય છે. દષ્ટિરાગનું સામાન્ય લક્ષણ અસત્ય સમજવા છતાં તે તે ભાવોનો પક્ષ કરવો તે છે. જીવ અનાદિ કાળથી આ ત્રિવિધ રાગને યોગે જડ ભાવોનો પક્ષ કરે છે અને વિવિધ દુઃખો વેઠે છે. અનેક કષ્ટોથી ભરેલા પણ વિવિધ સંબંધો જીવોને સંધાય છે અને તૂટે છે તે આ રાગનું જ નાટક છે. ચારે ગતિમાં બહુધા આ ત્રિવિધ રાગથી જીવ રીબાય છે. એ રાગનાં બીજ સંસારી જીવ માત્રમાં રહેલાં હોય છે અને તેના સાધનોનો તથા તે તે વિષયોનો યોગ થતાં તે ચેષ્ટારૂપે પ્રગટ થાય છે. મનના અભાવે પણ વિવિધ સંજ્ઞાઓ રૂપે કામ રાગનું ચેષ્ટિત અસંશી જીવોમાં પણ દેખાય છે. સંશી જીવોને મનની પ્રાપ્તિ થતાં સ્વજનાદિની પ્રીતિ રૂપે સ્નેહરાગ પ્રગટ થાય છે અને મિથ્યાજ્ઞાન સાથે મોહનું જોર વધતાં અસત્યનો પક્ષ કરવારૂપ દૃષ્ટિરાગ પણ પ્રગટ થાય છે. આ ત્રણે રાગ વિવિધ કંષ્ટોનું કારણ છે, કારણ કે ત્રણેના વિષયો આત્માને જડની પરાધીનતા દ્વારા દુઃખ આપનારા છે. આ રાગોને ધર્મરાગમાં બદલવાથી દુઃખને બદલે તે સુખનું કારણ બની જાય છે. કારણ કે તેના વિષયો ધર્મનાં સાધનોરૂપ બની જાય છે. આથી જીવનું કર્તવ્ય છે કે તેણે રાગનો નાશ ન થાય-રાગ વિના જીવી ન શકાય, ત્યાં સુધી પોતાના રાગને ધર્મરાગ તરીકે બદલવો જોઈએ. આવો રાગનો બદલો પ્રાય: માનવ જીવનમાં થઈ શકે છે. ધર્મરાગ એક એવો વિશિષ્ટ રાગ છે કે સંસારી સમગ્ર જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાદિ Page #32 -------------------------------------------------------------------------- ________________ 29 ભાવો સાથે આત્મામાં ક્ષમાદિ અનેક આત્મગુણોને પ્રગટ કરે છે. સાપેક્ષ યતિધર્મ એટલે નાના કુટુંબમાંથી આગળ વધીને સમસ્ત જીવોની સાથે કૌટુંબિક ભાવનું જીવન. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને મન-વચન-કાયાથી કરણ-કરાવણ અને અનુમોદનરૂપે પણ દુ:ખ ન થાય તેમ જીવવું તે સાધુધર્મ છે. તે ત્યારે બને કે અહિંસા પ્રત્યેનો રાગ (ધર્મરાગ) પ્રગટ્યો હોય ! એ સિવાય સત્ય અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ કે બીજા કોઈ પણ સાધન ધર્મો સિદ્ધ થઈ શકતા નથી. જેમ સત્ય વગેરે ભાવો અહિંસાની રક્ષા અને પુષ્ટિ આદિ કરનાર છે, તેમ અહિંસકભાવ સત્ય વગેરેનો જનક છે. વાડ ભલે ખેતરનું રક્ષણ કરે પણ વાડનો જન્મ ખેતરને આભારી છે, ખેતર ન હોય તો વાડ હોય જ નહિ. તેમ અહિંસા સર્વ ગુણોની માતા છે, તેના ધ્યેય વિના કોઈ ગુણ સાચો હિતકર બની શકતો નથી. એ રીતે અહિંસાનો અને શેષ ગુણોનો પારસ્પરિક સંબંધ છે. ગૃહસ્થધર્મમાં બતાવેલાં માર્ગાનુસારિતાથી યાવત્ પ્રતિમાવહન સુધીનાં સર્વ અનુષ્ઠાનો પ્રત્યેક વ્યવહારો ધર્મરાગને પ્રગટ કરનારા (ત્રિવિધ રાગને ધર્મરાગરૂપે બદલી નાખનારા) છે. એ કારણે તેના પાલનથી જીવને કામરાગ વગેરેનો નાશ થઈને ધર્મરાગ પ્રગટે છે. (સર્વ રાગો ધર્મરાગરૂપે બદલાઈ જાય છે.) એને જ જૈન પરિભાષામાં વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યના બળે વીતરાગભાવની સિદ્ધિ કરી શકાય છે. જો આ વૈરાગ્ય-ધર્મરાગ પ્રગટ્યા વિના દીક્ષાને સ્વીકારી કોઈ યતિધર્મ પાળવા તૈયાર થાય છે તો ત્રિશંકુની જેમ તે ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે સાધુ જીવનમાં અન્યરાગોની સામગ્રી નથી, તેથી ઉલ્ટું સાધુ જીવન તેને માટે કામરાગ વગેરેનું પોષક બની જાય છે. ધર્મરાગ પ્રગટ્યો ન હોય તો સાધુ ધર્મના વ્યવહારોમાં મમત્વ થઈ શકતું નથી અને મમત્વ વિના કોઈ કાર્યમાં સરાગીની પ્રગતિ થઈ શકતી નથી. એ કારણે ટુંકમાં એમ કહી શકાય કે સાધુ જીવનમાં આનંદનો અનુભવ કરાવનાર-ભૂખ તરસનાં કષ્ટોમાં પણ પ્રસન્નતા પ્રગટાવનાર-ત્યાગ તપમાં પણ ઉત્તરોત્તર રુચિ વધારનાર-ગુર્વાદિ પ્રત્યે સમર્પિતભાવ કે તેઓનાં વિનયાદિ કરાવનાર-શાસ્ત્રો પ્રત્યે પણ વફાદારી પ્રગટાવનાર અને યાવત્ ધર્મની ખાતરી પ્રાણની પણ આહૂતિ અપાવનાર કોઈ હોય તો તે ધર્મરાગ છે. એના વિના સાધુ જીવનનું એક પણ અનુષ્ઠાન રુચિકર થયું નથી અને તેથી તે નિર્જરા પણ કરાવી શકતું નથી. જગતના જીવો સાથે મૈત્રી, પ્રમોદ, કરુણા કે ઉપેક્ષા જેવા જીવન વિકાસના પ્રાથમિક Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાવોને પણ પ્રગટ કરી શકાતા નથી, કેવળ કાયકષ્ટરૂપે સાધુજીવન આર્તરૌદ્ર ધ્યાનનું ઘર બની જાય છે. એ કારણે ગૃહસ્થ ધર્મનાં અનુષ્ઠાનોરૂપ દાનાદિધર્મો, યથાશક્ય પાપ કાર્યોની વિરતિ અને દેવ-ગુરુ-સંઘ-સાધર્મી આદિની દ્રવ્ય-ભાવ ભક્તિ, વગેરેના અભ્યાસથી ધર્મરાગ પ્રગટ કરવો જરૂરી છે. એમ સાધુ જીવનમાં ભૂમિકારૂપે જે જે ગુણોની જરૂર છે, તે પ્રત્યેકને પ્રગટ કરવામાં ગૃહસ્થધર્મ કેટલો ઉપકારક છે ? એનું વિસ્તૃત વિવેચન કરીએ તો એક મોટો ગ્રંથ બની જાય, માટે અહીં ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે ગૃહસ્વધર્મ એ હૉજ કે નાના સરોવરમાં તરવાનું શીખવા જેવો છે અને સાધુધર્મ સમુદ્ર તરવા જેવો છે. ગૃહસ્વધર્મ પ્રવાહના બળે તરવા જેવો છે, સાધુધર્મ સામા પૂરે તરવા જેવો છે. એમ સર્વ રીતે ગૃહસ્વધર્મ સહેલો અને સરળ છે, સાધુધર્મ આકરો અને વિષમ છે. અલબત્ત, સાધુધર્મ વિના વીતરાગભાવ કે મુક્તિ થતી નથી. પણ એથી કંઈ સર્વ કોઈ તેને પાળી શકે તેવો તે સહેલો નથી. તેને માટે જન્મ જન્મ સુધી ગૃહસ્થધર્મનું આરાધન કરવા દ્વારા સર્વથા રાગનો નાશ કરવાનું અને તે માટે ગુર્નાદિને સમર્પિત થવાનું-ધર્મરાગનું સામર્થ્ય પ્રગટાવવું પડે છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરુવર્ગનો વિનય કરતાં કરતાં ગુર્નાદિનો વિનય શીખવાનો છે. પોતાના આશ્રિતોનું-કુટુંબનું રક્ષણપાલન કરીને ગુર્વાદિ સાધવર્ગ અને ચતુર્વિધ સંઘનું રક્ષણ પાલન કરવાનું શીખવાનું છે. પોતાના પુણ્ય પૂરતી મળેલી સામગ્રી પ્રત્યે વૈરાગ્ય કેળવીને ધર્મના પ્રભાવે મળતી શ્રેષ્ઠ પણ જીવનસામગ્રી વિરાગભાવે ભોગવવાની છે. ગૃહસ્થજીવનના વ્યવહારોના શુદ્ધ અખંડપાલન દ્વારા સાધુજીવનના આકારા વ્યવહારોની કસોટીમાંથી પાર ઉતરવાનું છે, દેવ-ગુર્વાદિની બાહ્ય ભક્તિ દ્વારા તેઓની આજ્ઞાનો આદર અને પાલન કરવા માટે સર્વ જડ ઇચ્છાઓને તજવાની છે. એમ સર્વ લૌકિક વ્યવહારો દ્વારા લોકોત્તર વ્યવહારોમાં પસાર થવાનું સામર્થ્ય કેળવવું આવશ્યક છે, તરવાની કળા શીખવા માટે છીછરા અને સ્થિર પાણીવાળાં જળાશયો ઉપયોગી છે, તેમ સમુદ્રને કે મોટી નદીને સામા પૂરે તરવા જેવા સાધુધર્મમાંથી પાર ઉતરવાની કળા શીખવા માટે સામાન્ય સરોવરાદિની ઉપમાવાળો ગૃહસ્વધર્મ ઉપયોગી છે. એ રીતે દીક્ષા માટેની યોગ્યતા-સામગ્રી ન પામ્યો હોય તે પણ ગૃહસ્વધર્મનું પાલન કરતો સાધુતાની યોગ્યતા પ્રગટાવવાના ધ્યેયથી સાધુધર્મનો આરાધક બનીને ગૃહસ્થધર્મથી પણ પરંપરાએ મુક્તિ સાધી શકે છે અને યોગ્ય સામગ્રીને Page #34 -------------------------------------------------------------------------- ________________ 31 પામેલો દીક્ષાનો સ્વીકાર કરીને મુક્તિ સાધી શકે છે. સિદ્ધોના પંદર પ્રકારોમાં ‘ગૃહિલિંગે સિદ્ધ’ પણ એક પ્રકાર છે જ. એ કારણે જ ગ્રંથકારે દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી ગૃહસ્થ ધર્મદ્વારા પણ માનવ જીવનને સફળ કરવાનું જણાવ્યું છે. હા, ગૃહસ્થધર્મમાં જ ઇતિકર્તવ્યતા માની લેનારો અજ્ઞ છે, સાધુધર્મને પ્રાપ્ત કરવાની ભાવના વિના ગૃહસ્થધર્મની વાસ્તવતા જ નથી. અર્થાત્ સાધુધર્મની યોગ્યતા પ્રગટાવવા માટે કરેલી ગૃહસ્થધર્મની આરાધના એ સાધનારૂપ છે અને તેનું સાઘ્ય સાધુધર્મની યોગ્યતા પ્રગટાવવી તે છે. સાધુધર્મ પામવાના ધ્યેયથી કરાતો જ ગૃહસ્થધર્મ વસ્તુતઃ ધર્મ છે. જેનું એ ધ્યેય નથી તે ગૃહસ્થધર્મનું પાલન ગમે તેવું શ્રેષ્ઠ કરે તો પણ મોહને મંદ કરી શકતો નથી, રાગને ધર્મરાગરૂપે બદલીને કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગનાં દુષ્ટ બંધનોથી છૂટી શકતો નથી. આ ધર્મરાગ સાધુધર્મના પ્રત્યેક વ્યવહારોનો પ્રાણ છે, તે જેટલો વિશિષ્ટ હોય, દૃઢ હોય, તેટલા પ્રમાણમાં સાધુધર્મના આચારો નિર્મળ અને નિરતિચાર પળાય છે. ધર્મરાગથી આત્મા કામ ક્રોધાદિનો પરાભવ કરી સમતાને સાધી શકે છે. સાધુજીવનમાં કોઈપણ અનિષ્ટ તત્ત્વ ત્યારે જ પ્રવેશી શકે કે રાગ ધર્મરાગરૂપે બદલાયો ન હોય ! ક્લેશ-કંકાસ, માન-અપમાન, કે અનુકૂળતાપ્રતિકૂળતામાં રતિ-અરિત વગેરે સર્વ સાધુધર્મના-આત્માના રોગો છે અને ધર્મરાગ તેનું પરમ ઔષધ છે. તે ગુણોનો પક્ષ કરાવીને સર્વ દુર્ગુણોને (પાપવ્યાપારોને) રોકી દે છે. અને અહિંસાદિ વ્રતોના નિરતિચાર પાલન દ્વારા જ્ઞાનાદિ ગુણો પ્રગટાવીને આત્માની મોક્ષસાધનાને નિષ્કંટક અને નિર્મળ બનાવી દે છે. આ ધર્મરાગને પામેલા આત્માને સાધુ ધર્મનાં અનુષ્ઠાનો દ્વારા વિકાસની પરમભૂમિકાએ પહોંચવાના ઉપાયો આ બીજા ભાગમાં બતાવ્યા છે. સાધુ જીવનમાં તેની ઉપયોગિતા કેવી છે, તે હવે વિચારીએ. ગ્રંથ પરિચય યાને સાધુધર્મની વિશેષતાઓ-આ બીજા ભાગમાં સાધુધર્મના આચારોનું સાદ્યંત ક્રમિક વર્ણન છે. તેના નિરતિચાર અખંડ પાલનથી ક્રમશ: આત્મવિકાસની છેલ્લી ભૂમિકા પ્રાપ્ત થતાં જીવનો કર્મબંધનમાંથી સદાને માટે છૂટકારો (મોક્ષ) થાય છે. મોક્ષનું અનંતર કારણો હોવાથી સાધુધર્મનું મહત્ત્વ ગૃહસ્થધર્મની અપેક્ષાએ ઘણું છે, તેથી તેના સાધકની પણ વિશિષ્ટ યોગ્યતા અપેક્ષિત છે. જગતના પ્રત્યેક વ્યવહારોમાં યોગ્યતા-અયોગ્યતાનો વિચાર રહેલો છે. નાનું-મોટું કોઈપણ કાર્ય કરવાની યોગ્યતા પામ્યો હોય તેને જ તે કરણીય હોય છે. યોગ્યતા વિના તે તે Page #35 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરવાથી ‘અધિકાર ચેષ્ટા' મનાય છે અને તે જગતમાં આદર પામતી નથી. યોગ્યતાની મર્યાદા પણ તે તે કાર્યના મહત્ત્વની અપેક્ષાએ નક્કી થયેલી હોય છે. એક જ પેઢીના પ્રત્યેક માણસોને પેઢીનાં, ઘરના દરેક માણસોને ઘરનાં કે રાજ્યના સર્વ અધિકારીઓને રાજ્યનાં, સર્વ કાર્યો સોંપી શકાતાં નથી, સૌને સરખો અધિકાર હોતો નથી. સર્વ કાર્યોમાં યોગ્યતાને અનુસરીને વ્યવહારો થાય છે. એ જ ન્યાય ધર્મને અંગે પણ કહેલો છે. દરેકને સાધ્યધર્મ તરીકે એક જ કર્મરોગનો નાશ કરવાનો હોવા છતાં ઔષધતુલ્ય વ્યવહાર (સાધન) ધર્મ દરેકને સ્વ-સ્વ યોગ્યતાને અનુસાર કરવાનો હોય છે અને તો જ તે હિત કરે છે. કહ્યું છે કે “अधिकारिवशाच्छास्र, धर्मसाधनसंस्थितिः । व्याधिप्रतिक्रियातुल्या, विज्ञेया गुणदोषयोः ।।" [हारि० अष्टक प्रकरणम् અર્થાત્ અધિકારીને વ્યાધિનો પ્રતિકાર (યોગ્ય ઔષઘ) ગુણ કરે છે અને અનધિકારીને દોષ કરે છે, તેમ શાસ્ત્રમાં ધર્મસાધનોની પણ વ્યવસ્થા અધિકારી " પરત્વે બતાવેલી છે. તે તે ઘર્મ સાધનાના અધિકારીને તે તે સાધના ગુણ કરે છે અને અધિકારીને દોષ કરે છે. ' સાધના અને સિદ્ધિને અનુસાર ધર્મની પણ ચડતી-ઉતરતી કક્ષાઓ છે. સ્વસ્વ યોગ્ય ધર્મસાધના જીવને તે તે ધર્મની (ગુણની) સિદ્ધિ કરીને તેની યોગ્યતામાં વધારો કરે છે, અને તેથી વિશેષ ધર્મ માટે તે યોગ્ય બને છે. એથી વિપરીત ધર્મસાધના કરવા છતાં અયોગ્યતાને વધારે દોષ કરે) છે. આ કક્ષાઓને જૈનદર્શનમાં ગુણસ્થાનકો કહેવાય છે. તેની સંખ્યા ચૌદવી છે. તે પ્રત્યેકમાં પણ ચડતી-ઉતરતી કક્ષાઓના પ્રકારો અસંખ્ય કે અનંત પણ છે. ઉપર ઉપરના ગુણસ્થાનકની સાધના ક્લિષ્ટ હોય છે માટે તેના સાધકની પણ તે માટે વિશિષ્ટ યોગ્યતા અપેક્ષિત છે. ગૃહસ્વધર્મની છેલ્લી ભૂમિકા પાંચમું ગુણસ્થાનક છે અને સાધુતાનો પ્રારંભ છઠ્ઠા ગુણસ્થાનકથી થાય છે, માટે સાધુધર્મનો આરાધક ગૃહસ્થધર્મની અપેક્ષાએ વિશિષ્ટ ગુણવાળો જોઈએ જ. બીજી રીતે જગતનાં સર્વોત્કૃષ્ટ પાંચ પૂજ્ય પદો અરિહંતાદિ પંચપરમેષ્ઠિઓ છે. તેમાં ત્રીજા-ચોથાપાંચમા પદે રહેલા આચાર્ય-ઉપાધ્યાય અને સર્વ સાધુઓ સ્વયં સાધક છે, તેથી તે અરિહંત અને સિદ્ધપદના પૂજક છે અને ચતુવિધ શ્રીસંઘના પૂજ્યપદે બિરાજમાન હોવાથી પૂજ્ય પણ છે. આ પૂજ્યપદે રહીને જગતનું કલ્યાણ કરવાની તેઓની ભીષ્મ પ્રતિજ્ઞા હોય છે. તેથી પ્રાણાંતે પણ કોઈનું અહિત ચિંતવવાનો તેમનો આચાર નથી. શત્રુનું પણ હિત કરવાનું તેમનું કર્તવ્ય હોય છે. તેથી હિસા Page #36 -------------------------------------------------------------------------- ________________ 33 અસત્ય-ચૌર્યકર્મ-અબ્રહ્મ-પરિગ્રહ અને રાત્રિભોજનનો તેઓ જીવનભર ત્યાગ કરે છે, ઉપરાંત બીજી પણ ઘણી ઘણી આકરી કસોટીઓમાંથી પસાર થવાનો તેમનો ધર્મ છે. આવા કઠીન અને સ્વાશ્રયી જીવનને જીવવા માટે પણ આત્મામાં સત્ત્વ, દૃઢ વૈરાગ્ય, વિશિષ્ટ પુણ્યબળ, કર્મોની મંદતા, શરીરબળ તથા સ્વાસ્થ્ય, વિશુદ્ધ જ્ઞાન, નિર્મળ બુદ્ધિ, વગેરે અનેક ગુણોની જરૂર રહે છે. ગૃહસ્થધર્મમાં પણ યોગ્યતા અપેક્ષિત છે, તથાપિ સામાન્ય છે, કારણ ત્યાં શ્રી જિનાજ્ઞાને સંપૂર્ણતયા પાળવાની પ્રતિજ્ઞા હોતી નથી, અહિંસાદિ વ્રતો કે બીજા પણ નિયમોનું પાલન શક્તિ-સામગ્રી અનુસારે ન્યૂનાધિક કરવાનું હોય છે, એ કારણે શ્રીસંઘનાં ચાર પૈકી બે અંગો હોવા છતાં શ્રાવક-શ્રાવિકાને પૂજ્યપદમાં સ્થાન નથી. શ્રીજિનાજ્ઞાની સંપૂર્ણ વફાદારી તેઓ સ્વીકારી શકતાં નથી, તેથી ધર્મમાં નેતૃત્વ પણ તેઓનું હોતું નથી. સાધુ તો ધર્મનો નેતા ગણાય છે, જિનાજ્ઞાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાવાળો હોય‘ છે,. એ કારણે તેનું પરમેષ્ઠિઓમાં પૂજ્યપદે સ્થાન છે. વળી સાધુધર્મના નિર્મળ આરાધનથી વિશેષ યોગ્ય બનેલા આત્માઓ ઉપાધ્યાય અને આચાર્યપદ વગેરે પદના પણ અધિકારી બને છે, ઇત્યાદિ અનેક કારણોથી સાધુની યોગ્યતા વિશિષ્ટ જોઈએ તે સમજાય તેવું છે. આ વિશિષ્ટ યોગ્યતાના બળે જ શ્રમણસંઘ આજ સુધી જગતમાં મોખરે હતો. રાજા-મહારાજાઓ અને એક કાળે દેવ-દાનવો. પણ તેનું દાસત્વ કરતા હતા. કાળની પરિહાણિથી જેમ જેમ સંઘયણ બળ અને જ્ઞાનબળની સાથે એ યોગ્યતામાં મંદતા આવતી ગઈ તેમ તેમ તેના મહત્ત્વમાં પણ ઓટ આવતી ગઈ. તો પણ જેટલા પ્રમાણમાં એ યોગ્યતા-મર્યાદા સચવાઈ રહી છે તેટલા પ્રમાણમાં આજે પણ જૈનશ્રમણોનું મહત્ત્વ સુરક્ષિત છે. ભલે સૌ કોઈ એને સમજી ન શકે, પણ જગત ઉપર જૈનશ્રમણોનો ઉપકાર અદ્યાપિ પર્યંત સર્વોપરિ છે. એનું જીવન કોઈને ભાર રૂપ નથી. અનેક ‘કષ્ટો વેઠીને સ્વાશ્રયી જીવન જીવીને પણ અન્ય આત્માઓને દુ:ખથી મુક્ત કરવાના ઉપાયોનું આજે પણ તે રક્ષણ અને પ્રચાર કરે છે. અનેક પ્રકારનાં માન-સન્માન અને સગવડો વચ્ચે પણ તેઓ ત્યાગ અને વૈરાગ્યથી સાધના કરી રહ્યા છે. સર્વકાળમાં હોય તેમ આજે પણ એમાં દૂષિત તત્ત્વો છે અને રહેવાનાં, તો પણ આ એક હકિકત છે કે સર્વજ્ઞના વચનના આધારે જીવનારા જૈનશ્રમણોથી ગૃતને ઘણો લાભ થયો છે અને આજે પણ થાય છે. જૈન શ્રમણોના આ વૈશિષ્ટ્યને સાચવવા માટે શાસનના અંત સુધી યોગ્યતાનું વિધાન અને તેને જણાવનારાં શાસ્ત્રો સંઘને ઉપકારક છે. એ કારણે ગ્રંથકારે આ ગ્રંથની Page #37 -------------------------------------------------------------------------- ________________ રચના કરી છે અને તેમાં સૌથી પ્રથમ શિષ્યની યોગ્યતાનું વિશદ વર્ણન કર્યું છે. ગુરુ પણ યોગ્ય જોઈએ, અન્યથા શિષ્યનો વિકાસ ન થાય, એ કારણે શિષ્યની યોગ્યતા પછી ગુરુની યોગ્યતાનું વર્ણન છે. સર્વ સાધુઓને ગુરુપદ માટે યોગ્ય નથી માન્યા, સાધુધર્મ માટે યોગ્ય છતાં તેમાંનો થોડો વર્ગ ગુરુપદ માટે યોગ્ય નીવડે છે. માટે ગુરુપદને યોગ્ય થયો હોય તેને દીક્ષા આપવાનો અધિકાર માન્યો છે. ગ્રંથોક્ત ઔત્સર્ગિક સંપૂર્ણ યોગ્યતાને પ્રાપ્ત કરવી સર્વકાળમાં દુર્લભ છે, તેથી તે તે કાળને આશ્રીને વિશેષ યોગ્યતાને પામેલા આંત્માઓ સાધુધર્મ માટે અને ગુરુપદ માટે યોગ્ય ગણાય છે. એ વાતને પણ ગ્રંથકારે સ્પષ્ટ કરી છે. ગ્રંથમાં કહેલું ગૃહસ્થધર્મનું સ્વરૂપ ગૃહસ્થનાં અને સાધુધર્મનું સ્વરૂપ સાધુનાં કર્તવ્યોનું સચોટ જ્ઞાન કરાવે છે. ઉપરાંત સંઘના ચારે અંગોની રક્ષાના અને વિકાસના કારણોને અને પતનના પ્રતિકારોને (ઉપાયોને) પણ સમજાવે છે. કોઈપણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, કે ધર્મસંપ્રદાય જો તે પોતાના રક્ષણ અને વિકાસને ઈચ્છતો હોય તો તેણે આચારબળ કેળવવું જોઈએ અને તે માટેનું કાયદાશાસ્ત્ર પણ હોવું જોઈએ. આ ગ્રંથના બન્ને ભાંગો શ્રીસંઘના વિકાસ માટે વિધિ-નિષેધરૂપે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. એનું યથાશક્ય પાલન કરવામાં જ વ્યક્તિનું, સંઘનું શાસનનું કે જીવમાત્રનું કલ્યાણ છે. રોગીને રોગનું નિદાન, ઔષધ અને પરેજી વગેરેની જેમ સર્વ આવશ્યક બાબતોને પૂરી પાડતો આ ગ્રંથ શ્રીસંઘને સાચો માર્ગદર્શક છે. યોગ્યતા વિના લીધેલી, અયોગ્ય ગુરુએ આપેલી, કે અવિધિથી સ્વીકારેલી દીક્ષા સ્વ-પર હિત ન કરી શકે એ વાતનો ઈનકાર ધર્મનો અર્થી કોઈપણ કરી શકે નહિ. દીક્ષા માટે જઘન્ય-ઉત્કૃષ્ટ વયનું પ્રમાણ, માતા-પિતાદિની સંમતિ માટે નિષ્પક્ષ જાય, વગેરે સઘળા પ્રશ્નોનો આ ગ્રંથમાં સરળ ઉકેલ છે. મધ્યસ્થ અને સૂક્ષ્મ બુદ્ધિવાળો સત્યનો અર્થી કોઈપણ માન્ય કરે અને યોગ્ય આત્મા આત્મવિકાસના અનન્ય સાધનભૂત સાધુધર્મથી વંચિત ન રહે તેવું તથા અધિકારી આવા ઉચ્ચ પદે આવી ન જાય તેવું એમાં સ્પષ્ટીકરણ છે. વયનું પ્રમાણ, વાલીની સંમતિ, વગેરે વિવિધ બાબતોનો ઉત્સર્ગ-અપવાદનપદે વિચાર કરીને ‘સાધુધર્મને પાળવા માટેની શાસ્ત્રોક્ત ભૂમિકાને પામેલો યોગ્ય આત્મા દીક્ષા માટે અધિકારી છે' એમ સ્પષ્ટ કર્યું છે. યોગ્યતા વિનાનો અબાલ હોય કે વાલીઓની સંમતિવાળો હોય તો પણ તેને અધિકારી ગણ્યો છે. લિમિનોનું બળ-યોગ્યતાના વિચાર પછી દીક્ષાનો વિધિ બતાવ્યો છે. તેમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ 35 પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરે નિમિત્તાદિ સામગ્રીનો યોગ મેળવવાનું વિધાન કર્યું છે. નિમિત્તો જ્યાં સુધી આત્મા સરાગી અને ભાવુક છે ત્યાં સુધી તેનાં ઉપર ચોક્કસ અસરો ઉપજાવે છે. શુભ નિમિત્તો શુભભાવનાં અને અશુભભાવનાં જનક છે, એ હકીકત આબાલ-ગોપાલ એટલી અનુભવસિદ્ધ છે કે ઘણી બાબતોમાં નિમિત્તોની સામે મનુષ્ય પોતાની જાતને પણ સાવ ભૂલી જાય છે. ‘અમુક ખાવાથી માંદો પડી ગયો, અમુક દવાના પ્રભાવે જ બચ્યો, આ ઉપકારી હાથ પકડનારા ન હોત તો હું દરિદ્ર ક્યાંય ભીખ માગતો હોત, આ અમુક કારણથી જ બરબાદી થઈ, આ અમુક ધંધાથી જ હું સુખી થયો. મેં જ તને આ કેસમાં બચાવ્યો, આ અમુકના પુણ્યથી જ અમે આજે સુખમાં સ્વપ્નો સિદ્ધ કરી શક્યા, આ નિર્ભાગીના પગલે ચાલ્યા ત્યારથી અમારો દી' પલટાયો, વગેરે વગેરે પ્રત્યેક વાતમાં પ્રાય: મનુષ્ય એ રીતે બોલતો હોય છે કે જાણે તેનાં કર્મો પુરુષાર્થ, કાળ કે આત્મા જેવું કંઈ છે જ નહિ. એક માત્ર તે તે નિમિત્તો જ તેના સુખ-દુ:ખનાં સર્જક હોય એમ તેનો અનુભવ તેને બોલાવતો હોય છે. કોઈ એકાંત નિશ્ચયવાદી તેને મિથ્યાજ્ઞાની કહીને ઉડાડે છે, છતાં ઉડાડનારો પોતે પણ જીવનમાં એ નિમિત્તોને મહત્ત્વ આપતો હોય છે. ગમે તેવી એકાંત આત્માની વાતો કરનારો પણ પ્રસંગે આત્માને ભૂલી નિમિત્તોની પ્રબળતાને સ્વીકારે એવી નિમિત્તોની સચોટ અસર અનુભવાય છે. આ હેતુથી જ શુભાશુભ દ્રવ્યોના વિવેક માટે પદાર્થોનું વિજ્ઞાન જણાવનારાં વિવિધ શાસ્ત્રો, ક્ષેત્રના શુભાશુભપણાને જણાવનારાં શિલ્પાદિનાં શાસ્ત્રો, કાળની શુભાશુભતાને જણાવનારા જ્યોતિષાદિના ગ્રંથો અને ભાવની શુદ્ધિ-અશુદ્ધિનો વિવેક જણાવનારાં માનસવિજ્ઞાન આદિનાં વિવિધ શાસ્ત્રો સદાને માટે જીવનમાં ઉપયોગી નીવડ્યાં છે. એની ઉપેક્ષા જેટલા અંશે થાય તેટલાં અંશે તે ચોક્કસ હાનિ કરે છે. આ હકિકત સ્પષ્ટ સમજાય એ રીતે તે તે સ્થળે ટીપ્પણો લખીને પણ તેને અધિક સ્પષ્ટ કરી છે. આ ઉદ્દેશથી જ દીક્ષા જેવી પવિત્ર વસ્તુને આત્મોપકારક બનાવવા માટે શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ નિમિત્તોનો યોગ મેળવવાના વિષયમાં ગ્રંથકારે ભાર મૂક્યો છે. શક્ય હોય ત્યાં સુધી સૌ અનુમોદના કરે અને પ્રસન્નતા અનુભવે એ રીતે દીક્ષા કરવી જોઈએ. ત્યાં સુધી કે અમારી પળાવીને કે આરંભસમારંભ અટકાવીને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પશુ-પક્ષી સુધીનું પણ રક્ષણ કરવું જોઈએ. લૌકિક-લોકોત્તર સર્વ શુભપ્રસંગોમાં ઉત્તમ અલંકાર-આભૂષણાદિ પહેરવાં, મંગળ વાજિંત્રો વગડાવવાં, શ્રેષ્ઠ ભોજન જમવાં-જમાડવાં, બીજાઓનાં Page #39 -------------------------------------------------------------------------- ________________ 36 સત્કાર-સન્માન કરવાં. ઇત્યાદિ જે જે વ્યવહારો આર્યદેશમાં પ્રસિદ્ધ છે, તે સર્વ અન્ય જીવોની પ્રસન્નતા પ્રગટાવવા માટે છે. એ પ્રસન્નતાથી શુભ કાર્યોમાં આવતાં વિઘ્નો ટળે છે અને કરનારને આત્મિક પ્રેરણા મળે છે. ઇત્યાદિ નિમિત્તોનું બળ ઘણું જ છે. અહીં તો એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે નિષ્કારણબંધુ જગતવત્સલ શ્રી વીતરાગદેવે જે જે વિધિ-નિષેધો ઉપદેશ્યા છે, તે ખૂબ રહસ્યપૂર્ણ છે. એને સમજવા માટે સૂક્ષ્મ અને શોધક દૃષ્ટિ જરૂરી છે. ભલે એ સત્ય સૌને ન સમજાય, પણ તેનું પાલન કરવામાં જ સ્વ-પર સર્વનું કલ્યાણ છે. એની પછી ‘સાપેક્ષ' એટલે ગુર્વાદિ વગેરેની સહાયતાની અપેક્ષાવાળો અને ‘નિરપેક્ષ' એટલે સંપૂર્ણ સ્વાશ્રયી-સહાયતાની અપેક્ષા વિનાનો, એમ યતિધર્મના બે પ્રકારો બતાવ્યા છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરુવર્ગના વિનયાદિ કરવાથી ધર્મગુરુની આજ્ઞાને આધીન રહી જિનાજ્ઞા પ્રમાણે જીવવાનું સામર્થ્ય પ્રગટે છે અને જિનાજ્ઞાના પાલનથી કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે. ધર્મગુરુમાં એ વિજય કરવા-કરાવવાની,શક્તિ હોય છે તેથી તેઓના આશ્રયથી એ વિજય કરી શકાય છે. ઇત્યાદિ સાપેક્ષ યતિધર્મના પાલનથી આત્માને અચિંત્ય લાભો થાય છે. તે પછી તે નિરપેક્ષયતિધર્મને યોગ્ય બની તેને સ્વીકારીને પોતાની જીવન કળાને વિકસાવી પરિણામે સ્વકર્મોથી મુક્ત થઈ શકે છે. ગુરુની નિશ્રામાં રહેવા નિર્બળ નીવડે છે તે આત્મા એકલો રહેવા માટે તો અવશ્ય નિર્બળ સિદ્ધ થાય છે. એટલું જ નહિ, રક્ષક વિના કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓ તેનો પરાજય કરે છે અને દીક્ષાને નિષ્ફળ બનાવી તેનો દુરુપયોગ કરાવી દે છે. એથી જ સાધુ જીવનની બે મર્યાદાઓ કહી છે, એક કામ ક્રોધાદિનો વિજય કરવાની શક્તિ પ્રાપ્ત કરીને સ્વયં ગીતાર્થ બનવું અને બીજી શક્તિ ન પ્રગટે ત્યાં સુધી ગીતાર્થની નિશ્રામાં રહેવું. એ સિવાય ત્રીજો માર્ગ નથી. એવા યોગ્ય ગુરુના અભાવમાં શિષ્ય શું કરવું ? તેનો પણ સુંદર માર્ગ ગ્રંથકારે બતાવ્યો છે. તે ગ્રંથના વાચનથી પ્રસંગે પ્રસંગે સ્વયં સમજી શકાશે. નથી તો જૈનદર્શનમાં ગુરુનો પક્ષ કે નથી તો શિષ્યનો પક્ષ, બન્નેને સ્વ-પર કલ્યાણ થાય તેવો નિષ્પક્ષ અને એકાંતે હિતકર ન્યાયમાર્ગ બતાવ્યો છે. પૂર્વ મહર્ષિઓએ ભાવિ જીવોની કરેલી આ હિતચિંતા સમજાયા પછી નિષ્કારણ ઉપકારી તેઓના ચરણોમાં મસ્તક નમી પડે છે. હર્થથી હૈયું નાચી ઉઠે છે. અને ચક્ષુ હર્ષાશ્રુથી ઉભરાય છે. એમ થઈ આવે છે કે આવો નિષ્પક્ષ એકાંતે કલ્યાણકર માર્ગ આ ઉપકારીઓ વિના બીજો કોણ બતાવે છે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ (37તે પછી દીક્ષાના નિરતિચાર પાલન દ્વારા આત્મવિશુદ્ધિ કરવા માટે જરૂરી ગુરુકુળવાસનું મહત્ત્વ, તેનું સ્વરૂપ, તેનાથી થતા લાભો, વગેરે વિવિધ વાતોને જણાવી છે. તેમાં પ્રસંગોનુસાર કહેલું ભાવાચાર્યનું સ્વરૂપ, તેમાં ઉત્સર્ગ-અપવાદ, શિષ્યનું કર્તવ્ય, સમર્પિતભાવના લાભો, તેથી થતી ક્લિષ્ટ કર્મોની નિર્જરા અને વિશિષ્ટ પુણ્યનો બંધ, ઈત્યાદિ અતિ ઉપકારક અનેક બાબતો કહી છે. એને સમજ્યા પછી ગુરુકૂળવાસ કષ્ટને બદલે આનંદરૂપ બની જાય છે. કારણ કે ચોક્કસ લાભો જાણ્યા પછી તે માટે ગમે તેવું કષ્ટ વેઠવા પણ જીવ સદા તત્પર હોય છે. સંસારમાં જીવો વિવિધકષ્ટોને સહર્ષ વેઠે છે તેમાં ખોટાં છતાં તેને અજ્ઞાન અને મૂઢતાથી પણ સાચા સમજાયેલા ભાવો જ કારણભૂત હોય છે. તેમ અહીં પણ જન્મ-મરણાદિનાં દુ:ખોથી ત્રાસી ગયેલા જીવને દીક્ષાના પાલન માટે ‘ગુરુની પરાધીનતા જન્મ-મરણાદિના કારણભૂત ક્રામ-ક્રોધાદિનો પરાજય કરવા માટે અતિ આવશ્યક અને ઉપકારક છે' એમ સમજોયા પછી તે કષ્ટને બદલે અગમ્ય આનંદ આપે છે. તે આનંદમાં સંતુષ્ટ બનેલો આત્મા ઈન્દ્રની કે ચક્રવર્તીની સંપત્તિને પણ તુચ્છ માની શકે છે. યોગ્ય ગુરુની નિશ્રા પામીને પણ જે આત્મા તેમાં આનંદનો અનુભવ કરી શકતો નથી તે સંસારનાં કષ્ટોથી કંટાળેલો છે એ સિદ્ધ થતું નથી. તેની પછી શાસ્ત્રાધ્યયનનો વિધિ અને તે માટે ઉપધાન-યોગ (તપ સહિત વિશિષ્ટ અનુષ્ટાન) કરવાનું વિધાન ક્યું છે. સાધુજીવનમાં શાસ્ત્રાધ્યયનની મુખ્યતા છે. કારણ કે શાસ્ત્રો સિવાય આત્માના અનાદિ અંધારપટને દૂર કરવાનો અન્ય કોઈ ઉપાય નથી. ઉપરાંત વિશિષ્ટ ક્ષયોપશમ વાળા સાધુનું શાસ્ત્રોની રક્ષા કરવાનું તેને પ્રચારવાનું અને તે તે કાળે જીવોની બુદ્ધિને અનુસાર ઉપયોગી બને તેવી નવી નવી રચના કરવાનું વગેરે કર્તવ્ય છે. કહ્યું છે કે“વર્મવેક્ષમૃતઃ સર્વે, રેવાશાવક્ષ: I સર્વશભુષ: સિદ્ધા, સાધવ: શાસ્ત્રક્રુષ: I” (જ્ઞાનસાર) અર્થાત્ જગતમાં સર્વ જીવોનો વ્યવહાર ચર્મચક્ષુથી ચાલે છે, દેવો અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા, સિદ્ધો કેવળજ્ઞાનરૂપ ચક્ષુવાળા અને સાધુઓ તો શાસ્ત્રરૂપ ચક્ષુવાળા હોય છે. અર્ધાત્ સાધુઓને શાસ્ત્રજ્ઞા પ્રમાણે જીવવાનું હોય છે. એમ શાસ્ત્રાધ્યયન વિનાનો સાધુ અંધતુલ્ય હોવાથી તેણે શાસ્ત્રજ્ઞની આજ્ઞાને અનુસરવાનું હોય છે. ગૃહસ્થને અર્થોપાર્જનના લક્ષ્યની જેમ સાધુને શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય મુખ્ય હોવાથી તે તે કાળે કરવા યોગ્ય પ્રતિલેખનાદિ આવશ્યક કાર્યો સિવાયના શેષ સમયે શાસ્ત્રાધ્યયન કરવાનું વિધાન કરેલું છે. શાસ્ત્રાધ્યયનને ત્યાં Page #41 -------------------------------------------------------------------------- ________________ સુધી મહત્વ આપ્યું છે કે પ્રતિલેખનાદિ અન્ય કાર્યો કરતાં બચે તેટલો અધિક સમય બચાવીને અધ્યયનમાં ગાળવો. એમ છતાં શાસ્ત્રાધ્યયનના ઉદ્દેશથી અન્ય કાર્યો પ્રત્યે લેશ પણ અનાદર ન થાય તેમ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું છે. હા, તથાવિધ વિશિષ્ટ શક્તિવંત આત્માને ભણવાની અધિક સગવડ આપવાની વ્યવસ્થા છે. અર્થાત્ જે કાર્યો વૈયાવચ્ચકારી આદિ બીજાઓથ શક્ય હોય તે તેઓ કરીને પણ ભણનારને અધિક સગવડ આપે એવું વિધાન છે. એમ કરવાથી તેઓ પણ શાસ્ત્રના આરાધક બને છે. ભણનારાઓ પૈકી પણ પરિશ્રમસાધ્ય તર્કશાસ્ત્રનું અધ્યયન કરનારને અમુક વિશેષ સગવડો આપી છે. એમ અન્ય કર્તવ્યોની અપેક્ષાએ શાસ્ત્રાધ્યયનનું મહત્વ જણાવવા છતાં સૌ કોઈને ભણાવાના અધિકારી માન્યા નથી. જ્ઞાનને પચાવવાની અને તેનાથી સ્વ-પર હિત કરવાની નિર્મળ શક્તિરૂપ વૈરાગ્યાદિ ભાવો જેનામાં પ્રગટ્યા હોય તેને જ શાસ્ત્રાધ્યયનમાં અધિકારી માન્યો છે. જ્ઞાન મેળવવું કે તપ વગેરે ક્રિયાઓ કરવી જેટલી દુષ્કર નથી, તેથી અધિક દુષ્કર તેનાથી સ્વ-પર હિત કરવું તે છે. માટે જ અમુક વર્ષોના દીક્ષાપાલન પછી શાસ્ત્રોક્ત યોગોદ્ધહનાદિ અનુષ્ઠાન પૂર્વક તે તે શાસ્ત્રોને ભણવાનું વિધાન કર્યું છે. દીક્ષાપર્યાય વધે તેમ તેમ પંચાચારના પાલનથી યોગ્યતા વધે અને યોગોહનાદિથી આત્મશુદ્ધિ કરે તેને ગુરઆજ્ઞાથી તે તે શાસ્ત્રોને ભણવાનો અધિકારી કહ્યો છે. ગમે તે શાસ્ત્રને સ્વેચ્છાએ સૌ ભણી શકે નહિ. યોગ્ય બન્યા પછી પણ ગુરુ આદિના વિનયપૂર્વક ભણવાથી શાસ્ત્રો ઉપકારક બને છે. "જ્ઞાનનું મૂળ વિનય છે. એમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાન-જ્ઞાની આદિનો વિનય કરવાથી જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ વિહ્નભૂતિ કર્મોની નિર્જરા સાથે શુભ કર્મોનો બંધ થાય છે. વિદ્ધભૂત જ્ઞાનાવરણીયાદિની નિર્જરાથી આત્માનો જ્ઞાન ગુણ પ્રગટે છે, તેને જ તત્વથી જ્ઞાનપ્રાપ્તિ કહેવાય છે. સાથે મોહનીયની મંદતા થવાથી તેને આત્મોપકારક બનાવી શકાય છે. ઉપરાંત શુભ પુણ્યના બળે શરીરાદિ બાહ્ય જીવન સામગ્રી પણ એવી પવિત્ર મળે છે કે તેનાથી જ્ઞાનનો દુરુપયોગ થતો નથી. કહ્યું છે કે અવિનયથી મેળવેલું જ્ઞાન અજ્ઞાનરૂપે આત્માનું અહિત કરે છે અને વિનયના બળે પ્રગટેલું જ્ઞાન ચોક્કસ લાભો કરે છે. માટે જ અવિનીત કે અયોગ્યને મુંડવાથી, ભણાવવાથી, કે તેની સાથે વસવા વગેરેથી ગુરુના પણ ચારિત્રનો ઘાત થાય છે એમ અયોગ્યને શાસ્ત્રો ભણાવવાથી સ્વ-પર અહિત થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 39 વિચાર કરતાં એમ સમજાય છે કે-વર્તમાનમાં ‘જિનમૂર્તિ અને જિનાગમ' બે જ કર્મરોગને ટાળવાનાં ઔષધો છે. તે પૈકી જિનમંદિરો અને મૂર્તિઓ ગામે ગામ, પર્વતો ઉપર, પહાડોમાં અને જંગલોમાં પણ પ્રગટ છે, બીજી બાજુ આગમગ્રંથો તો અમુક સુનિશ્ચિત સ્થળે ભંડારોમાં જ અપ્રગટ છે, તે સહેતુક છે. જિનમૂર્તિ કાષ્ટાદિ ઔષધ તુલ્ય હોવાથી તેનાથી થાય તો લાભ થાય છે, હાનિનો સંભવ નથી. માટે સૌને તેના દર્શન-પૂજન આદિ કરવાની વ્યવસ્થા છે. જો કે તેમાં પણ વિવેક છે. તથાવિધ જાતિ આદિની વિશિષ્ટતા વિના રાજા-મહારાજા વગેરેનાં દર્શન મેળાપ વગેરે કરી શકાતું નથી, તેમ જિનમૂર્તિનાં દર્શન-પૂજન પણ કરી શકાતાં નથી. તેવા આત્માને જેનાં દર્શન-પૂજનને તે ઇચ્છે છે, તે જિનેશ્વરનાં વચનમાં શ્રદ્ધા રાખી તેની આજ્ઞાનું પાલન કરવારૂપ ભાવધર્મથી જ આરાધના થાય છે. તો પણ શાસ્ત્રાઘ્યયનની જેમ જિનભક્તિ માટે અમુક જ અધિકારી છે એમ નથી. રાસાયયણિક ઔષધની જેમ શાસ્ત્રાધ્યયન ન પચે તો અહિત થવાનો સંભવ હોવાથી જેમ વૈધ સ્વયં વિશિષ્ટ રોગીને જ રોગનું નિદાન વગેરે કરીને યોગ્ય લાગે તો જ રાસાયણિક ઔષધ તેની માત્રા (પ્રમાણ) આદિનો ખ્યાલ કરીને જ આપે અને પરેજી વગેરેનો પૂર્ણ પ્રબંધ કરાવે, તેમ ભાવવૈદ્યતુલ્ય ધર્મગુરુ વિશિષ્ટ ગુણવાનને તેની યોગ્યતાના પ્રમાણમાં શાસ્ત્રો ભણાવી શકે અને તેનો દુરુપયોગ ન થાય તેની કાળજી રાખીરખાવી શકે, એ તેમાં આશય છે. કોઈ પણ નિષ્પક્ષ વિચારક આ વ્યવસ્થાને યોગ્ય માનશે. કારણ કે તેમાં લાભને બદલે હાનિ ન થઈ જાય તેવું કાળજીભર્યું હિતચિંતન છે. તેને અનુસરવાથી આજ સુધી જૈનગમ અખંડિત, અબાધિત તથા તેના સ્વરૂપમાં પવિત્ર રહ્યું છે અને જીવોનું કલ્યાણ કરી શક્યું છે. આ કારણે જિનાગમના રક્ષણનો, ઉપદેશનો અને ભણવા-ભમાવવા વગેરેનો વ્યવહાર શ્રમણસંઘને આધીન છે, તે સર્વ રીતે સંઘના હિતાર્થે હોવાથી તેને અબાધિત રાખવામાં જ સર્વનું કલ્યાણ છે. એનો અર્થ એ નથી કે સાધુઓમાં પણ દરેકને ભણવાનો અધિકાર છે અને કોઈ જ ગૃહસ્થને અધિકાર નથી જ. યોગ્ય આત્મા ગૃહસ્થ પણ ગુરુની નિશ્રાએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી શકે છે અને સાધુને પણ તેવી યોગ્યતાના અભાવે શાસ્ત્રો ભણી-ભણાવી શકાતાં નથી. એમ સર્વત્ર જીવોનું હિત થાય એ દૃષ્ટિબિંદુ અચળ છે. જગતમાં પણ કોઈ ક્ષેત્રમાં સર્વને સર્વ અધિકારો મળતા નથી, સર્વ વિષયમાં આવો વિવેક હોય છે. એને માન્ય રાખીને જ તે તે કાર્યો સાધી શકાય છે, તેમ શાસ્ત્રાધ્યયનમાં પણ કોઈને હાનિ ન થાય અને યોગ્ય આત્મા તેના લાભથી વંચિત ન રહે તેવી નિષ્પક્ષ આ એક Page #43 -------------------------------------------------------------------------- ________________ 40 વ્યવસ્થા હોવાથી તે જીવ માત્રને હિતકર છે, ન્યાયરૂપ છે અને સર્વને ઉપાદેય છે. તે પછી સામાચારીના ત્રણ પ્રકારો જણાવીને પ્રથમ ઓઘસામાચારીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં ઓઘનિર્યુક્તિ ગ્રંથોક્ત સાત દ્વારોથી સાધુનાં પ્રાતઃકાળથી માંડીને બીજા દિવસના પ્રાતઃકાળ સુધીનાં કર્તવ્યોનું ક્રમિક વર્ણન છે. પ્રત્યેક કાર્યો નિયત સમયે માંડલીબદ્ધ કેવી રીતે કરવાં ? તેનો આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે ? વગેરે શાસ્ત્રીય દૃષ્ટિથી વિચારવામાં આવ્યું છે. પ્રતિલેખનાદિ દ્રવ્ય ક્રિયાઓથી આત્માને કેવી અસર થાય છે ? સાધનધર્મમાં જ્ઞાનાદિ ગુણોરૂપ નિશ્ચય ધર્મને પ્રગટ કરવાની કેવી શક્તિ છે ? વગેરે સારભૂત ચિંતન કરેલું છે. તે તે ક્રિયાઓને વિધિપૂર્વક કરવાથી થતા લાભો અને તેના અવિધિજન્ય દોષો પણ જણાવ્યા છે. પ્રસંગાનુસાર મૂકેલાં ટીપ્પણો એના મહત્ત્વને સમજાવે છે. સૂર્યોદયથી બે પોરિસિ (પ્રહરો) સુધી શાસ્ત્રાધ્યયન કરવાદ્વારા દિવસના પ્રારંભમાં જ જિનવચનામૃતના પાનપૂર્વક યોગોની શુદ્ધિ કરવાનું વિધાન છે, કે જેના બળે તે પછીનાં પણ દરેક કાર્યોમાં જિનાજ્ઞાનું પ્રાધાન્ય રહે અત્રે કહેલા આ વિધિમાં ઉત્સર્ગઅપવાદનો આધાર લઈને વિવિધ વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે પછી ઘણા પૃષ્ટોમાં આહાર-વસ્ત્ર-પાત્ર અને વસતિની શુદ્ધિ-અશુદ્ધિનો વિસ્તૃત વિચાર કર્યો છે. તેમાં આહારાદિનો આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે ? તે વ્યવહારિક દૃષ્ટિએ સમજી શકાય તેવાં અનેક ટીપ્પણો કરેલાં છે. ‘આહાર તેવો ઓડકાર' એ લોકવાક્યની સત્યતા સિદ્ધ થાય છે. આર્યઆચારોમાં આહાર, પહેરવેશ, પાત્રો કે રહેઠાણ માટે વિવિધ મર્યાદાઓ ઘણા પ્રાચીન કાલથી ચાલી આવે છે અને તેનાં વર્ણનો પણ સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે. તે દરેકનું મહત્ત્વ સમજી શકાય તે રીતે શુભાશુભ આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ (મકાન)નાં લક્ષણો, તેનું પ્રમાણ તથા તેથી થતા ગુણ-દોષનું યુક્તિસંગત વર્ણન કરેલું છે. ભક્ષ્યાભક્ષ્ય આહારથી થતા લોહીની અસર વિચારોમાં કેવી થાય છે ? એ વિચારોથી મન-વચન-કાયાના વ્યાપારોમાં કેવો ભેદ પડે છે ? તે વ્યાપારો શુભાશુભ કર્મોનો બંધ કે નિર્જરા કરવામાં કેવો ભાવ ભજવે છે ? ઇત્યાદિ સમજાવીને યતિધર્મની સિદ્ધિમાં આહારશુદ્ધિનું અતિ મહત્ત્વ છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે. એ સત્ય છે કે વર્તમાનમાં નિર્દોષ આહારની પ્રાપ્તિ દુર્લભ છે, ગ્રંથકારે પણ વર્તમાનમાં ગૃહસ્થને વ્યવહારશુદ્ધિની અને સાધુને આહારશુદ્ધિની દુઃશક્યતા સ્વીકારી છે. તો પણ ગ્રંથોક્ત વિધાનોનો આદર કેળવી શુદ્ધ આહારશુદ્ધિની દુ:શક્યતા સ્વીકારી છે. તો પણ ગ્રંથોક્ત વિધાનોનો આદર કેળવી શુદ્ધ આહારાદિ Page #44 -------------------------------------------------------------------------- ________________ -(41) માટે શક્ય પ્રયત્નો કરનારને વર્તમાનમાં પણ ઘણા લાભો થાય છે. કોઈ કોઈ આત્માઓ એવો અનુભવ કરી પણ રહ્યા છે. જો તે શક્ય જ ન હોત તો જ્ઞાનીઓ તેનું વિધાન કરતે જ નહિ. હા, દુષ્કર છે અને એ કારણે વર્તમાનમાં સંયમને દુરારાધ્ય કહ્યું છે, પણ એનો અર્થ એ નથી કે તે અશક્ય જ છે ! આજે પણ કેટલાય ઉત્તમ જીવો લૌકિક-લોકોત્તર જીવનમાં વ્યવહારશુદ્ધિ માટે પ્રયત્ન કરીને જીવનને ઉર્ધ્વગામી બનાવતા જોઈ શકાય છે. ગુણોના વિકાસનું મૂળ ક્યાં છે ? જીવનમાં ગુણો કેવા ઉપકારી છે ? અને તેના અનાદરથી જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ વધતી જાય છે ? એને વિચારતાં સંયોગવશાત્ ગૃહસ્થ અને સાધુજીવનના વર્તમાનમાં બદલાઈ રહેલા વ્યવહારોથી આત્માને કેટલી હાનિનો સંભવ છે એ સ્પષ્ટ સમજાય છે. એ પરિસ્થિતિમાંથી બચવા માટે શાસ્ત્રીય વિધાનો કેટલાં ઉપયોગી છે તે વિવિધ રીતે સમજાવ્યું છે. જીવનોપયોગી આહારાદિ પદાર્થો, તેને મેળવનાર કે ભોગવનાર, વગેરે દરેંક અંગો કેવાં નિર્મળ જોઈએ ? એ માટે મનવચન-કાયાના વ્યાપારો કેટલા શુદ્ધ જોઈએ? ઈત્યાદિ અનેક બાબતો એટલી સુંદર બતાવી છે કે તેને સમજ્યા પછી “આહારાદિ લેવા છતાં સાધુ ઉપવાસી છે' એ વચનનું સાચું રહસ્ય સમજાય છે. વસ્તુતઃ સાધુજીવનના પ્રત્યેક વ્યવહારો જીવનને ઊર્ધ્વગામી બનાવી શકે છે, કારણ કે તેમાં અહિંસા ઉપરાંત નીતિ, વ્યવહારશુદ્ધિ, ઔચિત્ય, આરોગ્ય, ધર્મવૃદ્ધિ, પરોપકાર, ઇન્દ્રિયોનો વિજય, વિષયોના આકર્ષણનું દમન, સાધુતાનો પ્રભાવ, કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો વિજય, ગુર્નાદિનો વિનય, બાળ-વૃદ્ધ આદિની વૈયાવચ્ચ, ઔદાર્ય અને એ સર્વના યોગે રાગ-દ્વેષાદિના વિજયરૂપ ચારિત્રનો પ્રકર્ષ, વગેરે અનેકાનેક ગુણોની સિદ્ધિઓનું લક્ષ્ય છે. એને અનુસરવાથી જ આત્મવિકાસ સાધી શકાય એ વાતને કોઈપણ સુજ્ઞ સ્વીકારે એવું સુંદર વર્ણન છે. સાધક કર્મબંધથી બચે, કોઈને અપ્રીતિકારક ન થાય, સાધુજીવન પ્રત્યે બીજા આદરવાળા બને અને જીવન ઉત્તરોત્તર સ્વાશ્રયી બને, એવી સુંદર તેમાં યોજના છે. ભોજન પછી પાત્ર ધોવાનો, ચંડિલભૂમિએ જવા-આવવાનો વગેરે વિધિ જણાવ્યો છે. તેમાં પણ એકેન્દ્રિયાદિ કોઈ જીવને પીડા ન થાય, ધર્મની હલકાઈ ન થાય, લોકવિરુદ્ધ ન સેવાય, ઈત્યાદિ અનેક વાતો કહી છે. તે પછી ત્રીજા પ્રહરના પ્રારંભમાં વસ્ત્ર-પાત્રાદિના પ્રતિલેખનનું, તે પછી સ્વાધ્યાય કરવાનું અને સાંજે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. તેમાં પ્રસંગાનુસાર પ્રતિક્રમણનાં સૂત્રો અર્થ સહિત આપ્યાં છે. ટૂંકું છતાં સંકલનાબદ્ધ પૂર્ણ અને Page #45 -------------------------------------------------------------------------- ________________ 42 વિવેચન સહિત આવું અર્થનું વર્ણન અન્ય ગ્રંથોમાં ઓછું જોવા મળે છે. જૈન દર્શનમાં આરાધનાની સાથે વિરાધાનાથી બચવાનું લક્ષ્ય પણ મુખ્ય છે. માટે નાની પણ ભૂલ થતાં તેના પાપને ટાળવા માટે તુરત ‘મિચ્છા મિ દુક્કડં’ દેવાનું અને સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું અવશ્ય વિધાન છે. આરોગ્ય ભલે મોડું થાય, રોગ વધવો જોઈએ નહિ. તે ન્યાયે ‘નાની મોટી કોઈ પણ બાબતમાં ભૂલ થવા દેવી નહિ અને થાય તો તુર્ત શુદ્ધિ કરી લેવી.' એ હેતુથી કરાતા પ્રતિક્રમણનું મહત્વ અન્ય સર્વ અનુષ્ઠાનોથી અધિક છે. એમ કહી શકાય કે શેષ સર્વ અનુષ્ઠાનો પ્રતિક્રમણ માટે છે, પ્રતિક્રમણ વિના તે નિષ્ફળ છે. માટે જ યાવજ્જીવ ઉભયકાળ કરાતા પ્રતિક્રમણને આવશ્યક કહેવાય છે. તે પછી રાત્રિકર્તવ્ય તરીકે સ્વાધ્યાય, શયનનો વિધિ, રાત્રે જાગ્યા પછી બહાર નીકળતાં ચોરાદિનો ઉપદ્રવોથી બચવાના ઉપાયો, કોણે કેટલી નિદ્રા કરવી ? ક્યારે જાગવું ? જાગવાનો વિધિ, જાગતાં તુરત પરમેષ્ઠિ નમસ્કારનું વિધાન, ઉપરાંત કામવાસનાને રોકવા માટેનું ધ્યાન, વિશિષ્ટ મનોરથોથી આત્માને ઉત્સાહિત કેમ કરવો ? વગેરે અનેક બાબતો માતા પુત્રને શીખવાડે તેમ હેતુપૂર્વક ગુણ-દોષના વર્ણન સાથે કહી છે. એ રીતે ઓઘસામાચારીમાં અહોરાત્રનાં સંપૂર્ણ કર્તવ્યોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે પછી દશધા સામાચારીમાં ગુરુથી માંડીને નાનામાં નાના સાધુ સાથે યથોયોગ્ય પૂજ્યભાવ અને વાત્સલ્ય વધે તે રીતે ભોજન, પરસ્પરનાં કાર્યો, ભૂલની શુદ્ધિ, આજ્ઞા, તેનો સ્વીકાર, જવું-આવવું, વગેરે સર્વ વ્યવહારો કરતાં કોઈની ઈચ્છા ઉપર આક્રમણ ન થાય તેવો વિધિ જણાવ્યો છે. એના પાલનથી ઇચ્છાનો રોધ, વિનય, વૈયાવચ્ચ, પરસ્પર પ્રીતિ, પૂજ્યભાવ, કૃતજ્ઞતા, વાત્સલ્ય, વગેરે ગુણો વધતા જાય અને સંયુક્ત ધર્મકુટુંબ તરીકે જાડાએલા દરેક આત્માઓ એ સંસ્કારથી અન્ય જન્મોમાં પણ એક સાથે ઉપજે-જોડાય, ત્યાં પણ નિષ્કામ પ્રીતિ અને ભક્તિથી પરસ્પર આરાધનામાં સહાયક બની અંતે એ જોડાયેલા સંબંધને મોક્ષમાં શાશ્વતો બનાવી શકે એવો સુંદર જીવનવ્યવહાર બતાવ્યો છે. જ્ઞાનાદિ ગુણોની વિશિષ્ટ સાધના માટે પણ અન્ય ગચ્છનો આશ્રય લેવારૂપ ઉપસંપદા, તેના પ્રકારો, વિધિ અને તેમાં વ્યવહારશુદ્ધિ સચવાય તેવું પરસ્પરનું કર્તવ્ય, વગેરે અનેક બાબતો જણાવી છે. તે પછી ઉપસ્થાપના (મહાવ્રતોનું અને તેને પાલન કરવાનું જ્ઞાન વગેરે Page #46 -------------------------------------------------------------------------- ________________ મેળવીને યોગ્ય બનેલા શિષ્યને વડી દીક્ષા) કરવાનો વિધિ જણાવ્યો છે, તેમાં સહદીક્ષિત માતા-પિતાદિ વડીલ વર્ગને અપ્રીતિ ન થાય તે રીતે નાના-મોટા સ્થાપવાની સુંદર વ્યવસ્થા છે. યોગ્યતા વિનાના શિષ્યની ઉપસ્થાપના કરવાથી વિરાધક થવાય છે, યોગ્યની ઉપસ્થાપના કરવામાં વિલંબ ન કરવો જોઈએ, વગેરે બાબતો જણાવી છે. જે મહાવ્રતો ઉચ્ચરાવવાનાં છે, તેનું વર્ણન કરતાં પહેલાં વ્રતમાં પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરોમાં કરેલી જીવત્વની સિદ્ધિ, બીજા વ્રતમાં ભાષાના ૪૨ પ્રકારો ત્રીજા વ્રતમાં ચૌર્યના પ્રકારો, ચોથા વ્રતમાં બ્રહ્મચર્યની સર્વ શ્રેષ્ઠતા અને જીવન વિકાસમાં એની આવશ્યકતા, પાંચમા વ્રતમાં અપરિગ્રહનું મહત્વ, વગેરે સર્વ વાતો યુક્તિપૂર્વક સમજાવી છે. પ્રત્યેકનાં ટીપ્પણો એમાં વિશેષ પ્રકાશ પાડે છે. એમ પાંચ મહાવ્રતોનું આત્મ વિકાસ માટે કેવું મહત્ત્વ છે તે જણાવીને તેના વિશુદ્ધ પાલન માટે ઉપયોગી પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ જણાવી છે અને છેલ્લે છઠ્ઠા વર્તમાં રાત્રિભોજના ત્યાગનું વિધાન કર્યું છે. તે પછી ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન છે, તેમાં ચારિત્રના સાધ્યસાધન ભાવારૂપ દશવિધ શ્રમણધર્મ, સત્તરવિધ સંયમ, વૈયાવચ્ચના પ્રકારો, બ્રહ્મચર્યની નવ વાડો, જ્ઞાનાદિ ગુણોની સાધના, કષાયોનો જય, સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાઓ, ઇન્દ્રિઓનો વિરોધ, ભાવનાઓ, સાધુની બાર પડિમાઓ, વગેરે વિષયો તેના પ્રકારો, સ્વરૂપ અને ગુણ-દોષ સાથે વર્ણવ્યા છે. તે દરેકનો મહાવ્રતાદિના પાલનમાં કેવો સહકાર છે ? પરસ્પરનો સંબંધ કેવો છે ? એકના અભાવે બીજાની નિષ્ફળતા કેવી રીતે થાય છે? વગેરે વિસ્તારથી સમજાવ્યું છે. તેમાં પણ બ્રહ્મચર્યની નવ વાડોનું અને ભાવધર્મની સિદ્ધિ માટે જરૂરી બાર ભાવનાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે પછી મહાવ્રતોમાં અતિચારો લાગવાનાં કારણો અને તેમાંથી બચવાની આવશ્યકતા જણાવી છે. નાનો પણ અતિચાર પરિણામે કેવું અનિષ્ટ સર્જે છે, તેની ભયાનકતા પણ બતાવી છે. તે પછી મહાવ્રતો અને ચરણસિત્તરી, કરણસિત્તરી, આદિના પાલન માટે ગચ્છવાસ, કુસંસર્ગત્યાગ, અર્થપદચિંતન, પ્રામાનુગ્રામ વિહાર અને ગીતાર્થ નિશ્રા, વગેરેની આવશ્યકતા સાથે પ્રત્યેકનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં પ્રસંગાનુસાર પાંચ નિગ્રંથો, દશવિધ પ્રાયશ્ચિત, પરીષહો, ઉપસર્ગો, વગેરે બાબતો તેના સ્વરૂપ સાથે કહી છે અને તેના ઉત્સર્ગ-અપવાદ સાથે ગુણદોષનું પણ વર્ણન કર્યું છે. તેમાં પણ ગચ્છવાસના લાભો અને વિહારનો વિધિ વર્ણવતાં કરેલી સર્વ સાધુઓની વગેરેની ધ પ્રાયશ્ચિત પર ગુણદોષનું પણ SA સર્વ સા Page #47 -------------------------------------------------------------------------- ________________ 44 સંયમરક્ષાની ચિંતા, પાસસ્થાદિ સાથે પણ કારણે કેવી રીતે વ્યવહાર કરવો ? વગેરે વર્ણન ઘણું મનનીય છે. પછી એ રીતે સંયમના નિર્મળ પાલનથી ગીતાર્થ બનેલા સાધુને ગણિપદ, ઉપાધ્યાયપદ, પ્રવર્તકપદ, આદિ પદો આપવાનો વિધિ જણાવ્યો છે. તેમાં પદસ્થ થયા પછી તેઓનું ગચ્છની રક્ષા માટેનું કર્તવ્ય, મૂળ આચાર્યે ગચ્છથી નિવૃત્ત થઈને સવિશેષ આરાધના કરવાનો વિધિ, વગેરે વર્ણવ્યું છે. રાજ્યના અધિકારીઓની જેમ પ્રત્યેક પદસ્થોનાં ભિન્ન ભિન્ન વિવિધ કર્તવ્યો જણાવ્યાં છે. અયોગ્યને પદસ્થ બનાવવાથી ગચ્છને થતી હાનિ, શાસનની અપભ્રાજના, વગેરેનું વર્ણન કર્યું છે. અયોગ્ય પદસ્થ પ્રત્યે સ્થવિરોનું કર્તવ્ય, ગચ્છમાં સ્થવિરોનું પ્રાધાન્ય, પદસ્થને અને સાધુ-સાધ્વીને હિતશિક્ષા, પદસ્થ થવામાં ગીતાર્થપણાનું મહત્ત્વ; આચાર્યના પાંચ અતિશયો, આઠ પ્રકારની ગણિ સંપત્તિ, લક્ષણોપેત પૂર્ણ અવ્યંગ શરીર, આભાવ્ય વ્યવહારની વ્યવસ્થા, વગેરે અનેક આવશ્યક બાબતો વર્ણવી છે. આ બધું વર્ણન જોતાં લૌકિક રાજ્ય શાસન કરતાં પણ શ્રી જિનેશ્વરે સ્થાપેલા ધર્મશાસનની વ્યવસ્થા ઘણી જ શ્રેષ્ઠ છે, એમ કોઈ પણ સુજ્ઞને સ્વીકારવું પડે તેમ છે. એટલું જ નહિ, રાજા વિનાની નિર્નાથ પ્રજાને રાજાની જેટલી આવશ્યક્તા છે તેથી કેઈ ગુણી ગુરુની અને ગુરુકુળવાસની આવશ્યકતા સિદ્ધ થાય છે. સાધ્વીગણના સંયમની રક્ષા અને વૃદ્ધિ માટે પણ મહત્તરાપદ તથા પ્રવર્તિનીપદની વ્યવસ્થા છે, તેઓના સંચાલન નીચે રહીને સાધ્વીવર્ગ સ્વ-પર ઉત્કર્ષ સાધી શકે તેવું શાસનનું બંધારણ જણાવ્યું છે. એ ઉપરાંત યોગ્યતા અને અધિકારને અનુસરતાં પ્રત્યેકનાં વિવિધ કર્તાવ્યોનું ગચ્છમાં પાલન ન થાય તો કેવા ઉપાયો કરવા ? ગુરુ પણ શિષ્યોની સારણા વગેરેમાં પ્રમાદ કરે, અયોગ્યને દીક્ષા આપે કે ઉત્તેજન આપે, તો તેને કેવું પ્રાયશ્ચિત્ત લાગે ? કોઈ ગુરુ શિષ્યને આરાધના માટે સ્વયં સહાય કરે નહિ કે મહત્ત્વ યા મમત્વને કારણે અન્ય ગુરુની નિશ્રામાં જવાની સંમતિ આપે નહિ તો શું કરવું ? કેવા ગુણવાળો સ્વલબ્ધિક (ગુરુઆજ્ઞાથી ભિન્ન વિચારવામાં અધિકારી) ગણાય ? વગેરે અનેક બાબતોનું વર્ણન કર્યું છે. તે પછી છેલ્લી અવસ્થામાં દ્રવ્ય-ભાવ સંલેખના કરવાનો વિધિ, અંતે અનશન કરવાના પ્રકારો, તેનો વિધિ, તથા છેલ્લે મહાપારિષ્ઠાપનિકાનો વિધિ અને તેના ગુણ-દોષ, વગેરે વિસ્તારથી વર્ણવ્યું છે. એમ ગ્રંથનો લગભગ બધો ભાગ સાપેક્ષયતિધર્મના વર્ણનથી પૂર્ણ કર્યો છે. ત્રીજી પવિભાગ સામાચારીની માત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા કરીને તેને સમજવા માટે છેદ ગ્રંથોની ભલામણ કરી છે. તેની પછી છેલ્લે નિરપેક્ષ-યતિધર્મનું વર્ણન, તેના પ્રકારો અને વિધિ વગેરે સંક્ષેપમાં જણાવ્યું છે. એમાં એ પણ હતું સંભવિત છે કે વર્તમાનમાં નિરપેક્ષ યતિધર્મ વિદ્યમાન નથી. એમ અહીં દિશામાત્ર ગ્રંથનો પરિચય આપ્યો છે તેને પૂર્ણતયા જાણવા માટે તો ગ્રંથનું આદરપૂર્વક સાદ્યતં વાચન કરવું તે જ આવશ્યક છે. તે સિવાય તે તે વિષયોનો પૂર્ણ ખ્યાલ આવી શકે તેમ નથી. ટીપ્પણો-ગ્રંથકારની ગ્રંથયોજના એવી વિશિષ્ટ છે કે ગ્રંથના વિષયને વાંચતાં જ તે તે વિષયનો બોધ થઈ શકે છે. તો પણ ગ્રંથનું સમગ્ર વર્ણન ક્રિયાપ્રધાન છે. તે ક્રિયાનો ચારિત્રના પ્રાણભૂત અધ્યવસાયો (ભાવધર્મ સાથે કેવો સંબંધ છે? તે સમજાવવા પ્રસંગને અનુસરતાં લગભગ સવા ત્રણસો જેટલાં ટીપ્પણો યથામતિ લખ્યાં છે. આશા છે કે એથી વાચકગણ અનુષ્ઠાનોનો આત્મધર્મ સાથેનો સંબંધ સમજીને તેના પ્રત્યે સવિશેષ અંદર પ્રગટાવશે. ભાષાંતર કરવામાં ઉદ્દેશ-આ ભાષાંતર કરવામાં તે તે વિષયોમાં મારો બોધ વધે એ ઉદ્દેશ મુખ્ય રહ્યો છે, ઉપરાંત સામાચારી એ શ્રી જિનકથિત “સખ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ છે.' તે માર્ગે ચાલીને સ્વ-સ્વ યોગ્યતા પ્રમાણે જીવો ક્ષમાદિ આત્મધર્મને. સાધી શકે છે, માટે તેને મનસ્વીપણે બગાડી શકાય નહિ. બીજી રીતે સામાચારી એટલે ૨૧ હજાર વર્ષ પર્યત ચાલનારી જૈનશાસનની પેઢી છે, પૂર્વ પુરુષો તરફથી વારસામાં મળેલી તે પેઢીના આચાર્યાદિ સંચાલકો અને સર્વ આરાધકો તેના ગ્રાહકના સ્થાને છે. સ્વ-સ્વશક્તિ અનુસાર તેની રક્ષા-પાલનરૂપ વ્યાપાર કરીને ભવ્ય જીવોએ ક્ષમાદિ ધર્મધન મેળવ્યું છે અને આજે પણ મેળવે, તેમાં બીજો કોઈ ભાગ માગી શકે નહિ. પણ વારસામાં મળેલી પેઢીનું-સામાચારીનું તો રક્ષણ કરીને ભાવિ સંઘને તે સોંપવાની છે. સરકારી ધોરણે પણ વારસાગત ધનમાં સર્વનો હક્ક હોય છે, કોઈ એક જ સ્વેચ્છાએ તેનો વ્યય કરી શકતો નથી. એ ન્યાયે ભવ્ય જીવોએ સામાચારીનું પાલન કરવું જોઈએ. સામાચારીનો પાલક-રક્ષક-પ્રચારક કે પક્ષકાર જ જૈન કહેવાય છે. આ કારણે પૂર્ણ પુરુષોએ તેના પાલન-રક્ષણાદિ માટે ઘણાં કષ્ટો વેઠ્યાં છે, તે તે પ્રસંગે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ આદિને આશ્રીને સર્વ સંમત સુધારા-વધારા કરીને જીર્ણોદ્ધાર પણ કર્યા છે અને પરંપરાએ તેનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. વર્તમાન સંઘનું પણ સામાચારી અંગે એ જ કર્તવ્ય છે. ઈત્યાદિ સામાચારીના વિવિધ મહત્ત્વને સમજીને યોગ્ય જીવો તેના પાલનથી સ્વ-પર આત્મકલ્યાણ સાધે, જૈન શ્રમણ સંસ્કૃતિનો Page #49 -------------------------------------------------------------------------- ________________ વિકાસ થાય અને જગતમાં જૈન શાસનનું સર્વોચ્ચપણું પ્રકાશિત રહે, એ આશય સેવ્યો છે. ધર્મ તો તેના સ્વરૂપે નિર્મળ જ છે, શાસન પણ તેના સ્થાપક શ્રી તીર્થંકર દેવો અને સંચાલકો ત્યાગી-વિરાગી શ્રમણો હોવાથી પવિત્ર છે, દોષિત હતું નહિ, છે નહિ અને થશે નહિ. તો પણ તેના આરાધકોની શુદ્ધ-અશુદ્ધિના કારણે જગત ધર્મને અને શાસનને પણ સદોષ-નિર્દોષ માને છે, તેવો તેવો ઉપચાર કરીને પક્ષપ્રતિપક્ષ કરે છે. એ કારણે સર્વ આત્માર્થી જીવોનું કર્તવ્ય છે કે જે ધર્મને પોતે આરાધે છે, જેનાથી સુખ પ્રાપ્ત કરવાનું છે. આ લોક-પરલોકમાં જે પરમ આધારભૂત અને જગતના જીવ માત્રનું કલ્યાણકારક છે, તે જૈનધર્મ અને શાસન જગતમાં સર્વદા પવિત્ર અને પરમોપકારી તરીકે પ્રસિદ્ધ રહે અને ભવ્ય જીવો તેને આરાધવા માટે ઉઘત બને તે રીતે સામાચારીની નિર્મળ-નિર્દોષ આરાધના કરવી જોઈએ.' ભાષાંતરની ક્લિષ્ટતા-આ ગ્રંથનું શુદ્ધ ભાષાંતર કરવું એ મારા જેવા અલ્પ બોધવાળાને માટે કઠીન ગણાય. અનુભવ વિના ન સમજાય તેવી અનેક બાબતો તેમાં છે. તેને અંગે સંયોગને અનુસાર જેની પાસેથી જેટલું સમજવું શક્ય બન્યું તે સમજવા પ્રયત્ન કર્યો છે, તો પણ અનેક બાબતોનો ઉકેલ મારી બુદ્ધિથી અધુરો જ રહ્યો છે, માત્ર શબ્દાર્થ કરીને જ સંતોષ માનવો પડ્યો છે, શક્યતા પ્રમાણે પૂછવા છતાં કેટલીક બાબતોમાં હદયંગમ સમાધાન મળી શક્યું નથી. સંભવ છે કે કોઈ ક્ષતિઓ પણ રહી ગઈ હોય ! માટે વાચકો તે તે બાબતોને ગીતાર્થોનો આશ્રય લઈને યથાસ્વરૂપ સમજી લેશે, એવી આશા રાખું છું. ભાષાંતરમાં પ્રેરણા-વિ.સં. ૨૦૦૫ માં શરૂ કરેલું આ કાર્ય આજે દશ વર્ષે બન્ને ભાગના પ્રકાશરૂપે પૂર્ણ થાય છે, એનો એક આનંદ અનુભવું છું. તેથીય વિશેષ આનંદ તો પૂ. પરમ ઉપકારી મારા દાદા ગુરુદેવ સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરિશ્વરજીના ઉપકારને યાદ કરીને અનુભવું છું. તેઓશ્રીએ દીક્ષા આપ્યા પછી પ્રથમ સંયોગે જ મને ઓઘ સામાચારીનો ટુંકો પ્રાથમિક બોધ આ ગ્રંથના આધારે જ કરાવ્યો હતો. તે વખતથી જ આ ગ્રંથની મહત્તાનું બીજ તેઓશ્રીએ મારા હૃદયમાં રોપ્યું હતું. દુ:શક્ય છતાં સ્વ. સુશ્રાવક મયાભાઈ સાંકળચંદની આ ગ્રંથનું ભાષાન્તર કરી આપવાની માગણીને સ્વીકારવાની ઈચ્છા પણ એ બીજમાંથી જ ઉદ્દભવી હતી. એ કાર્ય આજે પૂર્ણ થાય છે, ત્યારે જાણે પરોક્ષ રીતે તે પૂ. ગુરુદેવે મને આપેલી ગુપ્ત પ્રેરણાનો જ આ પ્રભાવ હોય એમ લાગે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ -(37) પ્રાંત-મારા પરમ ઉપકારી વયોવૃદ્ધ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની પવિત્ર છાયામાં ભાષાંતર લખવાના કાર્યમાં વિવિધ સહાય કરનાર પૂજ્ય શમમૂર્તિ મારા ગુરુ મહારાજ, વિષમ સ્થળોનાં સમાધાન આપનાર પૂ. આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, ઉબોધન લખી આપનાર પૂ. આચાર્યશ્રી વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ વગેરેએ ઘણો ઉપકાર કર્યો છે. ભાષાંતરના (ટીપ્પણો સિવાયના) સમગ્ર મૂળ લખાણને તે તે ગ્રંથો સાથે મેળવીને શુદ્ધ કરવા માટે પૂર્ણ આદરથી પ્રયત્ન કરનાર પૂ.પં. શ્રી માનવિજયજી ગણી, છપાએલા ફરમાઓને સાવંત વાંચીને શોધી આપનાર પૂ.પ.શ્રી કાંતિવિજયજી ગણી, અને પ્રારંભથી અંત સુધી વારંવાર પ્રેરણા દ્વારા ઉત્સાહ આપનાર તથા પ્રારંભમાં ભૂમિકા લખી આપનાર પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી ગણીનો ઉપકાર પણ કદી ભૂલી શકાય તેમ નથી. તે સિવાય પણ પ્રફો જોવા વગેરેમાં જેણે સહાય કરી છે તે દરેક મહાનુભાવોનો આ પ્રકાશનમાં ફાળો છે જ. ગ્રંથ છપાવવામાં અમદાવાદ સુરદાસ શેઠની પોળના રહીશ શા. શાંતિલાલ ચુનીલાલતી જ્ઞાનભક્તિ, પ્રેસમાલિક પટેલ જીવણલાલ પુરુષોતમદાસે તથા રાજનગર બુકબાઈડીંગ વર્કસના સંચાલક બાઇંડર શ્રી બાબુભાઈએ દાખવેલી નીતિ અને સૌજન્ય નોંધપાત્ર છે. લગભગ એક વર્ષમાં છાપવાનું કાર્ય પૂર્ણ થવામાં તેઓનો ઉત્સાહ અને આદર હેતુભૂત છે. ઉપસંહાર-ભાષાંતર અને ખાસ કરીને ટીપ્પણો લખવામાં મારો અલ્પબોધ, અનુપયોગ, છબસ્થભાવ વગેરેને યોગે જે કોઈ ક્ષતિઓ રહેવા પામી હોય તેનો મિચ્છા મિ દુક્કડ દઈ તેને સુધારી લેવા વિનંતિ કરું છું. ગ્રંથમાં જે કંઈ સુંદર છે તે શ્રી જિનેશ્વરદેવના શાસનને અને ગ્રંથકારના ગીતાર્થપણાને આભારી છે અને જે જે અસુંદર કે ક્ષતિરૂપ જણાય તે મારી ખામીરૂપ છે. પ્રાંતે આ ગ્રંથપ્રકાશનના લાભથી સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! એ ભાવનાપૂર્વક વિરામ કરું છું. વિ. સં. ૨૦૧૪, વીર સં, ૨૦૮૪ દ્વિતીયશ્રાવણ સુદ ૬ બુધવાર પૂ.આચાર્ય મહારાજ શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી શિષ્ય મુ. સાણંદ-જી. અમદાવાદ ભદ્રંકરવિજય. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉબોધન દ્વિતીય વિભાગ વિ. સં. ૧૭૩૧માં મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર વિરચિત શ્રી ધર્મસંગ્રહના પહેલા ભાગનું મૂળ સંસ્કૃતમાંથી દળદાર ગુજરાતી ભાષાંતર મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજીએ ચાર ચાર વર્ષનો અખંડ શ્રમ સેવીને લખ્યું અને તે સદ્ગત શેઠ માયાભાઈ સાંકળચંદના સુપુત્રો શેઠ નરોતમદાસ આદિએ પોતાના ખર્ચે છપાવી વિ.સં. ૨૦૧૦માં પ્રસિદ્ધ કર્યું. બે વર્ષમાં જ તેની દ્વિતીયવૃત્તિ નીકળી તે બતાવી આપે છે કે એ ભાષાંતરે જનતા ઉપર સારો એવો ઉપકાર કર્યો છે અને તેથી તે સરસ રીતે લોકરુચિનો વિષય બન્યું છે. વાંચકોને જાણીને આનંદ થશે કે એ જ ગ્રંથના બીજા ભાગનું આ ભાષાંતર એ જ મુનિશ્રીના અથાગ પરિશ્રમે લખાયેલું છપાઈને બહાર આવી રહ્યું છે. કથિતકથન પ્રથમ ભાગના ઉદ્બોધનમાં અમે મૂળ ગ્રંથકારનો પરિચય, રચનાસમય, ગ્રંથના સંશોધક મહાત્માઓ, વાચકવર ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજાએ ગ્રન્થમાં સ્થળે સ્થળે પૂરેલી ચમકદાર રંગોલી, ગ્રંથનિર્માણ કરવામાં પ્રેરક, ગ્રંથનો પ્રથમાદર્શ લખનારા, ગ્રંથની વસ્તુ, ગ્રંથનું પ્રમાણ, ગ્રંથકારશ્રીનું બહુશ્રુતપણું, ગ્રંથકારની શૈલી, ગ્રંથથી કરાવાતું માર્ગદર્શન, ગ્રંથકારની અત્યકૃતિઓ, ગુર્જરકવિ તરીકેની પણ ગ્રંથકારની નામના, પ્રસ્તુત ગ્રંથનું ભાષાંતર ભાષાંતરકાર મુનિ શ્રી ભદ્રંકર વિજયજી, તેઓને ભાષાંતર કરવામાં પ્રેરક, તેઓએ ભાષાંતરમાં મૂળને સ્પર્શીને કરેલી ઝીણામાં ઝીણી બાબતોની પણ સ્પષ્ટતા અને અન્યથાવાદ ન થઈ જાય તેની રાખેલી પૂરી સાવચેતી, વગેરે હકિકતો ઠીક ઠીક પ્રમાણમાં કહી ગયા છીએ, એટલે આ ઉદ્ધોધનમાં તેનો પુનઃ ઉલ્લેખ નહિ કરીએ. ગ્રંથનો વિષય આ ગ્રંથના પહેલા ભાગમાં ગૃહસ્થના સામાન્યધર્મ અને વિશેષ ધર્મ ઉપર વિસ્તારથી પ્રકાશ પાથરવામાં આવ્યો છે. બાકી રહેલ સાપેક્ષ યતિ-સાધુધર્મ અને નિરપેક્ષ યતિ-સાધુધર્મ ઉપર આ બીજા વિભાગમાં ખૂબ જ ઉડો અભ્યાસ પૂર્ણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અમે પહેલા ભાગના ઉધ્ધોધન (પૃષ્ટ ૧૧)માં જણાવી ગયા છીએ કે Page #52 -------------------------------------------------------------------------- ________________ (49 પ્રાણી માત્રને સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને જન્મમરણાદિક ફળ આપનારા અનાદિકાલીન કર્મરોગનો એવો તો પક્ષાઘાત લાગુ પડેલો છે કે અભૈિલાષા સુખ મેળવવાની હોવા છતાં મેળવે છે દુઃખ જ. બેભાનબીમાર-મદોત્તમત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કર્મરોગથી ઘેરાયેલા સંસારી આત્માઓની હોય છે. આ રોગને મીટાવવાની એકની એક જે રામબાણ દવા છે તેનું નામ ધર્મ છે.” આ ધર્મની ઉચ્ચકક્ષા તે યતિધર્મ છે. યતિધર્મ આ યતિધર્મ સંબંધી અમે પહેલા ભાગના ઉદ્દબોધનમાં લખ્યું છે કે“યતિ બે પ્રકારનો છે. એક સાપેક્ષ એટલે સ્થવિરકલ્પી, જે ગચ્છની મર્યાદામાં વર્તનારો હોય છે, બીજો નિરપેક્ષ એટલે જિનકલ્પી આદિ, જેને ગચ્છ આદિ કશાની અપેક્ષા ન હોવાથી યોગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માર્ગે વર્તનારો હોય છે. એ બન્નેનો ધર્મ એટલે જીવન પર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વગેરેનો ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવ્રતો અંગીકાર કરવાં તેનું નામ યતિ કિંવા સાધુધર્મ છે. જીવન સાધનાનું અહીં પૂર્ણ વિરામ આવે છે. એનું બીજું નામ સંન્યાસયોગ પણ છે. આના જેવું ભૂતોપકારક શાંત, દાંત, અવશ્યગ્રાહ્ય બીજું એક પણ ઉત્તમ જીવન નથી, જેઓ આ જીવન સ્વીકારીને કર્મ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારના જન્મોજન્મના અતિકટુ પરાભવો ભોગવવા પડતા નથી.” આ યતિધર્મનું સાંગોપાંગ સ્વરૂપ જો તમારે જાણવું હોય તો હવે આ ગ્રંથમાં પ્રવેશ કરો ! તક ન ગુમાવો - દેહાધ્યાસમાં પડેલા ઘણા મનુષ્યો આત્મા-પરમાત્મા, આ લોક-પરલોક, પુણ્ય-પાપ સંસાર-મોક્ષ, કશાની ચિંતા નહિ કરતાં કેવળ ખાવું-પીવું-કમાવું અને મોજ-મજા કરવામાં જ મહાલી રહેલા જોવાય છે, એવા પણ કોઈ મનુષ્યોને જ્યારે તેમના ધારેલા પાસા ઉંધા પડે છે, સગાં સ્નેહી વિપરીત બને છે, શરીરમાં અસહ્ય રોગ થાય છે, પ્રિયા કે પુત્રનું અણધાર્યું મોત થાય છે; કિવા પોતાના ઉપર મરણ ત્રાટકી પડે છે, ત્યારે આત્મા વગેરે કંઈક છે એમ લાગે છે, જ્ઞાનીના વચનોની સત્યતા ભાસે છે અને અંતરમાં ધર્મની ભૂખ જાગે છે. પરંતુ અફસોસ ત્યારે કદાચ ઘણું મોડું થયું હોય છે. યોગ્ય સામગ્રીનો વિરહ પણ હોય છે. માટે Page #53 -------------------------------------------------------------------------- ________________ જ મનુષ્ય હાથમાં આવેલી આત્મસિદ્ધિની અણમોલ તક ક્ષણિક-માયાવી ભૌતિક વાસનાઓની પરાધીનતામાં ગુમાવી દેવી જોઈએ નહિ. એ યાદ રાખવું જોઈએ કે ચારિત્ર વિના આત્માની મુક્તિ નથી અને મુક્તિ વિના સાચું સુખ નથી. આદર્શ સંસ્કાર જીવન નિરપેક્ષ યતિધર્મ સાપેક્ષ યતિધર્મની સાધના વિના સિદ્ધ થઈ શકતો નથી, એ સત્યને નજરમાં રાખીને ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથનો ઘણો જ મોટો ભાગ, સાપેક્ષ યતિધર્મનું વર્ણન કરવામાં રોક્યો છે અને તેને પ્રામાણિક અનેક પ્રાચીન શાસ્ત્ર પાઠો આપીને ઘણો જ સદ્ધર બનાવ્યો છે. એને વાંચતાં જ સમજાય છે કે જૈન સાધુધર્મ એટલે તથાવિધ યોગ્યતાને પામેલા આત્માનો કર્મજન્ય જન્મ-મરણાદિ કષ્ટોનો નાશ કરવાનો સફળ પ્રયત્ન. તેમાં ભોગ નથી ત્યાગ છે, રાગ નથી વિરાગ, છે, આરામ નથી આકરાં કષ્ટોનું સમભાવે વેદન છે. ઈત્યાદિ અનેક વિશેષતાઓથી અન્ય ત્યાગી-વૈરાગીની અપેક્ષાએ જૈનશ્રમણોની સાધુતા વિશિષ્ટ ચીજ છે આ ગ્રંથમાં જૈન સાધુ જીવનના સથારીવર્મા સમા ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર આહારવિહાર-સ્વાધ્યાય-સામાચારી-કષાયનિગ્રહ-ઇન્દ્રિયજય-અહિંસાદિ સંયમ વ્યાપારલોકાનુગ્રહ-ગુરુ પરતંત્ર વગેરેનું પાલન કરવાના નિયમોનો તેમ જ તે માટેની જરૂરી માનેલી ગુરુ-શિષ્યની યોગ્યતા વગેરેનો જેમ જેમ અભ્યાસ કરીએ તેમ તેમ સાક્ષાત્ દેખાઈ આવે છે કે જૈનસાધુ જીવન એટલે કેવળ કર્મમુક્તિ કિવા દુ:ખમુક્તિને ખાતર જીવાતું આદર્શ સંસ્કાર જીવન છે, એમાં અદ્ભુત આત્મ સમર્પણ છે, અનોખું આત્મ વિગોપન છે, અલૌકિક પરાક્રમ છે. એમાં પૂર્વ જન્મના સંસ્કારોનું દિવ્ય દર્શન છે અને સર્વ ઉપાધિ રહિત સ્વર્ગીય સુખ છે. . દીક્ષા કોણ લઈ શકે? આ સાધુ જીવન એમને એમ સ્વીકારાતું નથી, એ માટે પ્રથમ સંસાર ત્યાગની દીક્ષા લેવી પડે છે, એ દીક્ષા માટે કોણ યોગ્ય, કોણ અયોગ્ય, કોણ આપી શકે, કોણ ન આપી શકે, કેવી રીતે આપવી, ક્યાં આપવી, ક્યારે આપવી, અજાણ્યાની પરીક્ષા કરવી, વગેરે વિધિ આ ગ્રંથના પ્રારંભથી જ સારી રીતે ચર્ચવામાં આવ્યો છે. દીક્ષા લેનારની સોળ પ્રકારની યોગ્યતા અહીં બતાવવામાં આવી છે, તેમાં પહેલી યોગ્યતા આર્યદેશોત્પક્ષપણાની જણાવીને દીક્ષામાં ઉચ્ચકુળ-જાતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે, આથી કુલ-જાતિનો સંકરભાવ અયોગ્ય છે તે પાઠકોને સ્વયં સમજી શકાય છે. પૃ. ૩ માં પ્રવચનસારોદ્વારનો પાઠ આપીને સાડા પચીસ આર્યદેશો બતાવ્યા છે, તે ઉત્તમ પુરુષોના જન્મની અપેક્ષાએ શાસ્ત્રકારે કહેલા છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સાધુઓના વિહારની અપેક્ષાએ એમાં ક્યારેક પરાવર્તન પણ થાય એમ શ્રી બૃહકલ્પમાં કહેલું છે. (જુઓ બૃહત્કલ્પસૂત્ર, ઉદ્દેશ ૧, સૂત્ર ૫૦, પૃ. ૯૦૫-૭) દીક્ષાની જઘન્ય વય પૃષ્ઠ ૯માં આ ભાગવતી દીક્ષા માટે અયોગ્યના ભેદો જણાવ્યા છે, તેમાં પ્રથમ ભેદ બાળનો છે. જૈન શાસ્ત્રકારોએ તે બાળને દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે કે જે આઠ વર્ષથી ઓછી ઉમ્મરનો હોય, આઠ વર્ષ પૂર્ણ થયાં હોય તે અયોગ્ય નહિ. એ જ સ્થળે શ્રી પંચવસ્તુનું પ્રમાણ આપીને ગ્રંથકારે દીક્ષાની યોગ્ય વયનું ઓછામાં ઓછું પ્રમાણ આઠ વર્ષનું પ્રતિપાદન કર્યું છે. આ આઠ વર્ષ જન્મથી અને ગર્ભથી બે રીતે ગણી શકાય, માટે શ્રી નિશીથચૂણિનો આધાર લઈને “માસમાં વા મ9મસ્ત વિસ્કૃત્તિ ” એ બીજો મત જણાવ્યો છે. આમાં ‘ગર્માષ્ટમ' શબ્દ સંખ્યાપૂરક પ્રત્યયાત છતાં ‘ગર્ભથી આઠમું એટલે આઠમાની શરૂઆત' એવો અર્થ કરવો બરાબર નથી. કારણ કે પ્રકરણાનુસાર શાસ્ત્રની વિવફા “સંપૂર્ણ આઠ' એવો અર્થ લેવાની છે. સર્વત્ર સિદ્ધાંત પણ એ જ છે. શ્રી નિશીથસૂત્રના ૧૧માં ઉદ્દેશાના ભાષ્યની ગાથા રપ૪માં કહેલાં “૩ાર્ટે ત્નિ વરj શબ્દોથી આઠથી જૂન વર્ષવાળાને ચારિત્રનો નિષેધ કર્યો છે અને ભાષ્ય ગા૦ ૨૬૪ની ચૂણિમાં ચૂણિકાર મહારાજાએ લખ્યું છે કે “પઢમા મáવરસોવરિ નવમ સોનું વિવી, માસેળ વ શ્નમસ્તે વિમg-નમૂનો અફવરસે " આ પાઠમાં આઠથી ઉપરની વયવાળાને શાસ્ત્રકારોએ દીક્ષા કહી છે, બીજા મતથી જે ગર્ભાસ્ટમની દીક્ષા લખી તે ગર્ભાષ્ટમનો અર્થ ચૂર્ણિકારે જન્મથી આઠમા વર્ષનો' લખ્યો છે. આ જન્મથી આઠમું એટલે ગર્ભથી આઠ પૂરાં. સૂત્રોમાં કલાગ્રહણની જઘન્ય વયનું પ્રમાણ પણ જન્મ યા ગર્ભથી આઠ વર્ષનું કહેલું છે. ક્ષપકશ્રેણી માંડી સાયિક સમ્યક્તોપાર્જનની વય પણ આઠ ઉપરની કહી છે. દાયકદ્વાર (પૂ ૧૨૩)માં અવ્યક્તના હાથથી આપેલું સાધુને ન ખરે, એમ કહ્યું છે, ત્યાં ‘વ્ય' એટલે આઠ વર્ષ થી ઓછી ઉમ્મરવાળો બાળ કહ્યો છે અને તે દીક્ષા માટે અયોગ્ય છે. તાત્પર્ય કે આ ગ્રંથના મૂલ તથા ભાષાંતરમાં જે ધર્માષ્ટમ'ની વય જણાવી છે, તે ગર્ભથી આઠ વર્ષ પૂરાંની છે. જુઓ શ્રી કલ્પસૂત્ર સુબોધિકા, લેખશાળા અધિકાર પૃ૦ ૮/૨ શ્રી જ્ઞાતાસૂત્ર-મેઘકુમારનો કલાગ્રહણ અધિકાર સૂત્ર ૧૭, પૃ૦ ૩૮/૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ 52 નાની વયમાં પણ દીક્ષા થઈ શકે મનુષ્યો અને રાષ્ટ્રો સૌ પોતપોતાના ક્ષુલ્લક-નશ્વર અધિકારો માટે પણ જીવણ મરણના જંગ ખેલે છે, ત્યારે દેવાધિદેવ પરમાત્માનો જગત ઉપર એ મહાન્ ઉપકાર છે કે તેમણે પોતાના જ્ઞાનથી યોગ્યતા જોઈને મનુષ્યને સંસારના સર્વ સંગનો પરિત્યાગ કરીને આત્માનું શ્રેય: સાધવા માટે ચારિત્ર ગ્રહણ કરવાનો અધિકાર આઠવર્ષથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીનો સમર્પિત કર્યો છે. બાળક આઠ વર્ષનો થતાં જેમ તેનામાં દુનિયાની બીજી અનેક પ્રકારની સમજદારી સ્વીકારાએલી છે, તેમ આધ્યાત્મિક માર્ગે આજીવન પાળવાની દીક્ષા જેવી ગંભીર વસ્તુની સમજદારી પણ તેવા સંસ્કારિત બાળકોમાં વિના મતભેદે સ્વીકારાએલી છે. આઠ વર્ષ પછી કોઈ વિશિષ્ટ બાળક જો કેવળજ્ઞાન પામવાને પણ લાયક બની શકે છે તો પછી દીક્ષા લેવાને લાયક બનવામાં શંકાને સ્થાન રહેતું જ નથી. હા, દુનિયામાં જેમ બધાં બાળકો ચમત્કારિક શક્તિ ધરાવતાં નથી, પણ કોઈક જ ધરાવે છે, એ હકીકત છે, તેમ બધાં બાળકો દીક્ષાના માર્ગે વળતાં નથી, પરંતુ જેમનો આત્મા યોગ્ય હોય તે કતિપય બાળકો જ દીક્ષાના માર્ગે આવવા તત્પર થાય છે. તેમાં રૂકાવટ ઉભી કરવી તે તેઓના પ્રકૃતિદુત્ત અધિકાર ઉપર ત્રાપ મારવા જેવું છે. આ સંબંધમાં મુંબાઈના વડાપ્રધાનના શબ્દો જોવા જેવા છે. “આ (બાલદીક્ષાની પ્રથાનો વિરોધ કરવો તે) કેવળ સામાજિક સુધારાનો પ્રશ્ન છે એમ કહી શકાય તેમ નથી... કોઈપણ વ્યક્તિનું જીવન તેના વર્તમાન જીવન માત્રથી શરૂ થાય છે. એમ નથી, પણ તેની પાછળ અનેક ભવોનાં કર્મોની ભૂમિકા રહેલી છે. વળી બાળપણમાં સંસાર ત્યાગ કરેલાઓમાંથી અનેક મહાપુરુષો પાક્યાનું પણ આપણે જાણીએ છીએ, સંતજ્ઞાનેશ્વર જેવા સમર્થ વિદ્વાનો બાલ્યવયમાં સંસાર ત્યાગી બન્યા હાત ......આ (બાળદીક્ષાનો) આખો પ્રશ્ન ત્યાગની ભાવના સાથે જોડાએલો છે. આ ત્યાગભાવના આપણા ભારતદેશની એક લાંબા કાળથી ચાલી આવતી પરંપરા છે, આ ભારતદેશની સભ્યતા અને X * તે વખતે ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ સંયુક્તપણે મુંબાઈ રાજ્યમાં થતો હતો. તેના તત્કાલીન વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ હતા. એ મુંબાઈની જોડણી હાલ મુંબઈ લખાય છે. * જૈન શ્રમણોમાં તો આર્યવિજ્રસ્વામી, વજ્રસેનસૂરિજી, સોમસુન્દરસૂરિજી શ્રી મુનિસુન્દરસૂરિજી, શ્રી હેચંદ્રસૂરિજી, આદિ અનેક યુગપ્રધાનો અને પ્રભાવક આચાર્યો તથા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી જેવા અનેક વાચકો વગેરે મોટા ભાગે બાલદીક્ષિત જ થયા છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ ત્યાગ ઉપર આધારિત છે, ત્યાગની ભાવના ધર્મ સાથે જોડાએલી છે અને ધર્મ માનવા જીવનનો સાર છે. તો આ પરિસ્થિતિમાં ૨૧ વર્ષની નીચેનો સગીર કે આઠ દશ વર્ષનો ન જ હોવો જોઈએ એવું કશું નથી. ગમે તેટલા વર્ષનો હોઈ શકે, આઠ વર્ષનો કે સોળ-સત્તર વર્ષનો કોઈ પણ હોઈ શકે. જે પૂર્વ જન્મના સંસ્કારને લીધે પૂરી સમજણવાળો હોય અને તે દીક્ષા લેવા માગતો હોય તેને હું કેમ અટકાવી શકું ?” (કલ્યાણ માસિક, વર્ષ ૧૨, અંક ૮, પૃ. ૫૪૬, ઓક્ટોમ્બર ૧૯૫૫). એક બીજી પણ એવી બાબત છે કે જેને મારે સ્પષ્ટ કરવી જોઈએ. સાધુઓ અને સંન્યાસીઓના જે સંપ્રદાયોને મેં જોયા છે તે બધા સંપ્રદાયોમાં મારે જૈનોને ગૌરવ આપતાં કહેવું જોઈએ કે જેનોના સાધુઓએ આજે પણ તપ અને આત્મભોગને જેટલા વિશાળ પ્રમાણમાં જાળવી રાખ્યો છે, એટલો બીજા સંપ્રદાયોએ જાળવ્યો નથી. કેટલાક માનનીય સભ્યોએ બાળલગ્નના કાયદાનો નિર્દેશ કર્યો છે, પરંતુ બાળલગ્નો, એ સંન્યાસ દીક્ષાઓ કરતાં તદ્દન ભિન્ન વસ્તુ છે, મને નથી સમજાતું કે આ બે વસ્તુઓને સરખાવી જ શી રીતે શકાય ? લગ્ન એ સામાન્ય વસ્તુ છે, જ્યારે સંન્યાસ દીક્ષા એ અસાધારણ વસ્તુ છે....હું નથી ધારતો કે શંકરાચાર્ય, હેમચંદ્રસૂરિ, અને જ્ઞાનેશ્વર જેવા આત્માઓના માર્ગમાં અવરોધ કરવાનું આપણે માટે યોગ્ય હોય !... માનવ સ્વભાવમાં એની (ધર્મની) ઝંખના એવી છે કે જેને દબાવી શકાતી નથી અને તેને દબાવવી પણ ન જોઈએ” (દિવ્યદર્શન-વર્ષ ૪, અંક ૧૫, તા. ૨૪-૧૨-૫૫) શિષ્ય નિષ્ફટિકા વળી નાના બાળકોને જો ચોરી-છૂપીથી દીક્ષા અપાય તો તેને સામાજિક અન્યાય માન્યો છે, ચોરી-છૂપીથી દીક્ષા અપાય જ નહિ, આપવી એ અધર્મ છે, શાસ્ત્રમાં પણ તેનો નિષેધ કરેલો છે. દીક્ષાને માટે અયોગ્યના ભેદો પૈકી ૧૮મો ભેદ શિષ્યનિષ્ફટિકાનો કહ્યો છે. (જુઓ ધર્મસંગ્રહ ભાષાંતર પૃ.૧૨). તેનો અર્થ માતા-પિતાની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવી તેને ચોરી અથવા નિષ્ફટિકા કહેવાય છે, એ રીતે દીક્ષા આપવી અકથ્ય છે. આ ચોરી નિશીથાદિ શાસ્ત્રોના ‘દિર વચનથી આઠથી સોળ વર્ષની ઉંમર સુધી ગણાય છે. (જુઓ નિશીથ સૂત્ર ઉદ્દેશો ૧૧, ભાષ્ય ગાથા ૪૪૪ અને તેની ચૂણિ.) સોળ વર્ષથી ઉપરની ઉમ્મરવાળાને માટે નિષ્ફટિકા ગણાતી નથી. શાસ્ત્રકારના મતથી સોળ વર્ષની ઉમ્મર થતાં સગીર મટી જાય છે અને Page #57 -------------------------------------------------------------------------- ________________ અગાઉ રાજકીય કાયદાઓનું સગીર ધોરણ પણ એ જ હતું. હાલની સરકારના કાયદાનું ધોરણ ૧૮ વર્ષનું છે. તે પછી જગતના લૌકિક વ્યવહારોમાં પણ રજામંદીની આવશ્યક્તા મનાતી નથી તો ધાર્મિક વ્યવહારોમાં પણ ન મનાય તે સ્પષ્ટ સમજાય તેવી સાદી વાત છે. સ્ત્રીઓની દિક્ષામાં તો શાસ્ત્રકારે આખી ઉમ્મર રજામંદીની આવશ્યક્તા જણાવેલી છે. રજા-અરજાનો વિવેક દીક્ષા મહામંગળ ચીજ છે, તેને સ્વીકારતાં જો પોતાનાં ઉપકારી માતાપિતાનું જ અમંગળ થાય તો તે ઈષ્ટ નથી. આથી જ પુખ્ત ઉમ્મરના મહાનુભાવોને દીક્ષા આપવામાં યદ્યપિ નિષ્ફટિકા લાગતી નથી, તથાપિ તેવા મુમુક્ષુએ પોતાના માતા-પિતાની અનુમતિ મેળવીને આ મંગળ કાર્ય કરવું, એવી શાસ્ત્રની મર્યાદા છે. તેમાં કદાપિ મોહમૂઢ માતા-પિતાને સમજાવતાં માયા કરવી પડે તો પણ. તે ધર્મલાભ તરીકે ગુણ માટે હોવાથી દોષરૂપ નથી. હા, જો તેઓ કોઈ ઉપાયે અનુમતિ ન જ આપે તો તેમની રજા વિના પણ દીક્ષા લઈ શકાય, પરંતુ તેઓના નિર્વાહ વગેરેનું સાધન પૂર્ણ કરીને દીક્ષા લેવી જોઈએ. એ રીતે વિધિથી કરેલો માતા-પિતાનો ત્યાગ ગ્લાન ઔષધ'ના ન્યાયે અત્યાગ (સેવા) રૂપ છે. ઉલટું માતા-પિતાદિના મોહથી મુંઝાઈને જો મુમુક્ષુ ત્યાગ ન કરે તો તેનો અત્યાગ એ જ ત્યાગરૂપ છે. (જુઓ ધર્મસંગ્રહ ભાષાંતરે પૃ. ૨૫ વગેરે) ઉપરના વિવેચનથી એ સ્પષ્ટ છે કે જેનદીક્ષામાં નથી લોભની દષ્ટિ, કે નથી સ્વાર્થની વૃત્તિ. છે ફક્ત એક આત્માનુગ્રહની નિર્મળ ભાવના. જૈનદીક્ષાનું વૈશિષ્ટય - આ ગ્રંથનું મનન કરતાં ભાગવતી દીક્ષા અને જૈન સાધુજીવન સંબંધી ઘણી વિશેષતાઓ સમજાય છે, તેના કેટલાક નમુના આપણે જોઈએ. (૧) દીક્ષા લેનારો રાજવિરોધિ, કે ચોરી-જારી વગેરે ગુનાહિત કૃત્ય કરનારો હોવો ન જોઈએ. આથી સમજાય છે કે જૈનદીક્ષા રાજ્યાનુકુળ છે. (૨) દીક્ષા લેનારો કોઈના દેવાથી પીડિત કે ખરીદાએલો હોવો ન જોઈએ આથી સમજી શકાય છે કે ભાગવતી દીક્ષા નીતિનું રક્ષણ અને ગુલામી પ્રથાનો વિરોધ કરનારી છે. (૩) દીક્ષા લેનાર જાતિથી અસ્પૃશ્ય-ચંડાળ વગેરે જાતિનો અને કર્મથી કસાઈ વગેરેનો ધંધો કરનારો ન હોવો જોઈએ, તેમ જ શરીરથી પણ લુલો Page #58 -------------------------------------------------------------------------- ________________ 55 લંગડો, કે નાક-કાન-આંખ વિનાનો વ્યઙ્ગ ન હોવો જોઈએ' આ નિયમનથી સનાતન કાળથી જૈનદીક્ષાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહેલું સ્પષ્ટ જોઈ શકાય છે. ‘સમાનતાં’ના કૃત્રિમવાદથી કર્મ સર્જિત ઉચ્ચતા-નીચતા વગેરે ભેદો ભુંસાઈ જતા નથી, એ પણ હકિકત છે. એ તો ત્યારે જ ભૂંસાય કે જ્યારે આત્માને લાગેલાં કર્મોનો સંપૂર્ણ ક્ષય કરાય ! અને તે કરવા માટે જ ચારિત્રધર્મ આરાધવાનું અનંત જ્ઞાનીઓનું એલાન છે. (૪) ‘સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વ્રતોનું પાલન વગેરે કરેલાને દીક્ષા આપી શકાય છે, તેમ એ ગુણોને નહિ સ્પર્શેલા પણ યથાભદ્રિક-સરળ પરિણામી જીવને પણ જો તેનામાં દીક્ષાની યોગ્યતા હોય તો સમ્યક્ત્વનો આરોપ કરીને દીક્ષા આપી શકાય છે. એથી સર્વ આર્યદર્શન સંમત ‘યજ્ઞરેવ વિરનેત્ તદ્દરેવ પ્રવ્રનેત્ ।' અર્થાત્ ‘જે દિવસે તમોને વૈરાગ્ય પ્રગટે તે જ દિવસે તમે સંસારનો ત્યાગ કરી ઘો' એ સૂત્ર અબાધિત રહે છે અને એથી ગૃહસ્થાશ્રમ કરતાં ત્યાગની–દીક્ષાની શ્રેષ્ઠતા દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. (૫) ‘ગુરુએ દીક્ષા લેનારની પરીક્ષા દીક્ષા આપવા પૂર્વે અને પછી વડી દીક્ષા આપતાં પહેલાં પણ કરવી, મુહૂર્તબળ જોવું, શુભ નિમિત્તોનો યોગ મેળવવો' ઇત્યાદિ અહીં કરેલાં વિધાનોથી સ્પષ્ટ છે કે દીક્ષામાં મનસ્વી ઉતાવળને લેશ પણ સ્થાન નથી, શ્રમણસંઘમાં અનિષ્ટ તત્ત્વો પ્રવેશ ન કરી શકે તે માટે આ નિયમન ઘણું મહત્ત્વનું છે. (૬) ‘દીક્ષા લેનારે. ચૈત્યવંદનાદિક વિધિથી દીક્ષા લઈને નિત્ય ગુરુકુળવાસમાં રહેવું, એટલે સ્વચ્છંદ વિહારી ન થવું, પ્રતિક્રમણ-પ્રતિલેખના, પચ્ચક્ખાણ, સૂત્રાર્થ ભણવાં, સ્વાધ્યાય સમિતિ-ગુપ્તિ વગેરે ચારિત્રના મૂળ-ઉત્તર ગુણોમાં સદા તત્ત્પર રહેવું, યોગોદ્વહન કરવું, શુભભાવના-ધ્યાન વગેરેથી આંતર શુદ્ધિ કરવી' ઈત્યાદિ વિધાનોથી ભરતચક્રી કે મરુદેવા માતાના દૃષ્ટાંતનો કે એકાંત નિશ્ચય નયના પરિણામવાદનો આશ્રય લઈને વ્યવહાર ધર્મક્રિયાનું વિલોપન કરવું યોગ્ય નથી. આ ગ્રંથના પૃ. ૩૮માં ‘જિનમત વ્યવહાર-નિશ્ચય ઉભય નયાત્મક છે, તેમાંના વ્યવહાર નયનો ઉચ્છેદ થતાં તીર્થનો જ અવશ્ય ઉચ્છેદ થાય છે' એમ સાફ જણાવ્યું છે. એવી અનેક વિશિષ્ટતાઓ જણાવીને આત્માને સુવિશુદ્ધ સામાચારીના સેવનથી સંયમની પુષ્ટિ કરવાપૂર્વક ભાવચારિત્રના વિકાસક્રમમાં ઉંચે ચડવાનો માર્ગ બતાવનારો આ એક અમૂલ્ય ગ્રંથ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ અને અપવાદ – આ ગ્રંથ મુખ્યત્વે સાધુના આચારોનું પ્રતિપાદન કરે છે. આ આચારો એટલે ‘શુષ્કક્રિયાની જાળ ગૂંથણી' નથી, એની પાછળ સાધુના મૂળ પંચ મહાવ્રતોનાયમોના શુદ્ધ પાલનની ભવ્ય દૃષ્ટિ રહેલી છે. એ યમો નીચે પ્રમાણે છે. (અ) એકેન્દ્રિયાદિ કોઈપણ જીવને મારવો નહિ, મરાવવો નહિ, મારતાને વખાણવો નહિ. (અહિંસા) (બ) હાંસી વગેરેથી પણ જરાય જુઠું બોલવું નહિ, બોલાવવું નહિ, બોલતાને સારું જાણવું નહિ. (સત્ય) (ક) ઘાસના તરણા જેવી ચીજ પણ અદત લેવી નહિ, લેવડાવવી નહિ, લેતાને સારું માનવું નહિ. (અચૌર્ય) (ખ) ચેતન કે જડ પણ સ્ત્રી વગેરે રૂપ સાથે ભોગ કરવો નહિ, કરાવવો નહિ, કરતાને અનુમોદવો નહિ. (બ્રહ્મચર્ય) (ગ) કોડી માત્રનો પણ સંગ-પરિગ્રહ રાખવો નહિ, રખાવવો નહિ, રાખતા 'ટેકો આપવો નહિ. (અપરિગ્રહ) જૈન મુનિ થનારના એ પાંચે મહાવ્રતો છે અને તે મન-વચન-કાયાથી અંગીકાર કરવાનાં હોય છે. એની સાથે છઠું વ્રત રાત્રિભોજન વિરમણ રણ એ જ રીતે રાત્રિભોજન ન કરવું, ન કરાવવું અને ન અમુમોદવાનું છે. અહીં એવો પ્રશ્ન થાય કે જીવનમાં આ રીતે સર્વથી અહિંસાદિક વ્રતોનું પાલન થવું શક્ય નથી' પણ આવો પ્રશ્ન એ ટુંકી દષ્ટિનો ખ્યાલ છે. શાસ્ત્રમાં એટલા જ માટે અનેક પ્રકારના ઉત્સર્ગો અને કારણિક અપવાદો દેખાડેલા છે. તથા તે આચરવાની યતનાઓ પણ બતાવી છે. જેથી સંયમ વિરાધના અને આત્મવિરાધના વગેરે થાય નહિ. (જુઓ પૃ. ૮૮ વગેરે) મહાવ્રતો બરાબર પાળી શકે તે માટે સાધુને નિર્દોષ ભિક્ષા, સ્પંડિલ, વસ્ત્ર-પાત્ર, તેની પરીક્ષા કરવી, વસતિ, કાજા*વગેરનો વિધિ, પાદવિહાર, ચિકિત્સા, ભૂમિશયન, કેશાંચન, બ્રહ્મચર્યની વાડો, ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ, *રજોહરણ-મુહપત્તિ, તે કાજો ઉદ્ધરવામાં કોઈ કાજો એકઠો કરવાની પણ એક વધારે ઈરિયાવહિં કરે છે, તે વાસ્તવિક જણાતી નથી. (જુઓ. ધર્મ, ભાષા, પૃ. ૬૮).. * પ્રમાણથી વધારે લાંબા ઓધા અને પ્રમાણ વિનાની બાંધી રાખેલી-મુહપત્તિ, વગેરે શાસ્ત્રાધારથી રહિત છે (જુઓ ઘર્મ, ભાષા, પૃ. ૧૮૨-૮૩-૮૪). Page #60 -------------------------------------------------------------------------- ________________ વગેરેનું પ્રમાણ, ઉપયોગ, હેતુ, મુહપત્તિ વગેરેનું પ્રતિલેખન અને તેમાં વૈજ્ઞાનિકપણું (જુઓ ધર્મભાષાં. પૃ. ૬પ-ટિવ ૬૫). નાના મોટાનો વિનય, શ્રાધ્યયન, આંભાવ્યતા વિવેક, પરીષહ સહન, ધ્યાન, પ્રાયશ્ચિત શોધન, સદ્ભાવના, વગેરે પાયાથી શિખર સુધીની દરેક બાબતોનો ઉકેલ કરતી વ્યવસ્થા આ ગ્રંથમાં જેમ જેમ જોઈએ છીએ તેમ તેમ એના મૂળમાં રહેલી સર્વજ્ઞદષ્ટિનો સાક્ષાત્કાર થાય છે. “એક છાંટો નીચે પડતાં સાધુએ ભિક્ષા વહોરવી નહિ, તેથી ષકાય જીવોની વિરાધના થાય' ઈત્યાદિ અનેક અપાયોથી બચાવી લેનારા ધર્મના દીર્ધદષ્ટિયુક્ત નક્કર આવા વિધિ-નિષેધો સર્વજ્ઞ વિના બીજો કરી પણ કોણ શકે ? કોઈ જ નહિ. એક નાનામાં નાના જીવ જંતુની હિંસા ન થઈ જાય એ માટે સાધુને ગોચરીનો પણ ત્યાગ કરી દેવાની આજ્ઞા ફરમાવનારાં જૈનશાસ્ત્રોમાં પંચેન્દ્રિય જીવની હિંસાથી યુક્ય એવા માંસાહાર'ની વાત કદી પણ સુસંગત થઈ શકે તેમ નથી. જૈનદર્શનમાં જ્યારે માંસ-મંદિરા વગેરે મહાવિગઈઓ ગૃહસ્થોને પણ કેવળ અભક્ષ્ય જ ફરમાવેલી છે, ત્યારે યતિ જીવનમાં તો માંસાહારને સ્થાન હોઈ શકે જ નહિ, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. સાધુજીવનની પ્રતિષ્ઠા- . આ ગ્રંથમાં વસતિ દ્વાર જોતાં પૂર્વે સાધુઓ જંગલમાં રહેતા અને હવે વસતિમાં રહે છે, તે શિથીલાચાર છે' એમ માનવું ખોટું ઠરે છે, સ્થવિરકલ્પીઓનો પૂર્વકાળથી વસતિવાસ છે, ઉપધિદ્વાર જોતાં ‘પૂર્વે સાધુઓ નગ્ન રહેતા અને હવે શિથીલ થવાથી વસ્ત્રો વાપરે છે એમ માનવું તે પણ ખોટું ઠરે છે. પહેલેથી જ સાધુઓનું વસ્ત્ર-પાત્રધારીપણું છે અને તે કલ્પસૂત્રના આચેલક્યાદિ કલ્પોથી પણ નિર્વિવાદ સિદ્ધ છે. નગ્નપણામાં મુક્તિ માનનારા દિગંબરોનો મત તો પાછળથી એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૦૯મા વર્ષે કેવળ શિવભૂતિજીથી શરૂ થયો છે. છતાં તે દિગંબરોના પણ કેટલાક ગ્રંથોમાં સાધુને તથા સાધ્વીને પણ વસ્ત્રપાત્રાદિ ઉપધિનું ગ્રહણ સ્વીકારાએલું છે, એ ભૂલવું જોઈએ નહિ. (જુઓ મૂલાચાર, પૃ. ૧૯ તથા પૃ. ૧૬૩.) વિહારદ્વાર વગેરે જોતાં “સાધુ, વધારે લોકોપકાર થતો હોય તો રેલવિહાર વગેરે પણ કરી શકે' ઈત્યાદિ માનવું એ પણ બરખીલાફ છે. સાધુ, જીવનભરના સામાયિકવાળો છે, સાવદ્ય માત્રનો ત્યાગી છે, બે ઘડીના સામાયિકવાળો શ્રાવક પણ આવાં (સાવવ) કાર્યો ન કરી શકે તો સાધુ કેમ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, એ સુતરાં સિદ્ધ છે. સાધુએ સાધુ Page #61 -------------------------------------------------------------------------- ________________ જ રહેવું જોઈએ, સાધુ જીવનમાં રહીને લોકની કે રાષ્ટ્રની સેવાનો સ્વાંગ ધરવો કે લોક અથવા રાષ્ટ્રસેવક તરીકે જીવીને ધર્મગુરુપણાનો સ્વાંગ ધરવો, તે બન્ને વસ્તુતઃ દેશની, રાષ્ટ્રની કે ધર્મની ઉન્નતિ માટે ખતરનાક છે. પોતપોતાના ક્ષેત્રમાં મર્યાદામાં રહીને સાચી સેવા કરવાથી જ ખરી ઉન્નતિ થાય છે. માન-પાન, કે સુખ-સગવડની ખાતર પ્રમાદનો અતિરેક કરનારા સાધુઓને આ ગ્રંથ ચીમકી આપે છે, કે જે સાધુજીવનની પ્રતિષ્ઠા માટે આવકાર પાત્ર છે. (જુઓ પૃ. ૪૦૧ વગેરે) સાધુએ પાસત્કાદિકનો સંસર્ગ ન કરવો અને કરવો પડે તો પોતાના સંયમગુણોની શુદ્ધિ વગેરે સાચવીને કરવો (જુઓ પૃ. ૪૦૫ વગેરે). શાસ્ત્રની આ વિધિ જોતાં દેશ-કાળ-જમાનાના બહાને શાસ્ત્રોની અવગણના કરીને ગમે તેની સાથે સંસર્ગ કરવાની વાતો કરવી અઘટિત છે. સાધુએ સમતા કેળવીને પોતાને ક્યાંય દ્વેષ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. (જુઓ ધર્મ ભાષા, પૃ. ૩૫૩.) પદવિધાન વગેરે વિધિથી દીક્ષિત થએલો સાધુ આવા વિશુદ્ધ આચારપાલનથી જેમ જેમ સુયોગ્ય બને તેમ તેમ તેને ગુરુએ ગણિ-વાચક-કે સૂરિપદે પ્રતિષ્ઠિત કરવાનું વિધાન પણ આ ગ્રંથની ગા. ૧૩૨માં કરેલું છે. એથી એ સમજી શકાય છે કે યોગ્યને યોગ્ય પદ પ્રદાન કરવું એ શાસ્ત્ર વિહિત વસ્તુ છે. સંસારમાં પણ આવો વ્યવહાર આપણે જોઈ શકીએ છીએ. ગા. ૧૩૮માં “અયોગ્યને યા તદ્ધા પદવી આપનાર મહા પાપકારી છે' એમ બતાવવાનું પણ ગ્રંથકાર ચૂક્યા નથી. જૈન સાધુઓમાં ગુરુપદે રહેલાઓની પણ અસાધારણ જવાબદારી છે. એ જ ગાથાની ટીકામાં આગળ ચાલીને જિનાજ્ઞા વિરૂદ્ધ ચાલતા કુગુરુ અને કુશિષ્યોને શ્રમણ સંઘ બહાર કરવાની પણ આજ્ઞા છે, વર્તમાનમાં એવા ઉત્તમ ગુરુઓ નથી' એમ કહેનારને પુષ્કરિણી વાવડીઓ અને આજની વાવડીઓ, વગેરે અનેક વસ્તુઓનાં દષ્ટાંતો આપીને વર્તમાનમાં પણ ભવભીરુ અને આગમતત્પર ગીતાર્થ ગુરુઓની ગૌતમાદિ ગુરુઓ જેવી કાર્યસાધકતા સુંદર રીતે સમજાવી છે. આ કારણે જ કલ્પાકલ્પમાં પરિતિષ્ઠિત એવા શાસ્ત્રાનુસારી ગુરુઓનું જ વચન માન્ય કરવા યોગ્ય ઠરાવ્યું છે. (જુઓ ધર્મ, ભાષા, પૃ. ૩૦૪, વગેરે.) પરમાત્મપદની ચાવી ગ્રંથકાર મહર્ષિએ ઔધિકાદિ સામાચારીના વિશેષોથી શ્રમણધર્મનો સાધનાક્રમ વિસ્તારથી વર્ણવીને અંતે ગુર્નાદિ ગચ્છ પ્રત્યેની પોતાની ફરજ બજાવી ચૂકેલા Page #62 -------------------------------------------------------------------------- ________________ (59) સાધકને અનશન સાધવાનો તથા કાંદિપિંકી આદિ અનિષ્ટ ભાવનાઓ નહિ સેવવાનો વિધિ બતાવ્યો છે. આ પ્રમાણે સાપેક્ષ-સ્થવિરકલ્પી શ્રમણ સાધકનો ધર્મ સાવંત બતાવીને ચોથા વિભાગમાં ચાર ગાથાઓ વડે જિનક્લપી આદિ શ્રમણોનો નિરપેક્ષ યતિધર્મ વર્ણવ્યો છે. તેમાં જિનકલ્પી પણ એકાંત નગ્ન જ નથી હોતા અને રજોહરણાદિ તો તેઓને પણ રાખવાનું વિધાન છે જ. સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરતો સાધક ભવસ્થિતિ પરિપાક થતાં ભાવચારિત્રને સ્પર્શી અપ્રમત્ત ભાવને પામે છે, પછી અપૂર્વકરણ વગેરે કરીને અનાદિ મોહની ઉપશમના વા ક્ષપણા કરે છે. ક્ષપણા કરનારો મહાત્મા શેષ પણ ઘાતકર્મો વગેરેનો ક્ષય કરીને અનંતકેવળજ્ઞાન-દર્શનને પામે છે, તે પામીને પછી મોક્ષમાં જાય છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ રહે છે. આ છે આત્માને પરમાત્મા બનાવવાની વિકાસ શ્રેણી. તેની સિદ્ધિ ચારિત્ર વિના કોઈને કદાપિ શક્ય જ નથી. માટે જ દીક્ષા એ વિશ્વોદ્ધારનો મહામૂલો મંત્ર છે, આર્ય સંસ્કૃતિનો પ્રાણ છે, જૈનશાસનનો મૂલાધાર છે. તુલનાત્મક દષ્ટિપાત ભારતમાં દાર્શનિક પંડિતોએ બે વિચારધારાઓ પ્રમાણિત કરી છે. એક શ્રમણ સંસ્કૃતિ અને બીજી વૈદિક સંસ્કૃતિ. શ્રમણ સંસ્કૃતિના બે ભેદો પડે છે, એક જૈન અને બીજો બુદ્ધ. મારી શ્રદ્ધા છે કે આમાં જૈન સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે. તેનું મૂળ યુગના આદિકાળથી, અર્થાત્ ભગવાન શ્રી ઋષભદેવસ્વામિથી છે. પછી તેમાંથી વૈદિક અને બૌદ્ધાદિક વિચાર ધારાઓ ક્રમે નીકળી છે. (જુઓ કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિકૃત ત્રિષષ્ટિ શ૦ ૫૦ ૫૦ પર્વ ૧ લું.) વગેરે કોઈ પણ દર્શન – પંથ કે મત પોતાની આગવી ગુરુ સંસ્થા ધરાવ્યા વિના રહી શકતો નથી ઉદાહરણ તરીકે મુસલમાનોને ફકીર, ખ્રીસ્તીઓને પાદરી, પારસીઓને દસ્તુર, બૌદ્ધોને ભિક્ષુ વૈદિક હિંદુઓને ચરક-પરિવ્રાજક-સંન્યાસી-ગોસાઈ વગેરે. આ સૌના આચાર વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથો પણ પ્રત્યેક મતમાં મોજુદ છે. અહિંસાદિ યમ-નિયમો ઉપર ઓછા વધતા અંશે ભાર મૂકાએલો તેમાં પણ જોવાય છે. છતાં પ્રમાણિકપણે જોઈએ તો આરંભ પરિગ્રહના ત્યાગપૂર્વક સર્વાગીણ અહિંસા આદિ યમ નિયમોનું વિધાન જૈનશ્રમણ નિગ્રંથોનું શ્રેષ્ઠ છે. તેનું કારણ સૂક્ષ્મદ્રષ્ટિથી નિરૂપિત તેમના શાસ્ત્રગ્રંથો છે. વધારે શું ? ચરક-પરિવ્રાજક વગેરે કોઈપણ ભિક્ષાચરકને ભિક્ષાદિનો અંતરાય પડે તે રીતે જેનશ્રમણોને ભિક્ષા લેવાનો પણ નિષેધ છે (જુઓ. ૫૦ ૧૦૭ વગેરે). એમ જૈનશાસ્ત્રોમાં અહિંસાની ઘણી જ સૂક્ષ્મદષ્ટિ ચિંતવી છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ 60 શ્રમણોનો ઉપકાર - આ વિશ્વવંદ્ય શ્રમણ-શ્રમણી વર્ગ સર્વ કોઈને ઘણો ઉપયોગી છે. મનુષ્યમાં માનવતા નીતિ, વ્યવહાશુદ્ધિ, સદ્નાન, દયા, દાન, સદાચાર, સેવા, વગેરે ઉચ્ચ સંસ્કારોને ઉત્પન્ન કરનાર-સિંચન કરનાર-પોષણ કરનાર-વૃદ્ધિ કરનાર આ જ વર્ગ છે. સાધુપુરુષના એક વચન માત્રથી અનેક ભવ્ય મનુષ્યોનાં જીવન ધોરણો સુધરી જઈને જે હૃદય પરિવર્તન થાય છે. રાજકીય હજારો કાયદાઓથી સેંકડો વર્ષે પણ શક્ય નથી. જનતા ઉપર શ્રમણોનો` શું આ જેવો તેવો ઉપકાર છે ? આના જેવું કારગત ઉત્પાદન જગતમાં બીજુ કયું છે ? અને એનું માર્ગદર્શન કરાવનારા જુગ જુગના દીવા જેવા ગંભીર શાસ્ત્રસાહિત્યગ્રંથોનું સર્જન તેનો અમર વારસો આપનાર વર્ગ પણ કયો છે ? કહેવું જ પડશે કે તે જૈનશ્રમણ વર્ગ છે. સ્વ સાક્ષર મોહનલાલ દલીચંદ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં પોતાનું નિવેદન કરતા પૃ૦ ૩૨માં સાચુ જ લેખે છે કે “સાહિત્ય સર્જકો પ્રધાનપણે શ્વેતાંબર સાધુઓ-આચાર્યો-મુનિઓ છે. શ્રીમહાવીર પ્રવચન-આગમ સાહિત્યની ‘પંચાંગી’ છે, તેમાં મૂલ. આગમ પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ ટીકા, વૃત્તિ, વગેરે ઉત્પન્ન કરવા ઉપરાંત તે આગમને અનુલક્ષીને ધાર્મિક ગ્રંથ તથા સાહિત્ય પ્રદેશોમાં વિહરી તે તે વિષયની કાવ્ય, મહાકાવ્ય, નાટક, કથા કાદંબરી વ્યાકરણ, છંદ, કોષ જ્યોતિષ, ન્યાય, તર્ક, આદિ વિવિધ વિષયોની કૃતિઓ રચનાર તરીકે સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યોનો અને તેની શિષ્યપરંપરાનો ઉપકાર મુખ્યપણે છે, કે જે કદી ભૂલી શકાય તેવો નથી.” આવી મહાઉપકારી અને સમાજના ઉત્થાન-ઉત્કર્ષ તથા અભ્યુદય તેમજ નિ:શ્રેયસ માટે અત્યંત જરૂરી જૈનશ્રમણ સંસ્થાને આપણે જેટલી અભિવંદના સાથે અંજલી આપીએ તેટલી ઓછી છે. એ નિરાબાધ રીતે ચિરંજીવ રહે તે માટે આ ગ્રંથનું વિધાન અતિ ઉપકાર છે આ ઉત્તમ શ્રમણ સંસ્થાને એ દૃષ્ટિએ જ નિહાળવાનો સરકારનો પણ ધર્મ છે, એમ કહીએ તો તે ખોટું નથી જ. ભાષાંતરકાર હવે આપણે આ ઉદ્બોધન પૂરૂં કરવા પૂર્વે આ ગ્રંથના ભાષાંતરકાર મુનિશ્રીને યાદ કરી લઈએ. પ્રથમ ભાગના ઉદ્બોધન પૃ૦ ૧૫માં આ ભાષાંતરકારનો પરિચય Page #64 -------------------------------------------------------------------------- ________________ (61 આપીને અમે લખ્યું છે કે- આવો પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના ભાષાંતર માટે પણ કરે એવું જરૂર ઈચ્છીએ.” કહેવાની જરૂર નથી કે પ્રથમ ભાગનું ભાષાંતર બહાર પડી ગયા પછી તુરત જ તેમણે બીજા ભાગનું ભાષાંતર લખવાનું કામ હાથમાં લીધું અને આજે તો આખો ગ્રંથ પ્રગટ થવાની તૈયારીમાં છે. આ રીતે પ્રગટ કરેલી ઈચ્છાને સફળ થતી જોઈને મને સૌથી અધિક આનંદ થાય તે સ્વાભાવિક છે. આ ભાષાંતરના રોયલ આઠ પેજી ૫૬ ફર્મા તો આજ પૂર્વે છપાઈ ગયા છે અને એટલા ભાષાંતરમાં કરેલાં ભિન્ન ભિન્ન ટિપ્પણોનો આંક ર૯૦નો આવ્યો છે. હજુ મૂલ ગ્રંથનાં મુદ્રિત ૩૩ પાનાનું ભાષાંતર છપાવવાનું પ્રેસમાં ચાલુ છે. આ ઉપરથી આ ભાગનું ભાષાંતર પણ કેટલું દળદાર-વિશાલકાય થયું છે, તથા તેની પાછળ ભાષાંતરકાર મુનિશ્રી ભદ્રંકરવિજયજીનો કેટલો અભ્યાસ પૂર્ણ પરિશ્રમ થયો છે, તેનો વાંચકો પોતે જ ખ્યાલ કરી લેશે. મુનિશ્રીના આ શુભ પરિશ્રમને આપણે ધન્યવાન આપીએ અને ઈચ્છીએ કે પાછકો આમાં કોઈ છબસ્થસુલભ ભુલ દેખાય તો તે સુધારીને સારતત્વ ગ્રહણ કરશે. ઉપરના અલ્પ વિવેચનથી આ ભાષાંતરગ્રંથની ઉપકારશીલતા માટે હવે અમે કંઈ વધારે કહીએ તેના કરતાં ગ્રંથ પોતે જ તે સારી રીતે કહેશે. મુનિશ્રીની વિનંતિથી મને આ ભાગનું પણ ઉદ્ધોધન લખવાનો લાભ મળ્યો તે માટે ખુશી અનુભવું છું. પ્રાંતે પ્રથમ વિભાગના ઉધ્ધોધનમાં પ્રગટ કરેલી અમારી શુભેચ્છાનું અહીં અમે આ વિષયને લાયક પુનરુચ્ચારણ કરીએ છીએ અને જિનવચનનથી અન્યથા અમારાથી કંઈ લખાયું હોય તેનું મિથ્યા-દુષ્કત આપતા વિરમીએ છીએ. “ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્યો જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિમાં દોષો સેવતા માલુમ પડે છે, તે નિઃકેવળ તેઓની અજ્ઞાનતાને આભારી છે. તે સૌ સમ્યગુજ્ઞાન પામે એ માટે જ મહાપુરુષો ઉત્તમ પ્રકારના સાહિત્યનું સર્જન કરે છે. તે પ્રતિના આ એક ગ્રંથ રત્નનો વાચકો આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા પ્રગટાવે, તેના પ્રકાશમાં પોતાના જીવનને આદર્શ શ્રમણપણાના રંગથી રંગે, રંગીને સ્વ-પરની અભ્યદય તેમજ નિઃશ્રેયસની સાધનામાં કદમ કદમ આગળ વધે અને આગળ વધીને વિશ્વતારક શ્રમણસંસ્કૃતિનો વિશ્વમાં જય જયકાર બોલાવે, એ જ શુભેચ્છા. વીર સં. ૨૪૮૪, વિ.સં. ૨૦૧૪. પૂજ્યપાદ પરમગુરુ આચાર્ય ભગવંત સિન્ટ જેઠ સુદ-૧ સોમવાર, મ૦ ૧૦૦૮ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી આ૦ વિજયદાનસૂરિજ્ઞાનમંદિર-પૌષધશાળા, ચરણચંચરીક વિજયજમ્બુસૂરિ. કાલુપુર રોડ-અમદાવાદ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રમણધર્મ ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-રજો પ્રકાશનના પ્રસંગે કદારોની વાત વિક્રમના અઢારમા સૈકાના પ્રારંભે તપાગચ્છના વાચકવર્યશ્રી માનવિજયજી મહારાજે ધર્મસંગ્રહ નામનો યથાર્થનામાં ગ્રંથ રચ્યો. આગમપંચાંગી, યોગ, અધ્યાત્મ, આચાર-ક્રિયા, વિધિવિધાન અને સામાચારી ગ્રંથોનું ગહન-દોહન કરી એઓશ્રીએ શ્રાવક ધર્મ અને સાધુધર્મ એમ બંને પ્રકારના ધર્મ સંબંધી ઉપયોગી તમામ બાબતોનો સંગ્રહ કર્યો, તેનું જ નામ છે ધર્મસંગ્રહ. . . ગ્રંથ મોટો છે, પરંતુ જૈન ધર્મના લોકોત્તર આચારમાર્ગને સમજાવવા માટે એનો કોઈ જોટો નથી. વર્તમાન તપાગચ્છીય સિદ્ધાંતો અને સામાચારીની વિશુદ્ધતા માટે પ્રામાણિક આધાર બને એવો આ ગ્રંથ છે. એકની એક વાત રજૂ કરવી હોય તો પણ તે માટે અલગ અલગ ગ્રંથોની ઢગલાબંધ ઉક્તિઓ અને 'બુદ્ધિગમ્ય યુક્તિઓ રજૂ કરવામાં આવી છે. વિદ્વાનોને એમાં કદાચ પુનરુક્તિ લાગે પણ જનસમાજની પ્રમાદાભિમુખતા જોતાં આ પદ્ધતિ સુયોગ્ય છે, એમ જણાયા વિના નહિ રહે. એક જ વાત અલગ અલગ ગ્રંથકારોના શબ્દો-શૈલીમાં એકત્ર વર્ણવાય ત્યારે અલ્પબોધવાળા જીવોને વધારે વિશ્વાસપાત્ર બને અને ફરી ફરી એક જ વાત કહેવાઈ હોવાથી સહજ સમજાઈ જાય. આ ગ્રંથની પ્રસ્તુત શૈલી જોતાં ગ્રંથકારશ્રીજીની મનોવિજ્ઞાન ક્ષમતાને અભિનંદવાનું મન થઈ જાય. આ ગ્રંથનું સંશોધન દ્રવ્યસપ્તતિકા' ગ્રંથના સર્જક મહોપાધ્યાયશ્રી લાવણ્યવિજયજી મહારાજે કરેલ છે. તેઓ તત્સમયના સમર્થ વિદ્વાન, આગમજ્ઞ, સાહિત્યનિષ્ણાત મહાત્મા હતા. ખુદ આચાર્યશ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજે તેમને વાચકપદ આપેલ. તદુપરાંત સર્વકાલીન વિદ્વપ્રવર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ આ ગ્રંથ જોઈ આપવા મહતી કૃપા કરી છે. તેઓશ્રીની ગીતાર્થ દૃષ્ટિથી પવિત્ર બનેલા આ ગ્રંથની અધિકૃતતા તેઓશ્રીએ કરેલા ટિપ્પણો દ્વારા પ્રમાણિત થાય છે. પ્રસ્તુત ગ્રંથના પૂર્વાદ્ધમાં શ્રાવક ધર્મની અને ઉત્તરાર્ધમાં સાધુધર્મની વાત કરાયેલ છે. એ બંને ભાગોનું ગુજરાતી ભાષાંતર વર્ષો પૂર્વે પૂ. બાપજી મહારાજાના સમુદાયના વિદ્વાન પૂ. આ. શ્રી વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે કરેલ. ત્યારબાદ સંક્ષેપરુચિ જીવોને પણ બોધ થાય એ માટે તેઓએ જ એ ગ્રંથનો સારોદ્ધાર તૈયાર કરેલ. શ્રાવક ધર્મને લગતો સારોદ્ધાર તૈયાર થઈ છપાઈ ગયેલ. Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધુધર્મને લગતો સારોદ્ધાર તૈયાર થઈ શક્યો કે નહિ તે જાણવા મળ્યું નથી. શ્રાવક ધર્મને લગતો સારોદ્ધાર શ્રાવક વર્ગ માટે ઉપયોગી જાણી આ પૂર્વે દ્વિતીયાવૃત્તિ રૂપે અમોએ પ્રકાશિત કર્યો હતો. તે સમયે શ્રમણધર્મને લગતો સારોદ્ધાર પણ એ જ રીતે તૈયાર કરવાની ભાવના સેવેલી. તેના જ પરિપાક રૂપે જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વીશસ્થાનક-વર્ધમાનાદિ તપ:પ્રભાવક પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મ વિદ્યાવિશારદ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીતિયશસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ રહી વિદ્વાન પૂ. મુનિરાજશ્રી સંયમકીર્તિવિજયજી મહારાજે ખૂબ જ ટુંક સમયમાં આ સારોદ્ધાર તૈયાર કરી આપ્યો છે. વિદ્વાન પૂ. મુનિરાજશ્રી તપાગચ્છાધિરાજશ્રીજીના પ્રપ્રશિષ્યરત્ન વિદ્વદ્વર્ય પૂ. મુનિરાજશ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજના શિષ્યરત્ન છે. આ સારોદ્ધારના લખાણને પ્રવચનપ્રભાવકશ્રીજીની આજ્ઞાથી તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી વિજયયશવિજયજી મહારાજ તથા તેમના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી વિવેકયશવિજયજી મહારાજે તેમજ ગચ્છાધિપતિશ્રીજીના સામ્રાજ્યવર્તી પ્રવર્તિની પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ. નાં પરિવારના પૂ. આ. શ્રી જયમાલાશ્રીજી મ. નાં પરિવારના વિદુષી પૂ. સા. શ્રી જ્ઞાનરત્નાશ્રીજી મ. તથા તેમનાં શિષ્યરત્ના વિદુષી પૂ. સા. શ્રી જ્ઞાનરત્નાશ્રીજી મ. તથા તેમનાં શિષ્યરત્ના વિદુષી પૂ. સા. શ્રી પ્રશમલોચતાશ્રીજી મ. એ ખૂબ ચીવટથી મૂળ પ્રત તથા ભાષાંતર સાથે મેળવી આપેલ છે. આ પ્રસંગે તપાગચ્છાધિરાજશ્રીજીના વિયરત્ન પૂ. મુનિરાજશ્રી હર્ષવર્ધનવિજયજી મહારાજે પણ આ કાર્યમાં રસ લઈ સહયોગ આપ્યા બદલ ઉપકાર યાદ કરીએ છીએ. આ ગ્રંથના રચયિતા, સંશોધક, ટિપ્પણકાર, પરમર્ષિઓ તેમજ ભાષાંતરસારોદ્વારકાસ પૂજ્યોના પુણ્યસ્મરણપૂર્વક આ પ્રકાશનને પ્રસિદ્ધિ આપવામાં નિમિત્તભૂત બનેલા આર્થિક સહયોગદાતા, સન્માર્ગના આધારસ્તંભ, સહયોગીદાતાઓ અને હજારો જિજ્ઞાસુ વાચકવર્ગનો પણ આભાર માનવાપૂર્વક આવા આત્મહિતકારી ગ્રંથો પ્રકાશિત કરવામાં નિમિત્તભૂત બન્યા કરીએ, એ જ અભિલાષા. -જન્સાઈપ્રદાન વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ-૧૪, બુધવાર, તા. ૩-૮-૨૦૦૫ તપાગચ્છાધિરાજની ૧૪મી સ્વર્ગારોહણ તિથિનો દિવસ Page #67 --------------------------------------------------------------------------  Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ધર્મસંગ્રહ. સારોદ્વાર ભાગ-૨ પ્રથમ ભાગમાં સ્વોપન્ન ધર્મસંગ્રહ નામના મૂળગ્રંથનું સંક્ષિપ્તરુચિવાળા ભવ્ય જીવોને માટે સંક્ષેપથી વિવરણ કર્યું. હવે ગૃહસ્થ ધર્મનું વર્ણન પ્રથમ ભાગમાં કર્યું હોવાથી અવસર પ્રાપ્ત સાધુધર્મનું વર્ણન પણ સંક્ષેપરુચિવાળા ભવ્યજીવોના ઉપકાર માટે સંક્ષેપથી કરાય છે. ગૃહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મ પૈકી વિશેષધર્મના ફલરૂપ યતિધર્મની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે मूलम् : एनं धर्मं च निखिलं, पालयन् भावशुद्धितः । योग्यः स्याद्यतिधर्मस्य, मोचनात् पापकर्मणः ।।७१।। ગાથાર્થ: આ પૂર્વે પ્રથમ ભાગમાં કહેલા) સમસ્ત ગૃહસ્થધર્મને ભાવશુદ્ધિથી પાલન કરતો આત્મા, પાપકર્મ ખપી જવાથી સાધુધર્મને યોગ્ય થાય છે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : સમ્યક્તથી આરંભીને યાવતું શ્રાવકની અગીયાર પડિમાઓ સુધીના ગૃહસ્થના વિશેષ ધર્મનું જેણે પાલન કર્યું છે તે આત્મા સાધુધર્મને યોગ્ય બને છે. અભવ્યના આત્માઓ પણ દ્રવ્યથી ધર્મનું આચરણ કરતાં હોય છે. પરંતુ તેઓમાં ભાવધર્મના આવરણભૂત (ચારિત્ર મોહનીયાદિ) કર્મોનો ક્ષયોપશમ થયો ન હોવાથી તે સાધુધર્મને યોગ્ય બનતા નથી. જે ભવ્યાત્મામાં (ચારિત્ર મોહનીયાદિ) કર્મોના ક્ષયોપશમરૂપ ભાવશુદ્ધિની પ્રાપ્તિ થઈ છે, તે ભવ્યાત્મા ચારિત્રમાં વિઘ્ન Page #69 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કરનારા (ચારિત્ર મોહનીયાદિ) પાપકર્મોથી મુક્ત થવાથી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરીને મૂલ અને ઉત્તરગુણ રૂ૫ આચારોને માટે યોગ્ય બને છે. અર્થાત્ તેના સ્વીકાર કરવામાં અને પાલન કરવામાં સમર્થ બને છે. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજીએ પણ પોડશકઇ પ્રકરણમાં આ જ વાત કરી છે. (૧) ગુરુચરણની સેવા કરવામાં રક્ત (૨) દઢ સમ્યગ્દર્શનવાળા અને (૩) શ્રાવકના સમગ્ર આચારોના પરિપાલનથી પ્રગટેલા સંવેગના પરિણામવાળા જ્ઞાની આત્માઓમાં જ સાધુધર્મનું નિયોજન કરવાથી પ્રવ્રજ્યા શ્રેષ્ઠ બને છે. ૭૧// સાધુધર્મની યોગ્યતા માટેના ગુણો અને તે ગુણોનું સ્વરૂપ છે શ્લોકથી હવે જણાવાય છે. मूलम् :-आर्यदेशसमुत्पन्नः:, शुद्धजातिकुलान्वितः' । ક્ષીપ્રાપાડશુમવાર, તત પર્વ વિશુદ્ધથી આકરા 'दुर्लभं मानुषं जन्म, निमित्तं मरणस्य च । સપપ સુણ-દેતવો વિષયાસ્તથા ૭રૂા. संयोगे विप्रयोगश्च, मरणं च प्रतिक्षणम् । दारुणश्च विपाकोऽस्य, सर्वचेष्टानिवर्तनात्' ।।७४।। इति विज्ञातसंसार - नैर्गुण्यः स्वत एव हि । तद्विरक्तस्ततः एव, तथा मन्दकषायभाक् ।।७५ अल्पहास्यादि विकृतिः, कृतज्ञों विनयान्वितः । १"सम्मतश्च नृपादीना - मद्रोही सुन्दराङ्गभृत्३ ।।७६ ।। શ્રાદ્ધ સ્થિર" સમુસંપન્ન*િ : | भवेद्योग्यः प्रव्रज्याया, भव्यसत्त्वोऽत्र शासने ।।७७ ।। षड्भिः कुलकम् ।। ગાથાર્થ : (૧) જે આર્યદેશમાં જન્મેલો હોય, (૨) વિશુદ્ધ જાતિ-કુલવાળો હોય, (૩) અશુભ કર્મો જેના ઘણાં ક્ષીણ થયેલા હોય અને (૪) તેથી જેની બુદ્ધિ વિશુદ્ધ-નિર્મલ હોય, (૫) મનુષ્યપણું અતિદુર્લભ છે, જન્મ મરણનું નિમિત્ત છે, સંપત્તિઓ ચંચળ છે, વિષયો દુ:ખના કારણ છે, સંયોગોનો વિયોગ અવશ્ય છે, પ્રતિસમય (આયુષ્ય ઘટવારૂપ) મરણ ચાલું છે. અને અંતિમ મરણ વખતે સર્વ ચેષ્ટાઓ અટકી જવાથી તેનો વિપાક અતિ દારૂણ હોય છે. એ પ્રમાણે સ્વયં જ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ જેણે સંસારની નિર્ગુણતા.જાણી લીધી હોય, તેથી જ (ક) જે સંસારથી વિરાગી થયો હોય, (૭) કષાયો જેના મંદ પડેલા હોય, (૮) હાસ્ય વગેરે વિકારો જેના અલ્પમાત્ર હોય, (૯) કૃતજ્ઞ હોય, (૧૦) વિનીત હોય, (૧૧) રાજા-મંત્રી વગેરેને જે માન્ય હોય, (૧૨) અદ્રોહી હોય, (૧૩) સુંદર શરીરવાળો હોય, (૧૪) શ્રદ્ધાળુ હોય, (૧૫) સ્થિરતા ગુણવાળો હોય અને (૧૭) જે સમર્પણ ભાવથી સ્વયં દીક્ષા લેવા આવેલો હોય. આવો (૧૬ ગુણોથી યુક્ત) સદ્ગણી ભવ્યાત્મા આ જૈનશાસનમાં દીક્ષા માટે યોગ્ય છે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ ઃ આવા ૧૬ ગુણવાળો ભવ્યાત્મા પાપોથી મુક્ત થઈ પ્રકર્ષતયા શુદ્ધ ચારિત્રના યોગોમાં ગતિ કરવા (આગળ વધવા) માટે યોગ્ય બને છે. દ્રવ્યદીક્ષા તો ચરક વગેરે મતવાળાઓમાં પણ હોય છે. પરંતુ ભાવદીક્ષા તો જૈનશાસનમાં ઉપર કહેલા ગુણવાળાને જ હોય છે. પંચવસ્તુ ગ્રંથમાં ગાથા-૬માં આ જ વાત કરતાં કહ્યું છે કે. “આ દીક્ષા નામસ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે કહી છે. તેમાં દ્રવ્યદીક્ષા ચરક-પરિવ્રાજકબૌદ્ધ-ભૌતિક વગેરેમાં હોય છે અને ભાવથી તો શ્રીજિનશાસનમાં હોય છે. ભાવદીક્ષા તે આરંભ અને પરિગ્રહના ત્યાગ સ્વરૂપ સમજવી.” હવે ક્રમસર દીક્ષા માટે યોગ્ય આત્માના ૧૬ ગુણો વિષે વિચારીએ. (૧) આર્યદેશમાં જન્મેલો હોય ? અહીં આર્યદેશો એટલે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષોની જન્મભૂમિવાળા દેશો. તે મગધદેશ વગેરે સાડા પચીશ દેશો પ્રવચન સારોદ્ધારમાં જણાવેલા છે. આવશ્યક ચૂર્ણમાં તો આર્ય-અનાર્યદેશની વ્યવસ્થા જુદી રીતે જણાવી છે, જે કોઈ દેશમાં હકારાદિ નીતિઓ ચાલુ-રૂઢ હોય તે દેશો આર્ય અને બાકીના અનાર્ય સમજવા.' (૨) શુદ્ધ જાતિ અને કુળવાળો માતૃપક્ષને જાતિ કહેવાય છે. પિતૃપક્ષને કુળ ૧. આર્યદેશના આચારો પરંપરાએ જીવને જડની પરાધીનતામાંથી મુક્ત કરવા માટે શિક્ષણરૂપ છે. તે આચારોને સમજીને પાળવાથી જીવ વિષય-કષાયોનો વિજેતા બની શકે છે. તીર્થકરો વગેરે વિશિષ્ટ પુરુષોના અવનિતલ ઉપર વિચરણથી ત્યાંની ભૂમિના પરમાણુઓ અને ત્યાંનું વાતાવરણ પણ આત્માને સન્માર્ગ પ્રેરક હોય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કહેવાય છે. જાતિ અને કુળથી જે આત્મા વિશુદ્ધ હોય તેને કદાચિત્ દુષ્કર્મના ઉદયથી ચારિત્ર પ્રત્યે વિપરીત પરિણામ થાય તો પણ રહનેમિને જેમ રાજીમતિએ કુલના ગૌરવથી બચાવી લીધા હતા, તેમ તેની જાતિ-કુળની મહત્તા સમજાવીને પુન: ચારિત્રમાં સ્થિર કરી શકાય. (૩) પ્રાયઃ અશુભ કર્મો ક્ષીણ થયાં હોય :- મોટા ભાગનાં ચારિત્રમાં વિઘ્ન કરનારાં (ચારિત્ર મોહનીયરૂપ) ક્લિષ્ટ કર્મો નાશ થયા હોય તે આત્મા દીક્ષા માટે યોગ્ય ગણાય. નહીંતર “સહસમલ” વગેરેની જેમ અનર્થની સંભાવના છે. (૪) નિર્મલ બુદ્ધિવાળો અશુભ કર્મો નાશ થવાથી જેની બુદ્ધિ નિર્મલ થઈ હોય તે દીક્ષા માટે યોગ્ય છે. (૫) સંસારની નિર્ગુણતા જેને સમજાઈ હોય ? મનુષ્યપણું મળવું અતિ દુર્લભ છે. મરણનું નિમિત્ત જન્મ છે. સંપત્તિ ચપળ છે. શબ્દાદિ વિષયો દુ:ખના કારણો છે- ક્લેશને ઉપજાવનારા છે, સર્વ સંયોગની પાછળ નિયમો વિયોગ રહેલો છે, પ્રતિ સમય જીવ મૃત્યુ પામી રહ્યો છે. - મૃત્યુની નજીક જઈ રહ્યો છે. મરણનો વિપાક દારણ છે. કારણ કે હિતની પ્રાપ્તિ અને અહિતની નિવૃત્તિ કરવાની સર્વ ચેષ્ટાઓ મરણની સાથે બંધ થાય છે. આ રીતે જન્મ અને મરણની વચ્ચે ૨. જાતિથી માતા અને કુળથી પિતા જેના ઉત્તમ સદાચારી (સંયમી) હોય તેને ઓજાહાર (શરીરના મૂળ આધારારૂપમાતા-પિતાના રૂધિર અને વીર્ય)રૂપબીજ સુંદર(નિર્વિકારી) મળવાથી તેનું શરીર નિર્વિકારી બની શકે છે, એના પરિણામે તેને ઇન્દ્રિયના વિષયોની પરાધીનતા અને કષાયોનું જોર ઓછું કરવામાં સહાય મળે છે. ઉપરાંત માતા-પિતાના ઉત્તમ ગુણોનો વારસો મળવાથી દાક્ષિણ્યતાલજ્જા વગેરે ગુણો તેનામાં સાહજિક પ્રગટે છે. ૩. કાર્ય સિદ્ધિના પાંચ કારણો પૈકી કર્મ પણ એક કારણ છે. તેની અનુકૂળતા-પ્રતિકૂળતા ઉપર પણ કાર્યની સિદ્ધિ-અસિદ્ધિ અવલંબે છે. દીક્ષાની સફળતા ઘાતી કર્મોની ઉત્તરોત્તર મંદતામાં છે. તેથી અહીં જણાવેલો ગુણ ઘાતી કર્મોનો ઘાત કરવાની સામગ્રી મેળવવામાં અને તેનો સદુપયોગ કરવામાં સહાયક તરીકે આવશ્યક છે. ૪. જેમ વર્તમાનમાં ઉદય પામેલાં કર્મોને અનુસારે બુદ્ધિ હોય છે, તેમ વર્તમાન બુદ્ધિને અનુરૂપ વર્તન અને નવો કર્મબંધ થાય છે. જો બુદ્ધિમાં નિર્મળતા ન હોય તો સદાચારનો પક્ષપાત ન થાય, સદાચારનું પાલન કરવા છતાં તેનો પક્ષ ન હોય તો તે પાલન આર્તધ્યાનરૂપ પણ બનવાનો સંભવ છે અને તેથી અશુભ કર્મના બંધની પણ સંભાવના છે. આમ પરીષહ-ઉપસર્ગાદિ સહન કરવામાં કે વિનયવૈયાવચ્ચાદિ હિતકારક યોગો સાધવામાં પ્રસન્નતા અને ઉત્સાહ વધારનારી સદાચારના પક્ષપાતરૂપ નિર્મળ બુદ્ધિ ચારિત્રમાં અતિ આવશ્યક છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ રહેલી જીવની બેહાલી જોઈને સ્વાભાવિક જેને સંસારની નિર્ગુણતા (અસારતા)નું જ્ઞાન થયું છે તે દીક્ષા માટે યોગ્ય છે. જેના ચિત્તમાં સંસારની અસારતા સમજાઈ ન હોય, તેની વિષયતૃષ્ણા શાંત થતી નથી. () સંસાર પ્રત્યે વૈરાગ્યવાળો :- સંસારની નિર્ગુણતા સમજાવાથી જેને સંસાર પ્રત્યે કંટાળો અર્થાત્ વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય તે દીક્ષા માટે યોગ્ય છે. નહીંતર (સંસારની “નિર્ગુણતાના જ્ઞાન વિના દીક્ષા લેવામાં આવે તો) દીક્ષાની કષ્ટકારિતા પુન: સંસારસુખ તરફ આદર પેદા કરાવનારી બની શકે છે. (૭) અલ્પકષાયી :- અલ્પકષાયવાળો નિચ્ચે પોતાના અને બીજાના ક્રોધના અનુબંધ-પરંપરાને અટકાવીને યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે - કરાવી શકે છે. (કષાયો કર્મબંધમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ચારિત્ર માટે પ્રાણભૂત સમતા, કષાયોનો ઉદય મંદ થયા વિના પ્રગટતી નથી.) (૮) અલ્પહાસ્યાદિવિકારવાનું હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા તથા વેદનો વિકાર જેનો પાતળો પડ્યો હોય તે દીક્ષા માટે યોગ્ય છે. બહુ હાસ્યાદિ અનર્થદંડરૂપ છે. ગૃહસ્થોને પણ તેનો નિષેધ છે. (હાસ્યાદિ નોકષાયો કષાયોના પોષક હોવાથી, કષાયો આવતાં, ચારિત્ર માટે પ્રાણભૂત સમતા ચાલી જાય છે.) (૯) કૃતજ્ઞઃ બીજાએ કરેલા ઉપકારને જાણનારો. ઉપકારીના ઉપકારને જાણી, જે યાદ રાખતો નથી તે અધમ કહેવાય છે, કે જે ચારિત્ર માટે અયોગ્ય છે. વળી કૃતઘ્ની ઉપર કોઈ વિશ્વાસ ન મૂકે. તથા પૂ. વડીલો દ્વારા મળતી હિતશિક્ષા કે જે આત્મવિકાસમાં જરૂરી છે, તે મળતી બંધ થાય છે. (૧૦) વિનયવાન્ - વિનયવાળો હોય. ધર્મનું મૂળ વિનય હોવાથી દીક્ષાનો અર્થી વિનીત હોવો જોઈએ. જ્ઞાન-ક્રિયારૂપ મોક્ષમાર્ગમાં જ્ઞાન અત્યંત આવશ્યક છે, તે જ્ઞાન, વિનય વિના પ્રગટતું નથી. ૫. પ્રાય:હૃદયમાં અનાદર પ્રગટ્યા પછી તે કાયમ રહે તો, જેના પ્રત્યે અનાદર પ્રગટ્યો હોય તે વસ્તુ બહારથી ગમે તેટલી સારી હોય તો પણ, તેની તરફ પુન: રાગદૃષ્ટિ થતી નથી. તેમ સંસારની નિર્ગુણતાના જ્ઞાન પૂર્વક જેને સંસારનો કંટાળો પેદા થયો છે, તેની પુન:સંસાર તરફ નજર જતી નથી. સંયમમાં સ્થિરતા બની રહે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૧૧) રાજાદિને સંમત : રાજા-મંત્રી વગેરેને સંમત હોય. નહીંતર રાજાદિ તરફથી ઉપદ્રવનો સંભવ રહે. સંઘનાં કાર્યો, ધર્મસામગ્રીની પ્રાપ્તિ અને રક્ષા, અન્ય તીર્થિઓથી રક્ષણ કરવા માટે રાજ્યની સહાયની જરૂ૨ ૨હે છે, જે રાજવિરોધીને ન મળી શકે. ઙ (૧૨) અદ્રોહી : કોઈને પણ ઠગનારો ન હોય, દ્રોહી અવિશ્વસ્ય બને છે. મલિન પરિણામના કારણે આરાધકને બદલે વિરાધક થાય છે. (૧૩) સુંદર શરીરવાળો : પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય. પરિપૂર્ણ શરીરવાળો આવી પડેલા પરિષહોને સહવાને માટે તથા સંયમસાધક વિનયાદિનું યથાવસ્થિત પાલન કરવા સમર્થ બને છે. (૧૪) શ્રદ્ધાળુઇશ્રદ્ધાવાળો : શ્રદ્ધા વિનાનાને અંગા૨મર્દકાચાર્યની જેમ તજવો જોઈએ. શ્રદ્ધા વિનાનો જીવ ગુણ-દોષ, લાભ-હાનિના વિવેક વિના જિનાજ્ઞામાં શંકા-કુશંકા કરી, પાપનો ભાગી બની જ્ઞાન-ક્રિયાને નિષ્ફળ બનાવી, દુર્ગતિમાં જાય છે. (૧૫) સ્થિર : સ્વૈર્ય ગુણવાળો જ દીક્ષા માટે યોગ્ય છે. કારણ કે જે સ્થિર ન હોય, તે વચ્ચેથી જ તપ-અભિગ્રહ વગેરેને પૂર્ણ કર્યા વિના છોડી દે છે. (૧૭) સમર્પિત ભાવથી આવેલો હોય : સર્વ પ્રકારે આત્મસમર્પણભાવથી દીક્ષા માટે ઉપસ્થિત થયેલો દીક્ષા માટે યોગ્ય છે, કારણ કે ઉપર કહેલા સઘળાયે ગુણો હોવા છતાં ‘ગુરુસમર્પણભાવ' ન હોય તો દીક્ષા સફળ બનતી નથી. ન અવસર પ્રાપ્ત દીક્ષાની યોગ્યતારૂપ ગુણોને કહીને દીક્ષાની અયોગ્યતારૂપ દોષોને ગ્રંથકારશ્રી કહે છે. દીક્ષાની અયોગ્યતારૂપ દોષો પુરુષના ૧૮, સ્ત્રીના ૨૦ તથા નપુંસકના ૧૦, એમ ૪૮ છે. પ્રવચન સારોદ્વાર ગ્રંથાનુસાર પુરુષના દીક્ષાની અયોગ્યતા રૂપ ૧૮ દોષો નીચે પ્રમાણે છે. (૧) બાલ :- આઠ વર્ષથી ઓછી ઉંમરવાળો (દીક્ષાના વિષયમાં) બાલ કહેવાય છે. તે દીક્ષા માટે અયોગ્ય છે. કારણ કે તથાવિધ જીવસ્વભાવના કારણે દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામનો તેમાં અભાવ હોય છે. શ્રી નીશિથ ચૂર્ણિ અનુસાર વિકલ્પે ગર્ભથી આઠમા વર્ષવાળો પણ દીક્ષાને યોગ્ય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રમણ ધર્મ પંચવસ્તુ ગ્રંથમાં ગાથા-૫૧માં પૂ. આ. ભ હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે... આઠ વર્ષથી નીચે (બીજાઓ દ્વારા) પરાભવ થવાનો સંભવ હોય છે અને પ્રાય: ચારિત્રના પરિણામનો પણ અભાવ હોય છે. ઉપરાંત નાની ઉંમરે દીક્ષા આપવાથી બાલદીક્ષિત અજ્ઞાનથી ગમે ત્યાં ફર્યા કરે તો સંયમની વિરાધનાનો સંભવ હોવાથી તથા ‘આવા નાના બાળકને બલાત્કારે દીક્ષારૂપી જેલમાં કેદ કરી નાંખ્યો' આવી લોકનિંદાનો સંભવ હોવાથી બાલ, દીક્ષા માટે અયોગ્ય છે. છ મહિનાની ઉંમરવાળા શ્રી વજસ્વામી છકાયમાં યતનાવાળા હતા' તે કદાચિત (કોઈવાર બનનારો) પ્રસંગ છે. તેથી ઉપરોક્ત વાતમાં કોઈ વિરોધ નથી. (૨) વૃદ્ધ : સીત્તેર વર્ષની ઉંમરવાળો વૃદ્ધ (સંયમના યોગોને વ્યવસ્થિત નિર્વાહ કરી શકતો ન હોવાથી દીક્ષા માટે) અયોગ્ય છે. સીત્તેર વર્ષની ઉંમર પૂર્વે પણ ઇન્દ્રિયોની હાનિ થઈ હોય તો, તે દીક્ષા માટે અયોગ્ય છે. આ વયનું પ્રમાણ સો વર્ષની આયુષ્યની અપેક્ષાએ જાણવું.. (૩) નપુંસક : સ્ત્રી અને પુરુષ ઉભયને ભોગવવાની અભિલાષાવાળો પુરુષાકૃતિ મનુષ્ય નપુંસક જાણવો. તે ઘણાં દોષોનું કારણ હોવાથી દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે. (૪) ક્લીબ : સ્ત્રીઓએ ભોગ માટે નિયંત્રણ કરવાથી અથવા વસ્ત્ર વિનાની સ્ત્રીનાં અંગોપાંગ જોવાથી, કે સ્ત્રીના કોમળ શબ્દો વગેરે સાંભળવાથી પ્રગટેલી ભોગની ઇચ્છાને રોકવા જે સમર્થ ન હોય તેવો પુરુષાકૃતિ મનુષ્ય ક્લીબ કહેવાય છે. પુરુષવેદના તીવ્ર ઉદય વેળાએ ભોગેચ્છાના કારણે સ્ત્રી ઉપર બલાત્કારાદિનો સંભવ હોવાથી દીક્ષા માટે અયોગ્ય છે. (૫) જડ : જડના ત્રણ પ્રકાર છે. (૧) ભાષાથી જડ, (૨) શરીરથી જડ, (૩) ક્રિયાજડ. એમા ભાષાજડ ત્રણ પ્રકા૨નો છે. (૭) જે પાણીમાં ડૂબેલાની જેમ બુડબુડ અવાજ કરતાં બોલે તે જડમૂક. () જીવા ખેંચાતી હોય તેમ બોલતાં વચ્ચે ખચકાય તે મન્મનમૂક (ણ) મુંગાપણાને લીધે બોકડાની જેમ અવ્યક્ત ઉચ્ચાર કરે તે એલમકમૂક. આ ત્રણ, જ્ઞાન ગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી અયોગ્ય છે. શરીરથી જડ માર્ગે ચાલવામાં, આહાર-પાણી લાવવા વગેરેમાં અસમર્થ હોવાથી અયોગ્ય છે. સમિતિ-ગુપ્તિ આદિને વારંવાર સમજાવવા છતાં અતિશય જડતાના કારણે સમજી શકે નહિં તે ક્રિયાજડ પણ અયોગ્ય છે. ૧. જે કાળે ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેના દશ ભાગ કરવા,તેમાં જે ૮-૯-૧૦માં દશાંશમાં પહોંચ્યો હોય તે વૃદ્ધ . . Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૬) વ્યાધિત : મોટા રોગથી પીડાતો વ્યક્તિ દીક્ષા માટે અયોગ્ય છે, કારણ કે ચિકિત્સામાં છ કાયની વિરાધના આદિ દોષો છે. ८ (૭) ચોર : ચોરી કરવાના સ્વભાવવાળો ગચ્છને અનેક રીતે અનર્થ ભૂત હોવાથી અયોગ્ય છે. (૮) રાજાપકારી : રાજ્યનું ધન વગેરેનો દ્રોહ કરનાર, તેવાની દીક્ષાથી રાજા કોપાયમાન થઈ સાધુઓને ઉપદ્રવ કરે. (૯) ઉન્મત્ત : યક્ષ વ્યંતર આદિ દુષ્ટ દેવોથી કે અતિપ્રબળ મોહના ઉદયથી ૫૨વશ થયો હોય તે ઉન્મત્ત કહેવાય. તેને યક્ષાદિના ઉપદ્રવનો તથા સ્વાધ્યાયાદિની હાનિનો સંભવ હોવાથી અયોગ્ય છે. મ (૧૦) દૃષ્ટિ વિનાનો : નેત્રથી (દ્રવ્ય) અંધ અને સ્ત્યાનદ્ધિની નિદ્રાવાળો મિથ્યાદ્દષ્ટિ (ભાવથી) અંધ ને દીક્ષા આપવાથી અનર્થનો સંભવ હોવાથી, અયોગ્ય છે. (દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘતા જ કરી નાખે તે સ્થાનર્દ્રિ (થિણદ્ધિ) નિદ્રાના ઉદયવાળો સમજવો.) આ નિદ્રાના ઉદયવાળાને વજ્રઋષભનારાચ (પ્રથમ) સંઘયણ હોય તો વાસુદેવના બળથી અડધું અને સેવાર્દ સંઘયણ હોય તો બે થી ત્રણ (કે અન્ય મતે સાતથી આઠ) ગણું બળ થાય છે. (૧૧) દાસ : કોઈના ઘ૨ની દાસીનો પુત્ર કે ધન વગેરેથી ખરીદેલો હોય તે દાસ કહેવાય. તેને દીક્ષા આપવાથી માલિક તરફથી ઉપદ્રવનો સંભવ હોવાથી અયોગ્ય છે. (૧૨) દુષ્ટ : ઉત્કટ કષાયવાળો તે કષાયદુષ્ટ અને પરસ્ત્રીમાં અત્યંત આસક્ત તે વિષયદુષ્ટ દીક્ષા માટે અયોગ્ય છે. (૧૩) મૂઢ : સ્નેહરાગ કે અજ્ઞાનાદિના કારણે વસ્તુના યથાર્થ સ્વરૂપને નહીં જાણતો મૂઢ પણ દીક્ષા માટે અયોગ્ય છે. કારણકે દીક્ષાની મૂળ યોગ્યતા સ્વરૂપ જ્ઞાન અને વિવેક તેનામાં નથી. (૧૪) દેવાદાર : જેને માથે બીજાનું દેવું હોય, તેને પણ દીક્ષા આપવાથી લેણદાર તરફથી પરાભવનો સંભવ હોવાથી અયોગ્ય છે. (૧૫) જુંગિત : ચડાલ આદિ જાતિજુંગિત, કસાઈ-શિકારનો નિંદિત ધંધો કરનાર કર્મજંગતિ, પાંગળા-કુબડા-વામણા-કાનવિનાના વગેરે શરીરજંગતિ, આ ત્રણે દીક્ષા માટે અયોગ્ય છે. કારણકે લોકમાં શાસનની-સાધુતાની હલકાઈ થવાનો સંભવ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ (૧૭) પરાધીન : જે- ધન લઈને કે વિદ્યા વગેરે ગ્રહણ કરવાના નિમિત્તે અમુક કાળ સુધી બીજાનો બંધાયેલો એવો પરાધીન હોય તો, તે અયોગ્ય છે. કારણ કે કલહનો સંભવ છે. (૧૭) ચાકર : અમુક “રૂપિયા' વિગેરે પગાર લઈને ધનિકના ઘરે નોકરીએ રહેલો પણ દીક્ષા માટે અયોગ્ય છે. કારણ કે ધનિકાદિને અપ્રીતિ થાય. (૧૮) શૈક્ષનિષ્ફટિકા : જેને દીક્ષા આપવાની ઇચ્છા હોય તેનું અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા કહેવાય. તે પણ અયોગ્ય છે. કારણકે માતા-પિતાને કર્મબંધ અને દીક્ષાદાતાને અદત્તાદાન વગેરે દોષનો પ્રસંગ બને છે. આ અઢાર દોષો પુરુષને અંગે સમજવા. સ્ત્રીઓને પણ આ અઢાર દોષો છે. ઉપરાંત સ્ત્રીના (૧) સગર્ભા સ્ત્રી તથા (૨) ધાવતા બાળકવાળી સ્ત્રી, આ બે દોષો વિશેષ જાણવા. આમ અયોગ્ય સ્ત્રીઓના ૨૦ ભેદો છે. દીક્ષા માટે અયોગ્ય નપુંસકોના દસ પ્રકાર પ્રવચન સારોદ્વારમાં નીચે પ્રમાણે જણાવ્યા છે. (૧) પંડક : પુરુષના આકારવાળો છતાં ૧. ગતિ, ચેષ્ટા, લજ્જાદિ સ્વભાવ સ્ત્રીના જેવો જ હોય છે. ૨. સ્વર, શરીરનો વર્ણ તથા ઉપલક્ષણથી શરીરની ગંધ વગેરે સ્ત્રી-પુરુષની અપેક્ષાએ વિલક્ષણ હોય છે. ૩. પુરુષ ચિહ્ન મોટું હોય છે. ૪. વાણી કોમળ હોય છે. ૫. સ્ત્રીની જેમ મૂત્ર કરતાં અવાજ થાય અને ૬. તે ફીણ વિનાનું હોય. આ છ લક્ષણો પડકના જાણવાં. (૨) વાતિક : વાયુ (ની પ્રકૃતિ)વાળો હોય તે વાતિક પોતાના કામોદયથી અથવા અન્ય ઠેકાણે વિકાર થતાં સ્ત્રીને ભોગવ્યા વિના તે રહી શકે નહિ. વેદોદયને રોકવામાં અસમર્થ હોય. (૩) ક્લબ : અસમર્થ હોય તે ક્લીબ ૪ પ્રકારે છે. () વસ્ત્ર રહિત સ્ત્રીને જોઈને ક્ષોભ-વિકાર પામે તે દૃષ્ટિક્લબ () સ્ત્રીનાં શબ્દ સાંભળવા માત્રથી ક્ષોભ-વિકાર પામે તે શબ્દ ક્લબ. (ણ) સ્ત્રીનાં આલિંગનથી ક્ષોભ પામે તે આશ્લિષ્ટ ક્લબ () સ્ત્રીએ ભોગ માટે નિમંત્રણ કરવાથી ક્ષોભ પામે તે નિમત્રણ ક્લીબ. (૪) કુંભી : જેને વેદ મોહનીયના ઉદયથી પુચિન કે અંડકોષ કુંભની જેમ સ્તબ્ધ રહે તે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૫) ઇર્ષ્યાલુ ઃ સ્ત્રીને ભોગવતાં કોઈ પુરુષને જોઈને જેને અતીવ ઇર્ષ્યા થાય તે. (૭) શકુની : વેદની અતિ ઉત્કટતાથી ચકલાની જેમ વારંવાર સ્ત્રી સેવવામાં જે આસક્ત હોય તે. ૧૦ (૭) તત્કર્મ સેવી : મૈથુનથી વીર્યપાત થવા છતાં કૂતરાની જેમ ‘જીહ્વાથી ચાટવું' વગેરે નિંદ્ય આચરણમાં સુખ અનુભવે તે. (૮) પાક્ષિકાપાક્ષિક : જેને શુક્લ પક્ષમાં અતીવ અને કૃષ્ણપક્ષમાં સ્વલ્પ કામવાસના જાગે તે. (૯) સૌગંધિક : સુગંધ માનીને સ્વલિંગને સુંઘે તે (૧૦) આસક્ત : મૈથુનથી વીર્યપાત થયા પછી પણ જે સ્ત્રીને આલિંગન દઈને પડ્યો રહે તે. આ દસે પ્રકારના પંડકાદિ નપુંસકો દીક્ષા માટે અયોગ્ય છે. અહીં કોઈને શંકા થાય કે દીક્ષા માટે જે પુરુષ અયોગ્ય છે, તેમાં નપુંસકનું ગ્રહણ કરેલ જ છે. તો પુન: દીક્ષા માટે અયોગ્ય નપુંસકો શા માટે બતાવ્યા ? આનું સમાધાન એ છે કે અયોગ્ય પુરુષોના વર્ણનમાં જે નપુંસકનું ગ્રહણ કર્યું છે તે પુરુષાકૃતિવાળા જાણવા અને અયોગ્ય નપુંસકના વર્ણનમાં નપુંસક તરીકે નપુંસક આકૃતિવાળા ગ્રહણ કરવા. આમ જ સ્ત્રીઓમાં પણ સ્ત્રી આકૃતિવાળી છતાં નપુંસુક અયોગ્ય સમજવી. શંકા : શાસ્ત્રોમાં તો નપુંસકના સોળ પ્રકારો જોવા મળે છે, તમે તો અહીં માત્ર દસ જ બતાવો છો ? તો શાસ્ત્રો સાથે વિરોધ નહીં આવે ? સમાધાન : ઉપર જણાવેલા દસ દીક્ષા માટે અયોગ્ય છે. જ્યારે શાસ્ત્રનિર્દિષ્ટ બાકીના છ દીક્ષા માટે યોગ્ય હોવાથી દસનું ગ્રહણ કરેલ છે. (૧) (ભવિષ્યમાં રાજાના અંત:પુરની ચોકી માટે કંચુકીપણાની નોકરી મળે વગેરે ઉદ્દેશથી) બાળપણમાં જ અંડકોષ ગાળી નાખ્યો હોય તેવા વર્દિતક. (૨) જન્મ વખતે જ જેનો અંડકોષ અંગુઠા-આંગળીઓ વડે મસળીને ગાળી નાખ્યો હોય તે ચિપ્પિટ. (૩) કોઈ સ્ત્રી કે પુરુષને મંત્રના બળે સ્ત્રી કે પુરુષવેદ નાશ થઈ નંપુસક વેદ પ્રાપ્ત થયો હોય તે Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૧ (૪) કોઈ સ્ત્રી કે પુરુષને ઔષધિના પ્રયોગથી સ્ત્રી કે પુરુષવેદ નાશ થઈ નપુંસક વેદ પ્રાપ્ત થયો હોય તે. (૫) કોઈને ઋષિ-મુનિ વગેરે તપસ્વીના શાપથી નપુંસક વેદનો ઉદય થયો હોય તે. () દેવના શાપથી નપુંસક વેદનો ઉદય થયો હોય તે. આ છ પ્રકારે નપુંસક થયેલા સ્ત્રી કે પુરુષને તેનામાં દીક્ષા યોગ્ય બીજાં લક્ષણો હોય તો દીક્ષા આપી શકાય છે. હવે “યતિધર્મ” શબ્દમાં રહેલા યતિ' અને “ધર્મ” બંનેનો અર્થ સ્પષ્ટ ન થાય તો યતિધર્મ” શબ્દનું જ્ઞાન પણ ન થઈ શકે, માટે પ્રથમ યતિ' શબ્દનો અર્થ કરે છે. मूलम् :- यतिरेवंविधो भव्यों, गुरोर्योग्यस्य सन्निधौ । विधिप्रव्रजितः शुद्ध-व्यवहाराजिनैर्मतः ।।७८ ।। ગાથાર્થ : ઉપરોક્ત દીક્ષાની યોગ્યતાવાળો, મોક્ષગમનની યોગ્યતા ધરાવતો ભવ્ય અને યોગ્ય ગુરુની પાસે વિધિપૂર્વક દીક્ષિત થયેલો હોય તે શ્રી જિનેશ્વર પરમાત્માઓ વડે શુદ્ધ વ્યવહારનયથી “યતિ' ક્લેવાયેલો છે. ટીકાનો ભાવાર્થઃ ઉપર જણાવ્યા અનુસાર તાત્પર્ય એ છે કે પોતે યોગ્ય હોય અને યોગ્ય પાસે દીક્ષા ગ્રહણ કરેલી હોય તો તે યતિ કહેવાય છે. દીક્ષા લેનારની યોગ્યતા ઉપર કહી છે. હવે યોગ્યગુરુનું સ્વરૂપ પાંચ શ્લોકથી વર્ણવે છે. मूलम् :- योग्यो गुरुस्तु पूर्वोक्त-गुणैः सङ्गत एव हि । विधिप्रपन्नप्रव्रज्य', आसेवितगुरुक्रमः ।।७९।। अखण्डितव्रतो नित्यं, विधिना पठितागमः । तत एवातिविमल-बोधयोगाञ्च तत्त्ववित्' ।।८।। उपशान्तश्च वात्सल्य-युक्तः प्रवचनेऽखिले । सर्वसत्त्वहितान्वेषी, आदेय श्चानुवर्तकः१० ।।८१।। गम्भीर" श्चाविषादी, चोपसर्गादिपराभवे । તથોપશમ&થ્યાદ્રિ-યુ: સૂત્રાર્થમાષઃ પટરા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ स्वगुर्वनुज्ञातगुरुपदश्चेति" जिनैर्मतः । પાવાÁમુળદ્દીનો ચ, યોગ્યો તો મધ્યમાવો।।૮રૂ।। ગાથાર્થ : પૂર્વે કહ્યા તે ગુણોથી યુક્ત એવા જેણે (૧) વિધિપૂર્વક દીક્ષા લીધી હોય, (૨) ગુરુના ચરણોની સેવા કરી હોય, (૩) જેના વ્રતો અખંડિત હોય, (૪) વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાન્તનો અભ્યાસ કર્યો હોય, અને તેથી (૫) અતિ નિર્મળ બોધના યોગે તત્ત્વવેત્તા હોય, (૬) વિકારો શાંત થયા હોય, (૭) ચતુર્વિધ સંઘ પ્રત્યે વાત્સલ્યભાવ હોય, (૮) સર્વ જીવોનો હિતચિંતક હોય, (૯) આદેયવચનવાળો હોય, (૧૦) ભિન્ન-ભિન્ન પ્રકૃતિવાળા જીવોને પણ પ્રકૃતિ અનુસાર આરાધના કરાવવામાં સમર્થ હોય, (૧૧) ગંભીર હોય, (૧૨) ઉપસર્ગાદિના પ્રસંગે પણ ખેદ રહિત હોય, (૧૩) આશ્રિતોના કષાયોને શાંત કરવાની લબ્ધિવાળો હોય, (૧૪) સૂત્ર-અર્થનો વ્યાખ્યાતા હોય, (૧૫) સ્વગુરુ દ્વારા ગુરુપદની અનુજ્ઞા મળી હોય, તેને શ્રી જિનેશ્વર ભગવંતો વડે યોગ્ય ગુરુ કહેવાયો છે. ઉપરોક્ત ગુણોમાંથી ચતુર્થાંશ ઓછા ગુણવાળા ગુરુ મધ્યમ અને અડધા ઓછા ગુણવાળા ગુરુ જઘન્ય જાણવા. ટીકાનો ભાવાર્થ : દીક્ષા માટેની યોગ્યતારૂપ ગુણોથી યુક્ત બની જેણે દીક્ષા લીધી હોય, તે નીચેના ગુણોથી યુક્ત હોય તો ગુરુ બનવા લાયક છે. કારણ કે પોતાનામાં ગુણનો અભાવ હોય તો પોતાની પાસે દીક્ષા લેનારને ગુણોનું ભાજન કેવી રીતે બનાવી શકે ? (૧) વિધિપૂર્વક દીક્ષિત હોય : આગળ ઉપર કહીશું તે વિધિપૂર્વક જેણે દીક્ષા ગ્રહણ કરી હોય. (૨) ગુરુનો ઉપાસક : ગુરુકુલવાસમાં રહી ગુર્વાદિક સાધુઓની યથાયોગ્ય સેવા જેણે કરી હોય. (૩) અખંડિત વ્રત : દીક્ષાના પ્રારંભથી જેણે ચારિત્ર વિરાધ્યું ન હોય. (૪) વિધિથી આગમ ભણેલો : શાસ્ત્રનિર્દિષ્ટ યોગોહન ક૨વા પૂર્વક જેણે આગમ-સૂત્રોનો અભ્યાસ કર્યો હોય. તાત્પર્ય એ છે કે સૂત્ર-અર્થ અને સૂત્રાર્થના જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા (જ્ઞાન-ક્રિયા ગુણના ભાજન) ગુરુનો વિનય કરતાં કરતાં શ્રી જિનાગમોનું રહસ્ય જેણે મેળવ્યું હોય. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ સૂત્રાર્થના જ્ઞાતા અને મૂલ-ઉત્તરગુણની આરાધનામાં દક્ષ ગુરુની સેવા કરતાં ગ્રહણ કરેલ સૂત્રાર્થનું જ્ઞાન ક્યારે પણ વિપરીત ભાવને પામતું નથી. (૫) અતિ નિર્મળ બોધવાળો : ગુરુની સેવા કરતાં કરતાં ભણેલા હોવાના કારણે બોધ અત્યંત નિર્મળ બનેલો હોય અર્થાત્ યથાવસ્થિત જીવાદિ તત્ત્વોનો જાણકાર હોય. (ક) ઉપશાંત : મન-વચન-કાયાના વિકારોથી મુક્ત હોય. (૭) સકલસંઘ પ્રત્યે વાત્સલ્યભાવ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચાર વર્ણરૂપ શ્રીશ્રમણ સંઘ પ્રત્યે યથાયોગ્ય વાત્સલ્ય ધરાવનારો.. (૮) સર્વજીવોનો હિતેચ્છુ સ્વભાવથી જ સર્વ જીવોનું હિત થાય તેવા પ્રકારના ચિંતન, વિચાર અને ઉપાયો કરવામાં ઉદ્યમી હોય. (૯) આદેય વચનવાળોઃ બીજા સ્વીકારી લે-માન્ય કરે તેવા માનનીય વચનવાળો હોય. આમેય નામકર્મના ઉદયથી આ ગુણ પ્રાપ્ત થાય છે. (૧૦) અનુવર્તક : ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા જીવોને પણ સવિશેષ ગુણવાન બનાવવાની બુદ્ધિથી તેમના સ્વભાવને અનુસરનારો હોય. પંચવસ્તુ ગ્રંથમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી એ કહ્યું છે કે અનાદિકાલીન અભ્યસ્ત પ્રમાદ એકાએક ચાલી જતો નથી. માટે શિષ્યની ભૂલોને શાસ્ત્રોક્ત વિધિથી દૂર કરવી જોઈએ. શિક્ષિત ઘોડાને શિક્ષા આપવાની હોતી નથી. અશિક્ષિતને જ શિક્ષા આપવાની હોય છે. શાંત ચિત્તે ગુરુ શાસ્ત્રના રહસ્યોને શિષ્યને સમજાવે તો શિષ્ય ચોક્કસ સરળશાંત બની આરાધક બની શકે છે. જે ગુરુ શિષ્યને દીક્ષા આપી શાસ્ત્રોક્ત વચનાનુસાર પાલન કરતા નથી અને શાસ્ત્રના રહસ્યોને સમજાવતા નથી તે ગુરુને શાસનના શત્રુ કહ્યા છે. ૬. વિધિપૂર્નવ દીક્ષા, ગુરુની ઉપાસના, અખંડવ્રતારાધન, વિધિપૂર્વક અભ્યાસ વગેરે ગુણોના કારણે મોહનીય કર્મ મંદ પડવાથી આગ્રહ-રાગ-દ્વેષની મંદતા થાય છે. તેના યોગે બોધ નિર્મળ બને છે અને ગુરુપદની લાયકાત પ્રગટે છે. બોધનું કાર્ય જાણેલા હેયોપાદેયમાં હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિની અભિલાષા જગાડવાનું છે. તેના યોગે હેયની નિવૃત્તિ થાય છે. ચારિત્ર નિર્મળ બને છે અને ચારિત્રની નિર્મળતાની છાયા આશ્રિતોના જીવનમાં પણ પડે છે. જેના કારણે આશ્રિતોનું જીવન પણ ચારિત્ર સંપન્ન બને છે. તે જ ગુરુપદની લાયકાતનું સૂચક છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૧૧) ગંભીર : રોષ-તોષ વિગેરે થવા જેવા પ્રસંગે પણ જેનો રોષ-તોષ બહાર દેખાય નહિ તે ગંભીર . શિષ્યોના દોષોને પચાવી જાણે, બહાર ક્યારે પણ પ્રગટ ન કરે. ૧૪ (૧૨) અવિષાદી : ઉપસર્ગો-પરિષહો વગેરેથી પરાભવ થવા છતાં છ કાયના જીવોની રક્ષા વગેરે સંયમપાલનમાં દીનતા ન અનુભવે. (૧૩) ઉપશમ આદિ લબ્ધિવાળો : આશ્રિતોના ક્રોધને સમજાવીને શાંત કરવાના સામર્થ્યવાળો હોય. આદિ શબ્દથી વસ્ત્ર-પાત્રાદિ સંયમમાં ઉપકારક વસ્તુઓ મેળવવાની શક્તિવાળો. તથા જેને વ્રત નિયમાદિ આપે તે આત્મા તેના પાલનમાં સ્થિર સશક્ત બને તેવી સ્થિરહસ્તલબ્ધિ વગેરે લબ્ધિઓવાળો હોય. (૧૪) સૂત્રાર્થનો પ્રરૂપક : આગમના અર્થોને યથાવસ્થિત રૂપમાં સમજાવનાર - પ્રરૂપણા કરનાર હોય. (૧૫) સ્વગુરુએ ગુરુપદે સ્થાપેલો : અહીં શ્રી ધર્મબિંદુની ટીકા અનુસાર સ્વગુરુ એટલે ગચ્છનાયક, અને પંચવસ્તુની ટ્રીકાં પ્રમાણે સ્વગુરુ એટલે ગચ્છનાયક અથવા ગચ્છનાયકના અભાવમાં દિગાચાર્ય વગેરે સમજવા. તેઓએ જેને ગુરુપદે સ્થાપન કર્યો હોય, તેવો ગુરુ બનવા લાયક છે. પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે... ગુરુએ પણ “મારા શિષ્યો વધશે કે દીક્ષા આપવાથી આહાર-પાણી વગેરે લાવવાનું કામ કરશે' વગેરે આ લોકનાં કાર્યોની અપેક્ષા છોડી, માત્ર ઉપકાર બુદ્ધિથી અને સ્વકર્મોની નિર્જરા માટે યોગ્યને સમ્યગ્ વિધિપૂર્વક દીક્ષા આપવી. દીક્ષા લેનારના ૧૬ અને આપનાર ગુરુના ૧૫ ગુણો ઉત્સર્ગ માર્ગે જાણવા. અપવાદ માર્ગે તો એક-બે આદિ ગુણો ઓછા હોવા છતાં જેઓમાં ઘણા ગુણો હોય તે (ગુરુ કે શિષ્ય) યોગ્ય સમજવા. જેમ દેશવિરતિધર શ્રાવકને દીક્ષા આપે છે. તેમ ઉપરોક્ત બતાવેલા ગુણોમાંથી કેટલાક ગુણવાળા સરળ પરિણામી પ્રથમગુણસ્થાનવર્તી જીવોને પણ તેમનામાં સંયમનો નિર્વાહ કરવાની (અર્થાત્ લીધેલા વ્રતોને પાળવાની મક્કમતારૂપ) યોગ્યતા જોઈને ગીતાર્થો દીક્ષા આપે છે. આ રીતે આપેલી દીક્ષા પણ ઉત્તરોત્તર .પછીના વિશેષગુણો પ્રગટાવવામાં કારણ બને છે અને અવ્યુત્પન્નદશામાં (મિથ્યાત્વ અવસ્થામાં કે જેમાં વિશેષ સમજણનો અભાવ હોય છે તે અવસ્થામાં) પણ જીવના માત્ર સમ્યક્ ક્રિયાના રાગથી પણ તે ધર્મના હેતુ તરીકે સફળ થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૫ પૂજાવિંશિકામાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી આ જ વાતને પુષ્ટ કરતાં જણાવે છે કે.... ચરમ યથાપ્રવૃત્તિકરણના યોગે ગ્રંથદેશે આવેલા અને ગ્રંથીને ઓળખનાર જીવને શ્રી જિનપૂજા માત્ર ધર્મરૂપે જ સફળ થાય છે અર્થાત્ તેનું ફળ ધર્મ રૂપે જ આવે છે. અને તે જિનપૂજાથી સઘોગાવંચકપણું અને આગળ વધીને સમ્યગ્દષ્ટિપણું ઉત્તરોત્તર આત્મગુણોના વિકાસની પરંપરા ચાલે છે. તાત્પર્ય એ છે કે ગ્રંથભેદ થતાં પહેલા પણ અપુનબંધક જીવને પણ શ્રી જિનપૂજાના ફળ તરીકે ધર્મ જ પ્રગટે છે અને ઉપર જણાવ્યા અનુસાર ઉત્તરોત્તર ગુણોના વિકાસની યાત્રા ચાલે છે. શ્રી પંચાશકજીમાં પણ કહ્યું છે કે “તપ આસેવનથી ઘણા જીવો માર્ગાનુસારીપણાના બળે આગળ વધીને ચારિત્રને પણ પામ્યા છે.” વળી શ્રી પંચાલકજીમાં કહ્યું છે કે... શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલી આ દીક્ષાનું આચરણ તો દૂર રહો, પણ શાસ્ત્રોક્તનીતિથી માત્ર પર્યાલોચન કરવામાં આવે તો પણ (મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જે હવે માત્ર એક જ વાર બાંધવાની યોગ્યતા ધરાવે છે તે) સફબંધક અને (મોહનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાની યોગ્યતા નાશ પામી છે તેવા) અપુનબંધક જીવોને તે શીધ્રતયા કુગ્રહનો નાશ કરે છે. (આથી કુગ્રહનો નાશ કરવા સબંધક અને અપુનબંધકને દીક્ષા આપવાની અનુજ્ઞા છે.) અહીં એ જાણવું કે અવિરત સમ્યગ્દષ્ટિને કુગ્રહનો સંભવ નથી. માર્ગાભિમુખ અને માર્ગપતિતને ગ્રંથભેદ થયો ન હોવાથી, કુગ્રહનો સંભવ હોવા છતાં, તેમને પ્રાપ્ત થયેલી માર્ગાભિમુખ અને માર્ગપતિત અવસ્થાથી તેઓના તે કુગ્રહનો ત્યાગ કરી શકાય તેવો છે. માટે અહીં તેઓને પણ નહીં ગણતાં માત્ર જેઓને કુગ્રહ બળવાન છે તે સકૃબંધક અને અપુનબંધક એ બેને દીક્ષાનું પર્યાલોચન કરવાથી કુગ્રહનો શીધ્રતયા વિરહ થાય છે એમ કહ્યું. ૭. અહીં એ જાણવું કે અપુનબંધક ધાત્રિશત્ દ્વાત્રિશિકા અનુસાર માર્માભિમુખ અને માર્ગપતિત આ બંને અપુનબંધકની અવસ્થા વિશેષ જ છે. છતાં અપુનબંધકનો કુગ્રહ બળવાન હોય છે. અને માર્ગાભિમુખ અને માર્ગપતિતનો કુગ્રહ સહેલાઈથી ત્યાગ કરી શકાય તેવો હોય છે. આટલું વિશેષ આ ગ્રંથાનુસાર સમજવું. ચિત્તના અવક્રગમનને માર્ગ કહેવાય છે. અર્થાત્ તત્ત્વને અનુસરતા લયોપશમવિશેષને માર્ગ કહેવાય છે. તે માર્ગની સન્મુખ થયેલાને માર્ગાભિમુખ કહેવાય છે. અને માર્ગ ઉપર આવેલાને માર્ગપતિત કહેવાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આ બંનેને ભાવસમ્યક્ત્વનો અભાવ હોવાથી દીક્ષા આપતી વખતે સમ્યક્ત્વનો આરોપ ક૨વામાં આવે છે. તેના આલંબને કુગ્રહનો અર્થાત્ અસત્ય પક્ષનો ત્યાગ જલ્દી કરી શકે છે. ૧૩ પંચવસ્તુમાં વર્તમાનમાં ઉચિત ગુરુના ગુણો જણાવતાં કહ્યું છે કે... - જે સૂત્ર-અર્થનો જાણકાર ગીતાર્થ હોય. સાધુના યોગોને કરનાર કૃતયોગી હોય. સદાચાર યુક્ત ચારિત્રી હોય. - ગ્રાહણાકુશળ અર્થાત્ શિષ્યને અનુષ્ઠાન વગેરે શીખવાડવામાં કુશળ હોય. - શિષ્યના સ્વભાવને જાણીને, તેને અનુસરી ચારિત્રની રક્ષા કરનાર અનુવર્તક હોય તે પણ દીક્ષા આપવા માટે અપવાદ માર્ગે યોગ્ય છે. = આ વિષયમાં દસ પ૨તીર્થિઓના મત વિશેષ જિજ્ઞાસાવાળાઓએ ધર્મબિન્દુમાંથી જાણી લેવો. આ રીતે દીક્ષાર્થી અને દીક્ષાદાતાનું સ્વરૂપ કહ્યું. 1॥૮॥ મૂળ ગાથા-૭૮માં “વિધિપૂર્વક દીક્ષિત થયેલો' એમ કહેલું હોવાથી હવે દીક્ષા લેનારનો અને દીક્ષા આપનારનો વિધિ બે શ્લોકથી જણાવે છે. મૂમ્ :- પુર્વનુસોપધાયોળો, વૃત્યુપાવસમર્થનમ્ ।” ग्लानौषधादिदृष्टान्तात् त्यागो गुरुनिवेदनम् ||८४ ।। प्रश्नः साधुक्रियाख्यानं, परीक्षा कण्ठतोऽर्पणम् । સામાવિજાતિસૂત્રસ્ય, ચૈત્યનુત્યાદ્રિ તદિધિ ।।૮।। ગાથાર્થ : દીક્ષાર્થીએ ગુરુ (વડીલો)ની અનુજ્ઞા મેળવવી, મોહથી આજ્ઞા ન આપે તો તેમની સંમતિ મળે તેમ માયા (કપટ) કરવી. તેઓની આજીવિકાનો પ્રબંધ કરવો, (એમ છતાં અનુજ્ઞા ન આપે તો) ગ્લાન-ઔષધાદિ (કે જે આગળ કહેવાશે તે) દૃષ્ટાંતથી ત્યાગ કરવો. એમ વિધિપૂર્વક ગુરુ પાસે આવી નિવેદન કરવું. ગુરુએ પણ તેને વૈરાગ્યનાં કારણો પૂછવાં, સાધુક્રિયાનું ક્લિષ્ટપણું જણાવવું, યોગ્યતાની પરીક્ષા કરવી, સામાયિકાદિ સૂત્રો કંઠસ્થ (મુખપાઠ) કરાવવાં અને દેવવંદનાદિ વિધિ કરાવવો - એ દીક્ષા લેવા-આપવાનો વિધિ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૭ ટીકાનો સંક્ષેપ ભાવાર્થ “ગુરુની=વડીલોની આજ્ઞા મેળવવી” વગેરે દીક્ષાનો વિધિ એક કર્તવ્યરૂપે છે. માતા-પિતાદિ વડીલો પાસેથી કોઈપણ રીતે દીક્ષાની અનુજ્ઞા લેવી. તેઓ મોહના કારણે અનુજ્ઞા ન આપતાં હોય તો ઉપધા માયાનો આશરો પણ લેવો. માયાનું આચરણ કેવી રીતે કરવું તેના માટે ધર્મબિંદુ ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. ત્યાં કહ્યું છે કે.. દુષ્ટ સ્વપ્ન મને આવ્યા છે, મારું મરણ નજીક જણાય છે. આવું કથન કરવું કે જેથી અનુજ્ઞા મળી જાય. વળી પ્રકૃતિ (સ્વભાવ) બદલી નાખવો, જેથી માતા-પિતાને લાગે કે આનું મૃત્યુ નજીક છે, તેથી પણ અનુજ્ઞા મળી જાય. આ ઉપાયો કરવા છતાં ન માને તો નિમિત્તશાસ્ત્રોની વાતો સંભળાવવી કે “આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય વગેરે તે વિપરીત ચેષ્ટાઓના ફળો જ્યોતિષીઓ દ્વારા જણાવવા કે જેથી વડીલોની અનુજ્ઞા મળી જાય. શંકા : આ રીતે માયા દ્વારા દીક્ષા સ્વીકારીને શું લાભ થાય ? સમાધાનઃ ધર્મની સાધના માટે કરાતી માયા તે માયા નથી. કારણ કે એમાં કોઈને ઠગવાનો ઉદ્દેશ નથી. પરંતુ મોહાધીન જીવોને સમજાવવાનો શુભ ઉદ્દેશ હોવાથી કાલાંતરે સ્વ-પરના હિતમાં પરિણમે છે. આ જ વાતને ધર્મબિંદુ ટીકામાં કહી છે. अमायोऽपि हि भावेन, माय्येव तु भवेत् क्वचित् । पश्येत् स्वपरयोर्यत्र, सानुबन्धं हितोदयम् ।।४-३१ टीका।। - હૃદયથી માયા વિનાનો હોવા છતાં પણ સ્વ-પરનું સાનુબંધ (ઉત્તરોત્તરપરંપરાએ) હિત થતું જુએ, ત્યારે કોઈ હિતાર્થી કોઈ વિષયમાં બહારથી માયા પણ કરે. આમ શુભાશયથી હિત સાધવા સેવાતી માયા, માયા નથી. શંકા : ભલે શુભાશયને આશ્રયીને હિત સાધવા માયાનો આશરો લઈને વડીલોની અનુજ્ઞા મેળવી લે. પરંતુ માતા-પિતાના જીવન નિર્વાહ માટે શું ? અને તે કારણે અનુજ્ઞા ન મળતી હોય તો શું કરે ? સમાધાન : પોતાની દીક્ષા પછી માતા-પિતા જીવનવ્યવહારમાં સીદાય નહીં માટે પોતે નાણાં આદિની વ્યવસ્થા કરે. અને એમ કરવાથી ઉપકારીના ઉપકારની કતજ્ઞતા (અને ભક્તિ) પણ કરી ગણાય. કે જે જૈનમાર્ગની પ્રભાવનાનું બીજ પણ છે. માટે એવો પ્રબંધ કરીને પણ તેઓની અનુમતિથી દીક્ષા અંગીકાર કરે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પ્રશ્ન : આજીવિકાની વ્યવસ્થા કરવા છતાં મોહના કારણે માતા-પિતાની આજ્ઞા મળતી ન હોય તો શું કરે ? ઉત્તર : તો માતા-પિતાનો ત્યાગ કરે. ૧૮ કહેવાનો આશય એ છે કે ઉપરોક્ત ઉપાયો કરવા છતાં માતા-પિતાદિ આજ્ઞા ન આપતાં હોય તો જેમ રોગથી પીડાતા માતા-પિતાદિને અટવીમાં છોડીને સુપુત્ર શહેરમાં ઔષધ લેવા અને પોતાના નિર્વાહ માટે જાય, કારણ કે તેવી જ રીતે માતાપિતાદિને વ્યાધિમાંથી મુક્ત કરી શકાય તેમ છે. તેથી સુપુત્રએ અટવીમાં માતા-પિતાદિનો જે ત્યાગ કર્યો, તે વાસ્તવમાં ત્યાગ નથી. પરંતુ તે પુત્રની ઉત્તમતા છે અને જો તે વખતે ત્યાગ ન કરે તો (અર્થાત્ તેમને અટવીમાં મૂકીને ઔષધ લેવા ન જાય તો) ઉપચારના અભાવે માતા-પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે તેથી ત્યાગ ન કરવા છતાં વાસ્તવમાં ત્યાગ જ થાય છે. તેવી જ રીતે આ સંસારરૂપી અટવીમાં આવી પડેલો શુક્લપાક્ષિક જીવ માતાપિતાદિની સાથે ઘ૨માં ૨હે અને તેમનો ત્યાગ ન કરે તો, મોહનીય કર્મના ઉદયરૂપ રોગથી પીડાતા માતા-પિતાદિ અવશ્ય સમ્યક્ત્વરૂપી ઔષધ વિના વિનાશ પામશે. સંસારમાં રખડશે. અને જો તેમનો ત્યાગ કરશે તો પોતાના ચારિત્રનો નિર્વાહ થશે અને અવસરે અવસરે માતા-પિતાદિને ઉપદેશાદિ દ્વારા સમ્યક્ત્વરૂપી ઔષધનું સેવન કરાવશે કે જેના યોગે માતા-પિતાદિનો મોહનીય કર્મના ઉદયરૂપી રોગ વિનાશ પામશે. આમ સમ્યક્ત્વરૂપી ઔષધ માટે કરાતો ત્યાગ પણ ત્યાગ નથી. કારણ કે તેના દ્વારા જ સંસાર પરિભ્રમણ અટકવાનું છે. આ રીતે માતા-પિતા ઉપર પારમાર્થિક ઉપકાર કરવો તે સત્પુરુષોનો ધર્મ છે. આ વિષયમાં ભગવાન શ્રી મહાવીરદેવ દૃષ્ટાંતરૂપ છે. કારણ કે જેનાથી અકુશલકર્મોનો અનુબંધ (પરંપરા) ચાલે તેવા માતા-પિતાદિના શોકને તેઓશ્રીએ ટાળ્યો હતો. આ રીતે પ્રવ્રજ્યા માટે તૈયારી કરી ગુરુને પોતાનો ભાવ જણાવવો. અર્થાત્ ગુરુને પોતાનું જીવન સમર્પિત કરવું. આ રીતે દીક્ષા લેનારનું કર્તવ્ય કહ્યું. હવે દીક્ષા આપનારનું કર્તવ્ય કહે છે. ઉત્તમ ધર્મકથાને સાંભળીને આકર્ષિત થયેલો ભવ્યાત્મા, દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે ગુરુએ તેને પુછવું કે-હે વત્સ ! તું કોણ છે ? શા માટે દીક્ષા લેવા માટે ઇચ્છે છે ? તેના જવાબમાં જો તે કહે કે ... ‘હે ભગવન્ ! હું કુલપુત્ર છું. અમુક નગરનો છું અર્થાત્ આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ છું. અને સઘળાં અશુભ(કર્મો)ની ખાણ સમાન સંસાર રૂપ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૯ રોગના ક્ષય માટે દીક્ષા લેવા માટે તૈયાર થયો છું.'ઇત્યાદિ કહે તો તેને શુદ્ધ સમજી દીક્ષા આપવી, અન્યથા ભજના સમજવી. (અર્થાત્ દીક્ષાનો નિષેધ કરવો). આ પૃચ્છામાં પાસ થયા બાદ પણ તેને કહેવું કે “કાયર પુરુષોને દીક્ષાનું પાલન દુખદાયી છે, છતાં આરંભનો ત્યાગ કરનારા સત્ત્વશાળી પુરુષોને દીક્ષાથી આ ભવ અને પરભવમાં પરમ કલ્યાણ થાય છે. વળી જેમ રોગી રોગના પ્રતિકાર માટે ઔષધાદિ ચિકિત્સાને ચાલુ કરી કુપથ્યનું સેવન કરે તો (ઔષધ નહિ લેનાર કરતાં) વહેલો અને વધારે નાશ પામે છે. તેમ કર્મરૂપી વ્યાધિના નાશ માટે સંયમરૂપ ભાવઔષધનો સ્વીકાર કરી અસંયમરૂપ કુપથ્યનું સેવન કરે છે, તેને (સંયમ નહિ લેનાર કરતાં ય) વધારે કર્મો બંધાય છે.' ઇત્યાદિ સમજાવે. આ રીતે જણાવ્યા પછી દીક્ષાર્થીનો પ્રતિભાવ જાણે. યાવત્ સામાન્યથી છ મહિના અને તથાવિધ યોગ્યયોગ્ય જીવની અપેક્ષાએ તેથી થોડો કે વધારે પણ કાળ પરીક્ષા માટે જાણવો. પરીક્ષામાંથી પસાર થયા બાદ દીક્ષાર્થીને ઉપધાન કર્યા ન હોય તો પણ સામાયિક સૂત્ર મુખપાઠથી શીખવવું, પ્રથમથી પાટી ઉપર લખીને ન આપવું, બીજા પણ “ઇરિયાવહી' વગેરે સૂત્રો તેની પાત્રતા પ્રમાણે ભણાવવાં, ચૈત્યવંદન આદિ વિધિ કરાવવો, આદિ શબ્દથી વાસક્ષેપ કરવો, રજોહરણ આપવો, કાયોત્સર્ગ કરાવવા વગેરે આગળ કહેવાશે તે સઘળી ક્રિયા કરાવવી. પ્રથમ ગુરુએ દીક્ષા લેવા માટે આવેલા શિષ્યને ઉપકાર અને ઉદ્ધાર કરવાની બુદ્ધિથી સ્વીકારવો, તે પછી શકુન વગેરે શુભાશુભ નિમિત્તો જોવાં અને ક્ષેત્રશુદ્ધિ - કાળશુદ્ધિ - દિશાશુદ્ધિ જોવી. પછી દીક્ષાર્થી જિનેશ્વરોની તથા ગુરુ ભગવંત આદિ સાધુઓની પૂજા કરે, ત્યારબાદ ગુરુ દીક્ષાની વિધિ કરાવે. તે વિધિ સામાચારી પાઠના આધારે અહીં જણાવીએ છીએ. દીક્ષાર્થી સારા દિવસે સુંદર વેષ પરિધાન કરીને સમૃદ્ધિ (વરઘોડાદિ આનંબર) પૂર્વક ઘરેથી નીકળી દીક્ષા સ્થાને આવીને શ્રી જિનમંદિરમાં (વર્તમાનમાં જિનમંદિરના મંડપમાં દીક્ષા પ્રાયઃ થતી નથી પરંતુ નન્દી આગળ થાય છે તેથી નન્દીમાં) પ્રવેશ કરતાં બે હાથની અંજલીમાં અક્ષત લઈને શ્રી જિનમંદિરને અને સમવસરણ (નન્દી) (વર્તમાનમાં માત્ર નન્દી)ને ત્રણવાર પ્રદક્ષિણા આપે. ત્યારબાદ ગુરુ અનુક્રમે પોતાનાં અંગો શિર-મુખ-હૃદય-નાભિ અને અધોગાત્ર (નાભિની નીચેનો પગ વગેરે ભાગ)ને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની) આંગળીથી સ્પર્શ - કરતા આરોહના (નીચેથી ઉપર જવાના) ક્રમે Hિ-સ્વ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ' એ મંત્રાક્ષરોને (મનથી) ઉચ્ચારે પછી અવરોહના (નીચે ઉતરવાના) ક્રમથી એ જ પાંચે અંગોને અનામિકાથી સ્પર્શ કરતા ઉત્ક્રમે હા-સ્વા-ઓં-પ-ક્ષિ' એ મંત્રાક્ષરોને મનમાં ઉચ્ચારે અને પુન: આરોહના ક્રમે એ અંગોને અનામિકાથી સ્પર્શ કરતાં ‘ક્ષિ૬-ોં-સ્વા-હા' એ મંત્રાક્ષરોને ક્રમશઃ મનમાં ઉચ્ચારે. એમ ત્રણવાર પોતાની આત્મરક્ષા કરીને શિષ્યની પણ (એ વિધિથી ત્રણવાર) આત્મરક્ષા કરે. પછી ઉત્તરાસંગ કરીને મુખકોષ બાંધીને ઢીંચણના આધારે બેઠેલા ભવ્યશ્રાવકે બે હાથે પકડેલા વાસચૂર્ણના થાળમાંનો ગંધ (વાસ) ગુરુ મંત્રે, તે આચાર્ય.હોય તો સૂરિમંત્રથી, ઉપાધ્યાય પાઠકમંત્રથી અને તે સિવાયના બીજા વર્ધમાનવિદ્યાથી મંત્રે. " " ત તેનો વિધિ-અનામિકા આંગળીથી પહેલા વાસના થાળમાં વચ્ચે દક્ષિણાવર્ત્ત કરીને ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમાં ‘આઁ’ અક્ષરનું આલેખન કરે, તે પછી ૧- પૂર્વથી પશ્ચિમ સુધી, ૨- ઉત્તરથી દક્ષિણ સુધી, ૩- ઇશાનથી નૈઋત્ય સુધી ૪- અગ્નિકોણથી વાયવ્ય સુધી, એમ ચાર રેખાઓ કરી આઠ આચવાળું ચક્ર આલેખે, તેના મધ્યમાં મૂળબીજ એટલે ‘હ્રીઁ ’ મંત્રને આલેખી આજુબાજુ ત્રણ આવર્તો કરી આવર્તને છેડે નો આલેખ કરે, પછી હ્રીઁ મંત્રાક્ષરની સામે પૂર્વદિશામાં “ઓંત નમો અરિહંતાળ” ની સ્થાપના મનથી જ મંત્રાક્ષરોનું ચિંતન કરતો કરે. પછી એ જ રીતે અગ્નિકોણ, દક્ષિણદિશા, નૈઋત્યકોણ અને પશ્ચિદિશામાં અનુક્રમે “ઓંતી નમો સિદ્ધાંળ થી નમો છોડ્ સવ્વસાહૂળ” સુધીનાં ચાર પદોની સ્થાપના ચિંતવે. વાયવ્યમાં ‘મૈં મૈં નમો નાગસ્ત્ર,’. ઉત્તરમાં ‘ઔી નમો યંસળસ્સ' અને છેલ્લે ઇશાનમાં ‘ઓં મૈં નમો ચારિત્તસ્સ’ પદની સ્થાપના મનમાં જ કરે. પછી ઉ૫૨ કહ્યા પ્રમાણેના પોતાના (સૂરિમંત્ર આદિ) મંત્રને સ્મરણ કરતો (શરીર-હાથની વિશિષ્ટ આકૃતિઓ રૂપ) સાત મુદ્રાઓથી વાસને સ્પર્શ કરે. તે મુદ્રાઓ. અનુક્રમે (૧) પંચપરમેષ્ઠિ, (૨) સુરભિ, (૩) સૌભાગ્ય, (૪) ગરુડ, (૫) પદ્મ, (૬) મુગર અને (૭) કરમુદ્રા એમ› સાત કરે. એ પ્રમાણે વાસને મંત્રીને ખમાસમણ દેવરાવવા પૂર્વક- ‘સમ્યક્ત્વસામાયિકશ્રુતસામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણિય-નંદીકરાવણિય વાસ નિબ્બેવં કરેહ’ અર્થાત્ સમ્યક્ત્વ-શ્રુતજ્ઞાન-સર્વવિરતિ આપવા માટે અને મંગલિક કરવા માટે મને વાસક્ષેપ કરો ! એમ શિષ્યના મુખે બોલાવતા ગુરુ શિષ્યના મસ્તકે વાસક્ષેપ કરે. જેણે પહેલાં સમ્યક્ત્વ સામાયિક આદિ ઉચ્ચર્યું હોય તેને તો ‘સર્વવિરતિ સામાયિકાદિ ૮. સાત મુદ્રા : (૧) પંચ પરમેષ્ઠિ મુદ્રા : ચત્તા રાખેલા બે હાથોની આંગળીઓનો વેણી બંધ કરીને (એકબીજામાં ભેરવીને) બે અંગુઠાઓ વડે બે ટચલીઓ અને બે તર્જનીઓ વડે બે મધ્યમાઓ પકડીને જોડે બે અનામિકાઓ ઊભી કરવાથી પરમેષ્ઠિ મુદ્રા થાય. આ મુદ્રા આહ્વાન કરવામાં ઉપયોગી છે. (૨) સુરભિ મુદ્રા : પરસ્પર ગૂંથાયેલી આંગળીઓમાંની કનિષ્ઠિકાઓને અનામિકાઓ સાથે અને Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ જ' ઉચ્ચરાવે. તે પછી પૂર્વ (ધર્મ સંગ્રહ ભાગ-૧માં શ્રાવકધર્મ વિધિમાં જણાવ્યા) પ્રમાણે જયવીયચય સુધી ચૈત્યવંદન કરાવે. તે પછી ગુરુ પોતાના મંત્રથી (એટલે સૂરિમંત્ર-પાઠકમંત્ર કે વર્ધમાનવિદ્યાથી) વાસને મંત્રીને શિષ્યને ખમાસમણ દેવરાવીને તેના મુખે ‘મમ પવ્વાવેહ, મમ વેસં સમર્પહ' અર્થાત્ મને દીક્ષા આપો ! મને સાધુવેષ સમર્પણ કરો ! એમ વિનંતી કરાવે. ૨૧ ત્યારબાદ આચાર્ય આસનેથી ઊભા થઈને શ્રી નમસ્કાર મહામંત્ર (ત્રણવાર) ગણવાપૂર્વક પૂર્વ સન્મુખ કે ઉત્તર સન્મુખ રહીને ઓઘાની દસીઓ શિષ્યની જમણી બાજુ રહે તેમ ઓઘાને પકડીને ‘સુગૃહીત રેહ’ અર્થાત્ ‘સારી રીતે સ્વીકાર કરો !' એમ બોલતાં શિષ્યને ઓઘાનું અને સાધુવેષનું સમર્પણ કરે, શિષ્ય પણ ‘ઇચ્છું’ કહીને ઇશાનદિશામાં જઈ આભરણ-અલંકાર વગેરે ઉતારે અને ગૃહસ્થવેષનો ત્યાગ કરે. (મુંડન કરાવી સ્નાનાદિક ક્રિયા કરી સાધુવેષને ધારણ કરી) પુન: આચાર્યની પાસે આવીને વંદન (ખમાસમણ) દઇને ‘ઇચ્છકાર ભગવન્ મમ મુણ્ડાવેહ, સવિરઇસામાઇયું મમ આરોવેહ'-અર્થાત્ હે ભગવન્ ! આપની ઇચ્છાનુસાર મારું મુંડન કરો અને મને સર્વપાપના ત્યાગરૂપ સામાયિક ઉચ્ચરાવો ! એમ બોલીને દ્વાદશાવર્ત્ત વંદન કરે (વાંદણા આપે). પછી ગુરુ-શિષ્ય બંને સર્વવરિત સામાયિકના આરોપણ માટે સત્તાÓસ શ્વાસોશ્વાસનો (સાગરવરગંભીરા સુધીનો) કાયોત્સર્ગ કરે, પા૨ીને ઉપર પ્રગટ લોગસ્સ બોલે, તે પછી લગ્નવેલા (મુહૂર્ત) મધ્યમાઓને તર્જનીઓની સાથે જોડવાથી ગોસ્તનના આકારે સુરભિમુદ્રા થાય. આને ધનમુદ્રા પણ કહે છે. એનાથી અમૃત ઝરાવાય છે. (૩) સૌભાગ્ય : બે હથેળીઓ એક બીજી સામે ઊભી રાખી આંગળીઓ પરસ્પર ગૂંથવી પછી બે તર્જનીઓ વડે બે અનામિકાઓને પકડી મધ્યમાઓને ઊભી કરી તેઓના મૂળમાં બે અંગુઠા રાખવાથી સૌભાગ્ય મુદ્રા થાય. એનાથી સૌભાગ્યમંત્રનો ન્યાસ થાય છે. (૪) ગરુડ : પોતાની સન્મુખ જમણો હાથ ઊભો કરી તેની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી પકડીને બે હાથ નીચલી તરફ ઉલટાવી દેવાથી ગરુડ મુદ્રા થાય. આ મુદ્રા દ્વારા દુષ્ટથી રક્ષા માટે મંત્રકવચ કરાય છે. (૫) પદ્મ : અવિકસિત કમળપુષ્પના આકારે બંને હથેળીઓ ભેગી કરી વચ્ચે કર્ણિકાના આકારે બે અંગુઠા સ્થાપવાથી પદ્મમુદ્રા થાય. આ મુદ્રા પ્રતિષ્ઠા (સ્થાપના) માટે કરાય છે. (૩) મુદ્ગર : બે હથેળી એકબીજાથી ઉલટી જોડીને આંગળીઓ ગૂંથવી અને હથેળીઓ પોતાની સન્મુખ સુલટાવવી, એથી મુદ્ગર મુદ્રા થાય, તે વિઘ્નવિધાતાર્થે કરાય છે. (૭) કર મુદ્રા : મૂળમાં ‘રા ય’ પાઠ હોવાથી અમે કરમુદ્રા એવો અર્થ કર્યો છે, પણ કરમુદ્રા જાણવામાં નથી. એટલે અંજલિમુદ્રા સમજી તેનું સ્વરૂપ લખીએ છીએ. ચત્તા બે હાથની આંગળીઓ કંઈક વાળીને બે હાથ જોડવાથી ખોબાના આકારે અંજલિ મુદ્રા થાય. તેનાથી પુષ્પારોપણાદિ થાય છે. (કલ્યાણ કલિકા ભાગ-૧) Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આવે ત્યારે આચાર્ય ઊભા થઈને ત્રણવાર શ્રી નમસ્કારમંત્રને ગણીને શ્વાસ અંદર લેતાં (ઉચ્છવાસ પૂર્વક) શિષ્યના મસ્તકેથી ત્રણ અઢ્ઢાળીઓ એટલે થોડા થોડા કેશ લઈ શિષ્યના મસ્તકે લોચ કરે. લોચ કરીને શ્રીનમસ્કાર મંત્રપૂર્વક ત્રણવાર સામાયિક સૂત્ર ઉચ્ચરાવે, ત્યારે શુદ્ધપરિણામથી ભાવિત અને સામાયિક ઉચ્ચરવાથી પોતાને કૃતાર્થ માનતો શિષ્ય પણ ઊભો-ઊભો જ ગુરુ બોલે તેમ તેઓની સાથે સામાયિક સૂત્રને મનમાં બોલે. તે પછી ગુરુએ જો પહેલાં વાસને સંક્ષેપથી મંડ્યો હોય તો અહીં વિસ્તારથી મંત્રે અને શ્રીચતુર્વિધશ્રીસંધને વાસ આપે, તે પછી શિષ્ય પ્રથમ ખમાસમણ દેવાપૂર્વક ‘ઇચ્છકારિ ભગવન્ તુમ્હે અમાંં સમ્યક્ત્વ સામાયિક, શ્રુતસામાયિક, સર્વવિરતિ સામાયિક આરોવઉ !' અર્થાત્ હે ભગવાન્ ! આપની ઇચ્છાનુસાર આપ મારામાં સમ્યક્ત્વ, શ્રુત અને સર્વપાપના ત્યાગરૂપ સામાયિકનું આરોપણ કરો ! ગુરુ કહે ‘આરોવેમિ’ ઇત્યાદિ વિધિ કરે, તેમાં પાંચમું ખમાસમણ દઇ સમવસરણ એટલે નંદીને અને ગુરુને પ્રદક્ષિણા આપે, ત્યારે પ્રથમ ગુરુ અને તે પછી શ્રીસંઘ પણ તેના મસ્તકે વાસ નિક્ષેપ કરે. એમ યાવત્ ત્રણવા૨ પ્રદક્ષિણા આપ્યા પછી (સાત પૈકી છઠ્ઠું) ખમાસમણ દઈને ‘તુમ્હાણું પવેઇઅં, સાહુણં પવેઇઅં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? અર્થાત્ આપને નિવેદન કર્યું, સાધુઓને નિવેદન કર્યું, હવે આપ આજ્ઞા આપો ! કાઉસ્સગ્ગ કરું ? એમ પૂછે. ગુરુ ‘કરેહ’ એમ કહે ત્યારે ‘ઇચ્છું’ કહી પુન: (સાતમું) ખમાસમણ દઇ ‘સર્વવિરતિ સામાયિક સ્થિરીકરણાર્થે કરેમિ કાઉસ્સગ્ગ’ અર્થાત્ ‘સર્વપાપના ત્યાગરૂપ સામાયિકમાં સ્થિર થવા માટે કાઉસ્સગ્ગ કરું છું.' એમ કહી ‘અન્નત્થ' બોલી સત્તાવીસ શ્વાસોશ્વાસ પ્રમાણ (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ગ કરી, પારીને પ્રગટ ‘લોગસ્સ’ બોલે, પછી શિષ્ય પુન: ખમાસમણ દઈને ‘ઇચ્છકાર ભગવન્ મમ નામટ્ઠવણું કરેહ !' અર્થાત્ ‘હે ભગવન્ ! આપની ઇચ્છાનુસાર મારું નામ સ્થાપન કરો !' કહે, ત્યારે ગુરુ શિષ્યના મસ્તકે વાસનિક્ષેપ કરતા કરતા (શ્રી નમસ્કારમંત્રપૂર્વક કુલ-ગણશાખા તથા ગુરુનું નામ જણાવીને) ગુરુના નામની સાથે વર્ગ વગેરેનો દોષ ન આવે તેવું (જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલી ષડ્વર્ગની શુદ્ધિવાળું) નામ ત્રણ વખત સ્થાપે, શ્રી સંઘને સંભળાવે. તે પછી નવદીક્ષિત, રત્નાધિકના ક્રમથી સર્વ સાધુઓને વંદન કરે. અને શ્રાવક-શ્રાવિકાઓ તથા સાધ્વીઓ પણ નૂતનદીક્ષિતને વંદન કરે. તે પછી ગુરુ ‘માગુસ્સેવિત્તનાફ.' આ આવશ્યક નિર્યુક્તિના કે ‘પત્તરિ પરમં બિ.' આ ઉત્તરાધ્યયન સૂત્રના કાવ્યના અનુસારે હિતશિક્ષા ફરમાવે. પ્રશ્ન : જિનેશ્વર ભગવંતોનો ઉપદેશ તો એવો છે કે વિરતિના પરિણામને ભાવદીક્ષા કહેવાય ! અને તેથી વિરતિનો પરિણામ પેદા કરવા ઉદ્યમ કરવાનો હોય. ઉપર બતાવેલી ચૈત્યવંદનાદિ બાહ્ય ક્રિયાઓની શી જરૂર છે ? Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રમણ ધર્મ કારણ કે બાહ્યક્રિયાઓ ન હોવા છતાં ભરત ચક્રવર્તી વગેરે વિરતિના પરિણામ પામી તેના ફલ તરીકે કેવલજ્ઞાનને પામી ગયા અને બાહ્યક્રિયાઓ કરવા છતાં અભવ્યોને વિરતિનો પરિણામ ન હોવાથી ક્રિયાઓ નિષ્ફળ ગઈ. આમ બંને પ્રકારે બાહ્યક્રિયારૂપ કારણના અસત્ત્વમાં વિરતિના પરિણામરૂપ કાર્ય (ભરત ચક્રવર્તી આદિમાં જોવા મળવાથી) નું સત્ત્વ હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે છે. તથા બાહ્ય ક્રિયારૂપ કારણના સત્ત્વમાંવિરતિના પરિણામ રૂપ કાર્ય (અભવ્ય જીવોમાં જોવા મળતું ન હોવાથી) નું અસત્ત્વ હોવાથી અન્વય વ્યભિચાર આવે છે. આથી ચૈત્યવંદન આદિ બાહ્યક્રિયાઓમાં કોઈપણ રીતે વિરતિના પરિણામની કારણતા આવતી નથી. આથી અકિંચિત્કર છે. ઉત્તર : તમારી વાત યોગ્ય નથી. કારણ કે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક જેણે દીક્ષા ગ્રહણ કરી છે, તેઓ પ્રાય: હિંસાદિ અનુચિત પ્રવૃત્તિ કરતા હોય તેવું જોવામાં આવતું નથી. અને તેના બાહ્ય વર્તનથી અનુમાન કરી શકાય કે સાવઘ પ્રવૃત્તિ કરતો નથી માટે વિરતિનો પરિણામ હોવો જોઈએ અને તેનું કારણ આ ચૈત્યવંદનાદિ છે. વળી તમે જે વ્યભિચાર બતાવ્યો, તે માની લઈએ તો પણ ચૈત્યવંદનની કર્તવ્યતામાં બાધ આવતો નથી. કારણ કે તાદશવ્યભિચાર કોઈક કાળે કોઈક જીવમાં જ સંભવે છે. દરેક હેતુઓ પોતાના વ્યાપાર (દ્વાર) દ્વારા સ્વકાર્યમાં કારણ મનાય છે, એ વ્યાપાર કોઈ પ્રસંગે અન્ય ઉપાયથી પણ સિદ્ધ થાય છે અને ત્યારે જ કાર્ય થાય છે. એટલા માત્રથી હેતુની હેતુતાને બાધ પહોંચતો નથી. જેમ કોઈક વખત દંડ વિના હાથથી ચક્રને ભમાવી ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થતું જોવામાં આવે છે, તેથી દંડમાં કારણતા નાશ પામતી નથી. કારણકે આવું ક્વચિત્ જ બને છે, તે જ રીતે ભરતચક્રી આદિને તે દ્વાર એટલે કે ચૈત્યવંદનાદિ વ્યાપાર, પૂર્વ જન્મમાં કરેલા ચૈત્યવંદનાદિથી, ચારિત્રપાલનના અભ્યાસથી થયેલો જ છે, અને તેથી આ ભવમાં ભવ્યતાનો પરિપાક થવાની ચૈત્યવંદનાદિ બાહ્ય ક્રિયા વિના પણ વિરતિનો પરિણામ પ્રગટ્યો હતો. આમ વ્યાપાર અન્ય ઉપાયથી સિદ્ધ થવામાત્રથી ચૈત્યવંદનાદિમાં રહેલી કારણતાને બાધ પહોંચતો નથી. વળી અભવ્યોને બાહ્ય ક્રિયાઓના સદ્ભાવમાં વિરતિનો પરિણામ ન પ્રગટ્યો તેનાથી બાહ્ય ક્રિયાઓમાં અકારણતા આવી જતી નથી. કારણ કે કોઈપણ કાર્ય સમગ્ર કારણોના સમૂહરૂપ પૂર્ણ સામગ્રીથી સિદ્ધ થાય છે અને એ સામગ્રીના અભાવમાં એકલો હેતુ કાર્યસિદ્ધ કરી શકતો નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ • જેમ ઘટ રૂપ કાર્યોત્પત્તિમાં દંડ એકલાથી કાર્ય થતું નથી પણ દંડ, ચક્ર ચીવરાદિ અવશ્યલૂપ્ત સામગ્રીનું સન્નિધાન થાય ત્યારે ઉત્પન્ન થાય છે. તેમ અભવ્યોના વિષયમાં પણ વિચારી લેવું. બાહ્ય ક્રિયાઓ હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા રૂપ અભ્યત્તર હેતુના વિરહમાં તેમની બાહ્ય ક્રિયાઓ નિષ્ફળ જાય છે, આથી વિરતિના પરિણામ અને મોક્ષરૂપકાર્યની સિદ્ધિ થતી નથી. આવશ્યકનિયુક્તિ ગાથા-૧૧૫૧ અને પંચવસ્તુ ગાથા-૧૭ર પણ આ વાતની સાક્ષી પૂરે છે. વળી ‘વિરતિના પરિણામ વગરના શિષ્યને દીક્ષાની ચૈત્યવંદનાદિ વિધિ કરાવવાથી ગુરૂને મૃષાવાદ લાગે” એ વાત બરાબર નથી, કારણ કે એ વિધિ કરાવીને જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવા દ્વારા “તું સાધુ થયો વિગેરે કહેવું એ ‘વ્યવહાર સત્ય' હોવાથી સત્યને ક્ષતિ પહોંચતી નથી. પણ ભરતાદિના ઉદાહરણ લઈને આ વિધિ નહીં કરાવવાથી તીર્થનો ઉચ્છેદ, જિનાજ્ઞાનો ભંગ અને દીક્ષા આપવી' : ઇત્યાદિ વ્યવહાર ધર્મનો નાશ થવાનો પ્રસંગ આવે. પંચવસ્તુની ૧૭૧મી ગાથામાં પૂ.શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે ભરતચક્રી આદિને કેવલજ્ઞાન પૂર્વજન્મની વ્યવહાર ધર્મની આરાધનાનું ફળ છે. પૂર્વભવમાં કે વર્તમાનમાં વ્યવહારધર્મરૂપ અનુષ્ઠાન સેવ્યા વિના નિશ્ચયધર્મરૂપ આત્મપરિણામ પ્રગટ થતો નથી. કોઈ અન્યમતવાળાઓ કહે છે કે... ' , “જેમ નિપુણ્યક જીવનું ધન, વિના ભોગવે નાશ પામે છે તેમ સાધુ થનારની પણ પુણ્યોદયે મળેલી સુખસંપત્તિ પાપોદયથી, વિના ભોગવે નાશ પામે છે. ઘરબાર વિના ભૂખ્યા-તરસ્યા સાધુઓને પાપોદયથી ઘેરાયેલા કેમ નહિ માનવા ? વળી ઘર, આહાર, પાણી વગેરે જીવન સામગ્રીને અભાવે (તેની શોધમાં ફરતા) સાધુઓને શુભધ્યાન પણ શી રીતે સંભવે ? શભધ્યાન વિના ધર્મ પણ કેવી રીતે હોય ? માટે ગૃહસ્થાશ્રમમાં રક્ત (ભોગી) સંતુષ્ટચિત્તવાળો, પરહિત કરવાના આદરવાળો અને મધ્યસ્થ સ્વભાવવાળો ગૃહસ્થ જ ધર્મને આરાધી શકે.” તેઓને પૂછીએ કે પાપનું લક્ષણ શું? જો તમે એમ કહેશો કે ચિત્તમાં ક્લેશ (સંતાપ)નો અનુભવ થાય તે પાપ, તો ગૃહસ્થાવાસમાં ધનની આકાંક્ષા, મેળવવાની ચિંતા, સાચવવાની ચિંતા અને જાય ત્યારે દુ:ખ, આવા ઘણા સંક્લેશો હોય છે તો ગૃહસ્થને શાંતિ ક્યાંથી ? જ્યારે સાધુને આવી કોઈ ચિંતા ન હોવાથી દુ:ખનો અભાવ અને બદલામાં ચારિત્રનો આનંદ હોય છે. જો તમે એમ કહો કે “કષ્ટદાયક ક્રિયાઓના કારણે સાધુઓને દુ:ખ હોય છે Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ત્રણ. તો તે વાત પણ ખોટી છે. કારણ કે ધનનો અર્થી જેમ ભૂખ-તરસનું દુ:ખ ભૂલી જાય છે, તેમ સાધુને કષ્ટદાયક ક્રિયાઓ કરતાં આગળ મોક્ષરૂપ મોટું ફળ દેખાતું હોવાથી શુભ અધ્યવસાયરૂ૫ આનંદના બળે લેશમાત્ર દુઃખ હોતું નથી. વળી ગૃહસ્થને ધન-ધાન્યાદિની પ્રાપ્તિ-સાચવવા આદિની એટલી બધી ચિંતા હોય છે કે વિષયસુખ ભોગવવામાં પણ આનંદ આવતો નથી. જ્યારે સાધુને એવી કોઈ ચિંતા ન હોવાથી તથા વિષયસુખની ઇચ્છાનો અભાવ હોવાથી મહા આનંદનો અનુભવ કરે છે અને ભગવતી સૂત્રમાં કહ્યું છે કે સાધુને ઇચ્છાઓનો ઉચ્છેદ થવાના કારણે અદ્ભુત કોટીનો વૈરાગ્ય પેદા થયો હોય છે. તેના કારણે બારમાસના દીક્ષા પર્યાયમાં તો અનુત્તર વિમાનવાસી દેવોના ચિત્તના સુખને પણ અતિક્રમી જાય છે. ત્યાં કહ્યું છે કે શ્રમણ-નિગ્રંથો . કોનાથી વધારે સુખી છે? એક માસના ચારિત્ર પર્યાયવાળા વાણવ્યંતર દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા અસુરકુમાર સિવાયના શેષ ભવનપતિદેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા અસુરકુમાર નિકાયના દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા ગ્રહ, નક્ષત્ર અને તારાના દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા. સૌધર્મ-ઇશાન દેવલોકના દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા સૌધર્મ-ઈશાન દેવલોકના દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા સનત્કુમાર-મહેન્દ્ર કલ્પના દેવોથી આઠ માસના ચારિત્ર પર્યાયવાળા બ્રહ્મ-લાન્તકદેવલોકનાં દેવોથી. માસના ચારિત્ર પર્યાયવાળા મહાશુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવોથી દશ માસના ચારિત્ર પર્યાયવાળા આનત-પ્રાણત-આરણ અશ્રુત દેવલોકના દેવોથી અગિયાર માસના ચારિત્ર પર્યાયવાળા નવ રૈવેયકનાં દેવોથી બાર માસના ચારિત્ર પર્યાયવાળા અનુત્તર વિમાનવાસી દેવોથી ત્યારબાદ દીક્ષા પર્યાય વધતાં (પંચસૂત્રની ટીકામાં કહ્યું છે કે, “શુક્લશુક્લાભિજાત્યભાવને ભજવા વડે પરમપદને પામે છે. * શુક્લશુક્લાભિજાત્ય ભાવ - શુક્લ = આચરથી શુદ્ધ-વિશુદ્ધ શુક્લાભિજાત્ય - પરિણતિથી શુદ્ધ-વિશુદ્ધ આમ ઉભય શુદ્ધિરૂપ જે ભાવ તે શુક્લશુક્લાભિજાત્યભાવ. ચાર પાંચ છે. સાત નવ Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ હવે યતિધર્મના બે પ્રકાર જણાવે છે. मूलम् :- सापेक्षो निरपेक्षश्च यतिधर्मो द्विधा मतः । सापेक्षस्तत्र शिक्षायै, गुर्वन्तेवासिताऽन्वहम् ।।८६।। ગાથાર્થ સાપેક્ષ અને નિરપેક્ષ એમ યતિધર્મ બે પ્રકારે કહ્યો છે, તેમાં શિક્ષા માટે હંમેશાં ગુરુ પાસે રહેવું તે સાપેક્ષ યતિધર્મ જાણવો. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : ગુરુ, ગચ્છ વગેરેની સહાયતાની અપેક્ષાપૂર્વક ગચ્છમાં રહી દીક્ષાનું પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ અને ગચ્છાદિની અપેક્ષા વિના સ્વાશ્રયભાવે દીક્ષાનું પાલન કરવું (કે જે જિનકલ્પિ સાધુઓ કરે છે) તે નિરપેક્ષ યતિધર્મ. બે યતિધર્મ પૈકી પ્રથમ સાપેક્ષયતિધર્મમાં ગુરુની છાયામાં રહી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લેવાની હોય છે. ' - પ્રતિદિન ગુરુ પાસે સૂત્ર-અર્થને ભણવું અર્થાત્ અભ્યાસ કરવો તે ગ્રહણશિક્ષા અને પ્રતિદિન સંયમની ક્રિયાઓનો અભ્યાસ કરવો તે આસેવન શિક્ષા. આ બંને શિક્ષા માટે (નહિ કે ઉદરપૂર્તિ-આજીવિકા માટે) ગુરુનું અંતેવાસપણું સ્વીકારવું તે સાપેક્ષ યતિધર્મ કહેવાય છે. અને આ ગુરુકુલવાસની સેવા જીવન પર્યન્ત કરવાની છે. આખા દિવસની તમામ ક્રિયાઓ ગુરુની આજ્ઞાપૂર્વક કરવી તે પણ ગુરુઅંતેવાસીપણું છે. સુયગડાંગ, વિશેષાવશ્યક ભાષ્ય, ઉપદેશપદ આદિમાં ગુરુકુલવાસનું ખૂબ મહત્ત્વ સમજાવેલ છે. ગુરુકુલવાસમાં રહેનાર જ સમ્યગુજ્ઞાનનું ભાજન બને છે અને દર્શન તથા ચારિત્રમાં દઢ-અતિદઢ બને છે. માટે ધન્યપુરુષો જીવનના અંત સુધી ગુરુકુલવાસને મૂકતા નથી. અને આ જ હેતુથી શ્રી સુધર્માસ્વામીજીએ શ્રીજંબુસ્વામીને ઉદ્દેશીને કહેલાં સુમં ને ગોડસે તેનું પવિયા વવાય” (આચારાંગ સૂત્ર) અર્થાત્ હે આયુષ્યમાનું જમ્મુ ! (અથવા આયુષ્યમાન એટલે જીવતા એવા) ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહેલું મેં સાંભળ્યું છે - અર્થાત્ હે જમ્મુ ! ભગવાનના ચરણોની સેવા કરતાં કરતાં મેં સાંભળેલું છે” વગેરે વચનો દ્વારા ગુરુકુલવાસ સકલસદાચારનું મૂળ છે એમ જાણવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ઉપદેશપદમાં કહ્યું છે કે ભાવસાધુનું મુખ્ય લિંગ ગુરુકુલવાસ જ છે. શ્રીપંચાશકજીમાં પણ કહ્યું છે કે ગુરુકુલવાસના યોગે માષતુ મુનિ જેવા જડ શિષ્યો પણ રત્નત્રયીના ભાજન બની મોક્ષે ગયા છે અને ગુરુકુલવાસના અભાવમાં દુષ્કર ક્રિયા કરનારાઓને પણ શ્રી પંચાશકજીમાં પ્રાય: ગ્રંથીભેદ વિનાના (મિથ્યાદ્દષ્ટિ) માન્યા છે. ગુરુકુલવાસને મૂકી જેઓ શુદ્ધ ચારિત્ર પાળવાના ઇરાદે એકાકી વિચરે છે તે કાલાંતરે મહાદોષના ભાગી થાય છે જ્યારે ગચ્છમાં રહેવાથી થોડા દોષોનો સંભવ હોવા છતાં જ્ઞાનાદિ ગુણોનો લાભ થાય છે. એકાકી વિચરનારા તેનાથી વંચિત રહી જાય છે. પ્રસંગોપાત્ત ધર્મરત્ન પ્રકરણમાં ગાથા-૭૮-૭૯માં કહેલા ભાવસાધુના લિંગો જણાવીએ છીએ. (૧) માર્ગાનુસા૨ી ક્રિયા-પ્રતિલેખનાદિ ક્રિયા મોક્ષમાર્ગને અનુસરતી હોય, (૨) શ્રદ્ધાવાનૢ - ધર્મ કરવામાં દૃઢ શ્રદ્ધાવાળી હોય, (૩) સરળ હોય અર્થાત્ પ્રજ્ઞાપનીય (વાળ્યો વળે તેવો) હોય, (૪) શાસ્ત્રોક્ત ક્રિયાઓમાં અપ્રમાદી હોય, (૫) તપ વગેરે શક્ય અનુષ્ઠાનોમાં શક્તિને ન છુપાવે, (૬) ગુણાનુરાગી હોય, (૭) ગુર્વજ્ઞાની આરાધના કરનાર હોય. ૨૭ આ વિષયમાં વિશેષ જિજ્ઞાસુઓએ ધર્મરત્ન પ્રકરણને અવગાહવું. દશવૈકાલિક સૂત્રની ટીકામાં પણ ગુરુકુલવાસની મહત્તા બતાવી, ગુર્વાજ્ઞાની અવહેલના ક૨ના૨ સંસારમાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરે છે, એવું ભારપૂર્વક જણાવ્યું છે. માટે જ પંચાશકજીમાં કહ્યું છે કે મૂળગુણોથી યુક્ત હોવાં છતાં બીજા એક-બે વગેરે થોડા સામાન્યગુણોથી રહિત હોય તેવા પણ ગુરુને છોડવા નહિં. આ વિષયમાં ચંઠરુદ્રાચાર્યનું ઉદાહરણ જાણવું. વળી આ પાંચમા આરામાં બકુશ-કુશીલ મુનિઓથી શાસન ચાલવાનું છે. તેઓના ચારિત્રમાં આંશિકદોષો નિયમા સમ્ભવિત છે તો એ રીતે તો બધા જ ગુરુને છોડી દેવાની આપત્તિ આવશે, પણ તેવું નથી. આથી જ ગાઢપ્રમાદી પણ શૈલકગુરુની સેવા મહામુનિ શ્રીપંથકે છોડી ન હતી, કારણ કે તેઓ મહાવ્રતમાં અખંડિત હતા. આમ હોવા છતાં નામથી જે ગુરુ હોય તેવા નામગુરુની સેવાને પણ ગુરુકુલવાસ મનાતો નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ શાસ્ત્રમાં ગુરુ (આચાર્ય)ના ચાર નિક્ષેપ છે અર્થાત્ ગુરુ ચાર પ્રકારના છે નામગુરુ, સ્થાપના ગુરુ, દ્રવ્યગુરુ અને ભાવગુરુ. અહીં ભાવગુરુની સેવા કરવારૂપ ગુરુકુલવાસની જ વાત છે. શુદ્ધ ભાવગુરુનું નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણેય પણ પાપને હરનાર છે. કારણ કે ભાવગુરુના નામસ્મરણથી, ભાવગુરુની પ્રતિમા (ગુરુમૂર્તિ)ના દર્શનથી તથા ભાવગુરુની પૂર્વાપરાવસ્થામાં રહેલા દ્રવ્યગુરુના દર્શનથી અથવા સ્મરણથી શુભભાવ પ્રગટે છે. ભાવગુરુના નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયી છે. નામથી જે ગુરુ હોય પણ જેમાં ભાવગુરુપણું ન હોય તેવા ગુરુનું નામ લેવાથી પણ પ્રાયશ્ચિત આવે છે. એમ મહાનિશીથમાં કહ્યું છે. માટે ભાવગુરુની જ ઉપાસનારૂપ ગુરુકુલવાસને મુખ્ય યતિધર્મ સમજવો. ગુરુ પાસે રહેવાનું પ્રયોજન “શિક્ષા ગ્રહણ” કહ્યું, તેથી હવે બે પ્રકારની શિક્ષાને જણાવવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી સૂત્રદાનનો વિધિ જણાવવા દ્વારા પ્રથમ ગ્રહણશિક્ષાનું પ્રતિપાદન કરે છે. ૮કો मूलम् - विशुद्धमुपधानेन, प्राप्तं कालक्रमेण च । યોગા ગુરુ સૂત્ર, સગાં મહાત્મના પાઠક ગાથાર્થ જે જે સૂત્રને ભણવા માટે આયંબિલ વગેરે જે જે તપ કરવાનો કહ્યો છે તે તે તપ કરવાથી શુદ્ધ અને શાસ્ત્રોક્ત દીક્ષાપર્યાયના યોગે જે જે સૂત્રને ભણવામાં અધિકારી બનેલો હોય તે યોગ્ય શિષ્યને મહાત્માગુરુએ તે તે સૂત્ર સમ્ય રીતે આપવું. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : આયંબિલ વગેરે તપ કરવાથી ભણનાર શિષ્યમાં તથાવિધ યોગ્યતા પ્રગટ થવાથી તે તે સૂત્રનું પઠન તેને માટે નિર્દોષ બને છે અને તેટલો દીક્ષા પર્યાય થતાં તે તે સૂત્ર ભણવું તેને માટે ઉચિત બને છે. ઉત્ક્રમથી ભણાવવામાં સૂત્રનું ઔચિત્ય હણાય છે. અહીં “સૂત્ર' એટલે કામશાસ્ત્રાદિ પાપસૂત્રો નહીં પણ આત્મહિતકર આવશ્યકાદિ સૂત્રો સમજવાં. સૂત્ર આપનાર ગુરુ પણ ‘મહાત્મા’ એટલે જેનો આચાર અખંડ-અસ્મલિત હોય તેવા ગુરુ, વિનીત, આત્માર્થી શિષ્ય અને યોગ્ય શિષ્ય' એટલે તેવા શિષ્યને જિનાજ્ઞાને અનુસરીને સૂત્ર આપવું તે સાપેક્ષ યતિધર્મ જાણવો. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ઉપધાન વિના શ્રાવકને, તથા યોગોહન વિના સાધુને પોતપોતાને ઉચિત પણ સૂત્ર ભણવું અધર્મ છે. સ્થાનાંગ સૂત્રમાં ત્રીજા સ્થાનમાં ૩ સ્થાનોમાં યોગ્ય સાધુ ચતુર્ગતિરૂપ સંસાર અટવીને પાર કરી શકે છે. (૧) અનિયાણાથી (૨) સમ્યગુદર્શનની પ્રાપ્તિથી (૩) યોગોહન કરવાથી. સ્થાનાંગ સૂત્રના દશમા સ્થાનમાં જણાવ્યું છે કે દશસ્થાનો વડે કરીને જીવો ભવિષ્યમાં કલ્યાણકારક કર્મ બાંધે છે (૧) અનિયાણાથી (૨) સમ્યક્ત પ્રાપ્તિથી (૩) યોગોહન કરવાથી (૪) (પ્રતિકૂળનિમિત્તોને) ક્ષમાપૂર્વક સહન કરવાથી (૫) ઇન્દ્રિયજયથી (૯) અમાયાવીપણાથી (૭) અપાર્થસ્થાપણાથી (૮) સુસાધુપણાથી (૯) શાસનના વાત્સલ્યથી (૧૦) શાસનની પ્રભાવના કરવાથી. ઉત્તરાધ્યયનસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર વગેરે શાસ્ત્રોમાં પણ યોગોહનની આવશ્યકતા સમજાવી છે. આચારાંગ વગેરે સૂત્રોને ભણવા માટેની યોગ્યતા ત્રણ વર્ષ વગેરે દીક્ષા પર્યાય અને સૂત્રનો ક્રમ પણ શાસ્ત્રમાં જણાવેલ છે. પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે ત્રણ વર્ષના પર્યાયવાળાને આચારાંગનું અધ્યયન, ચાર વર્ષના પર્યાયવાળાને સૂત્રકૃતાંગ (સૂયગડાંગ), પાંચ વર્ષના દીક્ષિતને દશા-કલ્પ-વ્યવહાર, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ, દશવર્ષવાળાને ભગવતીસૂત્ર (વિવાહ પ્રજ્ઞપ્તિ), અગીયાર વર્ષવાળાને “શુલ્લિકાવિમાન પ્રવિભક્તિ' વગેરે પાંચ અધ્યયનો, બાર વર્ષવાળાને અરૂણોપપાત વગેરે પાંચ, તેર વર્ષ પછી “ઉત્થાનકૃત” આદિ ચાર, ચૌદવર્ષવાળાને આશીવિષભાવના, પંદર વર્ષવાળાને દૃષ્ટિવિષભાવના, સોળ વર્ષે ચારણભાવના, સત્તર વર્ષે મહાસ્વપ્નભાવના, અઢારવર્ષે તૈજસનિસર્ગ, ઓગણીસવર્ષે બારમું “દૃષ્ટિવાદ અંગ, સંપૂર્ણ વિશવર્ષ પછી સર્વ સૂત્રોને આપવાં, એમ શ્રીજિનેશ્વરોએ કહ્યું છે. આવશ્યક સૂત્ર વગેરેનો પઠનકાળ તો તેના યોગોહન સાથે દીક્ષા પછી તરત જ સમજવો. દીક્ષાને યોગ્ય હોય તેની સૂત્ર ભણવાની યોગ્યતા હોય જ, છતાં મૂળ ગાથામાં પુન: “યોગ્યને” આવું વિશેષણ કહ્યું તે. “સૂત્ર ભણવામાં યોગ્યતાની પ્રધાનતા નિર્વિવાદ છે” એમ જણાવવા અથવા સામાન્ય રીતે “અધિકતર ગુણવાનું સાધુને સૂત્રો ભણાવવાં' એમ જણાવવાં. અથવા “દીક્ષા સમયે યોગ્યતા જોવા છતાં ઠગાયેલા ગુરુને પાછળથી સહવાસને યોગે સાધુની અયોગ્યતા જણાય તો તેને સૂત્ર કે અર્થ ન ભણાવવા” એમ જણાવવા માટે સમજવું. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ - આ જ વાત પંચવસ્તુમાં પણ જણાવી છે. વળી ત્યાં કહ્યું છે કે... “અયોગ્યને દીક્ષા (વેષ) આપવાથી, વેષ આપેલ અયોગ્યને મુંડવાથી, મુંડેલા અયોગ્યને શિક્ષણ આપવાથી, અયોગ્યશિક્ષિતને મહાવ્રતો ઉચ્ચરાવવાથી, અયોગ્યમહાવ્રતીને સાથે ભોજન કરાવવાથી અને સાથે ભોજન કરાવ્યા પછી પણ અયોગ્ય જણાય તો સાથે રાખવાથી, ચારિત્રમાં સ્થિત પણ ગુરુ પોતાના ચારિત્રનો ઘાત કરે છે.” \\૮૭થી હવે બીજી આસેવનાશિક્ષાનું (ક્રિયાનું) વિધાન કરવાપૂર્વક તેનો વિધિ જણાવે છે. मूलम् :- औधिकी दशधाख्या च, तथा पदविभागयुक् । सामाचारी त्रिधेत्युक्ता, तस्याः सम्यक् प्रपालनम् ।।८८।। ગાથાર્થ: (૧) ઔધિકી (૨) દશધા, (૩) પદવિભાગયુફ, એમ સમાચારી ત્રણ પ્રકારે કહી છે, તેનું સભ્યપાલન કરવું તે સાપેક્ષયતિધર્મ છે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ શિષ્ટ પુરુષોએ આચરેલો ક્રિયાકલાપ તે સામાચારી. વ્યુત્પત્તિ અર્થથી “સમ્યગુ આચારોનું પાલન” આવો “સામાચારીનો અર્થ થાય. સામાચારીના ત્રણ પ્રકારનું સ્વરૂપ આ પ્રમાણે છે. - (૧) ઓઘ સામાચારી: ઓઘનિયુક્તિ ગ્રન્થમાં નિર્દિષ્ટ સાધુકિયા તે ઓઘ સામાચારી. (૨) દશધા: ઇચ્છકાર-મિચ્છાકાર આદિ દશ પ્રકારવાળી સામાચારી તે દશધા સામાચારી (૩) પદ વિભાગ : પદો એટલે ઉત્સર્ગ અને અપવાદ જણાવનારાં વચનો, તેનો વિભાગ એટલે વિવેક, અર્થાત્ ઉત્સર્ગ-અપવાદનું હતું, તત્ સ્થાને નિયોજન. જે છેદ સૂત્રોમાં કહ્યું છે તે પદવિભાગ સામાચારી. આ ત્રણે ૯. ન્યાયાચાર્ય પૂ. મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા આ સામાચારીના ભિન્ન-ભિન્ન નયોની અપેક્ષાએ વિભાગ કરતાં સાત પ્રકારો બતાવે છે. (૧) સંગ્રહનયના મતે આત્મા એ જ સામાચારી, અનાત્મા નહિ, કારણ કે સકલ સામાચારીરૂપ વિશેષણથી વિશિષ્ટ આત્માને તે નય, સમાચારી માને છે. (૨) વ્યવહારનયના મતે સામાચારીનું આચરણ કરતા આત્માને સામાચારી કહી છે. આચરણ કરતો ન હોય તેને નહિ. (૩) ઋજુસૂત્રનયના અભિપ્રાય આચરણ કરતો પણ તેમાં ઉપયોગવાળો આત્મા તે સમાચારી, નહિ કે ઉપયોગ રહિત, કારણ કે - વ્યવહાર પુરતું સમ્યગુ આચરણ કરનાર માત્ર દ્રવ્યવેષધારી અજ્ઞ આત્મામાં પણ સમાચારી માનવી તે તેના મતે અસત્ય છે, તે નય કે તો જાણવા યોગ્ય અને પચ્ચખાણ કરવા યોગ્ય છે તે ભાવોનું જેને જ્ઞાન હોય તેવા જ્ઞાનવંતને જ ઉપયોગવાળો માને છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ પણ સામાચારીનું સમ્યક સૂત્રમાં બતાવેલી વિધિપૂર્વક મન-વચન-કાયાના ઉત્કર્ષથી શુદ્ધ આચારણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. નવમા પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુના વીસમા પ્રાભૃત પૈકીના ઓઘપ્રાભૃતપ્રાભૂતમાંથી ઉદ્ધરેલી ઓઘ સામાચારી દીક્ષા પછી તુરત જ શીખવાડાયા છે. છવ્વીસમા ઉત્તરાધ્યયનમાંથી ઉદ્ધરેલી દશધા સામાચારી થોડા વખત પૂર્વેના દીક્ષિતને શીખવાડાય છે. બારમા દૃષ્ટિવાદ નામના અંગમાંથી ઉદ્ધરેલી પદવિભાગ સામાચારી દીર્ઘ પર્યાયવાળા સાધુને ભણાવાય છે. હવે પ્રથમ ઓઘ સામાચારીનું વિશેષ સ્વરૂપ તેનાં દ્વારોના નિર્દેશ કરવાપૂર્વક જણાવે છે. (૪) શબ્દનય તો ઉપયોગવાળો પણ જે છ જવનિકાયની રક્ષામાં પ્રયત્નશીલ હોય તે આત્માને સમાચારી માને છે, અસંયમી-પ્રમાદીને નહિ. કારણકે છ જવનિકાયની રક્ષાના માત્ર ઉપયોગરૂપ-પરિણામરૂપ સામાચારી તો અસંયમી અવિરત સમક્તિદષ્ટિ વગેરે આત્માઓમાં પણ સંભવે છે. (૫) સમભિરૂઢનયના અભિપ્રાયેં તો સુસંયત પણ જે પાંચસમિતિથી સમિત અને ત્રણગુપ્તિથી ગુપ્ત એવો અષ્ટપ્રવચનમાતાનો પલક હોય તે આત્માને સામાચારી કહેવાય છે. તેનાથી વિલક્ષણને નહિ. (ડ) એવભૂતનય તો ઉપર જણાવેલા સઘળા ગુણવાળા પણ સાવઘયોગથી વિરામ પામેલા આત્માને જ “સામાચારી માને છે. કારણ કે અશુભ પ્રવૃત્તિ (સાવદ્ય પ્રવૃત્તિ)માં ફોરવાતા વીર્યથી નિવૃત્તિ તથા કર્મબંધના જ્ઞાન વિના અપ્રમત્તતા વગેરે પ્રાપ્તગુણોનું ફળ મળતું નથી. આ નય તેને જ કારણે માને છે કે જે કારણ પોતાના કાર્યને સિદ્ધ કરતું હોય. એથીજ અશુભ કર્મબન્ધનો વિરામ જેનાથી ન થાય તેવા ભાવને આ નય સત્ય માનતો નથી. (૭) બૈગમન શુદ્ધ-અશુદ્ધ ઉભયરૂપ હોવાથી શુદ્ધાશુદ્ધ સકલ (ભાવ) વિશિષ્ટ આત્માને અથવા દ્રિક-ત્રિકાદિ (ભાવો)ને પામેલા આત્માને સામાચારી માને છે. નિશ્ચયનય અને વ્યવહારનયથી સામાચારીનો વિચાર કરતાં, વ્યવહારનયથી સામાચારીના આચરણરૂપ બાહ્યલિંગજન્ય અનુમાનથી ઓળખાતા પરિણામને અને નિશ્ચયનયથી ચારિત્રમોહનીયના વિચિત્ર ક્ષયોપશમ વગેરેથી પ્રગટ થયેલા આત્માના (અમુક) અધ્યવસાયને સામાચારી કહેવાય. નિશ્ચયનયથી તથાવિધ આચરણ વિનાનો આત્મા પણ સામાચારી કહેવાય છે. કારણકે બાહ્ય આચારણરૂપ લિંગ વિના પણ (ધૂમાડા વિના લોખંડના ગોળામાં અગ્નિ હોય છે તેમ) લિંગી = આત્મપરિણામ સંભવિત છે. પરંતુ વ્યવહારના અભિપ્રાય તો સમ્યમ્ આચરણ હોય તો જ સામાચારી (તેવા પરિણામ) મનાય છે. તેમાં પણ શુદ્ધ વ્યવહારનય ભાવપૂર્વકના બાહ્ય આચરણને અને અશુદ્ધ વ્યવહારનય માત્ર બાહ્ય આચરણને પણ સામાચારી માને છે. એમાં આટલું અંતર છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ - મૂછ:- પ્રતિજેનિશ ફિuપનાતિનાનિ ચ | પ્રતિસેવાઇરોગને , શુદ્ધિ બ્રાથિી મતા પાટા ગાથાર્થ : (૧) પડિલેહણા, (૨) પિંડ, (૩) ઉપધિ, (૪) અનાયતન, (૫) પ્રતિસેવા, (૯) તેની આલોચના, (૭) શુદ્ધિ એમ ઓધ સામાચારી સાત પ્રકારે કહી છે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : (૧) પ્રતિલેખના ક્ષેત્ર-વસતિ-વસ્ત્ર-પાત્ર વગરનું નિરૂપણ કરવું એવો પ્રતિલેખનાનો આગમિક અર્થ છે. સર્વક્રિયાઓ પ્રતિલેખના પૂર્વક કરવાની હોવાથી અહીં તે પ્રથમદ્વાર છે. પ્રતિલેખના કરનાર અને પ્રતિલેખ પદાર્થ એ બે વિના પ્રતિલેખના સંભવિત નથી, માટે તે બેનું સ્વરૂપ પણ આ દ્વારમાં કહેવાશે. (૨) પિંડ : દોષરહિત આહારને પિંડ કહેવાય, તે પ્રતિલેખના પછી લેવાતો હોવાથી બીજા દ્વારમાં વર્ણન કરાશે. ' (૩) ઉપથિ : ઉપધિ એટલે વસ્ત્ર-પાત્રાદિ વસ્તુઓ સમજવી. આ વસ્ત્ર-પાત્ર વિના પિંડ લેવાનું શક્ય નથી, માટે પિડની પછી તે વસ્ત્ર-પાત્રાદિ કેટલી સંખ્યામાં અને કેટલા માપવાળાં રાખવાં ? તે બંનેનું પ્રમાણ આ ત્રીજા દ્વારમાં કહેવાશે. (૪) અનાયતન : આયતન એટલે રહેવાનું સ્થાન અર્થાત્ સાધુને રહેવા માટે યોગ્ય સ્થાન. સ્ત્રી-પશુ-નપુંસકાદિ જેમાં હોય તે સાધુને રહેવા માટે અયોગ્ય સ્થાનને અનાયતન કહેવાય. ઉપધિ દ્વારા પિંડ (આહાર) મેળવ્યા પછી પણ યોગ્ય સ્થાન વિના તેનો ઉપયોગ કરી શકાય નહિ. માટે ચોથા દ્વારમાં અનાયતનને વર્જવા સાથે આયતનનો આશ્રય કરવો એમ કહેવાશે. (૫) પ્રતિસેવા સંયમનાં અનુષ્ઠાનથી વિરુદ્ધ આચરણ કરવું તે પ્રતિસેવા. ઉપરોક્ત ચારનું સેવન કરવા છતાં પણ સાધુને કદાચિત્ કોઈ સ્થળે (કોઈ વિષયમાં) કોઈ અતિચાર સંભવિત છે, માટે અનાયતન વર્જન પછી પાંચમા દ્વારમાં પ્રતિસેવાનું વર્ણન કરાશે. (૯) આલોચના થયેલા અપરાધનું ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું તે- આલોચના કહેવાય. પ્રતિસેવાની ક્ષમારૂપે છઠ્ઠા દ્વારમાં આલોચનાનું નિરૂપણ થશે. (૭) શુદ્ધિ શિષ્ય પોતાની ભૂલની ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે ગુરુએ તેને ઊચિત પ્રાયશ્ચિત આપવું તે શુદ્ધિ, માટે આલોચના બાદ શુદ્ધિદ્વાર કહેવાશે. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૩૩ ઓશનિયુક્તિરૂપ ઓઘસમાચારીના આ સાત દ્વારો છે. પ્રતિલેખના-પ્રતિલેખક અને પ્રતિલેખે ઉપકરણનું વર્ણન ક્ષેત્રાદિની અપેક્ષાએ ઓઘનિર્યુક્તિમાં વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. પંચવસ્તુ ગ્રંથમાં ગાથા-૨૩૦માં સાધુની પ્રતિદિનની ક્રિયા દસ લારોથી કહી છે, (૧) પ્રતિલેખના, (૨) પ્રમાર્જના, (૩) ભિક્ષા લાવવી, (૪) ઇરિયાવહિ કાયોત્સર્ગ, (૫) ગોચરીની આલોચના, (૬) ભોજન કરવું, (૭) પાત્ર ધોવાં, (૮) લઘુ (વડી) નીતિ માટે જવું, (૯) તે માટે સ્થડિલ (શુદ્ધભૂમિ જોવી), (૧૦) આવશ્યક (પ્રતિક્રમણ) કરવું. ગાથામાં આપેલા આદિ શબ્દથી કાલગ્રહણ વગેરે પણ સમજવું. ll૮૯ો . હવે ઓસામાચારીમાં ઉપકરણની પ્રતિલેખના જે ક્રમે કરવી જોઈએ તે ક્રમ પણ દિનચર્યા તરીકે જણાવવાપૂર્વક કહે છે. मूलम् :- निशान्तयामे जागर्या, गुसेश्चावश्यकक्षणे । સત્સ વાર્તાહિ-વત્તિ સ્વાધ્યાયનિકતા સામા ગાથાર્થ સાધુઓએ રાત્રીના છેલ્લા પ્રહરે અને ગુરુએ પ્રતિક્રમણ વખતે જાગવું, કુસ્વપ્ન-દુ:સ્વપ્નનો કાયોત્સર્ગ કરવો, દેવ-ગુરુને નમસ્કાર (ચૈત્યવંદન-ગુરુવંદન) કરવા અને સ્વાધ્યાય (સઝાય)નિષ્ઠ બનવું. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ :- રાત્રીના છેલ્લા પ્રહરે નિદ્રાનો ત્યાગ કરવો વગેરે સાપેક્ષ યતિધર્મ છે, એમ આગળ પણ સર્વત્ર સમજવું. યતિદિન ચર્ય ગાથા-૩ની સાક્ષીથી જાગવાનો વિધિ આ પ્રમાણે છે “રાત્રીના છેલ્લા પ્રહર (ની શરૂઆત)માં જ બાલ-વૃદ્ધ વગેરે સાધુઓ જાગે અને પ્રથમ સાતઆઠવાર શ્રી નમસ્કાર મહામંત્રને ગણે.” અહીં આટલું વિશેષ છે કે સર્વ સાધુઓ પહેલા પ્રહરે, વૃષભ (પૌઢ) સાધુઓ પ્રથમના બે પ્રહર સુધી, ત્રીજા પ્રહરે ગુરુ, અને ચોથા પ્રહરે સઘળા જાગે, ત્યારે ગુરુ પુન: શયન કરે (અને પ્રતિક્રમણ વખતે પુન: જાગે). પ્રતિક્રમણનો અવસર, પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ દસ ઉપકરણોનું પડિલેહણ પૂર્ણ થતાં સૂર્યોદય થાય તે રીતે જાણવો. હવે જાગ્યા પછી, નિદ્રા વેળાએ હિંસાદિ કોઈ પાપાચરણ કરવા રૂપ કુસ્વપ્ન Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આવ્યું હોય તો સો શ્વાસોશ્વાસ, પ્રમાણ (ચાર લોગસ્સ ચંદેસ નિમલયર સુધીનો) અને સ્વયં મૈથુન સેવવારૂપ દુઃસ્વપ્ન આવ્યું હોય તો ઉપર પ્રમાણે ચાર લોગસ્સ ઉપરાંત એક નવકાર (અથવા “સાગરવરગંભીરા' સુધી ચાર લોગસ્સ)નો અર્થાત્ ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો. આ કાયોત્સર્ગ પછી દેવને નમસ્કાર માટે (જગચિંતામણિ...) ચૈત્યવંદન કરવું અને ગુરુને નમસ્કાર માટે (ખમાસમણ પૂર્વક “ભગવાન્ હં' વગેરે) ચાર ખમાસમણ આપવાત્યારબાદ વાચના-પૃચ્છના વગેરે સ્વાધ્યાય કરવો. ઉપલક્ષણથીંપૂર્વે ગ્રહણ કરેલા તપ-નિયમ-અભિગ્રહનું ચિંતન તથા ધર્મજાગરિકા કરવી. યતિદિન ચર્યામાં પણ ઉપરોક્ત વાત કરી છે. સવારના સમયે બ્રાહ્મમુહૂર્તમાં ચિત્ત નિર્મલ હોવાના કારણે ધર્મકાર્યના ઉપાયોનું ચિંતન સફળ થાય છે એમ ત્યાં જણાવેલું છે. હવે ઉગ્વાડા પોરિસી (સૂર્યોદયથી પીણા પ્રહર) સુધી કરવાનાં કાર્યો ક્રમશ: જણાવે છે. मूलम् :- काले च कालग्रहणं, ततश्चावश्यकक्रिया । द्राक् प्रत्युपेक्षणा सम्यक्, स्वाध्यायश्चाद्यपौरुषीम् ।।११।। ગાથાર્થ ? ત્યારબાદ સમય થતાં શાસ્ત્રોક્ત વિધિથી) કાલગ્રહણ લેવું, પછી પ્રતિક્રમણ, વસ્ત્રોની પડિલેહણ અને પોરિટી પૂર્ણ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : રાત્રિના ચોથા પ્રહરના છેલ્લા (ચોથા) ભાગમાં ‘પ્રાભાતિક કાલનું ‘ગ્રહણ' એટલે નિરૂપણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. કાલગ્રહણનો વિધિ યોગવિધિના ગ્રંથોથી જાણી લેવો. આટલું તેમાં વિશેષ જાણવું કે. “પ્રભાતિક કાલગ્રહણના સમયે એક સાધુ ઉપાધ્યાયની અથવા બીજા વડીલની આજ્ઞા મેળવીને પ્રભાતિક કાલગ્રહણ કરે, તે પછી ગુરુ નિદ્રામાંથી જાગે” ત્યારબાદ પ્રતિક્રમણ મંદ સ્વરે કરે. કાઉસ્સગ્ગ કેટલા કરવાના વગેરે વિધિ પ્રથમ ભાગમાંથી જાણી લેવી. રાઇપ્રતિક્રમણની વિધિ પણ પહેલા ભાગમાંથી જાણી લેવી. જે કંઈ ફેરફારો છે તે આગળ જણાવીશું. આંખ, ભ્રકુટી, પાંપણનું ફરકવું, શ્વાસોશ્વાસ લેવા-મૂકવો, વગેરે સૂક્ષ્મ કાર્યોમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ વારંવાર ગુરુની આજ્ઞા લેવાની શક્ય બનતી ન હોવાથી, અને આવા સૂક્ષ્મકાર્યો પણ ગુરુની આજ્ઞા વિના સાધુને કરવાં કલ્પતાં નથી માટે, રાઈપ્રતિક્રમણના અંતે (ગુરુસમક્ષ બહુવેલ'ની વારંવાર થનારા કાર્યોની) રજા મેળવી લેવાતી હોય છે. તે પછી વસ્ત્રોને બંને બાજુથી સંપૂર્ણ જોવા પૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિલેખના કરવી તે પણ સાપેક્ષ યતિધર્મ છે. પ્રતિલેખના વસ્ત્રો અને પાત્ર બંન્નેની હોય છે. યતિદિન ચર્યાની ગાથા-૨૮૭માં કહ્યું છે કે “દિવસના પ્રારંભમાં દસ વસ્ત્રોની, ઉગ્વાડા પોરિસી વખતે પાત્રનિર્યોગની (પાત્રાના ઉપકરણોની) અને છેલ્લા પ્રહરે વસ્ત્ર-પાત્ર વગેરે સઘળી વસ્તુઓની પ્રતિલેખના કરવી.” . દિવસના પ્રારંભમાં નીચે જણાવેલા દસ વસ્ત્રોની પ્રતિલેખના કરવાની (૧) મુખવસ્ત્રિકા, (૨) રજોહરણ, (૩૪) બે નિષદ્યા (ઓઘાના અંદર-ઉપરનાં, બે વસ્ત્રો), (૫) ચોલપટ્ટો, (૬-૭-૮) ત્રણ કપડા, (કામળી અને બે સૂત્રાઉ) (૯) સંથારીયું, (૧૦) ઉત્તરપટ્ટો. નિશીથ ચૂર્ણિમાં અને બૃહત્કલ્પની ચૂર્ણિમાં (૧૧)મો દંડ પણ કહ્યો છે. હવે પ્રતિલેખના (પડિલેહણ)નો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ ખમાસમણ દેવાપૂર્વક પડિલેહણનો આદેશ મેળવીને પ્રથમ મુહપત્તીનું પડિલેહણ કરે. પછી સવારે ઓઘાનું પડિલેહણ વખતે પ્રથમ અંદરનું સૂત્રમય (નિશથિયું) પડિલેહે. (ચોથા પ્રહરે બહારનું ઉનનું ઓધારિયું પડિલેહવું.) તે પછી ચોલપટ્ટાનું પડિલેહણ કરીને ખમાસમણ પૂર્વક-ઇચ્છાકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ! આદેશ માંગીને તેર બોલથી શ્રી સ્થાપનાચાર્યનું પડિલેહણ કરવું. યોગ્ય સ્થાને પધરાવી ખમાસમણ દેવાપૂર્વક ઉપાધિ મુહપત્તિ પડિલેહણનો આદેશ માંગી મુહપત્તીનું પડિલેહણ કરવું. તે પછી ઉપધિ સંદિસાવીને, બીજા ખમાસમણ દેવાપૂર્વક ઉપધિ પડિલેહવાનો આદેશ માંગીને શેષ ઉપધિનું પડિલેહણ કરે. શેષ ઉપધિનો ક્રમ ઉપર જણાવ્યો તે પ્રમાણે જાણવો. ૧૦. શાસ્ત્રોમાં પ્રતિલેખનાના સામાન્ય હેતુઓ જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે. તો પણ મુખ્ય હેતુ આ મનરૂપી માંકડાને વશ કરવાનો છે એમ શ્રીજિનેશ્વરોએ કહ્યું છે. પ્રતિલેખના કરતાં બોલ ચિતવવાનું વિધાન છે તે બોલ, કયા કયા પ્રસંગે-કયા કયા અંગનો સ્પર્શ કરતા ચિતવવા વગેરે વર્ણન પ્રથમ ભાગમાં આપેલ છે તે જોવું. બોલ બોલવા પૂર્વક પ્રતિલેખનાની ક્રિયા પણ આત્મશુદ્ધિ અને સંયમમાં સ્થિરતા માટેની જ ક્રિયા છે. તે વાત બોલના શબ્દોને જોવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ • પ્રતિલેખના કરતી વખતે ઉપકરણાદિને લેવામાં મૂકવામાં અને એકથી બીજા સ્થાને ફેરવવામાં, તે તે સ્થાનને દૃષ્ટિથી જોઈને પ્રમાર્જીને ઊપધિનું પડિલેહણ કરવું. વસ્ત્રનું પડિલેહણ કરતી વખતે વસ્ત્ર જમીનને, પોતાના અંગને સ્પર્શે નહી તે રીતે વાયુકાયની વિરાધના ન થાય તે માટે ધીમે-ધીમે જીવોની જયણા કરતાં પડિલેહણ કરવું. વળી વસ્ત્રના ત્રણ ભાગ બુદ્ધિથી કલ્પીને ચક્ષુથી એક-એક ભાગ જોતાં ત્રણ વાર સંપૂર્ણ વસ્ત્ર જોઈ લેવું. બીજી વખતે પ્રસ્ફોટન (છપૂરિમો કરવા બે છેડેથી ત્રણ ત્રણ વાર નચાવવું.) અને ત્રીજી વખતે “પ્રાર્થના કરવી, એટલે કે વસ્ત્રમાંથી હાથ ઉપર પડયા હોય તે જીવોનું તે વસ્ત્રથી જ પ્રમાર્જન કરવું. હવે નીચેની છ રીતે પડિલેહણા કરવાથી દોષો લાગે છે. (૧) આરભટા: વિપરીત રીતે પડિલેહણા કરવી, અથવા આકુલપણે બીજું બીજું વસ્ત્ર લઇને શીધ્ર શીધ્ર પડિલેહવું તે આરભટા પ્રતિલેખના. (૨) સંમર્દો: પડિલેહણા કરતાં વસ્ત્રના છેડા વસ્ત્રના મધ્યભાગ તરફ વળી જાય છે અથવા ઉપધિ ઉપર બેસીને તેની પ્રતિલેખના કરવી તે સંમર્દી પ્રતિલેખના. (૩) મુશલી : પડિલેહણા કરી પોતાની ઉપાધિ ગુરુના અવગ્રહમાં વિગેરે અસ્થાને મૂકવી તે. (૪) પ્રસ્ફોટન: રજવાળાં વસ્ત્રને ગૃહસ્થ ઝાટકે, તેમ પડિલેહણ કરતાં વસ્ત્રને ઝાટકવું તે. (૫) વિક્ષેપણ : વસ્ત્રની પ્રતિખના કરી વસ્ત્રોને દોરી ઉપર ટીંગાડવા તે. (૬) વેદિકાપંચક : ઉદ્ધવેદિકા વગેરે પાંચ વેદિકા આ પ્રમાણે છે. (i) ઢીંચણો ઉપર હાથ (કોરી) મૂકીને પડિલેહણ કરવું. (ii) ઢીંચણોની નીચે બે સાથળો વચ્ચે) હાથ રાખવા. (ii) એક ઢીંચણને આંતરે બે હાથ રાખવા (iv) બે હાથની વચ્ચે બે ઢીંચણ રાખવા (V) બે ઢીંચણોની વચ્ચે (ખોળામાં) બે ભુજાઓ રાખવી. પ્રતિલેખના કરનાર ઉપર કહેલા છ દોષો વર્જવા જોઈએ. બીજા પણ પ્રતિલેખનાના દોષો છે - (૧) પ્રશિથિલ વસ્ત્રને મજબૂત ન પકડવું અથવા સંપૂર્ણ પહોળુ કર્યા વિના પકડવું. (૨) પ્રલમ્બ વાંકુ પકડીને લાંબુ કરવું કે એક છેડેથી પકડીને લાંબુ કરવું. (૩) લોલન: પડિલેહણા કરતાં અનાદરથી હાથ ઉપર કે જમીન ઉપર જેમ તેમ વસ્ત્રનો સ્પર્શ કરવો. (૪) એકામર્ષ : વસ્ત્રને ત્રણ વિભાગે પહોળુ કરીને જોવાના બદલે વચ્ચેથી પકડીને એક સાથે તેટલું જ પહોળું કરે કે જેથી બાકીનો ભાગ જોયા વિનાનો જ રહે તેમ પડિલેહણા કરવી. (૫) અનેકકમ્પન: ત્રણ પરિમો કર્યા પછી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શ્રમણ ધર્મ વસ્ત્રને અનેક વાર કંપાવવું. અથવા ઘણાં વસ્ત્રોને ભેગાં પકડીને એક સાથે પુરિમો કરવાં. (૬) પ્રમાણમાં પ્રમાદ : નવ અક્બોડા અને નવ પ્રમાર્જના ક૨વાને બદલે પ્રમાદથી ન્યૂનાધિક કરવા. (૭) શંકિતગણનોપગત: અક્બોડા - પ્રમાર્જનાની ગણત્રીમાં શંકા રહેવી. આ દોષોને પણ પ્રતિલેખના કરતાં વર્જવા જોઈએ. હવે પ્રતિલેખના કેવી રીતે કરવી તે બતાવે છે. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ દસ વસ્ત્રોની પડિલેહણા કરતાં સૂર્યોદય થાય, તે રીતે પડિલેહણા કરે. પડિલેહણા-પ્રમાર્જના ન્યૂનાધિક ન કરવી. પડિલેહણામાં વસ્ત્ર અને પુરુષ બંને ક્રમ જાળવવા જોઈએ. વસ્ત્રનો ક્રમ કહેવાઈ ગયો. પુરુષનો ક્રમ આ પ્રમાણે છે - સર્વ પ્રથમ ગુરુની, પછી તપસ્વીની, પછી ગ્લાનની, પછી નવદીક્ષિતની, ત્યારબાદ વૈયાવચ્ચ કરનાર સાધુ બીજા કામમાં રોકાયેલો હોય તો તેની અને પછી પોતાની ક૨વી. આ વિષયમાં અપવાદો પણ છે. તે ઓનિર્યુક્તિ ગ્રંથમાંથી જાણી લેવા. પહિલેહણ કરતાં પરસ્પર વાર્તાલાપ કરે, દેશ વગેરેની વિકથા કરે, પચ્ચક્ખાણ આપે અને સ્વયં વાચના લે કે બીજાને આપે તો પડિલેહણામાં પ્રમાદી સાધુ છ કાયના જીવોનો વિરાધક થાય. ઉપયોગપૂર્વક પડિલેહણા કરનાર સાધુ આરાધક થાય છે. પડિલેહણા જ ન ક૨વાર્થી જિનાજ્ઞા ભંગ-અનવસ્થા-છકાયવિરાધના-મિથ્યાત્વ વગેરે દોષો લાગે છે. અવિધિએ કરવાથી પણ તે દોષો લાગે છે, એમ પંચવસ્તુમાં કહ્યું છે. પ્રાત:કાળે ઉપધિની પડિલેહણા બાદ વસતિની પમાર્જના કરવી. સાંજે પહેલાં વસતિની પમાર્જના પછી પડિલેહણા કરવી. યતિદિનચર્યામાં કહ્યું છે કે વસતિ જીવરહિત હોય તો પણ ચોમાસામાં ત્રણ વા૨ અને શેષકાળમાં બે વાર તેની પ્રમાર્જના કરવી. જીવનો ઉપદ્રવ હોય તો ઘણીવાર પણ કરવી. અને એમ કરવા છતાં ઉપદ્રવ વધુ હોય તો વસતિ બદલવી. વસતિ પ્રમાર્જના ઉપયોગ પૂર્વક ગીતાર્થ સાધુએ કરવી. તે પણ કોમળ દસીવાળા, ચીકાશ મેલ વગેરેથી નહીં ખરડાયેલા અને પ્રમાણોપેત દંડવાળા દંડાસણથી જ, સાવરણીથી નહિં. વસતિની પ્રમાર્જના કરીને એકત્ર થયેલા કાજાને (૨જના પુંજને) જયણા પૂર્વક ઉદ્ધ૨વો. મૃતજીવો હોય તો તેની સંખ્યા ગણવી, છાંયડામાં પઠવવો વગેરે વિધિ જાણવો. દાંડાઓનું પ્રમાર્જન કર્યા બાદ મૂકવાના સ્થાને ઉ૫૨ નીચે પ્રમાર્જના કરે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ અહીં ચક્ષુથી જોવું તે પ્રતિલેખના અને રજોહ૨ણ આદિથી પ્રમાર્જવું તે પ્રમાર્જના કહેવાય. ૩૮ પ્રતિલેખના-પ્રમાર્જના બાદ સ્વાધ્યાય કરવો તે પણ સાપેક્ષ યતિધર્મ છે. પ્રથમ પોરિસી સુધી અર્થાત્ સૂર્યોદયથી પોણો પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય ભૂમિના ૧૦૦ ડગલાંની અંદર હાડકા વગેરેની અશુદ્ધિ હોય, તો તેને દૂર કરી, સાધુ કાલગ્રહણ કરનાર હોય તે મુહપત્તિનું પડિલેહણ કરીને, ગુરુને વંદન કરીને શુદ્ધ વસતિનું અને શુદ્ધકાળનું નિવેદન કરે. પછી પ્રથમ વાચાનાચાર્ય પોતે અને પછી તેઓની અનુજ્ઞા પામેલા બીજા સાધુઓ સજ્ઝાય પદ્મવે (પ્રસ્થાપન કરે.) ત્યારબાદ સૂત્રનો સ્વાધ્યાય કરે. આ પોરિસીને સૂત્રપોરિસી પણ કહેવાય છે. વર્તમાનમાં તો ગીતાર્થો ઉપયોગ કરવાના કાલે જ સજ્ઝાય કરવાં વડે સૂત્રમાંડલીનો વિધિ સાચવે છે. બીજી પોરિસી અર્થ ભણવા માટે હોવાથી અર્થપોરિસી જાણવી. આં' વિધિ ઉત્સર્ગરૂપ જાણવો. અપવાદથી તો સૂત્રો ભણવાનાં બાકી હોય તેવા બાળ (નવ દીક્ષિત) સાધુઓને બંને પોરિસી સૂત્ર ભણવા અને જેઓ મૂળસૂત્રો ભણી ચૂક્યા છે, તેમના માટે બંને પોરિસી અર્થ ભણવા માટે જાણવી. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એમ સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. વિધિપૂર્વક વાચનાચાર્ય પાસે સૂત્ર-અર્થની વાંચના લેવી તે વાચના. તેમાં શંકા પડે તો પૃચ્છા કરે તે પૃચ્છના. ભણેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવું તે પરાવર્તના. ભણેલા સૂત્રાર્થનું વારંવાર ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. ભોલા અર્થોનું યોગ્ય શ્રોતાની આગળ પ્રકાશન કરવું તે ધર્મકથા. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી આત્મહિતનું જ્ઞાન થવાથી અહિતથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ થાય છે. ભાવ સંવર પ્રગટે છે, નવો નવો સંવેગ પ્રગટે છે, શ્રદ્ધા મજબૂત બને છે, મોક્ષમાર્ગમાં નિશ્ચલતા આવે છે, ઉત્કૃષ્ટ તપની સાધના થાય છે. બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવો બીજો કોઈ ઉત્કૃષ્ટ તપ નથી, કારણ કે તેનાથી વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા સધાય છે. તેથી પંચવસ્તુમાં કહ્યું છે કે “અજ્ઞાની ક્રોડો વર્ષોમાં જે કર્મો ખપાવે તે કર્મોને ત્રણ ગુપ્તિથી ગુપ્તજ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે.” વળી સ્વાધ્યાયથી સ્વ-૫૨નો સંસારથી નિસ્તાર થાય છે, ‘પરદેશકત્વ'થી અર્થાત્ અન્યને ઉપદેશ આપી શકવાથી જિનશાસનનો અવિચ્છેદ થાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૩૯ સ્વાધ્યાય નહિ કરનારો ઉન્માદી થઈ રોગોનો ભોગ બની અંતે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તે જે મુનિઓ સૂત્રાર્થ ભણ્યા હોય અને શિષ્યોને તેનું પ્રદાન કરી જવાબદારીથી મુક્ત થયા હોય તે મુનિઓ અથવા મંદ બુદ્ધિને કારણે જે ભણી શકતા ન હોય તે મુનિઓ કર્મનો ક્ષય કરવા માટે ઉગ્ર કાયોત્સર્ગ, આતાપનાદિ કરે. આ વિષયમાં બીજી પણ સૂક્ષ્મ-સૂક્ષ્મ વિગતો યતિદિનચર્યા અને પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવી. ૯૧/. હવે બીજી પોરિસીના સમયમાં કરવાના કર્તવ્યો જણાવે છે. मूलम् :- प्रतिलिख्य ततः पात्राण्यर्थस्य श्रवणं गुरोः । एवं द्वितीयपौरुष्यां, पूर्णायां चैत्यवंदनम् ।।१२।। ગાથાર્થ : ત્યારબાદ બીજી પોરિસીમાં પાત્રપહિલેહણ કરીને ગુરુમુખે અર્થનું શ્રવણ કરવું અને તે પૂર્ણ થાય ત્યારે ચૈત્યવંદન કરવું. ટીકાના સંક્ષેપ ભાવાર્થ : પ્રથમ પોરિસી સુધી સ્વાધ્યાય કર્યા પછી (બીજી પોરિસીના પ્રારંભમાં) પાત્રાનું પ્રતિલેખન કરીને ગુરુના (આચાર્યના) મુખેથી સૂત્રની વ્યાખ્યારૂપ અર્થનું શ્રવણ કરવું, તે સાપેક્ષ યતિધર્મ જાણવો. પોરિસીનું પ્રમાણ તો (ગૃહસ્વધર્મના અધિકારમાં) પચ્ચખાણના વર્ણન વખતે કહેવાઈ ગયું છે. આ પોરિસીની પ્રતિલેખનાનો કાળ ઉલ્લંઘી જાય, મોડી ભણાવે તો “એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે. પોરિસીનો સમય થતે ગુરુને ખમાસમણ આપવાપૂર્વક નિવેદન કરે કે “હે ભગવન્ત ! પ્રથમ પોરસી પ્રતિપૂર્ણ થઈ છે ! ત્યારબાદ ઇરિયાવહી પ્રતિક્રમી પોરિસી મુહપત્તિની પડિલેહણા કરે. ત્યારબાદ પાત્રાનું પ્રતિલેખન કરે. (૧) પાત્ર (૨) પાત્રબંધ (ઝોળી), (૩) પાત્રઠવણ (નીચેનો ગુચ્છો), (૪) પાત્ર કેસરિકા = ચરવળી, (૫) પડલા (ગોચરી ફરતાં, પાત્રા ઉપર ઢાંકવા માટેના વસ્ત્રના યથાઋતુ ત્રણ, ચાર કે પાંચ કકડા), (૯) રજસ્ત્રાણ (૨જથી રક્ષણ કરવા પાત્રોને વીટાળવાનું વસ્ત્ર), (૭) ગુચ્છો (ઉપરનો) આ પાત્રનિર્યોગ છે. શેષકાળ ઋતુબદ્ધ કાળમાં આસન ઉપર અને વર્ષાકાળમાં પાટલા ઉપર પાત્રનિર્યોગ રાખવો. (શયન શેષકાળમાં જમીન ઉપર અને વર્ષાકાળમાં પાટ ઉપર કરવું) પાત્રાદિનું વર્ણન ઉપકરણ અધિકારમાં કહેવાશે. હવે પાત્રાની પ્રતિલેખનાનો વિધિ જણાવે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પ્રથમ પાત્રાની પાસે આસન ઉપર બેસીને કાન વગેરે ઇન્દ્રિયોથી ઉપયોગ કરતો પાત્રાનું પડિલેહણ કરે. ૪૦ કાનથી પાત્રામાં ઉપયોગ આપે, જો તેમાં ભરાઈ ગયેલા કોઈ ભમરા-ભમરી આદિનો અવાજ સંભળાય તો તેને જયણાપૂર્વક દૂર કરે, પછી પાત્રપડિલેહણ કરે. નેત્રોથી ખ્યાલ કરતાં ઊંદ૨ડી વગેરે કે તેણે ભરેલી ધૂળ વગેરે દેખાય તો જયણાપૂર્વક દૂર કરે. નાસિકાથી પણ ઉપયોગ આપે, કદાચ તેમાં સુરભકાદિ (‘સુંવાળી’ નામના) કોમળ જીવના ફરવા વગેરેથી મર્દન થયું (ખરડાયું) હોય તો ગંધથી જાણીને તેને દૂર કરે, જીહ્વાથી ઉપયોગ આપે, ૨સથી કંઈ જણાય તો દૂર કરે, તે આ રીતે - જ્યાં રસ હોય ત્યાં ગંધ હોય. પોતાના ઉચ્છ્વાસ વિગેરેથી હોઠને લાગેલો ગંધના પુગલોને જીહ્વા વડે સ્પર્શવાથી ૨સ જણાય. સ્પર્શેન્દ્રિયના ઉપયોગથી કદાચિત્ તેમાં ઊંદરડી વગેરે હોય તો તેના નિ:શ્વાસનો વાયુ શરીરને લાગવાથી, ખાત્રી થતાં દૂર કરે. આમ પાંચે ઇન્દ્રિયોના ઉપયોગપૂર્વક પ્રતિલેખના કરે. હવે ગુચ્છાને ‘મુખનન્તક’થી અર્થાત્ રજોહરણ તથા મુખવસ્ત્રિકા વડે પ્રમાએઁ. પછી તે જ ગુચ્છાને અંગુલીઓથી પકડી પડલાઓનું પ્રમાર્જન કરે. ત્યારબાદ ગુચ્છાને ડાબા હાથની અનામિકા આંગળીથી પકડી પાત્રકેશરિકાને પાત્રામાંથી લઇને ઝોળીના ચાર-ખૂણાને પાત્રાની ઉપર જ ભેગા રાખીને તેનું પ્રમાર્જન એ પાત્રકેશરિકાથી કરે. પછી એ જ પાત્રકેસરિકાથી પાત્રના કાંઠાને પ્રમાર્જે, પછી (અંતરે અંતરે) ત્રણવાર બહારથી અને ત્રણવાર અંદ૨થી પાત્રાનું પ્રમાર્જન, કરે. અને છેલ્લે પાત્રાના તળીયાનું પ્રમાર્જન કરે. નીચે પડી જવાના ભયે પાત્રને જમીનથી માત્ર ચાર આંગળ ઊંચે રાખી પ્રતિલેખના કરવી. આ વિષયમાં વિશેષ ઓધનિર્યુક્તિ ગાથા-૨૯૨-૨૯૩-૨૯૪થી જાણી લેવું. પાત્રની પડિલેહણાનાં બાર સ્થાનો બહાર, બાર સ્થાનો અંદર અને પચીસમો કરસ્પર્શ, એમ પચ્ચીસ સ્થાનોએ પચ્ચીસ બોલ બોલવાના છે. પ્રતિલેખના બાદ સર્વવસ્ત્રોનો વીંટીઓ બાંધવો અને પાત્ર તથા રજસ્ત્રાણને પોતાના ખોળામાં રાખવાં, નીચે નહિ મૂકવાં. કારણ કે અગ્નિ આદિના ઉપદ્રવ વખતે બચાવી શકાય. ઉનાળા-શિયાળામાં આ વિધિ જાણવો. ચોમાસામાં ઊધિ બાંધવાની જરૂર નથી, તેમ પાત્ર પણ બીજે કોઈ સુરક્ષિત સ્થાને મૂકવાં. ચોમાસામાં ઉપદ્રવનો સંભવ નથી. આ કારણથી ઉપધિને બાંધવાની કે પાત્રને પાસે રાખવાની આવશ્યકતા નથી. વિશેષ કારણો ઓઘનિર્યુક્તિથી જાણવા. પ્રતિલેખનામાં અપવાદ - Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ અશિવ વગેરે કારણે અકાળે પણ પ્રતિલેખના કરી શકાય. મારી-મરકી ચોર રાજભય - દુષ્કાળ, માંદગી આદિના કારણે પ્રતિલેખના ન પણ કરે, અથવા મોડી વહેલી કરે, અથવા આરભડા વિગેરે દોષયુક્ત કરે. આમ યથાયોગ્ય અપવાદને સેવે. - પાત્ર પ્રતિલેખના બાદ સૂત્રના અર્થની વાચના હોવાથી બીજી પોરિસીને અર્થમાંડલી અથવા અર્થ પોરિસી પણ કહેવાય છે. ૪૧ વાચના સમયે વિક્ષેપ ન થાય તે માટે પચ્ચક્ખાણ પણ ન અપાય તો બીજી વાતો કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તે સમજી શકાય છે. અર્થ પોરિસી પૂર્ણ થયે જિનમંદિરમાં દેવદર્શન-ચૈત્યવંદન કરવું સાપેક્ષ યતિધર્મ છે. ભિક્ષાકાળની વાર હોય તો ચૈત્યવંદન વિશિષ્ટ રીતે કરવું કે જેથી ગોચરીનો સમય થઈ જાય. ભિક્ષાકાળ વહેલો હોય તો ચૈત્યવંદન કરવા માટે સૂત્ર-અર્થ પોરિસીમાંથી થોડો થોડો સમય કાપવો. ગોચરીનો સમય ઉત્સર્ગથી ત્રીજી પોરિસીનો છે અને માસકલ્પના છેલ્લા દિવસે વિચરવાનો (વિહાર કરવાનો) સમય પણ તે જ છે. જો દૂર જવાનું હોય તો બીજીમાં કે પ્રથમ પોરિસીમાં પણ વિહાર કરવો. અષ્ટમી-ચતુર્દશીએ સર્વજિનમંદિરોએ અને શેષદિવસમાં એક જ મંદિરે જિનદર્શનવંદન કરવું. ચૈત્યવંદનના ભેદો તથા વિધિ પ્રથમ ભાગમાંથી જાણી લેવો. હવે ત્રીજી પોરિસીનાં કર્ત્તવ્યો કહે છે. मूलम् :- कृत्वोपयोगं निर्दोष - भिक्षार्थमटनं तदा । आगत्यालोचनं चैत्य વન્દ્રનાવિવિધિસ્તતઃ ।।oરૂ।। - ગાથાર્થ : ભિક્ષાના સમયે ઉપયોગનો કાયોત્સર્ગ કરીને બેંતાલીસ દોષોથી રહિત નિર્દોષ અર્થાત્ સર્વસંપત્કરી ભિક્ષા માટે પર્યટન કરવું (ફરવું), આવીને ગુરુ સમક્ષ તેની આલોચના કરવી અને પછી પચ્ચક્ખાણ પારવા માટેની ચૈત્યવંદનાદિની ક્રિયા કરવી. ગાથાનો સંક્ષેપ ભાવાર્થ : ભિક્ષાના સમયે તે અવસરે કરવા યોગ્ય ઉચિત કર્તવ્યને કરીને બેતાલીસ દોષોથી રહિત અર્થાત્, ‘સર્વસંપત્ઝરી' ભિક્ષા માટે ગુર્વાશાપૂર્વક ગૃહસ્થના ઘરોમાં ફરવું તે સાપેક્ષ યતિધર્મ છે. અષ્કજી પ્રકરણમાં ભિક્ષા ૩ પ્રકારની કહી છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૧) શુભધ્યાન આદિ સાધુતામાં પ્રવર્તતો, ગુર્વાશાનો પાલક, આજીવિકા માટે પણ આરંભનો ત્યાગી, વૃદ્ધ-ગ્લાન વગેરેને માટે ભ્રમરની જેમ જુદા-જુદા ઘરેથી થોડું-થોડું લેનારો તથા “આ ભિક્ષા સાધુ અને ગૃહસ્થ બંને માટે ઉ૫કા૨ક છે માટે લજ્જા વિના તે માગવી જોઈએ” એવા શુભ આશયથી ફરનારો હોય તેવા સાધુની ભિક્ષા સર્વસંપત્કરી ભિક્ષા કહેવાય છે. ૪૨ (૨) જે સાધુ દીક્ષિત થવા છતાં સાધુતાથી વિરુદ્ધ વર્તે છે, પાપારંભમાં પ્રવૃત્તિ કરે છે, ભિક્ષાથી જીવન ચલાવે છે, તેની ભિક્ષા (તેના વીર્યંતરાયના ક્ષયોપશમથી પ્રગટતા) પુરુષાર્થની ઘાતક હોવાથી ‘પૌરુષઘ્ની’ કહેવાય છે. (૩) જેઓ અંધ-નિર્ધન કે પાંગળા હોવાના કારણે કોઈ ઉપાય દ્વારા આજીવિકા મેળવી શકે તેમ નથી, તેઓ માત્ર ઉદર ભરણ(જીવવા) માટે ભિક્ષા માગે, તેઓની ભિક્ષા વૃત્તિભિક્ષા કહેવાય છે. ભિક્ષા માટે પરિભ્રમણનો ક્રમ આ પ્રમાણે છે જ્યારે સમય થાય ત્યારે સાધુ માત્રાદિની બાધા ટાળી ગુરુને ખમાસમણ દેવાપૂર્વક મુખવસ્તિકાનું પડિલેહણ કરી, પુન: ખમાસમણ દઈ ‘માવનું પાત્રાળિ સ્થાને સ્થાપયામિ' કહીને પાત્રાનું પ્રતિલેખન-પ્રમાર્જન કરીને પડલા સાથે ઝોળીમાં ગ્રહણ કરે અને ડાબા હાથમાં દાંડો પકડીને ગુરુ સન્મુખ ઊભો રહી ઉપયોગનો કાયોત્સર્ગ કરે. તેમાં શ્રી નમસ્કાર મહામન્ત્રને ચિન્તવે, આ વિષયમાં બીજો એક મત છે જે કહે છે કે નમસ્કારમન્ત્ર પૂર્વક ઉપયોગના કાયોત્સર્ગમાં ઉત્તમમુનિ આ રીતે ધર્મયોગને પણ ચિન્તવે કે - ગુરૂ બાળ વૃદ્ધ ગ્લાન નવદીક્ષિતાદિ માટે પણ અમુક અમુક આહારાદિ લાવીશ, માત્ર મારા માટે જ લાવીશ એમ નહિ' ત્યારબાદ પ્રગટ, નમસ્કારમન્ત્ર કહીં વિનયપૂર્વક મુનિ કહે ‘ફ∞ાળારેળ સંવિસજ્જ માવત્' ‘તદ્ઘત્તિ’ (હે ભગવન્ત્ ! મને આજ્ઞા આપો) ગુરુ ઉપયોગપૂર્વક કહે ‘મ’ (કાળને ઉચિત અને અનપાય હોવાથી તમે લાભ લ્યો) ત્યાર બાદ ‘ન્હેં જેસું’ (કેવી રીતે ગ્રહણ કરીએ ?) એમ શિષ્ય નમ્ર થઈને પૂછે. ત્યારે ગુરુ તત્તિ નહિઞ પુવ્વસાહૂäિ' (જેમ પૂર્વ સાધુઓએ ગ્રહણ કર્યું, તેમ તમે પણ કરજો) કહે. પછી સાધુ ‘નર્સી નોì’(વસ્ત્ર પાત્રાદિ જે વસ્તુનો જોગ મળશે તે હું ગ્રહણ કરીશ) આમ કહીને ‘આવહી’ કહેવા પૂર્વક બહાર નીકળે. વર્તમાન સામાચારી પ્રમાણે આ ઉપયોગનો કાયોત્સર્ગ સવારે જ કરી લેવાતો હોય છે. આ વિષયમાં વિશેષ વિગતો પંચવસ્તુ-ઓનિર્યુક્તિથી જાણી લેવી. ગોચરીના વિષયમાં એષણા ત્રણ પ્રકારની છે. (૧) ગવેષણૈષણા, (૨) ગ્રહણૈષણા, (૩) ગ્રાસૈષણા. તેમાં આહારાદિને ગ્રહણ કરવા માટે કયો સમય છે, કયા દોષ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રમણ ધર્મ લાગી શકે છે, વગેરે વિચાર ક૨વો તે ગવેષણૈષણા છે. આહારાદિ લેતાં કે લેવા માટેનો વિચાર કરવો તે ગ્રહણૈષણા. ગ્રાસ=ભોજન, તેના સમયે અથવા તે સંબંધમાં વિચાર કરવો તે ગ્રાસૈષણા. હવે ઉત્સર્ગ-અપવાદથી ગવેષણૈષણાના આઠ દ્વા૨ો ઓનિર્યુક્તિના આધારે જણાવાય છે. (૧) પ્રમાણ : કેટલીવાર ગૃહસ્થોને ત્યાં ભિક્ષા લેવા જવું ? અર્થાત્ એકવારબેવાર વગેરે વિધાન કરવું. આ ઉત્સર્ગથી, અપવાદથી આચાર્ય, ગ્લાન, તપસ્વી, પ્રાથુર્ણક વગેરે માટે ઘણીવાર પણ જઈ શકાય (૨) કાલ : (ગૃહસ્થોના ત્યાં) ભિક્ષાનો કાળ થાય ત્યારે ગ્લાનાદિ માટે ‘પ્રથમાલિકા' (પ્રાત:ભોજન) લાવવા પ્રથમ પોરિસીના અંતે નીકળે અથવા કારણસર પ્રથમ પોરિસી અડધી થાય ત્યારે નીકળે, પણ સાધુ જો અતિપ્રભાતે આહારાદિ માટે ફરે તો ‘માસલઘુ’ પ્રાયશ્ચિત્ત લાગે આ ઉત્સર્ગથી. અપવાદથી બીમાર કે તપસ્વી માટે સવારમાં વહેલા કે ભિક્ષાકાળ વ્યતીત થયા બાદ પણ નીકળે. (૩) આવશ્યક : લઘુ-વડીનીતિ વગેરેની બાધા ટાળીને નીકળે-આ ઉત્સર્ગથી. અપવાદે અનાભોગથી લઘુ-વડી નીતિની બાધા ટાળ્યા વિના જાય અને વચ્ચે શંકા થાય તો ઉપાશ્રયમાં પાછો આવી ટાળે, દૂર હોય તો પાત્રા બીજા સાધુને આપી.ટાળવા જાય, વધુ સમય રોકવા અસમર્થ હોય તો નજીકમાં એકસામાચારીવાળા સાધુના ઉપાશ્રયમાં, તે ન હોય તો ભિન્ન સામાચારીવાળા સાધુના ઉપાશ્રયમાં, તે પણ ન હોય તો શ્રદ્ધાળુ શ્રાવકના ઘરે, તે પણ ન હોય તો વૈદ્ય ને શરીરના મળ-મૂત્ર-વગેરે ત્રણ શલ્યો જણાવી તે અનુમતિ આપે ત્યાં બાધા ટાળવી, તે પણ ન હોય તો બે ઘરની વચ્ચે, તે પણ ન શક્ય બને તો ગૃહસ્થની માલિકીની જગ્યામાં, અંગર રાજમાર્ગ ઉપર પણ શંકા ટાળે. રાજમાર્ગ વગેરે જાહે૨ સ્થાનમાં માત્ર વડીનીતિ કરે - લઘુનીતિ નહીં. કારણ કે રાજકચેરીમાં ફરીયાદ થાય તો ઉપાડી લઈ સમાધાન કરી શકાય. (૪) સંઘાટક : એકલા નહીં જતાં બીજા સાધુની સાથે જવું. એકાકી જવામાં સ્ત્રી કે દ્વેષીથી ઉપદ્રવ થવાનો સંભવ રહે. (એકાકી થવાનાં કારણો બૃહત્કલ્પની ગાથા-૧૭૦૩ થી જાણી લેવાં.) અપવાદે દુષ્કાળાદિને કારણે ગોચરી દુર્લભ બને ત્યારે, અથવા પોતાની લબ્ધિથી આહાર મેળવવાના નિયમવાળો સાધુ-એકાકી ફરે, એષણાની દઢતાદિ બીજા સારા ગુણો હોય છતાં, કલહપ્રિય સ્વભાવના કારણે કોઈ સાધુ તેની સાથે જવા તૈયા૨ ન હોય તો એકાકી જાય. અહીં સ્ત્રી આદિના ઉપદ્રવને ધર્મોપદેશ, કપટ, છેવટે આત્મઘાત સુધીના ઉપાયોથી દૂર કરે, પણ આચારોનું ખંડન ન કરે. (૫) ઉપકરણ : ઉત્સર્ગે ગોચરી માટે ફરતાં સાધુએ તમામ ઉપકરણો લઈને જવાનું. અપવાદે અશક્ત હોય તો પાત્ર-પડલા-રજોહરણ-દંડ-ઉનની કામળી-સુતરાઉ બે કપડા તથા Page #111 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ માત્રક આટલા વાંના તો સાથે રાખે જ. (૭) માત્રક : ભિક્ષાએ ફરતાં સાધુએ સંસક્ત (જીવયુક્ત) પદાર્થ આવી જાય તો તેને અલગ કરવા માત્રક લઈને જવું. અપવાદે બીમાર સાધુની ગોચરી માટે જલ્દી જવાનું હોય ત્યારે અનાભોગથી અથવા માત્રકને રંગ કર્યો હોય તો તેને ન લઈ જાય. (૭) કાયોત્સર્ગ : ઉપયોગનો કાયોત્સર્ગ કરીને નીકળવું. અનાભોગ અથવા ઉતાવળના કા૨ણે કાયોત્સર્ગ કર્યા વિના જવાનું બની શકે. (૮) ‘ખસ્સું ય નો’ ભિક્ષા માટે જતાં ગુરુની આગળ ‘જસ્સ જોગો' અથવા જવું. આમાં અપવાદ નથી. જો ન કહે તો ગુરુની ચોરી ગણાય. ૪૪ ઉપર કહેલી વિધિ કરીને શ્રી ગૌતમસ્વામીનું નામસ્મરણ કરવાપૂર્વક જે બાજુની નાસિકામાંથી પવન વહેતો હોય તે બાજુનો પગ પ્રથમ ઉપાડી દંડનો છેડો જમીનને ન અડકે તે રીતે ગ્રહણ કરી પોતે જે ગામમાં હોય તે ગામમાં ભિક્ષા માટે જાય. જો નજીકમાં બીજા ગામે ભિક્ષા માટે જવાનું હોય તો આ વિધિ જાણવો - પ્રથમ ગામ બહાર રોકાઈને કોઈને ભિક્ષાનો સમય પૂછે, જો સમય થયો હોય તો પ્રવેશ કરે અને ભિક્ષા સમયની વાર હોય તો તેટલો વિલંબ કરી પ્રવેશે, પ્રવેશતાં પગ પ્રમાર્જીને તથા પાત્રાને પ્રમાર્જીને-પ્રતિલેખન કરવા પૂર્વક ગામમાં પ્રવેશ કરે. ગામમાં પેસતાં કોઈ સાધુ અથવા ગૃહસ્થને પૂછીને ત્યાં બીજા સાધુઓ છે કે નહીં તે જાણી લે. એક સામાચારીવાળા હોય તો પાત્રા સહિત ઉપાશ્રયમાં અંદર પ્રવેશી દ્વાદશાવર્ત વદંન કરે, ભિન્ન સામાચારીવાળા હોય તો ઉપકરણો બહાર મૂકીને ઉપાશ્રયમાં પ્રવેશ કરીને વાંદે, સંવિજ્ઞપાક્ષિક (શિથીલ,છતાં સંવેગીના પક્ષપાતી) હોય તો બહાર ઊભા રહીને જ તેમને વાંદી સુખશાતાદિ પૂછે અને ધૂર્ત જેવા ઉન્માર્ગી હોય તો તેઓને માત્ર થોભવંદન કરે. તે પછી તેઓને કુશળ સમાચાર પૂછીને પોતાનું આવવાનું કારણ જણાવે, સ્થાપના કુલો (કારણસર જ ગોચરી જવાતા કુલો) અને નિષિદ્ધ કુલોની પૃચ્છા કરે, તેઓ જણાવે તે રીતે તે કુલોનો ત્યાગ કરી ગોચરી માટે ફરે. નિષિદ્ધ ઘરોમાં ગોચરી જનાર ગણધરોની મર્યાદાનું ઉલ્લઘન કરતો દર્શન-જ્ઞાનાદિનો વિરાધક થાય, તેને બોધિ દુર્લભ થાય છે. આ રીતે ફરતા સાધુને મોક્ષરૂપ મહાફળ સુલભ બને છે. તેમાં અભિગ્રહધારી સાધુનો વિશિષ્ટ આચાર છે. અભિગ્રહો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એમ ચાર પ્રકારે છે. (૧) ‘અમુક વસ્તુ કે અમુક સાધનથી વહોરાવશે તે જ દ્રવ્યને ગ્રહણ કરીશ’ વગેરે દ્રવ્યનો નિયમ કરવો તે દ્રવ્ય અભિગ્રહ. (૨) ૧‘આઠ ગોચરભૂમિઓના ક્રમનો કે ૧. આઠ ગોચર ભૂમિ - (૧) ઋજ્વી, (૨) ગત્વાપ્રત્યાગતિ, (૩) ગોમૂત્રિકા, (૪) પતંગવિથી, (૫) પેટા, (૬) અદ્ધે પેટા, (૭) અત્યંતર શમ્બૂકા, (૮) બાહ્ય શમ્બુકા. આનો વિસ્તાર પંચવસ્તુ ગાથા-૩૦૦થી જાણવો. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૪૫ અમુક સંખ્યા જેટલા ઘરોમાંથી જે ભિક્ષા મળશે તે જ લઈશ” તે ક્ષેત્ર અભિગ્રહ. (૩) ભિક્ષાનો સમય વ્યતીત થયા પછી કે સમય થયા પહેલાં જે મળશે તે જ લઈશ એવો કાળનો અભિગ્રહ. (૪) “ભાજનમાંથી પોતાના માટે ઉપાડેલો અથવા અમુક રીતે કે અમુક સ્થિતિમાં વહોરાવેલો, વગેરે મળશે તે જ આહાર લઈશ” આવો નિયમ તે ભાવાભિગ્રહ. સત્ત્વશાળી મહાત્માઓ આવા અભિગ્રહો પાળીને કર્મમળનો ક્ષય કરી શુદ્ધ થાય છે. આ વિષયમાં વિશેષ પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવું. પિંડ(અનાદિ), શયા(મકાન), વસ્ત્ર, પાત્ર વગેરે જે જે “ઉદ્ગમ-ઉત્પાદન વગેરે સુડતાલીસ દોષોથી દૂષિત હોય તે જ્ઞાનાદિ ગુણોનો ઉપઘાત (નાશ) કરે છે. માટે આ ચારેય નિર્દોષ જ ગ્રહણ કરવા જોઈએ. તે દોષો નીચે પ્રમાણે છે. ગૃહસ્થ પિંડને તૈયાર કરતાં જે દોષ સેવે તે “ઉદ્દગમ દોષો' કહેવાય. તે સોળ છે. પિંડ મેળવતી વખતે “ધાત્રીકર્મ' વગેરે સેવવારૂપ સોળ દોષ “ઉત્પાદન'ના સાધુના છે. અશનાદિ પિંડને લેતી વેળા શંકિત વગેરે દોષો ગૃહસ્થ અને સાધુ ઊભયથી થાય છે. તે દસ “એષણા' દોષો કહેવાય છે. ભોજન કરતી વખતે ગ્રામૈષણાના દોષો લાગે છે. તે પાંચ છે. આમ ત્રિવિધ એષણામાં ૪૭ દોષો સમજવા. અર્થાત્ અન્વેષણ કરવામાં, ગ્રહણ કરવામાં અને ભોજન કરવામાં એમ ત્રણ પ્રકારની એષણામાં ૪૭ દોષો લાગે છે. હવે પંચવસ્તુ ગ્રંથના આધારે સોળ ઉદ્ગમદોષો કહેવાય છે. (૧) "આધાકર્મ : સાધુના માટે સચિત્તવસ્તુ અચિત્ત કરાય કે અચિત્તને પકાવાય તેને આધાકર્મ કહેવાય છે. ૧૧. આધાકર્મમાં હિંસા થાય છે. સાધુએ હિંસાનો ત્રિવિધ ત્યાગ કર્યો હોવાથી તે અકથ્ય છે. ગૃહસ્થ સ્વયં સાધુ માટે બનાવ્યું હોય તો પણ સાધુ લે તો અનુમોદનાનું પાપ તો લાગે જ. સાધુએ કરાવીને લીધું હોય તો કરાવવાનું પાપ પણ લાગે. અનુમોદના ત્રણ પ્રકારની છે. (૧) અધિકાર હોવા છતાં પાપકર્મોનો નિષેધ નહિ કરવાથી અનિષેધ અનુમોદના લાગે. (૨) પાપથી તૈયાર કરેલી વસ્તુનો ઉપભોગ કરવાથી ઉપભોગ અનુમોદના લાગે. (૩) પાપ કરનારાઓની સાથે વસવાથી સહવાસ અનુમોદના લાગે. જેમ ચોરી નહિ કરનાર પણ ચોરીની વસ્તુ લેનાર ચોરને ઘરમાં રાખનાર અને ચોરની સાથે રહેનાર શિક્ષાને પાત્ર બને છે, તેમ ઉપરની બાબતમાં પણ જાણી લેવું. આ રીતે આગળના દોષો પણ ગૃહસ્થ સાધુની પ્રેરણા વિના સેવ્યા હોય છે, તો પણ તે દરેકમાં સાધુનો ઉદ્દેશ રાખેલો હોવાથી, એ લેવાથી સાધુને ઉપર પ્રમાણે અનુમોદનારૂપ દોષ લાગે છે અને સાધુએ તેમાં પ્રેરણા કરી હોય તો કરાવવાનો દોષ પણ લાગે. કોઈ પણ કાર્ય કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણે વ્યવહારથી સમાન છે. માટે તે, સાધુને લેવાનો નિષેધ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૨) ઔદ્દેશિક : ગૃહસ્થે પોતાના માટે ભોજન બનાવતી વખતે યાચકી માટેનો ઉદ્દેશ રાખીને તેમાં ચોખા વિગેરે વધારે નાખીને તૈયાર કરે તે ઔદ્દેશિક કહેવાય છે. તેના ભેદ-પ્રભેદ પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવા. ૪૭ (૩) પૂતિકર્મ : આધાકર્મિક પિંડના અંશમાત્રથી મિશ્ર થયેલું આહારાદિ દ્રવ્ય શુદ્ધ હોય તો પણ તે પૂતિકર્મ દોષવાળું જાણવું. અર્થાત્ આધાકર્મિક દ્રવ્યના અંશ માત્રથી ખરડાયેલા ભાજન-ચાટવો-કડછી વગેરેની સહાયથી શુદ્ધ આહાર પણ પૂતિકર્મવાળો થતો હોવાથી સાધુએ વહોરવો નહિ. (૪) મિશ્રજાત : પ્રથમથી જ પોતાના માટે અને સાધુને આપવા માટે ભેગું તૈયાર કરેલું તે ‘મિશ્રજાત' જાણવું. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણવા. (૫) સ્થાપના : સાધુ વગેરેને આપવા માટે કેટલાક સમય સુધી મૂકી રાખવું તે સ્થાપના કહેવાય. જે પિંડ વગેરેની આ સ્થાપના કરાય તે દાન આપવા માટેનો પિંડ આહારાદિ પણ ‘સ્થાપના’ કહેવાય. આના ભેદો-પ્રભેદો પંચવસ્તુથી જાણવા. (૩) પ્રાકૃતિક : સાધુને દાન આપવાની બુદ્ધિથી ગૃહસ્થ પોતાના ઘરે આવતા વિવાહાદિ કાર્યોને વહેલા-મોડા કરે તે પ્રાકૃતિક. આના ભેદો-પ્રભેદો પંચવસ્તુથી જાણવા. (૭) પ્રાદુષ્કરણ : દાન દેવા યોગ્ય વસ્તુ હોય ત્યાં ભીંત તોડીને, બારી મૂકીને અથવા મણી વિગેરેથી પ્રકાશ કરવાથી કે ઘરમાં અંધારામાંથી બહાર લાવવાથી આ દોષ લાગે છે. જીવહિંસા સંભવિત હોવાથી અંકલ્પ્ય છે. (૮) ક્રીત : સાધુના માટે વસ્તુ મૂલ્યથી ખરીદવી તે ‘ક્રીત’ કહેવાય. તેના ચાર પ્રકારો પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવા. (૯) પ્રામિત્યક : સાધુને આપવા માટે જે વસ્તુ ઉછીની (બદલામાં તેવી વસ્તુ પાછી આપવાની શરતે ઉધાર) લેવામાં આવે તે પ્રામિત્યક દોષ. તેના બે ભેદો પંચવસ્તુથી જાણવા. પાછું આપવાનું ભૂલી જાય અથવા એવી સ્થિતિ ન રહે તો લેણદાર તરફથી સાધુના નિમિત્તે આપત્તિ આવે. (૧૦) પરિવર્તિત : પોતાનું બગડી ગયેલું ઘી વગેરે વસ્તુ બીજાને આપીને બદલામાં તેની પાસેથી સારું-તાજુ ઘી વગેરે વસ્તુ મેળવીને સાધુને આપવી તે પરિવર્તિત દોષ. આના બે ભેદ પંચવસ્તુથી જાણી લેવા. લેનારીનો પતિ અષયશને કારણે અને આપનારીનો પતિ હલકું ગ્રહણ કરવાને કા૨ણે તેની તર્જનાદિ કરે અને એમાં નિમિત્ત સાધુ બને માટે અકલ્પ્ય છે. (૧૧) અભ્યાકૃત : ઘરેથી કે પોતાના ગામથી સાધુને વહોરાવવાની વસ્તુ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ સાધુ હોય ત્યાં સામે લઈ જવી તે ‘અભ્યાસ્કૃત’ કહેવાય છે. તેના ભેદો પંચવસ્તુથી જાણી લેવા. સામે લાવવામાં રસ્તામાં વિરાધના સંભવિત છે માટે અકલ્પ્ય. ૪૭ (૧૨) ઉદ્ભિન્ન : વસ્તુને ઉઘાડી-ઉખેડીને આપે તે ઉદ્દભિન્ન કહેવાય. જેમ કે કોઈએ ગોળ, ઘી વગેરેના ભાજનને માટી વગેરેથી લીંપીને બંધ કર્યું હોય, તે ઉ૫૨ની માટી વગેરે ઊખેડીને, અથવા ગાંઠ છોડીને પોટકીમાંથી, તાળુ ખોલીને પેટી-કબાટ વિગેરેમાંથી વહોરાવે ત્યારે આ દોષ લાગે. ત્રસ-સ્થાવર જીવોની હિંસાનો સંભવ હોવાથી સાધુને અકલ્પ્ય છે. (૧૩) માલાપહત : છીકું-માળીયું-છાજલી વગેરેમાં ઉ૫૨ ભોંયરા વિગેરેમાં નીચે અથવા ઊંડા કોઠાર, કોઠી, વિગેરેમાં અથવા કષ્ટપૂર્વક લઈ શકાય એવા સ્થાને રહેલી વસ્તુ સાધુ માટે લાવીને સાધુને આપવી તે માલાપહત. લેવામૂકવા આદિમાં જીવહિંસા થાય, લેતી વખતે પડી જવાય, વસ્તુ હાથમાંથી પડી જાય તો ત્રસ જીવોની વિરાધના વગેરે હોવાના કારણે તે અકલ્પ્ય છે. આના ભેદો પંચવસ્તુથી જાણી લેવા. (૧૪) આચ્છેદ્ય : પારકું છતાં બળાત્કારે લઈને (ઝુંટવીને) સાધુને આપે તે આચ્છેદ્ય કહેવાય. આ દોષમાં સાધુને નિમિત્તે બીજાને અપ્રીતિ થાય-સાધુ ઉપર અસદ્ભાવ થાય - તેથી મિથ્યાત્વનો બંધ-અને દુર્લભબોધિપણું થાય, તેથી અકલ્પ્ય છે. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણવા. (૧૫) અનિસૃષ્ટ : જે આહાર અમુક માણસોની મંડલી વગેરેનું હોય, તેમાંથી એક માણસ બીજા મંડલીના માણસોને પૂછ્યા વિના-અનુમતિ વિના અથવા નિષેધ કરવા છતાં સાધુને વહોરાવે, તે અનિસૃષ્ટ કહેવાય. આમાં પણ આપનાર સિવાય બીજાઓને અપ્રીતિ વગેરે આચ્છેદ્યમાં કહેલા દોષો લાગે માટે અકલ્પ્ય છે. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણી લેવી. (૧૭) અધ્યવપૂરક : પોતાના માટે રસોઈનો પ્રારંભ કર્યા બાદ, જાણવા મળે કે સાધુઓ આવ્યા છે તો તેઓને દાન આપવા માટે ચાલુ રસોઇમાં નવો વધારો કરવો તે અધ્યવપૂરક કહેવાય. રસોઈમાં થતી જીવહિંસામાં સાધુની ભાગીદારી બને, માટે તે અકલ્પ્ય. તેના ત્રણ ભેદો પંચવસ્તુથી જાણી લેવા. ઉપરોક્ત દોષોમાં આધાકર્મ, ઔદેશિક્ના (છેલ્લા) ત્રણ ભેદો, મિશ્રજાત, અને અધ્યવપૂરકના બે ભેદો, આહારપૂતિકર્મ અને બાદર પ્રાકૃતિકા આટલા દોષો દોષિત વસ્તુ જુદી કરવા છતાં પણ તેની સાથે બાકી રહેલી નિર્દોષ પણ વસ્તુ શુદ્ધ થતી નથી. તેથી તે અવિશોધિકોટીના દોષો જાણવાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ .. ઔદેશિકના નવ ભેદો, ઉપકરણપૂર્તિકર્મ, યાવદર્થિક મિશ્રજાત, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્દભિન્ન, માલાપહંત, આચ્છિદ, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, કીત, પ્રામિત્યક, સૂક્ષ્મ પ્રાકૃતિકા, બે પ્રકારના સ્થાપનાપિંડ એ સર્વ દોષો વિશોધિકોટીના છે. દોષિત અંશ બાજુ પર કાઢી લેવાથી, બાકીનો અંશ કહ્યું છે. આ વિશોધિકોટીના દોષવાળો અશુદ્ધ અંશ ત્યજી બાકીનો શુદ્ધ આહાર પણ નિર્વાહ થતો ન હોય ત્યારે જ સેવવાનો, નિર્વાહ થતો હોય તો શુદ્ધ-અશુદ્ધ બંને ત્યજી દેવો. 'ઉદ્ગમદોષો જણાવ્યા. હવે ઉત્પાદનોના ર્દોષો પણ નીચે પ્રમાણે ૧૯ છે. (૧) ધાત્રી દોષ ધાવમાતા સામાન્યથી (૧) પારકા બાળકને ધવડાવનારી, (૨) સ્નાન કરાવનારી, (૩) કપડાં-આભરણ વગેરે પહેરાવનારી, (૪) રમાડનારી, (૫) ખોળામાં બેસાડનારી, (તેડીને ફરનારી) આ પાંચ પ્રકારની કહેલી છે. મુનિ ભિક્ષા માટે ગૃહસ્થનાં બાળકોનું એવું ધાત્રીકર્મ કરી પિંડ મેળવે, તો તે ધાત્રીપિંડ કહેવાય. (૨) દૂતિ દોષ : પરસ્પરનો સંદેશો કહેવો તે દૂતિપણું કહેવાય, ભિક્ષા માટે સાધુ ગૃહસ્થના પરસ્પર સંદેશા કહી (પ્રીતિ પ્રગટ કરીને) પિંડ મેળવે તે દૂતિપિંડ દોષ કહેવાય. . (૩) નિમિત્ત દોષ : સાધુ ભિક્ષા માટે ભૂત-ભવિષ્ય કે વર્તમાન કાળે થયેલાંથનારાં કે થતાં લાભ-હાનિ વગેરે ગૃહસ્થને કહી તેની પાસેથી પિંડ મેળવે તે નિમિત્તપિંડ કહેવાય. (૪) આજીવક દોષ : ભિક્ષા મેળવવાના ઉદ્દેશથી જે જે જાતિ-કુલ-ગણકર્મ-શિલ્પને યોગે ગૃહસ્થ પોતાને શ્રેષ્ઠ માનતો, તે તે જાતિ વગેરેને આગળ કરી (અર્થાત્ હું પણ તે જાતિ વગેરેનો છું. તેવું કહી) પ્રીતિ ઉત્પન્ન કરી, ગૃહસ્થ જે આપે તે લેવું, તેને આજીવક પિંડ કહેવાય છે. (૫) વનપક દોષ : શ્રમણ (બૌદ્ધો), બ્રાહ્મણ, ક્ષપણ (તપસ્વી), અતિથિ કે શ્વાન (કુતરા) વગેરેના તે તે ભક્તોની સમક્ષ પિંડ મેળવવા માટે સાધુ પણ તે તે શ્રમણાદિનો હું પણ ભક્ત છું.” તેમ જણાવે, એથી દાતાર પ્રસન્ન થઈ જે આપે તે વનપક પિંડ કહેવાય. (૯) ચિકિત્સા દોષઃ આહારાદિ મેળવવા માટે ઉલ્ટી, વિરેચન, બસ્તિકર્મ વગેરે કરાવે અથવા તે તે રોગવાળાને તેના પ્રતિકાર કરનારા વૈદ્યોની ભલામણ કરે અથવા તે તે ઔષધોની સલાહ આપે, એમ રોગીઓને પ્રસન્ન કરીને તેઓની પાસેથી મેળવેલો પિંડ ‘ચિકિત્સાદોષ' વાળો કહેવાય. . (૭) ક્રોધપિંડ દોષઃ દાતારને સાધુ “હું અમુક વિદ્યા કે તપ વગેરેથી પ્રભાવવંત Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૪૯ છું.” એમ જણાવે અથવા રાજા પણ મારો ભક્ત છે એમ કહે. તેથી દાતાને ભય લાગવાથી પિંડ આપે તે પિંડ “ક્રોધપિંડ' કહેવાય અથવા તો સાધુ “તું નહિ આપે તો હું તારું અમુક અમુક ખરાબ કરીશ” એમ ક્રોધ કરી ભય બતાવવા દ્વારા દાતા પાસેથી જે પિંડ મેળવે તે “ક્રોધ પિંડ” (૮) માનપિંડ દોષ? આહારાદિ મેળવવાની પોતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલો, અથવા પોતાની પ્રશંસા વધશે એમ સમજીને જ્યારે બીજાએ માને ચઢાવ્યો હોય કે “આ તો તું જ લાવી શકે ત્યારે માનની રક્ષા માટે, અથવા “તું શું લાવી શકવાનો છે ? તારામાં ક્યાં લબ્ધિ છે ?' વગેરે બીજાએ અભિમાને ચઢાવેલો સાધુ અહંકારથી ગૃહસ્થને પણ તે તે યુક્તિથી અભિમાને ચઢાવીને લાવે, તે રીતે લાવેલો પિંડ “માનપિંડ” કહેવાય. (૯) માયાપિંડ દોષ આહારાદિ મેળવવા માટે જુદી જુદી રીતે વેષ બદલે, કે બોલવાની ભાષા બદલીને ગૃહસ્થને ઠંગીને આહારાદિ લાવે, તે “માયાપિંડ' કહેવાય. (૧૦) લોભપિંડ દોષ : ઘણું કે સારું મેળવવાના લોભે ઘણાં ઘરો ફરી ફરીને લાવેલા આહારાદિ પિંડને “લોભપિડ' કહેવાય. (૧૧) પૂર્વ-પશ્ચાત્સસ્તવપિંડ દોષઃ પૂર્વ એટલે પિતૃપક્ષ અને પશ્ચાતું એટલે શ્વસુરપક્ષ જાણવો, તેમાં દાતાર (કે દાત્રી) સમક્ષ પોતાનાં માતા-પિતા કે ભાઈબહેન યા પુત્ર-પુત્રીની (તમારા જેવા જ મારા માતા-બહેન-પિતા-પુત્ર વગેરે છે. એવું દેનારની ઉમરનું, અનુમાન કરીને સંબંધરૂપે) ઘટના કરીને આહારાદિ મેળવે તે “પૂર્વસંસ્તવપિંડ અને દાતારની સાથે શ્વસુરપક્ષના સંબંધીઓની એ રીતે ઘટના કરીને મેળવે તે પશ્ચાતુસંસ્તવપિંડ જાણવો (અહીં ગૃહસ્થને ભક્તિને બદલે રાગ પેદા કરાવીને લેવું તથા પોતે સંયમનું સત્ત્વ નહિ કેળવતાં ગૃહસ્થ સંબંધીઓના નામે દીનતા બતાવી લેવું વગેરે દોષ સમજવો.) (૧૨ થી ૧૫). વિદ્યા-મંત્ર-ચૂર્ણ યોગપિંડદોષો : તેમાં મંત્રજાપ, હોમ વગેરેથી જે સિદ્ધ થાય અથવા જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા” કહેવાય. એવી વિદ્યાના બળે મેળવેલો તે વિદ્યાપિંડ.” પાઠ (બોલવા) માત્રથી સિદ્ધ થાય અથવા જેનો અધિષ્ઠાયક દેવ હોય તે “મંત્ર” કહેવાય. તેનો પ્રયોગ કરીને મેળવેલા આહારાદિ તે “મંત્રપિંડ'. જેને નેત્રમાં આંજવાથી (રૂપ પરાવર્તન-) અદશ્ય વગેરે થવાય તે “ચૂર્ણો' કહેવાય. તેના બળે મેળવેલાં આહારાદિ તે “ચૂર્ણપિંડ' અને જેનો પારલેપ વગેરે કરવાથી હાલા-અળખામણા વગેરે થવાય તે “યોગ' કહેવાય, તેના બળે મેળવેલાં આહારાદિને “યોગપિંડ” જાણવો. (૧૬) મૂળકર્મપિંડ દોષ : ભિક્ષા મેળવવા માટે ગૃહસ્થની સ્ત્રીનો ગર્ભ થંભાવવો, (ઔષધિનું) સ્નાન કરાવવું, મૂળીયાંનો પ્રયોગ કરવો કે રક્ષાબંધન Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કરવું, ઇત્યાદિ પ્રયોગો કરીને તેના બદલે મેળવેલી ભિક્ષા તે મૂલકર્મપિંડ જાણવો. આ પ્રમાણે સોળ ઉત્પાદનના દોષ જાણવા. આમ ઉપર જણાવેલા ઉદ્ગમ અને ઉત્પાદના રૂપ બત્રીસ દોષોથી રહિત એવા નિર્દોષ આહારાદિને મેળવવા શોધ કરવી તે ગવેષણષણા. હવે ગ્રહણષણાના દસ દોષો જણાવે છે. તે આ પ્રમાણે છે. (૧) શંકિત : ઉપર કહ્યા તે આધાકર્મ વગેરે કોઈ દોષની ચિત્તમાં શંકા હોય (આ આધાકર્માદિ દોષવાળો પિંડ હશે કે નહિ ? આવી શંકા હોય) તો પણ સાધુ તે આહારાદિ ગ્રહણ કરે તો તે શંકિત દોષવાળો કહેવાય. અહીં જે દોષની શંકા હોય તે દોષ લાગે. ભોજન કરતાં પહેલા જો શંકા ટળી જાય તો નિર્દોષની ખાત્રી હોવાથી શુદ્ધ છે. આ વિષયમાં ચતુર્ભગી પંચવસ્તુથી જાણી લેવી. (૨) પ્રક્ષિત : સચિત્ત પૃથ્વીકાય-અપુકાય-વનસ્પતિકાયથી કે અચિત્ત છતાં નિંદ્ય એવા દારૂ વગેરેથી ખરડાયેલો આહારાદિ પિંડ પ્રક્ષિત કહેવાય. તેમાં નિંદ્ય પદાર્થથી ખરડાયેલો પિંડ સર્વથા અકથ્ય જાણવો. ઘી-દૂધ વગેરે ખાદ્યપદાર્થોથી ખરડાયેલો હોય તો તેને લાગેલા કીડી આદિ જીવોની જયણાપૂર્વક દૂર કરી દેવાથી કશ્મ પણ બની શકે છે. , અહીં હાથ અને જેના વડે વહોરાવે તે પાત્ર ખરડાવવાના યોગે ચાર ભાંગા થાય છે (૧) હાથ અને પાત્ર બંને ખરડાય, (૨) હાથ ખરડાય-પાત્ર નહિ, (૩) પાત્ર ખરડાય-હાથ નહિ, (૪) બંને ન ખરડાય. આમાં ચોથો ભાંગો શુદ્ધ સમજવો. પ્રથમ ત્રણ ભાંગામાં ખરડાયેલાના કારણે “પુર: કર્મ, પશ્ચાત્ કર્મ વગેરે દોષોની સંભાવના હોવાથી તે અશુદ્ધ જાણવા. તેમાં દાન દેતાં પૂર્વે ગૃહસ્થ હાથ-પાત્રને (સચિત્ત વસ્તુથી) સાફ કરે- ધોવે તે પુર: કર્મ અને વહોરાવ્યા બાદ ખરડાયેલા હાથ-પગાદિને ધોઈને સાફ કરે તે પશ્ચાતુકર્મ. (૩) નિક્ષિપ્ત: સચિત્ત પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ કે ત્રસ જીવો ઉપર જે અચિત્ત પણ અન્નાદિ મૂકેલું હોય તે “નિક્ષિપ્ત' કહેવાય. કોઈ પદાર્થના આંતરા વિના પૃથ્વી આદિ ઉપર મુકેલું હોય તે અનન્તરનિક્ષિપ્ત અગ્રાહ્ય છે. બીજી વસ્તુના આંતરે મૂકેલું તે પરંપરનિક્ષિપ્ત, તે જો સચિત્તનો સંઘટ્ટો કર્યા વિના લઈ શકાતું હોય તો ગ્રાહ્ય છે. આ પણ વિશેષ કારણે અને કાળજીપર્વક હોય તો જ જાણવું. (૪) પિહિત : વહોરાવવાની અન્નાદિ વસ્તુ અચિત્ત ફળો વગેરેથી ઢાંકેલી હોય તે પિહિત કહેવાય. તેના પણ ઉપર જણાવેલા બે ભેદો છે. તેમાં વિશેષ કારણે પરંપરપિહિત ગ્રહણ કરી શકાય. (૫) સંત દાન દેવા માટે જરૂરી પાત્રની સગવડ કરવા, તેમાંની નહિ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ દેવા યોગ્ય વસ્તુ પૃથ્વી આદિ, અચિત્ત કે અચિત્ત વસ્તુમાં નાખીને, પાત્ર ખાલી કરીને તે પાત્રથી વહોરાવે તો સંહત દોષ લાગે. તેના (૧) સચિત્ત વસ્તુ સચિત્તમાં, (૨) સચિત્ત અચિત્તમાં, (૩) અચિત્ત સચિત્તમાં, (૪) અચિત્ત અચિત્તમાં નાખવારૂપ ચાર ભાંગામાંથી છેલ્લો ભાંગો શુદ્ધ જાણવો. () દાયક : વહોરાવનાર દાયક જો બાળક, વૃદ્ધ, નપુંસક, કંપવાળો, તાવવાળો, અંધ, દારુ વગેરે પીવાથી મત્ત બનેલો, ઉન્માદી બનેલો, હાથે કે પગે બેડી વાળો, પગે પાદુકાવાળો, ખાંડતો, વાટતો, ભુંજતો (અનાજ સેકતો), રૂને કાંતતો, કપાસને લોઢતો, હાથ વડે રૂને જુદું કરતો, રૂનું પીંજણ કરતો, અનાજ વગેરે દળતો, વલોણું કરતો, ભોજન કરતો તથા છ કાયના જીવોની વિરાધના કરતો હોય, તો તેના હાથે લેવાનો નિષેધ છે. વળી સ્ત્રીના ગર્ભના આઠ માસ પૂર્ણ થયા હોય, જેણે બાળક તેડેલું હોય, જેનું બાળક મહિના-બે મહિનાનું તદ્ન નાનું હોય તેવી સ્ત્રીના હાથે પણ સાધુને આહારાદિ લેવા કલ્પ નહિ. . આ દાયકોમાં કોના હાથે કહ્યું-ન કલ્પ વગેરે ઉત્સર્ગ-અપવાદ આગળ ઉપર કહીશું. એમ જે દાયકના હાથે લેવાનો નિષેધ કર્યો હોય તેના હાથે લેવાથી દાયકદોષ લાગે. (૭) ઉન્મિશ્ર : વહોરવાની ખાંડ વગેરે કથ્ય-અચિત્ત વસ્તુમાં અનાજના દાણા વગેરે સચિત્ત વસ્તુનું મિશ્રણ થયું હોય તો તેવી વસ્તુ લેવાથી ઉન્મિશ્ર દોષ લાગે. (૮) અપરિણત : દાન દેવાની વસ્તુ પૂર્ણ અચિત્ત ન થતાં કોચી રહી હોય, તે અપરિણત કહેવાય. તે અકથ્ય છે, આના ભેદો-પ્રભેદો પિંડવિશુદ્ધિથી જાણી લેવા. (૯) લિપ્ત દહિ, દુધ છાશ, શાક, દાળ, કઢી વગેરેથી હાથ-પાત્ર વગેરે ખરડાય-લેપાય, માટે તેવી વસ્તુઓ “લિપ્ત કહેવાય. ઉત્સર્ગ માર્ગે સાધુઓએ તેવું દ્રવ્ય લેવું નહિ. જેનાથી હાથ ન ખરડાય-લેપાય નહિ તેવા વાલ-ચણા વગેરે લેવા. કારણે તો લેપક લેવું પણ કલ્પ છે. (૧૦) છર્દિત : દાતા ઘી-દૂધ વગેરે વસ્તુને ઢોળતો (છાંટો પાડતો) વહોરાવે તે છર્દિત કહેવાય. જીવવિરાધના સંભવિત હોવાથી અકથ્ય છે. મધુબિંદુના દષ્ટાંતથી શાસ્ત્રમાં વિરાધનાનો સંભવ બતાવેલો છે. આ ગ્રહમૈષણાના દશ દોષ મળીને કુલ બેતાલીસ દોષો થયા. આ દોષ રહિત ૧૨. વારત્તપુર નગરમાં અભયસેન રાજાનો વારત્તક નામે અમાત્ય હતો, તેને ત્યાં સંયમમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પિંડની વિશુદ્ધિ સંક્ષેપથી કહીએ તો તેના નવ પ્રકારો આ પ્રમાણે છે. (૧) સાધુ સ્વયં હણે (સચિત્તનું અચિત્ત કરે) નહિ, (૨) બીજા પાસે હણાવે નહિ. (૩) હણતાને અનુમોદે નહિ. (૪) ખરીદે નહિ. (૫) ખરીદાવે નહિ. (૬) ખરીદતાને અનુમોદે નહિ. (૭) સાધુ સ્વયં રસોઈ પકાવે નહિં (૮) પકાવડાવે નહિ. (૯) પકાવતાને અનુમોદે નહિ. આમ નવાકોટી વિશુદ્ધ આહાર સાધુ ગ્રહણ કરે. ગ્રહણષણાનું પાલન અગીયાર ધારોથી કરવું જોઈએ, એમ ઓઘનિર્યુક્તિકાર જણાવે છે. તે દ્વારા આ પ્રમાણે છે. (૧) સ્થાન: પિંડ વહોરવામાં ત્રણ સ્થાનો ત્યજવા જોઈએ, (૧) આત્મોપઘાતી: ગાય વગેરે પશુઓના સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ ન કરવી. કારણ કે પશુઓથી ઉપદ્રવનો સંભવ રહે. (૨) સંયમોપઘાતી: સચિત્ત પૃથ્વી-પાણી વગેરે હોય તેવા સ્થાને ઊભા રહી વહોરવાથી તેની વિરાધના થાય. અથવા વહોરાવનાર સચિત્ત પૃથ્વી-પાણી વગેરે ઉપર ઊભા રહી વહોરાવે તો પણ તેની વિરાધના થાય.અથવા સચિત્તનો સંઘટ્ટો વાળી વ્યક્તિ વહોરાવે તો પણ વિરાધના થાય. આવું સંયમોપઘાતી સ્થાન ત્યજવું. (૩) પ્રવચનોપઘાતી બાળ વગેરે અશુચિ સ્થાન પાસે ઊભા રહીને વહોરવાથી શાસન (પ્રવચન) ની લઘુતા થાય, માટે પ્રવચનોપઘાતી સ્થાનને પણ વર્જવું. (૨) દાયક : સાધુએ આહારાદિ ગ્રહણ કરતાં દાતારની પરીક્ષા કરવી. આગળ જણાવ્યા પ્રમાણે બાળક આદિ પાસેથી ગ્રહણ નહીં કરવું. આ વિષયમાં વિશેષ ઉત્સર્ગ-અપવાદ ઓઘનિર્યુક્તિથી જાણી લેવા.બાળક આદિ પાસેથી વહોરવાથી અપકાની વિરાધના આદિ દોષો છે. તે બાળક આદિ પાસેથી પણ ક્યારે ગ્રહણ કરાય તે ઓશનિયુક્તિથી જાણી લેવું. ' એકતાનવાળા વિશુદ્ધ ચારિત્રવંત ધર્મઘોષ નામના મુનિ ભિક્ષાર્થે ગયા, અમાત્યની પત્નીએ ભિક્ષા આપવા ઘી-ખાંડ મિશ્રિત ખીરથી ભરેલું પાત્ર ઉપાડ્યું, તેમાંથી ખાંડ મિશ્રિત ઘીનું બિંદુ જમીન ઉપર પડવાથી આ પિંડ છર્દિતદોષથી દૂષિત છે' એમ વિચારી સાધુ લીધા વિના પાછા ફર્યા, ઝરૂખે બેઠેલા અમાત્યે આ બધું જોયું અને વિચારવા લાગ્યો કે સાધુ મારા ઘરથી કંઈ લીધા વિના પાછા કેમ ફર્યા ? તેટલામાં તો પડેલા બિંદુ ઉપર માખીઓ બેસી ગઈ, તેને પકડવા ગરોળી, તેની ઉપર કાચિંડો, તેનું ભક્ષણ કરવા બીલાડી, તેના ઉપર મહેમાનોનો પાળેલો કુતરો કૂદી પડ્યો, ત્યારે મહોલ્લાના કુતરાએ તેના ઉપર ત્રાપ મારી. એમ બંનેનું યુદ્ધ થવાથી તેનો પરભાવ સહન નહિ સહી શકનારા તે તે કુતરાઓના માલિકો પ્રતિસ્પર્ધી કુતરાઓને દૂર કરવાં જતાં, તેઓમાં જ મારામારી શરૂ થઈ. આ બધું જોઈ અમાત્ય વિચાર્યું કે “ઘીનું માત્ર એક બિંદુ નીચે પડવાથી આવા અનર્થકારક પરિણામ આવે છે. આવું વિચારી દયા સાગર મુનિ પાછા ફર્યા. ધન્ય છે તે ધર્મને સર્વજ્ઞ વિના આવો ધર્મ કોણ બતાવે ? આ રીતે ધર્મી ઉપર બહુમાન કેળવી-પોતે પણ સંસાર છોડી દિક્ષાનું પાલન કરી મોક્ષે ગયા. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ પ૩ (૩) ગમન : વહોરાવવા દાતા પોતાના ઘરમાં (રસોડામાં) પ્રવેશ કરે તેનું ગમન' સાધુએ જોઈ લેવું કે અમુકાય આદિની વિરાધના થતી નથી ને ! (૪) ગ્રહણ : દાતા ભિક્ષા વહોરાવવા જે સ્થાનેથી ભિક્ષાને ગ્રહણ કરે તે સ્થાન જોઈ લેવું કે.. જે સ્થાને મૂકેલું હોય ત્યાં પાણી આદિનો સંઘટ્ટો થયેલ નથી ને ! આ ઉત્સર્ગ માર્ગે જાણવું. અપવાદ માર્ગે તો સ્થાન ન દેખાવા છતાં પાંચ ઇન્દ્રિયનો ઉપયોગ મૂકી સ્થવિરકલ્પીઓ દોષને જાણી શકે છે, અને દોષની શંકા ન રહે તો ભિક્ષા ગ્રહણ કરતા હોય છે. (૫) આગમન : વહોરાવવાની વસ્તુ લઈને સાધુની સન્મુખ આવે તે દાતારનું આગમન' પણ સાધુએ જોવું જોઈએ, એમાં પણ ગમનની જેમ વિવેક સમજવો. (૯) પત્ત = પ્રાપ્ત અથવા પાત્ર. તેમાં ગૃહસ્થ પોતાની નજીક વહોરાવવા આવે તે પ્રાપ્ત કહેવાય. તેના હાથ ભીંજાયેલા છે કે નહિ ? વગેરે જોઈ લેવું અને પાત્ર એટલે ગૃહસ્થ જે પાત્રમાં આહાર લાવ્યો હોય તે પાત્ર ઉપર-નીચે-બાજુમાંથી જોઈ લેવું કે પાણી વગેરેવાળું નથી ને ! અથવા પાત્ર એટલે ભિક્ષાની વસ્તુ. તે સંસક્ત છે કે અસંસકત છે. ઇત્યાદિ જોઈ લેવું. અહીં વત્સ અને પુત્રવધૂનું દૃષ્ટાંત સમજવું. (૭) પરાવર્તિત : ગૃહસ્થ વહોરાવતાં.પાત્રને ઊંધું કરે તે “પરાવર્તિત કહેવાય, તેને સાધુએ જોવું. જો તે પાણીવાળું કે ત્રસજીવયુક્ત હોય તો તેનાથી નહિ વહોરવું. (૮) પાતિતઃ સાધુએ પોતાના પાત્રમાં “પાતિત’ (લીધેલા) પિંડને જોવાં. કે તે ભાત, કે ભાંગેલો-ચૂરેલો છૂટો પદાર્થ ચૂરમું વગેરે સ્વાભાવિક છે ? કે સેકેલા જવચણા વગેરેના લોટના કે મગના લોટના બનાવેલા પિંડ (લાડ) વગેરે કૃત્રિમ છે ? કૃત્રિમ પિંડને ભાંગીને જોઈ લેવો. કારણ કે કોઈ સાધુના દ્વેષીએ લાડુમાં વીંટી, રત્ન વગેરે મૂકીને લાડુ બનાવેલો હોવાનો સંભવ છે. તેમ ન કરે તો ચોરીનું કલંક, રાજા તરફથી ઉપદ્રવ વગેરે થઈ શકે છે. (૯) ગુરુકઃ ગૃહસ્થનું વહોરાવવાનું સાધન કે તેના ઉપરનું ઢાંકણ વગેરે ઘણું ભારે હોય તે “ગુરુક' કહેવાય. એવું ભારે ઉપાડતાં કે નીચે મૂકતાં પડી જવાનો સંભવ ૧૩. એક વણિકને ત્યાં વાછરડો હતો, એક દિવસ તેને ઘરે કોઈ કારણે જમણવાર હોવાથી તેને કોઈએ ચારો-પાણી આપી શક્યું નહિ, સહુ પોતાના કામમાં મશગુલ હતા, એમ મધ્યાહ્ન થતાં ભૂખ્યા વાછરડાએ રડવા માંડયું. તે સાંભળી શેઠની પુત્રવધુ કે જેણે બહુમૂલ્ય વાળાં આભરણ-અલંકાર પહેરેલાં હતાં, તેણીએ વાછરડાને ચારા-પાણી ખવડાવ્યું. તે વેળા વાછરડાની દૃષ્ટિ માત્ર ચારા-પાણીમાં જ હતી, શેઠાણીના રૂપ કે વસ્ત્રાલંકાર તરફ નહિં. તેમ સાધુએ પાત્ર કે પિંડને જ સદોષ-નિર્દોષ જોવાં, પણ વહોરાવનારના રૂપ, રંગ કે આભરણ-અલંકાર તરફ લક્ષ્ય પણ આપવું નહિ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ છે અને દાતા- સાધુને વાગવાનો સંભવ છે. માટે તેવા ભારે ભાજનથી ન લેવું. (૧૦) તિહાડ ત્રણ પ્રકારે. એમાં કાળ, દાતાર વગેરેનો ત્રણ-ત્રણ પ્રકારે ખ્યાલ કરવાનો છે. કાળ (૧) ગ્રીખ (૨) હેમંત (૩) વર્ષાઋતુ એમ ત્રણ પ્રકારનો છે દાતા (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક એમ ત્રણ પ્રકારના છે. (૧) પુર:કર્મ (૨) ઉદકાÁ (૩) સસ્નિગ્ધ એમ પુર:કર્મના ત્રણ પ્રકાર જાણવા. - ભિક્ષા આપતાં પહેલા (દાતા) હાથ-પાત્ર વગેરે ધોવે તે પુર:કર્મ. હાથ-ભાજન વગેરેમાંથી પાણીના ટપકા પડતા હોય તે ઉદકાÁ અને બિંદુરહિત છતાં જે હાથ-ભાજન ભીનું હોય તે સનિગ્ધ. તેમાં પુર:કર્મ અને ઉદકાઠું એ બે તો સચિત્ત-અચિત્ત કે મિશ્ર હોય તો પણ તેવા હાથ વગેરેથી વહોરાય નહિ. ત્રીજા સસ્નિગ્ધના અંગે ઘણા ભાંગા છે તે ઓશનિયુક્તિથી જાણી લેવા. (૧૧) ભાવ: ભાવ એટલે અધ્યવસાય. શરીરના વર્ગ-બળ (સ્વાદ) માટે ? આહારાદિ લેવા તે અપ્રશસ્ત અધ્યવસાય: આહાર લેવામાં અપ્રશસ્ત અધ્યવસાય ન કરવો ભોજન અને પાણીના વિષયમાં ગ્રહણષણાના સાત પ્રકાર છે. (૧) અસંસૃષ્ટા: ગૃહસ્થના જે હાથ અને પાત્રથી વહોરે તે ખરડાયેલું ન હોય તે અને વહોરવાની વસ્તુ સંપૂર્ણ (ગૃહસ્થનું પાત્ર ખાલી થાય તેમ) વહોરે કે ઓછી વહોરે તે અસંસૃષ્ટભિક્ષા કહી છે. સંપૂર્ણ દ્રવ્ય વહોરવાથી પશ્ચાતુકર્મનો દોષ લાગતો હોવા છતાં ગચ્છવાસી સાધુઓને ગ્લાનાદિના માટે (કારણે) લેવામાં નિષેધ નથી, માટે જ સૂત્રમાં તેનો વિચાર કર્યો નથી. - (૨) સંસૃષ્ટા ખરડાયેલા હાથ અને પાત્રથી લેવાય છે. એમાં સંસ્કૃષ્ટ કે અસંતૃષ્ટ હાથ અને પાત્ર તથા વસ્તુ સંપૂર્ણ કે અસંપૂર્ણ વહોરવાને યોગે આઠ ભાંગા થાય છે. તેમાં સંસ્કૃષ્ટ હાથ-સંસ્કૃષ્ટ પાત્ર અને સાવશેષદ્રવ્ય રૂપ આઠમો ભાંગો ગચ્છથી નિરપેક્ષ (જિનકલ્પિક, - પરિહારવિશુદ્ધિક વગેરે) સાધુઓને કહ્યું, ગચ્છવાસી સાધુઓને તો આહારની દુર્લભતાથી સૂત્ર-અર્થને ભણવા વગેરેમાં હાનિ થાય, ઇત્યાદિ કારણે શેષ ભાંગાઓવાળી પણ કહ્યું. આ ભાંગાઓ પિંડવિશુદ્ધિથી જાણી લેવા. (૩) ઉદ્ધતાઃ ગૃહસ્થ પોતાના પ્રયોજને મૂળ ભાજનમાંથી બીજા ભાજનમાં કાઢેલો પિંડ ઉદ્ધત કહેવાય અને તેને લેનાર સાધુની ભિક્ષાને ઉદ્દઘતા કહેવાય. ૧૪. આ અગીયાર દ્વારોમાં દશેય દ્વારોથી શુદ્ધ છતાં ભાવારથી અશુદ્ધ હોય તે આહાર સંયમઘાતક છે. માટે દશે પણ દ્વારની શુદ્ધિ ભાવારની શુદ્ધિથી સમજવી. વિશેષ વર્ણન ઓઘનિર્યુક્તિ ગા. ૪૯૪થી ૫૦૧ માં જોઈ લેવું. Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ પપ (૪) અલ્પલેપા : જેનાથી પાત્રાદિને લેપ (ખરડ) ન લાગે તેવા નિરસ વાલ, ચણા વગેરે પદાર્થો લેવા તે ભિક્ષાને અથવા જેમાં “પશ્ચાત્ કર્મ' વગેરે આરંભજન્ય લેપ એટલે કર્મોનો બંધ અલ્પ હોય તે ભિક્ષા અલ્પલેપા સમજવી. વિશેષ આચારાંગ દ્વિતીયશ્રુતસ્કંધની પહેલી ચૂલાના સૂ-કરથી જાણી લેવું. (૫) અવગૃહીતા : ભોજન વખતે થાળી, વાડકી, વાડકા વગેરેમાં કાઢીને ભોજન કરનારે આપેલા પિંડને વહોરનાર સાધુની ભિક્ષાને અવગૃહીતા કહી છે. (૯) પ્રગૃહીતા : ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે પીરસનારે મૂળભાજનમાંથી ચમચા વગેરેમાં ધર્યું હોય તે, ભોજન કરનારો ભોજનાર્થે ન લેતાં સાધુને વહોરાવરાવે અથવા જમનારે પોતે ખાવા માટે ભોજનના વાસણમાંથી પોતાના હાથમાં લીધું હોય તે સ્વયં વહોરાવે, તો તેવું અશનાદિ લેનારા સાધુની ભિક્ષા “પ્રગૃહીતા” કહેવાય. . (૭) ઉક્ઝિર્તધર્મા: ગૃહસ્થને નિરૂપયોગી ત્યજી દેવા યોગ્ય હોય તેવા પિંડને લેનાર સાધુની ભિક્ષાને “ઉક્ઝિતધર્મા' કહેવાય. અહીં પારૈષણા જુદી કહી હોવાથી પિંડ શબ્દનો અર્થ ભોજન જ સમજવો. સાત પાનૈષણાઓ પણ પિંડેષણાની તુલ્ય જ સમજવી. માત્ર ચોથીમાં એ ભેદ કે કાંજીનું પાણી, ઓસામણ, ગરમ (ઉકાળેલું) પાણી, ચોખાનું ધોવાણ વગેરે પાણી, તે અલેપતું અને બાકીનાં શેરડીનો રસ, દ્રાક્ષાનું પાણી, આમલીનું પાણી વગેરે લેપકૃત્ સમજવાં. શયાતરનો શુદ્ધ પણ પિંડ સાધુને લેવો કલ્પતો નથી. કારણ કે તેનાથી અપ્રીતિ થવાનો સંભવ છે. શય્યાતરની (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ, (૪) સ્વાદિમ, (૫) રજોહરણ, (૬) વસ્ત્ર, (૭) પાત્ર, (૮) કંબલ, (૯) સોય, (૧૦) Qરિકા (મુંડન માટે અસ્ત્રો), (૧૧) કાન શોધવાની સળી અને (૧૨) નખરદની (નખ કાપવાનું સાધન), આ બાર વસ્તુ કહ્યું નહીં. તૃણ, ડગલ વગેરે વસ્તુ તો શય્યાતરની પણ કલ્પ. શય્યાતર કોણ બને ? એક સ્થળે સુવે અને પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો બંને સ્થળના માલિક શય્યાતર બને. પરંતુ સમગ્ર રાત્રી જાગે અને પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો, પ્રતિક્રમણ જ્યાં કર્યું હોય તે સ્થળનો માલિક શય્યાતર બને. મકાનનો માલિક સાધુઓને વસતિ આપી દૂર દેશાન્તરે ગયો હોય તો પણ તે જ શય્યાતર ગણાય. વળી જ્યારે એક જ ગચ્છના સાધુઓ ઘણા હોવાથી અનેક મકાનમાં ઉતરે તો જે મકાનમાં ગચ્છાધિપતિ રહે તે મકાનનો માલિક શય્યાતર ગણાય, બીજા મકાનોવાળા નહિ. (પ્રવચન સારોદ્ધાર ગા. ૮૦૩) Page #123 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ અશન-પાન-સ્વાદિમ-ખાદિમ આ ચાર, રજોહરણ, વસ્ત્ર, પાત્ર અને કંબલ આ આઠ પ્રકારનો રાજપિંડ પણ સાધુને અકથ્ય છે. આ રીતે વિશુદ્ધ આહારને વાપરવા છતાં (મૂર્છાના અભાવે) સાધુઓને નિત્ય ઉપવાસનું ફળ) થાય છે. યતિદિનચર્યામાં કહ્યું છે કે નિચે સાધુઓને સાધુધર્મમાં આહારશુદ્ધિ દુર્લભ અને ગૃહસ્થને ગૃહસ્થધર્મમાં વ્યવહારશુદ્ધિ દુષ્કર કહી છે. નિર્દોષપિંડ મેળવીને સાધુ ત્રણ કારણોથી ઉપાશ્રયે આવ્યા વિના (ગામ બહાર કે યોગ્ય સ્થળે) પણ ભોજન કરે એવી જિનાજ્ઞા છે (૧) ઉષ્ણકાળ હોય (તેથી સુધાતૃષાની બાધા હોય), (૨) સંઘાટક (સાથેનો સાધુ) અસહનશીલ હોય (તેથી તેનામાં ઉપાશ્રયે પહોંચવા જેટલી શક્તિ-પૈર્ય ન હોય), (૩) ઉપવાસી હોય (તેથી અશક્ત થયેલો હોય.) ક્ષેત્ર-કાળ વગેરેથી અતિક્રાન્ત થયેલું દૂષિત હોવાથી સાધુને કહ્યું નહિ. જે અશનાદિ સૂર્યોદય પહેલાં વહોર્યું હોય તે “ક્ષેત્રાતીત હોવાથી અકલ્પ છે. બે કોશ (ગાઉ)ની બહારથી લાવેલું અશનાદિ “માતીત” હોવાથી અધ્ય છે. પહેલાં પહોરમાં લીધેલું અનાદિ ત્રીજા પહોર પછી “કાલાતીત' થતું હોવાથી અકથ્ય છે. 'અહીં સુધી પિંડવિશુદ્ધિનું પ્રતિપાદન કર્યું. પ્રવાહી છતાં, પાણીને પણ શાસ્ત્રની પરિભાષાથી પિંડ કહેવાય છે. યતિદિનચર્યામાં કહ્યું છે કે... “પિંડ શબ્દનો અર્થ ‘દેહ (કાયા)' કહેવાય છે, અને તેને આધાર આપનાર કારણરૂપ દ્રવ્યોને પણ કારણમાં કાર્યના ઉપચારથી પિંડ કહેવાય છે. તે પિંડ શાસ્ત્રની પરિભાષાથી અશન-પાન-ખાદિમ વગેરે અનેક પ્રકારનો જાણવો.” વસતિની શુદ્ધિ બે પ્રકારની છે. સાત મૂલગુણોથી અને સાત ઉત્તરગુણોથી શુદ્ધ હોય તો તે વસતિ શુદ્ધ છે. ટૂંકમાં જે કાળે જે વસતિ ગૃહસ્થ પોતાના માટે બનાવેલી હોય, તેવી વસતિ (મકાન) સંયમસાધક હોય તો સાધુ માટે શુદ્ધ જાણવી. દુષ્ટ પ્રદેશમાં રહેલી વસતિમાં રહેવાથી દુ:ખ આવી પડે, સંયમ સાધનામાં અંતરાય આવે, તેવા પ્રદેશોમાં રહેવાનું સાધુએ વર્જવું. સંયમમાં ઉપકારક વસતિનું પ્રદાન કરનાર દાતાને પણ મહાલાભ થાય છે. ૧ મૂલગુણ સાત - (૧) પૃષ્ઠ વંશ (મોભનું તિછું લાકડું) (૨-૩) મોભને ધારણ કરનાર ઊભા થાંભલા (-) (૪-૫-૬-૭) ચાર મુખવખયો (પ્રત્યેક થાંભલા સાથે જોડેલા બે બે દોરિયાં આ ૭ ગૃહસ્થ જે મકાનમાં પોતાના માટે કર્યા હોય તે વસતિ મૂલ ગુણે શુદ્ધ મુળગુણથી દૂષિત વસતિ આધાર્મિક કહેવાય. ર* ઉત્તરગુણ (૧) (મૂળ) – (૧) ઉપર નાખેલા વાંસ (૨) વજી (૩) વાંસવંજીનું ગુંથણ (૪) નળિયાં (૫) બાજુની ભીંતનું લીંપણ () બારણું (૭) ભૂમિ સરખી કરવી આ બધું જ્યાં સાધુને માટે ન હોય તેનું મૂળઉત્તરગુણથી શુદ્ધ વસતિ ઉપરના બે દોષ અવિશોધિકોટીના છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ પ૭ હવે વસ્ત્રની વિશુદ્ધિ કહેવાય છે. કપાસ (રૂ), શણ વગેરેથી બનેલું સૂત્રાઉ કે શણીયું તે પ્રથમ પ્રકાર. કોશેટા વગેરેના અવયવોનું બનેલું રેશમી વસ્ત્ર તે બીજો પ્રકાર; ઊન-વાળ વગેરેથી બનેલું કામળી-આસન વગેરે ત્રીજો પ્રકાર. આ ત્રણેના પણ (૧) યથાકૃત, (૨) અલ્પપરિકર્મ અને (૩) બહુપરિકર્મ એમ ત્રણ-ત્રણ ભેદો થાય છે. જે સીવણ (સીવ્યા) વગેરે કંઈ પણ ક્રિયા કર્યા વિનાનું સળંગ એક પટ્ટરૂપ મળે તે યથાકૃત. એકવાર ફાટેલું-સીવેલું હોય તે અલ્પપરિકર્મ અને ઘણી ક્રિયાવાળું-અનેક કકડાથી સાંધેલું વગેરે બહુપરિક જાણવું.એ ત્રણેમાં ઉત્તરોત્તર બહુપરિકર્મથી અલ્પપરિકર્મ અને અલ્પપરિકર્મથી યથાકૃત શુદ્ધ છે. તેથી પૂર્વ પૂર્વનું ન મળે તો જ ઉત્તર.ઉત્તરનું લેવું, આવું પણ જે વસ્ત્ર સાધુને માટે ખરીદ કર્યું - કરાવ્યું ન હોય કે બનાવ્યું - બનાવરાવ્યું ન હોય, તેવું નિર્દોષ લેવું. વસ્ત્રમાં પણ અવિશોધિકોટી અને વિશોધિકોટી એ બે કોટી જાણવી. તેમાં જે, મૂળથી સાધુ માટે વધ્યું હોય, ઇત્યાદિ અવિશોધિકોટી દોષવાળું ગણાય, માટે તેવું વસ્ત્ર અકથ્ય. સાધુને માટે ધોયેલું-રંગેલું વગેરે વિશોધિકોટી કહેવાય. (નિર્દોષ ન મળે તો તે લઈ શકાય.) આ વિષયમાં વિશેષ, પ્રવચન સારોદ્ધારથી જાણી લેવું. હવે પાત્રશુદ્ધિ કહેવાય છે. * * યતિદિન ચર્યામાં કહ્યું છે કે “સાધુઓને શ્રી જિનેશ્વર પરમાત્માઓએ “આધાકર્મ' વગેરે દોષોથી રહિત તુંબડાનું, લાકડાનું અને માટીનું પાત્ર અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને જઘન્ય કહ્યું છે. માટે તે ગ્રહણ કરવા. કાંસાનું-તાંબાનું વગેરે અકથ્ય હોવાથી વર્જવું”. તે પાત્ર પણ સારા લક્ષણવાળું લેવું-લક્ષણ વિનાનું ન લેવું. ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે... “ચારે બાજુ સરખું ગોળ, તે પણ સ્થિર સારી બેઠક(પડઘી)વાળું, તે પણ કાયમી અર્થાત્ પારકું અમુક કાળ પછી પાછું આપવાનું ન હોય તેવું અને સ્નિગ્ધ (ટકાઉ) વર્ણવાળું, એવું પાત્ર સુલક્ષણ હોવાથી લેવું. જે અમુક ભાગમાં ઊંચું, અકાળે (કાચું) સુકાયેલું હોવાથી વળીયાં પડેલું અને ભાગેલું-રાજી (તરડ) વાળું કે છિદ્રોવાળું-કાણું હોય, એવું પાત્ર ગ્રહણ કરવું નહિ.” ૩% (૧) દૂમિતા (-ચૂના વડે સુવાસિત વસતિ (૨) ધૂપ વડે ઘુમિતા (૩) પુષ્પાદિથી વાસિતા (૪) દીપક વડે ઉદ્યોતિતા (૫) બળી વિગેરે ઉતાર મૂક્યો હોય તેવી બલી કૃતા (ક) છાણ માટી વડે લીંપેલી તે “આવર્તા(૭) માત્ર પાણી વડે સિક્તા (૮) સાવરણીથી સંમાર્જન કરેલી ‘સમૃણા' આ બધુ જ્યાં સાધુ માટે થયું હોય તે ઉત્તર ઉત્તરગુણથી અશુદ્ધ વસતિ કહેવાય આ દોષો વિશોધિકોટીના છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ લક્ષણવંત પાત્રનું ફળ જણાવતાં કહ્યું છે કે.. “ચારે બાજુ સરખું ગોળ પાત્ર રાખવાથી લાભ થાય છે, સારી બેઠક (પડઘી)વાળા પાત્રથી ગચ્છમાં પ્રતિષ્ઠા વધે છે, નખ વગેરેથી ત્રણ (ઘા વગેરે) ન લાગ્યા હોય તેવા પાત્રથી કીર્તિ અને આરોગ્ય વધે છે અને સારા રંગવાળા પાત્રથી જ્ઞાનરૂપી સંપત્તિ વધે છે.” અલક્ષણવાળા પાત્રનું ફળ જણાવતાં કહ્યું છે કે... ‘નીચા-ઊંચા પાત્રથી ચારિત્રનો વિનાશ થાય, એક પાત્રના (કાષ્ઠાદિમાં) ભિન્ન-ભિન્ન વર્ણ હોય તો તેવાથી ચિત્તવિભ્રમ થાય, નીચે બેઠક (પડધી) વિનાનું અને ખીલાની જેમ ઊંચા ઘાટવાળું હોય તો તે પાત્રવાળા સાધુની ગચ્છમાં અને ચારિત્રમાં સ્થિરતા ન થાય. વળી પાત્રની નીચે પદ્ધ-કમળનો આકાર હોય તો અકુશળ, ચાંદા-ડાઘ (ક્ષત)વાળું હોય તો વાપરનાર સાધુને પણ ક્ષત (ત્રણ) થાય. અને અંદર કે બહાર બળેલું હોય તો મરણ થાય.” લેપની (પાત્રના રંગની) એષણા પણ પાત્રની એષણામાં જાણી લેવી. અને પાત્રને ગ્રહણ કરવાના ઉપદેશમાં જ પાત્રને લેપ લગાડવો વગેરે પણ જાણી લેવું. રંગવાના પાત્રો નવા કે જુના બે પ્રકારના છે. “આ રંગવા યોગ્ય છે કે નહિ ?” એમ ગુરને પૂછી તેમની અનુજ્ઞાથી રંગવા માટે તૈયાર થાય. રંગવાનું કાર્ય સવારે જ કરવું કે જેથી જલ્દી સૂકાય. લેપ તરીકે ગાડાની મળી લાવવાની વિધિ આ પ્રમાણે છે – લેપ કરવા ઇચ્છતા સાધુએ તે દિવસે ઉપવાસ કરવો કે જેથી પાત્રની જરૂર ન રહેવાથી લેપ સારી રીતે કરી શકાય, તેવી શક્તિ ન હોય તો સવારે જ આહાર કરી લે અથવા બીજા સાધુઓ લાવી આપે તે વાપરે પછી લેપ લેવા માટે જતાં પહેલાં ગુરુને વાંદીઅનુજ્ઞા માંગી, બીજાને લેપની જરૂર હોય તો પૂછીને ‘ઉપયોગ'નો કાયોત્સર્ગ વગેરે વિધિ કરીને ગીતાર્થ સાધુ બે કોડીયાં, લેપને ઢાંકવા રૂ, કાપડનો ચીરો ગૃહસ્થ પાસેથી મેળવી, ગાડાની પાસે જઈને જે ગાડામાંથી લેપ લાવવાનો હોય, તેના માલીકની અનુજ્ઞા મેળવે, કડવો-મીઠો લેપ જાણવા ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ મૂકે. કડવો લેપ ટકાઉ ન હોવાના કારણે, તેનો ત્યાગ કરી મીઠો લેપ લે. ગાડું પણ લીલી વનસ્પતિ વગેરે ઉપર ન હોય, ત્યાં ભમતા-ઉડતા જીવો (મરવાનો ભય)ન હોય, મહાવાયુ ન હોય કે આકાશમાંથી ધુમ્મસ ન પડતી હોય તો લેપ લેવાય. તે પણ જરૂર પૂરતો લેવો. લેપને કોડીયામાં લઇ વસ્ત્રનો ટૂકડો, રૂ અને ભસ્મ દાબીને ઉપર બીજું કોડીયું ઢાંકી વસ્ત્રથી તે સંપુટને બાંધી ગુરુ પાસે આવી, લેપની આલોચના કરે, પછી ગુરુને વિનંતી કરી પોતાનું પાત્ર લીંપે. • પાત્ર લીંપવાનો વિધિ આ પ્રમાણે છે - એક વસ્ત્રનો ટુકડો પાથરી, તેમાં રૂનું પડ પાથરી તેમાં લેપ નાખીને તેની પોટલી બનાવી, તે પોટલીને અંગુઠો, તર્જની Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫૯ શ્રમણ ધર્મ અને મધ્યમા એ આંગળીથી પકડે, એ રીતે પકડેલી પોટલીના જાડા વસ્ત્રના ટુકડામાંથી નીકળતા લેપના રસથી પાત્રનો લેપ કરે. લીંપવાના એક, બે કે ત્રણ પાત્રોને લીંપીને આંગળીથી ઘસીને કોમળ (સુંવાળાં) કરે, તેમાં પણ એક પાત્રને ખોળામાં મૂકીને બીજાને આંગળીથી ઘસે, એમ વારાફરતી એક કે બે પાત્રાને ખોળામાં મૂકીને એક પાત્રને લઈને ઘસે, પાછું તેને ખોળામાં મૂકીને બીજું ખોળામાંથી લઈ તેને ઘસે, આ રીતે વા૨ા પ્રમાણે બદલીને દરેકને આંગળીથી ઘસતો રહે. લેપ કર્યા બાદ તાપમાં મૂકે. શીતકાળમાં પહેલો અને છેલ્લો પ્રહ૨ સંપૂર્ણ અને ગ્રીષ્મકાળમાં પહેલા પ્રહરનું પૂર્વાર્ધ અને છેલ્લા પહરનું ઉત્તરાદ્ધ, એમ અડધો-અડધો પ્રહ તવો, કારણ કે તે કાળ સ્નિગ્ધ (હવાવાળો) હોવાથી લેપનો નાશ થવાનો ભય રહે, માટે તે સમયે પાત્રાને તાપમાં ન મૂકવાં. વર્ષા તથા કુતરાં વગેરેથી રક્ષણ કરવા માટે સૂકાતા પાત્રને વારંવાર જોતો રહે. બીજો લેપ ‘તજ્જાત' નામનો છે.. ગૃહસ્થના તેલ ભરવાના કુડલા વગેરે ઉપ૨ની મળીને તજ્જાતલેપ કહેવાય છે. આ લેપથી લીંપેલા પાત્રને ઘુંટાથી ઘસીને (ઘુંટીને) સુંવાળું બનાવી કાંજીથી ધોવું એ તેનો વિધિ છે. ત્રીજો લેપ ‘યુક્તિજાત' છે: તે લેપ પત્થર વગેરેના કકડાઓનો ચૂરો કરીને તેમાં (રૂ-તેલ વગેરેની) મેળવણી કરીને બનાવેલો હોય છે. આ લેપનો સંનિધિ (સંગ્રહ) કરવો પડતો હોવાથી નિષેધ કરેલો છે. લેપના ઉત્તમ, મધ્યમ, જઘન્ય એમ ત્રણ પ્રકારો છે. તલના તેલનો ઉત્કૃષ્ટ, અળસીના તેલનો મધ્યમ અને સર્જપના તેલનો બનેલો જઘન્ય જાણવો. ઘી-ગોળ વગેરેથી બનેલા લેપનો નિષેધ કરેલો છે. આ લેપની આ એષણા પાત્રને અંગે જ હોવાથી પાત્ર એષણામાં તેનો સમાવેશ થાય છે. આ રીતે પિંડ એટલે આહાર, વસતિ, વસ્ત્ર, પાત્ર એ ચારની વિશુદ્ધિ જાણવી. આ ચાર વિશુદ્ધિથી જ સંયમનો નિર્વાહ સાધુ કરી શકે છે, તેમાં દોષ સેવનારો, દીક્ષાનું સાચું પાલન કરી શકતો નથી. આ રીતે સાધુ પૂર્વે જણાવેલા ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬ અને એષણાના ૧૦ મળી બેંતાલીસ દોષ રહિત પૂર્ણ ભિક્ષા લઈને અને શુદ્ધ કરીને વસતિમાં આવે. તે આવવાનો અને ભિક્ષા શુદ્ધ કરવાનો વિધિ આ પ્રમાણે છે - વસતિ (ઉપાશ્રય) ત૨ફ જતો સાધુ, માર્ગમાં મળે તો કોઈ ખાલી પડેલા ઘરમાં કે દેવમંદિરમાં અને તેવું સ્થાન ન મળે તો ઉપાશ્રયના બારણે આવીને પણ આહાર પાણીને તપાસે. Page #127 -------------------------------------------------------------------------- ________________ GO ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ તપાસીને ભિક્ષા લેતાં નહિ દેખેલું અથવા દેખવા છતાં પણ તે વેળાએ ગૃહસ્થ (અધર્મ-પામે વગેરે) ભયથી ન તજી શકાય તેવું કોઈ કાંટો કે મરેલી માંખી (કાંકરો-વાળ-કસ્તર આદિ હોય તો તેને) તજે-પરઠવી દે. જો તે અશન-પાણી જીવયુક્ત હોય તો તેને પરવીને પુન: બીજું લઈ આવે. એમ લાવેલા અશનાદિને શુદ્ધ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. આ વિષયમાં વિશેષ ભાંગાઓ ઓઘનિર્યુક્તિથી જાણી લેવા. વસતિમાં પ્રવેશ કરતાં પણ પગનું પ્રમાર્જન કરી, ત્રણ વાર નિસીહિ અને બે હાથે અંજલી કરી ગુરુને “નમો ખમાસમણાણ” કહે.) પ્રવેશ કરીને દાંડો તથા (ઝોળી, પડલા, સાથે રાખી હોય તે) ઉપધિને મૂકવાનું સ્થાન શુદ્ધ કરે. ત્રણ નિહિ અનુક્રમે પ્રથમ બહાર (વરંડા વગેરેના બહાર)ના મુખ્ય દ્વારે, બીજી મધ્યમાં અને ત્રીજી મૂળ ઉપાશ્રયના) બારણે કરે. પગ પ્રમાર્જન ગૃહસ્થો ન જોતાં હોય તો વરંડાની બહાર અને જોતાં હોય તો અંદર આવીને કરે. ' જો માત્રાદિની બાધા હોય તો પડલા સહિત આહારનું પાત્ર અન્ય સાધુને આપીને પહેલાં તે બાધા ટાળે. હવે વસતિમાં આવ્યા પછીનું કર્તવ્ય કહે છે: વસતિમાં પ્રવેશીને ગુરુની સન્મુખ આલોચના કરે. અર્થાત્ ભિક્ષા લેવામાં લાગેલા અતિચારો યથારૂપે કહે, તે સાપેક્ષ યતિધર્મ છે. તેમાં ક્રમ આ પ્રમાણે છે - વસતિમાં પ્રવેશ્યા પછી આવેલો સાધુ માત્રાની બાધા ટાળીને ભોજનની માંડલી બેસવાની હોય તે ભૂમિ ઉપર જ ઇરિ. પ્રતિક્રમે. તેમાં કાયોત્સર્ગ કરતાં નીચે ઢીંચણથી ચાર આંગળ “ઊંચો અને નાભિથી ચાર આંગળ નીચે રહે તેમ બે બાજુએ કોણીઓથી ચોલપટ્ટાને ધારી રાખે. જો ચોલપટ્ટામાં છિદ્ર હોય તો ત્યાં પડેલાને રાખે. કાયોત્સર્ગમાં “મકાનથી નીકળ્યો ત્યાંથી માંડીને વહોરીને પુનઃ મકાનમાં પ્રવેશ કરવા સુધી જે કોઈ અતિચારો લાગ્યા હોય, તેને ગુરુને જણાવવા માટે મનમાં અવધારણ કરે. કાયોત્સર્ગ પારી ગુરુની સમક્ષ લાગેલા દોષોને પ્રગટ કરે. ગુરુ જ્યારે ધર્મકથાદિમાં રોકાયેલા ન હોય, શાંત હોય, આલોચના સાંભળવા ઉપયોગવાળા હોય ત્યારે આજ્ઞાપૂર્વક, નાચવું, વાંકા વળવું, અંગો વગેરે જેમ તેમ હલાવવા, ગૃહસ્થની ભાષા, અવ્યક્ત કે મોટા અવાજે બોલવું વંગેરે કુચેષ્ટાઓ તજીને સુવિદિતસાધુ, વહોરાવનારનો હાથ, પાત્ર અને તેની વહોરાવવાની પ્રવૃત્તિ, વગેરે કેવું હતું તે સઘળું કહે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રમણ ધર્મ અપવાદથી, ગુરુ શ્રમિત હોય કે પોતે ફરવાના કારણે શ્રમિત હોય અથવા કોઈ ઉતાવળનું કાર્ય કરવાનું હોય ઇત્યાદિ કારણોથી સામાન્યરૂપમાં પણ આલોચના કરે. અર્થાત્ આધાકર્મવાળી ગોચરી નથી તથા પુર:કર્મ પશ્ચાત્ કર્મ' વગેરે દોષો લાગ્યા નથી વગેરે અથવા જેટલું શુદ્ધ ન હોય એટલું જ ટૂકાંણમાં ગુરૂને જણાવે. આ રીતે ગુરુસમક્ષ વાચિકી, માનસિકી આલોચના કહી, કાયિકી આલોચના તો ગુરુને ભિક્ષા બતાવવાથી થાય છે. ઉપાશ્રયમાં આવી ઉપરોક્ત વાચિકી, માનસિકી આલોચના કરી, આજુબાજુનું નિરીક્ષણ કરી ગીરોલી, કુતરાદીનો ઉપદ્રવ ન થાય તેમ પાત્ર હાથમાં લઈને અડધી કાયાથી નમીને ભિક્ષા ગુરુને દેખાડે, ત્યારબાદ ગોચરી સંબંધી અતિચારોની આલોચના માટે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે. ફચ્છામિ ડિમિનું શોઞરવરિઞા ઇત્યાદિ સૂત્ર બોલી કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલો “અહો નિગેહિં...” ગાથાના અર્થની વિચારણા કરે પછી ‘નમો અરિહંતાણં' કહી કાયોત્સર્ગ પા૨ે. ઉપર પ્રગટ લોગસ્સ કહે. આ રીતે ગોચરીને આલોચવાનો વિધિ કહ્યો. હવે તે પછીનું કર્તવ્ય કહેવાય છે. ગોચરીની આલોચના કર્યા બાદ ચૈત્યવંદન કરવાપૂર્વક પચ્ચક્ખાણને પારે. સાત ચૈત્યવંદન પૈકી આ ભોજનચૈત્યવંદન જાણવું. પચ્ચક્ખાણ પાર્યા બાદ જઘન્યથી સોળ શ્લોકનો સ્વાધ્યાય કરે. હવે તે પછીનું સાધુનું કર્તવ્ય કહે છે. मूलम् - गुर्वादिच्छन्दनापूर्वं विधिना भोजनक्रिया । યતના પાત્રશુદ્ધો ૬, પુનઃશ્ચત્યનમાિ ।।૧૪।। ગાથાર્થ : ગુર્વાદિકને ભોજન માટે નિમંત્રણ પાઠવીને વિધિપૂર્વક ભોજન કરે,પાત્રને શુદ્ધ કરવામાં જયણા સાચવે અને પુનઃ ચૈત્યવંદન કરે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : ગુરુ એટલે આચાર્યને અને આદિ શબ્દથી પ્રાપૂર્ણક (બીજા સમુદાયના આવેલા) વગેરે સાધુઓને, લાવેલા આહારનું નિયંત્રણ કરવા પૂર્વક આગળ કહીશું તે વિધિપૂર્વક ભોજન કરવું તે પણ સાપેક્ષ યતિધર્મ છે. સાધુ બે પ્રકારના હોય છે. માંડલીભોજી અને એકલભોજી. જોગ ચાલતા હોય, સ્વભાવ અથવા શરીરથી પ્રતિકૂલ હોય, સ્વલબ્ધિથી આહાર મેળવનારા હોય, અસહિષ્ણુ કે ચેપી રોગવાળા હોય, આ બધા એકલભોજી સાધુ જાણવા. હવે માંડલીભોજી સાધુ પણ ઉપવાસી હોય, ગીષ્મમાં પિપાસાદિથી પરાભવ પામેલો હોય અથવા ગોચરીથી પરિશ્રાન્ત હોય, આ ત્રણ કારણથી એકલો પણ વહેલું Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ભોજન કરે. પણ માંડલીમાં ભોજન કરનારા સાધુ બીજા સર્વ સાધુઓ આવે નહિ ત્યાં સુધી રાહ જુએ. અને બધા ભેગા થયે તેઓની સાથે ભોજન કરે. . જે એકલોજી હોય તે ગુરુ સમક્ષ ધારીને કહે કે “હે ભગવંત ! પ્રાપૂર્ણક, અસક્ત, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે સાધુઓને આ (આહાર-પાણી) આપ આપો” આવું કહેવાતે છતે ગુરુ સ્વયં કે ગુર્વાજ્ઞાપૂર્વક સ્વયં પોતે નિમંત્રણ કરે, બીજા ન લે તો પણ તેને નિર્જરા થાય જ. હવે ગ્રામૈષણા કહેવાય છે. તેમાં ગોચરી ગયેલા સાધુઓની ઊપધિ આદિની તથા વસતિની રક્ષા કરનાર સાધુ, ગોચરી આવતાં પહેલાં દરેકના પાત્રો ભેગાં કરીને તૈયાર રહે, જ્યારે ગોચરીવાળા સાધુઓ આવે, ત્યારે તેઓનું લાવેલું પાણી આચાર્ય વગેરેને માટે નંદીપાત્રમાં નીતારી-સ્વચ્છ કરીને ગાળી લે: ગાળીને ગચ્છમાં સાધુઓની સંખ્યાના અનુસાર એક-બે-ત્રણ પાત્રમાં ભરે. કારણ કે તે આચાર્ય વગેરેને પીવામાં વગેરે ઘણા કાર્યોમાં ઉપયોગી બને છે. તે પછી ગુરુને પૂછીને ગીતાર્થ, દીર્ઘપર્યાયવાળા અને અલોલુપી એવા માંડલીના વૃદ્ધ (વડીલ) માંડલીમાં હાજર થાય અને તે પછી વિધિપૂર્વક બીજા પણ સાધુઓ માંડલીમાં આવે. અસમર્થ એવા ગ્લાન, વૃદ્ધ નવદીક્ષિત, સુકોમળકાયાવાળા રાજપુત્રાદિ તથા લાભાન્તરાયના ઉદયથી સીદાતા સાધુઓ માટે માંડલી ઉપકારક છે. ભોજન કરવા બેઠેલો સાધુ પ્રથમ પોતાના આત્માને આ રીતે હિતશિક્ષા આપે કે... “હે જીવ ! બેંતાલીસ એષણાના દોષોની ગહન અટવી જેવી ગ્રહમૈષણામાં તું ન ઠગાયો ત્યારે કહેવાય કે જ્યારે તું રાગ-દ્વેષથી ભોજન કરતો ન ઠગાય.” તે પછી શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર ભણીને ગુરુ પાસે ભોજનનો આદેશ માગીને તેમની અનુજ્ઞા મળે ત્યારે, ક્ષત-ઘા ઉપર ઔષધ લગાડવાની રીતિએ ભોજન કરે. શ્લોકમાં “વિધિપૂર્વક ભોજન કરવું” કહેલું હોવાથી, હવે ઓશનિયુક્તિના આધારે ભોજનનો સંપૂર્ણ વિધિ સાત વારોથી બતાવાય છે. (૧) માંડલી: માંડલી વડીલના ક્રમે પ્રકાશવાળા સ્થળે બેસે. રત્નાધિક પૂર્વાભિમુખ બેસે, વચ્ચે આવવા-જવાની જગ્યા રહે તે રીતે બીજાઓ બેસે. ગુરુની સન્મુખ એક સાધુ ગુરુને લેવા-મૂકવામાં સગવડતા રહે તે માટે બેસે. બીજા પણ ગુરુની નજર સમક્ષ બેસે કે જેથી કુપથ્ય વગેરેથી ગુરુ બચાવી શકે. : (૨) ભાજન : ભાજન પહોળા મુખનું લેવું જેથી માખી આદિ દેખી શકાય. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ (અ) શ્લેષમની અને (બ) આહારમાંથી નીકળેલા કાંટા વગેરે અખાદ્ય ચીજોને રાખવા બે કુંડીઓ રાખવી. માંડલીની બહાર રક્ષા માટે ઉપવાસી સાધુને બેસાડવો. ભાજનો ત્રણ પ્રકારના છે. (૧) યથાકાત - ગૃહસ્થ પાસેથી લીધા પછી તેની ઉપર ક્રિયા (રંગવું વગેરે) કર્યા વિના જ વાપરી શકાય એવું. (૨) અલ્પ પરિકર્મ : લીધા બાદ અલ્પ ક્રિયા (રંગવું વગેરે) થઈ હોય તેવું. (૩) બહુ પરિકર્મ : (સાંધવું-ગવું વગેરે) ઘણી ક્રિયાઓ કરવી પડી હોય છે. આ ત્રણ પ્રકારના પાત્રમાંથી પ્રથમ યથાજાત પાત્રા વહેંચવા માટે ફેરવવાં, પછી અલ્પ પરિકર્મવાળાં અને તે પછી બહુ પરિકર્મવાળાં ફેરવવાં. (૩) ભોજન પિત્ત વગેરેની શાંતી માટે પ્રથમ સ્નિગ્ધ-મધુર દ્રવ્યો વાપરવાં અને ત્યારબાદ બીજા વાપરવાં. સ્નિગ્ધ મધુર ઘી વગેરે દ્રવ્યો રાખીને બીજા વાપરતાં વધી જાય તો ઘી વગેરે પાઠવવામાં વિરાધના ઘણી થવાથી અસંયમ પણ થાય. (૪) ગ્રહણ : પાત્રમાંથી આહારનો કોળીઓ કુકડીના ઇંડા જેટલો લેવો, કે જેથી મુખ વાંકુ ન થાય. (૧) કટકચ્છેદ (૨) પ્રતરચ્છેદ કે (૩) સિહભક્ષિત. એ ત્રણ પૈકી કોઈ એક વિધિએ પાત્રમાંથી લેવું. જે એક બાજુથી કકડે કકડે ખાવા માંડે તે યાવતુ પૂર્ણ થાય ત્યાં સુધી, તે કટકચ્છેદ કહેવાય. એક-એક પડ પૂર્ણ કરતાં થાવત્ પૂર્ણ કરે, તે પ્રતરચ્છેદ કહેવાય. સિંહની જેમ જે બાજુથી પ્રારંભ કરે તે બાજુ પૂર્ણ કરે ત્યાંથી ફરતાં ફરતાં તે સ્થાને જ પૂર્ણ કરે, તે સિંહભક્ષિત. મુખમાં કોળીઓ નાખતાં સરડ-સરડ અવાજ આવે તેમ, ચબ ચબ અવાજ આવે તેમ, અતિવિલંબથી, અતિ ઝડપથી, નીચે પાડતો પાડતો ન વાપરે. (૫) શુદ્ધિ : ભોજન સુડતાલીસ દોષથી રહિત કરવાનું છે. તેમાં બેતાલીસ દોષો આગળ કહ્યા. હવે ગ્રાસેષણાના પાંચ દોષો અવસર પ્રાપ્ત કહેવાય છે. (૧) સંયોજના : (રસ વગેરેના) લોભથી રોટલી-શાક, રોટલી-દાળ, રોટલીઘી-ગોળ ભેગા કરીને વાપરવા તે સંયોજના, તે સાધુએ નહિ કરવું. કારણ કે તેમાં રસ પોષાય છે. નવો ચોળપટ્ટો વિગેરે મળે તો તેને અનુરૂપ કપડા વગેરે મેળવીને પહેરવું એ ઉપકરણસંયોજના પણ સાધુ ન કરે. (૨) પ્રમાણાધિક્ય : સાધુને ૩૨ કોળીયા અને સાધ્વીને ૨૮કોળીયાનું પ્રમાણ હોય છે. તેનાથી અધિક ન લેવું. કારણ કે અધિક આહારથી વમન, મરણ કે રોગો થાય, માટે અધિકાહાર લેવો તે દોષ છે. (૩) અંગાર : સ્વાદિષ્ટ અન્નની કે તેના દાતારની પ્રશંસા કરતો વાપરે તો Page #131 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સાધુને રાગરૂપી અગ્નિથી સંયમરૂપ કાષ્ટના અંગારા થાય છે, માટે તેવો અંગાર દોષ ન સેવવો. (૪) ધૂમ્ર: અનિષ્ટ અન્નની કે દાતારની નિંદા કરતો વાપરે તો સાધુ શ્વેષરૂપ અગ્નિથી ચારિત્રરૂપી ઇન્ધનને બાળતો ચારિત્રને ધૂમાડાથી મલિન કરે, માટે ધૂમ્ર દોષ પણ ન સેવે. (૫) કારણભાવ નીચે કહેલા છ કારણો વિના ભોજન કરનારને કારણાભાવ દોષ લાગે. માટે કારણ વિના ભોજન ન કરવું. ભોજનનાં કારણો. (૧) સુધાની વેદના સહન ન થાય. (૨) આહાર વિના અશક્ત શરીરે વૈયાવચ્ચાદિ કરી ન શકાય. (૩) નેત્રનું તેજ ઓછું થતાં ઇર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય. (૪) પ્રતિલેખના-પ્રમાર્જના વગેરે સંયમનું પાલન ન થઈ શકે. (૫) સુધાની પીડા વધી જવાથી મરણનો સંભવ થાય. (૩) આર્તધ્યાનરૌદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં સ્થિર થવાય, એ ભોજન કરવાનાં છ કારણો છે. આહાર-પાણી વાપરવાની વિશેષવિધિ યતિદિનચર્યા-પિંડનિર્યુક્તિ-ઓશનિયુક્તિથી જાણી લેવી. - ભોજન કરતાં આહાર વધે તો ગુરુ આજ્ઞાથી આયંબિલ કે ઉપવાસના તપવાળો સાધુ તે વધ્યો હોય તેટલો જ આહાર વાપરે અથવા નિરવદ્ય ભૂમિમાં પરઠવે. ભોજન પછી “પાત્રશુદ્ધિ જયણાથી કરવી” તે પણ સાપેક્ષ યતિધર્મ છે. એકવાર પાત્રની ચિકાશ હાથની આંગળીથી લૂછી લેવી. પછી પાણીથી પહેલીવાર ધોઈને તે પાણી પી જવું અને પછી મુખશુદ્ધિ કરીને નિર્મળ (નીતારેલું) પાણી લઈ બીજીવાર પાત્રને મંડલીની બહાર લઈ જઈને ધુવે. તેમાં ધોવા માટે સર્વ સાધુઓ માંડલીના આકારે બેસે. અને નિર્મલ જળ લઈને વચ્ચે ઉભેલો સાધુ ત્રીજી વાર પાણી આપે તેનાથી ત્રીજીવાર ધુવે. ગુરુનું પાત્ર પ્રથમ ધોવું. ત્યારબાદ યથાજાતના ક્રમે ધોવા, છેલ્લે આચમન (સ્પંડિલ - શૌચ માટે બે-બે સાધુઓને તેઓનાં પાત્રામાં ભેગું પાણી) આપે. આ વિધિ ગૃહસ્થના અભાવે જાણવો. ગૃહસ્થ દેખે તેવી જગ્યાએ તો આ કાર્ય, ભોજનમાંડલીમાં જ કરવું. પછીથી જાણવામાં આવે કે આહારાદિમાં આધાકર્મી હતું, તો પાત્રને વધારે વાર પણ ધુવે. આ વિષયમાં વિશેષ પંચવસ્તુ આદિ ગ્રંથોથી જાણી લેવું. ll૯૪ll હવે તે પછીનું કર્તવ્ય જણાવે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૬૫ मूलम् :- गुरुवन्दनपूर्वं च प्रत्याख्यानस्य कारिता । आबश्यिक्या बहिर्गत्वा, स्थण्डिले विविसर्जनम् ।।१५।। ગાથાર્થ : ભોજન પછી ગુરુવંદનપૂર્વક દિવસ ચરિમં પચ્ચખાણ કરવું અને આવસહી' કહી બહાર ભૂમિએ જઈને શુદ્ધ (શાસ્ત્રોક્ત) ભૂમિમાં વડીનીતિની બાધા ટાળવી. ટીકાનો સંક્ષેપભાવાર્થ : ગુરુને દ્વાદશાવર્ત વંદન કરવાપૂર્વક બાકી રહેલા દિવસનું તિવિહાર કે ચઉવિહાર પચ્ચકખાણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. જો કે એકાસણાનું પચ્ચકખાણ કરતી વખતે આ પચ્ચકખાણ લીધેલા હોય છે, છતાં અપ્રમાદ (સ્મરણ) માટે પુન: તે કરવું હિતકર છે. બીજી એક વાત ધ્યાન રાખવી કે ઝોળીમાં શુદ્ધ કરેલા પાત્રાઓને મૂકી, વિધિપૂર્વક બાંધી પ્રતિલેખનાનો સમય થાય ત્યાં સુધી મૂકી રાખવાં. પ્રમાદાદિના કારણે ઝોળી કે કપડા ખરડાયાં હોય તો પાણીથી શુદ્ધ કરવા. જે વસ્ત્રખંડથી પાત્રને પહેલીવાર લૂક્યાં હોય તેને તો દરરોજ ધોવું, કારણ કે નહિ ધોવાથી જુગુપ્સા (સંમૂર્છાિમ જીવોત્પત્તિ શાસનની અપભ્રાજના-સંન્નિધિ) વગેરે દોષો લાગે. હવે થંડિલ જવાના બે કાળ છે. (૧) કાળસંજ્ઞા અને (૨) અકાળસંશા. ભોજન પછી કે બે પરિસી પૂરી થયા બાદ જવાનું થાય તો તે કાળસંજ્ઞા અને પ્રથમ-બીજી કે ચોથી પોરિસીમાં જવાનું થાય તો અકાળસંજ્ઞા. અકાળસંજ્ઞા અર્થાત્ પ્રથમ કે બીજી પોરિસીમાં જવું પડે તો પાણી લાવી સંઘાટક સાથે જાય. કાળસંજ્ઞાએ તો આગળ જણાવ્યા પ્રમાણે નીતારેલું પાણી, જે ભાગમાં આવ્યું હોય તે લઇને જાય. તે વખતે પોતાના પાત્રા, જોડે રહેલા સંઘાટકને સોંપીને જાય. હવે સ્વડિલભૂમિનું સ્વરૂપ પંચવસ્તુના આધારે જણાવાય છે. ' (૧) અનાપાત : જ્યાં કોઈ આવે નહિ અને અસંલોક કોઈ વ્યક્તિ દેખે નહિ એવી જગ્યાએ બેસવું. કારણ કે સાધુને નિહાર ગુપ્ત રીતે કરવાનો વિધિ છે. હવે આગમનના ઘણા પ્રકારો છે. - તિર્યંચ કે મનુષ્ય કોઈનું પણ આગમન થાય, મનુષ્યમાં પણ સ્વપક્ષ – સંયમીનું અને પરપક્ષ-ગૃહસ્થનું, સ્વપક્ષમાં સાધુનું કે સાધ્વીનું, સાધુમાં પણ સંવેગી કે અસંવેગીનું, સંવેગીમાં પણ મનોજ્ઞનું કે અમનોજ્ઞનું,મનોજ્ઞમાં પણ સંવેગીના પક્ષકારનું અને અસંવેગીના પક્ષકારનું, તેમાં પણ પુરુષ-સ્ત્રી કે નપુંસકનું, પુરુષમાં પણ દડિક (રાજા કે રાજ્યાધિકારી)નું Page #133 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ અથવા કૌટુંબિકનું, તે એમાં પણ શૌચધર્મવાળાનું કે અશૌચધર્મવાળાનું વગેરે અનેકના આગમનનો સંભવ છે. તેમાં સ્વપક્ષી સંયમી-સંવેગી-મનોજ્ઞ આવે તો નિષેધ નથી. અમનોજ્ઞ આવે તો તેનો આચાર જોઈને નવદીક્ષિત સાધુઓને કદાચ પરિણામ બદલાઈ જાય, માટે તેવા સ્થળે નહિ બેસવું. સાધુએ સાધ્વીના (કે સાધ્વીએ સાધુના) આગમન સ્થળને તો અવશ્ય તજવું. પરપક્ષીય શૌચવાદી આવે તો પૂરતા પાણીથી પગ ધોવા. અસંલોક માટે તિર્યંચો દેખે ત્યાં બેસવામાં દોષ નથી, મનુષ્યો માટે ઉપર પ્રમાણે વિવેક કરવો. (૨) અનુપઘાત : માલિકી વિનાની ભૂમિમાં પણ બીજા મનુષ્યો શાસનની હલકાઈ વગેરે ન કરે અને માલિકીવાળી ભૂમિમાં તેના માલિક તરફથી પરાભવ ન થાય) ત્યાં બેસવું. (૩) સમ ખાડા-ટેકરા વિનાની સમજગ્યાએ બેસવું. ખાડા-ટેકરાવાળી ભૂમિમાં બેસવાથી પડી જવાય તો શરીરે નુકશાન થાય, વિષ્ટાથી ખરડાય, (વિરાધના થાય) અને કીડી આદિ જીવોની હિંસા થાય. ' (૪) અશુષિર : ઘાસ-તૃણ-પાદડાં વગેરેથી નહિ ઢંકાયેલી પ્રગટ ભૂમિમાં બેસવું, ઘાસ આદિથી ભૂમિ ઢંકાયેલી હોય તો ત્યાં બેસવાથી નીચે વિછી, કીડા, કીડીઓ વગેરેની જયણા ન થયા. સંયમ-આત્મ વિરાધના થાય. (૫) અચિરકાલકૃત: જેને અચિત્ત થયા પછી બહુ સમય ન થયો હોય, તે જ ઋતુમાં (બે મહિનામાં) અગ્નિ આદિથી અચિત્ત થયેલા સ્થળમાં બેસવું. વધારે મહિના બાદ ઋતુ બદલાવાથી અચિત્ત સ્થળ પણ મિશ્ર થઈ જવાથી અયોગ્ય બને છે. (૬) વિસ્તીર્ણ : જઘન્યથી ચોરસ એક હાથ અને ઉત્કૃષ્ટથી બાર યોજન પહોળા સ્થળમાં બેસવું. (૭) દુરાવગાઢ : નીચે દૂર સુધી અર્થાત્ અગ્નિ (સૂર્ય) આદિના તાપથી જાન્યથી ચાર આંગળ સુધી અચિત્ત થયેલી ભૂમિમાં બેસવું. (૮) અનાસન્ન : નજીકના સ્થળમાં નહિ પણ દૂર પ્રદેશમાં બેસવું. દ્રવ્યથી નજીક એટલે કોઈના ઘર-બગીચા-કુવા વગેરેની પાસેનું સ્થળ અને ભાવથી નજીક એટલે વડીનીતિથી બાધા સખત થવાથી નજીકના પ્રદેશમાં બેસવું જ પડે તે ભાવનજીક, તે બંનેને ટાળવું. ટુંકમાં સામાન્યજનોપયોગી ભૂમિથી દૂર જંગલના પ્રદેશ સુધી પહોંચી શકાય એવા સમયે નીકળી જવું. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ (૯) બિલવર્જિત : જે ભૂમિમાં નીચે દરો(છિદ્રો) ન હોય ત્યાં બેસવું. (૧૦) ત્રસ-પ્રાણ-બીજ રહિત : સ્થાવર-ત્રસ જીવોથી રહિત-નિર્જીવ ભૂમિમાં બેસવું. આમ દસ દોષરહિત શુદ્ધભૂમિમાં વડીનીતિ-લઘુનીતિ વગેરે પરઠવવું. દસ દોષોના એકસંયોગી, બ્રિકસંયોગી, યાવત્ દશસંયોગી ભાંગા કરવાથી એક હજાર ચોવીસ (૧૦૨૪) ભાંગા થાય છે. આ ભાંગાની વિશેષ સમજ પંચવસ્તુ ગાથા-૪૦૧-૨-૩-૪-૫-થી જાણવી. આ ૧૦૨૪ ભાંગામાં છેલ્લો ભાંગો શુદ્ધ જાણવો. વળી ઘનિર્યુક્તિમાં ગાથા-૩૧૬માં કહ્યું છે કે.. અંડિલ બેસવામાં સાધુએ પૂર્વ અને ઉત્તરદિશામાં પીઠ ન કરવી, કારણ કે તે બે દિશાઓ લોકમાં પૂજ્ય હોવાથી લોકવિરોધ થાય, રાત્રે દક્ષિણ દિશામાં પીઠ ન કરવી, કારણ કે રાત્રે દેવો દક્ષિણમાંથી ઉત્તરમાં જાય છે એવી લોકશ્રુતિ છે. લોકમાં સૂર્ય, દેવ તરીકે પૂજ્ય મનાતો હોવાથી સૂર્ય સન્મુખ પૂંઠ કરીને ન બેસે અને ગામમાં દેવમંદિરાદિ હોવાથી ગામ તરફ પૂંઠ નહીં કરવી. જે દિશામાંથી પવન આવતો હોય તે તરફ પૂંઠ કરીને ન બેસવું, કારણ કે વડીનીતિને સ્પર્શિને આવેલા પવનથી શ્વાસોશ્વાસ લેતાં નાકમાં મસા થાય. માટે એટલી દિશા વર્જીને વૃક્ષાદિની. છાયામાં ત્રણવાર (દષ્ટિથી) પ્રમાર્જીને ‘મણુના નેસુ હો' અર્થાત્ - “આ ભૂમિ જેની સત્તામાં હોય તે મને અનુમતિ આપો.' એમ કહી અંડિલ વોસિરાવે. વૃક્ષાદિની છાયા ન હોય તો વોસિરાવ્યા પછી એક મુહૂર્ત સુધી વડીનીતિ ઉપર સ્વશરીરની છાયા પડે તેમ ઊભો રહે, એથી છાયામાં કૃમીયા (જીવો હોય તેને તાપનો ઉપદ્રવ ન થતાં) આયુ: પૂર્ણ થતાં સ્વયમેવ પરિણામ પામે. બેસતી વખતે રજોહરણ, દંડો વગેરે ઉપકરણો (કટાભાગના દબાણથી) ડાબી સાથળ ઉપર રાખે (વર્તમાનમાં દંડ જમણા ખભા ઉપર રાખવાની સામાચારી છે.) અને પાણીનું પાત્ર જમણા હાથમાં રાખે, અપાનની શુદ્ધિ તો ત્યાં જ, કે ત્યાંથી ખસીને બીજે પણ કરે. અને તેમાં ત્રણ ચાંગળાં પાણી વાપરે. જો શુદ્ધ ભૂમિ ન મળે તો અધ્યવસાયની રક્ષા માટે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો આધાર ચિંતવવો. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ઉપર બેઠો છું એમ માનવું. લઘુનીતિવડીનીતિ ડગલ (પાણી વગેરેને) ત્રણ વાર “વોસિર ' કહી વોસિરાવીને સાધ્વી સાથે ચાલવાનો પ્રસંગ ન આવે તે રીતે ઉપયોગપૂર્વક પાછો ફરે, ત્યાંથી પાછો વળેલો સાધુ ગામમાં પ્રવેશ કરતાં શેષકાળમાં રજોહરણ વડે અને વર્ષાકાળમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પાદલેખનિકા (પગથી કાદવ દૂર કરવાની કાષ્ઠની પટ્ટી) વડે પગોને પ્રમાર્જે. કારણ કે સ્પંડિલ (શુદ્ધ-અચિત્ત ભૂમિ)માંથી અસ્પંડિલ (કાદવવાળી કે જંગલની મિશ્ર રજવાળી વગેરે ભૂમિ)માં કે અસ્થડિલમાંથી ચંડિલમાં પ્રવેશ કરતાં સાધુએ પગ પ્રમાર્જવાનું વિધાન છે. આ પ્રમાણે જયણાથી વસતિના(ઉપાશ્રયના) બારણા પાસે આવીને મોટા શબ્દથી ‘નિસીહિ' ત્રણવાર કહીને પાદપ્રમાર્જન વગેરે વિધિ કરવાપૂર્વક મકાનમાં પ્રવેશ કરે. તે ત્રીજી પોરિસીનું કર્તવ્ય જાણવું. ૯પી, ' , હવે મકાનમાં આવીને શું કરવું તે કહે છેमूलम् : आगत्य वसतौ गत्या-गत्योरालोचनं स्फुटम् । શેડથ શ્ચિમે ગામ, પથપ્રતિવના Hiદ્દા ગાથાર્થ ઉપાશ્રય આવીને પ્રગટ રીતે ગમનાગમનની આલોચના કરવી. અને પછી દિવસનો છેલ્લો પ્રહર બાકી રહે છશે ઉપધિનું પડિલેહણ કરવું." ટીકાનો સંક્ષેપભાવાર્થ : ઉપાશ્રયમાં આવીને ગુરુની સમક્ષ આવવા-જવામાં થયેલી (કે સંભવિત) વિરાધનાની ઇરિયાવહી પ્રતિક્રમણ કરીને (ગુરુને સમજાય તે રીતે સ્પષ્ટ રીતે,) આલોચના કરે. હવે ત્રીજી પોરિસી પૂરી ન થઈ હોય તો, તેટલો કાળ સ્વાધ્યાય કરે. સાધુને તે તે સમયે કરવાનાં કાર્યો વચ્ચે સમય બચે ત્યારે ત્યારે સ્વાધ્યાય કરવો તે જ ઊચિત છે. પડિલેહણનો વિધિ સવારની પ્રતિલેખનાની વિધિમાં કહ્યો છે, તેથી જે વિશેષ હશે તે અહીં કહેવાશે. છેલ્લી પોરિસીનો પ્રારંભ થાય ત્યારે એક (વડીલ) સાધુ ખમાસમણ દઈને ગુરુને તેના સમયનું નિવેદન કરવા માટે કહે કે “પવન્ વહુડપુત્રી પોરિસી ! અર્થાત્ ત્રીજી પોરિસી સર્વથા પરિપૂર્ણ થઈ ! તે સાંભળીને સર્વ સાધુઓ ગુરુ સમક્ષ એકત્ર મળીને ઇરિયાવહી પ્રતિક્રમણપૂર્વક એક ખમાસમણ આપીને (સર૦) મવિન્ ! ડિvi વો' અર્થાત્ હે ભગવન્! (આપની ઇચ્છાનુસાર) પડિલેહણ કરીએ છીએ, એમ જણાવીને બીજું ખમાસમણ દઈ (રૂચ્છ, સં૦િ) મવિનું ! વર્માત પનમો' અર્થાત્ હે ભગવન્! (આપની ઇચ્છાનુસાર) વસતિનું પ્રમાર્જન કરીએ છીએ.” એમ કહીને મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરે. (વર્તમાનમાં આદેશો ભિન્ન છે. અહીં ગ્રંથાનુસાર લખેલ છે.) Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૬૯ આ પ્રતિલેખન કરનાર સાધુ બે પ્રકારના જાણવા. એક ઉપવાસી અને બીજા એકાસણાવાળા. બંનેને ઉપર જણાવેલો વિધિ તુલ્ય છે. તે પછી જે ઉપવાસી હોય તે ઊંડા પડાવડ' અર્થાત્ હે ભગવન્! પ્રસાદ કરીને અન્ય સાધુઓની પડિલેહણા કરવાની અમને અનુમતિ આપો.” એમ કહી પૂર્વે (સવારની વિધિમાં) કહ્યા મુજબ ક્રમ પ્રમાણે ગુર્વાદિની ઊપધિનું પડિલેહણ કરે. પછી ગુરુની અનુમતિ મેળવીને ‘સંવિસરું ! રૂછwારેન ગોદિમં ડિસેમો' અર્થાત્ “અનુમતિ આપો ! આપની ઇચ્છાનુસાર ઔધિક ઊપધિને પડિલેહીએ ? એમ પૂછીને પહેલાં પોતાનું પાત્ર, માત્રક અને પછી પોતાની સઘળી ઊપધિનું પડિલેહણ કરે, ચોલપટ્ટો છેલ્લે પડિલેહે. આ ઉપવાસીની પડિલેહણા વિધિ કહ્યો. ભોજન કરનારો સાધુ તો મુખવસ્ત્રિકા અને શરીરનું પડિલેહણ કરીને ચોલપટ્ટાનું, પછી જો ખાલી હોય તો નાના માત્રકનું અને તે ખાલી ન હોય તો તેને પાછળથી પડિલેહવાનું બાકી રાખીને પડલા, ઝોળી, ગુચ્છા વગેરે પાત્રનિર્યોગનું પડિલેહણ કરે. તેમાં આ ક્રમ જાણવો - પહેલાં (ઉપરનો) ગુચ્છો, પછી પાત્રકેશરિકા (ચરવળી), ઝોળી, પડલા, રજસ્ત્રાણ પછી પાત્રસ્થાપન (નીચેનો ગુચ્છો) પછી મુખ્ય પાત્ર અને પછી ખાલી ન હોવાથી બાકી રાખ્યું હોય તો તેમાંની વસ્તુ (મોટા) પાત્રમાં નાખીને છેલ્લે નાનું માત્રક, એ ક્રમે પાત્રનિર્યોગનું પડિલેહણ કરે. પછી ગુરુ વગેરેની ઉપધિનું પડિલેહણ કરીને ઉપર મુજબના આદેશો માંગી પોતાની ઔધિક ઉપધિનું પડિલેહણ કરે. ત્યારબાદ આજ્ઞા મેળવીને ગચ્છસામાન્ય (સર્વ સાધુઓને ઉપયોગી) જે જે વાપર્યા વગરનાં હોય તે તે પાત્રાઓને અને વસ્ત્રોને પડિલેહે, પછી પોતાની કામળી, બે સૂત્રાઉ કપડા અને વાપરવાની શેષ ઉપધિનું પડિલેહણ કરે. યાવત્ છેલ્લે દંડાસણ અને રજોહરણનું પડિલેહણ કરે. તે પછી પાટ, પાટલા, માત્રાદિની કુંડીઓ વગેરે શેષ વસ્તુઓનું પડિલેહણ કરે.આ સાંજના પડિલેહણનો વિધિ કહ્યો. હવે પ્રતિલેખના ઉપધિની કરવાની હોવાથી પ્રસંગોપાત્ત ઉપધિનું સ્વરૂપ કહીએ છીએ. ઉપધિના (૧) ઔવિક અને (૨) ઔપગ્રહિક એમ બે પ્રકારો છે, તે દરેકના પણ સંખ્યાથી અને માપથી બે-બે પ્રકારો છે. જે ઉપધિ નિત્ય પાસે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે “ઔધિક' અને કારણે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે પાટપાટલાદિ “ઔપગ્રહિક' એમ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ભેદ સમજવો. તેના પણ સંખ્યાની દૃષ્ટિએ “ગણના પ્રમાણ અને લંબાઈ, પહોળાઈ આદિની દૃષ્ટિએ પ્રમાણ પ્રમાણ” એમ બે પ્રકારો છે. તેમાં ગણના પ્રમાણથી જિનકલ્પિઓને ઔધિક ઉપધિ બાર પ્રકારની, સ્થવિરોને ચૌદ પ્રકારની અને સાધ્વીઓને પચીસ પ્રકારની કહી છે. એથી વધારે જે કાળે જરૂરી કારણે જે જે રાખે-વાપરે તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. (૧) મુખ્ય પાત્ર, (૨) ઝોળી, (૩) પાત્ર સ્થાપન-નીચેનો ગુચ્છો, (૪) પાત્ર કેસરિકા (ચરવળી), (૫) પડલા (૩ થી ૭ હોય), (૯) રજસ્ત્રાણ, (૭) ગુચ્છો (ઉપરનો), (૮-૧૦) એક ઉનની કામળી તથા સૂત્રાઉ બે કપડા, (૧૧) રજોહરણ, (૧૨) મુહપત્તિ. આ બાર પ્રકારની ઔધિક ઉપધિ જિનકલ્પિકને ઉત્કૃષ્ટથી હોય. જઘન્યથી બે પણ હોય. તે ઉપરાંત ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગીયાર પણ હોય. તે કેવી રીતે હોય છે તે ઓશનિયુક્તિથી જાણી લેવું. સ્થવિરકલ્પિકોને ઉપરની બાર ઉપરાંત (૧) ચોલપટ્ટો અને (૨) માત્રક (નાનું પાત્ર) મળી ચૌદ પ્રકારની ઉપધિ હોય. ' ' સાધ્વીઓની ૨૫ પ્રકારની ઉપધિ નીચે પ્રમાણે જાણવી. વિરકલ્પિક સાધુને કહેલી ચૌદ પ્રકારની ઉપધિમાંથી ચોલપટ્ટી બાદ કરીને એક કમઢક ગણતાં ચૌદ પ્રકારની થાય છે. કમઢક એટલે લેપ કરેલું (રંગેલું) તુંબડાનું (કાંસાની મોટી કથરોટના) આકારનું સ્વ-સ્વ ઉદર (આહાર) પ્રમાણ ભાજન સમજવું. સાધુની જેમ સાધ્વીને માંડલીગત નંદી પાત્ર ન હોવાથી દરેકનું જુદું જુદું કમઢક હોય છે કારણ કે સ્ત્રીઓમાં સ્વભાવથી પ્રાય: તુચ્છતા હોવાના કારણે ભેગા વાપરવામાં કલહ આદિનો સંભવ છે. ઉપર કહેલી ચૌદ ઉપરાંત નીચે પ્રમાણે ૧૧ પ્રકારે ઉપધિ વધારે હોય છે. (૧) અવગ્રહાનત્તક : નાવના આકારે મધ્યમાં પહોળું અને બે છેડે સાંકડનું ગુહ્ય પ્રદેશની (બ્રહ્મચર્યની) રક્ષા માટે લંગોટીના આકારનું સમજવું. સંખ્યાથી એક જ હોય અને પ્રમાણથી સ્વ-સ્વના શરીર અનુસારે લાંબુ-પહોળું સમજવું. ઋતુધર્મ વખતે રૂધિરથી રક્ષા માટે તે જાડા અને સુંવાળા વસ્ત્રનું બનાવેલું હોય છે. (૨) પટ્ટો : કટિપ્રદેશે અવગ્રહાનત્તક વસ્ત્રના બે છેડા દબાવીને બાંધવાનો પટ્ટો. તે સંખ્યાથી એક અને પ્રમાણથી ચાર અંગુલ કે તેથી પણ વધારે પહોળો, લંબાઈમાં કટિએ બંધાય તેટલો. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ (૩) અદ્ધરૂક : ઉરૂ (સાથળ)નો અડધો ભાગ ઢાંકે તે અદ્ધરૂક કહેવાય. તે આકારમાં મલ્લના ચોલણા જેવો અવગ્રહાનન્તકને તથા પટ્ટાને ઢાંકીને સઘળા કટિપ્રદેશને ઢાંકવા માટે હોય છે અને બંને સાથળોની અંદરના પ્રદેશમાં તે કસોથી બંધાય છે. (૪) ચલનિકા : તે પણ અદ્ધરૂક જેવી હોય છે. પરંતુ તે નીચે ઢીંચણ સુધી લાંબી, સીવ્યા વિનાની અને વાંસ પર નાચતી નટડીના ચોલણા જેવી કાંસોથી બંધાય છે. (૫) અન્તર્નિવસની ઉપર કટિ ભાગથી માંડીને નીચે અડધી સાથળ સુધી અને તે ખેંચીને (કઠિન) પહેરવાની હોય છે. કારણ કે કોઈ પ્રસંગે આકુળતાથી ચાલતાં ઉપરનાં વસ્ત્રો પવનાદિથી ખસી જાય તો પણ લોકહાંસી ન થાય. () બહિર્નિવસની : કટિભાગથી ઉપર, નીચે પગની ઘૂંટી સુધી લાંબી અને કટિભાગમાં કંદોરાથી બાંધવાની હોય છે. * (૭) કંચુકઃ અઢી હાથ લાંબો, એક હાથ પહોળો, સીવ્યા વિનાનો, કાપાલિકની કંથાની જેમ (બે ખભા ઉપરથી) નાખેલો, બે બાજુ પડખામાં સ્તનભાગને ઢાંકવા માટે ઢીલા બંધનથી કાંસોથી બાંધવાનો હોય છે. (૮) ઉપકક્ષિકા : “કાખની સમીપ' તે ઉપકક્ષ. ઉપકક્ષને ઢાંકવાનું વસ્ત્ર તે ઉપકક્ષિકા જાણવી. તેને ઉત્કલિકા પણ કહે છે. તે પણ કંચુકની જેમ સીવ્યા વિનાની, સમચોરસ, દોઢ હાથ લાંબી-પહોળી હોય, તેનાથી હૃદયનો ભાગ, જમણું પડખું અને પીઠ ઢંકાય તે રીતે ડાબા ખભે અને ડાબા પડખે (કાખમાં) બીટક બંધથી છેડા ભરાવીને ?) પહેરાય. (૯) વેકક્ષિકા : ઉપકક્ષિકાથી વિપરીત એક પાટો હોય છે, તે ડાબા પડખે કંચુક અને ઉપકક્ષિકાને ઢાંકીને ઉપર પહેરાય છે. (૧૦) સંઘાડી સંઘાડીઓ ઉપર ઓઢવા માટે સંખ્યાથી ચાર રાખવાની હોય છે. એક, બે હાથ પહોળી, બે, ત્રણ હાથ પહોળી અને એક, ચાર હાથ પહોળી. તે પ્રત્યેક જુદા જુદા પ્રસંગે એક એક જ વાપરવાની હોવાથી સંખ્યાથી એક જ ગણી છે. લંબાઈમાં ચારેય સાડા ત્રણ હાથ કે ચાર હાથ લાંબી હોય છે. સાધ્વીજીએ સંઘાડી વિના ખુલ્લા શરીરે કદાપિ બેસવાનું હોતું નથી, માટે બે હાથ પહોળી ઉપાશ્રયમાં ઓઢવા માટે, ત્રણ હાથ પહોળી બે હોય તેમાંથી એક ગોચરી ફરતાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ અને એક સ્પંડિલ ભૂમિએ જતાં ઓઢવા માટે અને ચાર હાથ પહોળી (સમવસરણમાં) વ્યાખ્યાન સાંભળતાં (કે સ્નાત્રાદિ મહોત્સવ પ્રસંગે મંદિરમાં) ઓઢવા માટે હોય છે. સાધ્વીને સમવસરણમાં તથા વાચનામાં ઊભા રહેવાનું હોવાથી ચાર હાથ પહોળી હોય તો જ ઊભાં રહેતાં શરીર સંપૂર્ણ ઢંકાય. ૭૨ (૧૧) સ્કંધકરણી : લાંબી-પહોળી ચાર હાથ સમચોરસ ઉપર ઓઢેલી સંઘાડી પવનથી ખસી જતાં રક્ષણ માટે ચાર પડ કરીને ખભા ઉપર નાખવાની હોય છે. રૂપવતી સાધ્વીને પોતાનું શરીર બેડોળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોવાના કારણે તેને ‘કુબ્જ કરણી’ પણ કહેવાય છે. તેને પીઠના ભાગમાં ખભાની નીચે ડુચો કરીને કોમળ વસ્ત્રના કકડાથી ઉત્કક્ષિકા અને વૈકક્ષિકા સાથે બાંધીને રાખવાથી શરીર ખુંધાની જેમ બેડોળ દેખાય. આ વિષયમાં વિશેષ, પ્રવચન સારોદ્વારથી જાણી લેવું. આ રીતે ‘ગણના પ્રમાણ' કહેવાયું, હવે પ્રમાણ પ્રમાણ (માપ) કહેવાય છે. (૧) પાત્રનું પ્રમાણ : પાત્રની પરિધિ ત્રણવેંત અને ચાર આંગળ થાય તેટલું (અને એક વેંત પહોળુ) હોય તે મધ્યમ, તેથી ઓછું જઘન્ય અને વધારે હોય તે ઉત્કૃષ્ટ જાણવું. બીજા શાસ્ત્રમાં પોત-પોતાના આહારને અનુસારે પાત્રનું બીજું પ્રમાણ પણ કહેલ છે. વૈયાવચ્ચ કરનારને તો ગુરુએ આપેલું પોતાનું કે નંદી પાત્ર તરીકે મોટું હોય, તે ઔથિક નહિ પણ ઔપગ્રહિક ઉપધિમાં સમજવું. રાજાએ નગરાદિકનો ઘેરો ઘાલ્યો હોય, ઇત્યાદિ સંકટ પ્રસંગે સાધુઓ બહાર જઈ ન શકે, ત્યારે કોઈ ઋદ્ધિમંત પાત્ર ભરીને વહોરાવે ત્યારે નંદીપાત્રનો ઉપયોગ થાય, એવા કારણો વિના તેનો ઉપયોગ કરવાનો નિષેધ છે. ભાજનનું મુખ ગોળ-સમચોરસ હોય તેમાં હાથ નાખતાં કાનાનો સ્પર્શ ન થાય એટલું પહોળું મુખ તે જઘન્ય અને ગૃહસ્થ મોટી વસ્તુ સુખપૂર્વક વહોરાવી શકે તેટલા પહોળા મુખવાળું ઉત્કૃષ્ટ પ્રમાણ સમજવું. છકાયની વિરાધનાથી બચવા પાત્રાઓ રાખવાનો ભગવાને વિધિ બતાવ્યો છે. નંદિપાત્ર વૈયાવચ્ચ કરવા માટે પણ રાખી શકાય. (૨) પાત્રબંધ (ઝોળી) : છેડાને ગાંઠ વાળતાં ખૂણા ચાર અંગુલ વધે (અને પાત્રાઓ સુખપૂર્વક આવી જાય) તેટલા પ્રમાણવાળું પાત્રબંધન જોઈએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૭૩ (૩) પાત્રસ્થાપન (૪) ગુચ્છો (૫) પાત્રપ્રતિલેખનિકા : આ ત્રણેનું પ્રમાણ એક વેંત ઉપર ચાર આંગળ (સોળ આંગળનું) કરવું. તેમાં નીચે-ઉપરના ગુચ્છાઓ ઉનના અને પાત્રની પ્રતિલેખનિકા (પૂર્વે જેનાથી પાત્રપડિલેહણ કરાતું હતું તે) સૌમિક (સૂત્રાઉ) કરવી. (વર્તમાનમાં તેના સ્થાને ચરવળી વપરાય છે.) () પડલા : પાત્ર ઢાંકવા માટે કપડાના ટુકડા. પડલા ભેગા કર્યા બાદ તેના અંતરે રહેલો સૂર્ય દેખાય નહિ તેવા જાડા અને કેળના ગર્ભ જેવા કોમળ (સુંવાળા) ત્રણ, પાંચ અથવા સાત રાખવા. ગ્રીષ્મઋતુનો કાળ અતિ રૂક્ષ હોવાથી થોડા જ કાળમાં સચિત્ત રજ-પાણી વગેરે અચિત્ત (નિર્જીવ) થઈ જવાનો સંભવ હોવાથી પડલાને ભેદીને રજ વગેરે પાત્રમાં દાખલ થઈ શકે નહિ માટે ગ્રીષ્મઋતુમાં ત્રણ, હેમંતઋતુ સ્નિગ્ધ હોવાથી પૃથ્વીની રજ વગેરે ચૂરાયા વિના અચિત્ત ન થાય માટે તે કાળે પડેલા ભેદવાનો સંભવ હોવાથી ચાર અને વર્ષાઋતુ અતિસ્નિગ્ધ હોવાથી, ઘણા લાંબા સમયે પૃથ્વીરાજ અચિત્ત થાય, આથી પડલા ભેદીને પાત્રમાં પેસવાનો વધુ સંભવ હોવાથી પાંચ પડલા રાખવા. તે પણ અતિસુંદર (નવા) હોય તો આ પ્રમાણ સમજવું. અદ્ધજીર્ણ થયેલા (મધ્યમ) હોય તો ગ્રીષ્મઋતુમાં ચાર, હેમંતમાં પાંચ અને વર્ષાઋતુમાં છ રાખવાં. અતિર્ણ હોય તો ગ્રીષ્મકાળમાં પાંચ, હેમંતમાં છ અને વર્ષાકાળમાં સાતે રાખવા. પડલાનું એક માપ “અઢી હાથ લાંબા અને છત્રીસ આંગળ પહોળા” એટલું અને બીજું માપ (ખભો અને પાત્ર ઢંકાય તેટલું) પાત્રના અનુસાર અને સ્વ-સ્વ શરીરની ઊંચાઈ-જાડાઈને અનુસારે જોઈએ તેટલું કરવાનું કહ્યું છે. ઢાંક્યા વિનાના પાત્રમાં પુષ્પ-ફળ-પાણીના છાંટા, સચિત્ત પૃથ્વીકાય, અચિત્ત રેતી કે કોઈવાર આકાશમાંથી (પક્ષી આદિની) વિષ્ટા વગેરે પડે ત્યારે પાત્ર અને આહારની) રક્ષા કરી શકાય, વેદના તીવ્ર ઉદયથી લિંગ ઉત્થાન થાય તે ઢાંકવા માટે પડલાનો ઉપયોગ કરી શકાય છે. (૭) રજસ્ત્રાણ : પાત્રને બહારથી ચારે બાજુ વીંટતાં નીચે પડઘીથી માંડીને અંદર ચાર આંગળ પહોળું વધે, તે રીતે રજસ્રાણનું માપ રાખવું. રજસ્ત્રાણ રાખવાનું પ્રયોજન એ છે કે ઉષ્ણાદિ કાળમાં ઉંદરો રાત્રે જમીનમાંથી રજનો ઉત્કર (ઢગલો) પાત્રમાં ન ભરે તથા વર્ષાકાળમાં ઠાર (ધુમ્મસ) તથા સચિત્ત રજથી પાત્રનું રક્ષણ થાય. અને તે પ્રતિપાત્ર એક એક રાખવાનું છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૮-૯-૧૦) ત્રણ કપડા : એક ઉનના અને બે સૂત્રાઉ એમ ત્રણ કપડાનું પ્રમાણ આ છે. કપડા શરીર પ્રમાણે -અર્થાતુ શરીરે ઓઢીને ખભા ઉપર નાખેલો છેડો રહી શકે, તેટલા-સાડા ત્રણ હાથ લાંબા અને અઢી હાથ પહોળા રાખવા. સ્થવિર કલ્પિક સાધુને તો શરીર પ્રમાણ કે એથી કંઈક મોટા તથા જિનકલ્પિકને અઢી હાથ લાંબા હોય એમ પંચવસ્તુની ટીકામાં જણાવેલ છે. કપડા હોય તો ઠંડીથી બચવા ઘાસ ન લેવું પડે, અગ્નિની સેવા ન કરવી પડે. નબળા સંઘયણવાળાને ધર્મ-શુક્લ-ધ્યાનમાં સ્થિર રહેવા ઉપયોગી થાય છે. બીમાર તથા મૃતકને ઓઢાડવા પણ જરૂરી છે. ઉનની કામળી કામળીકાળમાં તથા વર્ષાઋતુમાં ગ્લાનાદિના માટે ગોચરી જતી વખતે ઓઢવાથી અપકાયની વિરાધનાથી બચી શકાય છે. (૧૧) રજોહરણ રજોહરણ દંડાના છેડે દઢ (મજબૂત), મધ્યમાં સ્થિર અને દસીઓના છેડે કોમળ કરવો. તે કામળીના કકડામાંથી જ દસીઓ બનાવીને કરવો. (પૂર્વે પાટો-દસીઓ જુદી નહિ, પણ દસીઓવાળી કામળીના છેડામાંથી પાટા તરીકે કામળીનો અમુક ભાગ અને તેના જ છેડાની (આંતરીની) દસીઓ કરવામાં આવતી હતી.) રસીઓ અને નિશથિયું બંને ગાંઠો વિનાનાં જોઈએ. (વર્તમાનમાં પણ ખરતરાદિ અન્ય ગચ્છોમાં દસીઓને ગાંઠ પાડવામાં આવતી નથી.) અંગુઠાના મધ્યપર્વમાં તર્જની આંગળી રાખતાં વચ્ચેના પોલાણમાં આવી શકે તેટલો જાડો, અર્થાત્ દાંડી અને બે નિશથિયાં (એક સૂત્રાઉ અને બીજું ઉનનું) એ ત્રણ વીંટતાં તેટલો જાડો થાય તેવો અને દોરાના ત્રણ પાશ (આંટાથી) બાંધેલો જોઈએ. રજોહરણ બત્રીસ આગળ લાંબો કરવો. તેમાં પણ તેની દાંડી ચોવીસ અંગુલ અને દસીઓ આઠ આંગળ અથવા બંન્ને થઈને બત્રીસ આંગળ. કોઈ વસ્તુ લેતાં-મૂકતાં ભૂમિનું અને વસ્તુનું પ્રમાર્જન કરવા માટે, કાયોત્સર્ગ માટે ઉભા રહેતાં પહેલાં, નીચે બેસતાં પહેલાં અને શયન કરતી વેળાએ, શરીરને સંકોચતાં પહેલાં પ્રમાર્જન કરવા માટે તથા સાધુનું મુખ્ય લિંગ હોવાથી ઉપયોગી છે. (૧૨) મુખવસ્ત્રિકા : બોલવા વગેરે પ્રસંગે મુખ આગળ રાખવાનું વસ્ત્ર મુખવસ્ત્રિકા છે. તે મુહપત્તિ એક વેંત ચાર આંગળની કરવી અને બીજું પ્રમાણ મુખ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૭પ પ્રમાણ કરવું. દરેક સાધુએ એક મુહપત્તિ અવશ્ય રાખવાની હોય છે. મુખ પ્રમાણ એટલા માટે કહી-કે વસતિ આદિનું પ્રમાર્જન કરતાં મુખે બાંધી શકાય. અને ઉડતી સચિત્ત રજ અને અચિત્ત રજનું પ્રમાર્જન કરવા માટે રાખવાની હોય છે. (૧૩) માત્રક : લઘુપાત્રને માત્રક કહેવાય છે. મગધ દેશમાં જે પ્રસ્થ નામનું માપ છે, તેનાથી માત્રકનું પ્રમાણ કંઈક મોટું કહ્યું છે. ગુર્નાદિ તથા ગ્લાનાદિના માટે તેમાં અલગ આહારાદિ વહોરવાનો હોય છે. કોઈ દુર્લભ વસ્તુ મળતી હોય, ગૃહસ્થ સહસા ઘણું દાન આપવા તત્પર હોય તો તેનો ઉપયોગ કરાય છે. વળી સંસક્ત આહારને અલગ કરવા તેનો ઉપયોગ થાય છે. ગોચરી ઉપાડીને બે ગાઉ ચાલીને થાકેલો સાધુ જેટલું વાપરી શકે, એટલું જેમાં સમાય એટલે માત્રકનું બીજું પ્રમાણ જાણવું. (૧૪) ચોલપટ્ટો : અધોવસ્ત્ર. તેનું પ્રમાણ વૃદ્ધ માટે બે હાથ લાંબો અને એક હાથ પહોળો અને યુવાન માટે બે હાથ લાંબો-પહોળો સમજવું. ઊંચાઈ પ્રમાણે, પાતળા-જાડા પ્રમાણે માપમાં ફેરફાર થઈ શકે છે. ચોલપટ્ટો પહેરવાનું પ્રયોજન જણાવતાં ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે કોઈને લિંગ વિકારી થતું હોય, સ્વાભાવિક અગ્રભાગની ચામડી ઉતરી જવાથી ખુલ્લા લિંગવાળો હોય, કોઈને વાયુના વિકારથી ઉન્નત રહેતું હોય, પ્રકૃતિથી લજ્જાળુ હોય, કુદરતી રીતે મોટું હોય, પ્રકૃતિએ સ્ત્રીને જોવાથી લિંગ ઉત્થાન થતું હોય, ત્યારે કોઈ દેખે નહિ માટે તેને ઢાંકવા માટે ચોલપટ્ટો રાખવાનો છે. પ્રસંગોપાત્ત સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધની ઉપધિનો વિભાગ (ભેદ) જણાવવા માટે તેઓનું સ્વરૂપ પ્રવચન સારોદ્ધારને આધારે કહેવાય છે. (જિનકલ્પી અને વિકલ્પી ઉપરાંત) બીજા પણ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ મુનિઓ હોય છે તેમાં સ્વયંબુદ્ધ બે પ્રકારે છે - એક તીર્થકરો અને બીજા તે સિવાયના. આ બીજા પ્રકારના સ્વયંબુદ્ધમાં બોધિપ્રાપ્તિ, ઊપધિ, વ્યુત અને લિંગની અપેક્ષાએ આ પ્રમાણે ભેદ હોય છે. (૧) સમ્યક્તની પ્રાપ્તિ બાહ્ય કોઈ નિમિત્ત વિના જ પોતાના જાતિસ્મરણજ્ઞાન આદિથી થાય. (૨) ઉપધિ મુહપત્તિ, રજોહરણ, ત્રણ કપડા અને સાત પ્રકારનો પાત્રનિર્યોગ મળી બાર પ્રકારની હોય. (૩) શ્રત : તેઓને પૂર્વ જન્મમાં ભણેલું શ્રુત * અહીં બે અસતિ (હથેળીઓ)ની એક પસતિ (પસલી). બે પસતિની એક સેતિકા (ખોબો) અને ચાર સેતિકાનો મગધ દેશનો એક પ્રસ્થ થાય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (જાતિસ્મરણથી) હોય અથવા ન હોય. (ન હોય તો ગચ્છવાસમાં ગુરુ પાસે નવું ભણે.) જો પૂર્વજન્મનું શ્રુત હોય તો તેને (૪) સાધુવેષ : દેવતા આપે (ગુરુની નિશ્રા ન સ્વીકારે) અથવા દેવ ન આપે તો ગુરુ પણ આપે. પૂર્વજન્મનું શ્રુત ન હોય તેને તો સાધુવેષ ગુરુ જ આપે. આ બીજા પ્રકારના સ્વયંબુદ્ધ એકાકી વિહાર માટે સમર્થ હોય અને તેની તેવી ઇચ્છા હોય તો એકાકી વિચરે, અન્યથા ગચ્છવાસનો નિયમા સ્વીકાર કરે. 66 પ્રત્યેકબુદ્ધ સાધુને કોઈ વૃષભાદિ બાહ્યનિમિત્તને જોઈને જ સમકિત પ્રગટ થાય, તેઓની ઉપધિ જઘન્યથી મુહપત્તિ અને રજોહરણ એમ બે અને ઉત્કૃષ્ટથી તે બે ઉપરાંત સાત પ્રકારનો પાત્રનિયેંગ એમ નવ પ્રકારની હોય, પૂર્વજન્મનું ભણેલું શ્રુત તેઓને નિયમા હોય જ છે. તે પણ જઘન્યથી અગીયાર અંગોનું અને ઉત્કૃષ્ટથી દેશન્યૂન દશપૂર્વનું હોય. સાધુવેષ નિયમા તેઓને દેવતા જ આપે. કોઈ. પ્રસંગે (દેવનો ઉપયોગ ન રહે તો) લિંગ વિના પણ વિચરે, વિહાર એકલા જ કરે. પરંતુ ગચ્છવાસનો સ્વીકાર ન જ કરે. આ સ્વયંબુદ્ધ અને પ્રત્યેબુદ્ધ વચ્ચે આટલું અંતર (ભેદ) છે. પ્રતિમાધારી સાધુને પણ (જિનકલ્પિકની જેમ) બાર પ્રકારની ઉપધિ જાણવી. અહીં સુધી ઔઘિક ઉપધિનું વર્ણન કર્યું. હવે ઔપગ્રહિક ઉપધિનું સ્વરૂપ કહેવાય છે. લાઠી, વિલઠ્ઠી, દંડ, વિદંડ અને પાંચમી નાલિકા (નળી), એ પાંચ પ્રકારના દાંડા તથા સંથારો, ઉત્તરપટ્ટો વગેરે ઔપગ્રહિક ઉપધિ છે. સંથારો અને ઉત્તરપટ્ટો અઢી હાથ લાંબો અને એક હાથ ચાર આંગળ પહોળો રાખવાનું વિધાન છે. પૃથ્વીકાય આદિ જીવોની રક્ષા માટે અને શયન કરતાં શરીરે ધૂળ લાગે તેનાથી બચવા માટે સંથારો ઊનનો અને ઉત્ત૨૫ટ્ટો સૂત્રાઉનો કોમળ રાખવાનો છે. વર્ષાકાળમાં ઔપગ્રહિક ઉપધિ બમણી રાખવાની છે. કારણ કે વરસાદથી ભીના થાય તો બીજી જોડ વાપરી શકાય. આમ શરીર અને સંયમ બંનેના રક્ષણ માટે બમણી ઉપધિ રાખે. આ ઉત્તરપટ્ટો, સંથારો, એક દંડ અને લાઠી, પ્રત્યેક સાધુને ભિન્ન ભિન્ન ઔપગ્રહિક તરીકે રાખવાના કહ્યા છે. તે સિવાયની વસ્તુઓ સર્વ સાધુઓને માટે માત્ર ગુરુએ જ રાખવાની હોય છે. તે કઈ ? તો કહે છે કે... Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ (૧) ચર્મકૃત્તિ ઃ માર્ગમાં દાવાનલનો ઉપદ્રવ હોય, જમીન જીવોથી યુક્ત હોય ત્યારે પાથરીને ઊભા રહી શકાય, કે ચોરાદિથી વસ્ત્રો લુંટાયાં હોય ત્યારે અધોવસ્ત્રના સ્થાને પહેરી શકાય એવું ચર્મનું આસન વિશેષ. (૨) ચર્મકોષ: ચામાડાની કોથળી, જેમાં નખરદની વગેરે શસ્ત્રો રાખી શકાય અથવા પત્થરવાળી ભૂમિમાં ઠોકરો લાગવાથી પગના નખ ઊખડી જાય વગેરે પ્રસંગે પગની આંગળીઓ ઉપર પહેરી શકાય. (૩) ચર્મચ્છેદ ઃ ચામડાની વાધરી (દોરી), કોઈ પ્રસંગે ચાલવાથી પગ નીચેની ચામડીને નુકશાન થયું હોય ત્યારે ચામડાનાં તળીયાં બાંધવામાં ઉપયોગી થાય અથવા “ચર્મચ્છેદન” એટલે મુંડન માટેનો અસ્ત્રો. (૪) યોગપટ્ટ : (યોગ માટે ઉપયોગી) પાટલી દાંડીઓ વગેરે. (૫) ચિલિમિલી (આહાર કરતાં બાંધવાનો) વસ્ત્રનો પડદો. એટલી વસ્તુ ઔપગ્રહિક ઉપધિ તરીકે ગુરુને રાખવાની હોય છે. આ સિવાય બીજું પણ સાધુઓને તપ અને સંયમની સાધનામાં ઉપયોગી ઓઘ ઉપધિ સિવાયનું ઔપગ્રહિક જાણવું. ઔપગ્રહિક ઉપધિ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્યથી કેટલી હોય તે કહે છે. (૧) પઠક : કાષ્ઠ કે છાણની બનાવેલી પીઠિકા, જેને સાધુઓ ભેજવાળા મકાનમાં કે વર્ષાકાળમાં બેસવા માટે અને સાધ્વીવર્ગ (કોઈ આવશ્યક કારણે) તેઓના ઉપાશ્રયમાં આવેલા સાધુનો વિનય કરવા-આસન માટે રાખે છે. (૨) નિષદ્યા = પાદપોંછન (બેસવા માટે ઊનનું આસન.) જિનકલ્પી સાધુને બેસવાનું ન હોવાથી તે ન રાખે. (૩) દંડ ઃ જિનકલ્પવાળાને, ઉપદ્રવ કરનારને પણ રોકવાનો નહિ હોવાથી ન હોય, સ્થવિર કલ્પિકોને હોય. (૪) પ્રમાર્જની વસતિ પ્રમાર્જન માટે (દંડાસણ) ૨ખાય છે. (૫) ઘટ્ટક : ઘુટો-પાત્રાનો લેપ ઘુંટવા માટે ઉપયોગી પત્થરનો ટુકડો વિશેષ. () ડગલાદિ: શરીર શુદ્ધિ માટે ઉપયોગી પત્થરના, ઇંટના કે માટીના ટુકડા. (૭) પિપ્પલક : પાત્રાનું મુખ વગેરે કરવા માટે ઉપયોગી લોહનું શસ્ત્ર (અથવા મુંડન માટે અસ્ત્રો) વિશેષ. (૮) સોય : કપડાં વગેરેને સીવવાની સોય. (૯) નખરદની = નખ કાપવા માટે ઉપયોગી નરણી. (૧૦-૧૧) શોધનકધય = કાનનો અને દાંતનો મેલ ખોતરવા માટેની બે સળીઓ. આટલી જઘન્યથી ઓપગ્રહિક ઉપધિ જાણવી. હવે મધ્યમ ઔપગ્રહિક ઉપધિને કહે છે. - વર્ષોથી રક્ષણ કરવાનાં પાંચ સાધનો તેમાં (૧) ઊનનું (૨) સૂત્રાઉ (૩) તાડપત્રનું (૪) પલાશ (ખાખરા)ના પાંદડાનું. (૫) છત્ર. આ વર્ષોત્રાણપંચક સમજવું. પછી ચિલિમિલીપંચક અર્થાત્ પાંચ પ્રકારના પડદા. (૧) સૂત્રાઉ, (૨) ઘાસનો, (૩) વાકુમય (બગલાં વગેરેનાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પીંછાંને કે ઝાડની છાલને ગુંથીને બનાવેલો), (૪) દંડમય - (વાંસને દોરીથી ગુંથીને બનાવેલો) અને (૫) કટકમય (વાંસ વગેરેની બનાવેલી સાદડી). એ પાંચનું માપ નાના-મોટા ગચ્છાનુસાર કરવું. અર્થાત્ જેટલાથી ગૃહસ્થોથી ગુપ્ત રીતે ભોજન કરી શકાય તેટલા માપના રાખવા. બે સંથારા – એક તૃણ (ઘાસ) વગેરેનો પોલાણવાળો અને એક કાષ્ઠાદિનો પોલાણ વિનાનો સમજવો. પાંચ જાતનાં તૃણ (ઘાસ) (૧) કલમ, કમોદ વગેરે ડાંગરનાં, (૨) સાઠી વગેરે ડાંગરનાં, (૩) કોદ્રવાનાં, (૪) કાંગ (અનાજ વિશેષ), એ ચારનાં ફોતરાં અને (૫) જંગલમાં ઉગેલું ઘાસ. દંડપંચક (૧) શરીર પ્રમાણ લાંબી લાઠી, ભોજન કરતાં ગૃહસ્થ દેખે નહિ માટે દંડા સાથે પડદો બાંધવામાં ઉપયોગી છે. (૨) તેથી ચાર આગળ ટુંકી વિલક્કી, ગામના છેડે ઉપાશ્રય હોય તો અંદરથી બારણું ખખડાવવા માટે ઉપયોગી છે કે જેથી તેનો અવાજ સાંભળીને બહારથી ચોર-કુતરાં વગેરે ભાગી જાય. (૩) ખભા જેટલો લાંબો દંડ, શેષકાળમાં ભિક્ષા માટે જતાં લઈ જવાય છે. ગુસ્સે થયેલા મનુષ્ય-પશુઓ-શરભાદિ વિગેરેથી રક્ષણ માટે, ચોરવાઘથી રક્ષણ માટે, વૃદ્ધ સાધુને ટેકા માટે ઉપયોગી છે. (૪) બગલ-કક્ષા જેટલો ઊંચો વિદંડ, વર્ષાઋતુમાં ભિક્ષા માટે જતાં લઈ જવાય છે. કારણ કે તે ટુંકો હોવાથી કપડામાં ઢાંકીને લઈ જતાં તેને અપકાયનો સંઘટ્ટો ન થાય. (૫) સ્વશરીરથી પણ ચાર આંગળ વધારે લાંબી નાલિકા, નદી વગેરેને ઓળંગતાં પાણીની ઊંડાઇ માપવા માટે ઉપયોગી છે. લાઠી એક પર્વવાળી પ્રશંસનીય, બે પ કલહકારી, ગણપર્વા લાભપ્રદ, ચારપર્વા મરણપ્રદ, પાંચપર્વા પન્થમાં કલહનાશક, છપર્વા પીડાકારી, સાતપર્ધા આરોગ્યપ્રદ આઠપર્વા સંપત્તિનાશક, નવપર્વવાળી યશકારક, દશાર્વવાળી સર્વસંપત્તિકારક જાણવી. એમ યતિદિનચર્યામાં કહ્યું છે. પછી માત્ર ત્રણ :- એક વડીનીતિ માટે, બીજું લઘુનીતિ માટે અને ત્રીજું શ્લેષમ માટે, એમ ત્રણ કુંડિઓ. પાદલેખનિકા = પગેથી કાદવ દૂર કરવાની કાષ્ઠની પટ્ટી. ચર્મપંચક : (૧) તલિકા : પગે બાંધવાનું ચામડાનું માત્ર તળીયું, તે કોઈ વિષમ પ્રસંગે રાત્રિના અંધકારમાં કે દિવસે પણ સાર્થની સાથે ચાલતાં ઉન્માર્ગે ચાલવું પડે ત્યારે પગના તળીયે બંધાય છે. (૨) ખલ્લગ : = પગરખાં. તે ખસથી - ખરજવા આદિથી કે પગ ફાટેલા હોય તે સાધુને પહેરવા માટે. (૩) વાધરી (ચર્મચ્છેદ) (૪) કોષ (ચર્મકોષ) અને (૫) કૃત્તિ (ચર્મકૃત્તિ)નું સ્વરૂપ અને ઉપયોગ પૂર્વે કહી ગયા પ્રમાણે જાણવું. બે પટ્ટગ: સંથારો-ઉત્તરપટ્ટો. આટલી મધ્યમ ઔપગ્રહિક ઉપધિ જાણવી. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૭૯ તેમાં સાધ્વીઓને વારક = લઘુનીતિ માટે ઉપયોગી પાત્ર વિશેષ વધારે હોય છે, કારણ કે તેઓને સદા ગૃહસ્થોની વચ્ચે રહેવાનું હોવાથી તે આવશ્યક છે. હવે ઔપગ્રહિકના ઉત્કૃષ્ટ પ્રકારોનું વર્ણન કરાય છે. અક્ષા = સ્થાપનાચાર્ય માટે ઉપયોગી ચંદનકનાં શરીર વગેરે. સંથારો= (પૂર્વે વર્ષાકાળમાં પાટને બદલે ૨ખાતું) એક સળંગ કાષ્ઠનું પાટીયું અથવા તેવું ન મળે તો (પાટી, લાકડીઓ કે વાંસ વગેરે) અનેક અવયવોને જોડીને બાંધીને) બનાવેલો અનેકાજ્ઞિક સંથારો એમ બે પ્રકારનો સંથારો રાખી શકાય. પુસ્તક પંચક : ચંડિકા, કચ્છપી, મુષ્ટિકા, સંપુટફલક અને છેદપાટી-છેવાડી એમ પાંચ પ્રકારનાં પુસ્તકો છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - જાડાઈ – પહોળાઈમાં સમાન-સમચોરસ અને લાંબો-લંબચોરસ આકાર હોય તે. (૧) ચંડિકા કહી છે. બે બાજુ છેડે પાતળો, વચ્ચે પહોળો અને જાડાઈમાં ઓછો હોય તેવા આકારવાળાને (૨) કચ્છપી. ચાર આંગળ લાંબો કે ગોળ આકારવાળો હોય અથવા જે ચારે બાજુ ચાર આંગળ પ્રમાણનો (ચોરસ) હોય તે (૩) મુષ્ટિકા. જેને બે બાજુ કાગળની કે લાકડાની પાટલીઓ હોય તે વેપારીઓને ઉધાર લખવાની પાટી જેવા આકારનો (૪) સંપુટ ફલક. જે થોડાં પાનાં હોવાથી કંઈક ઊંચાઈવાળો હોય, અથવા લાંબો, અથવા ટુંકો, જાડાઈમાં અલ્પ, અને પહોળો હોય તેને આગમજ્ઞપુરુષો (૫) છેવાડીછેદપાટી કહે છે. ફલક = લખવાનું પાટીયું, જેમાં લખીને ગોખી-ભણી શકાય તે, અથવા કારણે જે ટેકો લેવા માટે હોય, તે વ્યાખ્યાનનું પાટીયું ફલક કહેવાય છે. આ અક્ષ વિગેરે સર્વ વસ્તુઓ ઉત્કૃષ્ટ ઔપગ્રહિક વિભાગમાં જાણવી.' આ બધા ઉપકરણો જ્ઞાનાદિની ગુણોની સાધનામાં ઉપયોગી થતાં હોય તો જ ઉપકરણો છે. નહીંતર અધિકરણ બને છે. આ વિષયમાં વિશેષ ઓઘનિર્યુક્તિ, પંચવસ્તુ, બૃહત્કલ્પથી જાણી લેવું. ગચ્છની ચિંતા કરનારા ગણાવચ્છેદક વગેરે પાસે તો ઉપર જણાવેલા પ્રમાણથી વધારે પણ હોઈ શકે છે. વસ્ત્ર વગેરે સર્વ ઉપધિ વર્ષાકાળને અડધો મહિનો બાકી રહે ત્યારે જયણાપૂર્વક ધોવી જોઈએ. આચાર્યની લોકમાં અપકીર્તિ ન થાય માટે અને ગ્લાનાદિને મેલા કપડાંથી અજીર્ણ ન થાય માટે તેઓની ઉપધિ જ્યારે જ્યારે મલિન થાય ત્યારે ત્યારે અન્ય સાધુઓ વારંવાર ધોવે. વસ્ત્રને ધોવા માટે પહેલા વરસાદનું પહેલું પાણી ગૃહસ્થના પાત્રમાં ઝીલેલું વાપરવાની અનુમતિ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વસ્ત્રો ધોવાનો (કાપ કાઢવાનો) ક્રમ આ પ્રમાણે છે - પહેલાં ગુરુની, પછી પ્રત્યાખ્યાનીની (તેને સમાધિ રહે માટે ઉપવાસીની), પછી ગ્લાનની, પછી નવદીક્ષિતની (કે જેને મલપરિસહ સહેવાની ટેવ નથી) અને પછી પોતાની ઉપધિનું પ્રક્ષાલન કરે. તેમાં પણ સૌથી પ્રથમ યથાકૃત, પછી અલ્પપરિકર્મવાળા અને પછી બહુપરિકર્મવાળા લેવા. સાધુ વસ્ત્રોને પત્થરાદિ ઉપર ઝીકે નહિ ધોકાથી કૂટે નહિ, પણ ઓછા પાણીમાં હાથથી જયણાપૂર્વક મસળીને ધોવે. ધોએલાં વસ્ત્રો તાપમાં સુકવે નહિ. ८० હવે સર્વ ઉપકરણોના પડિલેહણ પછી (ચોથા પ્રહરનું) શેષ કર્તવ્ય જણાવે છે. મૂળમ્ – તત: સ્વાધ્યાયરાં, મુહૂર્ત વાવવુંતિમમ્ । तत्रोच्चारप्रश्रवण - कालभूमिप्रमार्जनम् ।।९७ ।। ગાથાર્થ : તે પછી છેલ્લું મુહૂર્ત (બે ઘડી દિવસ) બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય, કરે અને છેલ્લા મુહૂર્તમાં સ્થંડિલ-માત્રુ અને કાલગ્રહણ માટેની ભૂમિઓનું પ્રમાર્જન - માંડલા કરે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : સર્વ ઉપધિની પ્રતિલેખના કર્યા બાદ દિવસના સોળમા ભાગરૂપ છેલ્લું અંતર્મુહૂર્ત દિવસ બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય ક૨વો, એ સાપેક્ષ યતિધર્મ છે. તે સ્વાધ્યાયના સમયે (સવારની અપેક્ષાએ) બીજીવાર ઉપાધ્યાય સૂત્રગ્રાહી સાધુને સૂત્રની અને તેવી રીતે ગુરુ (આચાર્ય) અર્થગ્રાહીને અર્થની વાચના આપે. બે ઘડી સૂર્યાસ્તની બાકી રહે ત્યારે સ્વાધ્યાયમાંથી ઉઠીને સાધુ ૧૨ ભૂમિઓ રાત્રિએ સ્થંડિલને અને ૧૨ભૂમિઓ માત્રાને પરઠવવા માટે પડિલેહણ કરે. (જો કાલગ્રહણ લેવાનું હોય તો નોંતરાં દઈને ભૂમિઓનું પડિલેહણ કરે) સ્થંડિલ માત્રાના વેગથી અતિ પીડિત ન હોય, સુખપૂર્વક દૂર જઈ શકે તેમ હોય, ત્યારે ઉપાશ્રયના આંગણામાં ત્રણ ભૂમિઓ મકાનની નજીક, મધ્યમાં અને દૂર પડિલેહવી. તથા સંજ્ઞાના વેગથી અતિબાધા થવાથી દૂર ન જઈ શકાય તેવા પ્રસંગે એક ઉપાશ્રયની અતિ નજીક, બીજી મધ્યમાં અને ત્રીજી કંઈક દૂર એમ ત્રણ ભૂમિઓ પડિલેહે, એમ આંગણામાં છ તથા આંગણાની બહાર છ મળી કુલ બાર ઉચ્ચાર (વડીનીતિ) માટે અને એ રીતે બાર પ્રશ્રવણ (માત્ર) માટે પડિલેહવાની કહી છે. કાળગ્રહણની ત્રણ ભૂમિઓ પડિલેહવાની હોય છે. આ સત્તાવીશ ભૂમિઓનું પડિલેહણ કરતાં સૂર્ય અસ્ત થાય તેવા સમયે પડિલેહવી. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ હવે તે પછીના કર્ત્તવ્યને ગ્રંથકારશ્રી જણાવે છે. મૂમ્ - આવશ્યકૃતિઃ, જિ-પ્રજ્ઞસ્તારાત્રયેક્ષને 1 તત:ાસૂિત્રાદ્ય - વનાવિ યથાવિધિ ।।૮।। ૮૧ : ગાથાર્થ : પ્રતિક્રમણ કરવું, ત્રણ તારાઓ દેખાય ત્યારે કાલગ્રહણ લેવું અને તે પછી વિધિ પ્રમાણે કાલિકસૂત્ર વગેરેનું અધ્યયનાદિ કરવું. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : ‘આવશ્યક' (પ્રતિક્રમણ)નો અર્થ પ્રથમભાગમાં ગૃહસ્થધર્મના અધિકારમાં કહ્યો છે તે પ્રમાણે સમજવો. સાધુઓને પ્રતિક્રમણ માંડલીમાં કરવાનું હોય છે. તેનો વિધિ-ક્રમ આ પ્રમાણે છે- સૂર્યાસ્ત વેળાએ ગીતાર્થ સાધુ સ્વાધ્યાયાદિમાં રક્ત સાધુઓને જણાવવા માટે ઘોષણા કરે. તે પછી સર્વ સાધુઓ પ્રતિક્રમણ ક૨વાના સ્થાને ભેગા થાય. માંડલીમાં આવતા ક્રમ પ્રમાણે શ્રીવત્સ આકારે મધ્યમાં પૂર્વ કે ઉત્તર સન્મુખ આચાર્ય બેસે. ગુરુ (આચાર્ય)ને આવવાની વાર હોય ત્યાં સુધી સાધુઓ ઊભા ઊભા કે અશક્ત હોય તે બેઠા બેઠા સ્વાધ્યાય કરે. ગુરુ આવે ત્યારે સાથે જ અથવા ગુરુ ધર્મકથાદિમાં વ્યસ્ત હોય તો સાધુઓ પોતે આજ્ઞાપૂર્વક પ્રારંભમાં દૈવસિક પ્રાયશ્ચિત્તના વિશોધન માટે સો શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. (ગુરુ પાછળથી આવીને જોડાઈ જાય. આ વિષયમાં જુદી-જુદી માન્યતાઓ છે) વર્તમાનમાં તો આચરણાથી પ્રતિક્રમણને અંતે આ કાયોત્સર્ગ કરાતો દેખાય છે. પ્રતિક્રમણની વિધિ તો પૂર્વે (પહેલા ભાગમાં ગૃહસ્થધર્મના અધિકારમાં) કહી તે પ્રમાણે સમજવી. જે કંઈ સાધુની પ્રતિક્રમણ વિધિમાં વિશેષતા છે તેને તે તે સ્થાને જણાવીશું. દૈવસિક અતિચારના ચિંતનમાં આચાર્ય તેને બે વાર ચિંતવે, કારણ કે બીજા સાધુઓ આહાર લેવા આદિ કારણે બહાર ફરેલા હોવાથી તેઓને ચિંતન વધારે કરવાનું હોય, તેથી આચાર્ય બે વાર ચિંતવે તેટલા વખતમાં સાધુઓ એકવાર ચિંતવી શકે. દૈવસિક અતિચારોને ચિંતવવા માટે, તે તે વિષયોમાં લાગેલા અતિચારો યાદ કરવા માટે આલંબનભૂત ગાથા આ પ્રમાણે છે.... सयणासणन्त्रपाणे, चेइअ जइ सिज्ज काय उचारे । समिई भावणा गुत्ती, वितहायरणंमि अइआरो ।। || આ. નિર્યુક્તિ. ગા.૧૪૯૮ || Page #149 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ગાથાર્થ : શયન-આસન, આહાર-પાણી, ચૈત્ય, સાધુ, વસતિ, માત્રુ, સ્થડિલ, સમિતિ, ભાવના અને ગુપ્તિ એ વિષયમાં જે જે વિપરીત, અયોગ્ય આચરણ કર્યું હોય તે તે અતિચાર જાણવા. વ્યાખ્યા : શયનીય વસ્તુ = સંથારા વગેરે વસ્તુઓને અવિધિ – અયતનાથી લેવાં, મૂકવાં, પાથરવાં, વાપરવાં વગેરે અનેક રીતે અતિચારો લાગે. એ રીતે આસન = બેસવા માટેના પાટ-પાટીયા વગેરેને પણ અવિધિ-અયતનાથી લેવાંમૂકવાં કે વાપરવાં વગેરેમાં અતિચાર લાગે. આહાર પાણી = તેને અવિધિએ વહોરતાં – વાપરતાં અનેક અતિચારો લાગે. ચૈત્ય એટલે જિનમંદિર - મૂર્તિની આશાતના કરતાં, અવિધિએ ચૈત્યવંદન કરતાં અને તેને અંગે સાધુધર્મમાં કરવા યોગ્ય ચિંતા, સાર-સંભાળ નહિ કરવાથી, એમ અનેક પ્રકારે અતિચારો લાગે. યતિ = સાધુ સમુદાય કે સમગ્ર સાધુઓ, તેઓનો યથાયોગ્ય વિનય, ઔચિત્ય, વાત્સલ્ય કે વૈયાવચ્ચાદિ સ્વકર્તવ્ય ન કરવાથી, અવિધિ અનાદર કે તેના પ્રત્યે દ્વેષ વગેરે કરવાથી, યતિને અંગે પણ અનેક રીતે અતિચારો લાગે. શવ્યા = વસતિ-ઉપાશ્રય, તેનું પ્રમાર્જન વગેરે અવિધિએ કરવાથી કે તદ્દન નહિ કરવાથી તેમ જ તેમાં રાગ દ્વેષ કે મોહ કરવાથી, સ્ત્રી-પશુ-પંડક (નપુંસક) આદિ જ્યાં હોય તે ઉપાશ્રયમાં રહેવાથી, ઇત્યાદિ ઉપાશ્રયને અંગે પણ અનેક રીતે અતિચારો લાગે. કાય = લઘુનીતિ અને ઉચ્ચાર = વડીનીતિ - ડિલ-માત્રને અવિધિએ પરઠવવાથી, જીવસંસક્ત ભૂમિમાં પઠવવાથી, બીજાઓને અસદુર્ભાવ થાય તેવા રાજમાર્ગ કે લોકોપયોગી કુવા-બગીચા વગેરેના સ્થાને પરઠવવાથી, ચંડિલના આલોક વગેરે દોષો સેવવાથી, એમ અનેક પ્રકારે તેમાં પણ અતિચારો લાગે. સમિતિ = ઇર્યા વગેરે પાંચ સમિતિ. ભાવના = અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર અથવા મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ. ગુપ્તિ = મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓ. આ સમિતિઓ - ભાવનાઓ – ગુપ્તિઓના પાલનમાં અવિધિ સેવવાથી અગર તેનું સર્વથા પાલન નહિ કરવાથી, વગેરે અનેક રીતે અતિચારો લાગે. આમ શયનીયથી માંડીને ગુપ્તિના પાલન સુધીમાં જે જે “વિતથ' એટલે વિરુદ્ધ આચરણ કર્યું હોય, તે તે અતિચારોને સમજીને, મનમાં તેની સંકલના-(અવધારણા) કરીને, ગુરુએ પાર્યા પછી સર્વ સાધુઓ કાયોત્સર્ગ પારે. તે પછી (ગૃહસ્થધર્મ અધિકારમાં પ્રતિક્રમણની વિધિમાં) કહેલા ક્રમ પ્રમાણે આ દૈતસિક અતિચારોની (ગુરુ સમક્ષ) આલોચના કરીને ગુરુ વાળે અમને વંકમળ' ઇત્યાદિ પાઠ કહે તે પછી બીજા સાધુઓ પણ તે પાઠ બોલે તે પાઠ આ પ્રમાણે છે Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૮૩ “ठाणे गमणे (कमणे) चंकमणे, आउत्ते अणाउत्ते, हरिअकायसंघट्टिय बीअकायसंघट्टिय तसकायसंघट्टिय थावरकायसंघट्टिय छप्पईयसंघट्टिय, ठाणाओ ठाणं संकामिआ, देहरे गोअरचरी (गोचरी), बाहिरभूमिं मारगि (मार्गे) जातां आवतां हरिअकाय बीअकाय नील फूल त्रस थावर जीवतणां संघट्ट परिताप उपद्रव हुआ, माटी तणो खेरो चाप्यो, काचा पाणीतणा छांटा लागा, स्त्री तिर्यंञ्चतणा संघट्ट हुआ, ओघओ मुहपत्ती उस्संघटयां, अणपूजइ हीड्या, ऊघाडे मुखे बोल्या, अनेरुं जि कांइ पाप लागुं हुइ ते सवि हुं मन वचन कायाइं करइ मिच्छा मि दुक्कडं" વ્યાખ્યા: ઠાણે = કાયોત્સર્ગ વગેરે કરવા માટે ઉભા રહેવામાં, ગમણે = ગોચરી આદિ કારણે જવામાં, ચંકમણે = આમ તેમ પરિભ્રમણ કરવામાં, ઇત્યાદિ પ્રવૃત્તિ આઉત્તે = ઉપયોગ પૂર્વક અને અગાઉ7 = ઉપયોગ વિના કરવાથી, હરિઅ = વનસ્પતિ જીવોને કે તેઓના શરીરોનો, બીઅo = સુકા છતાં સચિત્ત અનાજના દાણા કે બીજા પણ વૃક્ષોના અનેક જાતિના બીજોને, ત્રસ = બેઇન્દ્રિય આદિ જીવોને કે તેઓના શરીરનો, થાવર = સચિત્ત પૃથ્વી આદિના જીવોને કે તેના શરીરરૂપ પૃથ્વી આદિને -એ દરેકને ઉભા રહેતાં, ચાલતાં, ફરતાં, ઉપયોગપૂર્વક કે અનુપયોગપણાથી સંઘટ્ટિય = સ્પર્શ કર્યો તથા. છM = જૂઓનો સંઘટ્ટ થયો JIVITગો avi સંકિગ = એક સ્થાનેથી અન્ય સ્થાને મૂક્યા, જિનમંદિર, આહાર લેવા, બહાર ભૂમિએ, કે અન્ય પ્રયોજને રસ્તે જતાં-આવતાં કોઈ લીલી વનસ્પતિ, સચિત્ત બીજ(દાણા) વગેરે તથા ની= લીલ, ફૂ૦ = પૂષ્પો કે અનંતકાયિક પાંચે વર્ણની ફુગ, ત્રસ અથવા સ્થાવર જીવો, તે દરેકમાં કોઈ એકનો કે અનેકનો ઘણો કે થોડો સંઘટ્ટ (સામાન્ય સ્પર્શ) થયો, તેઓને "પરિતાપ' = સખત પીડા થાય તેવો સંઘટ્ટ કર્યો, ઉપદ્રવ = અત્યંત ત્રાસ આપ્યો, માટીનો ખેરો (પ્રાય: ઢગલો) ચાંપ્યો (પગથી દબાવ્યો કે ઉપર ચાલ્યા), સચિત્ત પાણીના બિંદુઓ શરીરે લાગ્યા, સ્ત્રીનો કે કુતરો-કુતરી આદિ કોઈ લિંગવાળા તિર્યંચનો સ્પર્શ થયો, ઓઘો-મુહપત્તિ શરીરથી ઉલ્લંઘટ્ય-એક હાથ ઉપરાંત દૂર રહ્યા, પૂંજ્યા (ઇર્યાસમિતિના પાલન) વિના ચાલ્યો, મુખે મુહપત્તિ રાખ્યા વિના બોલ્યો, તે સિવાય બીજું પણ જે કાંઈ પાપ લાગ્યું હોય તે સર્વનું પણ મન-વચન-કાયાથી મારે “ મિચ્છામિ દુક્કડ' થાઓ ! અર્થાત્ મારૂં તે તે પાપ મિથ્યા થાઓ. (વર્તમાનમાં આ પાઠના સ્થાને બીજો પાઠ સામાચારીથી કહેવાય છે.) એ પાઠ બોલીને ગુરુની સમક્ષ અતિચારોની આલોચના કરે. (તેઓને સંભળાવે). ત્યાર પછી વિશેષ શુદ્ધિ માટે ‘સત્રસ્ત વિ ટેસિમ' ઇત્યાદિ સૂત્ર દેવસિક પ્રતિક્રમણ કરતાં કહેવું. (એનો અર્થ પહેલા ભાગમાં જોઈ લેવો) રાઈ પ્રતિક્રમણ અતિચારની આલોચનાનો પાઠ આ પ્રમાણે છે Page #151 -------------------------------------------------------------------------- ________________ ८४ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ _संथाराउट्टण किअ, परिअट्टण किअ, आउंटण किअ, पसारण किअ, छप्पईसंघट्टण किअ, अचख़ुविसय हूओ, संथारापोरिसीतणो विधि भणवो विसार्यो, कडूथलुं अणपूजई हलाव्युं चलाव्युं, सउणइ स्वप्नांतरि दृष्टि विपर्यास मनोविपर्यास संकल्प कुविकल्प स्खलनादिक अतिचार लागा, मात्रउं अविधि परिठविउं, अनेरुं जि कांइ पापः लागुं हुइ ते सवि हुं मन वचन યારું કર મિચ્છા મિ દુક્કડું !” વ્યાખ્યા : સંથારામાં ૧-ઉદ્વર્તના ( એકવાર પાસે બદલવું તે) કિઅ કરી, ૨)-પરિવના (= પુનઃ મૂળ પાસું બદલવું, તે) કિઅઈંકરી, ૩)-આઉટણ કિઅ=પગ વગેરેનો સંકોચ કર્યો (ટુંકા કર્યા) ૪) પસારણ કિઅ = પગ વગેરે લાંબા કર્યા, ૫) જૂઓનો સંઘટ્ટો કર્યો અને ૬) અંધારામાં માત્ર કર્યું - પરઠવ્યું, એ છ સ્થાને જે સાવદ્ય ક્રિયા કરી, તથા સંથારા પોરિસી ભણાવવી ભૂલી ગયા, કડૂથલું ( તંગારૂં કહેવાય છે તે ?) પૂજ્યા વિના હલાવ્યું-ખસેડ્યું, ઉંઘમાં સ્વપ્ન દ્વારા અનિષ્ટ દર્શન થયું, અનિષ્ટ મન થયું, અર્થાત્ કંઈ ખોટું દર્શન થયું કે દુષ્ટ વિચાર આવ્યો, મૈથુન સંબંધી સંકલ્પ, કુવિકલ્પ થયો કે બ્રહ્મચર્યમાં સ્કૂલના થઈ, ઇત્યાદિ કોઈ અતિચાર લાગ્યો, માત્રુ અવિધિએ પરઠવ્યું, એ ઉપરાંત પણ જે કોઈ પાપ લાગ્યું હોય તે સઘળાં પણ પાપોનો મન-વચન-કાયા દ્વારા મિથ્યાદુકૃત આપું છું. અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ ! (વર્તમાનમાં આ પાઠના સ્થાને બીજો પાઠ સામાચારીથી બોલાય છે. એ પાઠ કહીને ‘સવ્યસ્ત વિ 31...' ઇત્યાદિ સૂત્ર બોલે, પછી ગુરુ ‘ડિક્ષનરૂ' એમ કહીને પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે, શેષવિધિ પ્રથમ ભાગથી જાણી લેવી. ત્યારબાદ શ્રમણ પ્રતિક્રમણસૂત્ર બોલવું. શુભયોગોમાંથી અશુભયોગોમાં ગયેલા આત્માનું પુનઃ શુભયોગોમાં પાછા ફરવું તેને પ્રતિક્રમણ' કહેવાય છે. તે પ્રતિક્રમણ બે પ્રકારનું છે.એક યાવજીવ સુધીનું અને બીજું અમુકકાલ સુધીનું. તેમાં મહાવ્રતો આદિ ઉચ્ચરવાં તે યાવજ્જવ માટેનું તથા દેવસિક - રાઇ વગેરે પ્રતિક્રમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિક્રમણના વિષયો (૧) પ્રતિષિદ્ધ કાર્ય કરવું. (૨) કરણીય નહિ કરવું. (૩) જિનવચનમાં અશ્રદ્ધા કરવી, (૪) વિપરીત પ્રરૂપણા કરવી. આ ચાર છે. અર્થાત્ આ ચાર વિષયનું પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ સૂત્રનો પ્રારંભ કરતાં ‘શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર' અને “કરેમિ ભંતે.” કહેવું તેનો અર્થ પ્રથમ ભાગમાં કહેવાઈ ગયો છે. તે પછી વિનોના નાશ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ માટે પ્રતિક્રમણ સૂત્ર બોલતાં મંગલ કરવું જોઈએ, માટે સૂત્રકાર સ્વયં મંગલને જણાવે છે. ૮૫ “વત્તારિ મંત્રં - અર (ર) દંતા મા ં, સિદ્ધા મા ં, સાર્દૂ મા ં, પિળતો ધમ્મો મારું " વ્યાખ્યા : જે સંસારને ગાળે અર્થાત્ સંસારથી પાર ઉતારે તે મંગલ. જેનાથી હિત પ્રાપ્ત કરાય તે મંગલ અર્થાત્ ધર્મને આપે તે મંગલ. આમ જુદી-જુદી વ્યુત્પત્તિઓથી મંગલ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થ થાય છે. (જગતમાં) મંગલ તરીકે ચાર પદાર્થો છે, તેને નામપૂર્વક કહે છે. (૧) અરિહંત મંગલરૂપ છે. (૨) સિદ્ધ મંગલરૂપ છે. (૩) સાધુ મંગલરૂપ છે. (૪) કેવલિપ્રરૂપિત ધર્મ મંગલરૂપ છે. આચાર્યો-ઉપાધ્યાયો વગેરે પણ સાધુપણાથી યુક્ત (સાધુ) હોવાથી તેઓને સાધુમાં જ ગ્રહણ કરેલા સમજવા. કેવલિપ્રરૂપિત ધર્મ ‘શ્રુતધર્મ’ અને ‘ચારિત્રધર્મ' એમ બે પ્રકારે છે. આ ચારની મંગલતા એ કા૨ણે છે કે એના દ્વારા હિત મંગાય (મેળવાય) છે. આ હેતુથી જ તેઓનું લોકમાં ઉત્તમપણું છે અથવા લોકમાં તે પદાર્થોનું જ ઉત્તમપણું છે, માટે જ તેઓમાં મંગલતા છે. એ અર્થને જણાવવા માટે કહે છે “चत्तारि लोगुत्तमा - अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा ! केवलिपण्णत्तो ધમ્મો જોવુત્તમો ।।” વ્યાખ્યા : પૂર્વે કહેલા અરિહંતાદિ લોકમાં ઉત્તમ હોવાથી લોકોત્તમ છે. તેમાં પણ ‘અરિહંતો’ ભાવલોકમાં પ્રધાન છે, કારણ કે તેઓને કર્મની સર્વ શુભ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અર્થાત્ શુભ ઔદિયકભાવે તેઓ વર્તતા હોય છે. અરિહંતની તુલનામાં આવે તેવો લોકનો કોઈ આત્મા શુભ ઔયિકભાવવાળો હોતો નથી. ‘સિદ્ધો’ચૌદરાજલોકના છેડે-ઉ૫૨ અર્થાત્ ત્રણ લોકને મસ્તકે રહેલા હોવાથી ક્ષેત્રલોકમાં ઉત્તમ છે. સાધુઓ જ્ઞાન-દર્શન-ચારિત્રને આશ્રયિને ભાવલોકમાં ઉત્તમ છે. અર્થાત્ જ્ઞાનાદિ ગુણોરૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હોવાથી ભાવલોકોત્તમ છે. બે પ્રકા૨ના ધર્મમાં ‘શ્રુતધર્મ’ ક્ષાયોપશમિક ભાવલોકની અપેક્ષાએ તથા ‘ચારિત્રધર્મ’ ક્ષાયિકભાવ અને મિશ્ર (સાન્નિપાતિક)ભાવની અપેક્ષાએ ભાવલોકોત્તમ છે. આમ તેઓનું લોકોત્તમપણું હોવાથી જ તે શરણ કરવા યોગ્ય પણ છે, અથવા તેઓ શરણ કરવા યોગ્ય હોવાથી તેઓમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે साहू सरणं " चत्तारि सरणं पवज्जामि- अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, पवज्जामि, केवलिपण्णत्तं धम्मं सरणं पवज्जामि ।। " Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વ્યાખ્યા : ચાર શરણાને હું સ્વીકારું છું. અર્થાત્ સાંસારિક દુઃખોથી મારી રક્ષા (અર્થાત્ મોક્ષસુખને) માટે હું આ ચારનું શરણું સ્વીકારું છું. (તે ચાર કોણ ?) (૧) અરિહંતોનું શરણું સ્વીકારું છું. (૨) સિદ્ધોનું શરણું સ્વીકારું છું. (૩) સાધુઓનું શરણું સ્વીકારું છું. અને (૪) કેવલિપ્રરૂપિત ધર્મનું શરણું સ્વીકારું છું. આ રીતે માંગલિક વ્યવહાર કરીને (લઘુ) પ્રતિક્રમણ માટે “છામિ પડિક્ષમાં નો છે. ઇત્યાદિથી તરસ મિચ્છામિ દુઃ” સુધી કહેવું. તેની વ્યાખ્યા પ્રથમ ભાગમાં કહી છે. એમાં સાધુને અંગે જે જે પાઠ ભેદ છે તેની વ્યાખ્યા કરીએ છીએ. ‘સીવીપાડો' ને બદલે સાધુએ ‘મસમારો' કહેવું. તેનો અર્થ ‘શ્રમણને યોગ્ય નહિ,' અર્થાત્ “સાધુઓને નહિ આચરવા લાયક’ એમ સમજવો. વરિત્તારિત્તે' ને બદલે વરિત્તે' બોલવું. તેનો અર્થ “સર્વવિરતિ ચારિત્રમાં,' સમજવો. તથા વરણં વસીયા' પછીનો પાઠ "पंचण्हं महव्वयाणं, छण्हं जीवनिकायाणं, सत्तऽहं पिण्डेसणाणं, अट्ठण्हं पवयणमाऊणं, નવણં વંમર ત્તીનું, રવિદે સમગધને, સમાઈ નો Hi” બોલવો. વ્યાખ્યા : પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોમાં,” પૃથ્વીકાયાદિ “છ જીવનિકાયમાં , “અસંસૃષ્ટ-સંસૃષ્ટ' વગેરે જેનું વર્ણન ગોચરીના દોષોમાં જણાવી ગયા તે “સાત પ્રકારની પિંડેષણામાં,” કોઈ આનો અર્થ “સાત પાણષણામાં” એમ પણ કરે છે, પાંચ સમિતિ-ત્રણગુપ્તિરૂપ “આઠ પ્રવચનમાતાના પાલનમાં, વળી જેનું વર્ણન આગળ કરાશે તે “બ્રહ્મચર્યની નવ ગુપ્તિ (વાડો)માં' તથા આગળ કહેવાશે તે ક્ષમાદિ “દશ પ્રકારના શ્રમણ ધર્મમાં.' ઉપર જણાવ્યાં તે ત્રણ ગુપ્તિ વગેરે “સમા નો ' = સાધુના જે યોગોમાં અર્થાત્ એ ગુપ્તિ વગેરેનું સમ્યફ પાલન-શ્રદ્ધા-પ્રરૂપણા વગેરે સાધુના આચારોમાં, “' = જે કંઈ “ઊંડ' = દેશથી ભાગ્યું હોય, ‘ન વિદિ જે વિરાધ્યું હોય એટલે બહુ રીતે ભાગ્યું હોય પરંતુ એકાંતે નાશ ન કર્યો હોય, એકાંતે નાશ કર્યા પછી ‘મિચ્છામિ દુક્કડ' આપવાં છતાં શુદ્ધિ થતી નથી માટે અહીં ઘણી રીતે ભાગ્યું હોય તેને વિરાધ્યું સમજવું.) “ત' = દિવસે લાગેલા તે અતિચારોનું, અહીં સુધીનો પાઠ ક્રિયાકાળનો સમજવો, અર્થાત્ તે તે સમયે કરેલા તે તે અતિચારોનું, ‘મિચ્છામિ દુક્કડું' આ વાક્યસમાપ્તિકાળનું વાચક છે, માટે એનો અર્થ ક્રિયાકાળે કરેલા તે તે અતિચારોનું વર્તમાનકાળે “મિચ્છામિ દુક્કડ' એટલે પ્રતિક્રમણ કરું છું એમ કરવો. અર્થાત્ “મારું તે તે સમયે થયેલું છે તે પાપ વર્તમાનમાં મિથ્યા થાઓ !” એમ ભાવ સમજવો. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ આ અતિચારનું (નો ને વસિમો. ઇત્યાદિ) સૂત્ર પ્રતિક્રમણના વિધિમાં અહીં સુધી ત્રણ વાર બોલાય છે. તેમાં પ્રથમ ‘અરેમિ ભંતે.' બોલ્યા પછી અતિચારોના સ્મરણ માટે, બીજીવાર ગુરુવંદન (વાંદણા) પછી ગુરુને અતિચારોનું નિવેદન કરવા માટે, અહીં ત્રીજીવાર પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) માટે અને ચોથી વખત બોલાશે તે અતિચારોની રહી ગયેલી અશુદ્ધિની વિશેષશુદ્ધિ માટે સમજવું. એમ આ સૂત્ર બોલવામાં ભિન્ન-ભિન્ન ઉદ્દેશ હોવાથી પુનરુક્તિ દોષ નથી. આમ ઓઘથી જ અતિચારોને જણાવીને તેનું સંક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું. હવે તે અતિચારોને વિભાગવાર જણાવીને તેનું પ્રતિક્રમણ કહે છે – તેમાં પણ પ્રથમ ગમનાગમન કરતાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણ માટે “રૂછામિ પડિક્ષમાં રૂરિયાવદિયા ' સૂત્ર બોલવું. એની વ્યાખ્યા પ્રથમ ભાગમાં કહી છે તે પ્રમાણે સમજવી. હવે બાકીના સઘળા અતિચારોના પ્રતિક્રમણ માટે મૂલ પ્રતિક્રમણ સૂત્ર કહેતાં પ્રારંભમાં શયનક્રિયામાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે “इच्छामि पडिक्कमिउं पगामसिज्जाए णिगामसिज्जाए संथाराउवट्टणा (णया)ए परिअट्टणा(णया)ए आउंटणा (णया)ए पसारणा (णया)ए छप्पईसंघट्टणा(णया)एं कूइए कक्कराइए छीए जंभाइए आमोसे ससरक्खामोसे आउलमाउलाए सु(सो)अणवत्तिआए इत्थीविप्परिआसिआए दिठ्ठीविप्परिआसिआए मणविप्परिआसिआए पाणभोअणविप्परिआसिआए जो मे देवसिओ રૂબરો વો તસ્સ મિચ્છામિ દુક્કડું !” વ્યાખ્યા : રૂછમિ પ્રતિક્રમિતુમ્ = પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. કોનું પ્રતિક્રમણ ? તો કહે છે પ્રામા = પ્રકામશયા કરવાથી દિવસ સંબંધી અતિચારોનું. શયન કરવું તે શપ્યા અને પ્રકામશગ્યા એટલે અતિશય સુવું તે. અર્થાત્ ચારે પ્રહર સુઈ રહેવું તે. અથવા શય્યા એટલે સંથારો. પ્રકામશગ્યા એટલે સંથારા-ઉત્તરપટ્ટાથી અધિક ઉપકરણવાળી હોય તે પ્રકામશધ્યા અથવા કપડાની અપેક્ષાએ ત્રણથી વધારે કપડાં વાપરવા તે પ્રકામશા કહેવાય. (ટુંકમાં જિનાજ્ઞાથી વિરુદ્ધ વધારે શયન કરવું કે વધારે ઉપકરણો વાપરવાં તે પ્રકામશપ્યા..) પ્રકામશગ્યાથી સ્વાધ્યાયનો વ્યાઘાત થાય, તે અહીં અતિચાર સમજવો. હવે નિજામશયા = ઉપરોક્ત પ્રકામશપ્યા પ્રતિદિન કરવી, તે નિકામશયા, તેનાથી પણ સ્વાધ્યાય હાનિરૂપ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. સંસ્તાર દૃર્તન (તય) સંથારામાં કૂર્તન = પાસું બદલી બીજા પડખે શયન કરવાથી અને પરિવર્તનથી (ત) = પુન: તે જ Page #155 -------------------------------------------------------------------------- ________________ ८८ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પડખે શયન કરવાથી – પુન: પડખું બદલવાથી આ ઉદ્વર્તન અને પરિવર્તન કરતાં (પડખું બદલતાં) સંથારો અને શરીર નહિ પ્રમાર્જવારૂપ અતિચાર સમજવો. ૩શ્ચિય (ત) = પગ વગેરે શારીરિક અવયવોને સંકોચતાં અને પ્રસારણયા (તયા) = સંકોચેલાને કુકડીને જેમ ઉંચે પહોળા - લાંબા કરતાં પ્રમાર્જન નહિ કરવારૂપ લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. વર્ષીયટ્ટણયા (તય) = જૂઓને અવિધિએ સંઘટ્ટણ સ્પર્શ કરવાથી, કૂનિતે = ખાંસી આવવાથી (મુખ આગળ હાથ કે મુહપત્તિ નહિ રાખવાથી), વર્જયિતે = વસતિમાં (ઉપાશ્રયમાં) “ખાડા ટેકરા કે શરદી-ગરમી છે.” વગેરે અરુચિથી બોલવું તે “કર્કરાષિત” કહેવાય, એવી મકાન પ્રત્યેની નારાજી આર્તધ્યાનરૂપ હોવાથી તે અતિચાર છે. ભૂત-કૃમિતે = છીંક કે બગાસું આવવાથી (મુખ આગળ હાથ કે મુહપત્તિ નહિ રાખવાથી) ગામful = (લેતાં-મૂકતાં પ્રમાર્યા વિના) વસ્તુને સ્પર્શ કરવાથી અને સરનામÈ = પૃથ્વી આદિ રજવાળી (સચિત્ત) વસ્તુને સ્પર્શ કરવાથી, એમ જે જે કારણોથી અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ અર્થનો સંબંધ સમજવો. આ જાગ્રત અવસ્થામાં અતિચારો કહ્યા, હવે નિદ્રા વખતે સંભવિત અતિચારોને કહે છે - માસ્ટાયા - સ્વનિમિત્તયા = ઉંઘમાં આકુળ-વ્યાકુળતાથી આવેલા સ્વપ્નને યોગે લાગેલા અતિચાર, અર્થાત્ નિદ્રામાં વિષયની આકુલતાથી સ્ત્રી-પુરુષ આદિના ભોગ, વિવાહ કે કોઈની સાથે યુદ્ધ કરવા વગેરેનું સ્વપ્ન આવવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૦, આ આકુળતાવ્યાકુળતા પણ મૂલગુણો અને ઉત્તરગુણો સંબંધી એમ બે પ્રકારની હોય છે. તેથી તેને જુદી-જુદી જણાવે છે કે - સ્ત્રી સવચા = અબ્રહ્મસેવનની આકુળ-વ્યાકુળતાથી, “દષ્ટિવૈપર્યાસિયા' રૂપને જોવાના અનુરાગના યોગે સ્ત્રીને જોવારૂપ દૃષ્ટિ વિકારથી થયેલી આકુળ-વ્યાકુળતાથી મનો પર્યાસિયા' = મનમાં સ્ત્રીનું ધ્યાન કે ચિંતન કરવારૂપ મનોવિકારથી થયેલી આકુળ-વ્યાકુળતાથી તથા પાપોનના વૈપર્યાવિયા' = રાત્રે આહાર પાણી વાપરવા ઇત્યાદિ વિપરીત વર્તન કરવા સંબંધી આકુળ-વ્યાકુળતાથી અર્થાત્ નિદ્રામાં છે તે પ્રકારની આકુળ-વ્યાકુળતાને કારણે અબ્રહ્મ સેવનનું, સ્ત્રીના રૂપને જોવાનું, તેના ચિંતનનું આહાર-પાણી વાપરવાનું, આવા સ્વપ્નો આવવાથી ‘વો મયા વસ: તિવારઃ કૃતઃ' = મેં દિવસ સંબંધી જે જે અતિચાર કર્યા હોય તે મિથ્ય મે કુતમ્' = મારું પાપ મિથ્યા થાઓ ! હવે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ કહે છે. ' "पडिक्कमामि गोअरचरिआए भिक्खायरिआए उग्घाडकवाडुग्घाडणयाए साणावच्छादारासंघट्टणयाए मंडीपाहुडिआए बलिपाहुडिआए ठवणाप डिआए संकिए सहसागारिए अणेसणाए Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૮૯ पाणेसणाए पाणभोअणाए बीअभोअणाए हरिअभोअणाए पच्छेकम्मिआए पुरेकम्मिआए अदिठ्ठहडाए दगसंसट्ठहडाए रयसंसट्ठहडाए पारिसाडणिआए पारिठावणिआए ओहासणभिक्खाए जं उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं अपरिग्गहिअं परिभुत्तं वा, जं न परिट्ठविअं तस्स મિચ્છા મિ દુક્કડું II” વ્યાખ્યા : “પ્રતિક્રમમ” પ્રતિક્રમણ કરું છું. શાનું ? ગોચરી ફરવામાં લાગેલા અતિચારોનું, એમ સર્વત્ર સંબંધ કરવો. જીવર પર્યાયામ્ = ગાયનું ચરવું તે “ોવર' એ ગોચરની જેમ વર્યા = ભ્રમણ કરવું તે = “જોવર' કહેવાય, તેમાં લાગેલાં અતિચારનું પ્રતિ કયા વિષયમાં ? મિલાવર્યાયા= આહારાદિ માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. ' જરૂરી વસ્તુ મળે કે ન મળે પણ સાધુ તેની અપેક્ષા વિનાનો હોવાથી ચિત્તમાં દીનતા રહિત હોય. અર્થાત્ મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માને છે, માટે મળવા-ન મળવાની અપેક્ષાના અભાવે દીનતા વિનાનો, વળી ઉત્તમ-મધ્યમ-જઘન્ય લોકોના ઘરોમાં ઇષ્ટ-અનિષ્ટ કોઇપણ વસ્તુ મળે તો પણ રાગ-દ્વેષ વિના ગોચરી માટે ફરનારા સાધુને કેવી રીતે અતિચારો લાગે ? તો કહે છે કે – ૩૬ધીટપટિઉદ્ધાટન = માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પમાત્ર બંધ કરેલા કમાડ (બારણા) વગેરેને વિના પ્રમાર્જ સંપૂર્ણ ઉઘાડવાથી, લાગેલા અતિચાર, જાનવત્સારસંધનયા = કુતારાનો, વાછરડાનો કે નાના બાળકનો, ઉપલક્ષણથી બીજા પણ તિર્યંચ વગેરેનો સંઘટ્ટો (સ્પર્શ) થવાથી લાગેલા અતિચાર. મન્ડીઝમૃતિય = પ્રાભૃતિકા (આહાર)ને મંડીમાં અર્થાત્ ઢાંકણી-ઢાંકણ કે અન્ય કોઈ ભાજનમાં અગ્રક્ર તરીકે ઉપરથી જુદો કાઢી લઈને ભિક્ષા આપે તે “મંડીપ્રાભૃતિકા' કહેવાય. સાધુને આપવા એ રીતે કરવાથી પછી બીજાઓને દાન આપવારૂપ પ્રવૃત્તિદોષ થાય, તેમાં પ્રથમ લેનાર સાધુ નિમિત્ત બને માટે અતિચાર જાણવો. વપ્રિાકૃતિયા = સ્વધર્મ સમજીને અન્ય ધર્મીઓ મૂળભાજનમાંથી આહારને પ્રથમ ચારે દિશાઓમાં દિકપાલોને કે અગ્નિને બલિદાન આપીને પછી બીજાને ભિક્ષા આપે, ત્યારે આહાર ફેંકવાથી કે અગ્નિમાં નાખવાથી હિંસાદિ થાય, તેમાં પ્રથમ લેનાર તરીકે સાધુ નિમિત્ત બને, તેથી અતિચાર સમજવો. થાપનાપ્રાકૃતિવંયા = અન્ય ભિક્ષુઓ વગેરેને માટે રાખી મૂકેલા ભાત (આહાર) તે “સ્થાપના પ્રાકૃતિકા' કહેવાય, તે લેવાથી અન્ય યાચકોને અંતરાય (- પ્રષ) થાય (અથવા નિગ્રંથ સાધુઓને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ “સ્થાપના” કહેવાય.) માટે તે લેવાથી સ્થાપનાપિંડ લેવારૂપ અતિચાર લાગે. શકૂિત્તે = આહારાદિ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ જે વસ્તુ લેતાં “આધાકર્મ' વગેરે જે જે દોષની શંકા થાય તે આહારાદિ લેવાથી તે તે દોષરૂપ અતિચાર લાગે. સાસાિરે = (રભસવૃત્તિથી) ઉતાવળે અકથ્ય વસ્તુ લીધા પછી તેને ન પરઠવવાથી અથવા અવિધિએ પરઠવવાથી અતિચાર લાગે. એ રીતે અનેyયા = અનેષણા કરવાથી અર્થાત્ એષણાસમિતિના પાલનમાં પ્રસાદ કરવાથી અને પ્રાણાયા = સર્વથા અવિચારિતપણે અત્યંત અનેષણા કરવાથી દોષનો-સર્વથા વિચાર નહિ કરવાથી લાગેલા અતિચાર; તથા પ્રાઇમોનના = પ્રાણ' એટલે રસવગેરેમાં ઉત્પન્ન થતા જીવો, તેને ખાવાથી અર્થાત્ (કાલાતીત) દહીંમાં કે (વાસી) ભાત વગેરેમાં કે સડેલાં ફળોમાં અથવા જુની ખારેક વગેરેમાં ઉત્પન્ન થયેલા જીવોવાળી તે તે વસ્તુ ખાવાથી વિરાધના થાય તે પ્રાણના (જીવોવાળી વસ્તુના) ભોજનથી લાગેલા અતિચાર, એ પ્રમાણે વીનમોનનયા - રિતમોનના = તલસાંકળી વગેરે ખાવામાં કાચા તલ વગેરે બીજોની વિરાધના અને દાળ વગેરેને માટે ભીંજાવેલા કઠોળના દાણાની નખીમાં ઉગેલા અંકુરાનો (અનંતકાયનો) સંભવ હોવાથી તેવી વસ્તુ ખાવામાં હરિત (વનસ્પતિ)ની વિરાધના, આમ બીજ અને હરિતની વિરાધનાથી લાગેલા અતિચાર. તથા પશ્ચર્મિયાં - પુર: મિંયા = દાન દીધા પછી પાત્ર કે હાથ ધોવામાં પાણી વાપરવું તે “પશ્ચાતુકર્મ' જેમાં થાય તેવી, અને દાન આપતાં પહેલાં હાથ-પાત્ર ધોવા વગેરે પુર:કર્મ જમાં થયું હોય તેવી, ભિક્ષા લેવાથી લાગેલા અતિચાર, અહિયા=લેતાં મૂકતાં દેખાય નહિ તે રીતે લાવેલી ભિક્ષા લેવાથી, દેનારને ભિક્ષા લાવવા-મૂકવામાં જીવનો સંઘટ્ટો વગેરે થવાનો સંભવ હોવાથી જોયા વિના લેવું તે અતિચાર, સંસ્કૃણાહૂતયા = (સચિત્ત) પાણીથી સંસ્કૃષ્ટ (ભીંજાયેલા) સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી સચિત્ત સંઘટ્ટનરૂપ અતિચાર. નિ:સંસ્કૃણાહૂતિયા = સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્ત સંઘટ્ટનરૂપ અતિચાર. પરિણાનિયા = દાનમાં દેવાની વસ્તુને ભૂમિ ઉપર પાડતાં પાડતાં (છાંટા પાડતાં) વહોરાવે તે ‘પારિશાનિકા' કહેવાય, તે લેવાથી છ કાય જીવોની વિરાધનારૂપ અતિચાર. પરિઝનિયા = ભોજન આપવા માટેના ભાજનમાં રહેલા અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને ‘પરિષ્ઠાપન' કહેવાય. તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘા વગેરેનો સંભવ હોવાથી અતિચાર. ‘વમાંsurfક્ષયા' = શ્રેષ્ઠ દ્રવ્યની માંગણી કરવી તેને સિદ્ધાંતની પરિભાષામાં અવભાષણ (ઓહાસણ) કહેવાય છે, એવી રીતે માગેલી ભિક્ષાથી લાગેલા અતિચાર. હવે ઉપસંહાર કરતાં કહે છે કે આ રીતે કેટલા દોષો કહેવા ? માટે સઘળા દોષો ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા” એ ત્રણ પ્રકારમાં અંતર્ગત થતા હોવાથી કહે છે કે – ૦૬ ડમેન સત્યાનથી અળયા રે પરિશુદ્ધ પરિગૃહીતમ્' = જે “આધાકર્મ' વગેરે ઉદ્ગમદોષોથી, ધાત્રીદોષ' વગેરે Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૯૧ ઉત્પાદનાદોષોથી અને શંકિત વગેરે એષણાદોષોથી દૂષિત લીધું. પરિમુક્ત વા યત્ર પરિપિતમ્ = લેવા છતાં જે પરઠવ્યું નહિ અથવા વાપર્યું એમ જે જે અતિચારો લાગ્યા હોય તસ્સ મિચ્છા મિ કુંડું = તે મારું પાપ મિથ્યા થાઓ. હવે સ્વાધ્યાયાદિમાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે - “पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए, उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणयाए दुप्पडिलेहणयाए - अप्पमज्जणयाए दुप्पमज्जणयाए, अइक्कमे वइक्कमे अइआरे अणायारे, जो मे देवसिओ अइआरो कओ तस्स मिच्छा मि दुक्कडं ।।" વ્યાખ્યા : “પ્રતિક્રમણ કરું છું.” કોનું પ્રતિક્રમણ ? તુષારું સ્વાધ્યાયસ્ય અરતિયા = દિવસનો અને રાત્રિનો પહેલો અને છેલ્લો એક-એક પ્રહર એમ ચાર વેળા સૂત્રનો સ્વાધ્યાય નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તથા ૩મામ્ = દિવસની પહેલી અને છેલ્લી બે પોરિસીમાં મcોપારસ = ભાંડ એટલે પાત્ર વગેરેની અને ઉપકરણ એટલે વસ્ત્ર વગેરેની પ્રત્યુક્ષિણ = સર્વથા નેત્રોથી નહિ જોવાથી, ડુપ્રત્યુવેક્ષણયા = જેમ તેમ (અસંપૂર્ણ-અવિધિથી) જોવાથી, મમિર્ઝનયા = સર્વથા રજોહરણ વગેરેથી પ્રમાર્જન નહિ કરવાથી અને દુષ્ટમાર્ગની = અવિધિથી (જેમ-તેમ) પ્રમાર્જના કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ તથા તમેતમેડતિવારેડના વારે = અતિક્રમ - વ્યતિક્રમ - અતિચાર અને અનાચાર કરવાથી ‘ા: મા વૈવસ: તિવારઃ કૃતઃ તમિથ્યા સુકૃતમ્' = “મેં સમગ્ર દિવસ દરમ્યાન જે અતિચાર કર્યો હોય તે મારું પાપ મિથ્યા થાઓ.” અતિક્રમ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) કોઈક આધાર્મિકાદિ વસ્તુ વહોરવા નિમંત્રણ કરે, તેને દોષિત જાણવા છતાં) સાંભળવાથી (નિષેધ નહિ કરવાથી) અતિક્રમ, (૨) તે (દોષિત વસ્તુ) વહોરવા માટે જતાં વ્યતિક્રમ, (૩) દોષિત છતાં તે વસ્તુ લેવાથી અતિચાર, (૪) તેનું ભોજન કરવા કોળીયો હાથમાં લેવાથી અનાચાર. આ રીતે અન્ય સર્વ કાર્યોમાં અતિક્રમાદિનું સ્વરૂપ સ્વયં સમજી લેવું. હવે એકવિધ-દ્વિવિધ આદિ ભેદોથી પ્રતિક્રમણ કહે છે કે“पडिक्कमामि एगविहे असंजमे । पडि० दोहिं बंधणेहि-रागबंधणेणं दोसबंधणेणं । पडि० तिहिं दंडेहि-मणदंडेणं वयदंडेणं कायदंडेणं । पडि० तिहिं गुत्तीहिं - मणगुत्तीए वयगुत्तीए कायगुत्तीए । पडि० तिहिं सल्लेहि-मायासल्लेणं नियाणसल्लेणं मिच्छादसणसल्लेणं । पडि० तिहिं गारवेहि-इड्ढीगारवेणं रसगारवेणं सायागारवेणं । पडि० तिहिं विराहणाहि-नाणविराहणाए दंसणविराहणाए चरित्तविराहणाए । Page #159 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ = . વ્યાખ્યા : પ્રતિક્રમણ કરુ છું. કયા હેતુઓથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ ? તે વિગતવાર કહે છે – ‘વિષે અસંયમે’ = અવિરતિરૂપ એક અસંયમ સેવવાથી જે અતિચાર સેવ્યો હોય ‘તે મારું પાપ મિથ્યા થાઓ’ એમ છેલ્લા ‘મિથ્યા મે દુષ્કૃતમ્' પદની સાથે ‘વાયાયરિયસ્ય ઞાસાયા' સુધીના દરેક પદોનો સંબંધ સમજવો. પ્રતિમામિ દ્વામ્યાં વન્યનામ્યાં - રાવિન્યનેન, દ્વેષવન્યનેન = રાગ અને દ્વેષ એ બે બંધનોથી સેવેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્મા દંડાય અર્થાત્ જે જ્ઞાનાદિગુણોનું હરણ કરીને આત્માને ગુણહીન બનાવે તે દંડ કહેવાય. દુષ્ટ માર્ગે જોડાયેલા મનવચન અને કાયા એમ ત્રણ દંડો છે. તેથી કહે છે કે -પ્રતિમામિ ત્રિમિન્ટે:મનોવ્ન્ડેન, વષોર્બ્ડેન, નાયમ્પ્લેન = મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. પ્રતિમાનિ તિસૃમિનુંસિમિઃ = મનોગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓનું સેવન નહીં કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી રક્ષણ થાય તે ગુપ્તિ કહેવાય છે. પ્રતિ ત્રિમિ: રાજ્યે: માયાશત્સ્યેન-નિવાનશત્યેન 'મિથ્યાત્વશત્યેન = માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાશલ્ય, આ ત્રણ શલ્યોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. આરાધના કરતાં કપટનો આશરો લેવો તે માયાશલ્ય. દેવ કે મનુષ્યની ઋદ્ધિને જોઈને કે સાંભળીને, તે મેળવવા આરાધના કરાય તે નિદાનશલ્ય. ભગવાનના વચનો ઉપર અશ્રદ્ધારૂપ મિથ્યાત્વશલ્ય. આ ત્રણ શલ્યોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરાય છે. તથા પ્રતિ ત્રિમિñરવેઃ - ૠદ્ધિ રવેળ, રસૌરવેળ, સાતાર વેળ = ઋદ્ધિ-રસ-શાતા ગારવથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્મા ઋદ્ધિ - રસ - અને અનુકૂળતારૂપ શાતામાં ચારે તરફથી લેપાય છે. તે અનુક્રમે ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ કહેવાય છે. પ્રતિ॰ તિસૃિિવરાધનામિ: જ્ઞાનવિરાધનયા, વર્શનવિરાધનયા, ચારિત્રવિરાધનયા = જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધનાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ૯૨ જ્ઞાનની વિરાધના : પાંચ પ્રકારે છે. (૧) જ્ઞાનની નિંદા કરવી. (૨) ઉપકારી ગુર્વાદિકને છૂપાવવા. (૩) શાસ્ત્રોની નિંદા કરવી. શાસ્ત્રોમાં આવતા વર્ણનોમાં પુનરુક્તિ દોષ બતાવવો. જ્યોતિષ તથા યોનિપ્રાકૃત આદિના જ્ઞાનને નિરર્થક કહેવું. ઇત્યાદિ શાસ્ત્રોની નિંદા-આશાતના કરવી. (૪) સ્વાધ્યાય કરનારને અંતરાય કરવો. (૫) આઠ જ્ઞાનાચારોનું પાલન ન કરવું. દર્શનની વિરાધના પણ પાંચ પ્રકારની છે. (૧) જૈનદર્શનની નિંદા કરવી. (૨) જૈનધર્મના આરાધકોની નિંદા કરવી. (૩) જૈનદર્શનની સત્યતાના પ્રરૂપક ‘સન્મતિતર્ક’ વગેરે દર્શનશાસ્ત્રોની Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ નિંદા કરવી. જિનમંદિર-મૂર્તિ-તીર્થોની અને પ્રભાવક ઓચ્છવ, મહોત્સવ વિગેરે ધર્મકાર્યોની નિંદા કરવી. (૪) સાધર્મિક વગેરે ચતુર્વિધ સંઘને ઉપદ્રવ કે તેના ધર્મકાર્યમાં અંતરાય કરવો. (૫) દર્શનાચારના આઠ આચારોનું પાલન ન કરવું. ચારિત્રની વિરાધના પણ પાંચ પ્રકારે છે. (૧) ચારિત્રની નિંદા (૨) ચારિત્રવાનું સાધુ-સાધ્વીની નિંદા (૩) ચારિત્રના ઉપકરણોની (અવિધિએ વાપરવાં વગેરે) આશાતના કરવી. (૪) ચારિત્ર લેનાર કે પાળનારને તે તે પ્રકારે અંતરાય કરવો (૫) ચારિત્રના આઠ આચારોનું સેવન ન કરવું. તથા ચરણસિત્તરી-કરણસિત્તરી તથા અષ્ટ પ્રવચન માતાનું સમ્યગુ પાલન ન કરવું. “पडि० चउहिं कसाएहिं • कोहकसाएणं माणकसाएणं मायाकसाएणं लोभकसाएणं । पडि० चउहिं सन्नाहिं - आहारसन्नाए भयसन्नाए मेहुणसन्नाए परिग्गहसन्नाए । पडि० चउहिं झाणेहिं - अट्टेणं झाणेणं रुद्देणं झाणेणं धम्मेणं झाणेणं सुक्केणं झाणेणं । વ્યાખ્યા પ્રતિ વર્તાઃ પાયે ધવષયે માનપાન માયાજાયેન મવષાયેન જેનાથી કષ=સંસારનો આય=લાભ થાય તે કષાય. તેના ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકારો છે. તેમાં ક્રોધ અપ્રીતિરૂપ, માન અક્કડતારૂપ, માયા કપટકુટિલતારૂપ, લોભ જડ-વસ્તુઓમાં મૂચ્છરૂપ છે. એ ચારેયનો ઉદય થતાં પહેલાં ઉદય નહિ અટકાવવાથી અને ઉદયમાં આવેલા એ ચારેયને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે. (કષાયનું સ્વરૂપ ઉત્તરભેદો, સ્થિતિ અને ફળ વગેરે અન્ય ગ્રંથોથી જાણી લેવાં.) એ કષાયોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. પ્રતિ વત: સંજ્ઞામ: - કાદીરસંશયા, ભયસંશયા, મૈથુનસંશયા, પરિગ્રસંશય” સંજ્ઞા એટલે અનાદિ કાલથી આત્મા ઉપર રહેલું પૌદ્ગલિકવાસનાઓનું બળ. તેના ચાર ભેદો છે. (૧) સુધાવેદનીયકર્મના ઉદયથી થતી આહારની અભિલાષા તે આહારસંજ્ઞા (૨) ભયમોહનીયકર્મના ઉદયથી ભય લાગે તે ભયસંજ્ઞા. (૩) વેદમોહનીય કર્મના ઉદયથી મૈથુન (ભોગ)ની અભિલાષા તે મૈથુનસંજ્ઞા. (૪) તીવ્રલોભના ઉદયથી જેડ પદાર્થોમાં જે મૂચ્છ (મમત્વ) તે પરિગ્રહસંજ્ઞા (શાસ્ત્રોમાં સંજ્ઞાના દશ, સોળ વગેરે ભેદો કહ્યા છે તે અન્યગ્રંથોથી જાણી લેવા.) એ સંજ્ઞાઓને વશ થવાથી જે અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ. પ્રતિ- વતર્વિવથામ: - સ્ત્રી થયા, મોનનાથયા, દેશથયા, રાખેથયા, વિપરીત વાતોને વિકથા કહેવાય છે. અર્થાત્ સ્વભાવમાંથી વિભાવમાં લઈ જનારી વાતોને વિકથા કહેવાય છે. (૧) સ્ત્રી કે પુરુષ સંબંધી કામોત્તેજક વાર્તાલાપ કરવો તે સ્ત્રીકથા.” (૨) બળ-રૂપ-સ્વાદ વગેરેને ઉદ્દેશીને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ રાગ-દ્વેષ થાય તેવી રીતે ભોજન સંબંધી વાતો કરવી તે “ભક્તકથા.” (૩) રાગવેષને વશ થઈ તે તે દેશનાં સુખ-સંપત્તિ વગેરેની પ્રશંસા-નિંદા વગેરે કરવારૂપ વાર્તા તે દશકથા. અને (૪) રાગ-દ્વેષાદિથી તે તે રાજાઓના ગુણ-દોષ વગેરે બોલવા તે “રાજ કથા' (શ્રી સ્થાનાંગસૂત્રમાં તો ઉપરની ચાર સહિત મૃદુકારૂણિકી, દર્શનભેદિની અને ચારિત્રભેદિની એ ત્રણ સહિત એમ સાત વિકાથાઓ કહી છે (૧) પુત્રાદિના વિયોગથી માતા-પિતાદિ અત્યંત કરૂણાજનક વિલાપાદિ કરે તે મૃદુકારૂણકી. (૨) સાંભળનારને જૈનદર્શનની શ્રદ્ધા તૂટે તે રીતે અન્ય કુતીર્થિકોનાં જ્ઞાન, આચાર વગેરેની પ્રશંસા કરવી તે દર્શનભેદિની. (૩) સાધુ-સાધ્વીઓ બહુ પ્રમાદી છે તેથી વર્તમાનમાં મહાવ્રતોનો સંભવ નથી, અતિચારોની શુદ્ધિ કરી શકાય તેવા આલોચનાચાર્ય નથી અને તેઓના આપેલા પ્રાયશ્ચિત્તથી વર્તમાનમાં આતિચરોની (પાપની) શુદ્ધિ પણ થતી નથી. ઇત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવું બોલવું તે ચારિત્રભેદિની વિકથા. એ ત્રણેનો અપેક્ષાએ ઉપરોક્ત ચારમાં સમાવેશ થતો હોવાથી અહીં ચાર કહી છે. તે વિકથાઓથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. "प्रति० चतुर्भिानैः - आर्तेन ध्यानेन, रौद्रेण ध्यानेन, धर्मेण ध्यानेन, शुक्लेन ध्यानेन :" અહીં ધ્યાન એટલે મનનો સ્થિર અધ્યવસાય. અર્થાત્ મનની અંતર્મુહૂર્ત સુધી એક 'વિષયમાં એકાગ્રતા. તેના ચાર પ્રકારો છે. (૧) વિષયોના અનુરાગથી થતું ધ્યાન તે આર્તધ્યાન. (૨) હિંસાદિના અનુરાગથી થતું ધ્યાન તે રૌદ્રધ્યાન. (૩) ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું, જિનવચનના અર્થના નિર્ણયરૂપ ધ્યાન તે ધર્મધ્યાન. (૪) રાગ (રંગ) નું બળ ન હોય તેવું શુક્લ અર્થાત્ રાગવિનાનું ધ્યાન તે શુક્લધ્યાન. આ ચારેય ધ્યાનના ચાર ચાર પ્રકારો (પાયાઓ) નીચે પ્રમાણે છે. ' (૧) આર્તધ્યાન: તેના ચાર પ્રકાર છે. (૧) અનિષ્ટ વિયોગ : અનિષ્ટરૂપ, રસ, ગંધ સ્પર્શરૂપ ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોનો કે વિષયોના આધારભૂત સાધનોનો યોગ થયો હોય તો, તેના વિયોગની ચિંતા અને ભવિષ્યમાં એવો યોગ ન થાય તો સારું, એવી અભિલાષા કરવી તે અનિષ્ટ વિયોગ ચિતારૂપ આર્તધ્યાન છે. (૨) રોગ ચિંતાઃ રોગ થતાં તેના વિયોગની સતત વિચારણા કરવી કે તે નાબૂદ થયા પછી પુન: ન થાય એવી ચિંતા કરવી, તે રોગચિંતા સ્વરૂપ આર્તધ્યાન છે. (૩) ઇષ્ટ સંયોગ મળેલા મનગમતા શબ્દાદિ વિષયો તથા ઉદયમાં આવેલા શાતાવેદનીય (સુખ)નો વિયોગ ન થવાની કે તે સુખ કે સુખના સાધનરૂપ શબ્દાદિ વિષયોનો યોગ કરવાની અભિલાષા-ચિંતા કરવી તે ઇષ્ટ સંયોગ સ્વરૂપ આર્તધ્યાન છે. (૪) Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૯૫ નિદાન : અન્યભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ (સુખોની પ્રાર્થના કરવી. તે નિદાન સ્વરૂપ આર્તધ્યાન. આ આર્તધ્યાનને ઓળખવાનાં ૪ લિંગો – (૧) દુ:ખીયાનો દુ:ખપૂર્ણ વિલાપ. (૨) અશ્નપૂર્ણનયને રૂદન. (૩) દીનતા કરવી. (૪) માથું કુટવું, છાતી પીટવી વગેરે છે. તેવું કરનાર આર્તધ્યાની છે એમ સમજવું. (૨) રૌદ્રધ્યાન : તેના ચાર પ્રકાર છે. (૧) હિંસાનુબંધી : (ભૌતિક સુખની લાલસાથી) જીવોને મારવા-વિધવા-બાંધવા-ડામ દેવા-અંગોપાંગ વગેરે છેદવા કે પ્રાણમુક્ત કરવા વગેરે વિચારવું તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. (૨) મૃષાનુબંધી રોદ્રધ્યાન - ચાડી, અસભ્ય, અસત્ય કે કોઈનો ઘાત વગેરે થાય તેવું વચન બોલવાનું વિચારવું તે મૃષાનુબંધી. (૩) તેયાનુબંધી : ક્રોધ, લોભ વગેરેથી બીજાનું ધન હરણ કરવાનું ચિંતવવું. (૪) વિષયસંરક્ષણાનુબંધી : પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોના આધારભૂત દ્રવ્યોના રક્ષણ માટે “રખે, કોઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યે શંકા કરીને બીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું - વિચારવું તે વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન. રૌદ્રધ્યાનનાં ચાર લિંગો છે. ઉપર કહેલા ચાર પ્રકારોમાંથી કોઈ એકાદિ પ્રકારમાં ‘ઉત્સન્ન” એટલે સતત પ્રવૃત્તિ કરવી તે (૧) ઉત્સત્રદોષ. એ ચારેયમાં સતત પ્રવૃત્તિ કરાવારૂપ (૨) બહુલદોષ. બીજાની ચામડી ઉતારવી, નેત્રો ઉખેડવાં વગેરે હિંસાના ભિન્ન-ભિન્ન પ્રયોગો વારંવાર કરવા તે (૩) નાનાવિધ દોષ. પોતાના અકાર્યથી પોતે કે બીજો કોઈ (મનુષ્યાદિ) મટાં સંકટમાં પડે (મરવાનો પ્રસંગ આવે) તો પણ પોતાના કરેલા અકાર્યનો પસ્તાવો ન થાય (મરણ આવે તો પણ અકાર્યથી ન અટકે તે) (૪) આમરણદોષ જાણવો. (૩) ધર્મધ્યાન તેના ચાર પ્રકાર છે. (૧) આજ્ઞાવિચય જ્ઞાન, દર્શન, ચારિત્ર વૈરાગ્ય (અને) ભાવનાઓનો અભ્યાસ કરી જેણે આત્માને તે તે ગુણોનો અભ્યાસી કર્યો હોય તેવો આત્મા નય, નિક્ષેપ, સપ્તભંગી વગેરે તે તે અપેક્ષાઓથી ગહનઅતિગહન એવા શ્રીજિનવચનોને તુચ્છ બુદ્ધિના કારણે ન સમજી શકે તો પણ તે “સત્ય જ છે' એમ માને - સમજે (વિચારે) તે આજ્ઞાવિચય. (૨) અપાયવિચય : રાગદ્વેષ-કષાયો તથા તેના યોગે હિંસા, અસત્ય, ચોરી વગેરે આશ્રવોને સેવનારા જીવો તેના ફળ તરીકે આલોક કે પરલોકમાં જે જે દુ:ખો પામે છે તેનું ચિંતન કરવું તે અપાયવિચર્ય. (૩) વિપાક વિચય: આઠ કર્મોનું સ્વરૂપ તેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશો, એ ચાર ભેદોથી વિચારવું તે વિપાકવિચય. (૪) સંસ્થાનવિચય : શ્રી જિનેશ્વરો એ કહેલા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોના લક્ષણો, આકાર, આધાર, ભેદો અને પ્રમાણ વગેરેનું ધ્યાન કરવું તે સંસ્થાનવિચય. ધર્મધ્યાનનાં ચાર લિંગો- (૧) Page #163 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આગમથી (૨) ઉપદેશ શ્રવણથી (૩) આજ્ઞાથી અને (૪) નૈસર્ગિક ભાવે (સ્વભાવથી), જીવ એમ માને કે શ્રી જિનેશ્વરોએ કહેલા ભાવો-પદાર્થો સત્ય છે, કહ્યા છે તેવા જ છે. ઇત્યાદિ જિનકથિત તત્ત્વોની શ્રદ્ધાથી સમજાય કે આ જીવમાં ધર્મધ્યાન છે, એમ ધર્મધ્યાનનાં ચાર લિંગો જાણવાં. (૪) શુક્લધ્યાન : તેના ચાર ભેદો છે. (૧) પૃથકત્વવિતર્કસવિચાર : એક જ દ્રવ્યમાં તેની ઉત્પત્તિ-વિનાશ અને ધૈર્યાદિ પર્યાયોનો તે દ્રવ્યથી ભિન્ન જે વિર્તક (કલ્પના), તેનો વિચાર એટલે સંક્રમ, તેનાથી યુક્ત એવું જ ધ્યાન તે પૃથકત્વવિતર્કસવિચાર. આ સંક્રમ પરસ્પર અર્થમાં, વ્યંજનમાં તથા યોગોમાં સમજવો. તેમાં અર્થ એટલે પદાર્થ, તેમાંથી વ્યંજન એટલે શબ્દમાં અને શબ્દમાંથી દ્રવ્યમાં, એવી જ રીતે ત્રણ યોગોમાં (મન-વચન-કાયામાં) પણ પરસ્પર વિતર્કનું સંક્રમણ તે વિચાર અને તેવા વિચારવાળું ધ્યાન - માટે ‘સવિચાર અર્થાત્ એક જ દ્રવ્યમાં તેના પર્યાયોના ભેદની (પરસ્પર તે જુદાં છે એવી) કલ્પના કરતાં પરસ્પર શબ્દમાંથી અર્થમાં પર્યાયમાં અને મનમાંથી વચનમાં, તેમાંથી કાયામાં, એમ પરસ્પર સંક્રમણ કરવારૂપ ચિંતન જાણવું. (૨) એકત્વવિતર્કઅવિચાર : અહીં “એકત્વ' એટલે દ્રવ્ય-પર્યાય વગેરેની એકતા, તેનો વિતર્ક=પરસ્પર (તેના વાચ્ય-વાચક) શબ્દની અને અર્થની (શબ્દાર્થની) કલ્પના તેનો અવિચાર શબ્દ, અર્થ અને યોગના “સંક્રમણનો અભાવ.' અર્થાત્ કોઈ એક જ યોગનું આલંબન કરીને કોઈ શબ્દની, અર્થની કે પર્યાયની એક જ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયોના અભેદનું ચિંતન કરવું તે એકત્વ વિતર્ક અવિચાર, શુક્લધ્યાનના આ બે ભેદો (મુખ્યતયા) પૂર્વધરોને હોય છે. પૂર્વના જ્ઞાન રહિત સાધુને શ્રુત વિના પણ હોઈ શકે છે.) (૩) સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ ત્રણ યોગો પૈકી મનનો-વચનનો સંપૂર્ણ રોધ કર્યા પછી અર્ધા (બાદર) કાયયોગનો રોધ કરનારા કેવલજ્ઞાનીને યોગનિરોધ કરતી વેળા (માત્ર સૂક્ષ્મકાયયોગનો વ્યાપારી હોય તે સૂક્ષ્મક્રિયાઅનિવ િ(૪) વ્યચ્છિત્રક્રિયાપ્રતિપાતિ = ચૌદમે ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં ત્રણે યોગોના વ્યાપારનો અભાવ (નિરોધ) હોય તેથી ‘સુચ્છિત્રક્રિયા અને અવિનાશી હોવાથી અપ્રતિપાતિ' (અર્થાત્ જડ-યૌગિકક્રિયાનો સર્વથા અભાવ.) તેમાં છઘસ્થની મનની નિશ્ચલતા જેવી કેવલીને કાયાની નિશ્ચલતા તે ત્રીજું અને સર્વયોગોનો નિરોધ થવા છતાં દ્રવ્યમનના (વ્યાપારના) અભાવે પણ પૂર્વપ્રયોગથી (કુંભારનું ચક્ર ચાલે તેમ) જીવનો ઉપયોગ વર્તે તે ભાવમન ચોથું ધ્યાન કહેવાય છે. આ શુક્લધ્યાનનાં ચાર લિંગો છે. (૧) - ઉપસર્ગ પ્રસંગે પણ ધ્યાનથી ન ચળે એવો Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૯૭ સ્થિર આત્મભાવ તે અવધ (૨) અત્યંત ગહન એવા સૂક્ષ્મભાવો ન સમજાય તો પણ સંમોહને (મૂઢતાને) વશ ન થાય, તથાવિધ દેવમાયામાં પણ ન મુંઝાય તે અસંમોહ. (૩) બીજા પણ સર્વ બાહ્ય સંયોગોને આત્માથી ભિન્ન અનુભવે, તેમાં મમત્વ ન કરે તે વિવેક. (૪) શરીર, આહાર તથા ઉપધિ, એ સર્વેનો સર્વ પ્રકારે ત્યાગ કરી નિસંગ બને તે વ્યુત્સર્ગ સમજવો. આ ચાર ધ્યાનો પૈકી પ્રથમનાં બેને સેવવાથી અને છેલ્લાં બેને (યોગ્યતા છતાં) નહિ સેવવાથી (અથવા ચારેયની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. _“पडि० पंचहि किरिआहिं - काइआए अहिगरणिआए पाउसिआए पारिआ (ता)वणिआए पाणाइवायकिरिआए । पडि० पंचहिं कामगुणेहिं - सद्देणं रुवेणं गंधेणं रसेणं फासेणं । पडि० पंचहिं महव्वएहि-पाणाइवायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदिण्णादाणाओ वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं । पडि०. पंचहिं समिईहिं - ईरियासमिईए भासा समिईए एसणासमिईए आयाणभंडमत्तनिक्खेवणासमिईए उच्चारपासवणखेलजल्लसिंघाण -પરિફાવI(નિયા) સમ ! . અહીં ક્રિયા એટલે વ્યાપાર. તેમાં કાયાનો વ્યાપાર તે (અ) કાયિકી ક્રિયા ત્રણ પ્રકારે છે : (૧) અવિરત કાયિકી = આ ક્રિયામાં મિથ્યાદૃષ્ટિની અને અવિરત સમ્યક્દષ્ટિની (તથા દેશવિરતિ-પાંચમા ગુણસ્થાનક સુધીના જીવોની) “ફેકવું વગેરે કર્મબંધના કારણભૂત સર્વ ક્રિયાઓ સમજવી. (૨) દુષ્પરિહિત કાયિકી = આ ક્રિયામાં પ્રમત્તસંયત (છઠ્ઠા ગુણસ્થાનકવાળા)ની (પંચવિધ) પ્રમાદ યુક્ત ઇન્દ્રિયો અને મન દ્વારા થતી સઘળી પ્રવૃત્તિ સમજવી. (૩) ઉપરતકાયિકી = આમાં પ્રાય: પાપવ્યાપારથી નિવૃત્ત એવા અપ્રમત્ત સંયતની સર્વ ક્રિયાઓ સમજવી. કાયિકી ક્રિયાના આ ત્રણ ભેદો જાણવાં. (બ) આધિકરણિકી = જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ કહેવાય. એવા અધિકરણો દ્વારા થતી ક્રિયાને આધિકરણિકી કહેવાય. તેનો બે ભેદો છે. (૧) ચક્ર-રથ વગેરેનો સાધનો ચલાવવાં, પશુઓનો બાંધવા, પક્ષિઓને પાંજરામાં પૂરવા તથા મંત્ર-તંત્ર વગેરેનો પ્રયોગ કરવો તે અધિકરણપ્રવર્તની. (૨) ખડ્ઝ વગેરે શસ્ત્રો બનાવવા તે અધિકરણનિવર્તિની. (ક) પ્રાષિકી ક્રિયા = મત્સર કરવારૂપ ક્રિયા. તેના પણ (૧) સજીવ ઉપર મત્સર કરવો અને (૨) કોઈ અજીવ ઉપર મત્સર કરવો, એમ બે ભેદ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (ડ) પારિતાપનિકી - તાડન-તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થાય તે ‘પારિતાપનિકી ક્રિયા.” તેના પણ (૧) પોતાના શરીરને તાડન-તર્જનાદિ કરવું અને (૨) બીજાના શરીરને તાડન-તર્જનાદિ કરવું, એમ બે ભેદો જાણવા. (ઈ) પ્રાણાતિપાતિકી : પ્રાણોના નાશ કરવારૂપ ક્રિયા. તેના પણ પોતાના પ્રાણોનો નાશ અને પરપ્રાણોનો નાશ એમ બે ભેદો છે. ઉપર જણાવેલી પાંચક્રિયાઓથી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.' પ્રતિ પપ: માને- બ્રેન-પે--રસેન-સ્પર્શેન" = શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ, એ પાંચ કામગુણોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તેમાં જેની ઇચ્છા થાય તે કામ શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોના વિષયો, અને તે ભિન્ન-ભિન્ન દ્રવ્યને આશ્રયિને રહેલા તે તે દ્રવ્યના ગુણ હોવાથી તેને જ ગુણ કહેવાય. એ રીતે શબ્દાદિ પાંચ કામગુણ સમજવા. "प्रति० पञ्चभिर्महाव्रतैः प्राणातिपाताद्विरमपं- मृषावादाद्विरमणं- अदत्तादानाद्विरमणं : मैथुनाद्विरमणं - પ્રદરમ્” = પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ મહાવ્રતોમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. અહીંતે તે વ્રતોને અંગે નહિ કરવા યોગ્ય કરવાથી, કરવા યોગ્ય નહિ કરવાથી, ઇત્યાદિ કારણે અતિચાર, અથવા સંઘર્યો પરિતાપ વગેરે કરવારૂપ તે તે પ્રાણાતિપાતાદિ વ્રતોમાં અતિચારો સ્વયં વિચારી લેવા. प्रति. पञ्चभिः समितिभिः - इर्यासमित्या, भाषासमित्या, एषणा समित्या, आदानभाण्डमात्रनिक्षेपणासमित्या, उच्चारप्रश्रवणखेलजल्लसिङ्घाणपारिष्ठापनिकासमित्या = ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિઓનું યથાર્થપાલન વગેરે નહિ કરવાથી, તેમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧) ઇર્યાસમિતિ = અચિત્ત ભૂમિ ઉપર, જીવહિંસા ન થાય તે માટે યુગ પ્રમાણ ભૂમિને જોતાં ચાલવું તે. (૨) ભાષાસમિતિ = નિરવદ્ય (નિષ્પાપ), સર્વ જીવોને હિતકારી અને પ્રિય એવું મિત (અલ્પ) બોલવું તે ભાષાસમિતિ. (૩) એષણાસમિતિ પૂર્વે કહેલા એષણાના ૪૨ દોષોને ટાળીને આહાર-વસ્ત્ર-પાત્ર અને વસતિ લેવા તે. (૪) આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ પાત્ર-વસ્ત્રાદિ સંયમોપકારક સર્વ વસ્તુઓને લેવામાં મૂકવામાં પૂંજવા-પ્રમાર્જનાપૂર્વક સમ્યક પ્રવૃત્તિ કરવી તે. (૫) ઉચ્ચારપ્રશ્રવણખેલજલ્લસિઘ્રાણપારિષ્ઠાપનિકાસમિતિ: મળ-માતૃ-થેક-કફ-શરીરનો મેલ-નાકનો મેલ એ દરેકને નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક પરઠવવું તે. આ પાંચ સમિતિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. “पडि० छहिं जीवनिकाएहिं - पुढवीकारणं आउकाएणं तेउकाएणं वाउकाएणं वणस्सइकारणं तसकाएणं । पडि० छहिं लेसाहिं - किण्हलेसाए नीललेसाए काउलेसाए तेउलेसाए पम्हलेसाए સુક્ષઢેસાઈ ” Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૯૯ વ્યાખ્યા પ્રતિ ક્વિÍવના - પૃથ્વીકાયન, માયેન, તૈનાવેન, વાયુ, વનસ્પતિ યેન, ત્રસાવેન = પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયવાળા જીવોની વિરાધના (હિંસાદિ) કરવારૂપ જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. प्रति० षड्भिर्लेश्याभिः - कृष्णलेश्यया, नीललेश्यया, कापोतलेश्यया, तेजोलेश्यया, पद्मलेश्यया, સુવર્ટાન્ડેયા - કૃષ્ણાદિ છ લેગ્યામાં પ્રથમ ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ ન કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. જેમ નિર્મલ સ્ફટિકનો તેવા તેવા વર્ણવાળા દ્રવ્યના સંબંધથી તેવો તેવો વર્ણ થાય છે - દેખાય છે. તેમ નિર્મળ આત્માનો પણ સર્વ કર્મ પ્રકૃતિઓના રસ (ઝરણાં)ભૂત તે તે કષ્ણાદિ દ્રવ્યોના સંબંધથી તેવો તેવો પરિણામ થાય તેને વેશ્યા કહેવાય છે. તેના કૃષ્ણ, નીલ વગેરે છ પ્રકારો છે. તેનું સ્વરૂપ જાંબૂને ખાનારા છે પુરુષોના દૃષ્ટાંતથી સમજવું. (કોઈ છ માણસો અટવીમાં ભૂલા પડ્યા - ખૂબ ભૂખ લાગી હતી-આજુ-બાજુ નજર કરી-એક જાંબૂનું વૃક્ષ જોયું. તે જોઈને એક બોલ્યો ઝાડને મૂળથી જ કાપી નાખો. બીજો બોલ્યો આખા ઝાડને કાપવાની શી જરૂર છે ! માત્ર તેની મોટી મોટી શાખાને કાપો. ત્રીજો બોલ્યો શાખાની પણ શી જરૂર છે તેની નાની નાની પ્રશાખાને જ કાપો. ચોથો બોલ્યો પ્રશાખાને કાપવાની પણ શી જરૂર છે, માત્ર જાંબૂના ગુચ્છાને જ કાપો.પાંચમો બોલ્યો ગુચ્છામાં તો કાચા-પાકા બધા જાંબૂ છે. તેથી માત્ર પાકા જાંબૂ જ કાપો. છઠ્ઠો બોલ્યો જાંબૂ જ ખાવા છે ને ! તો ગુચ્છા કાપવાની જરૂર નથી, નીચે ઘણા જાંબૂ પડ્યા છે તેને જ ખાઈ લઈએ ! આ રીતે છ મનુષ્યોમાં જે પરિણામનું તારતમ્ય હતું, તે કૃષ્ણાદિ વેશ્યાના પરિણામરૂપ સમજવું. છ પૈકીની પ્રથમની ત્રણ વેશ્યાઓ ઉત્તરોત્તર ઓછી દુષ્ટ છે અને પછીની ત્રણ અધિકાધિક શુભ છે. એ પ્રત્યેકમાં પણ તારતમ્યની અપેક્ષાએ અસંખ્યાતા ભેદો પડે છે. આ વેશ્યાના પરિણામથી જીવને નવા બંધાતાં કર્મોમાં શુભાશુભ રસબંધ થાય છે. અશુભ લેશ્યાના પરિણામથી શુભ કર્મનો મંદ અને અશુભનો તીવ્રરસ બંધાય છે. તેમ શુભલેશ્યાના પરિણામથી અશુભ કર્મોનો મંદ અને શુભકર્મનો તીવ્રરસ બંધાય છે. માટે અશુભ હેય અને શુભ ઉપાદેય છે.) __ “पडि० सत्तहिं भयठाणेहिं, अट्ठहिं मयठाणेहिं, नवहिं बंभचेरगुत्तीहिं, दसविहे समणधम्मे, इगारसहिं उवासंगपडिमाहिं, बारसहिं भिक्खुपडिमाहिं, तेरसहिं करियाठाणेहिं, चउदसहिं भूअगामेहिं, पनरसहिं परमाहम्मिएहिं, सोलसहिं गाहासोलसएहिं, सत्तरसविहे असंजमे, अट्ठारसविहे अबंभे, एगुणवीसाए नायज्झयणेहिं, वीसाए असमाहिठाणेहिं । Page #167 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વ્યાખ્યા : પ્રતિ સનિર્ભયસ્થાનઃ = ભયનાં સ્થાન એટલે કે નિમિત્તો. ‘આલોકપરલોક-આદાન-અકસ્માત-આજીવિકા-મરણ અને અપયશ' એમ સાત છે. તેમાં (૧) ‘મનુષ્યને મનુષ્યથી’ વગેરે સ્વજાતિથી ભય તે ઇહલોકભય, (૨) પરજાતિનો એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વગેરે અન્યજાતિથી ભય તે પરલોકભય. (૩) ૨ખે કોઈ ચોર વગેરે મારું (ધન) વગેરે લઈ જાય ! એવો ભય તે આદાનભય. (૪) કોઈ બાહ્ય નિમિત્ત વિના એકાએક વિજળી પડવા વગેરેનો અથવા ઘર વગેરેમાં અંધકારનો ભય તે અકસ્માદ્ભય. (૫) નિર્ધન વગેરેને ‘હું દુષ્કાળમાં શી રીતે આજીવિકા વગેરે ચલાવીશ ?” ઇત્યાદિ ભય તે આજીવિકાભય. (૬) મરણનો ભય. (૭) લોકમાં અપકીર્તિ થવાનો ભય તે અપયશભય. આ સાત ભયસ્થાનોને કારણે ભય થવાથી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. ૧૦૦ = હવે પછીના પાઠમાં સૂત્રકાર ભગવંતશ્રીએ પ્રતિમામિ એ ક્રિયાપદને તથા તે સ્થાનોની નામપૂર્વક ગણનાને કહી નથી તે સ્વયં સમજી લેવી. અમિર્મસ્થાનેઃ = આઠ મદસ્થાનો સેવવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧) જાતિમદ, (૨) કુળમદ (૩) બળમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) ઐશ્વર્ય-ઠકુરાઈનો મદ, (૭) શ્રુતમદ, અને (૮) લાભમદ. આ મદના આઠ પ્રકારો છે. નવમિત્રંહ્મચર્ય સિમિ બહ્મચર્યની રક્ષા માટે ઉપાયભૂત ‘વસતિશુદ્ધિ' વગેરે ચરણસિત્તરીમાં કહીશું તે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન વગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. વિદે સમળધમ્મે ક્ષમા વગેરે દશ પ્રકારનો શ્રમણધર્મ ચરણસિત્તરીમાં કહેવાશે, તેમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ાવમિરુપાસપ્રતિમામિ: - શ્રાવકની અગીયાર પ્રતિમાઓમાં (અભિગ્રહોમાં) શ્રદ્ધા નહિ કરવાથી કે વિપરીત પ્રરૂપણા વગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. દાશમિમિક્ષુપ્રતિમામિ: જેનું વર્ણન ચરણસિત્તરીમાં કરાશે તે સાધુના અભિગ્રહોરૂપ બાર પ્રતિમાઓમાં અવિધિ-અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી જે અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. ત્રયોવશમિઃ યિાસ્થાનેઃ = ક્રિયા એટલે કર્મબંધમાં હેતુભૂત ચેષ્ટા અને તેના સ્થાનો=ભેદો તે ક્રિયાસ્થાનો. તેના દ્વારા જે અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. ક્રિયાસ્થાનો આ પ્રમાણે છે. (૧) અર્થાય : એટલે સપ્રયોજન = સંયમ નિર્વાહ ન થાય તેવા પ્રસંગે અથવા ગ્લાન વગેરેને માટે, એમ સકારણ સ્વપરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે અર્થાય ક્રિયા. (૨) અનર્થાય : = નિષ્પ્રયોજન. વિના કારણે દોષિત આહારાદિ લેવા (અથવા કાર્કિડા વગેરે જીવોને મારવા કે વનના વેલા વગેરે તોડવા) ઇત્યાદિ ક્રિયા. (૩) હિંસાયે = હિંસા માટે 0:0 : = Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૦૧ ક્રિયા. અર્થાત્ દેવ-ગુરુ કે સંઘના શત્રુઓની અથવા “આણે સર્પ વગેરે હિંસક જીવોની હિંસા કરી, કરે છે કે ભવિષ્યમાં કરશે” એમ સમજી તેને ત્રણે કાળની હિંસા માટે દંડ કરવો; તેને મારવો તે હિંસા માટે ક્રિયા. (૪) અકસ્માત ક્રિયા: કોઈ બીજાને હણવા માટે બાણ વગેરે શસ્ત્ર ફેકવાં છતાં ઘાત બીજાનો થાય તે. (૫) દષ્ટિવિપર્યાસક્રિયા = મિત્ર છતાં શત્રુ જાણીને કે ચોર ન હોય તેને ચોર સમજીને હણે તે. (૩) મૃષાક્રિયા = (પોતાના કે જ્ઞાતિજન વગેરેના માટે) મૃષાવાદ (અસત્ય) બોલવારૂપ ક્રિયા. (૭) અદત્તાદાનક્રિયા = (પોતાના કે જ્ઞાતિજન વગેરેને માટે) સ્વામિ અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એ ચાર પ્રકારનું અદત્ત૫ ગ્રહણ કરવાની ક્રિયા. (૮) અધ્યાત્મક્રિયા : શ્રી ઋષભદેવ ભગવાનના કોંકણ દેશના સાધુની (કાયોત્સર્ગની અંદર) જેમ “જો મારા પુત્રો વર્તમાનમાં ક્ષેત્રના વેલાઓ વગેરેને બાળી નાખે તો સારું, નહિ તો અનાજ નહિ પાકવાથી દુ:ખી થશે” વગેરે અનુચિત ચિંતવવું (અથવા કોઈ નિમિત્ત વિના સ્વપ્રકૃતિથી જ ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ વગેરે કરીને દુઃખી થવું) તે ક્રિયા પોતાના આત્મામાં થતી હોવાથી અધ્યાત્મક્રિયા જાણવી. (૯) માનક્રિયા = પોતાનાં “જાતિ, કુલ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ” વગેરેનો મદ (અભિમાન) કરીને, પોતાને મોટો માનીને બીજાને હલકા માનવા, ઇત્યાદિ અભિમાનિકી ક્રિયા. (૧૦) અમિત્રક્રિયા = માતા, પિતા કે સ્વજન સંબંધી અથવા જ્ઞાતિજન વગેરેને તેઓનો અલ્પ અપરાધ હોવા છતાં તાડન, તર્જન, દહન વગેરે સખત શિક્ષા કરવી. (આને “મિત્રદ્રષક્રિયા' પણ કહી છે.) (૧૧) માયા ક્રિયા = કપટથી મનમાં જુદું વિચારવું, વચનથી જુદું બોલવું તથા કાયાથી જુદું કરવું. (૧૨) લોભક્રિયા = લોભથી આહારાદિ અશુદ્ધ (દોષિત) લેવાં (વાપરવાં) વગેરે (અથવા પાપારંભમાં કે સ્ત્રીભોગ વગેરેમાં આસક્ત પોતાના ભોગાદિની રક્ષા કરતો બીજા જીવોને મારે, હણે, બાંધે, ઇત્યાદિ) ક્રિયા. (૧૩) ઇરિયાપથિકી ક્રિયા = મોહનો ઉપશમ કે ક્ષય થવાથી “વીતરાગ' થયેલા આત્માની કેવળ યૌગિક ક્રિયા, જેમાં માત્ર યોગના વ્યાપારથી ત્રિસામયિક કર્મબંધ થાય, પહેલે સમયે બંધાય, બીજે સમયે ભોગવાય, અને ત્રીજે સમયે નિર્જરા થઈ જાય. આ તેર ક્રિયા સ્થાનોથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિ. ૧૫. કોઈ વસ્તુ તેના માલિકની રજા વિના લેવી તે સ્વામિ અદત્ત. સજીવ વસ્તુ પોતાની હોવા છતાં તેનો મૂળ માલિક તેમાં રહેલો જીવ છે તેની અનુમતિ નહિ હોવા છતાં તેને ભાંગવાથી, ખાવાથી તે વસ્તુ જે જીવના શરીરરૂપ હોય તે જીવની ચોરી ગણાય માટે તે જીવ અદત્ત. બીજાએ આપેલી અજીવ પણ વસ્તુ વાપરવાની જિનાજ્ઞા ન હોય તો તે વાપરવાથી તીર્થકર અદત્ત. બીજાએ આપેલી અચિત્ત વસ્તુ શાસ્ત્રનિષિદ્ધ ન હોય તે પણ ગુરુની અનુમતિ વિના કે તેઓને દેખાડ્યા વિના વાપરવા વગેરેથી ગુરુ અદત્ત લાગે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોલાર : ભાગ-૨ વાતુશમિપૂંતા = ભૂત એટલે જીવો અને તેના ‘ગ્રામ' એટેલ સમૂહો, તે ચૌદ જીવસમૂહોમાં તેના અસ્તિત્વ વગેરેની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા કે હિંસાદિ - કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના એકેન્દ્રિયજીવો, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય એમ ત્રણ વિકલેન્દ્રિય જીવો, સંજ્ઞી તથા અસંજ્ઞી એ બે પ્રકારે પંચેન્દ્રિય જીવો, એમ સાત પ્રકારોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ભેદો હોવાથી (૭ ર = ૧૪) ચૌદ પ્રકારના જીવો અથવા ચૌદ ગુણસ્થાનકે વર્તતા ચૌદ પ્રકારના વિશિષ્ટશુદ્ધિ પામેલા જીવો તે “ચોદ ભૂતગ્રામો' સમજવા. પઝમ: પરમામ: = પંદર પ્રકારના અતિ સક્લિષ્ટ ચિત્તવાળા (પરમા + અધાર્મિવા: =) પરમાધાર્મિક જાતિના (ભવનપતિ નિકાયના) અસુરોને અંગે (અશ્રદ્ધાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. (એ પરમધામિઓ સ્વ-સ્વ નામ પ્રમાણે નારકોને ઘણાં દુ:ખો આપે છે.) પોકશમિયાણો: = જેમાં ‘ગાથા' નામનું અધ્યયન સોળમું (છેલ્લું) છે. તે સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં સોળ અધ્યયનોથી (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. તેનાં નામો આ પ્રમાણે છે. (૧) સમય, (૨) વૈતાલીય, (૩) ઉપસર્ગ પરિજ્ઞા, (૪) સ્ત્રી પરિક્ષા, (૫) નરક વિભક્તિ, (૬) વીરસ્તવ. (૭) (કુશીલોની) કુશીલ પરિભાષા, (૮) વીર્ય, (૯) ધર્મ, (૧૦) સમાધિ, (૧૧) માર્ગ, (૧૨) સમવસરણ, (૧૩) અવિતથ, (૧૪) ગ્રંથ, (૧૫) યદતીત, (૧૯) ગાથા. સતવસંયમ = ચરણ સિત્તરીમાં કહેવાશે તે સત્તર પ્રકારના સંયમથી વિરુદ્ધ (અસંયમને) આચરવા વગેરેથી જે અતિચારો સેવાયા હોય તેનું પ્રતિક્રમણ. ૩ વિવિધ પ્રવ્રળિ= વ્રતાધિકારમાં કહીશું તે અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિ. વોવિંશત્યા જ્ઞાતાધ્યનને = ‘જ્ઞાતાધર્મકથા' નામના છઠ્ઠા અંગસૂત્રના પહેલા શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનોમાં (અશ્રદ્ધા, ઉસૂત્ર પ્રરૂપણા વગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. તે અધ્યયનો આ પ્રમાણે છે. (૧) ઊસ્લિપ્તજ્ઞાત, (૨) સંઘાટકજ્ઞાત, (૩) અંડકજ્ઞાત, (૪) કૂર્મજ્ઞાત, (૫) સેલકજ્ઞાત, (૯) તુંબકજ્ઞાત, (૭) રોહિણીજ્ઞાત, (૮) મલ્લિજ્ઞાત, (૯) માકંદિજ્ઞાત, (૧૦) ચંદ્રમજ્ઞાત, (૧૧) દાવદ્રવજ્ઞાત, (૧૨) ઉદકજ્ઞાત, (૧૩) મંડુક્કજ્ઞાત, (૧૪) તેતલીજ્ઞાત, (૧૫) નંદિફળજ્ઞાત, (૧૩) અપરકંટાજ્ઞાત, (૧૭) આકીર્ણજ્ઞાત, (૧૮) સુસુમાજ્ઞાત, (૧૯) પુંડરીકજ્ઞાત. વિરાયા સમાધિસ્થાને = સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા - મોક્ષમાર્ગમાં સ્થિરતા-દઢતા, તેનો અભાવ તે અસમાધિ, તેના સ્થાનો નિમિત્તો તે Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૦૩ સ્વ-પરને અસમાધિ પેદા કરનારાં હોવાથી તેને અસમાધિ સ્થાનો કહ્યાં છે. તે વીસ આ પ્રમાણે છે. (૧) જલ્દી-જલ્દી (અયતનાથી) ચાલવું વગેરે. (૨) અપ્રમાર્જિત સ્થાને બેસવું-સુવું ઇત્યાદિ, (૩) જેમ તેમ પ્રમાર્જેલા સ્થાને બેસવું વગેરે. (૪) શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી. (૫) શાસ્ત્રાજ્ઞાથી વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્રાદિ સર્વ ઉપકરણો પણ અધિક વાપરવાં તે દોષ સમજી લેવો.) (ક) રત્નાધિક (વડીલ)નો પરાભવ (અપમાનાદિક) કરવો. (૭) સ્થવિરનો ઉપઘાત (વિનાશ) કરવો. (૮) પૃથ્વીકાયાદિ ભૂતોની એટલે જીવોની હિંસા કરવી. (૯) ક્ષણિક (સંવલન) કોપ કરવો. (૧૦) લાંબા કાળ સુધી ક્રોધને વશ થવું. (૧૧) બીજાનો અવર્ણવાદ બોલવો (નિંદાદિ કરવા). (૧૨) કોઈ દોષિતને પણ વારંવાર “તું ચોર છે, તું દ્રોહી છે, તું કપટી છે.” વગેરે કહેવું. (૧૩) શાંત થયેલા કષાયોની પુન: ઉદીરણા કરવી. (૧૪) શાસ્ત્રનિષિદ્ધ કાળે સ્વાધ્યાય કરવો. (૧૫) હાથ-પગ સચિત્ત રજથી ખરડાયેલા હોવા છતાં પ્રવૃત્તિ કરવી. (૧૬) રાત્રિ વગેરેમાં (દિવસે પણ) અવિવેકથી ઊંચા સ્વરે બોલવું. (૧૭) કલહ (વાકુકેલહ) કરવો. (૧૮) ઝંઝા એટલે ગચ્છમાં (સાધુઓમાં) પરસ્પર ભેદ પડાવવો. (૧૯) સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વગેરે વાપરવાં અને (૨૦) એષણાસમિતિનું પાલન નહિ કરવું. આ વીસ અસમાધિનાં કારણોને સેવવા વગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિક "एक (इक्क)वीसाए सबलेहिं, बावीसाए परिसहेहिं, तेवीसाए सुअगडज्झयणेहिं, चउवीसाए હિં, પીવીસામાવહિં !” વ્યાખ્યા : વિશલ્ય વર્તે : = શબલતા એટલે ચારિત્રની (મૂળથી વિરાધના નહિ, પણ) અંદર દોષો સેવારૂપ મલિનતા, તેને કરનારાં એકવીસ નિમિત્તોને શબલ' કહેવાય છે. તે એકવીસ આ પ્રમાણે છે (૧) હસ્તક્રિયા-કરાવવારૂપ અબ્રહ્મનું સેવન. (૨) અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ (દેવ-મનુષ્યતિર્યંચ સંબંધી) ત્રિવિધ મૈથુન સેવન અર્થાતુ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષોનું સેવન. (અહીં નિષ્કારણ અતિક્રમાદિ ચારેયને સેવનારો વિરાધક કહ્યો છે અને કારણે અતિક્રમાદિ ત્રણને સેવનારો શબલ છે એમ ભેદ સમજવો, આગળના ભેદોમાં પણ એ વિવેક સમજવો.) (૩) ભોજનમાં ૧-દિવસનું લીધેલું દિવસે, ૨દિવસનું લાવેલું રાત્રે ૩- રાત્રે લીધેલું દિવસે , ૪ રાત્રે લીધેલું રાત્રે વાપરવું. આ ચાર ભાંગામાં પહેલો ભાંગો શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગા રાત્રિભોજન રૂપ છે, તેને માટે અતિક્રમાદિ દોષો સેવવા તે શબલ જાણવું. ગાઢ કારણે તો જયણાથી રાત્રે સંનિધિ Page #171 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વગેરે રાખવા છતાં દોષ મનાતો નથી. (૪થી ૧૦) (૪) આધાકર્મિક, (૫) રાજપિંડ, (૬) ક્રીતપિંડ, (૭) પ્રામિત્યકપિંડ, (૮) અભ્યાહતપિંડ, (૯) આચ્છેદ્યપિંડ અને (૧૦) પ્રત્યાખ્યાત દ્રવ્યભોજન=ત્યાગ કરેલો પિંડ, એ સાત પ્રકારનાં દૂષિતઅકલ્પ્ય દ્રવ્યોને નિષ્કારણ ભોગવવામાં અતિક્રમાદિ ત્રણ દોષો સેવવા તે શબલ. (અહીં પણ વિશિષ્ટ કારણ વિના અતિક્રમાદિ ચારને સેવનાર શબલ નહિ પણ વિરાધક જાણવો.) (૧૧) જ્ઞાનાદિ પ્રયોજન વિના છ મહિનામાં એક ગણથી બીજા ગણની (ગચ્છની) નિશ્રામાં જવું. (૧૨) એક મહિનામાં ત્રણવાર ‘દગલેપ' = નાભિ જેટલા પાણીમાં ઉતરવું. (અહીં અર્ધ જંઘા સુધી પાણીમાં ઉતરવું તે ‘સંઘટ્ટ’, નાભિ સુધી પાણીમાં ઉતરવું તે ‘દગલેપ’ અને એથી વધારે ઊંડુ ઉતરવું તે ‘લેપોપરિ’ કહેવાય છે.) તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર ‘દગલેપ’ ઉતરી શકાય, ત્રણવાર ઉતરે તો શબલ થાય. (૧૩) એક માસમાં ત્રણવાર કપટ-માયા કરવાથી શબલ, અહીં અનાચરણીય આચરીને લજ્જા (-ભયાદિ)થી ગુરુને નહિ કહેવું - છુપાવવું, તે માયા-કપટ સમજવું. (૧૪) ઇરાદાપૂર્વક (હિંસાથી નિરપેક્ષ) એક-બે અથવા ત્રણવાર લીલીવનસ્પતિના અંકુરા વગેરે તોડવા ઇત્યાદિ પ્રાણાતિપાત = હિંસા કરવી. (૧૫) ઇરાદાપૂર્વક એક-બે કે ત્રણવાર અસત્ય બોલવું. (૧૬) ઇરાદાપૂર્વક એક-બે-ત્રણવાર અદત્ત વસ્તુ લેવી. (૧૭) ઇરાદાપૂર્વક ભીની, કીડી-મંકોડી વગેરેનાં ઇંડાવાળી, ત્રસ જીવવાળી કે ચિત્ત-બીજ(કણાદિ)વાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈપણ આંતરા વિના સીધો સંઘટ્ટો થાય તેમ ઉભા રહેવું-બેસવું. (૧૮) ઇરાદાપૂર્વક નિર્ધ્વસ પરિણામથી મૂળ-કંદ-પુષ્પ-ફળ વગેરે લીલી વનસ્પતિનું ભોજન કરવું. (૧૯) એક વર્ષમાં દસવા૨ દગલેપ કરવા. (૨૦) એક વર્ષમાં દસવા૨ કપટ (માયા) કરવું. (૨૧) (ઇરાદાપૂર્વક) સચિત્ત પાણીથી ભીંજાયેલા - ગળતા જળબિંદુવાળા હાથ કે પાત્રવાળા દાતાર પાસેથી વહોરીને વાપરવું. એ એકવીશ પૈકી કોઈ પણ શબલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. વિશત્યા પરીષહેઃ = જેનું સ્વરૂપ આગળ ઉપર મૂળગાથા ૧૨૭ના અર્થમાં કહેવાશે, તે બાવીસ પરિષહોમાં (આર્ત્તધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. ત્રયોવિંશત્યા સૂત્રતાધ્યયનેઃ સૂયગડાંગ નામના બીજા અંગના ત્રેવીસ અધ્યયનોમાં અશ્રદ્ધાદિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. “સોહૈં...” ની વ્યાખ્યામાં સોળ અધ્યયોનો કહેલાં, તે ઉપરાંત પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પચ્ચક્ખાણક્રિયા, અનગાર, આર્દ્રકીય અને નાલંદીય એમ સાત મળી ત્રેવીશ જાણવા. ‘વસ્તુવિજ્ઞત્યા લેવે:' = શ્રીઋષભદેવ આદિ ચોવીસ જિનેશ્વરોની વિરાધનાથી અથવા દસ ભવનપતિઓ, આઠ વ્યંતરો, પાંચ ૧૦૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૦૫ જ્યોતિષીઓ અને એક વૈમાનિક એમ કુલ ચારે નિકાયના ચોવીશ જાતિના દેવોના અસ્તિત્વાદિમાં અશ્રદ્ધાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ૦ પર્વશીત્યા મીવનમ: = પાંચ મહાવ્રતોના રક્ષણ માટે ભાવવાની પ્રત્યેકની પાંચ-પાંચ મળી પચીસ ભાવનાઓ, જેનું વર્ણન વ્રતાધિકારમાં (ગાથા-૧૧ની વ્યાખ્યામાં) કહીશું, તેનું પાલન નહિ કરવું' ઇત્યાદિથી જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. “छव्वीसाए दशाकप्पववहाराणं उद्देसणकालेहिं, सत्तावीसाए अणगारगुणेहिं, अट्ठावीसाए आयारपकप्पेहिं, एगूणतीसाए पावसुअप्पसंगेहि, तीसाए मोहणीयठाणेहिं, एगतीसाए सिद्धाइगुणेहिं, વત્તીસી નો સંદેહિં ” વ્યાખ્યા : ઉર્વિશાત્ય વ્યવહાર મુદ્દેશનë. = અહીં સૂત્રાદિના ઉદ્દેશસમુદ્દેશ અને અનુજ્ઞા માટે ગુરુને છ વંદન દેવાં, ત્રણવાર કાયોત્સર્ગ કરવો, ઇત્યાદિ શાસ્ત્રોક્ત (મોટા જોગની ક્રિયા કરવી તે ઉદ્દેશનકાળ જાણવો. તે દશાશ્રુતસ્કંધમાં દશ અધ્યયનોમાં દશ, કલ્પસૂત્રનાં દશ અધ્યયનોમાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાના છે, એમ છવ્વીસનું અધ્યયન (યોગ) કરતાં કાલગ્રહણાદિ ક્રિયા અવિધિએ કરવાથી (કે અશ્રદ્ધા-અસદ્ભાવાદિ સેવવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. સવંત્યાન પરશુળ = સાધુના સત્તાવીસ ગુણોનું પાલન વગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ૦તે ગુણો આ પ્રમાણે છે. (૧૬) રાત્રિભોજન વિરમણ સહિત છ વ્રતોનું પાલન, (૭-૧૧) પાંચે ઇન્દ્રિયોનો વિજય, (૧૨) ભાવશુદ્ધિ, (૧૩) પ્રત્યુપ્રેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, (૧૪) ક્ષમાનું પાલન, (૧૫) વૈરાગ્ય, (૧૬-૧૭-૧૮) મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો નિરોધ, (૧૯ થી ૨૪) છ કાય જીવોની રક્ષા (અહિંસા), (૨૫) વિનય-વૈયાવચ્ચ સ્વાધ્યાય વગેરે સંયમના વ્યાપારોનું સેવન, (૨૬) શીતાદિ પરિષહોની પીડાઓને સમભાવે સહન કરવી (ર૭) પ્રાણાંત ઉપસર્ગ પ્રસંગે પણ સમાધિ રાખવી. વિત્યા. મોવીરત્વે = આચાર એટલે ૧૦આચારાંગ સૂત્ર અને પ્રકલ્પ એટલે તેની જ પાંચમી ચૂલારૂપ “નિશીથ' નામનું અધ્યયન, એ બે મળીને “આચારપ્રકલ્પ' કહેવાય. ૧૯. આચારાંગના પચીસ અધ્યયનોનાં નામો આ પ્રમાણે છે.(૧) શસ્ત્રપરિજ્ઞા,(૨)લોકવિજય,(૩) શીતોષ્ણીય, (૪) સમ્યક્ત, (૫) આવન્તીલોકસાર, (૯) ધૂત (કર્મધૂનન), (૭) વિમોહ, (૮) ઉપધાનશ્રુત,(૯) મહાપરિજ્ઞા,(૧૦) પિડેષણા,(૧૧) શયા, (૧૨) ઇર્યા, (૧૩)ભાષાજાત, (૧૪)વઐષણા, (૧૫) પાàષણા,(૧૬) અવગ્રહપ્રતિમા,(૧૭-૨૩)સ્થાન,નધિકી,ઉચ્ચાર પ્રશ્રવણ, શબ્દ, રૂપ,પરક્રિયા અને અન્યોન્યક્રિયા,એ સાત સપ્તિક (સત્તકીયાં), (૨૪)ભાવના, (૨૫) વિમુક્તિ. આમાં પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અને બીજાના સોળ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ તેમાં આચારાંગના ૨૫ અધ્યયનો હોવાથી તે પચીશ અને પ્રકલ્પ (નિશીથ)નાં (૧) ‘ઉદ્ઘાતિમ’ (એટલે ઘટાડી શકાય), (૨) ‘અનુદ્ઘાતિમ’ (એટલે ઘટાડી ન શકાય) અને (૩) ‘આરોપણા' આપેલા પ્રાયશ્ચિત્તમાં દર્પાદિ કા૨ણે વધારો કરી શકાય, એમ (પ્રાયશ્ચિત્ત અને તેને ન્યૂનાધિક ક૨વાનું જેમાં વર્ણન છે તે) ત્રણ અધ્યયનો મળી અઠ્ઠાવીસ પ્રકારો થાય. તેમાં (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા-વિરૂદ્ધ આચરણ વગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. જોનત્રિશતા પાપશ્રુતપ્રસો: = પાપના કારણભૂત ૨૯ પાપશ્રુતોનો (ગ્રન્થોનો) પ્રસંગ અર્થાત્ આચરણ, તે પાપશ્રુતોના આચરણથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તે ૨૯ પાપશ્રુતો આ પ્રમાણે છે. (૧-૮) નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગો. (૧) દિવ્ય-વ્યંતરાદિ દેવોના અટ્ટહાસ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય. (૨) ઉત્પાત = રૂધિરના વરસાદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય. (૩) આંતરિક્ષ : આકાશમાં થતા ગ્રહોના ભેદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય. (૪) ભોમ=ભૂમિકંપ વગેરે પૃથ્વીના વિકારના આધારે ‘આનું આમ થશે’ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય. (૫) અંગ : શરીરની ચેષ્ટા ઉપરથી તેનું ફળ જણાવનાર. (૬) સ્વર: ષડ્ઝ' વગેરે સ્વરોનું સ્વરૂપ (અને પક્ષિઓ વગેરેના સ્વરોનું ફળ) જણાવનાર. (૭) વ્યંજનઃ શરીર ઉપરના મસ-તલ વગેરેનું ફળ જણાવનાર. (૮) લક્ષણ : અંગની રેખાઓ વગેરે ઉપરથી ફળ જણાવનાર. આ આઠ અંગોના પ્રત્યેકના ત્રણ ભેદ (૧) સૂત્ર (= મૂળગ્રંથ) (૨) વૃત્તિ (= મૂળગ્રંથનું સંસ્કૃતમાં વિવરણ) (૩) વાર્દિક (વૃત્તિના કોઈ કોઈ ભાગનું વિશેષ સ્પષ્ટીકરણ) આમ ૮×૩=૨૪ નિમિત્તશાસ્ત્રો, (૨૫) સંગીત શાસ્ત્ર, (૨૭) નૃત્યશાસ્ત્ર, (૨૭) વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), (૨૮) વૈદ્યક (ચિકિત્સા) શાસ્ત્ર, (૨૯) ધનુર્વેદ વગેરે (શસ્ત્રકળાજ્ઞાપક) શાસ્ત્ર. ત્રિશતા મોહનીયસ્થાને: મોહનીય કર્મના બંધના કારણભૂત ૩૦ સ્થાનો સેવવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તે કારણો આ પ્રમાણે છે. (૧) ક્રૂર પરિણામથી સ્ત્રી વગેરે નિર્બળ જીવોને પાણીમાં ડૂબાડીને મારી નાખવા. (૨) હાથથી કે વસ્ત્રાદિથી મુખ બંધ કરીને (ડૂચો દઈને, શ્વાસ ગુંગળાવીને, ગળે ટુંપો દઈને કે એવા કોઈ ક્રૂર પ્રયોગથી) નિર્દયપણે મારી નાખવા. (૩) રોષથી માથે ચામડાની વાઘર વીંટીને (બાંધીને) ખોપરી તોડીને મારી નાખવા. (૪) મોગ૨, હથોડો, ઘણ કે પત્થર વગેરેથી માથું ફોડવું વગેરે ખરાબ મારથી મારી નાખવા. (૫) સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને ૫૨મ આધારભૂત ગણધરાદિ ધર્મના નાયકને (કે ઘણા જીવોને આજીવિકા પૂરનારને) હણવો. (૬) સામર્થ્ય હોવા છતાં નિબઁસ પરિણામથી ૧૦૬ = Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૦૭ ગ્લાન વગેરેની ઔષધાદિથી સેવા ન કરવી. (૭) સાધુને (કે દીક્ષાર્થી ગૃહસ્થને) બળાત્કારે ધર્મભ્રષ્ટ કરવો. (કે દીક્ષામાં અંતરાય કરવો.) (૮) રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગથી વિપરીત પ્રરૂપણા, સાધુ કે ધર્મસાધનોની નિંદા, વગેરે કરીને તેના ઉપર બીજાઓને અરૂચિ-અસદ્ભાવ પેદા કરાવવા દ્વારા સ્વ-પરનો અપકાર કરવો. અર્થાત્ લોકોને જૈનશાસનના દ્વેષી બનાવવા. (૯) કેવલજ્ઞાન છે જ નહિ, અથવા કોઈ કેવલી બને જ નહિ, વગેરે તીર્થકરોની કે કેવલજ્ઞાનીઓની નિંદા કરવી. (૧૦) આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાધુ વર્ગની (કે તેઓનાં જાતિ-જ્ઞાન વગેરેની) નિંદા કરવી. (૧૧) જ્ઞાનદાન વગેરેથી ઉપકાર કરનારા પોતાના ઉપકારી પણ આચાર્યાદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી. (૧૨) પુનઃ પુન: નિમિત્ત કહેવારૂપ અધિકરણ કરવું. અર્થાત્ નિમિત્તો વગેરે કહેવાં. (૧૩) તીર્થનો ભેદ (કુસંપ) કરાવવો. (૧૪) વશીકરણાદિ કરવું. (૧૫) ત્યાગ કરેલા ભોગોની ઇચ્છા કરવી. (૧૬) બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવો. (૧૭) અગ્નિના ધૂમાડામાં ઘણાને ગુંગળાવીને મારી નાખવા. (૧૮) પોતે પાપકર્મ કરીને બીજાને શિરે ચઢાવવું. (૧૯) પોતાના અસદ્ આચરણોને (દોષોને) કપટથી છુપાવી બીજાઓને ઠગવા (પોતાને સદાચારીમાં ગણાવવો). (૨૦) અસદ્ભાવથી, સભામાં સત્ય બોલનારને પણ અસત્ય ઠરાવવો (૨૧) નિત્યકલહ કરાવવો. (૨૨) બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વગેરેમાં લઈ જઈને) તેનું ધન વગેરે લુંટવું. (૨૩) એ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી-લલચાવવી. (૨૪) કુમાર ન હોવા છતાં બીજાની આગળ પોતાને કુમાર તરીકે જણાવવું. (૨૫) એ રીતે બ્રહ્મચારી નહિ હોવા છતાં પોતાને બ્રહ્મચારી જણાવવો. (૨૯) જેની સહાયથી પોતે ધનાઢ્ય થયો હોય તેના ધનનો લોભ કરવો. (૨૭) જેના પ્રભાવથી પોતે લોકમાં પ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને કોઈ પ્રકારે અંતરાય (દુખી) કરવો. (૨૮) રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક વગેરે ઘણા જીવોના નાયકને (રક્ષક-પાલકને) હણવો. (૨૯) દેવોને નહિ દેખવા છતાં કપટથી “હું દેવોને દેખું છું.” એમ કહી અસત્ય પ્રભાવ વધારવો. (૩૦) દેવોની અવજ્ઞા કરવી અર્થાત્ વિષયાંધ દેવોનું શું પ્રયોજન છે ? હું જ દેવ છું.” એમ બીજાઓને જણાવવું. (આ ૩૦ કારણોથી સામાન્યત: આઠે કર્મ બંધાય છે. પરંતુ મોહનીય કર્મની પ્રધાનતાને કારણે તેનું ગ્રહણ કરેલ છે.) ત્રિશતા સિદ્ધવિપુલ = સિદ્ધના એકત્રીસગુણોમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. એકત્રીસ ગુણો આ પ્રમાણે છે (ગોળ, ચોરસ, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ લંબચોરસ, ત્રિકોણ, વલયાકાર, એમ) પાંચ સંસ્થાનો (આકૃતિઓ) શુક્લાદિ પાંચ વર્ણો, બે પ્રકારની ગંધ, મધુરાદિ પાંચ રસ, ગુરુલઘુ વગેરે આઠ સ્પર્શી અને મું.વેદ વગેરે ત્રણ વેદો - આ અઠ્ઠાવીસના અભાવરૂપ અઠ્ઠાવીસ તથા અશરીરિપણું, અસંગપણું, જન્મનો અભાવ એમ ત્રણ મળી એકત્રીસ ગુણો, અથવા આઠ કર્મોની ૩૧ ઉત્તરપ્રકૃતિઓના ક્ષયથી પ્રગટ થયેલા એકત્રીસ ગુણો સમજવા. તે આ રીતે - જ્ઞાનાવરણીય કર્મના પાંચ, દર્શનાવરણીય કર્મના નવ, વેદનીયના બે, મોહનીયના બે (= દર્શન + ચારિત્ર મોહનીય), આયુષ્યના ચાર, નામ કર્મના (શુંભ-અશુભ) બે, ગોત્રના બે અને અંતરાયના પાંચ, આ રીતે એકત્રીસ પ્રકારનાં કર્મોનો ક્ષય થવાથી પ્રગટતા એકત્રીસ ગુણો સમજવા. શિતા યોજાસદે = મન-વચનકાયાની પ્રશસ્તતારૂપ શુભયોગોના સંગ્રહ માટેનાં નિમિત્તો (ઉપાયો) રૂ૫ “આલોચના' વગેરેને યોગસંગ્રહ કહ્યાં છે, તેના બત્રીસ પ્રકારોમાં જે કોઈ અતિચારો સેવ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. તે પ્રકારો આ પ્રમાણે છે - (૧) શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચના દેવી અર્થાત્ નિષ્કપટભાવે પોતાના અપરાધોને કહી જણાવવા. (૨) આચાર્યે પણ શિષ્યોના તે તે અપરાધોને જાણવા છતાં બીજાને નહિ જણાવવા (૩) આપત્તિના પ્રસંગે (દ્રવ્યાદિ ચાર પ્રકારના ઉપસર્ગોમાં) પણ ધર્મમાં દઢતા કેળવવી. (૪) ઉપધાન (વિવિધ ત૫) કરવામાં આલોક-પરલોકનાં સુખોની અપેક્ષા ન રાખવી. (૫) ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષાનું વિધિથી સેવન કરવું. () શરીરનું પ્રતિકર્મ (સુશ્રુષા-શોભા વગેરે) નહિ કરવું. (૭) પોતાનો તપ બીજા જાણે નહિ તેમ ગુપ્ત કરવો. (૮) નિર્લોભતા માટે યત્ન કરવો. (૯) પરીષહો - ઉપસર્ગો આદિનો જય કરવો, સમભાવે સહન કરવાં, દુર્બાન નહિ કરવું. (૧૦) સરળતા રાખવી. (૧૧) સંયમમાં તથા વ્રત વગેરેમાં (મૂલ-ઉત્તર ગુણોમાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા.) (૧૨) સમ્યકત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવું). (૧૩) ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવા). (૧૪) આચારોનું પાલન કરવું. (૧૫) વિનીત બનવું. (૧૬) ધૈર્યવાન થવું (દીનતા નહિ કરવી). (૧૭) સંવેગમાં (મોક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવું. (૧૮) માયાનો ત્યાગ કરવો. (૧૯) દરેક અનુષ્ઠાનોમાં સુંદર વિધિ સાચવવી. (૨૦) સંવર કરવો. (૨૧) આત્માના દોષોનો ઉપસંહાર કરવો ઘટાડવા). (૨૨) સર્વ પૌલિક ઇચ્છાઓના ત્યાગની ભાવના કેળવવી. (૨૩) મૂળગુણોમાં (ચરણ સિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચકખાણ (વધારો) કરવાં. (૨૪) ઉત્તરગુણોમાં (કરણ સિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચકખાણ કરવાં. (૨૫) દ્રવ્ય અને ભાવ ઉભય Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૦૯ વિષયમાં (વિવિધ) વ્યુત્સર્ગ કરવો (ત્યાગ-કરવો). (દ્રવ્યથી બાહ્ય ઉપધિ આદિનો અને ભાવથી અંતરંગ રાગ-દ્વેષાદિનો ત્યાગ કરવો = પક્ષ તજવો). (૨૬) અપ્રમત્તભાવ કેળવવો. (૨૯) ક્ષણે ક્ષણે સાધુ સામાચારીનું રક્ષણ-પાલન કરવું. (૨૮) શુભ ધ્યાનરૂ૫ સંવરયોગ સેવવો. (૨૯) પ્રાણાંત વેદનાના ઉદયે પણ મનમાં ક્ષોભ નહિ કરવો. (૩૦) પુદ્ગલના સંબંધનું જ્ઞાન મેળવવું અને તેનો ત્યાગ વધારવા સવિશેષ પચ્ચકખાણ કરવાં. (૩૧) અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) અંતકાળે આરાધના (સંલેખણા-નિર્ધામણા) કરવી. એમ ૩૨ યોગસંગ્રહોનું પાલન-આચરણ (કે શ્રદ્ધા વગેરે) નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. "तित्तीसाए आसायणाहिं अरिहंताणं आसायणाए, सिद्धांणं आसायणाए, आयिरआणं आसायणाए, उवज्झायाणं आसायणाए, साहूणं आसायणाए, साहूणीणं आसायणाए, सावयाणं आसा०, सावियाणं आसा० देवाणं आसा०, देवीणं आसा०, इहलोगस्स आसा०, परलोगस्स आसा०, केवलिपन्नत्तस्स धम्मस्स आसा० सदेक्मणुआसुरस्स लोगस्स आसा०, सव्वपाणभूअजीवसत्ताणं आसा०, कालस्स आसा०, सुअस्स आसा०, सुदेवयाए आसा० वायणायरियस्स आसा०, जं वाइद्धं, वञ्चामेलिअं हीणक्खरं अञ्चक्खरं पयहीणं विणयहीणं घोसहीणं जोगहीणं सुठु दिन्नं दुठु पडिच्छिअं, अकाले कओ सज्झाओ, काले न कओ सज्झाओ, असज्झाए સાફ, સાઈન સાથં તસ્સ મિચ્છામિ દુક્કડું !” વ્યાખ્યા ત્રચાતા મરાતન: = આ ગ્રંથના પ્રથમ ભાગમાં ગુરુવંદન અધિકારમાં કહેલી ગુરુની. તેત્રીશ આશાતનાઓ દ્વારા અથવા અહીં હવે પછી સાક્ષાતુ કહેવાતી તેત્રીશ આશાતનાઓ દ્વારા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧) મહેંતામતિના = અરિહંતો નથી અથવા તેઓ ત્યાજ્ય એવા પણ ભોગોને કેમ ભોગવે ? ઇત્યાદિ બોલવા વગેરેથી કરેલી અરિહંતની આશાતના દ્વારા. (૨) સિદ્ધનામારતનયા = કોઈ સિદ્ધો નથી, ઇત્યાદિ બોલવા વગેરેથી કરેલી સિદ્ધોની આશાતના દ્વારા. (૩) માવામાાતિનયા (૪) રૂપાધ્યાયાનામાર તનયા = “આ મારાથી નાનો છે, અકુલીને છે, દુબુદ્ધિ છે, અલ્પલબ્ધિ-શક્તિવાળો છે' ઇત્યાદિ આચાર્યની તથા ઉપાધ્યાયની અપમાન કરવારૂપ આશાતના દ્વારા. (પ-૬) સાધૂનામશતિના-સાથ્વીનામાાતિના = ભોજન, વાચના વગેરે પ્રસંગોમાં “આ તો અવસરને ઓળખતા નથી' ઇત્યાદી બીજા સાધુ-સાધ્વીના અવર્ણવાદ (અપમાનાદિ) કરવાથી સાધુ-સાધ્વી અંગે કરેલી આશાતના દ્વારા. (૭-૮) શ્રાવણમાસતિનયા-શ્રાવિIIIમાતિનયા = શ્રાવક અને શ્રાવિકાને અંગે પણ “જિનધર્મને જાણવા છતાં સર્વ વિરતિ નહિ લેનારા એવાને ધન્ય-પુણ્ય' (ભાગ્યવાન) કેમ કેહવાય? વગેરે અસદ્ભાવાદિથી કરેલી આશાતના Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ દ્વારા. (૯-૧૦) રેવાનીમાાતિનયા - ડેવીનામાતિનયા = દેવો કે દેવીઓને અંગે પણ એ તો અવિરત છે, કામભોગમાં આસક્ત છે, સામર્થ્ય હોવા છતાં તીર્થની (શાસનની) રક્ષા કે પ્રભાવના કરતા નથી, વગેરે અવર્ણવાદ બોલવાથી કરેલી આશાતના દ્વારા. (૧૧-૧૨) રૂહોચીતિન - પરોસ્થાતિનયા = મનુષ્યાદિને મનુષ્યપણું વગેરે સમાનજન્મ તે આલોક અને મનુષ્યાદિને દેવપણું વગેરે અસમાનજન્મ તે પરલોક જાણવો, તેને અંગે અસત્ય પ્રરૂપણા વગેરે કરવાથી કરેલી આશાતના દ્વારા. (૧૩) સ્ટપ્રજ્ઞસ્ય ધર્મયાશતિનયા = કેવલીઓએ કહેલા શ્રુત-ચારિત્રરૂપ ધર્મની, જેમકે “આગમ પ્રાકૃત ભાષામાં રચેલું છે, તે કોણ જાણે છે કે કોણે રચેલું છે” વગેરે શ્રતને અંગે તથા “જેમાં દાન આપવાનું નથી, તે ચારિત્રથી શું કલ્યાણ થાય ? વગેરે ચારિત્રને અંગે અસત્ય-અવર્ણવાદ બોલવાથી કરેલી આશાતના દ્વારા. (૧૪) વમનુના સુરોચ્ચારીતિન = અહીં દેવથી ઉર્ધ્વલોક, મનુષ્યથી તિસ્કૃલોક અને અસુર શબ્દથી અધોલોક એમ ત્રણ લોક (રૂપ ચૌદરાજ)ને અંગે સાતદ્વીપ-સાત સમુદ્ર જેટલો જ લોક છે, બ્રહ્માએ તેને ઉત્પન્ન કરેલો છે અથવા પુરુષ અને પ્રકૃતિના યોગથી થયેલો છે.' વગેરે અસત્ય પ્રરૂપણાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા. (૧૫) સર્વકાળમૂતનીવરવીનાનાશાતનયા = પ્રાપ:' એટલે બેઇન્દ્રિયાદિ પ્રગટ શ્વાસોશ્વાસવાળા થયેલા થતા કે થનારા ત્રસ જીવો, “પૂતાન' = પૃથ્વી વગેરે સ્થાવર જીવો, “નીવા:' = જીવે તે જીવ, અર્થાત્, આયુષ્યને ભોગવતા સર્વ સંસારી જીવો, “સત્વા:” = સંસારી-અસંસારી સર્વ જીવો (એમ જુદી-જુદો અર્થ સમજવો અથવા ભિન્ન-ભિન્ન દેશમાં જન્મેલા શિષ્યોને સમજવા માટે ભિન્ન-ભિન્ન શબ્દ પ્રયોગ કરેલો હોવાથી દરેકનો અર્થ એક જ “સર્વ જીવો” એમ સમજવો). તેઓને અંગે તેમના સ્વરૂપની વિપરીત પ્રરૂપણા (અશ્રદ્ધા) આદિ કરવાથી થયેલી આશાતના દ્વારા. (૧૯) ઝાસ્થાશતિનયા = કાલ દ્રવ્યને ન માને, કાલ છે જ નહિ અથવા જગત કાલની પરિણતિરૂપ છે, ઇત્યાદિ કાલની વિપરીત પ્રરૂપણા-અશ્રદ્ધાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા. (૧૭) કૃતસ્યરીતિન = જ્ઞાનાચારને અંગે વિપરીત બોલે, જેમકે-માંદાને વળી કાળ અકાળ કયો ? મેલાં વસ્ત્રો ધોવામાં વળી કાળ-અકાળ કેવો ? જો જ્ઞાન મોક્ષનું સાધન છે તો તેને માટે “આ કાળ અને આ અકાળ' વગેરે શા માટે ? આગમોમાં છકાય જીવોનું, વ્રતોનું વગેરે એક વિષયનું વારંવાર વર્ણન કરીને પુનરુક્તિ દોષ કર્યો છે, ઇત્યાદિ શાસ્ત્રોનો અવર્ણવાદ બોલવો, ઇત્યાદિ આશાતના દ્વારા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧૮) કૃતવતીયા મારતનયા = “શ્રત દેવી છે જ નહિ, અથવા તેનામાં સારું-ખોટું કરવાની કોઈ શક્તિ જ નથી” વગેરે વિપરીત બોલવારૂપ આશાતના દ્વારા. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૧૧ (૧૯) વાઘનીવાર્યાશાતન = વાચનાચાર્યને અંગે ‘સામાના સુખ-દુ:ખનો વિચાર કર્યા વિના વારંવાર ઘણાં વંદન દેવરાવે છે,' ઇત્યાદિ અસદ્ભાવવાળું વચન બોલવા વગેરેથી કરેલી આશાતના દ્વારા. આમ અહીં ઓગણીસ આશાતનાઓ કહી. હવે પછીના ‘નં વાદ્ધ' વગેરે ચૌદ પદો કહીશું. તે શ્રુતની ક્રિયા અને કાળ વિષયક આશાતનાનાં પદો છે, માટે પુનરુક્તિ દોષ સમજવો નહિ. (૧) વિદ્ધમ્ = સૂત્રાદિમાં જે અસ્ત-વ્યસ્ત કર્યું, જેમ રત્નની માળાના દોરામાં રત્નો નાનાં-મોટાં જેમ તેમ પરોવે તેમ શ્રતમાં પણ ક્રમ વગેરે ન સાચવે, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઇત્યાદિ આશાતના દ્વારા જે અતિચાર કર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ આગળ પણ સંબંધ સમજવો. (૨) વ્યત્યાગ્રેવિતમ્ = જ્યાંથી ત્યાંથી વસ્તુ લાવીને બનાવેલી કોળીની ક્ષીરની જેમ જુદાં જુદાં શાસ્ત્રોના પાઠો (અંશો) ભેગા કરીને સૂત્રના મૂળસ્વરૂપને બદલી નાખવારૂપ આશાતના દ્વારા. (૩) હીનાક્ષર = એકાદિ અક્ષરો ન્યૂન કરવારૂપ આશાતના દ્વારા. (૪) પ્રત્યક્ષર = એક કે અનેક અક્ષરો વધારવારૂપ આશાતના દ્વારા. (૫) પદીનમ્ = (એકાદિ) પદ ઘટાડવારૂપ આશાતના દ્વારા. (૯) વિનયટીનમ્ = ઉચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા. (૭) ઘોષહીન = ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે વર્ણનો ઘોષ (અવાજ) યથાર્થ નહિ કરવા રૂપ આશાતના દ્વારા. (૮) યોગીનમ્ = વિધિપૂર્વક યોગોદ્વહન નહિ કરવારૂપ આશાતના દ્વારા. (૯) સુહુ દ્રત્તમ્ = (સુકું એટલે અધિક અર્થ કરવો.) ગુરુએ અલ્પ શ્રુતને યોગ્ય સાધુ વગેરેને સુષુ=અધિક સૂત્ર-અર્થ આપ્યું, અર્થાત્ યોગ્યતા ઉપરાંત વધારે ભણાવવારૂપ આશાતના દ્વારા. (૧૦) કુટું પ્રતીષ્ઠિતમ્ = શિષ્ય શ્લેષિત ચિત્તે ગ્રહણ કરવા (ભણવા) રૂપ આશાતના દ્વારા. (૧૧-૧૨) બાસ્કે તા: સ્વાધ્યાય: - છાજે ન ત: સ્વાધ્યાય = સ્વાધ્યાય માટેના નિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધકાળમાં સ્વાધ્યાય ન કર્યો, એમ ઉભય આશાતના દ્વારા. (૧૩-૧૪) સ્વાધ્યાય સ્વાધ્યાયિતમ્ સ્વાધ્યાય રે સ્વાધ્યાયતમ્ = રૂધિરાદિ અશુચિ વિગેરેને કારણે સૂત્રાદિનું પઠનપાઠન વિગેરે ન થઈ શકે તેવા પ્રસંગોને અસ્વાધ્યાયિક કહેવાય છે. આવા અસ્વાધ્યાયિક પ્રસંગે સ્વાધ્યાય કરવારૂપ અને એવો પ્રસંગ ન હોય અર્થાત્ સ્વાધ્યાયિક પ્રસંગે સ્વાધ્યાય ન કરવારૂપ આશાતના દ્વારા અસ્વાધ્યાય અંગે વિશેષ વર્ણન અસ્વાધ્યાય-નિર્યુક્તિમાંથી જાણવું. ૧. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ આલંબન જો પવિત્ર હોય તો સ્વાધ્યાય શુદ્ધ, સફળ અને હિતને માટે થાય છે, માટે અમુક કાળ અને અશુચિ દ્રવ્ય કે શોક સત્તાપથી સંક્લિષ્ટ ભાવવાળું ક્ષેત્ર સ્વાધ્યાય માટે અયોગ્ય હોવાથી તેમાં સ્વાધ્યાય નિષિદ્ધ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આમ તેત્રીસ સ્થાનોમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું અને તે ઉપરાંત આગળ પણ બીજી આશાતના અંગે પ્રતિક્રમણ સમજવું. જેમકે શ્રી જિનેશ્વરોના ચોત્રીસ અતિશયોમાં અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી કરેલી આશાતના દ્વારા, ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનોમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, એમ સાડત્રીસ-આડત્રીસ યાવત્ “સો તારાયુક્ત શતભિષા' નક્ષત્ર છે, ત્યાં સુધી સમવાયાંગ સૂત્રમાં કહેલા તે તે વિષયના તેટલા પ્રકારોની થયેલી આશાતનાનું પ્રતિક્રમણ કરું છું, એમ સમજી લેવું. એ પ્રમાણે અતિચારોની વિશુદ્ધિ કરીને નીચેનો પાઠ બોલીને નમસ્કાર કરે અથવા પૂર્વે કરેલી અશુભ પ્રવૃત્તિનું (અતિચારોનું) પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે નમસ્કારપૂર્વક કહે કે - "नमो चउवीसाए तित्थयराणं उसभाइमहावीरपञ्जवसाणाणं" વ્યાખ્યાનમથતુર્વિશાત તીર્થકરેણ્ય કમાજિકઢાવીર પર્યવસાનેપ્ય: = શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને શ્રી મહાવીર સ્વામી ભગવાન સુધીના ચોવીસ તીર્થકરોને મારો નમસ્કાર થાઓ. ! એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈનપ્રવચનના આગમના) ગુણોનું વર્ણન (પ્રશંસા) કરતો કહે કે- . "इणमेव निग्गंथं पावयणं सञ्चं अणुत्तरं केवलिअं पडिपुण्णं णेआउअं संसुद्धं सल्लगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं, इत्यं ठिआ जीवा सिझंति बुज्झति मुञ्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति, तं धम्मं सद्दहामि पत्तिआमि रोएमि फासेमि पालेमि अणुपालेमि, तं धम्मं सद्दहंतो पत्तिअंतो रोअंतो फासंतो पालंतो अणुपालंतो तस्स धम्मस्स (केवलिपन्नतस्स) अब्भुट्ठिओमि आराहणाए विरओमि विराहणाए" વ્યાખ્યાઃ મેવ = આ સામાયિક, ચઉવીસત્યો વગેરે પચ્ચકખાણ સુધીનાં છ આવશ્યકો અથવા બાર અંગોરૂપ આચાર્યની ઝવેરાતની પેટી સરખું ને ચંપ્રવચનમ્ = બાહ્ય અને અત્યંતર ગ્રંથિ (પરિગ્રહ)થી મુક્ત નિગ્રંથ-સાધુઓનું આગમ, કે જેમાં જીવાદિનું વિસ્તૃત વર્ણન છે. અને જે સાધુજીવનને ઉપકારી છે. હવે તે આગમનું વિશિષ્ટપણું કહે છે કે - સત્યમ્ = સજ્જનોને હિતકારી. વળી ન્યાય (ના) દર્શન પણ સ્વ-સ્વ વિષયોના નિરૂપણમાં તો સત્ય છે, માટે કહે છે કે - અનુત્તર - જેનાથી ઉત્તર (શ્રેષ્ઠ) બીજું કોઈ આગમ નથી, કારણ કે સમસ્ત પદાર્થોનું આ આગમમાં યથાર્થ પ્રતિપાદન છે. છતાં કોઈ એની તુલ્ય અન્ય શાસ્ત્રને પણ માને, તેને માટે Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ = = કહે છે કે વઝિમ્ કેવલ એક જ છે - અદ્વિતીય છે, જેની તુલ્ય બીજું કોઈ આગમ નથી. તથા પ્રતિપૂર્ણમ્ = સર્વ વિષયોનું પ્રરૂપક હોવાથી અથવા સર્વ નયો (અપેક્ષાઓ) રૂપ હોવાથી મોક્ષપ્રાપ્તિ કરાવનારા સર્વ ગુણોથી પરિપૂર્ણ. નૈયયિમ્ = મોક્ષમાં લઈ જનારું અર્થાત્ મુક્તિને પ્રાપ્તિ કરાવનારું, અથવા ન્યાય (યુક્તિ)થી યુક્ત છે. આવા આગમને પણ કોઈ અશુદ્ધ માને તો તેનું નિરાકરણ કરે છે કે સંસુદ્ધમ્ = કષ, છેદ અને તાપ, એ ત્રણ પરીક્ષાઓથી સર્વથા શુદ્ધ, એકાંતે કલંક (દોષ) વિનાનું. તથાપિ કોઈ માને કે એવું આગમ હોવા છતાં તથા સ્વભાવે જ કદાચ સંસારના કારણભૂત માયાદિ શલ્યોને દૂર કરવામાં અસમર્થ હશે, તેને માટે કહે છે કે રાજ્યવર્રાનમ્ = માયા વગેરે ત્રણ શલ્યોને કાપી નાખનારું (આગમ છે.) હવે બીજામતવાળા જેઓ સિદ્ધ આદિને માનતા નથી, તેઓના મતનું નિરાકરણ કરતાં કહે છે કે – સિદ્ધિમાń:-મુત્તિમાń: = સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ, અર્થાત્ હિતકરભાવો (અવસ્થા)ની પ્રાપ્તિ તે સિદ્ધિ, તેના માર્ગભૂત અને મૂકાવું તે મુક્તિ અર્થાત્ અહિતકારી કર્માદિના બંધનથી છૂટવું તે મુક્તિ અને તેનો માર્ગ તે મુક્તિમાર્ગ, તાત્પર્ય એ છે કે કેવલજ્ઞાનાદિ આત્મહિતકર ભાવોને પ્રગટ કરાવવાપૂર્વક અહિતકર કર્મ-શરીર-સંસાર વગેરે બંધનોથી મુક્તિ કરાવનારું, (આનાથી ‘મુક્તાત્માઓને કેવલજ્ઞાનાદિ ગુણો હોતા નથી. કિંતુ તેઓ કર્મયુક્ત હોય છે’. આવા દુર્રયનું પણ ખંડન થયેલું જાણવુ. નિર્વાળમાń: = યાન = સ્થાન અર્થાત્ જીવો જ્યાં ગમન કરે તે સ્થાન. જીવનું સ્વભાવે ઉર્ધ્વગમન છે. માટે ‘ઇષત્-પ્રાગભારા' (સિદ્ધશિલા) નામનું મુક્તાત્માઓનું નિરૂપમ (અનુપમેય) સ્થાન તે નિર્મ્યાન, ત્યાં જવા માટે માર્ગ તે ‘નિર્માણમાર્ગ’ સમજવો. આ વિશેષણથી જેઓ મુક્તાત્માઓનું સ્થાન અનિયત માને છે તે ૫૨વાદિના મતનું ખંડન થાય છે. નિર્વાળમાń: = સકલ કર્મોના ક્ષયથી પ્રગટતું આત્માનું સંપૂર્ણ - અવિનાશી-શુદ્ધ-નિરુપાધિક એવા સુખના માર્ગને નિર્વાણમાર્ગ કહેવાય છે. આનાથી ‘મુક્તાત્માઓ સુખ-દુઃખ બંનેથી રહિત હોય છે' આવું માનનારાઓના કુવિકલ્પનો નિરાસ થયો. ઉપસંહાર કરતાં કહે છે કે... अवितथम् = સત્ય (અથવા અહીં સત્ય અર્થ કરવાથી, તેવો અર્થ પૂર્વે પણ કર્યો હોવાથી પુનરુક્તિ દોષ આવે છે, તે ટાળવા માટે પૂર્વે ‘સગ્ન’ નો અર્થ સત્ય કર્યો હતો તેના સ્થાને સર્જી નો ‘સાર્વમ્’ પર્યાય કરીને પૂજાસહિત-પૂજાયેલ અર્થ કરવો. કારણકે આ પ્રવચન (આગમ) જગતમાં પૂજ્ય છે જ.) વિસન્ધિ - અવ્યવચ્છિન્ન = અર્થાત્ પશ્ચિમ મહાવિદેહાદિ ક્ષેત્રોમાં સદૈવ વિદ્યમાન હોવાથી શાશ્વત. સર્વદુ:સ્વપ્રહીનમાર્ગ: = સર્વ દુ:ખો જ્યાં ક્ષીણ થયા છે તે મોક્ષનો માર્ગ છે. હવે આગમ ચિંતામણીતુલ્ય ૧૧૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ છે એમ સિદ્ધ કરતાં કહે છે કે – ૩ત્ર સ્થિતા નીવી = આ નિગ્રંથ પ્રવચન (આગમ)માં - તેની આરાધનામાં રહેલા જીવો સિદ્ધચત્તિ = “અણિમા' આદિ લબ્ધિઓ રૂપ શ્રેષ્ઠફળને સિદ્ધ કરે છે. વૃષ્યન્ત = બોધ પામે છે, અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શનવાળા બને છે. મુખ્યત્વે = ભવોપગ્રાહી (અઘાતી) કર્મોથી પણ મુક્ત થાય છે. પરિનિર્વાન્તિ = સર્વ રીતે નિર્વાણને (શાન્તિને) પામે છે. એટલે શું? સર્વદુઃવાનીમાં ક્વન્તિ = શારીરિક-માનસિક વગેરે સર્વ દુઃખોનો વિનાશ કરે છે. આ પ્રમાણે પ્રવચનના મહિમાને વર્ણવીને, તેમાં સ્વકર્મમળને ધોવાની સમર્થતાને બતાવતાં શ્રદ્ધાદિ પ્રગટ કરે છે કે - તૂ ધર્મ = જે નિગ્રંથ પ્રવચન સંબંધી ધર્મ કહ્યો, તે ધર્મમાં હું “તત્ત' (' તે તેવું જ છે એવી શ્રદ્ધા-પ્રતીતિ-વિશ્વાસ) કરું છું. પ્રત્યેક = એમાં વિશેષશ્રદ્ધા કરું છું. અથવા પ્રીતિપૂર્વક સ્વીકાર કરું છું. રોવાઈ = એ ધર્મને વધુ સેવવાની ભાવનાપૂર્વક તેની સેવાની રૂચિ કરું છું. મૃદયમ = તે ધર્મની સતત સેવા કરવારૂપે સ્પર્શના કરું . પર્યામિ = અતિચારોથી તેનું રક્ષણ કરું છું. અનુપાયમ = પુનઃ પુનઃ રક્ષા કરું છું. વળી તે ધર્મ શ્રદ્ધાન: પ્રતીય પ્રતિપદ્યમાનો) रोचयन् स्पृशन् पालयन् अनुपालयन् तस्य धर्मस्य (केवलिप्रज्ञप्तस्य) अभ्युत्थितोऽस्मि आराधनायाम વિરતોડક્ષિ વિરાધનાયમ્ - તે (કૃત) ધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શના, પાલન અને અનુપાલન કરતો હું તે કેવલિકથિત ધર્મની આરાધનામાં ઉદ્યત થયો છું. અને વિરાધનામાંથી નિવૃત્ત થયો છું. . . હવે એ જ આરાધનામાં ઉદ્યમને અને વિરાધનામાં નિવૃત્તિને વિભાગથી જણાવે છે કે "असंजमं परिआणामि - संजमं उवसंपज्जामि, अबंभं परिआणामि-बंभं उवसंपज्जामि, अकप्पं परि० - कप्पं उव०, अन्नाणं परि० - नाणं उव०, अकिरिअं परि०-किरिअं उव०, मिच्छत्तं परि० - सम्मत्तं उव०, अबोहिं परि० - बोहिं उव० अमग्गं परि०-मग्गं उव०, जं संभरामि - जं च न संभरामि, जं पडिक्कामि - जं च न पडिक्कमामि, तस्स सव्वस्स देवसिअस्स अइआरस्स पडिक्कमामि समणोऽहं संजयविरयपडिहयपञ्चक्खायपावकम्मे अणिआणो दिट्ठिसंपन्नो मायामोसविवज्जिओ।" વ્યાખ્યા : સંયમ = પ્રાણાતિપાતાદિરૂપ અસંયમને રિનાનામ = જ્ઞાનથી જાણીને તેનું પચ્ચકખાણ કરવાપૂર્વક તજું છું. તથા સંઘર્ષ = જેનું સ્વરૂપ ચરણ સિત્તરીમાં કહેવાશે, તે સંયમને ૩૫૫થે = અંગીકાર કરું છું. પરના નામ અને ૩૫૫ પદોનો અર્થ આગળ પણ સર્વત્ર સમજી લેવો. હવે સંયમનો આવો Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રમણ ધર્મ સ્વીકાર અસંયમનાં અંગોન ત્યાગ કરવાથી થાય, તેમાં અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે, માટે કહે છે કે – ડબ્રહ્મ = બસ્તિકર્મનો અનિયમ તે અબ્રહ્મ અને તેથી વિપરીત ત્રહ્મ = બસ્તિકર્મના નિયમરૂપ બ્રહ્મ સમજવું. સમજપૂર્વક તે અબ્રહ્મનો ત્યાગ કરું છું અને બ્રહ્મ નો સ્વીકાર કરું છું. વળી અસંયમના અંગભૂત બન્યું = જાણી-સમજીને અત્યોનો ત્યાગ કરું છું. અને ત્યં કૃત્યોને સ્વીકારું છું. (એમ સર્વત્ર ત્યાગ અને સ્વીકાર સમજી લેવો.) ૩મજ્ઞાનં = સમ્યગુજ્ઞાનથી વિપરીત એવો અજ્ઞાનનો ત્યાગ અને જ્ઞાન = જિનવચનનો સ્વીકાર કરું છું. આ અજ્ઞાનના પ્રકારોનો ત્યાગ કરવા માટે કહે છે કે ઝિયાં = નાસ્તિકોના મતરૂપ અક્રિયાનો ત્યાગ અને ક્રિયા = આસ્તિકોના સમ્યગુવાદનો સ્વીકાર કરું છું. અજ્ઞાનનું મૂળ મિથ્યાત્વ છે, માટે તેનો ત્યાગ કરવા માટે કહે છે કે મિથ્યાત્વ = અતત્ત્વમાં રુચિનો ત્યાગ અને સર્વ = તત્ત્વપ્રીતિનો સ્વીકાર કરું છું. આ મિથ્યાત્વના અંગભૂત અબોધિ હોવાથી તેને માટે કહે છે કે મવધિ = મિથ્યાત્વના કાર્યરૂપ શ્રીજિનધર્મની અપ્રાપ્તિ તે અબોધિ કહેવાય છે, તેનો ત્યાગ અને વધિ = સમ્યકત્વના કાર્યરૂપ શ્રી જિનધર્મની પ્રાપ્તિરૂપ જે બોધિ, તેનો સ્વીકાર કરું છું. વળી મિથ્યાત્વ એ મોક્ષ માટેનો ઉન્માર્ગ છે, માટે બીજા પણ ઉન્માર્ગનો ત્યાગ કરતાં કહે છે કે - મા! = મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિ મોક્ષ માટેના ઉન્માર્ગનો ત્યાગ અને મ = સમ્યગ્દર્શન, પ્રશમ, સંવેગાંદિ સન્માર્ગનો સ્વીકાર કરું છું. વળી છદ્મસ્થ જીવ કેટલું યાદ કરે ? માટે સર્વ દોષોની શુદ્ધિ કરવા માટે કહે છે કે - યમ્મર જે કંઈ થોડું પણ મને સ્મૃતિમાં છે તે અને ય ન મરીન = જે છદ્મસ્થપણાને કારણે ઉપયોગના અભાવે મારી સ્મૃતિમાં નથી, તથા ય પ્રતિક્રમણ = ઉપયોગના કારણે જાણવામાં આવવાથી જેનું પ્રતિક્રમણ કર્યું તથા ય ને પ્રતિમામ = સૂક્ષ્મ જાણવામાં ન આવવાથી જેનું પ્રતિક્રમણ ન કર્યું, એમ જે કોઈ અતિચાર જાણવામાં હોય કે ન હોય તસ્ય સર્વસ્ય વૈ તિવીરસ્ય પ્રતિક્રમણ = તે દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. એમ પ્રતિક્રમણ કરીને પુન: પણ અકલ્યાણકર પ્રવૃત્તિનો પરિહાર કરવા પોતાની અવસ્થાનો (યોગ્યતાનો) વિચાર કરતો કહે છે કે શ્રમોડર્દ = તપ-સંયમમાં રક્ત હું શ્રમણ (સાધુ) છું, તેમાં પણ “ચરક' વગેરે અન્ય મિથ્યાદર્શનવાળો અસંયત નહિ, પણ સંયત: = સમસ્ત પ્રકારે યતનાવાનું પ્રમાદના પરિવાર માટે પ્રયત્નશીલ) છું. અને હવે પછી = વિરત: નિવૃત્ત થયો છું. અર્થાત્ ભૂતકાળના અતિચારોની નિંદા અને ભવિષ્યમાં સંભવિત અતિચારોનો સંવર(રોધ) કરતો હું તે અતિચારોથી અટક્યો છું. એ Page #183 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ = ત્યાગ કારણે પ્રતિહતં = વર્તમાનમાં પણ અકરણીય તરીકે પ્રત્યાહ્યાતપાપમાં કર્યો છે પાપકર્મોનો એવો હું સર્વ દોષ રહિત છું. તાત્પર્ય એ છે કે ભૂતકાળનાં પાપકર્મોનો નિંદા દ્વારા ત્યાગ અને ભવિષ્યમાં સંભવિતનો સંવરૂપે ત્યાગ કરેલો હોવાથી વર્તમાનમાં પણ હું પાપકર્મોના પચ્ચક્ખાણ(ત્યાગ) વાળો છું. વળી નિયાણું સંસારવૃદ્ધિનું મૂળ હોવાથી મોટો દોષ છે, માટે પોતે એ દોષથી રહિત છે એમ ભાવના ભાવતો કહે છે કે નિવાનઃ = હું નિયાણા રહિત છું. (અર્થાત્ આ નિગ્રંથ પ્રવચનની આરાધના કોઈ ઐહિક કે પારલૌકિક બાહ્ય સુખની ઇચ્છાથી કરતો નથી.) વળી સકલ ગુણોના મૂળભૂત ‘દર્શન’ પોતાનામાં છે એમ સમજતો કહે છે दृष्टिसम्पन्नः = ઃ હું સમ્યગ્દર્શનવાળો છું. હવે વંદન માટે જે કહેવાનું છે તે વંદન દ્રવ્યવંદન નથી, પણ ભાવવંદન છે તે માટે કહે છે કે માચામૃવિનિત: = માયા પૂર્વક અસત્ય બોલવું તે માયામૃષાવાદ, તેનો ત્યાગ કર્યો છે એવો હું, હવે શું કરું છું. તે કહે છે કે- “અડ્ડા,સું રીવસમુદ્દેસુ.પત્રરસસુમ્મમૂમીસુ ખાવંત, વિ સાહૂ रयहरणगुच्छपडिग्गहधारा पंचमहव्वयधारा अट्ठारससहस्ससीलंगधारा अक्खुयायारचरित्ता ते सव्वे सिरसा मसा मत्थएण वंदामि ।। " ૧૧૩ વ્યાખ્યા : અર્હુતૃતીયેષુ દ્વિપસમુદ્વેષુ = અઢી દ્વીપોમાં અને વચ્ચેના બે સમુદ્રોમાં, અર્થાત્ જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરાવર્તદ્વીપ અડધો, એમ અઢીદ્વીપો અને તેની વચ્ચેના લવણ તથા કાલોધિ નામના બે સમુદ્રોમાં, (અહીં સમુદ્ર કહેવાનું કારણ એ છે કે - કોઈ પ્રસંગે ચારણમુનિઓ વગેરે આકાશ માર્ગે પસાર થતા હોય ત્યારે સમુદ્રમાં પણ હોય, માટે અઢીદ્વીપમાં), તેમાં પણ પદ્મવશસુ = ૫-ભરત, ૫ઐરાવત, ૫-મહાવિદેહરૂપ પંદર ર્મભૂમિg = કર્મભૂમિઓમાં, યાવન્તઃ òચિત્તાધવ: = જે કોઈ સાધુઓ, સાધુધર્મનાં ઉપકરણો રખોરો જીવતભ્રધારાઃ = ૨જોહરણ, ગુચ્છા તથા પાત્રાને ધારણ કરનારા હોય. (ઉપલક્ષણથી સર્વ પાત્રનિયોંગ ધારણ કરનારા હોય). તથા પદ્મમહાવ્રતધરાઃ = પંચમહાવ્રતોના પ્રકર્ષને ધારણ કરનારા (પરિણામની વૃદ્ધિવાળા), વળી રજોહરણ વગેરેથી રહિત એવા ‘પ્રત્યેકબુદ્ધ’ વગેરે સાધુઓને પણ વંદન ક૨વા માટે કહે છે કે - અષ્ટાવાસહસ્રશીત્ઝા ધરા: = અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા. અઢાર હજાર શીલાંગ આ પ્રમાણે છે. “નોર્ રો સળા, ફૈવિય પુજવાડ્ (મૂરિ) સમળધમ્મે એ । સીણંસહસ્સાનું, अट्ठारसगस्स નિષ્કૃત્તૌ ।।૨૬-૩|| રાશ || ભાવાર્થ : મન-વચન-કાયા એ ત્રણ યોગોથી, ક૨વું-કરાવવું અને અનુમોદવું એ ત્રણ કરણથી, આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી, સ્પર્શેન્દ્રિય Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૧૭ આદિ પાંચ ઇન્દ્રિયોથી, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયો પાંચ, વિકલેન્દ્રિય ત્રણ અને સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય બે, એમ દસ પ્રકારના જીવોની, ક્ષમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શોચ, આકિંચન્ય (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારના યતિધર્મની રક્ષા કરવાથી (૩૪૩૪૪૪૫x૧૦x૧૦૩) ૧૮000 શીલ (આત્મધર્મ)ની રક્ષા થાય. આમ શીલાંગના અઢાર હજાર પ્રકારો છે. તેની ભાવના આ પ્રમાણે કરવી – આહારસંજ્ઞાથી મુક્ત, શ્રોત્રેન્દ્રિયથી સંવૃત્ત (શબ્દરૂપ વિષયના પરિહારવાળો), ક્ષમાવાનું, પૃથ્વીકાયના આરંભને, મનથી ન કરે, તે એક પ્રકાર. એ પ્રમાણે મૃદુતા ધર્મવાળાનો બીજો પ્રકાર, એમ દસ ધર્મના દશ પ્રકારો પૃથ્વીકાયની અપેક્ષાએ થાય. તેવી રીતે બાકીના નવ પ્રકારના જીવોના પણ દસ-દસ ગણતાં એક ઇન્દ્રિયના ૧૦૦ થાય. તેવી રીતે પાંચ ઇન્દ્રિયોને આશ્રયીને પાંચસો થાય, તે એક જ આહારસંજ્ઞાના થાય, એમાં બાકીની ત્રણ સંજ્ઞાના પંદરસો મેળવતાં કુલ બે હજાર થાય. તે એક મનોયોગના થયા, તે પ્રમાણે ત્રણે યોગનાં ગણતાં છ હજાર થાય. અને તે પણ સ્વયં કરવાના થયા, માટે તેમાં કરાવવા, અને અનુમોદવાના તેટલા-તેટલા મેળવતાં અઢાર હજાર થાય. ક્ષતાર વરિત્ર: = તેમાં આકાર એટલે સ્વરૂપ અને અક્ષત=અતિચારથી જેનું સ્વરૂપ દૂષિત નથી થયું એવા નિર્મલ ચારિત્રવાળા, તા સર્વાન્ = તે ગચ્છવાસી કે જિનકલ્પિકાદિ અગચ્છવાસી, સર્વને સિરસા = મસ્તકથી, મનસા = અંત:કરણથી અને મસ્તન વત્વે = હું મસ્તકથી વાંદું છું. એમ વચન દ્વારા ઉચ્ચાર કરીને, પુન: એ જ “વન્દ' પાઠથી (મન, વચન અને મસ્તક એટલે કાયાથી) ત્રિવિધ વંદન કરું છું. એમ અર્થ કરવો. એ રીતે સાધુઓને વાંદીને સામાન્યથી સર્વજીવોની ક્ષમાપના દ્વારા મૈત્રીભાવ દેખાડે છે કે- “વામિ.... IIT” = અર્થાત્ સર્વજીવોને હું નમાવું , સર્વ જીવો પણ મને ક્ષમા કરો, મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, કોઈની સાથે વૈર નથી. હવે પોતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવાપૂર્વક સૂત્રનું સમાપ્તિ મંગલ કરતાં કહે છે કે... “વિમર્દ... li૨ || = અર્થાત્ ઉપર સૂત્રમાં કહ્યા પ્રમાણે માત્રોચ્ચ = ગુરુની સમક્ષ (અતિચારોને) પ્રગટ કરીને, નિત્વિા = આત્મસાક્ષીએ પોતાના પાપકારી તે તે પર્યાયની નિંદા કરીને, ર્હત્વ = ગુરુ સાક્ષીએ પોતાના પાપની નિંદા કરીને, ગુપ્તત્વ = “એ પોપ પ્રવૃત્તિ દુષ્ટ છે.” એમ તેની દુર્ગછા કરીને, સખ્ય ત્રિવિધેન પ્રતિબંન્તિ: = સમ્યગ્ (સારી રીતે) મન-વચન-કાયાથી નિવૃત્તિ થયેલો હું વન્દ્ર નિનાનું ચતુર્વિશતિમ્ = ચોવીસ જિનેશ્વરોને વંદન કરું છું. Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આ આલોચના નિંદા, ગર્હા અને પ્રતિક્રમણનું ફલ અનુક્રમે (૧) શલ્યોનો ઉદ્ધાર (૨) પશ્ચાત્તાપ, (૩) અપુરસ્કાર (અનાદર-તિરસ્કાર) અને (૪) વ્રતોનાં છિદ્રોને ઢાંકવાં (વ્રતોને અખંડ બનાવવાં), વગેરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. ૧૧૮ ઉપર દૈવસિક પ્રતિક્રમણ (સૂત્ર) કહ્યું, રાઈ પ્રતિક્રમણ પણ એમ જ સમજવું, માત્ર ‘દૈવસિક’ ના સ્થાને ‘રાઈઅં’ શબ્દ કહીને રાત્રિના અતિચારો કહેવા. પ્રશ્ન : જો રાઈ પ્રતિક્રમણમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે, તો તેમાં ‘ફચ્છામિ પડિમિનું શોઞરપરિમાણ' વગેરે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે રાત્રે ગોચરીના દોષોનો સંભવ નથી. ઉત્તર : એવો એકાંત નથી; સ્વપ્ન વગેરેથી પણ ગોચરીના અતિચારોની રાત્રે પણ સંભાવના છે. અથવા સૂત્ર અક્ષત રાખવા માટે એ પાઠ બોલવાનો છે, જો એમ ન હોય તો યોગવહન કરનારા સાધુઓને પરઠવવા યોગ્ય આહાર વાપરવાનો અધિકાર નથી, તેમ છતાં તેઓએ પચ્ચક્ખાણમાં ‘રજ્ઞાળિયા રે' એ આગાર શા માટે ઉચ્ચા૨વો જોઈએ ? છતાં (પાઠ અખંડ રાખવા) તેઓ બોલે છે, તેમ આ પાઠ બોલવામાં પણ દોષ નથી. પાક્ષિકસૂત્ર અર્થ સહિત : હવે પાક્ષિકસૂત્રના અર્થ કહીશું. તેમાં પ્રારંભિક મંગલ માટે અરિહંતાદિને પ્રણામ કરતાં કહે છે કે " तित्थंकरे अतित्थे, अतित्थसिद्धे य तित्थसिद्धे य । સિદ્ધે નિળે ય રિસિ, મહિિસ (૪) નાાં ૪ વંવામિ ।।।।" વ્યાખ્યા : વમિ = વાંદું છું. (આ ક્રિયાપદ દરેક સાથે જોડવું.) કોને વાંદું છું ? તીર્થાન્ = વીતરાગ એવા તીર્થંકરોને, ('અ' થી ત્રણેકાળના તીર્થંકરોનો સંગ્રહ ક૨વો.) તીર્થાત્ = તીર્થભૂત ગણધરોને અથવા સંઘને અથવા દ્વાદશાંગીરૂપ આગમને, ઞતીર્થસિદ્ધાન્ તીર્થસિદ્ધાન્ સિદ્ધાંÆ = અતીર્થસિદ્ધોને, તીર્થસિદ્ધોને અને સિદ્ધોને (એટલે શેષ જિનસિદ્ધ-અજિનસિદ્ધ આદિ ભિન્ન-ભિન્ન પ્રકારે થયેલા સર્વસિદ્ધોને) આ બે સિદ્ધોનું સ્વરૂપ ‘સિદ્ધાણં બુદ્ધાણં' ના અર્થથી સમજી લેવું. બિનાન્ = સામાન્ય કેવલીઓને, ઋષી—મૂળ અને ઉત્તરગુણોથી યુક્ત સાધુઓને, મહર્ષોંન્ = એ સાધુઓમાં પણ જેઓ ‘અણિમા’ આદિ લબ્ધિવાળા હોય તેવા મહામુનિઓને, જ્ઞાનં = ‘મતિજ્ઞાન’ વગેરે પાંચ પ્રકારના જ્ઞાનને, એમ તીર્થંકરાદિ સર્વને વાંકું છું. વળી... " जे य इमं गुणरयणसायरमविराहिऊण तिण्णसंसारा । ते मंगलं करित्ता, अहमवि आराहणाभिहो ॥२॥" Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૧૯ વ્યાખ્યા : ૨ = જે મુનિઓ, રૂ રત્નસારે વિરાધ્ય ગુણરત્નોના સાગરતુલ્ય આ મહાવ્રતાદિની. આરાધનાને નિર્મલ રીતે આરાધીને, તીfસંસારી: = સંસાર સમુદ્રનો પાર પામ્યા છે તેઓ મંગલભૂત થાઓ ! મહમપ = હું પણ તાન્ મારું ઋત્વી = તે મુનિઓને મંગલ તરીકે સ્વીકારીને (ગુણરત્નોના સમુદ્ર સરખાં મહાવ્રતાદિની) ગીરવયનામિમુd: = આરાધના કરવા માટે એકચિત્ત થયો છું. પુન: અરિહંતોની અને ધર્મની આશિષરૂપ સ્વમંગલ માટે કહે છે કે"मम मंगलमरिहंता, सिद्धा साहू सुयं च धम्मो अ । खंती गुत्ती मुत्ती अजवया मद्दवं चेव ।।३।।" વ્યાખ્યા મર્દન્ત: = જિનેશ્વરો, સિદ્ધા: = પંદર પ્રકારે સિદ્ધિને પામેલા સિદ્ધો, સાધવ: = મુનિઓ, શ્રત = આગમ, ધર્મશ = સાધુ અને શ્રાવકના આચારરૂપ બે પ્રકારની વિરતિ, ક્ષત્તિઃ = ક્ષમા-સહનશીલતા, TH: = મન-વચન-કાયાના યોગોની ઉન્માર્ગથી રક્ષા, મુ9િ: = લોભનો અભાવ, ગાર્નવતા = નિષ્કપટભાવ-સરળતા, મર્વયં = નિર્મદપણું, એ ઉપર્યુક્ત અરિહંતાદિ = મમ મરું = મારુ મંગલ કરો ! હવે મહાવ્રતો (ઉચ્ચારેલાં છે, તેનું સ્મૃતિરૂપે પુન:) ઉચ્ચારણ કરે છે. "लोयंमि संजया जं करिति परमरिसिदेसियमुआरं । ગદવિ ટ્રિમો રં, દિબ્રડર વોર્ડ ૧૪” વ્યાખ્યા : ો = કર્મભૂમિઓરૂપ પંદર ક્ષેત્રોમાં સંયતા: = મુનિવરો, થર્વત્તિ = જે કરે છે, શું કરે છે? પરર્ષિતં = તીર્થંકરાદિએ પ્રરૂપેલું, કારં = અતિબલવાનું (શ્રેષ્ઠ), મહાવ્રતોચારH = પંચ મહાવ્રતોનું ઉચ્ચાર (કથન), તં તુંમ્ = તેને કરવાને મદHT = હું પણ ઉપસ્થિત: = તૈયાર થયો છું. એ પ્રમાણે ગુરુએ પ્રતિજ્ઞા કરવાથી શિષ્ય પૂછે છે અને ગુરુ ઉત્તર આપે છે કે___ “से किं तं महव्वयउच्चारणं (णा)? महव्वयउच्चारणा पंचविहा पण्णत्ता राईभोअणवेरमणछट्ठा, तं जहा-सव्वाओ पाणाइवायाओ वेरमणं १, सव्वाओ मुसावायाओ वेरमणं २, सव्वाओ अदिण्णादाणाओ वेरमणं ३, सव्वाओ मेहुणाओ वेरमणं ४, सव्वाओ परिग्गहाओ वेरमणं ५, सव्वाओ राईभोयणाओ वेरमणं ६ ।।" । વ્યાખ્યા : ' એટલે હવે પછી અને વિં પ્રશ્નાર્થક છે. અર્થાત્ શિષ્ય કહે છે કેમહાવ્રતોની તે ઉચ્ચારણા કેવી છે ? શિષ્યના આ પ્રશ્નનો ગુરુ ઉત્તર આપે છે કેમહાવ્રતોની ઉચ્ચારણા પાંચ પ્રકારની કહેલી છે, તેની સાથે “રાત્રિભોજનનો ત્યાગ” એ છઠ્ઠો પ્રકાર છે. તેને નામપૂર્વક જણાવવા માટે કહે છે કે – તદ્યથા = તે આ પ્રમાણે, (૧) સર્વન્માત્ = ત્રસ અને સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સર્વ જીવોની (હિંસા), તે પણ કરવી - કરાવવી અને અનુમોદવી, એમ ત્રણ કરણથી, પ્રાતિપાતાત્ = પ્રાણનો અતિપાત (હિંસા), તેનાથી વિરમમાંં = અટકવું (અર્થાત્ સર્વ પ્રકારે જીવોની હિંસાથી અટકવું તે પ્રથમ મહાવ્રત છે.) એ પ્રમાણે (૨) સર્વસ્માįષાવાદિરમÍ = ક્રોધ, લોભ, ભય કે હાસ્ય, એમાંના કોઈપણ હેતુથી બોલાતા મિથ્યાવચનથી અટકવું, (તે બીજું મહાવ્રત છે.) (૩) સર્વસ્માવવત્તાવાનાદિરમાં = દાંત ખોત૨વાની ઘાસની સળી જેવી કિંમત વિનાની .પણ વસ્તુ તેના માલિકે આપ્યા વિના લેવી તે અદત્તાદાન અર્થાત્ ચોરી, તેનાથી અટકવું (તે ત્રીજું મહાવ્રત છે.) (૪) સર્વસ્મામૈથુનદિરમાં = પુરુષે સ્ત્રીની (કે સ્ત્રીએ પુરૂષની અલ્પ) વાત માત્ર ક૨વા જેટલું પણ મૈથુન એટલે કે કામનો સંગ, તેનાથી અટકવું (તે ચોથું મહાવ્રત છે.) (૫) સર્વસ્માત્યરિગ્રહદિરમાં = સર્વ એટલે (બીજું વધારે તો દૂર રહ્યું, સંયમોપકારક વસ્તુમાં પણ) અલ્પમાત્ર મૂર્છા કરવારૂપ પરિગ્રહ, તેનાથી અટકવું (તે પાંચમું મહાવ્રત છે) અને (૩) સર્વસ્માદત્રિમોનનાદ્વિરમનં = સર્વ એટલે ‘દિવસે લાવેલું દિવસે વા૫૨વું’ ઇત્યાદિ પ્રકારો પૈકી કોઈ દૂષિત પ્રકારથી આહા૨ ક૨વારૂપ જે રાત્રિભોજન, તેનાથી અટકવું (તે છઠ્ઠું વ્રત છે.) આ રીતે નામથી કહીને તેના સ્વરૂપવર્ણનની સાથે પ્રથમ વ્રતનું વિસ્તારથી ઉચ્ચારણ કરે છે ૧૨૦ “तत्थ खलु पढमे भंते ! महव्वाएं पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पञ्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वां णेव सयं पाणे अइवाए (इ)ज्जा, णेवण्णेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अण्णे ण समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं - मणेणं वायाए कायाए, ण करेमि ण कारवेमि करंतं पि अण्णं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।” વ્યાખ્યા : તંત્ર = તે મહાવ્રતોના ઉચ્ચારણમાં વહુ = નિશ્ચયથી મવન્ત = હે ભગવંત ! પ્રથમ મહાવ્રતે પ્રાણાતિપાદિરમાં = પહેલા મહાવ્રતમાં સર્વથા જીવહિંસાથી અટકવું, સર્વ મવન્ત ! પ્રાણાતિપાત પ્રત્યાક્યામિ = હે ભગવંત ! પ્રાણાતિપાતને સર્વથા હું તજું છું. હવે આને જ વિશેષરૂપે કહે છે. સે સુન્નુમ વા = તે પાંચે ઇન્દ્રિયથી જાણી-જોઈ ન શકાય, માત્ર જ્ઞાનથી જાણી શકાય તેવા સૂક્ષ્મજીવને, વાવતું વા = ઇન્દ્રિયથી જાણી જોઈ શકાય તેવાને, ત્રસં વા = અગ્નિકાય-વાયુકાય આ (ગતિત્રસ) અને બેઇન્દ્રિથી પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને, સ્થાવરં વી = પૃથ્વી-પાણી-વનસ્પતિરૂપ ત્રણ એકેન્દ્રિયોને, નૈવ સ્વયં પ્રાળાન્ અતિપાતયામિ = હું સ્વયં તે (ઉપર કહેલા) જીવોને હણીશ નહિં. નેવાન્ય: પ્રાળાનું અતિવાતયામિ = Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૨૧ બીજાઓ દ્વારા એ જીવોને હણાવીશ નહિ. પ્રાણાતિપાતયતોડાત્ર સમન્નાનામિ = એ જીવોને હણતા બીજાઓને હું સારા જાણું નહિ (અનુમોદન કરીશ નહિ.) ક્યાં સુધી ? વાવઝીવં = જીવું ત્યાં સુધી. ત્રિવધૂ = ત્રણ પ્રકારની કરવા-કરાવવાઅનુમોદવારૂપ) હિંસાને, ત્રિવધૂન = ત્રણ કરણોથી (મન-વચન-કાયાથી) તજું છું. એ જ જણાવતાં કહે છે કે મનસા વીવ રાયન ન મ પરમ પૂર્વન્તમચં ન સમનુનાનામ = મન-વચન-કાયાથી કરું નહિ, કરાવું નહિ અને બીજો કરે તેની અનુમોદના કરું નહિ. તસ્સ = તે ત્રિકાળભાવિની હિંસા પૈકી ભૂતકાળની હિંસાનું મન્ત = હે ભગવનું ! પ્રતિમામ = પ્રતિક્રમણ કરું છું. હિંસાનું મિથ્યાદુષ્કત આપું છું. નિમિ = આત્મસાક્ષીએ નિંદા કરું છું. મ = પરસાક્ષીએ જુગુપ્સા કરું છું. એ નિંદા વગેરે કોની ? તે કહે છે કે માત્મા = હિંસા કરનાર મારા આત્માને (ભૂતકાલીન મારા આત્મપર્યાયને) કે જે પ્રશંસા કરવા યોગ્ય નથી, તેને વ્યુત્સુનામ = સર્વથા તજું છું. વળી પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ભેદે પ્રાણાતિપાતનું (હિંસાનું) પ્રતિક્રમણ કરવા માટે કહે છે કે “से पाणाइवाए चउव्विहे पन्नत्ते, तं जहा-दव्वओ खित्तओ, कालओ भावओ, दव्वओ णं पाणाइवाए छसु जीवनिकाएसु, खित्तओ णं पाणाइवाए सव्वलोए, कालओ णं पाणाइवाए दिया वा राओ वा, भावओ णं पाणाइवाए रागेणं वा दोसेण वा ।" વ્યાખ્યા : ૧ પ્રાણાતિપાતઋતુર્વિધ: પ્રજ્ઞH: = તે પ્રાણાતિપાત ચાર પ્રકારનો કહેલો છે, તથા = તે આ પ્રમાણે, દ્રવ્યત: ક્ષેત્રત: તિ: માવત: = (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી અને (૪) ભાવથી. તેમાં વ્યત: પ્રાણાતિપાત: પર્ફ નીવનિરુપણું = ( વાક્યની શોભા માટે છે.) તે પ્રાણાતિપાત દ્રવ્યથી છ જવનિકાયદ્રવ્યને વિષે, અર્થાત્ પૃથ્વીકાયાદિ છ કાયના જીવોમાંથી કોઈની પણ હિંસા કરવી તે દ્રવ્યપ્રાણાતિપાત. ક્ષેત્રત: પ્રતિપાત: સર્વો = એ હિંસા ક્ષેત્રની અપેક્ષાએ ચૌદ રાજલોક રૂપ સર્વલોકમાં, તિ: પ્રાણાતિપાતો વિવી વ રાત્રો વા = કાલની અપેક્ષાએ હિંસા દિવસે અથવા રાત્રીએ અને માવત: પ્રતિપાતો રાતે વા વેણ વા = ભાવની અપેક્ષાએ રાગથી અથવા વેષથી હિંસા. આમ ભેદપૂર્વક સ્વરૂપ કહીને ભૂતકાળમાં કરેલી તે હિંસાની વિશેષતયા નિંદા કરતાં કહે છે કે “जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालकखणस्स सञ्चाहिट्ठिअस्स विणयमूलस्स खंतिप(प्प)हाणस्स अहिरण्णसुवण्णिअस्स उवसमप्पभवस्स णवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तियस्स कुक्खिसंबलस्स णिरग्गिसरणस्स संपक्खालियस्स चत्तदोसस्स. गुणग्गाहियस्स निव्वियारस्स निव्व(वि)त्तिलक्खणस्स पंचमहव्वयजुत्तस्स असंणिहिसंचयस्स अविसंवाइयस्स Page #189 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ संसारपारगामियस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुव्विं अण्णाणयाए असवणयाए अबोहियाए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगुरुयाए चउक्कसाओवगएणं पंचिंदिय(ओ) वसट्टेणं पडिपुन्नभारियाए सायासोक्खमणुपालयंतेणं, इहं वा भवे अण्णेसु वा भवग्गहणेसु, पाणाइवाओ कओ वा काराविओ वा करंतो वा परेहिं समगुणाओ, तं निदामि गरिहामि तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, अईअं निंदामि पडुप्पण्णं संवरेमि अणागयं पच्चक्खामि सव्वं पाणाइवायं जावज्जीवाए, अणिस्सिओऽहं, नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणामि (णिज्जा), तं जहा - अरिहंतसक्खियं, सिद्धसक्खियं, साहुसक्खियं, देवसक्खियं, अप्पसक्खियं, एवं भवइ भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपञ्चकखाय पावकम्मे, दिया वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, एस खलु पाणाइवायस्स वेरमणे हिए सुए खमे निस्सेसिए आणुगामिए पारगामिए, सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं, अदुक्खणयाए असोयणा (णया)ए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरियावणयाए अणुद्दवणयाए महत्वे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसत्थे तं दुक्खक्खयाए कम्मक्खयाए मो(मु) क्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कट्टु उवसंपज्जित्ता णं विहरामि । पढमे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ।। १ ।। ” ૧૨૨ = व्याज्या : यो मयाऽस्य धर्मस्य = ( साधुना आया२३५ धर्म } ठेनां ‘देवसिप्रज्ञप्त' વગેરે બાવીસ વિશેષણો આગળ કહીશું, તેમાં પૂર્વે અજ્ઞાનતાદિ ચાર (કહીશું તે) કારણોથી અને પ્રમાદાદિ અગીયાર કારણોથી પ્રાણાતિપાત કર્યો હોય તેની નિંદા द्रुरुं छं. खेभ खाषा खासावाना वाड्यार्थनो संबंध भेडवो) यः = ४ प्राशातिपात मया = (अर्थात् प्रतिडाभङ पोते पोताने ४ए॥वे छेड़े भें) अस्य धर्मस्य = ॥ સાધુના આચારરૂપ સર્વવિરતિ ધર્મમાં, (તે ધર્મનું વિશેષ સ્વરૂપ કહે છે કે) (૧) केवलप्रज्ञप्त देवलज्ञानी उहेलो, (२) अहिंसालक्षणस्य = अहिंसा भेनुं लक्षएा छे. (3) सत्याधिष्ठितस्य = सत्य भेनो आधार छे. (४) विनयमूलस्य = भेनुं भूज विनय छे. (५) क्षान्तिप्रधानस्य = क्षमा मां मुख्य छे. (५) अहिरण्यसूवर्णस्य = હિરણ્ય (કાચું સોનું-રૂપું) અને સુવર્ણ (સોનૈયા કે ઘડેલું સોનું) જેમાં રાખી શકાતું नथी, (तेवा सर्व प्रारनां धन-धान्याहिना संग्रह रहित.) (७) उपशमप्रभवस्य = ઇન્દ્રિયોનો અને મનનો નિગ્રહ કરવારૂપ ઉપશમમાંથી જે પ્રગટ થાય છે. (૮) नवब्रह्मचर्यगुप्तस्य = नव प्रहारे ब्रह्मयर्यनी मां रक्षा उरवानी होय छे. (e) अपचमानस्य = ४ धर्मना खाराधो पाऊ (रसोई) जनावता नथी. अर्थात् आहार Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૨૩ પકાવવાની ક્રિયાના ત્યાગી સાધુઓ જેનું પાલન કરે છે. (૧૦) fમક્ષાવૃત્તિસ્ય = ભિક્ષાવૃત્તિથી જેમાં જીવવાનું છે. (૧૧) ક્ષિણ્વિસ્થ = સંયમ અને પ્રાણોના રક્ષણ માટે જેમાં માત્ર કુક્ષિપ્રમાણ જ ભોજન લેવાનું હોય છે, પણ જેમાં સંચય કરવાનો નથી. (૧૨) નિરનારનસ્ય (મર ચિ વ) = જેમાં (અતિ ઠંડીના પ્રસંગે પણ) અગ્નિનું શરણ કે સ્મરણ (ઇચ્છા) પણ કરવાનો નિષેધ છે. (૧૩) સંગક્ષત્રિતસ્ય = સર્વ કર્મમલનું જેનાથી પ્રક્ષાલન (નાશ) થાય છે. (૧૪) ત્યજીવસ્ય = રાગાદિ દોષોનો (અથવા દોષ એટલે દ્વેષનો) જેમાં ત્યાગ છે, એ કારણે જ (૧૫) Tળાદિસ્ય = જે ગુણોને ગ્રહણ કરાવે છે. (૧૬) નિર્વિવરસ્ય = જેમાં ઇન્દ્રિયોનો કે મનનો વિકાર (બાહ્ય ઇચ્છાઓનો ઉન્માદો નથી. (૧૭) નિવૃત્તિ×ક્ષાસ્ય = સર્વ પાપવ્યાપારોનો ત્યાગ એ જેનું લક્ષણ (ચિન્હ) છે (અથવા જે ધર્મ બાહ્ય સર્વ યોગોની નિવૃત્તિ કરાવે છે.) (૧૮) પંચમહથ્રિતયુસ્ય = જે ધર્મ પાંચ મહાવ્રતો રૂપ છે. (૧૯) સન્નિધિસઝયસ્ય = જેમાં લાડુ” વગેરે આહાર, પાણી, ખજૂરાદિ મેવો કે ફળફળાદિ ખાદિમ, અને હરડે આદિ ઔષધ વગેરે સ્વાદિમ કંઈ પણ રાત્રિએ રાખવારૂપ સન્નિધિનો સંચય (સંગ્રહ) કરાતો નથી. (૨૦) વિસંવાદિનઃ = જેનું નિરૂપણ (કે પ્રવૃત્તિ) દૃષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ નથી. (અર્થાતુ) જગતના પ્રત્યક્ષભાવોનું આત્માના ઇષ્ટસુખ મોક્ષને આપે તેવા ઉપાયોનું યથાર્થ અને યથેષ્ટ નિરૂપણ જેમાં કરેલું છે. (૨૧) સંસારપાર મન: = જે ધર્મ સંસારથી પાર ઉતારનારો છે. (૨૨) નિર્વાણ મિનપર્યવસાન = નિર્વાણ એટલે સર્વ દુઃખોના અભાવરૂ૫ મોક્ષ, તેની પ્રાપ્તિ એ જેનું અંતિમ ફલ છે. ઉપરોક્ત ૨૨ વિશેષણવાળા ચારિત્રધર્મની આરાધના કરતાં અજ્ઞાનતાદિ કારણે હિંસા કરી હોય, (એમ દરેક પદમાં કહેલી ષષ્ઠી વિભક્તિનો સંબંધ જોડવો.) હવે તેની આરાધના કરતાં શું કર્યું હોય ? તે કહે છે કે (૧) પૂર્વમજ્ઞાનતી = (તે ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી, (૨) શ્રવતિય = (ગુર્નાદિકના મુખે) નહિ સાંભળવાથી, (૩) અવધ્યા = (સાંભળવા છતાં યથાર્થરૂપે) નહિ સમજવાથી (૪) મનપાન = (સાંભળવા અને સમજવા છતાં) સમ્યગુપણે નહિ સ્વીકારવાથી, ૩મીમેન વી = સ્વીકારવા છતાં પ્રમાદ વગેરેથી (એમ ચાર નિમિત્તોથી જે જે પ્રાણાતિપાત કર્યો હોય, એમ સંબંધ જોડવો). હવે કયા હેતુથી પ્રાણાતિપાત કર્યો હોય ? તે પ્રમાદ વગેરે હેતુઓ (સાધનો) કહે છે - (૧) પ્રમાન = મદ્ય વગેરે પાંચ પ્રકારના અથવા આળસ વગેરે પ્રમાદ કરવા દ્વારા, (૨) રાષપ્રતિવદ્ધતયા = રાગ-દ્વેષની આકુળતાથી (વશ થઈને). Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૩) વસ્ત્રતયા = બાલબુદ્ધિ(મૂઢતા)થી, અથવા બાલકપણાથી. (૪) મોહંતયા = મિથ્યાત્વ વગેરે મોહનીયકર્મના ઉદયને આધીન થવાથી. (૫) તથા = કાયાની મંદતા (જડતા)થી આલસથી. () ડનવા = ક્રીડાપ્રિયતાથી (કુતૂહલપણાથી). (૭) ત્રિગોરવાહતયા = રસ, ઋદ્ધિ અને શાતા, એ ત્રણ ગારવના ભારેપણાથી (મદથી). (૮) તુષાયોપાતે = ક્રોધાદિ ચાર કષાયોના ઉદયને વશ થઈને (૯) પશેન્દ્રિયોપવીત્તેન = સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોની આધીનતાના કારણે આર્તધ્યાનને વશ થઈને. (૧૦) પ્રત્યુતંત્રમારિક(ત) = વર્તમાનકાલીન કર્મોના ભારેપણાથી, (૧૧) સાતસીધ્યમનુષત્ર્યિતા = શાતાકર્મના ઉદયથી મળેલાં સુખોને ગૃદ્ધિથી ભોગવતાં, અર્થાત્ સુખમાં મનને આસક્ત કરવાથી. (એમ અગીયાર હેતુઓથી) સ્મિનું વા ભવે = વર્તમાન જન્મમાં, મજેવુ વા મવBરીપુ=અથવા ભૂતકાળના અને ભાવિકાળના જન્મોમાં, પ્રાણાતિપાત તો વા કરતો વા ત્રિયમાણે વા પરે: સમનુજ્ઞાત: = જે પ્રાણાતિપાત સ્વયં કર્યો, બીજાઓ દ્વારા કરાવ્યો અથવા બીજાઓએ સ્વયં કરતાં તેને મેં સારો માન્યો અર્થાતુ એમાં સંમત થયો; તં નિમિ પર્દામિ =તે પ્રાણાતિપાતને આત્મસાક્ષીએ મેં તે ખોટું કર્યું એમ નિંદુ છું. પરસાક્ષીએ “મેં તે અયોગ્ય કર્યું એમ મારી દુષ્ટતાને કબૂલ કરું છું. - ગહ કરું છું. તે નિંદા-ગ કેવી રીતે ? ત્રિવિયં ત્રિવિધેન = કરવાકરાવવા અને અનુમોદવારૂપ ત્રિવિધ પ્રાણાતિપાતને, મનસા વાવ કાન = મનવચન-કાયા એ ત્રણ યોગોથી (નિંદા-ગહ કરું છું.) હવે ત્રણકાળ માટે પ્રાણાતિપાતનો ત્યાગ કરતો કહે છે કે- અતીત નિમિ = ભૂતકાલીન પ્રાણાતિપાતને નિંદુ છું. પ્રત્યુત્પન્ન સંવૃnfમ = વર્તમાનમાં પ્રાણાતિપાતને સંવરું (રોકું) છું. અને સનાત પ્રત્યાધ્યમ = ભવિષ્યમાં નહિ કરવાનું પચ્ચખાણ કરું છું. સર્વ પ્રાણાતિપાત = એમ સર્વ પ્રાણાતિપાતની નિંદા-સંવર અને પચ્ચકખાણ કરીને તેનો સૈકાલિક ત્યાગ કરું છું. (હવે ભવિષ્યના પચ્ચખાણને જ વિશેષરૂપમાં કહે છે કે-) વાવઝીવનિશ્રિતોડë = જીવું ત્યાં સુધી આશંસા રહિત એવો હું, નૈવ સ્વયં પ્રVIન્ તિપતિયામિ, નૈવા. પ્રાણાતિપાતર્યામ, પ્રાણાતિપતિયતોડણવા સમન્નાનામિ = સ્વયં પ્રાણોનો નાશ નહિ જ કરું, બીજાઓ દ્વારા પ્રાણોનો નાશ નહિ જ કરાવું અને પ્રાણનાશ કરનારા બીજાઓને સારા નહિ માનું. આ પચ્ચખાણ કોની કોની સાક્ષી પૂર્વક કરે છે તે કહે છે કે – તથા ગર્દત્સાક્ષિ, સિદ્ધસંક્ષિ, સાધુસંક્ષિ, રેવસર્જિ, માત્મસિદ્ધ = તે પચ્ચક્કાણ આ પ્રમાણે કરું છું. (૧) અરિહંતોની સાક્ષીએ અર્થાત્ ત્યાં ત્યાં રહેલા તીર્થંકરાદિ પોતાના કેવલજ્ઞાનરૂપ ચક્ષુથી મારા આ પચ્ચખાણને પ્રત્યક્ષ દેખે છે, Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૨૫ = માટે ‘તેઓની સાક્ષીએ' એમ તાત્પર્યથી અરિહંતોની સાક્ષીપૂર્વક કહી શકાય. (૨) સિદ્ધોની સાક્ષીએ, (૩) સાધુઓની સાક્ષીએ, (૪) દેવોની સાક્ષીએ, (૫) મારી સાક્ષીએ . i = આ પ્રમાણે પચ્ચક્ખાણ કરતે છતે મતિ મિક્ષુર્વા મિક્ષુજી વા = સાધુસાધ્વી થાય છે, કેવાં થાય છે ? સંયત-વિરત-પ્રતિહત-પ્રત્યાક્યાતપાપમાં = સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મોને જેમણે (એવાં થાય છે,) તેમાં સંયત = સત્તર પ્રકારના સંયમથી યુક્ત. વિરત = બાર પ્રકારના તપમાં રત, પ્રતિહત ઃ સ્થિતિનો હ્રાસ થવાથી ગ્રંથિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોનો વિનાશ કર્યો છે જેઓએ તથા પચ્ચક્ખાણ = (મિથ્યાત્વાદિ કર્મબંધના) હેતુઓના અભાવે પુન: વૃદ્ધિ ન થવારૂપે નીરાકૃત કર્યા છે. (દીર્ઘસ્થિતિવાળા કર્મો ન બંધાય તેવાં) જ્ઞાનાવરણીયાદિ કર્મોને કર્યા છે જેમણે, એવા થાય છે. હવે તે કેવી કેવી અવસ્થામાં ક્યારે ક્યારે તેવા થાય છે તે કહે છે- વિવા વા રાત્રો વા=દિવસે અથવા રાત્રે, અથવા સર્વકાળે; જો વા પર્વતો વા = કોઈ કા૨ણે એકાકી હોય ત્યારે અથવા સાધુની પર્ષદા (સમુહ)માં હોય ત્યારે પણ, સુપ્તો વા નાપ્રદા = રાત્રિના બે પ્રહર સુતા હોય ત્યારે કે શેષકાળે જાગતા હોય ત્યારે પણ, અર્થાત્ કોઈપણ અવસ્થામાં (તે સાધુ કે સાધ્વી સંયત-વિ૨ત-પ્રતિહત-પ્રત્યાખ્યાતપાપકર્મા બને છે.) હવે પ્રાણાતિપાતની ત્રણકાળની ત્રિવિધ-ત્રિવિધથી કરેલી આ વિરતિનો મહિમા વર્ણવે છે કે તત્ વહુ પ્રાળાતિપાતસ્ય વિમળ = તે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિશ્ચે હિત = હિતકર છે, સુત્તું = સુખ કરનાર છે, ક્ષમં = (સંસારથી) તા૨વામાં સમર્થ છે, વૈશ્રેસિમ્ = મોક્ષના કારણભૂત છે, आनुगामिकं = ભવોભવ સાથે રહેનાર, (અર્થાત્ વિરતિના સંસ્કારનો અનુબંધ ચાલવાથી અન્ય ભવોમાં પણ વિરતિને પ્રાપ્ત કરાવનાર) તથા પારામિર્ક = સંસારથી પાર ઉતારનાર છે. હવે તે હિતકર વગેરે કયા કા૨ણે છે તે કહે છે - સર્વેષાં પ્રાળાનામ્ = બે-ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા સર્વ જીવોને, સર્વેષાં મૂતાનામ્ = સર્વ વનસ્પતિકાય જીવોને સર્વેશં जीवानाम् = સર્વે પાંચ ઇન્દ્રિયવાળા જીવોને, સર્વેષાં સત્ત્વાનામ્ = સર્વ પૃથ્વીકાયાદિ જીવોને, અશોષનતા = શોકને ઉત્પન્ન નહિ કરવાપણાથી, અનૂરળતયા = જીર્ણ (અશક્ત) નહિ કરવાપણાથી (અર્થાત્ વૃષભાદિને અતિભાર ભરવાથી, આહાર નહિ આપવાથી, અંકુશ વગેરેના પ્રહારોથી અશક્ત-વૃદ્ધ બનતાં દેખાય છે માટે તેવું નહિ ક૨વાથી), અતેવનતયા = ખેદ વગેરે નહિ પમાડવાથી (પસીનો, લાળ, આંસુ વગેરે પડે તેવો પરિશ્રમ નહિ આપવાપણાથી), પીડનયા = પગ વગેરેથી પીડા નહિ કરવાથી, અરિતાપનતયા = (સર્વ પ્રકારના શારીરિક દુ:ખોરૂપ) સંતાપ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કરવાના અભાવથી, અનુપદ્રવળતય = સર્વથા મરણ (અથવા અતિત્રાસ) નહિ કરવાથી, હિતકર-સુખકર વગેરે ગુણોને કરનારું છે.) વળી પણ આ પ્રાણાતિપાત વિરમણ વ્રત કેવું છે ? તે કહે છે કે મહાઈ, મહાપુનું મહાનુભાવ મહાપુરુષાનવી પશિવં પ્રશસ્ત = મહા અર્થવાળું, મહાગુણસ્વરૂપ મહામહિમાવાળું, તીર્થકરાદિ મહાપુરુષોએ આચરેલું, તીર્થંકરાદિ પરમર્ષિઓએ ઉપદેશેલું છે અને (સકલ કલ્યાણને કરનારું હોવાથી) પ્રશસ્ત છે. તે પ્રાણાતિપાત વિરમણ મને દુ:વૃક્ષયાય; કર્મક્ષયાય, મોક્ષાય, વોધિત્રામાય, સંસારોત્તરીય = દુ:ખોના ક્ષય માટે, કર્મ ક્ષય માટે, મોક્ષ માટે, સમ્યકત્વની પ્રાપ્તિ માટે અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતારવા સહાયક થશે. કૃતિ સ્વી = એ કારણથી ૩પમ્પ વિદામ = તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અંગીકાર કરીને નવકલ્પી સાધુના વિહારથી વિચરું છું. કારણ કે એ રીતે નહિ વિચરવાથી વ્રતનો સ્વીકાર વ્યર્થ થાય છે. - હવે છેલ્લે વ્રતસ્વીકારની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે – પ્રથને પ્રવૃત્ત મહત્રિતે ૩પસ્થિતોડસ્મિ સર્વ પ્રાણાતિપાત વિરમr = હે ભગવંત ! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો છું. સર્વથા પ્રાણાતિપાતની વિરતિનો સ્વીકાર કરું છું. અહીં “હે ભગવંત” એવું આમંત્રણ આદિમાં, મધ્યમાં અને અંતમાં, એમ ત્રણ વાર કર્યું છે, તેનાથી ગુરુને પૂછયા વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું. એમ કરવાથી આ વ્રતની આરાધના થાય છે એમ સમજવું. આ વ્રત લઈને તેની વિરાધના કરનારાઓને “પભવમાં નરકમાં જવું, અલ્પ આયુષ્યવાળા થવું, બહુરોગી થવું, કદરૂપા થવું વગેરે દોષો સમજવા. હવે બીજા મહાવ્રતને કહે છે. બીજા મહાવ્રતના આલાપકમાં પ્રથમ મહાવ્રતના આલાપકથી જે વિશેષ છે તે જ કહેવાશે.) "अहावरे दु (दो)च्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं, सव्वं भंते ! मुसावायं पञ्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव सयं मुसं वइ(ए)ज्जा-नेवन्नेहिं मुसं वायावि(वे)ज्जा मुसं वयंतेवि अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत् ___ "से मुसावाए चउव्विहे पन्नत्ते, तं जहा-दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ णं मुसावाए सव्वदव्वेसु, खित्तओ णं मुसावाए लोए वा अलोए वा, कालओ णं मुसावाए दिया वा राओ वा, भावओ णं मुसावाए रागेण वा दोसेण वा, जं मए इमस्स०" शेषं पूर्ववत् __ "मुसावाओ भासिओ वा भासाविओ वा भासिज्जंतो वा परेहिं समणुनाओ, तं निंदामि" ત્યાદ્રિ - "सव्वं मुसावायं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं मुसं वइ(ए)ज्जा नेवन्नेहिं मुसं वायावि(वे)ज्जा मुसं वयंते वि अन्ने न समणुजाणिज्जा, तं जहा" शेषं पूर्ववत् । Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૨૭ “एस खलु मुसावायस्स वेरमणे हिए" शेषं प्राग्वत । “द(दो)च्चे भंते ! महव्वए उवडिओमि સળાગો મુસીવીયાગો વેરમr” iારા વ્યાખ્યા : હવે પહેલા મહાવ્રત) પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત ! સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક મૃષાવાદની વિરતિ કરવાની કહી છે, હે ભગવંત ! તે મૃષાવાદનું સર્વથા પચ્ચકખાણ (ત્યાગ) કરું છું. તે આ પ્રમાણે - ક્રોધથી, લોભથી, ભયથી અથવા હાસ્યથી (ક્રોધ અને લોભ કહ્યો માટે ઉપલક્ષણથી તેની વચ્ચેના માનથી અને માયાથી પણ, એમ કોઈ હેતુથી) હું સ્વયં મૃષા બોલીશ નહિ, બીજાને મૃષા (અસત્ય) બોલાવીશ નહિ. અને મૃષા બોલનારાઓને સારા માનીશ નહિ. - (તે પછીનો અર્થ પ્રથમ મહાવ્રત પ્રમાણે જાણવો.). આ મૃષાવાદ ચાર પ્રકારનો કહ્યો છે. (૧) દ્રવ્યથી-જીવ-અજીવ (ધર્માસ્તિકાય) આદિ સર્વ દ્રવ્યોમાં વિપરીત બોલવથી, (૨) ક્ષેત્રથી - લોક-અલોકના વિષયમાં વિપરીત બોલવાથી. (૩) કાળથી અને (૪) ભાવથી (વગેરે તે પછીના અર્થો પ્રથમ મહાવ્રતમાં કહ્યા પ્રમાણે જાણવા.) એ મૃષાવાદ હું બોલ્યો અથવા બીજા પાસે મૃષાવાદ બોલાવ્યું, કે બોલનારા બીજાઓને મેં મારા માન્યા” વગેરે સઘળા અર્થો પ્રથમ મહાવ્રત પ્રમાણે. જ્યાં પ્રાણાતિપાત છે ત્યાં મૃષાવાદ માનીને તે અર્થ સમજવો. હવે ત્રીજા મહાવ્રતમાં પ્રથમ મહાવ્રતથી જે ભિન્નતા છે તે જ કહે છે કે "अहावरे तच्चे भंते ! महव्वए अदिनादाणाओ वेरमणं, सव्वं भंते अदिन्नादाणं पञ्चक्खामि, से गामे वा नगरे वा रणणे (अरन्ने) वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा,णेव सयं अदिन्नं (ण्णं) गिण्हिज्जा नेवन्नेहिं अदिन्नं (ण्णं) गिण्हाविज्जा अदिन्नं (ण्णं) गिण्हंतेवि अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत् से अदिनादाणे चउव्विंहे पण्णत्ते, तं जहा = दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ णं अदिन्नाणे गहणधारणिज्जेसु दव्वेसु खित्तओ णं अदिन्नादाणे गामे वा नगरे वा रण्णे (अरन्ने) वा कालओ०" इत्यादि पूर्ववत् "अदिन्नादाणं गहिअं वा गाहाविअं वा घिप्पंतं वा परेहिं समणुन्नायं” शेषं पूर्ववत् । “सव्वं अदिन्नादाणंजावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं अदिण्णं गिण्हिज्जा नेवन्नेहिं अदिण्णं गिण्हाविज्जा अदिण्णं गिण्हंतेवि अने न समणुजाणिज्जा" शेषं पूर्ववत् “एस खलु अदिन्नादाणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् “तच्चे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं" ।।३।। વ્યાખ્યા : “હવે પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત ! શ્રી જિનેશ્વરોએ માલિકે આપ્યા વિનાનું કંઈ પણ લેવાનો (અદત્તાદાનનો) નિષેધ (એટલે વિરતિ) કહેલો છે, હે ભગવંત ! તે માલિકે આપ્યા વિનાનું કંઈપણ લેવાનો હું સર્વથા ત્યાગ કરું Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ છું. તે આ પ્રમાણે ગામમાં, નગરમાં, કે અરણ્યમાં કોઈપણ સ્થળે, થોડું કે ઘણું, નાનું કે મોટું, સજીવ કે નિર્જીવ, કોઈપણ પદાર્થ માલિકના આપ્યા વિનાનું સ્વયં લઈશ નહિ, બીજા દ્વારા લેવરાવીશ નહિ કે સ્વયમેવ લેનારા બીજા કોઈને હું સારા માનીશ નહિ, માવજજીવ સુધી” વગેરે તે પછીનો અર્થ પહેલા મહાવ્રત પ્રમાણે. તે અદત્તાદાનના માલિકે આપ્યા વિનાનું લેવાના) ચાર પ્રકારો આ પ્રમાણે છે. (૧) દ્રવ્યથી અદત્તાદાન = જે લેવા યોગ્ય કે પાસે રાખવા યોગ્ય હોય તેવા દ્રવ્યને લેવું. (એમ કહેવાથી ચાલવામાં, સ્થિર થવામાં કે બીજા જીવને વ્યવહારોમાં ઉપયોગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યનો ઉપયોગ કરવા છતાં તેને ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હોતાં નથી, માટે તેને અંગે અદત્તાદાન દોષ ન લાગે. એમ સમજવું.) (૨) ક્ષેત્રથી = ગામમાં, નગરમાં કે અરણ્યમાં (અટવી, જંગલ-વન વગેરે વસતિ બહારના ક્ષેત્રમાં) કોઈપણ સ્થળે, કાળથી અને ભાવથી પ્રથમ મહાવ્રત પ્રમાણે જાણી લેવું.” તે અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું અથવા બીજાએ ગ્રહણ કર્યું હોય તેને સારું માન્યું” વગેરે પછીનો અર્થ પણ પૂર્વે પ્રમાણે. જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ સર્વ અદત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ, અને બીજા ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ” વગેરે અર્થ પ્રથમ મહાવ્રત પ્રમાણે. “નિચ્ચે આ અદત્તદાનનો ત્યાગ હિતકારી છે.” વગેરે પૂર્વ પ્રમાણે, “હે ભગવંત ! હું આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયો છું. સર્વથા અદત્તાદાનના ત્યાગને (વિરતિને) સ્વીકારું છું.” હવે ચોથા મહાવ્રતમાં જે વિશેષ છે તે કહેવાય છે. "अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते ! मेहुणं पञ्चक्खामि, से दिव्वं वा माणुस्सं वा तिरिक्खजोणियं वा, णेव सयं मेहूणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि०" शेषं पूर्ववत् “से मेहुणे चउब्विहे." शेषं पूर्ववत् । दव्वओ णं मेहुणे रूवेसु वा रूवसहगएसु वा, खित्तओ णं मेहुणे उड्ढलोए वा अहोलोए वा तिरियलोए वा" शेषं पूर्ववत् । “मेहुणं सेविअं वा सेवाविअं वा, सेविजंतं वा, परेहिं समणुन्नायं" शेषं पूर्ववत् । “सव्वं मेहणं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं मेहणं सेविज्जा नेवन्नेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवंतेवि अन्ने न समणुजाणिज्जा," शेषं पूर्ववत् । “एस खलु मेहुणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् । “चउत्थे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ મેમો વેરમ” II૪ વ્યાખ્યા : હવે તે પછીના ચોથા મહાવ્રતમાં શ્રી જિનેશ્વરોએ મૈથુનથી વિરામ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૨૯ (વિરતિ) કરવાનું કહ્યું છે. હે ભગવંત ! તે સર્વ મૈથુનનો હું ત્યાગ કરું છું. તેમાં દેવ-દેવીના વૈક્રિય શરીર સંબંધી, મનુષ્ય સ્ત્રી કે પુરૂષના શરીર સંબંધી અને તિર્યંચજીવોના શરીર સંબંધી, એમ કોઈપણ મૈથુનને હું સ્વયં સેવું નહિ, બીજા દ્વારા સેવરાવું નહિ, કે બીજા સ્વયં સેવનારાઓને પણ હું સારા માનું નહિ, (એ મર્યાદા મારે) જાવજીવ સુધી છે” વગેરે પૂર્વવત્. “તે મૈથુન ચાર પ્રકારનું છે. દ્રવ્યથી-ક્ષેત્રથી-કાલથી અને ભાવથી.” “તેમાં દ્રવ્યથી મૈથુન રૂપોમાં અર્થાત્ નિર્જીવ પ્રતિમાઓમાં અથવા જેને આભૂષણાદિ ન હોય તેવાં રૂપો-ચિત્રોમાં આસક્તિ, તથા “રૂપ સહગતમાં” એટલે સજીવ સ્ત્રીપુરુષનાં શરીરોમાં, અથવા આભૂષણ-અલંકારાદિ શોભાવાળાં (ચિત્રાદિ) રૂપોમાં, ક્ષેત્રથી મૈથુન ઉર્ધ્વલોક, અધોલોક કે તિńલોકમાં (ત્રણે લોકમાં) કાળથી અને ભાવથી પૂર્વવત્ જાણવું. “તે મૈથુન સેવ્યું હોય, સેવરાવ્યું હોય કે બીજા સ્વયં સેવનારાઓને સારા માન્યા હોય, તેને નિંદુ છું.” વગેરે પૂર્વવત્. “જીવું ત્યાં સુધી આશંસા વિનાનો હું તે સર્વ મૈથુનને સ્વયં સેવીશ નહિ, બીજા દ્વારા સેવરાવીશ નહિ, બીજા સેવનારાઓને સારા માનીશ નહિ.” વગેરે પૂર્વવત્. “નિશ્ચે આ મૈથુનનો ત્યાગ હિતકર છે.” વગેરે પૂર્વવત્. “હે ભગવંત ! આ ચોથા મહાવ્રત માટે ઉપસ્થિત થયો છું. એ કા૨ણે સર્વથા મૈથુનના ત્યાગને હું સ્વીકારું છું.” 44 હવે પાંચમા મહાવ્રતમાં આવતી વિશેષતા તથા તેનો અર્થ: “અન્નાવરે પંચમે મંતે ! महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते! परिग्गहं पच्चक्खामि, से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं परिग्गहं परिगिण्हिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हंतेवि अन्ने न समणुजाणामि” शेषं पूर्ववत् । " से परिग्गहे चउ०” शेषं पूर्ववत् । “दव्वओ णं परिग्गहे संचित्ताचित्तमीसेसु दव्वेसु, खित्तओ णं परिग्गहे सव्वलोए, कालओ णं परिग्गहे दिआ वा राओ वा, भावओ णं परिग्गहे अपग्घे वा महग्घे वा रागेण वा दोसेण वा” शेषं पूर्ववत् । “परिग्गहो गहिओ वा गाहाविओ वा घिप्पंतो वा परेहिं समणुन्नाओ" शेषं पूर्ववत् । “सव्वं परिग्गहं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं परिग्गहं परिगिण्हिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हंतेवि अन्ने न समणुजाणिज्जा ० ।” शेषं पूर्ववत् । “एस खलु परिग्गहस्स वेरमणे हिए० " शेषं पूर्ववत् । पंचमे भंते उवट्ठिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं ।।५।। વ્યાખ્યા : “હવે તે પછીના પાંચમાં મહાવ્રતોમાં શ્રીજિનેશ્વરોએ પરિગ્રહથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વિરામ પામવાનું કહ્યું છે. હે ભગવંત ! હું તે સર્વ પરિગ્રહનો ત્યાગ કરું છું. (તે આ પ્રમાણે) થોડા કે ઘણા, નાના કે મોટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કોઈપણ પદાર્થમાં હું સ્વયં પરિગ્રહ (મૂર્છા) કરીશ નહિ, બીજાઓને તેવો પરિગ્રહ (મૂર્છા) કરાવીશ નહિ, અને બીજા કોઈ સ્વયમેવ પરિગ્રહ કરનારાને સારો માનીશ નહિ” વગેરે પૂર્વવત્. “તે પરિગ્રહ ચાર પ્રકારનો છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી.” “તેમાં દ્રવ્યથી સજીવ (સ્ત્રી વગેરે), નિર્જીવ (ઘરેણાં આભૂષણ વગેરે) અને મિશ્ર (= સાલંકાર સ્ત્રી વગેરે), એવા કોઈ પદાર્થોમાં (પાક્ષિક સૂત્રની ટીકાના આધારે ‘આકાશ’ વગેરે સર્વ દ્રવ્યોમાં) મૂર્છા કરવી તે દ્રવ્યરિગ્રહ. ક્ષેત્રથી-સર્વ (ચૌદરાજ) લોકમાં, કારણકે આકાશ વગેરે સર્વ પદાર્થોમાં મૂર્છા કરી શકાય છે. પાઠાંતરે લોકાકાશમાં અને અલોકાકાશમાં પણ મમત્વ કરવું તે ક્ષેત્રપરિગ્રહ. કાળથી દિવસે કે રાત્રે અર્થાત્ સર્વ કાળે અને ભાવથી અલ્પમૂલ્ય કે બહુમૂલ્ય કોઈ પદાર્થમાં કે રાગથી કે દ્વેષથી (પ્રીતિ કે અપ્રીતિથી) મમત્વ કરવું તે ભાવપરિગ્રહ.” શેષ પૂર્વવત્. “એ પરિગ્રહ મેં ગ્રહણ કર્યો, બીજા દ્વારા ગ્રહણ કરાવ્યો કે સ્વયં ગ્રહણ કરતાં બીજાને સારો માન્યો હોય, તેને નિંદુ છું.” શેષ પૂર્વવત્. “યાવજ્જીવ સુધી આસક્તિ વિનાનો હું સ્વયં સર્વ (કોઈપણ) પરિગ્રહને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ. અને બીજા પરિગ્રહ ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ,” શેષ પૂર્વવત્. “આ પરિગ્રહની વિરતિ નિશ્ચે હિતકારી છે.” વગેરે પૂર્વવત્. “હે ભગવંત ! હું આ પાંચમા મહાવ્રતને પાળવા માટે ઉપસ્થિત (તૈયા૨) થયો છું. સર્વથા પરિગ્રહથી વિરામ (કોઈપણ પદાર્થની મૂર્છાનો ત્યાગ) કરું છું.” (૫) હવે છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતમાં જે વિશેષ છે તે કહે છે- “અન્નાવરે છઠ્ઠું भंते ! वए राईभोयणाओ वेरमणं, सव्वं भंते ! राईभोयणं पक्खामि से असणं वा पाणं वा खाइमं वा साइमं वा णेव सयं राई भुंजिज्जा, नेवन्नेहिं राई भुंजाविज्जा, राई भुंजंतेवि अन्ने न समणुजाणामि०" शेषं पूर्ववत् । " से राई भोयणे चउ० " शेषं पूर्ववत् । " दव्वओ णं राईभोयणे असणे वा पाणे वा खाइमे वा साइमे वा, खित्तओ णं राईभोयणे समयखित्ते, कालओ णं राईभोयणे दिआ वा राओ वा, भावओ णं राईभोयणे तित्ते वा कडुए वा कसाइले (कसाए) वा अंबिले वा महुरे वा लवणे वा रागेण वा दोसेण वा०" शेषं पूर्ववत् । "सव्वं राईभोयणं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं राई भुंजिज्जा नेवन्नेहिं राई भुंजाविज्जा राई Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ,, भुंजंतेवि अन्ने न समणुजाणिज्जा." शेष पूर्ववत् । “एस खलु राईभोयणस्स वेरमणे हि ० ' शेषं पूर्ववत् । “छट्ठे भंते ! वए उवट्ठिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं" ।। ६६ ।। વ્યાખ્યા : “હવે તે પછીના છઠ્ઠાવ્રતમાં શ્રીજિનેશ્વરોએ રાત્રિભોજનનો વિરામ=ત્યાગ કહેલો છે, હે ભગવંત ! હું ‘રાત્રે ગ્રહણ કરેલુ રાત્રે વાપરવું’ વગેરે (પૂર્વે કહેલા ચાર ભાંગાવાળા) સર્વ રાત્રિભોજનનો ત્યાગ કરું છું. (તેની મર્યાદા આ પ્રમાણે-) અશન, પાણી, ખાદિમ કે સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે ભોજન કરીશ નહિ, બીજાઓને રાત્રિએ ભોજન કરાવીશ નહિ અને બીજા સ્વયં રાત્રિભોજન કરનારાઓને સારા માનીશ નહિ, તે આ પ્રમાણે.” ઇત્યાદિ પૂર્વવત્ “તે રાત્રિભોજન ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે” વગેરે પૂર્વવત્ “તેમાં દ્રવ્યથી-રાત્રિભોજન અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ, એ ચાર પ્રકારના આહાર પૈકી કોઈ વસ્તુ ખાવી તે દ્રવ્યથી રાત્રિભોજન, ક્ષેત્રથી મનુષ્યલોકમાં (કારણ કે રાત્રિ ત્યાં જ હોય છે. મનુષ્યલોક સિવાય રાત્રિ-દિવસનો વ્યવહાર બીજે નથી), કાળથી - દિવસે કે રાત્રે. ભાવથી - કડવું, તીખું, તુરું, ખાટું, મીઠું કે ખારું, કોઈપણ ઇષ્ટ-અનિષ્ટ સ્વાદ પ્રત્યે રાગ કે દ્વેષ કરવાપૂર્વક ભોજન કરવું તે ‘ભાવથી' રાત્રિભોજન કહેવાય.” ઇત્યાદિ પૂર્વવત્ “એ રાત્રિભોજન સ્વયં કર્યું (ખાધું), બીજાને કરાવ્યું અથવા બીજાઓએ કરેલા રાત્રિભોજનને સારું માન્યું, તેને નિંદું છું.” વગેરે પૂર્વવત્ ,, “જાવજ્જીવ સુધી આશંસા વિનાનો હું સર્વ રાત્રિભોજનને સ્વયં કરીશ નહિ, બીજાઓને રાત્રિભોજન કરાવીશ નહિ, અને બીજા રાત્રિભોજન કરનારાઓને સારા માનીશ નહિ” ઇત્યાદિ “આ રાત્રિભોજનની વિરતિ નિયમા હિતકારી છે.” વગેરે પૂર્વવત્ “હે ભગવંત ! હું આ છટ્ઠાવ્રતમાં (પાલનમાં) ઉપસ્થિત (તૈયા૨) થયો છું, એ કારણે સર્વ(પ્રકારના) રાત્રિભોજનનો હું વિરામ (ત્યાગ) કરું છું.” (૩) ૧૩૧ હવે એ સર્વ (છ એ) વ્રતોની એક સાથે ઉચ્ચારણા કરે છે કે - “इच्चेइयाई पंचमहव्वाइं राईभोयणवेरमणछट्ठाई ઞત્તદિગઢ્ઢવાણ (ક્રાÇ) વસંપ્રિત્તા નં વિદામિ ।।" વ્યાખ્યા : એ ઉપર જણાવ્યા તે પાંચ મહાવ્રતો કે જેની સાથે રાત્રિભોજન વિરમણ વ્રત છઠું છે, તે વ્રતોનો હું મારા આત્માના હિત માટે સમ્યક્ સ્વીકા૨ કરીને વિચરું (પાલન કરું) છું. હવે ક્રમશ: તે મહાવ્રતોના અતિચારોને કહે છે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ अप्पसत्था य जे जोगा, परिणामा य दारुणा । पाणाइवायस्स वेरमणे, एस कुत्ते अइक्कमे ||१|| વ્યાખ્યા : અજયણાથી ચાલવું વગેરે અપ્રશસ્તાથ યે યો: = હિંસાજનક વ્યાપારો (પ્રવૃત્તિ) અને પરિળામાશ્ચ વાળા: = દારુણ પરિણામોને એટલે જીવોને હણવાના રૌદ્ર (ધ્યાનરૂપ જે) અધ્યવસાયો, તેને પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતોમાં અંતિમ = અતિચાર કહેલો છે. (માટે તેને તજવો જોઈએ) એમ માનીને તે અતિચારોને તજે. तिव्वरागा य जा भासा तिव्वदोसा तहेव य । मुसावायस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ।।२।। વ્યાખ્યા : તીવ્રરા = ઉત્કટ વિષયના રાગવાળી જે ભાષા; તથા તીવ્રદેા—ઉગ્ર મત્સરવાળી જે ભાષા, (અર્થાત્ ઉત્કટ રાગ કે દ્વેષ પૂર્વક બોલાતું વચન), તેને મૃષાવાદવિરમણ મહાવ્રતમાં અતિમઃ = અતિચાર કહ્યો છે. (માટે તેને તજવો જોઈએ), એમ માનીને. તજે (૨) उग्गहं सि आजाइत्ता, अविदिन्ने य उग्गहे । अदिन्नादाणस्स वेरमणे, एस वृत्ते अइक्कमे || ३ || વ્યાખ્યા : ઝવપ્રદં = અવિા = માલિક પાસેથી (કે તેને જેને ભળાવ્યું હોય તેવા બીજા પાસેથી) અવગ્રહની (ઉપાશ્રય-આશ્રયની) યાચના કર્યા વિના (અનુમતિ મેળવ્યા વિના) તેમાં રહેવું, તથા અવિવજ્ઞે વા સવપ્રદે = તથા પ્રતિનિયત (મેળવેલા) અવગ્રહની (જગ્યાની) હદ બહાર (જે જગ્યા, તેના માલિકે વા૫૨વાની સંમતિ ન આપી હોય ત્યાં) ચેષ્ટા કરવી (તેનો ઉપયોગ કરવો), તેને અદત્તાદાનવિરમણ વ્રતમાં અતિમઃ = અતિચાર કહેલો છે, એમ માનીને તે અતિચારોને તજે. (૩) सद्दा रूवा रसा गंधा - फासाणं पवियारणा । मेहुणस्स वेरमणे एस वुत्ते अक्कमे ।। ४ ।। વ્યાખ્યા : રાજ્વરુપરસન્ધિસ્પર્શનાર્ = શ્રેષ્ઠ શબ્દો, રૂપો, રસો, ગંધો અને સ્પર્શોની પ્રતિારા = ૨ાગપૂર્વક સેવા કરવી (ભોગવવા), તેને મૈથુનવિરમણ મહાવ્રતમાં અતિચાર કહ્યો છે, એમ માનીને તજે. (૪) इच्छा मुच्छा य गेही य, कंखा लोभे अ दारुणे । परिग्गहस्स वेरमणे, एस वुत्ते अक्कमे ।। ५ ।। વ્યાખ્યા : રૂા = ભવિષ્યમાં કોઈ અમુક પદાર્થ મેળવવાની પ્રાર્થના, મૂર્છા = = અને ચોરાઈ ગયેલા કે નાશ પામેલા પદાર્થનો શોક, વૃદ્ધિથ = વિદ્યમાન પરિગ્રહમાં (પદાર્થમાં) મમત્વ, ઝાડક્ષા = વર્તમાનમાં નહિ મળેલા વિવિધ પદાર્થોની Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૩૩ પ્રાર્થના, તે સ્વરૂપ લોભ તે કાંક્ષા, તે કેવો ? તારુણ: = રૌદ્ર (રૌદ્રધ્યાનના કારણભૂત અતિઉત્કટ) એ ઇચ્છા મૂચ્છ, ગૃદ્ધિ અને દારુણ કાંક્ષારૂપ લોભ, એ સર્વ પરિગ્રહવિરમણ મહાવ્રતમાં અતિચાર કહેલો છે. એમ માનીને તેને તજે. (૫) अइमत्ते अ आहारे, सूरखित्तंमि संकिए । राईभोयणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ।।६।। વ્યાખ્યા : તિમાત્ર આહાર: = રાત્રે સુધા લાગવાના ભયથી દિવસે ઘણો આહાર લેવો. તથા સૂરક્ષેત્રે હૂિર્ત = સૂર્યનો ઉદય કે અસ્ત થયો કે નહિ ? એવી શંકા હોવા છતાં આહાર લેવો, તે રાત્રિભોજનવિરમણ વ્રતમાં અતિચાર છે, એમ સમજી તેને તજે. (૯) , આ રીતે છ વ્રતોના અતિચાર કહ્યા, હવે તેની રક્ષાનો ઉપાય કહે છે. दसणनाणचरित्ते अविरहित्ता ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे विरयामो पाणाइवायाओ ।।१।। વ્યાખ્યા : ટર્શનનવરિત્રવિરાધ્ય = દર્શન-જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના (અવિરાધિત), શિતઃ શ્રમધર્મે = સાધુ ધર્મમાં સ્થિર થયેલો હું, પ્રથ વ્રતમ્ અનુરક્ષક = પહેલા વ્રતનું કોઈ અતિચાર ન લાગે તેમ રક્ષણ (પાલન) કરું છું. કેવો હું ? વિરતોડગ્નિ પ્રતિપાતાત્ = સર્વથા પ્રાણાતિપાતથી (હિંસાથી) વિરામ પામેલો હું છું. અર્થાત્ રત્નત્રયીનું યથાર્થ પાલન કરતો, શ્રમણ ધર્મમાં નિશ્ચલ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું કોઈ પણ અતિચાર ન લાગે તેમ પહેલા મહાવ્રતનું રક્ષણ (પાલન) કરું છું. दंसण० । बीअं वयमणुरक्खे, 'विरयामो मुसावायाओ ।।२।। दंसण० । तइयं वयमणुरक्खे, विरयामो अदिनादाणाओ ।।३।। दंसण० । चउत्थं वयमणुरक्खे, विरायमो मेहुणाओ ।।४।। दंसण० । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ।।५।। વંસTo I છેટું વયમપુર, વિરવાનો રામાયUTગો માદા વ્યાખ્યા : બાકીની આ પાંચ ગાથાઓનો અર્થ પણ ઉપર પ્રમાણે સમજી લેવો. માત્ર બીજી ગાથામાં “મૃષાવાદથી વિરામ પામેલો', ત્રીજી ગાથામાં “અદત્તાદાનથી વિરામ પામેલો” ચોથી ગાથામાં મૈથુનથી, પાંચમી ગાથામાં પરિગ્રહથી અને છઠ્ઠી ગાથામાં રાત્રિભોજનથી વિરામ પામેલો છું. આ રીતે ફેરફાર કરીને દરેક ગાથાનો અર્થ કરી લેવો. તે વ્રતોના રક્ષણના બીજા ઉપાયો જણાવતાં કહે છે કે "आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ।।१।। Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ आलय० । बीयं वयमणुरक्खे, विरयामो मुसावायाओ ।।२।। आलय० । तइयं वयमणुरक्खे, विरयामो अदिनादाणाओ ।।३।। आलय० । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ।।४।। आलय० । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ।।५।। ગાય છેટું વયમ, વિરામો રામવાનો દા. आलय० । तिविहेण अप्पमत्तो, रक्खामि महव्वए पंच ।।७।। વ્યાખ્યા : મારુ: = આલયવર્તી, અર્થાત્ સ્ત્રી, પશું, નપુંસક વગેરે જ્યાં નથી એવા સકલદોષ રહિત સ્થાનમાં રહેલો હું’ એ પ્રમાણે વિહાર : આગમોક્ત નવકલ્પી વિહારથી વિચરતો હું, સમતઃ = ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિનું પાલન કરવાથી “સમિત” એવો હું, યુ$: = “પરિસહો સહવા માટે ગુરુકુલવાસ સેવવો” વગેરે સાધુના ગુણોથી યુક્ત એવો હું, TH: = ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી ગુપ્ત” એવો હું, તિ: શ્રમUTધર્મે = ક્ષમાદિ દસ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર એવો હું, પ્રથમં તમનરક્ષમ, વિરતોડ િપ્રાણાતિપાતા = પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું, પહેલા મહાવ્રતનું અતિચારોથી સંપૂર્ણ રક્ષણ કરું છું. (૧) છે એ પ્રમાણે જ ગાથા-રથી ૯ સુધીના અર્થ પૂર્વે કહ્યા તે પ્રમાણે સમજી લેવા. સાતમી ગાથાના પૂર્વાર્ધનો અર્થ પણ ઉપર જણાવ્યો તેમ કરવો, ઉત્તરાદ્ધમાં વિશેષ છે, તે આ પ્રમાણે-ત્રિવિધેન = મન-વચન-કાયાના ત્રણ યોગથી, અપ્રમત્ત: = સારી રીતે એકાગ્ર બનેલો હું, રક્ષક મહાવ્રતન પ = મારા પ્રાણોની જેમ પાંચ મહાવ્રતોનું રક્ષણ (પાલન) કરું છું. હવે એકથી દસ પર્વતના હેય ભાવોનો ત્યાગ અને ઉપાદેય ભાવોનો સ્વીકાર કરવા દ્વારા પુનઃ મહાવ્રતોની રક્ષા માટે કહે છે કે - (૧) સાવ નોખાં, મિચ્છત્ત પામેવ સત્ર परिवजंतो गुत्तो, रक्खामि महब्वए पंच ।।१।। अणवजजोगमेगं, सम्मत्तं एगमेव नाणं तु । उवसंपन्नो जुत्तो रक्खामि महव्वए पंच ।।२।। ગાથાર્થ : સાવદ્ય (પાપ) યોગરૂપ એક વ્યાપારને, એક મિત્વને, એક અજ્ઞાનને ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧) અનવઘ (પાપ રહિત) એક વ્યાપારને, એક સમ્યક્ત્વને, એમ એક સમ્યગુજ્ઞાનને પણ પ્રાપ્ત થયેલો હું (અર્થાતું ચારિત્ર, સમ્યક્ત અને જ્ઞાનવાનું હું, તથા વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોનું રક્ષણ કરું છું. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૩પ (૨) રો વેવ રાવોસ યુનિ જ જ્ઞાડુિં ગઠ્ઠાડું ! परिवजंतो गुत्तो, रक्खामि महब्वए पंच ।।३।। दुविहं चरित्तधम्मं, दुण्णि य झाणाई धम्मसुक्काई उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।।४।। ગાથાર્થ : રાગ અને દ્વેષ એ બેનો તથા આર્ત અને રૌદ્ર એ બે ધ્યાનોનો ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૩) દેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારના ચારિત્ર ધર્મને તથા ધર્મ અને શુક્લ એ બે ધ્યાનોને, સ્વીકારતો વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું (3) किण्हा नीला काऊ, तिण्णि य लेसाओ अप्पसत्थाओ । परिवजंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।।५।। तेऊ पम्हा सुक्का, तिण्णि य लेसाओ सुप्पसत्थाओ । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वएं पंच ।।६।। ગાથાર્થ : કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૫) તેજો, પદ્મ અને શુકુલ આ ત્રણ લેશ્યાઓને સ્વીકારતો અનેં વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૯) मणसा मणसञ्चविऊ, वायासोण करणसञ्चेण । तिविहेण वि सञ्चविऊ, रक्खामि महब्बए पंच ।।७।। ગાથાર્થ : મનથી મનસત્યને જાણતો અર્થાત્ શુભભાવરૂપ પ્રશસ્તચિત્ત દ્વારા અકુશલમનનો નિરોધ અને શુભચિત્તની ઉદીરણા કરવારૂપ મનસત્યને (મન સંયમને) જાણતો, (એ પ્રમાણે) કુશલવચનની ઉદીરણા અને અકુશલવચનનો નિરોધ કરવારૂપ વચનસંયમ વડે તથા ક્રિયાની શુદ્ધિ અર્થાત્ કાયસંયમ વડે, એમ ત્રણ પ્રકારના સંયમને જાણતો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૭) (૪) ચત્તરિ ૨ ફુસ, ર૩રો સત્ર તઈ વસાય ચ | परिवजंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।।८।। चत्तारि य सुहसिज्जा, चउब्विहं सवरं समाहिं च । उवसंपन्नो जुत्तो, रक्खामि महब्वए पंच ।।९।। ગાથાર્થઃ દૂષિત સંથારો તે દ્રવ્યથી દુ:ખશપ્યા અને - ભાવથી દુ:ખશયા એટલે દુષ્ટ અધ્યવસાય, તેના ૪ પ્રકાર આ રીતે – () પ્રવચનમાં અશ્રદ્ધા, () બીજા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પાસેથી ધન-આહારાદિ મેળવવા વગેરેની ઇચ્છા.() દેવ-મનુષ્ય સંબંધી કામ(ભોગ)ની આશંસા અને (ણ્ય)સ્નાનાદિ કરવારૂપ શરીર સુખની ઇચ્છા, આ ચાર દુષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખનો અનુભવ થાય છે; માટે તે દુ:ખશય્યાઓને ચાર સંજ્ઞાઓને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૮) ચાર સુખશય્યાઓ અને (દુઃખશય્યાથી વિપરીત) ચાર પ્રકારના સંવર, મન-વચન-કાયા એમ ત્રણનો સંવર તથા અલંકાર-કિંમતી વસ્ત્રાદિના ત્યાગરૂપ સંવર, ચાર પ્રકારની સમાધિ-દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ એ ચારને વિષે' આત્માનો પ્રશસ્ત પરિણામ તે જ ૪ પ્રકારની સમાધિને સ્વીકારતો વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૯) (૫) પંચેવ ય ામકુળ, પંચેવ ય અને હાસે । परिवज्जंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।। १० ।। पंचिदियसंवरणं, तहेव पंचविहमेव सज्झायं । उवसंपन्नो जुत्तो, रक्खामि महत्वए पंच ।। ११ । । ગાથાર્થ : શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શ એ પાંચ, વિકારને (કામ) ગુણ કરનારા હોવાથી કામગુણો કહ્યા છે. તે કામગુણોથી અને પાંચ મહાદોષરૂપ આશ્રવો (પ્રાણાતિપાતાદિ)ને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૦). પાંચ ઇન્દ્રિયોના સંવરને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને સ્વીકારતો વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું.(૧૧) (૭) ઇગ્નીનિાવવતું, વિદ (બિ ય) માસાડ અવ્વસત્થાન | परिवज्तो गुत्तो रक्खामि महव्वए पंच ।। १२ ।। छव्विहमभितरयं, बज्झपि य छव्विहं तवोकम्मं । उवसंपन्नो जुत्तो रक्खामि महव्वए पंच ।। १३ ।। ગાથાર્થ : પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવોના વધને તથા છ પ્રકારની (હીલિતા, ખિસિતા, પરુષા, અલીકા, ગાર્હસ્થી, ઉપશમિતાધિકરણોદીરણા આ છ પ્રકારની) અપ્રશસ્તભાષાઓને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૨) (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને શુભધ્યાન એ છ) અત્યંત૨ તપકર્મ અને (અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપૈં, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, એ છ) બાહ્ય તપકર્મને સ્વીકારતો, વિનયાદિ સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૩) Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રમણ ધર્મ વિશેષાર્થ : છ પ્રકારની અપ્રશસ્ત ભાષા : (૧) અસૂયા-અવજ્ઞાથી (અનાદરપૂર્વક) હે ગણિ ! હે વાચક ! હે જ્યેષ્ઠાર્ય ! વગેરે બોલવું તે હીલિતા. (૨) નિંદાપૂર્વક બોલવું તે ખિસિતા. (૩) ગાળ દેવાપૂર્વક કઠોર વચન બોલવું તે પરુષા. (૪) (દિવસે કેમ ઊંધો છો ? વગેરે શિખામણ આપતા ગુર્વાદિને ‘નથી ઊંઘતો' એમ) અસત્ય બોલવું તે અલીકા. (૫) ગૃહસ્થની જેમ ‘પિતા-પુત્ર, કાકા, ભાણેજ' વગેરે બોલવું તે ગાર્હસ્થી. (૬) શાંત થયેલા કલહ વગેરે પુન: શરૂ થાય તેવું બોલવું તે ઉપશમિતકલહ પ્રવર્ત્તની. (૭) સત્ત ય મવાળાડું, સત્તત્તવનું ચેવ નાવિડ્માં । परिवतो गुत्तो. रक्खामि महव्वए पंच ।। १४ । पिंडेसणपाणेसण, उग्गहसत्तिक्कया महज्झयणा उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। १५ । । ગાથાર્થ : (પૂર્વે કહેલા) સાત પ્રકારના ભયસ્થાનોને અને સાત પ્રકારના વિભંગજ્ઞાનને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૪) (પૂર્વે જણાવેલ) સાત પિંડૈષણાને, સાત પાનૈષણાને તથા વસતિ અંગેની સાત પ્રકારના પ્રતિજ્ઞા (અવગ્રહ) ઓને, (પૂર્વે કહેલા) આચારાંગના સાત અધ્યયનોને તથા (પૂર્વે કહેલા) સૂયગડાંગના બીજા શ્રુતસ્કન્ધના સાત મહા અધ્યયનોને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. વિશેષાર્થ : સાત પ્રકારના વિભંગજ્ઞાન : (૧) પૂર્વાદિ કોઈ એક જ દિશામાં લોક (સર્વ જગત્) છે એવો બોધ તે (પ્રથમ એક દિશિ લોકાભિગમ વિભંગજ્ઞાન). (૨) છ દિશાને સ્થાને ઉર્ધ્વ, અધો પૈકી કોઈ એક અને ચાર તિÁ દિશાઓ, એમ પાંચ દિશાઓમાં લોક છે તેવો બોધ તે બીજું પંચદિશિ લોકાભિગમ વિભંગજ્ઞાન. (૩) જીવ પ્રાણાતિપાત વગેરે ક્રિયાઓ કરે છે તે તો પ્રત્યક્ષ દેખાય છે પણ તેમાં હેતુભૂત કર્મ તો દેખાતું નથી માટે જીવ કર્મથી આવૃત્ત નથી, પણ (‘ક્રિયા જ જીવનું આવરણ છે.’) એવો બોધ. (૪) ભવનપતિ આદિ દેવોનું વૈક્રિય શ૨ી૨ બાહ્ય-અત્યંતર પુદ્ગલોના ગ્રહણપૂર્વક કરાતું જોવાય છે, તેથી જીવ મુદગ્ર = સ્વશ૨ી૨ાવગાહક્ષેત્રની બહારના કે અંદરના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી રચેલા શરીરવાળો છે એવો અભિપ્રાય. (૫) વૈમાનિક દેવોનું વૈક્રિય શરીર બાહ્ય-અત્યંતર ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોના ગ્રહણ વિના રચાતું જોવાય છે, માટે જીવ ‘અમુદગ્ર’ બાહ્ય અત્યંતર ક્ષેત્રમાં રહેલા પુગલોના ગ્રહણ વિનાના શરીરવાળો છે એવો વિકલ્પ. (૬) વૈક્રિય શરીરધારી દેવોના રૂપને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ જોઈને શરીરને જ જીવ માનવાથી “જીવ રૂપી છે' એવો અભિપ્રાય. (૭) વાયુથી ચલાયમાન પુદ્ગલોને જોઈને તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે ‘સર્વ વસ્તુઓ જીવો છે') એવો અભિપ્રાય. સાત અવગ્રહ = (વસતિને આશ્રયીને સાત પ્રકારની પ્રતિમાઓUપ્રતિજ્ઞાઓ.) તે આ પ્રમાણે – (૧) “અમુક પ્રકારનો ઉપાશ્રય જ મેળવવો, બીજો નહિ' એમ પ્રથમથી અભિગ્રહ કરીને તેવાની જ યાચના કરીને મેળવે તે પહેલી પ્રતિમા, (૨) “હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ અથવા બીજાઓએ યાચેલામાં રહીશ.' એવો અભિગ્રહ તે બીજી પ્રતિમા. (પહેલી પ્રતિમા સર્વ સાધુઓને ઉદ્દેશીને અને બીજી ગચ્છવાસી એક માંડલીવાળા કે ભિન્ન માંડલીવાળા નિરતિચાર ચારિત્રવાળા (ઉત્કટ વિહારી) સાધુઓને ઉદ્દેશીને છે, તેમ બેમાં ભિન્નતા સમજવી. કારણ કે તેઓને એક બીજાને માટે એ રીતે યાચના કરવાનો વિધિ છે.) (૩) બીજાને માટે વસતિની યાચના કરીશ, પણ હું બીજાએ યાચેલી વસતિમાં રહીશ નહિ. એવો અભિગ્રહ. આ ત્રીજી પ્રતિમા યથાલંદક (જિનકલ્પી જેવી કઠોર સાધના કરનારા) સાધુઓને હોય છે. કારણ કે તેઓ બાકી રહેલા સૂત્ર-અર્થ, વસતિમાં રહેતા આચાર્ય પાસે ભણવાની અભિલાષાવાળા હોવાથી આચાર્યને માટે આવી રીતે વસતિની યાચના કરે. (૪) “બીજાઓને માટે વસતિ વાંચીશ નહિ, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ.' એવો અભિગ્રહ. આ ચોથી પ્રતિમા ગચ્છમાં રહીને જિનકલ્પનો અભ્યાસ (તલના) કરનારા સાધુઓને હોય. (૫) “હું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ.' એવો અભિગ્રહ - જિનકલ્પીઓને હોય છે. (૯) ‘જેની વસતિ ગ્રહણ કરીશ તેનું જ સાદડી, ઘાસ વગેરે પણ સંથારા માટે મળશે તો લઈશ, બીજાનું નહિ, અન્યથા ઉત્કટુકાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ- આવો અભિગ્રહ જિનકલ્પિક મહામુનિઓને હોય છે. (૭) આ સાતમી પ્રતિમા પણ છઠ્ઠીના જેવી જ છે, માત્ર “સંથારા માટે શિલા, ઘાસ વગેરે જે જેવું પાથરેલું હશે તેવું જ લઈશ, અન્યથા નહિ - આવો અભિગ્રહ જિનકલ્પિક સાધુઓને હોય છે. સાત સપ્તકિ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધની બીજી ચૂલારૂપે જે સાત અધ્યયનનો છે, તે ઉદ્દેશા વિનાનાં હોવાથી “એકસર' કહેવાય છે. તે સંખ્યામાં સાત હોવાથી પ્રત્યેકને સપ્તકિયાં (સપ્તકેક) કહેવાય છે. તેના નામો પગામસિક્કાના અર્થમાં કહ્યા છે તે પ્રમાણે જાણી લેવા. સાત મહાધ્યયનો : સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયનો, પહેલા શ્રુતસ્કંધની અપેક્ષાએ મોટાં હોવાથી “મહાધ્યયનો' કહેવાય છે. તેના નામો પૂર્વે (પગામસિજ્જાના અર્થમાં) કહ્યા છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રમણ ધર્મ (૮) અટ્ટુ (૫) મવાળોડું, અદૃ ય મ્મારૂં તેત્તિ વયં ચ । परिवज्तो गुत्तो, रक्खामि महव्वए पंच ।।१६।। अट्ठ य पवयणमाया, दिट्ठा अट्ठविहणिट्ठिअहिं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। १७ ।। ગાથાર્થ : (પગામસિજ્જામાં કહ્યા તે) આઠ મદસ્થાનોને, આઠ કર્મોને તથા તેના બંધને ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૬). આઠ પ્રવચનમાતા કે જે આઠ પ્રકારના અર્થો (જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો) જેઓના ક્ષય થયા છે તે શ્રીજિનેશ્વરોને ‘દૃષ્ટા’ પ્રાપ્ત થઈ છે, તે પ્રત્યેકને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરું હું છું. (૧૭) (૯) “નવ પાવનિયાારૂં, સંસારથી ય નવવિજ્ઞાનીવા । परिवज्वंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।। १८ ।। नवबंभचेरगुत्तो, दुनवविहं बंभचेंरंपरिसुद्धं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। १९ ।। ગાથાર્થ : પાપના કારણભૂત નવ નિયાણાનો તથા પૃથ્વી-અપ-તેજો-વાયુવનસ્પતિ-બ્રેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ નવ પ્રકારના સંસા૨વર્તી જીવોનો (તેની હિંસાદિ વિરાધનાનો) ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૮) બ્રહ્મચર્યની નવ વાડોથી સુરક્ષિત હું, અઢાર પ્રકારના નિર્દોષ બ્રહ્મચર્યને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત હું પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરું છું. (૧૯). વિશેષાર્થ : નવપ્રકારના નિયાણા : (૧) કોઈ (તપસ્વી) સાધુ વિચારે કે દેવલોકના સુખો તો અપ્રગટ-અપ્રત્યક્ષ છે, માટે તેનાથી સર્યુ, પણ (હું ભવિષ્યમાં રાજા થાઉં) આવું તપ-નિયમાદિના ફળ તરીકે માગે, (૨) રાજાને તો ભયાદિ ઘણા હોય, તેથી તેનાથી સર્યું, પણ મારા તપાદિથી (હું ધનપતિ-શેઠ થાઉં), (૩) પુરુષને તો ઘણી દુ:ખદાયી પ્રવૃત્તિઓ હોય, તેથી તપાદિના પ્રભાવે (સ્ત્રી થાઉં), (૪) સ્ત્રીને તો પરાધીન-ગુલામ રહેવું પડે, તેના કરતાં અન્ય જન્મમાં (પુરૂષ થાઉં), (૫) મનુષ્યના ભોગો તો મૂત્રાદિ અશુચિથી ભરેલા છે, તેના કરતાં દેવ-દેવીઓના અશુચિરહિત ભોગો ભોગવી શકું તેવો (પરપ્રવિચારી દેવ થાઉં.) (૬) તેમાં તો બીજા દેવ-દેવીની પરાધીનતા છે, તેના કરતાં સ્વ દેવ-દેવીઓનાં જ ઉભયરૂપો વિકુર્તીને બંને વેદોનાં સુખ ભોગવું તેવો, (સ્વપ્રવિચારી દેવ થાઉં), (૭) મનુષ્યના Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ તથા દેવોના ભોગોથી વિરાગી સાધુ એમ વિચારે કે માર્ચ તપાદિથી હું જ્યાં પ્રવિચારણા નથી તેવો (નવપ્રૈવેયકાદિ) (અલ્પવેદોદયવાળો દેવ થાઉં) (૮) દેવ તો અવિરતિધર હોય છે. તેના કરતાં મારા તપાદિથી હું શ્રીમંત કુલમાં (વ્રતધારી શ્રાવક થાઉં) (૯) કોઈ એમ વિચારે કે કામ-ભોગો દુ:ખદાયી છે, ધન પ્રતિબંધક છે, માટે અન્ય ભવમાં (હું દરિદ્ર થાઉં) કે જેથી સુખપૂર્વક ગૃહસ્થપણાનો ત્યાગ કરીને સંયમ લઈ શકું. એમ પોતાના તપ, નિયમ વિગેરેની આરાધનાના ફળરૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી તે નવ નિયાણાં. અઢાર પ્રકારે બ્રહ્મચર્ય : દૈવી અને ઔદારિક (મનુષ્ય શરીર સંબંધી) ભોગોને મન-વચન-કાયાથી (૨×૩=૬), સેવવા નહિ, સેવરાવવા નહિ અને બીજા સેવનારાઓને અનુમોદવા નહિ, એમ (x૩=૧૮) અઢાર ભેદો સમજવા. (૧૦) વધાવ ચ વૈવિદ્, અસંવર તવ સંજેિમ ચ । परिवतो गुत्तो, रक्खामि महव्वए पंच ।। २० ।। ससमाहिट्ठाणा, दस चेवं दसाओ समणधम्मं च । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। २१ । । ગાથાર્થ : દસ પ્રકારના ચારિત્ર વગેરેના ઉપઘાતનો, દસ પ્રકારના અસંવરનો તથા દસ પ્રકારના સંક્લેશ (અસમાધિ)નો ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૨૦) દસ પ્રકારના સત્ય, દસ સમાધિસ્થાનો, દસ દશાઓ અને દસવિધ શ્રમણધર્મને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. વિશેષાર્થ : : દસ ઉપઘાત : (૧) આહાર-વસ્ત્ર-પાત્ર-શય્યા વગેરેને મેળવવામાં આવાકર્માદિ સોળ ઉદ્ગમદોષો પૈકી કોઈ દોષ લગાડવાથી ચારિત્રનો ઉપઘાત થાય તે ઉદ્ગમોપઘાત. (૨) ધાવ્યાદિ સોળ ઉત્પાદના દોષો પૈકી કોઈ દોષ સેવવાથી, ઉત્પાદનોપઘાત. (૩) દસ એષણાને અંગે શંકિતાદિ દસ દોષો પૈકી કોઈ દોષ સેવવાથી એષણોપઘાત. (૪) સંયમમાં અકલ્પ્સ, નિષિદ્ધ કે લક્ષણરહિત ઉપકરણોનો ઉપભોગ કરવાથી પરિહરણોપઘાત. (૫) વસ્ત્ર-પાત્ર વગેરેનું પરિકર્મ (રંગવા વગેરે) ક્રિયા શોભા માટે કરવાથી (સ્વાધ્યાય અને સંયમનું પરિશાટન-હાનિ થાય, તેથી તે) પરિશાટનોપઘાત. (૬) પ્રમાદ વગેરેને વશ થઈ જ્ઞાનાચા૨માં અતિચાર લગાડવાથી જ્ઞાનોપઘાત. (૭) શ્રી જિનવચનમાં શંકાદિ કરવારૂપ દર્શનાચારમાં અતિચારો સેવવાથી દર્શનોપઘાત. (૮) અષ્ટ પ્રવચનમાતાનું યથાર્થપાલન નહિ કરવાથી ચારિત્રોપઘાત. (૯) શરીરાદિનું મૂર્છાપૂર્વક સંરક્ષણ કરવારૂપ પરિગ્રહપરિહાર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શ્રમણ ધર્મ વ્રતને ઉપઘાત લગાડવાર્થી સંરક્ષણોપઘાત. (૧૦) ગુર્વાદિ સાધુગણ પ્રત્યે અપ્રીતિ વગેરે કરવારૂપ વિનયનો ઉપઘાત કરવાથી અચિઅત્તોપઘાત. દસ અસંવરો તથા દસ સંક્લેશો : દસ પ્રકા૨નો અસંવર આ પ્રમાણે છે. (૧૩) મન-વચન અને કાયા એ ત્રણ યોગોની અકુશલ પ્રવૃત્તિને નહિ રોકવાથી ત્રણ યોગોનો અસંવર. (૪-૮) પાંચ ઇન્દ્રિયોને ઇષ્ટ-અનિષ્ટાદિ શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ કરતાં નહિ રોકવાથી પાંચ ઇન્દ્રિયોનો અસંવર. (૯) શાસ્ત્રોક્ત સંખ્યાથી તથા પ્રમાણથી વિપરીત (અનિયત) કે અકલ્પ્ય વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવાં અથવા વસ્ત્રાદિને યથાસ્થાને નહિ મૂકવાથી ઉપધિ અસંવર. (૧૦) સોય અને ઉપલક્ષણથી નખર૬ની - પિદ્મલક, આદિ શ૨ી૨ને ઉપઘાત કરે તેવી ધા૨વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવાં અને તેના ઉપલક્ષણથી સમસ્ત ઔપગ્રિહક ઉપકરણોનો અસંવર કરવો તે સૂચી અસંવર. દસ પ્રકારનો સંક્લેશ આ પ્રમાણે છે.(૧) જ્ઞાનનું અવિશુદ્ધચમાનપણું તે જ્ઞાનસંક્લેશ. (૨) દર્શનનું અવિશુદ્ધચમાનપણું તે દર્શનસંક્લેશ. (૩) ચારિત્રનું અવિશુદ્ધચમાનપણું તે ચારિત્રસંક્લેશ (૪) મન દ્વારા જે સંક્લેશ થાય તે મનસંક્લેશ (૫) વચન દ્વારા સંક્લેશ થાય તે વચનસંક્લેશ (૬) કાયાને આશ્રયિને (રાગદ્વેષાદિ) થાય તે કાયસંક્લેશ (૭) સંયમને તથા સંયમસાધક શરીરને ઉપધાન એટલે આલંબનભૂત થાય તે ઉપધિ અર્થાત્ સારાં-નસરાં વસ્ત્રો વગેરે, તેમાં રાગદ્વેષાદિ થાય તે ઉપધિ સંક્લેશ (૮) ઇષ્ટાનિષ્ટ વસતિને અંગે સંક્લેશ થાય તે વસતિસંક્લેશ (૯) ક્રોધાદિ કષાયોને વશ થવાથી કષાયસંક્લેશ (૧૦) ઇષ્ટાનિષ્ટ આહા૨પાણી વગેરમાં રાગ-દ્વેષાદિ થાય તે અન્ન-પાનસંક્લેશ. દસ પ્રકારનું સત્ય : ભિન્ન-ભિન્ન દેશોની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્નભિન્ન નામો હોય છે. જેમ કે પાણીને ‘પયઃ, પેય, નીર, ઉદક વગેરે જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે તે, તે તે દેશોની અપેક્ષાએ સત્ય છે માટે તે જનપદ સત્ય. (૨) કાદવમાં ઉત્પન્ન થનારી (અર્થાત્ પંકજ તો) ‘કુમુદ-કુવલય-કમળઅરવિંદ’ વગેરે કમળની ઘણી જાતિઓ છે, છતાં આબાલ-ગોપાલ સર્વે અરવિંદને જ પંકજ કહે છે, માટે સૂર્યવિકાસી કમળને (અરવિંદને) જ પંકજ કહેવું તે સર્વસંમત હોવાથી સંમતસત્ય. (૩) પાષાણાદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે, જેમ કે પ્રભુ મહાવીરની મૂર્તિને ‘મહાવી૨’ કહેવું તે સ્થાપનાસત્ય. (૪) કોઈનું નામ પાડ્યું હોય તે નામથી તેને સંબોધવો, જેમકે કોઈ કુળને વધારનાર ન હોવા છતાં તેનું નામ ‘કુળવર્ધન’ રાખ્યું હોય તો તેને તે નામથી બોલવવો તે નામસત્ય. (૫) કોઈના બાહ્યરૂપને અનુસારે તેને તેવો કહેવો, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ જેમ કોઈ કપટીએ પણ બહારથી સાધુવેષ પહેર્યો હોય તેને સાધુ કહેવો, કે કોઈ લાંચ રૂશ્વત લેનાર ન્યાયાધીશને ન્યાયાધીશ કહેવો તે રૂપસત્ય. (૩) એક-બીજી વસ્તુને આશ્રયને બોલાય જેમકે અનામિકા, (પૂજનની આંગળી) કનિષ્ઠાથી મોટી અને મધ્યમાથી નાની હોવા છતાં એને એકને આશ્રયિને નાની અથવા મોટી કહેવી તે પ્રતીત્યસત્ય. (૭) પર્વત બળે છે, ઘડો ઝમે છે” વગેરે બોલવું તેમાં વસ્તુત: પર્વત નહિ ઘાસ વગેરે બળે છે, ઘડો નહિ પણ પાણી ગળે (ઝમે) છે, તો પણ તેમ બોલવાનો વ્યવહાર હોવાથી તે વ્યવહાર સત્ય છે. (૮) જે પદાર્થમાં જે ધર્મની વિશેષતા હોય તેને મુખ્ય ગણીને બોલવું તે. જેમકે ભમરામાં પાંચ વર્ણો હોવા છતાં કાળો વર્ણ વિશેષ હોવાથી ભમરાને “કાળો કહેવો તે ભાવસત્ય. (૯) કોઈ પદાર્થને બીજા પદાર્થ સાથેના યોગથી-સંબંધથી તેને તેવો કહેવો, જેમકે દંડના યોગથી સાધુને “દડી' કહેવો તે યોગસત્ય. (૧૦) ઉપમાનો આરોપ કરવો, જેમકે મોટા સરોવરને સમુદ્ર, પુન્યવાન મનુષ્યને દેવ, શૂરવીરને સિંહ કહેવો ઇત્યાદિ ઉપમા સત્ય. દસ સમાધિસ્થાનો : (૧) પુરુષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરુષની વિકારજનક વાતોનો ત્યાગ કરવો અથવા પુરુષે માત્ર સ્ત્રીઓની સભામાં કથા નહિ કરવી તે 'પહેલું સમાધિસ્થાન. (૨) સ્ત્રીનું આસન પુરુષે અને પુરુષનું આસન સ્ત્રીએ વર્જવું તે બીજું. (૩) રાગદૃષ્ટિએ સ્ત્રીનાં રોગજનક અંગો – ઇન્દ્રિયો વગેરે પુરુષે કે પુરુષનાં અંગો સ્ત્રીએ નહિ જોવાં તે ત્રીજું. (૪) સ્ત્રી-પશુ-નપુંસક આદિથી યુક્ત (સંસક્ત) વસતિ (ઉપાશ્રય)માં સાધુએ આશ્રય નહિ કરવો તે ચોથું. (૫) અતિમાત્ર (પ્રમાણાધિક) આહારનો ત્યાગ કરવો તે પાંચમું. () સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરવો તે છઠું. (૭) પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોનું સ્મરણ નહિ કરવું તે સાતમું. (૮) શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ-સ્પર્શ આદિ વિષયોના સુખમાં રાગ-મદ નહિ કરવો તે આઠમું. (૯) પોતાની પ્રશંસા-કીર્તિ આદિનો મદ નહિ કરવો તે નવમું. (૧૦) શુભ શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નહિ કરવી તે દસમું. દસ દશાઓ : દસ અધિકારને જણાવનારાં દસ શાસ્ત્રો તે દસ દશાઓ કહી છે. તે આ પ્રમાણે (૧) કર્મવિપાકદશા, (૨) ઉપાસકદશા, (૩) અન્નકૃતદશા, (૪) અણુત્તરોપપાતિકદશા, (૫) પ્રશ્નવ્યાકરણદશા, (૬) દશાશ્રુતસ્કંધદશા, (૭) બંધદશા, (૮) દ્વિગૃદ્ધિદશા (૯) દીર્ઘદશા, (૧૦) સંક્ષેપદશા. એમ દસ શાસ્ત્રો જાણવાં. (૧૧) માસીય ર સā, તિ[vi &ાર વિવવંતો . उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।।२२।। Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૪૩ ગાથાર્થ : સામાન્યતયો સર્વ કોઈ આશાતનાઓને અથવા (પગામસિક્કામાં કહી તે) તેત્રીસ આશાતનાઓને ત્યાગ કરતો અને તેથી જ ૩૫સંપન્ન: = અર્થપત્તિએ અનાશાતનાના ભાવને પ્રાપ્ત થયેલો વિનયાદિ સંયમવ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૨૨) एवं तिदंडविरओ, तिगरणसुद्धो तिसल्लनिसल्लो । तिविहेण पडिक्कतो, रक्खामि महब्बए पंच ।।२३।। ગાથાર્થ : = ઉપર ત્રણ લેશ્યા વગેરેનો ત્યાગ કરવાપૂર્વક ઇત્યાદિ કહ્યું, તેમ મન-વચન-કાયરૂપ ત્રણ દંડથી વિરામ પામેલો, મન-વચન-કાયા એ ત્રણ કરણથી શુદ્ધ થયેલો તથા માયાનનિદાન-મિથ્યાત્વ શલ્યથી રહિત, ત્રણ પ્રકારે (અતિચારો કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદવા નહિ એમ) સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યું છે, એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. હવે ઉપર પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા કરી તે મહાવ્રતોની સ્તુતિ કરતાં કહે છે કે "इच्छेइअं (य) महव्वयउच्चारणं थिरत्तं सल्लुद्धरणं धिइबलं ववसाओ साहणट्ठो पावनिवारणं निकायणा भावविसोही पडागाहरणं निज्जूहणाराहणा गुणाणं संवरजोगो पसत्थझाणोवउत्तया जुत्तया य नाणे परमट्ठो उत्तमट्ठो, एस (खलु) तित्थंकरेहिं रइरागदोसमहणेहिं देसिओ पवयणस्समारो, छज्जीवनिकायसंजमं उवएसिउं• (यं) तेलुक्कसक्कयं ठाणं अब्भुवगया, णमु(नमो)त्यु ते सिद्ध बुद्ध मुत्त नीरय निस्संग माणमूरण गुणरयणसायरमणंतमप्पमेय नमोऽत्यु ते महइमहावीर ! वद्धमाण सामिस्स, नमोऽत्थु ते अरहओ, नमोऽत्थु ते भगवओ त्ति कट्ट, एसा खलु महव्वय उच्चारणा कया, इच्छामो सुत्तकित्तणं काउं" . વ્યાખ્યા : ટ્યતત્ = એમ આ ઉપર કહ્યું કે, મહાવ્રતોરારમ્ = મહાવ્રતોનું ઉચ્ચારણ (પાલન), તે કેવું છે ? (અથવા એનાથી કેવો લાભ થાય ?) તે કહે છે કે સ્થિરત્વમ્ = મહાવ્રતોમાં જ અથવા ચારિત્ર ધર્મમાં સ્થિરતાનો હેતુ હોવાથી આત્માને નિશ્ચલ બનાવે છે. જ્યોદ્ધરમ્ = શલ્યોનો નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ શલ્યોનો નાશ કરનારું છે. ધૃતિવમ્ = વૈર્ય = ચિત્તની સમાધિમાં બળ = આલંબન આપનારું છે. વ્યવસાય: = દુષ્કર પણ આરાધના કરવાના અધ્યવસાયો આત્મામાં પ્રગટાવે છે. સથનાર્થ = મોક્ષને સાધવાનો પરમ અર્થ (ઉપાય) છે. પરિવારમ્ = પાપકર્મોને અટકાવનારું છે. નિવના = આત્માને સાવદ્યયોગથી નિવૃત્ત થયેલો તે ત્રિદંડવિરત અને નિરવદ્યયોગમાં પ્રવૃત્ત થયેલો તે ત્રિકરણ શુદ્ધ, આ બંનેમાં ભેદ છે એમ જાણવું. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મહાવ્રતોની પ્રાપ્તિનું (સ્પર્શનાનું) અતિદઢ કારણ છે. અથવા શુભકર્મોની નિકાચનાનું કારણ છે. માટે તેને જ નિકાચના” કહી છે. માવવિશોષિ: = ભાવ (આત્મપરિણામ)ની વિશુદ્ધિ કરનાર છે. પરિણમ્ = ચારિત્રની આરાધનારૂપ વિજયધ્વજને ગ્રહણ કરવા સ્વરૂપ છે. નિર્વ્યૂહના = કર્મોને આત્મામાંથી દૂર કરનાર છે. મારાથના ગુનામું = મુક્તિપ્રાપક વ્યાપારો (ગુણો)માં અખંડપ્રવૃત્તિ (આરાધના) કરાવનારું છે. સંવરયોગ: = નવા કર્મોને આવતા અટકાવવારૂપ સંવરનો આત્માને યોગ કરાવનાર છે. પ્રશસ્તધ્યાનોપયુત્તતા = શ્રેષ્ઠ (ધર્મ-શુક્લ) ધ્યાનની પ્રાપ્તિ કરાવનારું છે. યુtતા ૨ જ્ઞાને = જ્ઞાન સાથે સંબંધ કરાવનાર છે. પરમાર્થ = આ મહાવ્રતોનું ઉચ્ચારણ સત્ય પદાર્થ છે – અકૃત્રિમ તત્ત્વ છે. ૩ત્તમાર્થ: =મોક્ષરૂપી ફળનું સાધક હોવાથી અતિશ્રેષ્ઠ તત્ત્વ છે. કારણકે જગતના સર્વ પદાર્થોમાં મહાવ્રતોની પ્રધાનતા છે. | = આ મહાવ્રતોનું ઉચ્ચારણ એ તીર્થરે પ્રવરની સારો શિતઃ = શ્રી તીર્થકરોએ બતાવેલા સિદ્ધાંતનો સાર છે. કેવા તીર્થકરોએ ? રતિરાષિમયને = રતિ-રાગ-દ્વેષનો નાશ કરનારા તીર્થકર ભગવંતો પડ્ઝીનિયસંગમમ્ ૩પરિશ્ય ત્રેત્રોવીસતં શાને ગમ્યુપતા: = છ જવનિકાયના સંયમનો, ઉપલક્ષણથી બાકીના ચાર મહાવ્રતોનો ઉપદેશ કરીને (ઉપલક્ષણથી સ્વયં પણ પાલન કરીને) ત્રણે લોકમાં સત્કાર પામેલા સિદ્ધક્ષેત્રરૂપ મોક્ષસ્થાનને પામ્યા છે. ' હવે મંગલને માટે ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં જણાવે છે કે..નમોડસ્તુ તે = હે વર્ધમાન સ્વામિ ! તમોને નમસ્કાર થાઓ ! સિદ્ધઃ = સંપૂર્ણ કર્યા છે સર્વ પ્રયોજનો જેણે એવા, વૃદ્ધ = તત્ત્વના જાણ, મુત્ત: = પૂર્વના કર્મબંધનોથી મુક્ત, નીરન: =નવી કર્મરજથી રહિત, નિ:સ: = પુત્રાદિ સકલ સંબંધોથી મુક્ત, માનમૂરણ: = ગર્વનો નાશ કરનારા, શુગરલેસીરિ: = અનંત ગુણોરૂપી રત્નોના સમુદ્ર, મનન્તઃ = અનંતજ્ઞાનવાળા, મતિ મહાવીર વર્તમાન ! = હે મહાનું મહા પરાક્રમી વર્ધમાન પ્રભુ! નમોડસ્તુતે = તમોને નમસ્કાર થાઓ. કયા હેતુથી નમસ્કાર કરે છે? તે કહે છે - સમિસ - આપ મારા સ્વામી છો, નમોડસ્તુ તે મર્દન રૂતિ ઋત્વી = આપ અરિહંત છો, નમોડસ્તુતે વિનિતિ ઋત્વી = આપ ભગવાન છો, એ હેતુથી આપને મારો નમસ્કાર થાઓ ! અથવા હે અતિમહાનું, વીર પરમાત્મા ! મારા સ્વામી એવા આપને ત્રિવત્ = ત્રણવાર નમસ્કાર થાઓ ! (જેમ મહાવ્રતોની ત્રિર્ = પ્રતિજ્ઞા (સ્તુતિ) કર્મક્ષય કરનારી છે, તેમ શ્રતનું કીર્તન પણ કર્મક્ષય કરનારું છે. તેથી) શ્રતનું કીર્તન કરતાં કહે છે કે- પા રવ મહાવ્રતોચાર છૂતા = આ મહાવ્રતોની ઉચ્ચારણા (પ્રતિજ્ઞા) કરી. રૂછીમ: Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૪૫ શ્રુતકીર્તને તુંમ્ = હવે શ્રુતિની સ્તુતિ કરવા માટે ઇચ્છીએ છીએ. શ્રુત બે પ્રકારનું છે (૧) અંગપ્રવિષ્ટ, (૨) અંગ બાહ્ય. શ્રીગણધરકૃત શ્રુત તે અંગપ્રવિષ્ટ અને વિરોએ કરેલું શ્રુત તે અંગબાહ્ય ક્લેવાય છે. અથવા જે નિયત તે અંગપ્રવિષ્ટ, અનિયત તે અંગબાહ્ય. અંગબાહ્ય બે પ્રકારનું છે. - એક આવશ્યક અને બીજું આવશ્યક સિવાયનું, તેમાં અલ્પવર્ણન કરવાનું હોવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યકશ્રુતની સ્તુતિ કરતાં કહે છે કે – “न(ण)मो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइयं छव्विहमावस्सयं भगवंतं, तं जहा - सामाइयं - चउवीसत्थओ - वंदणयं - पडिक्कमणं-काउस्सग्गी-पञ्चक्खाणं, सव्वेसिं (हिं) पि एयंमि छव्विह मा(हेआ)वस्सए भगवंते ससुत्ते सअत्थे सगंथे सणिज्जत्तीए ससंगहणीए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहिं पण्णत्ता वा परूविआ वा ते भावे सद्दहंतेहिं पत्तियंतेहिं रोयंतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहिं अंतो पक्खस्स जं वाइयं पढियं परिअट्टियं पुच्छियं अणुपे(प्पे)हियं अणुपालियं तं दुक्खक्खयाए कम्मक्खयाए मो(मु)क्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कट्ट उवसंपज्जित्ता णं विहरामि । अंतो पक्खस्स जं न वाइयं न पढियं न परिअट्टियं न पुच्छियं नाणुपे(प्पे) हियं नाणुपालियं संते बले संते वीरिए संते पुरिसक्कारपरक्कमे तस्स आलोएमो पडिक्कमामो निंदामो गरिहामो विउट्टेमो विसोहेमो अकरणयाए अब्भुढेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छामि दुक्कडं" । વ્યાખ્યા : નમસ્તેપ્ય: ક્ષમાશ્રમોમ્ય: = ક્ષમાશ્રમણોને (પોતાના ગુરુ અથવા તીર્થકરો-ગણધરો વગેરે પૂર્વ પુરુષોને) નમસ્કાર થાઓ. રિમ્ = જેઓએ આ શ્રતને, વાવિતમ્ = અમોને આપ્યું છે. અથવા સૂત્ર તથા અર્થરૂપે રચ્યું છે, કયા શ્રતને ? પણ્વિયમ્ ગાવયમ્ = અવશ્ય કરણીય એવા છ અધ્યયનરૂ૫ આવશ્યકને, પવિત્ સાતિશય, સમૃદ્ધિ આદિ ગુણથી યુક્ત આ આવશ્યકને. આ આવશ્યક છ છે. (૧) સામયિમ્ = સામાયિક સૂત્ર - પાપયોગોની વિરતિ જેમાં મુખ્ય છે તે અધ્યયન. (૨) તુર્વિતિસ્તવ: = લોગસ્સસૂત્ર - શ્રી ઋષભાદિ ચોવીસ જિનોની નામપૂર્વક જેમાં ગુણસ્તુતિ છે તે અધ્યયન. (૩) વન્દ્રમ્ = ગુરુવંદન સૂત્ર. (૪) પ્રતિમા = પ્રતિક્રમણ સૂત્રો. (૫) યોત્સ: = ધર્મરૂપી કાયામાં લાગેલા અતિચારો રૂપી ક્ષત(ઘા), તેની શુદ્ધિ કરનારું અધ્યયન. () પ્રત્યાધ્યાનમ્ = વિરતિ ગુણ સાધક અધ્યયન. સર્વભિન્ન પત્તસ્મિન પવિ માવો મત = અતિશયિત ગુણયુક્ત આ છએ આવશ્યકમાં, કેવા આવશ્યકમાં ? તે કહે છે - સસૂત્રે = મૂલસૂત્રરૂપ આવશ્યકમાં, સર્વે = અર્થયુક્ત આવશ્યકમાં, પ્રત્યે સન િસંગ્રહની Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ = ગ્રંથસહિત, નિયુક્તિ સહિત અને સંગ્રહણી સહિત, એવા આવશ્યકમાં, (તેમાં માત્ર સૂચન કરવારૂપ-બીજ સ્વરૂપ જે પાઠ તે સૂત્ર જાણવું, વૃત્તિ તથા ટીકાથી જે વર્ણન કર્યું હોય તે અર્થ જાણવો, અખંડિત સૂત્ર અને અર્થ, એમ બંને પ્રકારનો પાઠ તેને ગ્રંથ કહેવાય. વિવિધ અનુક્રમણિકાદિ વિસ્તારયુક્ત હોય તે નિર્યુક્તિ અને બહુ અર્થનો જેમાં ગાથાબદ્ધસંગ્રહ કરેલો હોય તે સંગ્રહણી કહેવાય. આ દરેકથી યુક્ત આવશ્યકમાં શુ વા = વિરતિના અને જિનેશ્વરના ગુણોનું ઉત્કીર્તન રૂપ ગુણો (અહીં 'વા' પદ ઉત્તરપદનું જોડાણ બતાવવા માટે જ છે, પણ વિકલ્પ અર્થમાં નથી માટે) પાવા વા = અને ક્ષાયોપથમિક, ક્ષાયિકાદિ આત્માના ભાવો અથવા જીવાદિ પદાર્થો, ઈમિ: નવમ: પ્રજ્ઞા વી શ્રી અરિહંત ભગવંતોએ સામાન્યરૂપે કહ્યા છે. પ્રરૂપિતા (વા) = વિશેષરૂપમાં કહ્યા છે. તાન નવીન = તે ભાવોને, શ્રદૂખ = “આ એમ જ છે' એ રીતે સામાન્યથી શ્રદ્ધાગત કરીએ છીએ, પ્રતિપદ્યામ = પ્રીતિ . કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ, સૌરયામ: = તે ભાવોમાં આચરવાની અભિલાષા કરીએ છીએ, પૃપામ: =માત્ર તે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવોને સ્પર્શ કરીએ છીએ, પાક્યા: = રક્ષણ કરીએ છીએ અનુપયિામ: = વારંવાર તે ભાવોનું રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણોમાં અને ભાવોમાં શ્રદ્ધાને , પ્રતિપદમા, રોમ, સૃષિ, પાસ્ટયમિ, અનુપાત્રિય = ઉપર જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, આચરવાની અભિલાષા પૂર્વક સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરતા અમોએ મન્ત: પક્ષચ = આ પક્ષ (પખવાડીયા)માં, યજ્ઞવિતમ્ = બીજાઓને જે જે મૃત આપ્યું, પવિતમ્ = જે સ્વયં ભણ્યા, પરિવર્તિતમ્ = જે જે મૂલસૂત્રથી ગમ્યું (આવર્તન કર્યું), પૃષ્ઠમ્ = પૂર્વે ભણેલા સૂત્રાર્થ વગેરેમાં શંકા રહેલી તે પુછી, માણિતમ્ = વિસ્મરણના ભયે અર્થનું ચિંતન કર્યું અને અનુપાતિમ્ = ઉપર જણાવ્યા મુજબ ભણાવવા-ભણવાદિ કરવા વડે નિરતિચાર આરાધ્યું, ત૬ ૩:વક્ષયાય = તે અમોને દુ:ખોનું નાશક થશે, (કર્મ ક્ષય થયા વિના દુ:ખક્ષય થતો નથી, માટે કહે છે કે, કર્મક્ષયાય = જ્ઞાનાવરણીયાદિ કર્મોનું ઘાતક થશે. મોક્ષા = મોક્ષ માટે થશે, વયિત્રામાય = અન્ય જન્મમાં સદ્ધર્મની પ્રાપ્તિ કરાવશે, સંસાર ત્તાર = ભવભ્રમણથી પાર ઉતારશે, કૃતિ કૃત્વ = એ હેતુથી, સંઘ i વિહરામિ = તેને અંગીકાર કરતા અમે વિચારીએ છીએ. અન્તઃ પક્ષસ્થ ય વિતમ્ – હિતમ્ = પરિવર્તિત ન પૃ નાનુપ્રેક્ષિત નાનુપાછિત = આ પખવાડીયામાં જે ભણાવ્યું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન કર્યું નહિ, પૂછ્યું નહિ, અર્થ ચિંતન કર્યું નહિ અને એ રીતે યથાર્થ આરાધ્યું નહિ, તે પણ સતિ વ = શારીરિક બળ હોવા છતાં, Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૪૭ સતિ વીર્વે = આત્માનું ઉત્સાહજન્ય બળ (વીર્ય) હોવા છતાં અને સતિ પુરુષારપર = પુરુષાભિમાનના સફળતારૂપ પ્રરાક્રમ હોવા છતાં (જે વાચનાદિથી આરાધ્યું નહિ), તલાટોવિયામ: = તેને ગુરુ સમક્ષ જણાવીએ છીએ, પ્રતિમામ: = પ્રતિક્રમણ કરીએ છીએ, નિન્દ્રાન = આત્મા સાક્ષીએ નિંદા કરીએ છીએ, : = ગુરુની સમક્ષ નિંદા કરીએ છીએ. તિવર્તયામ: = વિશેષતયા તેની પરંપરાને તોડીએ છીએ વિશોધવામ: = આત્મશુદ્ધિ કરીએ છીએ, અરતિયાડવુત્તિકા : = પુન: નહિ કરવાનો નિશ્ચય કરીએ છીએ અને યથાર્ટમ્ = અપરાધને અનુસાર યથોચિત, તા:* = નિવિ વગેરે તપને, આ તપ એ જ પાપનો છેદ કરનાર હોવાથી, પ્રાશ્ચત્તY = પ્રાયશ્ચિત્તને પ્રતિવદ્યામ = અંગીકાર કરીએ છીએ તથા તસ્ય મિથ્યા ને દુષ્કૃતમ્ = તેનું મિચ્છામિ દુક્કડં આપીએ છીએ. હવે આવશ્યકથી ભિન્ન અંગબાહ્યશ્રુતના બે પ્રકારો છે. એક ઉત્કાલિક અને બીજું કાલિક. તેમાં પહેલાં ઉત્કાલિશ્રુતની સ્તુતિ કરે છે. “न(ण)मो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं उक्कालियं भगवंतं, तं जहा दसवेयालियं कप्पियाकप्पियं चुल्लकप्पसुयं महाकप्पसुयं ओवाइयं रायपसेणियं जीवाभिगमो पण्णवणा महापण्णवणा नंदी अणुओगदाराइं देविंदत्थओ तंदुलवेआलियं चंदाविज्झयं पमायप्पमायं पोरिसिमंडलं मंडलप्पवेसो गणिविज्जा विजाचरणविणिच्छओ झाणविभत्ती मरणविभत्ती आयविसोही संलेहणासुयं वीयराग(य)सुयं विहारकप्पो चरणविही आउरपञ्चक्खाणं महापञ्चक्खाणं, सव्वेसिं (हिं) पि एअंमि अंगबाहिरे उक्कालिए भगवंते०" शेषं पूर्ववत् । (૧) કાલિક : જે દિવસની અને રાત્રિની પહેલી અને છેલ્લી પોરિસીમાં જ ભણી શકાય. તેમાં પણ અસ્વાધ્યાય ન હોય ત્યારે જ ભણી શકાય, આ રીતે ભણવાના કાળથી બદ્ધ તેને કાલિક, અને (૨) ઉત્કાલિક : જે ચાર સંધ્યારૂપ કાળવેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈપણ સમયે ભણી શકાય તેને ઉત્કાલિક કહ્યું છે. પાંચ પ્રકારનો અસ્વાધ્યાય (૧) સંયમ ઘાતી, (૨) ઔત્પાતિક (ઉલ્કાપાતાદિ), (૩) સૂર્ય-ચંદ્રના ગ્રહણ કાળે, (૪) બુધ્રહ (યુદ્ધાદિ) અને (૫) શારીરિક - મૃતકાદિ અશુચિ નિમિત્તક. આ પાંચ પ્રકારો અન્ય શાસ્ત્રોથી (અસ્વાધ્યાય નિર્યુક્તિમાંથી) કે ગુરુગમથી જાણી લેવાં नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यः यैरिदम् वाचितम् अङ्गबाह्यमुत्कालिकं भगवत् तद्यथा = ते ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ આ ઐશ્વર્યયુક્ત અંગબાહ્ય ઉત્કાલિક દિવસ અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહરમાં જ ભણી શકાય અને એમાં પણ અસ્વાધ્યાય ન હોય તો. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (શ્રુત) અમોને આપ્યું અથવા સૂત્રાર્થ ઉભયતયા રચ્યું. તે શ્રુતના નામો આ પ્રમાણે છે. (૧) રાષ્ટિમ્ = દશવૈકાલિક શ્રીશäભવસૂરિજીએ પોતાના પુત્રશિષ્ય મનકને માટે પૂર્વમાંથી ઉદ્ધરેલું, દશ અધ્યયનો હોવાથી અને મધ્યાહ્ન પછી સૂર્યાસ્ત પહેલાં” એમ વિકાળ વેળાએ રચેલું હોવાથી દશવૈકાલિક. શ્રીસંઘની વિનંતિથી ભાવિજીવોનાં ઉપકારાર્થે તેનો ઉપસંહાર ન કરતાં વિદ્યમાન રાખ્યું તે. (૨) ત્પામ્િ = કથ્ય અને અકથ્ય ભાવોનો વિવેક જેમાં બતાવેલ છે તે કલ્પાકલ્પ કે કથ્થાકથ્ય ? (૩) સુન્ધશ્રુતં (૪) મહત્વશ્રુતં = જેમાં અનુક્રમે અલ્પતાથી અને વિસ્તારથી આચારોનું વર્ણન છે, તે લઘુકલ્પસૂત્ર અને બૃહત્કલ્પસૂત્ર. (૫) મોપતિમ્ = ઉપપાત એટલે દેવ-નારકપણે ઉત્પન્ન થવું કે આત્માનું સિદ્ધસ્થાને જવું. તે ઉપપાતને ઉદ્દેશીને રચાયેલું તે ઔપપાતિક. તે આચારાંગસૂત્રનું ઉપાંગ છે. (૯) રાનશ્રીયમ્ = પ્રદેશી રાજાના પ્રશ્નોના ઉત્તરોના સંગ્રહરૂપે રચાયેલું, બીજા સૂત્રકૃતાંગ સૂત્રનું ઉપાંગ છે, (૭) નીવામિ = જીવાદિનું વર્ણન છે તે ત્રીજા શ્રીસ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે. (૮) પ્રજ્ઞાપના અને (૯) મહાપ્રજ્ઞાપના = જેમાં જીવાદિનું નિરૂપણ સામાન્યથી અને વિસ્તારથી છે, તે અનુક્રમે પ્રજ્ઞાપના અને મહાપ્રજ્ઞાપના સૂત્ર ચોથા શ્રી સમવાયાંગસૂત્રના ઉપાંગો છે. (૧૦) નન્દી = નંદીસૂત્ર કે જેમાં પાંચ જ્ઞાનનું સ્વરૂ૫ વર્ણવેલું છે. (૧૧) મનુયોગદાળ = અનુયોગ(વ્યાખ્યાન)નાં ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય” એ ચાર કારોનું સ્વરૂપ જણાવનાર અનુયોગદ્વાર સૂત્ર. (૧૨) રેવેન્દ્રસ્તવ: = દેવોના ઇન્દ્રના ભવનું, આયુષ્યનું વગેરેનું વર્ણન છે તે દેવેન્દ્રસ્તવ (૧૩) ત—વૈવારિક્રમ્ = સો વર્ષના આયુષ્યવાળા પુરુષને પ્રતિદિન ભોગ્ય તંદુલ (ભાત)ની સંખ્યાનો જેમાં વિચાર કરેલો છે તે તંદુલવૈચારિક ગ્રંથ. (૧૪) વન્દ્રાવેણ્યમ્ = (ચન્દ્ર એ રાધા નામની યાંત્રિક પુતળીની આંખની કીકી, તેનો મર્યાદાપૂર્વક વેધ તે “રાધાવેધ' જાણવો. તેની ઉપમા દ્વારા મરણ સમયની આરાધનાને જણાવનારો “ચન્દ્રાવેધ્યક” નામનો એક ગ્રંથ. (૧૫) પ્રમાવાઈપ્રમાલિમ્ = પ્રમાદ અને અપ્રમાદનું સ્વરૂપ, બંનેનો ભેદ, ફળ અને તેથી થનારો સુખ-દુ:ખનો અનુભવ વગેરેને જણાવનારો “પ્રમાદાપ્રમાદ” નામનો એક ગ્રંથ. (૧૬) પૌષિમ_ત્રમ્ = પ્રતિદિનની *પોરિસીના સમયનું જેમાં નિરૂપણ છે તે ગ્રંથ. (૧૭) મ03જીપ્રવેશ: = જેમાં ચંદ્રનો અને સૂર્યના દક્ષિણ-ઉત્તર દિશાનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલો છે તેથી તે ગ્રંથને પણ “મંડલપ્રવેશ' ગ્રંથ કહ્યો છે. (૧૮) વિદ્ય = ગણીને એટલે કે સર્વ વસ્તુની સ્વ સ્વ પ્રમાણ છાયા થાય ત્યારે પૌરૂષી (પુરુષ પ્રમાણ છાયાવાળો સમય) થાય, આવું પ્રમાણ ઉત્તરાયન અને દક્ષિણાયનમાં એક એક દિવસે જ આવે તે પછી ૮/૧૧ આંગળ દક્ષિણાયનમાં પ્રતિદિન વધે અને ઉત્તરાયનમાં પ્રતિદિન ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલ પોરિસીનો સમય જુદો જુદો હોય છે તે આ ગ્રંથમાં જણાવેલ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૪૯ આચાર્યને ઉપયોગી વિદ્યા જેમાં વર્ણવેલ છે તે ગ્રંથનું નામ પણ ‘ગણિવિદ્યા.’ અર્થાત્ દીક્ષા આપવી વગેરે કાર્યોમાં ઉપયોગી શુભ તિથિ, કરણ, નક્ષત્ર વગેરે જ્યોતિષનું અને લક્ષણાદિ નિમિત્તોનું જ્ઞાન કરાવનાર ગ્રંથ વિશેષ. (૧૯) વિદ્યાવરિિનશ્ચય: = વિદ્યા (= સમ્યગ્ જ્ઞાન) અને ચરણ (=ચારિત્ર)ના વિશેષ નિશ્ચયને જણાવના૨ ગ્રંથ. (૨૦) ધ્યાનવિમત્તિઃ = આર્ત્તધ્યાનાદિ ચાર ધ્યાનોનો વિભાગ જેમાં વર્ણવેલો છે તે ગ્રંથ. (૨૧) મરવિત્તિ: આવીચિ આદિ ૧૭ પ્રકારનાં મરણોનું જેમાં પ્રતિપાદન છે તે ગ્રંથ. (૨૨) આત્મવિશુદ્ધિઃ = જીવને ‘આલોચના-પ્રતિક્રમણ’ વગેરે પ્રાયશ્ચિત્તો દ્વારા કર્મોનો નાશ કરવારૂપે વિશુદ્ધિ ક૨વાનો જેમાં ઉપાય બતાવ્યો છે તે ગ્રંથ. (૨૩) સંòવનાશ્રુતમ્ = દ્રવ્ય અને ભાવ એમ ઉભય સંલેખનાનું પ્રતિપાદન કરનારા ગ્રંથનું નામ સંલેખનાશ્રુત. શરીર અને ધાતુઓને ક્ષીણ કરવા માટે તપ આદિનો સ્વીકાર તે દ્રવ્ય સંલેખના તથા ક્રોધાદિ કષાયોને જીતવા માટે ક્ષમાદિનો અભ્યાસ તે ભાવ સંલેખના સમજવી. (૨૪) વીતરાīશ્રુતમ્ = સરાગ અવસ્થાના ત્યાગ સહિત આત્માના વીતરાગસ્વરૂપને જણાવનારો ગ્રંથ. (૨૫) વિહારl: ‘સ્થવિરકલ્પ’ વગેરે સાધુતાના વિવિધ આચારોનું વર્ણન છે તે ગ્રંથ. (૨૬) ચરવિધિઃ = ચરણસિત્તરિને જણાવનારો ગ્રંથ. (૨૭) આતુરપ્રત્યાઘ્યાનમ્ = આતુર = જેમાં ક્રિયા ક૨વામાં અશક્ત બનેલો ગ્લાન), તેનું પચ્ચક્ખાણ જે ગ્રંથમાં છે તે ‘આઉર પચ્ચક્ખાણ’ ગ્રંથ. ગીતાર્થ ગુરૂ વડે ગ્લાનને પ્રતિદિન આહારાદિ દ્રવ્યોના ત્યાગ કરાવતા ક્રમે કરી ભોજનની ઇચ્છાથી નિવૃત્તિ અને અન્તે ચારે આહારને ત્યાગ કરાવવાના વિધિને જણાવતો ગ્રંથ. (૨૮) મહાપ્રત્યાઘ્યાનમ્ = મોટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે તે ગ્રંથ. એમાં સ્થવિકલ્પ અને જિનકલ્પનું પૂર્ણ પાલન કરીને અંતે સ્થવિકલ્પિક મુનિ બાર વર્ષ સુધી સંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયોગ્ય સંલેખના કરીને છેલ્લે ‘ભવરિમ’ નામનું મહાપચ્ચક્ખાણ કરે, તેનું વિસ્તારથી વર્ણન જેમાં છે તે ગ્રન્થ. (અહીં જે ઉત્કાલિક શ્રુતના અઠ્ઠાવીસ નામો કહ્યાં તે ઉપલક્ષણરૂપે જાણવાં. અર્થાત્ એટલું જ ઉત્કાલિક શ્રુત છે એમ નહિ સમજવું.) સર્વસ્મિપિ તસ્મિન્ ગાવાઘે તાહિ = આ ઉપરોક્ત સર્વ પ્રકરના અંગબાહ્ય ઉત્કાલિક શ્રુતમાં કે જે સૂત્ર-અર્થ-ગ્રન્થ, નિર્યુક્તિ અને સંગ્રહણીથી સહિત છે... વગેરે આવશ્યકશ્રુતની જેમ (પૂર્વવત્) જાણી લેવું. હવે કાલિકશ્રુતની સ્તુતિ કરે છે. = “नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं कालियं भगवंतं, तं जहा उत्तरज्झयणाई दसाओ कप्पो ववहारो इसिभासियाई निसीहं महानिसीहं जंबूद्दीवपण्णत्ती चंदपण्णत्ती सूरपण्णत्ती दीवसागरपण्णत्ती खुड्डियाविमाणपविभत्ती महल्लियाविमाणपविभत्ती अंगचूलियाए वग्गचूलियाए Page #217 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ विवाहचूलियाए अरुणोववाए वरुणोववाए गरुलोववाए धरणोववाए वेलंधरोववाए वेसमणोववाए देविंदोववाए उट्ठाणसूए समुट्ठाणसूए नागपरियावलियाणं निरयावलियाणं कप्पियाणं कप्पवडिंसयाणं पुप्फियाणं पुप्फचूलियाणं वण्हियाणं वण्हिदसाणं आसीविसभावणाणं दिट्ठिविसभावणाणं चारण (सुमिण) भावणाणं महासुमिणभावणाणं तेयग्गिनिसग्गाणं सव्वेसि पि एअंमि अंगबाहिरे જાહિદ્ માવંતે ” રોવું પૂર્વવત્ ।। ૧૫૦ ૫: વ્યાખ્યા : - नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितम् अङ्गबाह्यं कालिक्कं भगवत् તદ્યા = તે અમારા ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ આ ભગવત્ (ઐશ્વર્ય યુક્ત) અંગબાહ્ય કાલિકશ્રુત અમોને આપ્યું છે. તે શ્રુતનાં નામ આ પ્રમાણે છે. (૧) ઉત્તરાધ્યયનનિ = આચારાંગ સૂત્રની ઉપર ‘ઉત્તર’ એટલે વધારમાં કહેલાં ‘વિનય અધ્યયન’ વગેરે છત્રીસ અધ્યયનો વાળો ગ્રંથ તે ઉત્તરાધ્યયનાનિ. (૨) વાઃ = દસ અધ્યયનાત્મક ગ્રંથ, જેનું પ્રસિદ્ધ નામ દશાશ્રુતસ્કંધ છે. (૩) = સ્થવિરકલ્પિકાદિ સાધુઓના આચારનો પ્રતિપાદક ગ્રંથ તે કલ્પ. (૪) વ્યવહાર: = પ્રાયશ્ચિત્ત સંબંધી વ્યવસ્થાને જાણવાનારો ગ્રંથ તે વ્યવહાર (૫) ૠષિમાષિતાનિ અહીં ઋષિઓથી પ્રત્યેકબુદ્ધ સાધુઓ લેવા. તે શ્રીનેમિનાથપ્રભુના તીર્થમાં ‘નારદ’ વગેર વીસ, શ્રી પાર્શ્વનાથસ્વામિના તીર્થમાં પંદર, શ્રીવર્ધમાનસ્વામીના તીર્થમાં દસ, એમ કુલ પીસ્તાલીસ ઋષિઓના કહેલા ‘શ્રવણ’ વગેરે તે તે વિષયનાં પીસ્તાલીસ અધ્યયનો તે ‘ઋષિભાષિતાનિ’ જાણવાં. (૬) નિશીયઃ = નિશીથ એટલે મધ્યરાત્રી, તેમાં જેમ વસ્તુ ગુપ્ત ૨હે તેમ ગુપ્ત રાખવા યોગ્ય રહસ્યભૂત અધ્યયન તે ‘નિશીથ’ અર્થાત્ શ્રીઆચારાંગસૂત્રની પાંચમી ચૂલિકા. આ (લઘુ) નિશીથની અપેક્ષાએ મૂળ ગ્રંથ અને અર્થ જેમાં મહાનુ છે તે. (૭) મહાનિશીયઃ = ‘બુદ્ નિશીથસૂત્ર' (૮) નવ્રૂદ્દીપપ્રાપ્તિઃ = જેમાં જંબુદ્વીપ વગેરેનું સ્વરૂપ બતાવેલું છે તે. = = (૯) ચન્દ્રપ્રજ્ઞપ્તિ: = ચંદ્રનું પોતાના માંડલામાં જે પરિભ્રમણ, તેને જણાવના૨ો ગ્રંથ તે ચન્દ્રપ્રજ્ઞપ્તિ. (૧૦) સૂર્યપ્રકૃતિઃ = સૂર્યનાં માંડલા અને તેનું પરિભ્રમણને જણાવનારો ગ્રંથ. (૧૧) દ્વીપસારપ્રકૃતિઃ = અસંખ્યાતા દ્વીપો અને અસંખ્યાતા સમુદ્રોનું જેમાં વર્ણન છે તે ગ્રંથ (૧૨) ક્ષુદ્ધિના વિમાનપ્રવિત્તિ: (૩) મહતી વિમાનપ્રવિમવિત: = વૈમાનિક દેવોનાં શ્રેણીગત અને પ્રકીર્ણક વિમાનોનો વિભાગ જેમાં વર્ણવ્યો છે તે. એક ‘લઘુવિમાનપ્રવિભક્તિ' અને બીજાં વધારે સૂત્રો તથા અર્થવાળી તે ‘મોટી વિમાન પ્રવિભક્તિ.' (૧૪) અાવૃત્ઝિાઃ = શ્રી આચારાંગ વગેરે અંગસૂત્રોની ચૂલિકાઓ તે અંગચૂલિકા અર્થાત્ મૂળગ્રંથમાં કહ્યા ઉપરાંત વિશેષ અર્થનો સંગ્રહ જેમાં કરેલો હોય તે ‘ચૂલિકા’ જાણવી. (૧૫) વર્ણવૃત્ઝિા = વર્ગ એટલે અધ્યયન વગેરેનો સમૂહ, જેમકે શ્રીઅંતગડદશાસૂત્રમાં આઠ વર્ગો છે, તેવા વર્ગો ઉપરની Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૫૧ ચૂલિકાને ‘વર્ગચૂલિકા' જાણવી. (૧૬) વિવા વૃત્તિનાઃ = વિવાહપ્રજ્ઞપ્તિ કે જે પાંચમું અંગ શ્રી ભગવતીસૂત્ર કહેવાય છે, તેની ચૂલિકાઓ તે વિવાહ ચૂલિકાઓ. (૧૭) અનોપપાતઃ = અરૂણ નામના દેવને તથા તેના સિદ્ધાંતને (આચારને) જણાવનારો તથા તેના ઉત્પાતમાં (આગમનમાં) હેતુભૂત ગ્રંથને ‘અરૂણોપપાત’ કહેલો છે. જ્યારે સાધુ ઉપયોગપૂર્વક તેનું આવર્તન (પાઠ) કરે ત્યારે પોતાનું આસન ચલાયમાન થતાં તે ગ્રંથ પોતાના આચારોને જણાવનારો હોવાથી સંભ્રમિત થઈને અરૂણદેવ અધિજ્ઞાનથી તેના આવર્ઝનનું કારણ જાણીને અતિહર્ષિત થઈ જ્યાં સાધુ હોય ત્યાં જઈ ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરવી વગેરે શાસનની પ્રભાવના કરે છે, તેમજ સંવેગની શુદ્ધિવાળો તે દેવ તે ગ્રંથને ઉપયોગપૂર્વક સાંભળે છે, અને સાધુને વરદાન માંગવાનું કહે છે, સાધુ નિ:સ્પૃહતા બતાવે ત્યારે અધિક સંવેગવાળો થઈ તે દેવ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને પાછો જાય છે. એ જ પ્રમાણે- (૧૮) વહોરવાત: (૧૯) રુડોવવાત:, (‘૨૦) પરોવવાત: (૨૧) વેધરોપવાત: (૨૨) વૈશ્રમળોષપાત:. (૨૩) દેવેન્દ્રોપવાત: ઃ એ છ ગ્રંથોનું પણ સ્વરૂપ જાણવું. માત્ર તે તે દેવોનાં તે તે નામ સમજવાં અને પાઠ કરવાથી તેઓનું આગમન વગેરે જાણવું. (૨૪) ઉત્થાનશ્રુતમ્ = ઉત્થાનશ્રુત નામનું અધ્યયન, તે જ્યારે સંઘનું કોઈ વિશિષ્ટ કાર્ય આવી પડે ત્યારે કોઈ કુળ, ગામ, રાજધાની, વગેરેના ઉપદ્રવથી બચવા માટે, તે કુળાદિને ઉપદ્રવ કરવા માટે તેનો સંકલ્પ કરીને આવેશયુક્ત સાધુ અપ્રસન્નમનથી વિષમ-અશુભ આસને ઉત્થાનશ્રુતનું પરાવર્તન (પાઠ) એક-બે અથવા ત્રણવાર કરે તો સંકલ્પિત કુળ, ગામ કે રાજધાની વગેરે ભયભીત થઈને વિલાપ કરતાં શીઘ્રતયા નાસવા માંડે, આવું કાર્ય સંઘ વગેરેની રક્ષા માટે કોઈ તથાવિધ યોગ્ય સાધુને કરવાનું હોય છે. પુન: એ ઉપદ્રવને શાંત કરવા માટે જેનું પરાવર્તન કરે તે (૨૫) સમુત્થાનવ્રુતમ્ = ‘સમુત્થાનશ્રુત’ નામનું અધ્યયન જાણવું, એના પરાવર્તનથી પુન: સર્વલોકો નિર્ભય-સ્વસ્થ-શાંત થાય. (૨૩) નાપર્વાષ્ઠિાઃ = નાગકુમાર દેવોના આચારને જણાવનારું અધ્યયનવિશેષ. જ્યારે સાધુ ઉપયોગપૂર્વક તેનું પરાવર્તન કરે ત્યારે તે દેવનો સંકલ્પ ન કરવા છતાં તે નાગકુમાર દેવો સ્વસ્થાને રહ્યા રહ્યા તેને જાણે, વંદન કરે અને સંઘ વગેરેના કાર્ય માટેનું વરદાન આપે. (૨૭) નિરયાવóિાઃ = શ્રેણિબદ્ધ અને પ્રકીર્ણક નકાવાસનું, તથા ત્યાં ભવિષ્યમાં ઉત્પન્ન થનારા તિર્યંચો - મનુષ્યો વગેરે તે તે ન૨કાધિકારી જીવોનું વર્ણન જેમાં છે તે ‘નિરયાવલિકાઓ’ કહેવાય છે. (૨૮) ત્વિા: = સૌધર્મ વગેરે કલ્પોનું જેમાં વર્ણન છે તે. (૨૯) જ્વાવતસિા = સૌધર્મ અને ઇશાન દેવલોકમાં કલ્પપ્રધાન જે જે વિમાનો છે તે ‘કલ્પાવતંસક’ કહેવાય છે, તેમાં ઉત્પન્ન થતા દેવ-દેવીઓ જે જે વિશિષ્ટતપથી ઉપજે છે અને જે જે વિશેષઋદ્ધિને પામે છે, તે તે ભાવોનું = Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વર્ણન વિસ્તારથી જેમાં છે તે ગ્રંથશ્રેણીને “કલ્પાવતંસિકાઓ' કહેવાય છે. (૩૦) પુષ્યિવI: = જીવ ગૃહવાસનાં બંધનોના ત્યાગથી અને સંયમભાવથી પુષ્પિત (સુખી) થાય, પુન: સંયમભાવના ત્યાગથી અશુભ કર્મો બાંધી દુ:ખોથી હલકા બને (કરમાય) પુનઃ તેના ત્યાગથી (શુભભાવથી) પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ સાધે), તે તે વિષયોનું પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણીને “પુષ્પિકાઓ” કહેવાય છે. (૩૧) પુષ્પવૃIિ: = ઉપર કહી તે પુષ્યિકાઓના વિષયને સવિશેષ જણાવનારી ચૂલિકાઓ. ' (૩૨) વૃા. અને (૩૩) વૃધ્ધિાર: = વૃષ્ણી એટલે અંધકવૃષ્ણી રાજા. તેનું વર્ણન જેમાં કરેલું છે તેને વૃષ્ણિકાઓ કહી છે અને દસ હોવાથી તેને “વૃષ્ણિકદશાઓ” કહે છે. (૩૪) ૩માવિષમવિના: = આશીમાં (દાઢામાં) જેને વિષ હોય તે આશીવિષ કહેવાય. જાતિ અને કર્મથી બે ભેદવાળા (વિછી, દેડકા, સર્પ અને મનુષ્ય વિગેરે જાતિ આશીવિષ છે. પૂર્વભવની લબ્ધિવાળા સહસ્ત્રાર સુધીના દેવો જેઓ જાતિ આશીવિષનો નાશ કરી શકે અને કર્મથી આશીવિષ કહેવાય છે.) આશીવિષના સ્વરૂપનો જેમાં વિચાર છે તે ‘આશીવિષ ભાવનાઓ જાણવી. (૩૫) વિષપાવના: = જેની દૃષ્ટિમાં ઝેર હોય તે જીવોને “દૃષ્ટિવિંષ' કહેવાય, તેઓનો વિચાર જેમાં કરેલો છે તેને દૃષ્ટિવિષ ભાવનાઓ. (૩૬) વારામાવના = જંઘાચારણ અને વિદ્યાચારણ એમ બંને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિઓનું વર્ણન જેમાં છે તે ચારણભાવનાઓ.” (૩૭) મહાસ્વપ્રમાવિના: = ગજ-વૃષભ' આદિ મહાસ્વપ્નોનું સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે તે મહાસ્વપ્નભાવનાઓ. (૩૮) તૈનસાનિસ: = તેજોલેશ્યા દ્વારા તૈજસ નામના શરીરમાં રહેલા અગ્નિને બહાર ફેંકવો વગેરે વર્ણન જેમાં છે તેને તેજસાગ્નિનિસર્ગ કહેવાય છે. (આશીવિષભાવના વગરનું વર્ણન તેના નામોને અનુસાર કર્યું છે. વિશેષ વર્ણન શાસ્ત્રો કે પરંપરાથી મળતું નથી, એમ પાકિસૂત્રની ટીકામાં કહેલું છે.) સર્વક્સિત્રણેતર્ભિન્નવિધિ કાસ્ટિ માવતિ = ભગવત્ એવા આ સર્વ અંગબાહ્ય કાલિકશ્રુતમાં વગેરે શેષઅર્થ પૂર્વ પ્રમાણે જાણી લેવો. અહીં સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક તથા કાલિક, એમ અંગબાહ્યશ્રુતનું વર્ણન કર્યું, હવે અંગપ્રવિષ્ટકૃતનું વર્ણન કરે છે.___ नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवंतं, तं जहा - आयारो सूयगडो ठाणं समवाओ विवाहपण्णत्ती णायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसुयं दिट्ठिवाओ सव्वेसि पि एयंमि दुवालसंगे गणिपिडगे भगवंते०" शेषं पूर्ववत् ।” વ્યાખ્યાઃ નમસ્તે.... ક્ષમાશ્રમળો ફેરિટું આંવિત દ્વાદશાકંમ્ fપટ પાવત્ - તથા = તે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ ભગવતું એવું ‘દ્વાદશાંગ Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૫૩ ગણિપીટક શ્રુત” અમોને આપ્યું છે. અહીં દ્વાદશમ્ = એટલે બાર અંગોનો સમૂહ તથા નિપીટ# =આચાર્યની પેટી = આગમવચનરૂપ રત્નોની પેટી. તેનાં નામો આ પ્રમાણે છે. (૧) મોવીર: = જ્ઞાનાદિ ગુણસાધક આચારોને જણાવનારો ગ્રંથ. (૨) સૂત્રકૃતમ્ = સૂયગડાંગ = માત્ર સૂચન કરે તેવા સૂત્રોનો સંગ્રહ, સ્વ-પર દર્શનનું સ્વરૂપ વગેરે સકલ પદાર્થોને જણાવનારો ગ્રંથ. (૩) ચા = સ્થાનાંગસૂત્ર, એકથી દસ પર્વતના આત્મા વગેરે પદાર્થોનાં સ્થાનોને (સ્વરૂપને) જણાવનારો ગ્રંથ. (૪) સમવાય: = સમવાયાંગસૂત્ર, જેમાં જીવાજીવાદિ પદાર્થોનું સમ્મતિયા વિસ્તારથી વર્ણન છે તે ગ્રંથ. (૫) વિવાહપ્રજ્ઞ: = ‘ભગવતી સૂત્ર' જેમાં શ્રીગૌતમ મહારાજાએ શ્રીવીરપરમાત્માને પૂછેલા પ્રશ્નોના ઉત્તરોરૂપે અનેકવિધ વિષયોનું ગંભીર વર્ણન કરેલું છે તે ગ્રંથ. (૬) જ્ઞાતાધર્મથી: = દૃષ્ટાંતો (જ્ઞાત) દ્વારા ધર્મકથાને જાણવનારો ગ્રંથ. (૭) ૩પસિશ: = ઉપાસક = શ્રમણોપાસક (શ્રાવક), તેની ક્રિયા વગેરેનું જેમાં વર્ણન છે તે ગ્રંથ ઉપાશકદશા. (૮) મન્ત : = કર્મોનો અથવા કર્મના ફળરૂપ સંસારનો અંત જેઓએ કર્યો છે, તે શ્રી તીર્થકરો વગેરે અન્નકૃતોનું પહેલા વર્ગનાં દસ અધ્યયનોમાં વર્ણન હોવાથી તે ગ્રંથનું નામ અંતકતદશા કહેલું છે. (૯) અનુત્તરપતિશી: = સર્વાર્થસિદ્ધ વગેરે પાંચ વિમાનોમાં ઉત્પન્ન થનારા (અનુત્તરવાસી) દેવતાઓનું વર્ણન જેમાં છે, તે ગ્રંથ દસ અધ્યયનવાળો હોવાથી તેનું નામ અનુત્તરોપપાતિકદશા છે. (૧૦) પ્રશ્નાર = પ્રશ્ન અને વ્યાકરણ (એટલે - સમાધાન વચનો) રૂપે રચેલો ગ્રંથ તે પ્રશ્નવ્યાકરણ. (૧૧) વિપાશ્રુતં = શુભાશુભ કર્મોના વિપાકો (ફળ)ને જણાવનારો ગ્રંથ. (૧૨) દૃષ્ટિવાવઃ = સર્વદર્શનોની ભિન્ન-ભિન્ન દૃષ્ટિઓ (અર્થાત્ સર્વનયોરૂપી ભિન્ન-ભિન્ન દૃષ્ટિઓ - અપેક્ષાઓ) જેમાં કહેલી છે તે ગ્રંથ. આ રીતે બાર અંગે જાણવાં. સર્વસ્પિન્નધ્યેતશ્મિન દ્વારા નિપિટ માવતિ = ભગવત્ એવું આ ગણિપિટક અર્થાત્ બાર અંગોરૂપ સર્વદ્વાદશાંગી, તેમાં... વગેરે પૂર્વવત્ | (આ પ્રમાણે સામાન્યથી શાસ્ત્રોના માત્ર નામ કહ્યા, તેનાં ભેદો, વિષયો, અધ્યયનો, ઉદ્દેશા વગેરેનું વર્ણન ગ્રંથવિસ્તારના ભયથી કરેલ નથી, તે અન્યગ્રંથોથી જાણી લેવું.) હવે આ શ્રુતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પોતાના પ્રમાદનું “મિચ્છામિ દુક્કડ' આપવા માટે કહે છે કે "नमो तेंसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवंतं सम्मं काएण (णं) फासंति पालंति पूरंति सोहंति तीरंति किटृति सम्मं आणाए आराहंति, अहं च ना(णा) રામિ તરસ મિચ્છામિ દુક્કડું !” Page #221 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વ્યાખ્યા : નમસ્તેભ્યઃ ક્ષમાશ્રમોમ્યો વૈરિવું વાષિત દાવશા, નિટિવ્ઝ માવત્ = તે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ ભગવત્ એવું આ શ્રી આચાર્યના રત્નોના ખજાના તુલ્ય બાર અંગોરૂપ શ્રુત અમોને આપ્યું છે તથા સભ્ય જાયેન स्पृशन्ति पालयन्ति पूरयन्ति तीरयन्ति कीर्त्तयन्ति सम्यगाज्ञयाऽऽराधयन्ति જેઓ સારી રીતે કાયાથી સ્પર્શ કરે છે = ભણવાના સમયે ગ્રહણ કરે છે, પાલન કરે છે = પુન: પુન: અભ્યાસ વડે રક્ષણ કરે છે, પૂર્ણ કરે છે = બિન્દુ-અક્ષર વિગેરેની ભૂલ સુધારે છે, તરે છે = યાવજ્જીવ યાદ રાખે છે, કીર્તન કરે છે = સમ્યક્ પ્રકારે શબ્દોચ્ચારણ કરે છે. અને આજ્ઞાના યથાર્થપાલન દ્વારા આરાધે છે. (તેઓને પણ ‘નમસ્કાર થાઓ’ એ અર્થ અહીં પણ જોડવો.) વળી અહં ચ નારાધયામિ તસ્ય મિથ્યા મે દુષ્કૃતમ્ હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતો તે તે દોષનું ‘મિથ્યાદુષ્કૃત' આપું છું. અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. = ૧૫૪ હવે મંગલ માટે શ્રુતદેવીની સ્તુતિ કહે છેસૂગ (૫) સેવવા માવડું, નાળવરળીયામ્મસંધાય । તેસિં અવેડ સયં, નેમિં સુવસાવરે મન્ની ।।।।” = વ્યાખ્યા : ભગવતી શ્રુતદેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને હંમેશાં ક્ષય કરો, કે જેઓને આ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રમાં વિનય અને બહુમાનરૂપ ભક્તિ છે. પાક્ષિકસૂત્રનો લેશમાત્ર અર્થ કહેવાયો. હવે જેમ મંગલપાઠકો કોઈ શ્રેષ્ઠકાર્ય પૂર્ણ થતાં રાજાનું બહુમાન કરતાં ‘હે રાજન્ ! આપનો ગયેલો કાળ સુંદર ગયો અને બીજો પણ એવો હિતકર સુંદર આવ્યો' વગેરે કહે છે તેમ સાધુઓ પણ ખામણા (ક્ષમાપના) સૂત્રથી ગુરુનો પાક્ષિક વિયનરૂપ ઉપચાર (સ્તુતિ) કરે છે, તે ખામણા સૂત્ર આ પ્રમાણે છે “इच्छामि खमासमणो ! पिअं च मे, जं भे ! हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्गजोगाणं सुसीलाणं सुव्वयाणं सायरियउवज्झायाणं ना ( णा ) णेणं दंसणेणं चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेण भे ! दिवसो पोसहो पक्खो वइक्कंतो, अन्नो (य) भे ! कल्लाणेणं पज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि ।। " ( " तुब्भेहिं समं' इति गुरुवचनम् ) ।। १ ।। વ્યાખ્યા : રૂર્ચ્છામિ = હું ખમાવવાની અભિલાષા કરું છું. અથવા ઇચ્છું છું. હે ! ક્ષમાશ્રમ[[: ! = હે પૂજ્ય ગુરુજી ! પ્રિયં ચ મમ = (હું ઇચ્છું છું) ‘અને મને પ્રિયમાન્ય પણ છે.’ (એમ કહેવાનું એ કારણ છે કે કોઈને કોઈ કારણે અપ્રિયની પણ ઇચ્છા થાય.) શું ? નં મે ! (થવું મવતાં=) જે આપનો (પર્વ દિવસ અને પક્ષ પૂર્ણ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૫૫ થયો અને બીજો પણ તેવો શરૂ થયો, તે મને પ્રિય છે એમ વાક્ય સંબંધ જોડવો.) હવે ગુરુનાં વિશેષણો કહે છે કે - કેવા આપનો ? હૃદ્યાનાં = નિરોગી એવા આપનો, તુષ્ટાનામ્ = ચિત્તની પ્રસન્નતાવાળા આપનો, અજ્ઞાત≤ાનામ્ = (અલ્પ શબ્દ અભાવ વાચક હોવાથી) સર્વથા આતંક રહિત એવા આપનો, માયોનામ્ = સંયમના યોગો (વ્યાપારો) જેના અખંડ છે એવા આપનો, સુશીછાનામ્ = અઢાર હજાર શીલાંગ (ના આચારો) સહિત એવા આપનો, સુવ્રતાનામ્ = સુંદર પંચ મહાવ્રતના ધારક એવા આપનો, સાર્થોપાધ્યાયાનામ્ = બીજા પણ અનુયોગાચાર્યાદિ ઉપાધ્યાયો વગેરે સહિત એવા આપનો, અર્થાત્ આપનો અને અન્ય પણ આચાર્યાદિક સર્વેનો જ્ઞાનેન વર્શનેન ચારિત્રેળ તપસા આત્માનું માવયતામ્ = જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેનો મે ! = હે ભગવંત ! વિવસઃ પૌષધ: પક્ષ: વદુશુમેન તિાન્ત: = દિવસ (કેવા પ્રકારનો ? તો કહે છે-) પૌષધ અર્થાત્ પર્વરૂપે દિવસ અને પક્ષ (પખવાડીયું) અત્યંત શુભ કાર્યો કરવામાં પૂર્ણ થયો, અન્યશ્ચ મવતાં જ્યાળેન પર્યુપસ્થિતઃ = અને બીજો પક્ષ આપને કલ્યાણકારી શરૂ થયો. હે ક્ષમાશ્રમણ ! હું ઇચ્છું છું, મને પ્રિય છે, માન્ય છે, એમ ગુરુની ભૂત-ભાવિ આરાધનામાં શિષ્ય પોતાની પ્રસન્નતા જણાવીને પ્રણામ કરે છે કે - શિરસા મનસા = મસ્તકવડે, મન વડે અને ઉપલક્ષણથી વચન વડે મત્સ્યળ વંમ = હું મસ્તક વડે વાંદું છું. પ્રણામ કરું છું. (અહીં શિરસા કહેવા છતાં પાછું મસ્થળ યંમિ કહ્યું, તે પદ જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ વ્યુત્પત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કારવચન હોવાથી પુનરુક્તિ દોષ નથી.) એ પ્રસંગે આચાર્ય પણ કહે છે કે - (તુબ્મહિં સમાં) = તમો સર્વની સાથે. (તમારે અને અમારે સ્વ-૫૨ના સહકારથી આરધના થઈ અને આગામી પક્ષમાં આરાધના થશે.) (૧) હવે બીજા ખામણાસૂત્રથી ગુરુને ચૈત્યોનું અને અન્ય સાધુઓનું વંદન કરાવવા માટે શિષ્ય (અન્ય સાધુ-સાધ્વીએ) પોતાના ગુરુને કરેલી વંદનાદિનું નિવેદન કરે છે કે “इच्छामि खमासमणो ! पुव्विं चेइआई वंदित्ता नमंसित्ता तुब्भण्हं पायमूले विहरमाणेणं जे केइ बहुदेवसिआ साहुणो दिट्ठा, सा (स) माणा वा वसमाणा वा, गामाणुगामं दूइज्जमाणा वा, रायणिआ संपुच्छंति, ओमरायणिआ वंदंति, अज्जया वंदंति, अज्जिआओ वंदंति, सावया वंदंति, साविआओ वंदंति, अहं पि निस्सल्लो निक्कसाओ त्ति कट्टु सिरसा मनसा मत्थ વંમિ ।।” (“અહવિ વંમ પેઞરૂં” કૃતિ ગુરુવનનમ્ ) વ્યાખ્યા : ફચ્છામિ ક્ષમાત્રમળા: = ! હે ક્ષમાશ્રમણ ! હું ઇચ્છું છું. શું ? (આપને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ચૈત્યવંદના તથા સાધુવંદના કરાવવા માટે નિવેદન કરવાને..) પૂર્વકાઢે = વિહાર કર્યા પહેલાં આપની સાથે હતો ત્યારે “હું આ ચૈત્યવંદના શ્રીસંઘની વતી કરું છું.” એમ અધ્યવસાય કરીને વૈત્યન= શ્રી જિનપ્રતિમાઓને, વન્દુિત્વી = (સ્તુતિઓ દ્વારા) વંદન કરીને, નમસ્કૃત્ય = પ્રણામરૂપે નમસ્કાર કરીને, ક્યાં અને ક્યારે વંદન નમસ્કાર કરીને ? તે કહે છે કે - પુષ્પાજં પાતમૂ = આપની સાથે હતો ત્યારે અહીં, અને તે પછી વિહરતા મચી = અન્યત્ર વિચરતાં બીજાં ક્ષેત્રોમાં મેં, જે વન વદુર્વાસ: = જે કોઈ ઘણા દિવસના વર્ષોના) પર્યાયવાળા, સાય: દર: = સાધુઓને જોયા, (હું મળ્યો), કેવા સાધુઓ ? સામા વ = વૃદ્ધપણાને કારણે જંઘાબળ ક્ષીણ થવાથી સ્થિરવાસ રહેલા, વસમા વ = અથવા નવલ્લી વિહારવાળા, અને તેથી જ રામાનુગ્રામ દ્રવન્તો વી = ગામોગામ ફરતા, અર્થાત્ વિહારમાં જે કોઈ બહુ પર્યાયવાળા સ્થિરવાસ રહેલા કે ગામોગામ વિચરતા સાધુઓ મને મળ્યા, તેમાં રાત્નિો: સંપ્રશ્રયન્તિ = જે આપનાથી દીર્ઘ ચારિત્ર પર્યાયવાળા (આચાર્યો) મળ્યા, તેમને મેં વાંધા અને આપની વતી પણ મેં તેઓને વંદના કરી, ત્યારે તેઓએ પણ મને આપના કુશળ સમાચાર આદિ પૂછ્યું. અને નવરાત્નિ: વન્દન્ત = આપનાથી લઘુ પર્યાયવાળા જે જે આચાર્યાદિ મળ્યા તેઓએ આપને વંદના કરી-કહી છે. તથા મર્યવા: વન્દને = જે જે આર્યાઓ (સાધ્વીઓ) મળ્યાં, તેઓએ પણ વંદના કહી છે. વળી શ્રાવ: વન્ત = ગામોગામ જે જે શ્રાવકો મળ્યા તેઓએ પણ વંદન કર્યું છે. શ્રાવિI: વેન્ડને = જે જે શ્રાવિકાઓ મળી તેઓએ પણ વંદન કર્યું છે-કહ્યું છે તથા તે વેળા નિ:શ7: નિષા : કદમ શિરસી મનસા મસ્તન વકિ = શલ્યરહિત અને કષાયોથી રહિત એવા મેં પણ શિરથી-મનથી અને (પ્રસંગાનુસાર) વચનથી પણ તેઓને વંદન કર્યું છે. ફેતિ કૃત્વ = તેથી કરીને “આપ પૂજ્ય પણ તેઓને વંદન કરો !” એમ શિષ્યના નિવેદનને સાંભળીને ગુરુ કહે છે કે – ૩પ વર્ને વૈર્યાન = હું પણ તે ચૈત્યોને (અને ઉપલક્ષણથી આચાર્યાદિ શ્રીસંઘને) વંદન કરું છું. હવે ત્રીજા ખામણાથી શિષ્ય પોતાના તરફથી નિવેદન કરતો કહે છે કે "इच्छामि खमासमणो ! उवट्ठिओऽहं (मि) तुब्भणहं संतिअं अहाकप्पं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा (रयहरणं वा) अकखरं वा पयं वा गाहं वा सिलोगं वा (सिलोगद्धं वा) अटुं वा हेउं वा पसिणं वा वागरणं वा तुब्भेहिं चिअत्तेणं दिन्नं, मए अविणएण પચ્છિ, તસ મિચ્છામિ દુધ in” (“ભારતિ” તિ પુર્વવનમ) વ્યાખ્યા છામિ શમશ્રમ = હે ક્ષમાશ્રમણ ! (હું આગળ કહીશ તે પ્રમાણે) ઇચ્છું છું. ૩પસ્થિતોડ૬ = મારું નિવેદન કરવા હું તૈયાર થયો છું. એ નિવેદન કરે Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૫૭ છે કે - પુષ્પાજં સ = આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે તે, કેવું? યથારૂં = સ્થવિરકલ્પને ઉચિત આપે આપેલું છે, તે નામપૂર્વક કહે છે કે- વસ્ત્ર, પતઘઉં, સ્વરું, પાછોચ્છનમ્ (નોદરા) = વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ, તથા અક્ષર, પર્વ, નાથા, છો: (ઝોર્બ) = સૂત્રનો એક માત્ર અક્ષર, પદ, ગાથા (આર્યાબદ્ધ પદ્ય), શ્લોક (અનુષ્ટ્રપ પદ્ય) અને અડધો શ્લોક. વળી અર્થ: હેતુ: પ્રશ્ન: વ્યાર = સૂત્રનો વાચ્યાર્થ તે અર્થ, હેતુ એટલે કારણ, માન ઉતારવા માટે બીજો પૂછે તે પ્રશ્ન અને તેનો સામો ઉત્તર આપવો તે વ્યાકરણ. (દરેક પદની સાથે ‘વા' પદ છે તે સમુચ્ચય (વળી) અર્થમાં છે.) એ પ્રમાણે વસ્ત્રાદિ વગેરે જે જે યુષ્યમ: પ્રીત્યા = આપે માગ્યા વિના મને પ્રીતિપૂર્વક આપ્યું, છતાં મયાડવિનયેન પ્રતીક્ષિત = મેં તે અવિનયથી ગ્રહણ કર્યું, તસ્ય મિથ્યા ને દુકૃતમ્ = તે મારું પાપ મિથ્યા થાઓ ! (એમ શિષ્ય અવિનયાદિની ક્ષમાપના કરે, ત્યારે પણ) આવાર્યસમ્ = એ બધું પૂર્વાચાર્યોએ આપેલું તમને આપ્યું છે, એમાં મારું શું છે ? એમ કહી ગુરુ પોતાના ગર્વનો ત્યાગ અને સ્વગુરુ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરે. (૩) હવે ચોથા ખામણામાં ગુરુએ (જ્ઞાન-ક્રિયારૂપ) જે શિક્ષા આપી તે ગુરુના અનુગ્રહનું શિષ્ય બહુમાન કરે છે કે “इच्छामि खमासमणो अहम(वि)पुव्वाइं कयाइं च मै किइकम्माइं आयारमंतरे, विणयमंतरे सेहिओ सेहाविओ संगहिओ उवग्गहिओ सारिओ वारिओ चोइओ पडिचोइओ चिअत्ता मे पडिचोयणा उवट्ठिओ(हं) (अब्भुढिओ हं) तुब्भण्हं तवतेअसिरीए इमाओ चाउरंतसंसारकंताराओ साहट्ट नित्थरिस्सामि त्ति कट्ट सिरसा मणसा मत्थएण वंदामि" ।। (“नित्थारगपारगा होह") રૂતિ ગુરુવચન) ૪ / વ્યાખ્યા છમિ ક્ષમશ્રમUT: ! મHપૂર્વાણ (તિર્માણ કર્તમ્) = હે ક્ષમાશ્રમણ ! હું અપૂર્વ = ભવિષ્યકાળે (પણ) કૃતિકર્મો (વંદન) કરવાને ઇચ્છું છું. (એમ વાક્ય સંબંધ જોડવો.) તાનિ મા તિર્માણ = તથા મેં ભૂતકાળમાં જે વંદનો કર્યા છે, તે વંદનોમાં, ગાવીરાન્તરે = તેમાં જ્ઞાનાદિ આચારોનું પાલન નહિ કરતાં, તથા વિનયાન્તરે = વિનય નહિ કરતાં અર્થાત્ તેમાં વિનયનો ભંગ કરતાં, શિક્ષિતઃ = આપે સ્વયં તે આચારાદિમાં વિનયાદિ શિખવાડ્યા અથવા (સંદિગો ) ધિત: = આચાર અને વિનયમાં કુશળ બનાવ્યો. અથવા શિક્ષાપત: અથવા સેથાપિત: = શ્રી ઉપાધ્યાય ભગવંતાદિ દ્વારા શિખડાવરાવ્યો કશળ બનાવરાવ્યો. સંગૃહીતઃ = આપે મને શિષ્ય તરીકે આશ્રય આપ્યો, ૩પJદીતઃ = જ્ઞાનાદિ-વસ્ત્રાદિ સંયમનો આધાર આપ્યો, સરિત: = મારા હિત માર્ગે દોર્યો, વારિત: = અહિત પ્રવૃત્તિથી અટકાવ્યો, વોદિત: = Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ : 66 સંયંમની આરાધનામાં સ્ખલના થતી હતી ત્યારે “તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી’ વગેરે મધુર શબ્દોથી પ્રેરણા કરી, પ્રતિષોતિઃ = વારંવાર બચાવ્યો - પ્રેરણા આપી, પિયત્તા મમ પ્રતિોવના = આપની વારંવારની તે પ્રેરણા (ઉપલક્ષણથી શિક્ષા, સેધાનાદિ બધું) મને પ્રીતિકર બની છે. એથી જ ૩પસ્થિતોઽહમ્ (અમ્યુસ્થિતોઽહમ્) = તે તે વિષયોમાં ભૂલો સુધારવા ઉદ્યમી થયો છું. યુષ્મા તપતેનઃશ્રિયા = આપનાં તપના તેજરૂપી લક્ષ્મીથી, રૂત: ચાતુરન્તાત્ સંસારન્તારાત્ સંસ્ક્રૃત્ય. નિસ્તરિામિ = આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અતિદુર્ગમ અટવીમાં (કષાયો,'ઇન્દ્રિયો અને યોગો વગેરેથી ફસાયેલા મારા આત્માનું) હું સંહ૨ણ કરીને અટવીને ઉલ્લંઘી જઈશ. તિા = એ હેતુથી, શિરસા મનસા મસ્તન વામિ = શિરથી, મનથી, (ઉપલક્ષણથી વચન દ્વારા) આપને મસ્તકવડે વાંદું છું. ત્યારે ગુરુ કહે છે કેનિસ્તારાઃ = તમે સંસાર સમુદ્રથી અન્ય જીવોનો અથવા તમે કરેલી પ્રતિજ્ઞાઓને નિર્વાહ કરનારા અને પારઃ = સંસાર સમુદ્રથી પાર પામનારા મવત = થાઓ. (૪) આ રીતે પ્રતિક્રમણના પ્રસંગને અનુસારે એ શેષ કહેવા યોગ્ય કહીને હવે પ્રતિક્રમણ પછીનું કર્ત્તવ્ય જણાવે છે કે (મૂળ શ્લોક-૯૮માં કહેલો) lXs: = પ્રતિક્રમણ પછી “પ્રાદોષિક કાલગ્રહણ કરવું' તે સાપેક્ષ યતિધર્મ છે. આ પ્રોદોષિકને વ્યાઘાતિક (વાઘાઈ) પણ કેહવાય છે. આ પ્રાદોષિક કાલગ્રહણ લેવાનો સમય તારાત્રયેક્ષળે = આકાશમાં ત્રણ તારા દેખાય ત્યારે સમજવો, પણ આનો અર્થ એમ નથી કે ત્રણ તારા ન દેખાય ત્યારે ન લેવું, પરંતુ ત્રણ તારાઓના દર્શનથી ઓળખાતો શાસ્ત્રોક્ત કાળ તે પ્રાદોષિક કાલગ્રહણનો સમય જાણવો. અને તેથી વર્ષાઋતુમાં વાદળાદિના કારણે તારા ન દેખાય, તો પણ તેની વેળાએ પ્રાદોષિક કાળગ્રહણ થઈ શકે. કાલગ્રહણનો વિધિ “શ્રી પ્રવ્રજ્યા યોગાદિ વિધિસંગ્રહ” માંથી જાણી લેવો. કાલગ્રહણ પછી (તે શુદ્ધ આવ્યું હોય તો) અંગ-ઉપાંગ શ્રુતનો વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો તે સાપેક્ષ યતિધર્મ છે II૯૮ બીજી રીતે પણ રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ કરી શકાય છે, તે બતાવતાં કહે છે કે मूलम् - साधुविश्रामणाद्यैश्च, निशाद्यप्रहरे गते । गुर्वादेशादिविधिना, संस्तारे शयनं तथा ।। ९९ ।। ગાથાર્થ : સાધુ (આચાર્યાદિની) વિશ્રામણા વગેરે કરતાં રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થાય ત્યારે ‘ગુરુની પાસે આદેશ માંગવો' વગેરે વિધિપૂર્વક સંથારામાં શયન કરવું તે, સાપેક્ષ યતિધર્મ છે.” Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧પ૯ ટીકાનો સંક્ષેપભાવાર્થ : આચાર્ય, ગ્લાન, પ્રાથૂર્ણક, વૃદ્ધ વગેરેની વિશ્રામણા અર્થાત્ થાક દૂર કરવો, શરીર દાબવું વગેરે સેવા કરતાં અને તે કાર્ય ન કરવાનું હોય તો સ્વાધ્યાય કરતાં રાત્રિનો પ્રથમ પ્રહર પસાર કરી (આગળ સ્વરૂપ કહેવાશે તે રીતે) શયન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. સંથારો પણ ગુરુનો આદેશ મેળવી વિધિપૂર્વક કરવો. યતિદિનચર્યામાં કહ્યું છે કે ઉપરોક્ત કહેલા કાર્યો કરીને સંથારા પોરિસી ભણાવે. સંથારા પોરિસીની વિધિ પ્રતીત છે. સામાન્યત: સંથારો પ્રત્યેક સાધુને પહોળાઈમાં ત્રણ હાથ પ્રમાણ કરવો. આ માપ પ્રમાણયુક્ત વસતિને આશ્રયને જાણવું. વસતિને આશ્રયીને નાનો પણ કરવાનો હોય છે. આચાર્યને પવન વિનાની, વધુ પવનવાળી અને મધ્યમ પવનવાળી એમ ત્રણ પૈકી ઇષ્ટભૂમિમાં સંથારો કરવાની છૂટ છે, બાકીના સાધુઓને ત્રણ પૈકી કોઈ એક જ પ્રકારની ભૂમિએ સંથારો કરવાનો વિધિ છે. વસતિ મોટી હોય તો સાધુઓએ વેરેલાં પુષ્પોની જેમ, નાની હોય તો માંડલી બદ્ધ અને પ્રમાણોપેત હોય તો શ્રેણીબદ્ધ સંથારો કરવો. વિશેષ ઓઘનિર્યુક્તિથી જાણી લેવું. રાત્રે પાત્રા-ઉપાધિ સાથે જ રાખવાની હોય છે તથા ઓશનિયુક્તિમાં કહ્યું છે કે સ્ત્ર પોરિસીનું કાર્ય સમુદાયથી (સાથે) કરવું, “આસજ્જ અને નિસીહિ શબ્દો ન કહેવા, ખાંસી આવતાં (ખોંખારાનો) શબ્દ કરવો, ભૂમિની પ્રાર્થના હાથે ફેરવીને ન કરવી અને વૈરાત્રિક (વરત્તિ) કાળ જયણાપૂર્વક લેવો. આ રીતે સંથારો પાથરીને શિષ્યો ગુરુની પાસે આવીને સંથારા પોરિંસીના આદેશ માંગી સંથારા પોરિસી ભણાવે. ત્યારબાદ ભુજા (હાથ)નું ઓશીકું કરીને ડાબા પડખે શયન કરે, તેમાં કુકડીની જેમ પગ ઊંચે લાંબા કરે. ઊંચે પગ લાંબા ન રાખી શકે તો સંથારાને પ્રમાર્જિને બે પગ તેમાં મૂકે, પુન: પગ ટુંકા કરે ત્યારે સાથળના સાંધાઓ વગેરેને પ્રમાર્જીને ટુંકા કરે. અને પાસું બદલતાં કાયાને પ્રમાર્જે – એ શયન કરવાનો વિધિ જાણવો. રાત્રે વચ્ચે લઘુનીતિની શંકા પડે તો ભય જેવું ન હોય તો એકલો, નહીંતર બે સાધુ લઘુનીતિ માટે વસતિની બહાર નીકળી શંકા ટાળી, પુન: આવી ‘ઇરિયાવહિ.' પ્રતિક્રમણ કરે, પછી ઓછામાં ઓછી ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી, તેમ અશક્ય હોય તો ગાથાનો સ્વાધ્યાય કર્યા વિના પુનઃ સુવે. ઉત્સર્ગથી તો સાધુ કંઈ પણ ઓલ્યા વિના જ સુવે, તેમ ન કરી શકે તો એક કપડો : ઓઢીને સુવે, તેમ પણ ન કરી શકે તો બે કપડાં અને તેમ પણ કરવા અસમર્થ હોય તો ત્રણ કપડા ઓઢીને શયન કરે, તેમ કરવા છતાં શીતઋતુમાં ઠંડી વધારે હોય ત્યારે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વસતિ બહાર ખુલ્લા શરીરે) કાયોત્સર્ગ કરીને અતિઠંડીથી ઠરેલો મકાનમાં આવીને હવે અહીં વાયુ નથી” એમ મનને સમજાવે તે પછી ગધેડાના દૃષ્ટાંતથી ક્રમસ: એક, બે અને ત્રણ કપડા ઓઢે. આ શયનનો વિધિ કહ્યો. આ વિષયમાં ઓઘનિયુક્તિ, યતિદિનચર્યા વગેરેમાં અનેકવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે અવગાહવા ભલામણ. ll૯૯ી. રાત્રિના પ્રથમ પ્રહરનું કર્તવ્ય કહીને હવે બીજા અને ત્રીજા પ્રહરનું કર્તવ્ય જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કેमूलम् - स्थविराणां द्वितीयेऽपि, यामे सूत्रार्थभावनम् । . સદ્ધરાત્રિાસ્ય, તૃતીયે પ્રહ ર સે. ૨૦૦૫ ગાથાર્થ સ્થવિર સાધુઓએ બીજા પ્રહરમાં પણ સૂત્રાર્થનું ચિંતન કરવું અને ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તેઓએ અંધરાત્રિક (અદ્ધરી) કાળ લેવો. ટીકાનો સંક્ષેપભાવાર્થ : સ્થવિર (પ્રૌઢ ગીતાર્થ) સાધુઓએ રાત્રિના પ્રથમ પ્રહરની જેમ બીજા પ્રહરે પણ સૂત્રાર્થનું ચિંતન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. પછી ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તે જ સ્થવિર સાધુઓએ અદ્ધરાત્રિક નામના બીજા કાળને ગ્રહણ કરવો, અર્થાતુ અદ્ધરત્તી કાળગ્રહણ લેવું. આ રીતે પ્રૌઢ સાધુઓ શેષ નિદ્રાધીન થયેલા સાધુઓના રક્ષણ માટે જાગતા રહે અને સૂત્રાર્થનું ચિંતન કરતા બીજો પ્રહર પૂર્ણ કરે. ત્રીજા પ્રહરની શરૂઆતમાં ઉપાધ્યાયાદિ વડીલને જણાવી અર્ધ્વત્રિક કાળ લે. કારણ કે તે સમયે અન્ય સાધુઓ સૂતેલા હોય છે. ||૧૦૦ગા. હવે રાત્રિના ત્રીજા પ્રહરનું સંપૂર્ણ કર્તવ્ય જણાવે છે કે - मूलम् - ततोऽवबोधश्चगुरो-स्तेषां च शयनं तथा । उद्वर्तनादियतना, सन्मनोरथचिन्तनम् ।।१०१।। ૧૭. ગધેડો જ્યારે તેની શક્તિ અનુસાર લાદેલો ભાર ઉપાડવા ન ઇચ્છે ત્યારે માલિક કુંભાર બીજો વધારે ભાર ભરે અને પોતે પણ ઉપર બેસે, એમ થોડુંક ચલાવ્યા પછી પોતે ઉતરી જાય ત્યારે ગધેડો માને કે “મારો ભાર ઊતરી ગયો’ એથી જલ્દી ચાલવા માંડે, વળી થોડુંક ગયા પછી વધારાનો ભરેલો માલ પણ કુંભાર ઉતારી નાખે ત્યારે અતિશીધ્ર ચાલવા માંડે, એમ સાધુ શીતપરીષહનો જય કરવા બધા કપડા ઉતારી નાખી એક એક ઓઢતાં સમાધિ કેળવે. અપવાદથી તો જેમ સમાધિ જળવાય તેમ કરવું. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ગાથાર્થ : અર્ધરાત્રિક કાળ લીધા પછી ગુરુએ જાગવું અને સ્થવિરોએ શયન કરવું, નિદ્રા છોડતી વખતે પાસું ફેરવવું, પગ ટુંકા કરવા, વગેરે જયણાપૂર્વક કરવું અને ઉગ્રવિહાર કરવાના, નવું જ્ઞાન મેળવવાના, વગેર સુંદર મનોરથો કરવા.” ટીકાર્થનો સંક્ષેપભાવાર્થ : ૧૬૧ અદ્ધરત્તી કાળગ્રહણ કર્યા પછી ગુરુએ (આચાર્ય) જાગવું અને (બીજા પ્રહરે જાગેલા) સ્થવિરોએ શયન કરવું. એ બંનેનો સાપેક્ષ યતિધર્મ છે. અર્થાત્ ગુરુએ જાગવું અને સ્થવિરોએ શયન કરવું તે રાત્રિના ત્રીજા પ્રહરનું કર્ત્તવ્ય છે. સ્થવિરો અદ્ધરત્તી કાલગ્રહણ કરીને આચાર્યને જગાડે, તે પછી તેઓને વંદન કરીને ‘કાલશુદ્ધ (સૂઝે)' કહે અને ગુરુ તત્તિ કહે, તે પછી સ્થવિરો સુવે. પછી આચાર્ય બીજા સાધુને જગાડીને, આકાશમાં ગ્રહાદિની ગતિના નિરીક્ષણ દ્વારા કાળનો નિર્ણય કરાવે કરે. અને પોતે વૈરાત્રિકકાળનો સમય થાય ત્યાં સુધી સૂત્રઅર્થને ચિંતવે. જો અદ્ધરાત્રિક કાળ અશુદ્ધ હોય તો જાગેલા સાધુઓ પહેલાં લીધેલા શુદ્ધ પ્રાદોષિકકાળનું પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે, એમ આગળ વૈરાત્રિક(વેરત્તિ)કાળ અશુદ્ધ હોય તો તેની પહેલાં લીધેલા અદ્ધત્તિ કાળનું પ્રવેદન (પવેયણું) કરીને સ્વાધ્યાય કરે, પરંતુ પ્રાભાતિક (પાભાઈ) કાળ અશુદ્ધ હોય તો તેનું જ નિવેદન કરીને પણ સ્વાધ્યાય કરે, એટલો પ્રાભાતિક માટે અપવાદ સમજવો. હવે જાગવાનો વિધિ જણાવે છે કે - ઉર્તનાદિ યતનાપૂર્વક ક૨વું, (ઉર્જાના = એક પડખેથી બીજે પડખું ફરવું. પરિવર્તના = પુન: મૂળ પડખે ફરવું. આકુંચન = પગ સંકોચવા) ઇત્યાદિ કરતાં શરીર અને સંથારાને પ્રમાર્જવારૂપ યતના કરવી. તથા યતિદિનચર્યામાં કહ્યું છે કે ત્રીજા પ્રહરે જાગેલા સાધુઓ સંયમના પાલનમાં અપ્રમાદ, નવું સૂત્રાદિનું અધ્યયન, નિરતિચાર ચારિત્ર પાળવું. વગેરે ઉત્તમ મનોરથો કરે. તથા ઉપાશ્રયના બારણાની ચિંતા (ચોકી) કરે, તે વખતે ગુરુ પણ તત્ત્વનું ચિંતન કરે. ||૧૦૧॥ ચોથા પ્રહરના કર્ત્તવ્યને કહે છે કે मूलम् - " प्राप्ते चतुर्थयामे तु, विश्रामणकृतिर्गुरोः । વિરાધૈર્નારા, તંત્ર વૈરાત્રિવ્રજ્ઞ: ૫૦૨" Page #229 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ગાથાર્થ : ચોથો પ્રહ૨ શરૂ થાય ત્યારે સ્થવિર, બાળ, વૃદ્ધ વગેરે સઘળાઓએ જાગીને ગુરુની વિશ્રામણા કરવી અને ચોથા પ્રહ૨માં વૈરાત્રિક (વેરત્તિ) કાળગ્રહણ કરવું. ૧૬૨ ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : ઉપરોક્ત ગાથાર્થમાં જણાવેલા બંને કાર્યો સાપેક્ષ યતિધર્મ છે. ચોથા પ્રહરમાં ગુરુ પુન: સુવે તે મૂળ શ્લોકમાં કહ્યું ન હોવા છતાં પણ સમજી લેવું. ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે ત્રીજો પ્રહર પૂર્ણ થતાં તે કાળનો પ્રતિચારક સાધુ આચાર્યને ‘સમય આવ્યો' એમ જણાવીને વૈરાત્રિકકાળને ગ્રહણ કરે, આચાર્ય પણ કાળનું પ્રતિક્રમણ કરીને પુન: સુવે, ત્યારે જે સુતેલા હોય તે (સ્થવિર-બાળવૃદ્ધ વગેરે) સઘળા મુનિઓ જાગીને પ્રાભાતિક (પાભાઈ) કાલગ્રહણ કરવાની વેળા થાય ત્યાં સુધી વૈરાત્રિક સ્વાધ્યાય કરે. (સજ્ઝાય પઠાવે) તે પછી એક સાધુ ઉપાધ્યાયને અથવા બીજા વડીલની અનુમતિ મેળવીને પ્રાભાતિક (પાભાઈ) કાળગ્રહણ કરે. ૧૦૨॥ ચોથા પ્રહ૨નું શેષ કર્ત્તવ્ય જણાવતાં કહે છે કે मूलम् : ततः स्वाध्यायकरणं, यावत्प्राभातिकक्षणम् । નૃત્યેવં વિનચર્યાવા-શ્ર્વરનું શુભવો ત:।।૦રૂ। ગાથાર્થ : તે વૈરાત્રિક કાળગ્રહણ કર્યા પછી પ્રાભાતિક કાળગ્રહણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. એ પ્રમાણે દિનચર્યાને કુશળ યોગોથી કરવી. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : વૈરાત્રિક કાળગ્રહણ કર્યા પછી સ્વાધ્યાય કરવો તે સાપેક્ષ યતિધર્મ છે. તે સ્વાધ્યાય પ્રાભાતિક કાળગ્રહણનો સમય થાય ત્યાં સુધી કરવો. આ સ્વાધ્યાય ચોથા પ્રહરે જાગ્યા પછી કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ગ વગેરે વિધિ કરીને પછી કરવો. આ રીતે દિવસ અને રાત્રિનું કહેલું કર્ત્તવ્ય તે તે પ્રકારે કહેવું તે સાપેક્ષ યતિધર્મ છે. આમ અહીં સુધી દિનચર્યાનું વર્ણન ક૨વા દ્વારા તેના અંગભૂત (૧) પ્રતિલેખના (૨) પિંડ (૩) ઉપધિ અને (૪) અનાયતનના ત્યાગ રૂપ ઓઘસામાચારીમાં કહેલા ચાર દ્વા૨ોનું વર્ણન કર્યું. બાકી રહેલા અતિચાર-આલોચના અને પ્રાયશ્ચિત્તરૂપ ત્રણ દ્વારો તે તે સ્થાને કહીશું. આ પ્રમાણે ઓઘસામાઁચારીનો ક્રમ જણાવ્યો. હવે દશધા અને પદિવભાગ એ બે સામાચારીનું સ્વરૂપ જણાવતાં કહે છે કે Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૩૩ मूलम् - इच्छामिच्छातथाकारा, गताऽवश्यनिषेधयोः । आपृच्छा प्रतिपृच्छा च, छन्दना च निमन्त्रणा ।।१०४।। उपसम्पञ्चेति जिनैः, प्रज्ञप्ता दशधाऽभिधा । મેર પવિમાં'તુ, કુત્સા પદ્વતિયો: T૨૦ધા / યુ મમ્ ગાથાર્થ : (૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્વિક, (૫) નૈષધિકી, (૬) પૃચ્છા, (૭) પ્રતિપૃચ્છા, (૮) છન્દના, (૯) નિમંત્રણા, (૧૦) ઉપસંપદા, એમ જિનેશ્વરોએ “દશધા' નામની સામાચારી કહી છે. પદવિભાગ સામાચારી તો ઉત્સર્ગ-અપવાદના ભેદસ્વરૂપ છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ: (૧) ઇચ્છાકાર : તમારી ઇચ્છા હોય તો આ અમુક કાર્ય કરો અથવા તમારી ઇચ્છા હોય તો હું અમુક કાર્ય કરું. એમ સામાની ઇચ્છાનુરૂપ (પણ બલાત્કારે નહિ) આદેશ કે અન્યના કાર્યની માંગણી કરવી તે ઇચ્છાકાર સામાચારી છે. ઉત્સર્ગ માર્ગે તો, સાધુએ છતે સામર્થ્ય કોઈ કાર્ય માટે બીજા સાધુને કહેવું નહિ, પણ પોતાની જાતે જ કરવું. કાર્યને માટે કોઈ કાર્યમાં પોતાની આવડત કે સામર્થ્ય ન હોય ત્યારે રત્નાધિક સિવાયના બીજા સાધુઓ પાસે પોતાનું તે કાર્ય કરાવવા માગણી કરે ત્યારે “ઇચ્છાકાર કરે. અર્થાત્ આટલું કાર્ય કરી આપશો? અથવા તેની માગણી વિના જ તેનું તે કાર્ય કરવાની શક્તિવાળો અને નિર્જરાનો અર્થી કોઈ સાધુ તેની પાસે તે કાર્યની માગણી કરે ત્યારે “ઇચ્છાકાર કરે. અર્થાત્ આપની ઇચ્છા હોય તો કરી શકો છો. અથવા કોઈ સાધુ પોતાનું અતિમોટું પણ કાર્ય કરવાની આવડતવાળો અને શક્તિવાળો હોવા છતાં બીજો નિર્જરાર્થી સાધુ તેનું તે કાર્ય કરવાની માગણી કરતો હોય, તે જાણીને તે કાર્ય કરી આપવાની ઇચ્છાવાળો ત્રીજો સાધુ માગણી કરે ત્યારે તે પણ ઇચ્છાકાર કરે. અર્થાત્ આપની ઇચ્છા હોય તો આપનું આ કાર્ય આને બદલે હું કરું? ટુંકમાં બલાત્કારે નહિ પણ આપની ઇચ્છા હોય તો કરું ? એમ કહેવું તે “ઇચ્છાકાર' કહેવાય. ગ્લાનત્વ, અનાવડત, અસામર્થ્યના કારણે, નિર્જરાર્થી સાધુ અન્યનું કાર્ય કરવાની માંગણી કરે ત્યારે, (શરીર સેવા) વગેરે કરતો હોય, તેને વિશ્રામણા વગેરે વૈયાવચ્ચ કરાવતાં આચાર્યએ પણ ઇચ્છાકાર કરવો જોઈએ. (અર્થાત્ તેની ઇચ્છા જોઈને તે તે કાર્યમાં જોડવો. ટુંકમાં “તું આ કર' એવી આજ્ઞા કે કાર્ય નહિ કરનાર પ્રત્યે બલાત્કાર કરવો તે નિર્ગથ સાધુનો કલ્પ નથી.) આ ઉત્સર્ગમાર્ગ કહ્યો, અપવાદમાર્ગે તો દુર્વિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર પણ અનુચિત નથી. (ઉત્સર્ગથી તો તેવા દુર્વિનીતની સાથે રહેવું ઊચિત નથી, છતાં તે બહુસ્વજનોના Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સંબંધથી પ્રતિબદ્ધ હોવાથી તેને છોડી શકાય તેમ ન હોય ત્યારે પ્રથમ ઇચ્છાકાર” પૂર્વક કામમાં જોડવો, એ રીતે ન કરે તો આજ્ઞાથી જોડવો. અંતે બલાત્કારથી પણ.) (૨) મિથ્થાકાર : સંયમયોગોથી વિપરીત આચરણ થઈ ગયા (કર્યા) પછી શ્રી જિનવચનના મર્મને જાણનાર મુનિ ‘મિથ્યાકાર' કરે છે. એટલે કે પોતે કરેલું મિથ્યા (ખોટું) છે એમ કબૂલ કરે છે. શુદ્ધ ભાવે કરેલું મિથ્યાદુષ્કત કોઈપણ દોષને શુદ્ધ કરવામાં સમર્થ છે. પણ કરેલી ભૂલનું નિર્ધ્વસ પરિણામથી મિથ્યાદુકૃત કરીને પુન: તે પાપને સેવનાર પ્રત્યક્ષ મૃષાવાદી, કપટી છે. (૩) તથાકાર : ‘તે તેમ જ છે' એમ સામાને જણાવવા માટે ‘તથાકાર' (તહત્તિ)નો પ્રયોગ કરાય છે. ગીતાર્થ, ગુર્વાદિ, મૂલ-ઉત્તરગુણથી વિભૂષિત સાધુનું વચન જે વાચનારૂપે, આજ્ઞારૂપે કે પ્રશ્નના ઉત્તરરૂપે હોય તેને આદરપૂર્વક તહત્તિ કહી સ્વીકારવું એ જ તથાકાર. આ ઉત્સર્ગ માર્ગ છે. પણ અપવાદે તો આચારથી શીથિલ છતાં શુદ્ધ પ્રરૂપક અને સુસાધુનાં ગુણોના પક્ષપાતીનું વચન જો યુક્તિસંગત હોય તો સ્વીકારવું અન્યથા નહિ. સુસાધુ અને શુદ્ધ પ્રરૂપક એવા સંવિગ્નપાક્ષિકને ‘તથાકાર નહિ કરનારને મિથ્યાત્વનો ઉદય સમજવો. (૪-૫) આશ્યિ – નૈષેબિકી : આ બેનો વિષય અનુક્રમે નીકળવું અને દાખલ થવું છે. અર્થાત્ સાધુ મકાનમાંથી નીકળતો “આવસ્સહિય' અને મકાનમાં પેસતો ‘નિસીતિય કહે. સાધુને વસતિમાંથી જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં હેતુભૂત ભિક્ષાદિને કારણે જ નીકળવાનું છે, પણ નિષ્કારણ ગમનાગમનનો નિષેધ કરેલો છે, કારણ કે એનાથી આત્મ-સંયમ વિરાધના, સ્વાધ્યાયનો વ્યાઘાત અને તેથી કર્મબંધરૂપ દોષો છે. તેથી જ બહાર નીકળતાં “આવત્સહિય' (અવશ્ય પ્રયોજને) કહેવાનું હોય છે. બહારની પ્રવૃત્તિ સિવાયના કાળે પણ નિરતિચાર ચારિત્રવાળા ક્રિયાયુક્ત સાધુને ગુરુ આજ્ઞાથી પ્રવૃત્તિ માટે બહાર જતાં આવસતિ કહેવી તે સાન્વર્થ હોવાથી શુદ્ધ છે. અર્થાત્ શુદ્ધ સંયમના ઉદ્દેશથી એક સ્થાનમાં રહેતા કષાયાદિ દોષોથી રહિત સાધુને ઉપર કહ્યા તે ગમનાગમનાદિથી થનારા કર્મબંધન વગેરે દોષો થતા નથી, પ્રત્યુત સ્વાધ્યાય વગેરેનો લાભ થાય છે. તો પણ ગુરુ, ગ્લાન વગેરે અન્ય સાધુને પ્રયોજને અવશ્ય જવું. એવા પ્રસંગે બહાર ન જવાથી દોષો થાય છે. આનાથી નિષ્કારણ જવાનો નિષેધ સમજવો. આમ જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિમાં હેતુભૂત ‘ભિક્ષાદિ માટે ફરવું વગેરે બહાર જવાના અનિવાર્ય પ્રસંગે Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રમણ ધર્મ વસતિ બહાર જતાં ‘આવસહિ’ કહેવી. નિસીહિનો વિષય ‘અવગ્રહમાં પ્રવેશ કરવો’ એ છે. અવગ્રહ એટલે ઉપાશ્રય, સ્થાન (કાયોત્સર્ગ) માટે ઉભા રહેવું, દેવનો (જિનમંદિરનો) અવગ્રહ અને ગુરુનો અવગ્રહ (ગુરુના આસનથી સર્વત્ર સાડા ત્રણ હાથ ભૂમિ) વગેરે સમજવું. પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યો જેણે કરી લીધાં છે, તેવો વિશિષ્ટ સાધુ, ગુરુ આજ્ઞાથી જ્યાં શયન, કાયોત્સર્ગ વગેરે ક્રિયા કરવાની હોય ત્યાં જ નિસીહિ કહે, બીજે સ્થળે નહિ. કારણ કે (શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું અન્ય સર્વ કાર્ય કરવાનો નિષેધ થયો, માટે) નિષેધાર્થક નિસીહિ શબ્દનો પ્રયોગ નિષિદ્ધ કાર્યને અંગે જ જ કરવો જોઈએ. દેવ-ગુરુના અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતાં પણ નિસીહિનો પ્રયોગ કરવો જોઈએ. આ બંને સામાચારીનો વિષય એક જ હોવાથી બંનેનો અર્થ પણ એક જ સમજવો, કારણ કે અવશ્ય કર્તવ્યો કરવા માટે આવસહિ અને અન્ય કાર્યોના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરણીયના વિધાન વખતે અકર્ત્તવ્યનો નિષેધ થઈ જ જાય છે. આથી બંને સામાચારીનું એકાર્થિકપણું છે. છતાં શાસ્ત્રમાં બેના નામ ભિન્ન છે. આ આવસહિ અવશ્ય કરણીયની અને નિસીહિ અકરણીયના ત્યાગની પ્રતિજ્ઞારૂપ છે. પ્રતિજ્ઞા પ્રણિધાનસ્વરૂપ છે. એ પ્રણિધાનનું બળ ઘણું છે. એક કાર્ય કરવાનો દૃઢ નિર્ણય કર્યા પછી એમાં આવતા વિઘ્નોને દૂર કરવાનું સામર્થ્ય કર્તામાં પ્રગટે છે. એ જ રીતે અકરણીયના ત્યાગમાં પણ આવતા વિઘ્નનો જય કરવાનું સામર્થ્ય એના પ્રણિધાનથી જ થાય. આમ બંનેના પ્રણિધાન જુદા જુદા થઈ શકે માટે ભિન્ન શબ્દોનો ઉચ્ચાર સૂચવ્યો છે. આથી જ આ બન્નેનો પ્રયોગ ઉપયોગપૂર્વક થવો જરૂરી છે. · · (૬) આપૃચ્છા : તથાવિધ વિનયપૂર્વક નાના-મોટા કોઈપણ પ્રયોજને ગુરુને પૂછવું તે આપૃચ્છા સામાચારી કહેવાય છે. (૭) પ્રતિપૃચ્છા : ગુર્વાદિએ કહેલા કામને, કામ કરતી વખતે પુન: ગુર્વાદિને પૂછવું તે પ્રતિપૃચ્છા. આ પ્રતિકૃચ્છા કરવાનું એ માટે જરૂરી છે કે પૂર્વના કાર્યને સ્થાને અથવા તેની સાથે બીજું કાર્ય ચીંધવાની ગુર્વાદિને ઇચ્છા હોય તો કહી શકે. (૮) છન્દના : અશન-પાન-વસ્ત્ર-પાત્રાદિ લાવ્યા પછી સર્વ સાધુઓને વિનંતિ કરે કે - હું આ અશનાદિ લાવ્યો છું. તેમાંથી કોઈને પણ એ ઉપયોગી હોય તો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ઇચ્છા પ્રમાણે સ્વીકારી અનુગ્રહ કરો.' એમ અશનાદિને આપવા માટે કહેવું તેને છન્દના કહેવાય. (૯) નિમંત્રણા : અશનાદિ લાવ્યા પહેલાં જ સાધુઓને વિનંતિ કરે કે - “હું આપને માટે અશનાદિ લાવું ?' આ રીતે નિમંત્રણા કરે. - (૧૦) ઉપસંપદા : જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે પોતાના ગુરુને છોડીને તેઓની અનુમતિથી અન્ય ગચ્છીય ગુરુની નિશ્રામાં રહેવું તેને “ઉપસંપદા' કહેવાય છે. તેના (૧) ગૃહસ્થ ઉપસંપદા અને (૨) સાધુ ઉપસંપદા એમ બે પ્રકારો છે. પ્રથમ સાધુ ઉપસંપદાનું વર્ણન કરતાં આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે જ્ઞાનવિષયક, દર્શનવિષયક અને ચારિત્રવિષયક એમ ઉપસંપદા ત્રણ પ્રકારની છે. તેમાં જ્ઞાન-દર્શનની ઉપસંપદા ત્રણ-ત્રણ પ્રકારની છે. અને ચારિત્રની ઉપસંપદા બે પ્રકારની છે. દર્શન-જ્ઞાનની ઉપસંપદાના ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. સૂત્રની-અર્થનીતદુભયની એમ ત્રણની વર્તના-સંધના-ગ્રહણ કરવા માટે લેવાતી “જ્ઞાન ઉપસંપદા કુલ નવ પ્રકારની છે. તેમાં પૂર્વે ભણેલા અસ્થિર સૂત્રનું, અર્થનું કે તદુભયનું ગુણન (પાઠ કરવો) તેને વર્તના કહેવાય છે. પૂર્વે ભણેલા છે તે સૂત્રાદિમાંનો જે જે ભાગ વિસ્મૃત થયો હોય તેને પુન: મેળવવો તેને સંધના કહી છે. સૂત્રાદિ પ્રથમવાર જ લેવું તેને ગ્રહણ કહેવાય છે. દર્શન ઉપસંપદાના પણ એ જ (૩*૩=) નવ ભેદો છે. માત્ર તેમાં ભેદ એ છે કે જૈનમતની પ્રભાવના કરે તેવા “સન્મતિતર્ક વગેરે શાસ્ત્રોની વર્તનાદિ ત્રણ માટે આશ્રય લેવાય તે દર્શન ઉપસંપદા. ગુરુઆજ્ઞાથી અને ‘અમુકને ઉપસંપદા આપવી' એવી ભલામણ જેને કરેલી હોય તે આચાર્ય પાસે, એમ ઉપસંપદા લેવામાં બે પદની ચતુર્ભગી થાય. ગુરુ આજ્ઞાપૂર્વક આજ્ઞા કરેલા આચાર્યની પાસે જવું તે પ્રથમ ભાંગો, ગુરુ આજ્ઞાપૂર્વક પણ જેની આજ્ઞા ન કરી હોય તેવા અન્ય આચાર્યની પાસે જવું તે બીજો ભાંગો. આજ્ઞા વિના આજ્ઞા કરેલા આચાર્ય પાસે જવું (જેમકે હમણાં તારે એ આચાર્ય પાસે ન જવું) એ ત્રીજો ભાંગો, આજ્ઞા વિના આજ્ઞા નહિ કરાયેલા આચાર્ય પાસે જવું. (જેમ કે અત્યારે ન જવું તથા અમુક આચાર્ય પાસે ન જવું) એ ચોથો ભાંગો. આ ચાર ભાંગામાં પહેલો શુદ્ધ છે, બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે. કારણકે પ્રથમ સ્વગુરુની પાસે સુત્રાર્થ-ઉભયનું ગ્રહણ કર્યા પછી, તેથી અધિક ભણવાની શક્તિવાળો તે બુદ્ધિમાન સાધુ ગુરુ આજ્ઞાથી ગુરુને જે ઇષ્ટ હોય (જેની પાસે ભણવા મોકલે.) Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૩૭. તેઓની પાસે ઉપસંપદા લે. (તેઓની નિશ્રા સ્વીકારે) એવો ઉપસંપદાનો વિધિ છે. આ વિષયમાં વિશેષ પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવું. ચારિત્ર માટેની ઉપસંપદા બે પ્રકારની છે (૧) વૈયાવચ્ચ વિષયક, (૨) તપ વિષયક તે કાળની અપેક્ષાએ યાવજીવ સુધીની અને અમુક મર્યાદિત કાળ સુધીની પણ હોય છે. કહેવાનો આશય એ છે કે પોતાની ચારિત્રવૃદ્ધિ અને શુદ્ધિ માટે કોઈ સાધુ આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે કે કોઈ તપસ્વી તપ માટે ઉપસંપદા સ્વીકારે, તો પણ તે અમુક કાળ સુધી કે માવજીવ તેઓની નિશ્રામાં રહે. હવે જ્ઞાનાદિની ઉપસંપદા સ્વીકારવાનો આંશિકવિધિ પંચવસ્તુ ગ્રંથના આધારે જણાવાય છે. જ્ઞાનની ઉપસંપદાનો વિધિ છ હારોથી કહેવાશે. (૧) ભૂમિપ્રમાર્જન = પ્રથમ (વાચનાનું) સ્થળ-ભૂમિ પ્રમાર્જન કરવું. (૨) નિષદ્યા (આસન) = બે આસનો કરવાં. એક વાચનાચાર્ય, ગુરુ માટે અને બીંબું સમવસરણ (સ્થાપનાચાર્ય) માટે. (૩) અક્ષ = સ્થાપનાચાર્ય ઉત્સર્ગથી તેના વિના વાચના નહિ કરવી. (૪) કૃતિકર્મ (વંદન) = વાચનાચાર્યને વંદન કરવું. (૫) કાયોત્સર્ગ : સર્વ સાધુઓ વિઘ્ન નિવારવા માટે વાચનાના પ્રારંભમાં (અનુયોગ આઢાવણાર્થ) કાયોત્સર્ગ કરે. ત્યારબાદ ગુરુ સમક્ષ બેસી એકાગ્રપણે વાચના લે. વાચના પુરી થયા બાદ માત્રા વગેરેની બાધા ટાળીને - ગુરુની વિશ્રામણા વગેરે કરીને પછી, (૯) જ્યેષ્ઠને વંદન કરે. વાચનાચાર્ય પર્યાયથી નાના હોય તો પણ સઘળાયે વંદન કરે. (અહીં જ્યેષ્ઠથી સૂત્રાર્થના જ્ઞાતા અને વ્યાખ્યાનની શક્તિવાળા સમજવા.) આ રીતે લઘુ પર્યાયવાળા વાચનાચાર્યને વંદન કરવા છતાં વાચના લબ્ધિથી સંપન્ન હોવાથી રત્નાધિક જ છે, માટે ઉભય પક્ષે આશાતના નથી). દર્શન ઉપસંપદાનો વિધિ પણ જ્ઞાન ઉપસંપદાની વિધિ મુજબ જાણવો. કારણ કે દર્શનપ્રભાવક “સન્મતિ તર્કવગેરે શાસ્ત્રો ભણવા માટે જ દર્શન ઉપસંપદા કહી છે. ચારિત્રની ઉપસંપદામાં (૧) વૈયાવચ્ચની ઉપસંપદાનો વિધિ આ પ્રમાણે છે – જો બીજો વૈયાવચ્ચ કરનાર ન હોય તો આગંતુકને સ્વીકારી લેવો. પોતાની પાસે વૈયાવચ્ચ કરનાર હોય તો, આગંતુક ઇત્વરિક (થોડા કાળ માટે) કે યાવત્કથિક છે તે વિચારવું. જો બંને યાવત્કથિત હોય તો લબ્ધિમાન હોય તેને વૈયાવચ્ચ માટે રાખવો. બંને લબ્ધિમાન હોય તો આગંતુકને ઉપાધ્યાયની સેવામાં રાખવો. તે રીતે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ તેની તૈયારી ન હોય તો પાછો મોકલવો. આ રીતે અનેક વિકલ્પો આવશ્યક નિર્યુક્તિથી જાણી લેવા. (૨) હવે તપ ઉપસંપદાનો વિધિ જણાવે છે. ચારિત્રની વિશિષ્ટ આરાધના માટે કોઈ સાધુ તપ કરવા માટે ઉપસંપદા સ્વીકારે તે પણ ઇત્વરકથિક અને યાવન્કથિક એમ બે પ્રકારની છે. એમાં તપની યાવ«થત એટલે અનશન સ્વીકારનારો જાણવો અને ઇત્વરકથિક અષ્ટમાદિ વિકૃષ્ટ તપ કરનારો તથા ષષ્ઠ ભક્તાદિ અવિકૃષ્ટ તપ કરનારો એમ બે પ્રકારનો હોય. તેમાં વિધિ એવો છે કે અવિકૃષ્ટ તપ કરનાર પારણે અશક્ત થતો હોય તો સમજાવે અને તપના સ્થાને સ્વાધ્યાયાદિની પ્રેરણા આચાર્ય કરે. વિકૃષ્ટ તપવાળો પારણે અશક્ત થતો હોય તો પણ સ્વીકારવો. માસક્ષમણ અથવા અનશન હોય તેને તો અવશ્ય સ્વીકારવો. જ્યારે કોઈ તપ ઉપસંપદા સ્વીકારવા આવે ત્યારે આચાર્ય ગચ્છને પૂછી લેવું. કારણકે તપસ્વી પારણે અશક્ત થાય તો તેની યોગ્ય વૈયાવચ્ચ થઈ શકે તેમ છે કે નહિ તે પણ જાણવું જરૂરી છે. ગચ્છની અનુકુળતા ન હોય તો તેને પાછો મોકલે. વિશેષ, આવશ્યક નિર્યુક્તિથી જાણી લેવું. આ રીતે સાધુ ઉપસંપદાનું વર્ણન પૂરું થયું. “ હવે ગૃહસ્થની ઉપસંપદા માટે કહે છે. તેમાં સાધુઓની મર્યાદા છે કે - “વિહારના માર્ગ' વગેરે કોઈપણ સ્થળે સાધુને થોડો ટાઇમ વૃક્ષની નીચે રોકાવું પડે તો પણ તેના માલિકની) અનુજ્ઞા મેળવીને રહેવું અને તેનાથી ત્રીજા વ્રતની રક્ષા થાય છે. આ ગૃહસ્થની ઉપસંપદા કહી. આ પ્રમાણે સામાચારીનું વર્ણન પૂરું થાય છે. દસ પ્રકારની ચક્રવાલ સામાચારી પણ આવશ્યક નિર્યુક્તિમાં જણાવી છે. પ્રવચન સારોદ્વારમાં તે આ રીતે જણાવેલ છે. (૧) સવાર-સાંજ વસ્ત્રાદિનું પ્રતિલેખન, (૨) વસતિની પ્રાર્થના, (૩) ભિક્ષા માટે ફરવું, (૪) આવીને ઇર્યાપથિકી પ્રતિક્રમણાદિ કરવું, (૫) ભિક્ષા આલોચવી, (૯) આહાર વાપરવો, (૭) પાત્ર ધોવાં, (૮) વડી નીતિ માટે બહાર ભૂમિએ જવું, (૯) ૨૭ અંડિલ પડિલેહવાં, (૧૦) પ્રતિક્રમણ કરવું. આ સામાચારીનું પાલન કરનારા અનંતા ભવોનું અનંત કર્મ ખપાવે છે. ત્રીજી પદવિભાગ સામાચારી કલ્પ, વ્યવહાર નામનાં છેદ સૂત્રોરૂપ છે. એનો વિસ્તાર ઘણો હોવાથી માત્ર અહીં તેનું ટુંકાણમાં જ સ્વરૂપ કહીએ છીએ. ઉત્સર્ગ અને અપવાદરૂપ બે પદોનો માર્ગોનો) વિભાગ તે પદવિભાગ, એમ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૭૯ સમજવું. એ બેનો વિવેક બૃહત્કલ્પ, વ્યવહાર વગેરે ગ્રંથોમાં છે, તે તેમાંથી જાણવો. અહીં તો માત્ર ઉત્સર્ગ-અપવાદનો સમ્યગ્ ભેદ સમજાવનારી સામાચા૨ી તે પવિભાગ સમાચારી. તે નિમત્તની આલોચના અને પ્રાયશ્ચિત્ત વગેરે કહેવાનું છે, તે ઉપસ્થાપના અધિકારની પછી કહીશું. ||૧૦૫ સામાચારીનો અધિકાર પૂર્ણ કરીને હવે ઉપસ્થાપના કહે છે - એ ત્રણ પ્રકારની સામાચારીને આરાધનારા આત્મામાં ઉપસ્થાપનાની એટલે છેદોપસ્થાપના નામના બીજા ચારિત્રની યોગ્યતા પ્રગટે છે. તે જણાવતાં કહે છે કે मूलम् - एवमाराधयन् सामाचारीं सर्वात्मना यतिः । भवेदुपस्थापनार्हः, सा च कार्या यथाविधि ।। १०६।। ગાથાર્થ : એ પ્રમાણે સામાચારીનું અખંડ આરાધન કરતો સાધુ ઉપસ્થાપના માટે યોગ્ય બને, ત્યારે તે ઉપસ્થાપના વિધિપૂર્વક કરવી. ટીકાનો સંક્ષેપભાવાર્થ : ઉપરોક્ત સામાચા૨ીનું સર્વ પ્રયત્નથી અખંડ પાલન કરતો યતિ (જેનું સ્વરૂપ આગળ કહ્યું છે તેવો સાધુ) જેના દ્વારા વ્રતોનું આરોપણ કરાય તે ઉપસ્થાપનાને (પાંચ ચારિત્ર પૈકી બીજા ચારિત્રને) યોગ્ય બને છે. તે ઉપસ્થાપના ગુરુએ આગમમાં કહેલી વિધિ અનુસારે કરવી. તેમાં પ્રથમ ઉપસ્થાપના માટે શિષ્યની યોગ્યતાનું સ્વરૂપ જણાવે છે કેमूलम् - ज्ञातशस्त्रपरिज्ञादि - स्त्यागादिगुणसंयुतः । પ્રિયધર્મા વઘમીરુ-રુપસ્થાોડવમુક્તે ।।૨૦।।" ગાથાર્થ : ‘શસ્ત્રપરિજ્ઞા અધ્યયન' આદિ શાસ્ત્રોને અર્થપૂર્વક જેણે જાણ્યાં છે, ત્યાગ-શ્રદ્ધા-સંવેગ વગેરે ગુણોથી જે યુક્ત છે, ચારિત્રધર્મ જેને પ્રિય છે અને હિંસાદિ પાપોનો જેને ભય પ્રગટ્યો છે, તેને ઉપસ્થાપના માટે યોગ્ય કહેલો છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : આચારાંગસૂત્રનું પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા તથા આદિ શબ્દથી દશવૈકાલિક વગેરે આગમના અર્થ જાણ્યા હોય તે જયણામાં કુશલ બની શકે. કારણ કે જ્ઞાન વિના દયા પાળી શકાતી નથી, માટે તે યોગ્ય છે તથા પરિગ્રહપરિહારરૂપ ત્યાગ, શ્રદ્ધા, સંવેગ વગેરે ગુણોથી યુક્ત હોય તેને યોગ્ય સમજવો, ગુણોથી રહિત હોય તે અંગારમર્દકાચાર્ય વગેરેની જેમ હિંસાદિ પ્રવૃત્તિથી અટકે નહિ. વળી ચારિત્રધર્મ જેને પ્રિય હોય તથા હિંસાદિ પાપોના ભય વાળો હોય, કારણકે તે જ પાપથી અટકે. ઉક્ત ગુણવાળો ઉપસ્થાપનાને યોગ્ય જાણવો. ઉપસ્થાપના માટે અયોગ્ય કેવો હોય તે જણાવે છે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ मूलम् - "अप्राप्तोऽनुक्तकायादि - रज्ञातार्थोऽपरीक्षितः । અનુપસ્થાપનીયોડાં, ગુરુ પાપમUT T૨૦૮ના ગાથાર્થ : જે ઉપસ્થાપના માટે કહેલા દીક્ષા પર્યાયને પામ્યો ન હોય, જેને પૃથ્વીકાયાદિ છકાય જીવોનું, મહાવ્રતોનું અને તેના અતિચાર વગેરેનું જ્ઞાન આપ્યું ન હોય કે આપવા છતાં તે તે અર્થને જે સમજ્યો ન હોય અથવા સમજવા છતાં જેની પરીક્ષા ન કરી હોય, તેવા શિષ્યની ઉપસ્થાપના પાપભીરુ ગુરુએ નહિ કરવી. ટીકાનો સંક્ષેપભાવાર્થ ઃ ઉપસ્થાપનાને (મહાવ્રતોને ઉચ્ચરાવવા માટે) અયોગ્ય સાધુનું વર્ણન કરતાં કહે છે કે - જેનો દીક્ષા પર્યાય ઓછો હોય, દીક્ષા પર્યાય પૂર્ણ થવા છતાં જેને શકય જીવોનું સ્વરૂપ, મહાવ્રતો, વ્રતોના અતિચાર, ચરણ અને કરણ સિત્તરી વગેરેનું જ્ઞાન ન અપાયું હોય અથવા અપાયા છતાં જે સમજ્યો ન હોય અને સમજ્યો હોય તો તેનામાં વ્રતોનું પાલન કરવાનો પરિણામ પ્રગટ્યો છે કે નહિ, એ માટે પરીક્ષા ન કરાયો હોય, તે પણ ઉપસ્થાપનાને અયોગ્ય સમજવો, કારણ કે પકાયાદિના જ્ઞાન અને વ્રતપાલનની પરિણાતિ પ્રગટ્યા વિના ચારિત્ર પાળી શકાય જ નહિ. અયોગ્ય શિષ્યને પાપભીરુ ગુરુએ મહાવ્રતો ઉચ્ચરાવવાં નહિ, કારણ કે આવા અયોગ્ય શિષ્યમાં ઉપસ્થાપના કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, વ્રતાદિની વિરાધના અને મિથ્યાત્વાદિ દોષો લાગે છે. આ ઉપસ્થાપનાની જઘન્યા, મધ્યમ અને ઉત્કૃષ્ટા એમ ત્રણ ભૂમિકાઓ છે. જઘન્યા ભૂમિકા સાત રાત્રિ-દિવસની, મધ્યમા ચાર મહિનાની અને ઉત્કૃષ્ટ છે મહિનાની. તેમાં પૂર્વે બીજા ક્ષેત્રમાં (અન્ય ગચ્છમાં) દીક્ષિત થયેલો હોય તેવા જુના દીક્ષિતને તો (ષકાયાદિના જ્ઞાનથી યુક્ત હોય એ કારણે) ઇન્દ્રિઓનો વિજય કરવા માટે જઘન્યા ભૂમિ અને બુદ્ધિથી હીન-અશ્રદ્ધાળુ એવા શિષ્યને માટે ઉત્કૃષ્ટા ભૂમિ સમજવી. મધ્યમા પણ બોધિ વિનાના અશ્રદ્ધાળુ માટે જ સમજવી. પણ પૂર્વે કહેલી જઘન્યાની અપેક્ષાએ તે મોટી અને ઉત્કૃષ્ટાની અપેક્ષાએ ઓછી (ટુંકી) હોય એમ ભેદ સમજવો. પરિણતબુદ્ધિવાળા નૂતનદીક્ષિતને પણ ઇન્દ્રિયજય કરવા માટે મધ્યમા ભૂમિ જ સમજવી. સ્વયોગ્યભૂમિને પ્રાપ્ત ન થયેલાની ઉપસ્થાપના કરવાથી કે પ્રાપ્ત થયેલાની નહિ કરવાથી ગુરુને મોટો દોષ લાગે છે. ભૂમિને પ્રાપ્ત-અપ્રાપ્તિ એવા પિતા-પુત્ર વગેરેનો કલ્પ ભાષ્યમાં કહેલો ક્રમ, પંચવસ્તુક ગ્રંથથી જાણી લેવો. સામાન્યથી પિતા અને પુત્ર સાથે દીક્ષા લીધી હોય અને બંને ઉપસ્થાપનાને યોગ્ય હોય તો, તે Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૭૧ બંનેની ઉપસ્થાપના સાથે કરવી. પરંતુ પિતાનો ક્ષયોપશમ ઓછો હોય અને પુત્ર યોગ્ય થઈ ગયો હોય તો પિતાને “તમારો પુત્ર નાનો થઈ જશે' ઇત્યાદિ સમજાવી, પિતા સંમત થાય તો પુત્રને પ્રથમ ઉપસ્થાપના કરી શકાય. તેમાં વિશેષ પંચવસ્તુ ગાથા ક૨૨-૯૨૩માંથી જાણી લેવું. સ્થવિર (પિતા) ન સમજે તો ત્રણવાર પ-૫ દિવસનો વિલંબ કરવાપૂર્વક સમજાવવા, એ દરમ્યાન સ્થવિર તૈયાર થઈ જાય તો બંનેને સાથે ઉપસ્થાપવા અને તે પછી સ્થવિર તૈયાર પણ ન થાય અને અનુમતિ પણ ન આપે તો ક્ષુલ્લકની ઉપસ્થાપના કરવી. પ્રશ્ન: જે સ્થવિર સમજાવ્યો પણ ન સમજે તેનામાં સમભાવ છે લક્ષણ જેનું એવું સામાયિક ચારિત્ર જ કેવી રીતે હોઈ શકે ? ઉત્તર : સામાયિક ચારિત્રવાળો પ્રજ્ઞાપનીય (સમજાવ્યો સમજે તેવો) હોય જ તે મત નિશ્ચયનયનો છે. વ્યવહારનયે તો અશુદ્ધ ચારિત્રના સદ્ભાવમાં તેવો સંભવ છે, કારણ કે સામાયિક હોવા છતાં તેને અતિચારના કારણભૂત સંજ્વલન કષાયનો ઉદય ન હોય તેવો મત વ્યવહારનયનો નથી. વ્યવહારનયે તો દુરાગ્રહીને અને પ્રતિપાતિ (અધ્યવસાય ચાલ્યા જવાવાળા) સામાયિકવાળાને પણ ચારિત્ર માન્યું છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે એક જ ભવમાં સમ્યકત્વસામાયિક, શ્રુતસામાયિક અને દેશવિરતિ સામાયિકના (પ્રાપ્તિ અને પતનરૂપ) આકર્ષો ઉત્કૃષ્ટથી સહસ્ત્રપૃથકત્વ (બે થી નવ હજાર સુધી) અને સર્વવિરતિચારિત્રના આકર્ષો શતપૃથત્વ (બસોથી નવસો) સુધી થાય. તે પછી આવેલાં તે તે સમ્યક્તાદિ જાય નહિ અને ગયાં હોય તે આવે. ' આમ રાજા-મંત્રી, પિતા-પુત્ર, માતા-પુત્રી, શેઠ-નોકર વગેરે સાથે દીક્ષિત થયેલા ને જ્યાં પરસ્પર મોટું અંતર પડતું હોય તો ત્યાં લોકવિરોધથી અનુમાન કરીને વર્તન કરવું. વિશેષ પંચવસ્તુથી જાણવું. છકાય જીવોનું જ્ઞાન શિષ્યને કરાવવાનું હોય છે. તેનો વિધિ આ પ્રમાણે છે – ષકાયાદિના જ્ઞાન વિના ઉપસ્થાપના કરવાથી આજ્ઞાભંગાદિ દોષો હોવાથી શિષ્યને પ્રથમ હેતુ-દષ્ટાંતપૂર્વક અનુમાન પ્રમાણની શૈલીથી પકાયાદિનું જ્ઞાન કરાવવું. વાક્યશૈલી આ પ્રમાણે છે. (૧) પ્રતિજ્ઞા : એક ઇન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિનું પણ જીવો છે. (૨) હેતુ : શેષ ઇન્દ્રિયોના અભાવે પણ તેઓને સ્પર્શન ઇન્દ્રિય છે. (૩) દૃષ્ટાંત જે જે રસના વગેરે શેષ ઇન્દ્રિયોના અભાવમાં પણ સ્પર્શન ઇન્દ્રિયવાળા હોય તે તે પૃથ્વીકાય, અપકાય વગેરે જીવ કહેવાય છે. જેમ હણાયેલી પણ ઘાણરસના-આંખ-કાન ઇન્દ્રિયવાળો અંધ - બહેરો વગેરે પણ જીવ છે તેમ.” Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૪) ઉપનય : એકેન્દ્રિયવાળા પૃથ્વીકાય વગેરે તેવા છે. (૫) નિગમન : માટે તે (એકેન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ) જીવ છે. આ રીતે પૃથ્વીકાયાદિમાં જીવની સિદ્ધિ પંચાવયવયુક્ત અનુમાન વાક્યથી કરી. ટુંકમાં તથાવિધ કર્મવિપાકથી કાન વગેરે ઇન્દ્રિયોનું આવરણ થવાથી તે ઇન્દ્રિયના અભાવે પણ બહેરા-અંધ વગેરે અજીવ નથી, તેમ એકેન્દ્રિય પણ અજીવ નથી એમ ભાવાર્થ સમજાવવો. આ રીતે બેઇન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવોમાં જીવંત્વ સિદ્ધ કરવું. કોઈ એમ કહે કે બહેરા-અંધ વગેરેની બાહ્ય ઇન્દ્રિય દેખાય છે તેથી તેને જીવ માનવો ઊચિત છે પરંતુ એકેન્દ્રિયમાં તો બાહ્ય ઇન્દ્રિય દેખાતી નથી માટે જીવ કેવી રીતે મનાય ? તેથી તમારું દૃષ્ટાંત ખોટું છે. તેના પ્રતીકાર માટે કહી શકાય કે ચતુરિન્દ્રિય વગેરે જીવોને કર્મવિપાકથી કાન વગેરે નથી જ, તો પણ તે ચાર ત્રણ કે બે ઇન્દ્રિયવાળા પણ સર્વ જીવો છે અને સર્વ દર્શનવાળાઓ જીવ માને પણ છે. વિવાદ તો માત્ર એકેન્દ્રિયમાં જીવત્વ માનવામાં જ છે. તેને બીજી રીતે પણ સમજાવવો કે - પૃથ્વી, પરવાળાં, લવણ, પત્થર વગેરે પાર્થિવ પદાર્થો પણ સજીવ જ છે. કારણ કે તેને છેદવા છતાં માંસના અંકુરની જેમ તેવા જ અંકુરાઓ પુનઃ ઉગતા પ્રગટ દેખાય છે. અનુમાન પ્રમાણનો પ્રયોગ આ રીતે કરાય ‘જેમ જીવતા પંચેન્દ્રિયના શરીરમાંથી કપાયેલું માંસ પુન: પૂરાય છે, તેમ પૃથ્વી, ૫૨વાળાં વગેરે પણ કાપવા (ખોદવા) છતાં પુન: પૂર્ણ થાય છે. (ઉગે છે) માટે તેઓનું જીવપણું સિદ્ધ છે (૧). પાણીમાં (જલમાં) જીવત્વ આ રીતે સિદ્ધ છે. જેમકે પૃથ્વીનું (કુવાદિનું) પાણી સચિત્ત (જીવવાળું) છે. કારણ કે ભૂમિ ખોદતાં દેડકાની જેમ તે સ્વાભાવિક પ્રગટે છે, જેમ ભૂમિ ખોદતાં દેડકાંની ઉત્પત્તિ સ્વાભાવિક છે. તેમ પૃથ્વી ખોદતાં પાણીની સંભાવના પણ સ્વાભાવિક છે અથવા “વરસાદનું પાણી સજીવ-જીવ છે” કારણ કે જેમ સ્વાભાવિકતયા આકાશમાં ઉત્પન્ન થયેલાં માછલાઓ વરસાદમાં પડતાં દેખાય છે અને તે સજીવ છે, તે જ રીતે સ્વાભાવિકતયા ઉત્પન્ન થયેલા આકાશના પાણીનો પણ વરસાદ પડતો દેખાતો હોવાથી તે પણ સજીવ છે. અથવા ગર્ભની કલલ (રસ) અવસ્થાની જેમ તેમાં સ્વાભાવિક દ્રવત્વ (પ્રવાહીપણું) છે. અર્થાત્ ગર્ભગત કલલ(રસ) સજીવ છે. તેમ પાણી પણ સજીવ છે. આ રીતે. પાણીમાં (જલમાં) જીવત્વની સિદ્ધ થાય છે. (૨) અગ્નિમાં જીવત્વની સિદ્ધિ : ‘અગ્નિ જીવ છે. કે કારણ પુરુષની જેમ તે આહાર લેતો દેખાય છે, અથવા તેમાં વૃદ્ધિ અને વિકાર દેખાય છે.' (આમ અનુમાન પ્રયોગ કરવો.) જેમ પુરુષ આહાર કરતો અને વૃદ્ધિ પામતો દેખાય Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૭૩ છે. તેમ અગ્નિમાં પણ આહાર અને વૃદ્ધિ દેખાય છે. માટે પુરુષની જેમ અગ્નિનું પણ જીવત્વ સિદ્ધ છે. (૩) વાયુમાં જીવત્વની સિદ્ધિઃ વાયુ જીવ છે, કારણ કે - ઘોડાની જેમ બીજાની પ્રેરણા વિના પણ તે અનિયત તિર્જી દિશામાં ગમન કરે છે. એમ અનુમાનનો પ્રયોગ કરવો. આ રીતે વાયુમાં જીવત્વ સિદ્ધ છે. અહીં “અન્યની પ્રેરણા વિના ગમન” કહ્યું, તેથી માટીના ઢેફા વગેરેની સાથે વિરોધ નથી રહેતો, કારણ કે ઢેકું વગેરે બીજાની પ્રેરણા વિના ચાલી શકતાં નથી. અને “અનિયત દિશામાં ગમન” કહ્યું તેથી નિયતદિશામાં (શ્રેણીબદ્ધ) ગતિ કરનારા પરમાણુની સાથે પણ વિરોધ નથી. કારણકે પરમાણુ નિયતદિશામાં (શ્રેણીબદ્ધ) ગમન કરે છે. (૪) . વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ : “વૃક્ષો સચેતન છે, કારણ કે - તેમાં સ્ત્રીની અને ઉપલક્ષણથી પુરુષાદિની જેમ જન્મ, જરા, મરણ, વધવું, આહાર, દોહદ, આમય (બીમારી-પીડા), રોગ, ચિકિત્સા વગેરે હોય છે. જેમ સ્ત્રીઓને જન્મ વગેરે દેખાય છે, તેમ વૃક્ષોમાં પણ તે દેખાય છે. માટે વનસ્પતિમાં જીવત્વ સિદ્ધ છે. (૫) બેઇન્દ્રિય વગેરે ત્રસકાય – જેવા કે કૃમિ, કીડી, ભ્રમર વગેરે તો જીવ છે જ. આમ છકાયનું સ્વરૂપ જણાવીને સાધુના મૂલગુણોરૂપ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજન વિરમણવ્રત અને તેના અતિચારનું સ્વરૂપ સમજાવવું. (જે આગળ કહેવાશે.) આ રીતે ષકાયાદિનું સ્વરૂપ કહીને શિષ્યની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પરીક્ષા કરવી. તે પરીક્ષાના વિષયો પંચવસ્તુ ગ્રંથમાં નીચે પ્રમાણે કહ્યા છે. શિષ્યની પરીક્ષા માટે ગીતાર્થ ગુરુ પોતે ઇરાદાપૂર્વક ઉચ્ચાર-પ્રશ્રવણ (વડી-લઘુ નીતિ) વગેરે જેવાકૂલ ભૂમિમાં વાસિરાવે (તજ), કાયોત્સર્ગ માટે ઉભા રહેવું-બેસવું વગેરે સચિત્ત પૃથ્વીમાં કરે, નદી વગેરેમાં (પાણીની પાસે) ઉચ્ચારાદિ વાસિરાવે (કરે). જ્યાં અગ્નિ બીજાએ નાખ્યો હોય તેવા અગ્નિવાળા પ્રદેશમાં સ્પંડિલ વગેરે વાસિરાવે. વાયુ માટે પંખો વાપરે, લીલું ઘાસ હોય તેવી પૃથ્વીમાં તથા કીડી વગેરે ત્રસજીવો હોય ત્યાં સ્પંડિલ વોસિરાવે. ગોચરી ફરતાં દોષિત આહારાદિ વહોરે. જેથી એની પરીક્ષા થાય. ગુરુ એવી વિરાધના કરે છતાં જો શિષ્ય એ વિરાધના તજે, પોતે એવી પ્રવૃત્તિ ન કરે અને બીજા સાધુને પણ “આમ કરવું અયોગ્ય છે” એમ સમજાવે, તો તેને ઉપસ્થાપના માટે યોગ્ય સમજવો. ઉપસ્થાપના વિધિપૂર્વક કરવી' આવું ૧૦૦મા શ્લોકમાં કહ્યું હતું. તેથી હવે વિધિ કહે છે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મૂ- સેવપુર્વોર્વન્દ્ર , વ્રતોઝાર: પ્રક્ષિUT: વિશ્વસ્તર માધ્યાન, મલ્ટીવેશન વિધિ: પારા' ગાથાર્થ : દેવ-ગુરુને વંદન કરાવવું, વ્રતો ઉચ્ચરાવવાં, ત્રણ પ્રદક્ષિણા દેવરાવવી, દિગબંધ કરવો, તપ કરાવવો, વ્યાખ્યાન કરવું અને માંડલીમાં પ્રવેશ કરાવવો એ ઉપસ્થાપનાનો વિધિ જાણવો. ટીકાનો સંક્ષેપભાવાર્થ : આઠ સ્તુતિથી (નંદિનું) ભગવાનનું દેવવંદન અને ગુરુને દ્વાદશાવર્ત વંદન કરાવવું. અહિંસાથી રાત્રિભોજન વિરમણ સુધીનાં છ વ્રતો ઉચ્ચરાવવાં, સમવસરણ (નંદી)ને પ્રદક્ષિણા અપાવવી, સાધુ હોય તો આચાર્યઉપાધ્યાયના ભેદે બે પ્રકારનો અને સાધ્વી હોય તો તેની પ્રવર્તિની સહિત ત્રણ પ્રકારનો દિગુબંધ (નામ સ્થાપનાવિધિ) કરવો. આયંબિલ વગેરે (શક્તિ અનુસાર) તપ કરાવવો, પાંચ મહાવ્રતોના પાલન માટે શેઠની (ચાર) પુત્રવધુઓના (રોહિણીના) દૃષ્ટાંતથી ઉપદેશ કરવો અને સાત માંડલીમાં પ્રવેશ કરાવવો, એ ઉપસ્થાપનાનો વિધિ સંક્ષેપથી સમજવો. વિસ્તૃત અર્થ પ્રાચીન સામાચારીમાંથી જાણી લેવો. સાત માંડલીમાં પ્રવેશ કરાવવા સાત આયંબિલ કરાવવાં. તે સાત માંડલીઓ આ પ્રમાણે છે. "सुत्ते अत्थे भोअणे, काले आवस्सए अ सज्झाए । સંથારવેવ તહી, સયા મંત્રી નફો I ૬રરા” (પ્રવ. સારોદ્ધાર) ભાવાર્થ : સૂત્રમાં, અર્થમાં, ભોજનમાં, કાલગ્રહણ કરવામાં, પ્રતિક્રમણમાં, સ્વાધ્યાય પઠાવવામાં અને સંથારામાં એમ નિચ્ચે સાત કાર્યમાં સાધુને માંડલી હોય છે. આ દરેક માંડલીમાં એક-એક આયંબિલ કરીને પ્રવેશ થઈ શકે છે. આયંબિલ વિના પ્રવેશ થઈ શકતો નથી. તે સંબંધી વિધિ અન્યગ્રંથોથી જાણી લેવી. /૧૦૯ll આ ઉપસ્થાપના વ્રતારોપણરૂપ છે. તેથી હવે વ્રતોનું વર્ણન કરે છે. मूलम्- अहिंसा सत्यमस्तेयं, ब्रह्माऽऽकिञ्चन्यमेव च । મહાવ્રતાનિ પ ા, વ્રત રાત્રીવમોનનમ્ પાર૨૦મા” . ગાથાર્થ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતો છે. તથા રાત્રિભોજનનો ત્યાગ એ છઠું વ્રત છે. * ટીકાનો સંક્ષેપભાવાર્થ : અન્ય અપેક્ષાએ આ વ્રતોનો વિષય મહાન (વિશિષ્ટ હોવાથી) એ પાંચેય મહાવ્રત કહેવાય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ શ્રમણ ધર્મ "पढमंमि सव्वजीवा, बीए चरमे अ सव्वदव्वाइं । सेसा महव्वया खलु, तदेक्कदेसेण दव्वाणं ।।७९१ ।। ભાવાનુવાદ : પ્રથમ મહાવ્રતમાં ‘સૂક્ષ્મ-બાદર-ત્ર-સ્થાવર' ઇત્યાદિ સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરાય છે. બીજા મહાવ્રતમાં સવ્વલ્વેલું શબ્દથી સર્વદ્રવ્યોમાં મૃષાવાદનો ત્યાગ કરાય છે. પાંચમા મહાવ્રતમાં પણ વિત્તવમસેસુ બેસુ = શબ્દથી સર્વદ્રવ્યોના પરિગ્રહનો ત્યાગ કરાય છે. માટે તે સર્વવિષયક છે. શેષ મહાવ્રતો દ્રવ્યોના અમુક એકદેશના ત્યાગવાળાં છે. જેમકે ત્રીજામાં ગ્રહણ-ધારણીય (લઈ શકાય, રાખી શકાય તેવાં) દ્રવ્યોના અદત્તાદાનનો ત્યાગ અને ચોથામાં રૂપ અને રૂપવાળા પદાર્થોના વિષયમાં અબ્રહ્મનો ત્યાગ છે અને છઠું તો મહાવ્રત નથી, રાત્રિએ અભોજનરૂપ હોવાથી તેને “રાત્રિભોજન વિરમણવ્રત” કહેવાય છે. એ પ્રમાણે નામ માત્રથી વ્રતોને કહ્યાં. ૧૧ ll હવે તે દરેકનું લક્ષણ જણાવવાની ઇચ્છાથી પહેલા અહિંસાવ્રતનું લક્ષણ જણાવે છે. मूलम् - "प्रमादयोगतोऽशेष - जीवाऽसुव्यपरोपणात् । | નિવૃત્તિઃ સર્વથા યાવિવં સા પ્રથમં વ્રતમ્ ા૨૨૨ાા” ગાથાર્થ : પ્રમાદના યોગે સર્વ કોઈ જીવના પ્રાણનો નાશ કરવાનો સર્વથા માવજીવ સુધી ત્યાગ કરવો તે પહેલું વ્રત છે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : અજ્ઞાન, સંશય, (બુદ્ધિની વિપરીતતા રૂ૫) વિપર્યાસ, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યોગદુષ્મણિધાન અને ધર્મમાં અનાદર એ આઠ પ્રકારનાં પ્રમાદના યોગથી = પ્રમાદથી અશેષ = સૂક્ષ્મ, બાદર ત્રસ કે સ્થાવર સર્વ જીવોના, પાંચ ઇન્દ્રિયો - ત્રણ બળ – શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ પ્રાણો પૈકી યથાસંભવ પ્રાણોનો વિનાશ કરવો તે હિંસા અને તેનાથી અટકવું તે અહિંસા કહેવાય. તે અહિંસા દેશથી પણ થઈ શકે છે, માટે કહે છે કે – સર્વથા = સર્વ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી કરવાનો કરાવવાનો અને અનુમોદવાનો એમ ત્રિવિધ-ત્રિવિધ ભાંગાથી ત્યાગ કરવો, તે ત્યાગ અમુક મર્યાદિત કાલ સુધીનો પણ થઈ શકે, માટે કહ્યું કે - “યાવજીવ’ - જીવનપર્યત એ હિંસા નહિ કરવી. (અહિંસાનું પાલન કરવું) તેને પ્રથમ “અહિંસા' મહાવ્રત કહ્યું છે. રાગદ્વેષાદિકષાયોથી દુર્ગતિગમનરૂપ ભાવહિંસાથી આત્માને બચાવવારૂપ સ્વઅહિંસા એ જ પરમાર્થથી અહિંસા છે અને એ સાધવા માટે જ પરની અહિંસા બતાવી છે. સત્ય, ચૌર્યાદિ શેષ મહાવ્રતો આ પ્રથમ મહાવ્રતના સાધનભૂત છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આ વ્રતને પ્રથમ કહેવાનું કારણ એ છે કે બીજા વ્રતોનો આધાર અહિંસા છે અને સૂત્રોમાં વ્રતોનો ક્રમ પણ તે પ્રમાણે છે. પ્રથમવ્રત કહેવાયું, હવે બીજાવ્રતનું લક્ષણ કહે છે કેમૂ - “સર્વથા સર્વતોડીવપ્રિયાગ્રહિતા ! વનાિિનવૃત્તિ, તત્સત્યવ્રતમુને સારા ગાથાર્થ સર્વ અસત્ય, અપ્રિય અને અહિતકર વચનથી સર્વથા નિવૃત્તિ કરવી, તેને સત્યવ્રત કહેવાય છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ સર્વ એટલે કે ક્રોધ-લોભ-ભય-હાસ્ય વગેરે કોઈપણ કારણથી બોલાતા અસત્ય, અપ્રીતિકારક અને ભવિષ્યકાળ અહિતકારી, આમ ત્રણ પ્રકારના દુષ્ટવચનથી સર્વથા = ત્રિવિધ - ત્રિવિધથી અટકવું તે શ્રીજિનેશ્વરોએ સત્યવ્રત કહ્યું છે. પ્રશ્ન : અહીં સત્યવ્રતનો અધિકાર હોવાથી માત્ર “અસત્ય બોલવાથી અટકવું તેટલું સત્ય વ્રત જ છે, તો અપ્રિય અને અહિતકર વચનનો ત્યાગ કરવાનું શા માટે કહ્યું? ઉત્તર : તેનું કારણ એ છે કે વ્યવહારથી સત્ય છતાં અપ્રિય અને અહિતકર વચનમાં પરમાર્થથી અસત્યતા છે. જેમકે ચોરને તું ચોર છે. ઇત્યાદિ કહેવું તે તેને અપ્રિય હોવાથી સત્ય નથી. તેથી જ દશવૈકાલિકના ૭માં અધ્યયનની ૧રમી ગાથામાં કહ્યું છે કે - “તે રીતે કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અથવા ચોરને ચોર પણ નહિ કહેવો.” એ કારણથી જ પ્રવચન સારોદ્ધારમાં છ પ્રકારની અપ્રશસ્ત ભાષાઓ કહી છે. (૧) (અવજ્ઞા પૂર્વકની ભાષા) હીલિતા, (૨) ખ્રિસિતા (નિંદાવચન), (૩) (કઠોર વચન તે) પુરૂષા, (૪) (જુઠ વચન તે) અસત્યા, (૫) (ગૃહસ્થની ભાષામાં “આ પુત્ર છે', “આ ભાણેજ છે.” વગેરે બોલવું તે) ગાર્યસ્થી, (૯) શમેલા કલહને પ્રગટાવનારી. એ છ ભાષાઓ દુષ્ટ છે. વળી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે પરને પીડા કરે તેવું સત્યવચન પણ નહિ બોલવું. જેમકે શિકારી પૂછે ત્યારે “મેં મૃગલાને આ દિશામાં જતા જોયાં છે.” આવું કહેવું તે સત્ય હોવા છતાં અસત્ય છે. આ વ્રતના પાલન માટે ચાર પ્રકારની ભાષાના બેતાલીસ ઉત્તરભેદો છે તે સમજવા જોઈએ. માટે તેનું સ્વરૂપ પ્રવચન સારોદ્ધાર ગ્રંથાનુસાર જણાવાય છે. મુખથી બોલાય તે વચનપ્રયોગને ભાષા કહેવાય, તેના ચાર પ્રકારો છે. (૧) સત્યાભાષા=સત્ ને હિતકારક તે ‘સત્યા' સના ૩ અર્થ છે. (અ) સપુરુષો, (બ) ઉત્તમ એવા ભૂલોત્તરગુણો, (ક) વિદ્યમાન જીવાદિ પદાર્થો, એમ દરેક (સત્)ને Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૭૭ હિતકરનારી ભાષાને સત્ય કહેવાય. અર્થાત્ તે તે વસ્તુસ્વરૂપને જણાવવાની ઇચ્છાથી બોલાતું સંવાદિ (યથાર્થ) વચન. (૨) મૃષાભાષા = સત્યાથી વિપરીત અર્થાત્ વસ્તુસ્વરૂપને સિદ્ધ કરવામાં વિસંવાદિ (અયથાર્થ) વચન. (૩) સત્યામૃષા = સત્ય અને મૃષા ઉભયથી મિશ્રિત (ઉભય સ્વભાવવાળી) ભાષા. (૪) અસત્યા અમૃષા = એ ત્રણેથી વિલક્ષણ, સત્ય નહિ, અસત્ય નહિ અને ઉભય સ્વભાવવાળી પણ નહિ, તેવી ભાષાને (વ્યવહાર ભાષા) વ્યવહારનયથી જાણવી. નિશ્ચયનયથી તો, તે નય ઉપયોગને પ્રમાણભૂત માનતો હોવાથી ઉપયોગપૂર્વક બોલાય તે (૧) સત્યા અને ઉપયોગ રહિત બોલાય તે (૨) અસત્યા. એમ બે જ પ્રકારો પડે છે. આ પણ કથન યુક્તિયુક્ત છે. કારણ કે બોલવામાં જીવનું આરાધકપણું અને વિરાધકપણું એમ બે ભેદો જ રહેલા છે. દેશ આરાધકપણાને અને દેશવિરાધકપણાને શુદ્ધ (નિશ્ચય) નય માનતો નથી. કારણ કે જીવને એક સાથે બે યોગ (નો વ્યાપાર) કે બે ઉપયોગ ઘટતા નથી. જો એમ બંને સાથે માનીએ તો, તેના યોગે કર્મ પણ શબલ (શભાશુભ ઉભય સ્વભાવવાળું) બાંધવાનો પ્રસંગ આવે. (અને એવું કોઈ કર્મ તો છે જ નહિ. જે આઠ કર્મોના ઉત્તરભેદો છે તે તો ક્યાં તો શુભ છે કે ક્યાં તો અશુભ છે. મિશ્ર નથી.) વિશેષ ચર્ચા વિશેષ આવશ્યકમાં કરેલી છે. ચાર ભાષા પૈકી પ્રથમ સત્યાભાષાના જનપદસત્યાદિ દસ પ્રકારો પૂર્વે કહેવાઈ ગયા છે. તેથી બીજી અસત્યા ભાષાના દસ પ્રકારો કહેવાય છે. (૧) ક્રોધ અસત્ય : ક્રોધથી “દાસ ન હોય તેને દાસ” (કે દાસને પણ ક્રોધથી દાસ) કહેવો, તે ક્રોધથી બોલાયું હોવાથી સત્ય હોય કે અસત્ય હોય તો પણ અસત્ય જ કહેવાય છે. (૨) માન-અસત્ય સ્વામી ન હોવા છતાં પણ માનથી પોતાને બીજાનો સ્વામી કહે છે. (૩) માયા-અસત્ય : બીજાને ઠગવાના આશયથી (માયાથી) બોલાય તે. (૪) લોભ-અસત્ય: લોભથી બોલાય, જેમ કે અલ્પમૂલ્ય પદાર્થને બહુમૂલ્ય કહેવો વગેરે.(૫) પ્રેમ-અસત્ય = પ્રેમથી બોલાય છે. જેમ કે (કામરાગથી) સ્ત્રીને કહેવું કે “હું તારો દાસ છું” વગેરે. (૯) વેષ-અસત્યઃ ‘ષથી બોલાયેલી ભાષા છે. જેમ કે મત્સરી ગુણવાનને પણ “આ નિર્ગુણી છે તેવું કહે વગેરે. (૭) હાસ્ય-અસત્ય : હાંસી-મશ્કરીથી કૃપણને પણ દાતાર કહેવો વગેરે હાસ્યથી બોલાય તે. (૮) ભય-અસત્ય : ચોર વગેરેના ભયથી ગમે તે બોલાય તે. (૯) આખ્યાયિકા-અસત્ય : આખ્યાયિકા = કથા, કોઈ વાત કરતાં ન બન્યું હોય તેવું પણ બોલવું તે. (૧૦) ઉપઘાત-અસત્ય: હૃદયના આઘાતથી બોલાય છે. જેમકે કોઈ ચોર કહે ત્યારે સામે ‘તું ચોર છે' ઇત્યાદિ અસભ્ય બોલવું તે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ત્રીજી મિશ્રભાષાના દસ પ્રકારો આ પ્રમાણે છે. (૧) ઉત્પન્નમિશ્રિતા તેમાં ઉત્પન્નની સંખ્યા પૂરવા માટે અનુત્પન્ન છતાં જે ઉત્પન્ન તરીકે બોલાય છે. જેમકે કોઈ ગામમાં ન્યૂનાધિક બાળકોનો જન્મ થવા છતાં, “આજે અહીં દસ બાળકો જન્મ્યા' એવું વ્યવહારથી અનિશ્ચિત બોલવું, તેમાં સત્ય અને અસત્ય બને છે. અથવા જેમકે “હું કાલે તને સો રૂપિયા) આપીશ' એવું કહીને બીજે દિવસે પચાસ આપે તો પણ લોકમાં તે મૃષાવાદી મનાતો નથી, વસ્તુત: બાકીના પચાસ ન આપ્યા તેટલા અંશમાં જૂઠાપણું છે, માટે તેવી ભાષા ઉત્પન્નમિશ્રિતા સમજવી. આ રીતે આંશિક સત્યાસત્ય બીજા ભેદોમાં પણ યથામતિ સમજી લેવું. (૨) વિગત મિશ્રિતઃ ગામમાં મરણ પામેલાની સંખ્યા કરતાં ન્યુનાધિક સંખ્યા કહેવી તે વિગતમિશ્રિત. જેમકે મરણાદિ ‘ગતભાવોને આશ્રયિને મિશ્રવચન બોલાય તે વિગત મિશ્રિત. (૩) ઉત્પન્ન-વિગતમિશ્રિતઃ ઉત્પન્ન-વિગત બંનેને આશ્રયિને બોલવું તે. જેમ કે “આજે દસ જમ્યા અને દસ મર્યા” વગેરે કહેવું તે. (૪) જીવમિશ્રિતઃ જેમકે કોઈ એક ઢગલામાં ઘણા જીવો જીવતા હોય અને થોડા મરેલા પણ હોય, એવા ભેગા રહેલા “શંખ શંખનક' વગેરેના ઢગલાને જીવનો ઢગલો કહેવો તે જીવ મિશ્રિત. (પ) અજીવમિશ્રિત: જેમાં ઘણા મરેલા અને થોડા જીવતાં હોય તેવા સમુહને અજીવસમુહ કહેવો. (૯) જીવાજીવમિશ્રિતઃ તેવા જ ઢગલામાં નિશ્ચય કર્યા વિના “આટલા જીવતા છે અને આટલા મરેલા છે' એવું નિશ્ચય વાક્ય બોલવું તે જીવાજીવમિશ્રિત. (૭) અનન્સમિશ્રિતઃ “મૂલા વગેરે કોઈ અનંતકાયને તેનાં જ પાંદડાં પાકી ગયા હોય ત્યારે કે બીજા કોઈ પ્રત્યેક વનસ્પતિની સાથે મિશ્રિત થયેલા હોય ત્યારે “આ સઘળો અનંતકાય છે” એમ બોલવું તે. (૮) પ્રત્યેકમિશ્રિત પ્રત્યેક વનસ્પતિને અનંતકાય સાથે મિશ્રિત જોઈને બધો સમુહ પ્રત્યેક છે' એમ બોલવું તે. (૯) અદ્વામિશ્રિત : અદ્ધા એટલે કાળ, અહીં પ્રસંગાનુસાર દિવસ કે રાત્રિનો સમજવો. તેનાથી મિશ્રિત તે અદ્ધામિશ્રિત. જેમકે- એક માણસ કામ માટે બીજાને ઉતાવળ કરાવવા માટે દિવસ છતાં બોલે કે - “રાત્રિ પડી.” અથવા રાત્રે પણ જગાડવા માટે કહે કે “દિવસ ઉગ્યો તે અદ્ધામિશ્રિત. (૧૦) અદ્ધાદ્ધા મિશ્રિત : રાત્રિ કે દિવસનો એક ભાગ તે અદ્ધાદ્ધા કહેવાય, તેમાં બીજાને શીવ્રતા કરાવવા માટે પહેલા પ્રહરમાં કોઈ બોલે કે “જલ્દી કર, મધ્યાહ્ન થયો” (એમ રાત્રી માટે પણ સમજી લેવું) એવી ભાષાને અદ્ધાદ્ધામિશ્રિત જાણવી... ચોથી અસત્યા-અમૃષા ભાષાના બાર ભેદો છે. (૧) આમંત્રણી : કોઈને આમંત્રણ કરવા માટે બોલવું તે. જેમકે હે દેવદત્ત ! “ઇત્યાદિ આમંત્રણી ભાષા Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૭૯ : કહેવાય. આ ભાષા સત્યા, અસત્યા કે મિશ્ર પણ નથી, પરંતુ ત્રણેથી ભિન્ન વ્યવહારમાં ઉપયોગી છે, એથી અસત્યા-અમૃષા કહી છે. (૨) આજ્ઞાપની : બીજાને કામમાં જોડવા માટે ‘તું આ કાર્ય કર’ વગેરે આજ્ઞાવચન બોલવું તે. (૩) યાચની : કોઈ બીજાની સામે ‘તું અમુક આપ' વગેરે યાચના માટે બોલવું તે. (૪) પૃચ્છની : અમુક વસ્તુને જાણતો ન હોય કે અમુકને અંગે સંદેહ હોય તેવા પ્રસંગની જાણ માટે ‘આ આમ કેમ છે ?’ વગેરે પ્રશ્ન રૂપે બોલવું તે. (૫) પ્રજ્ઞાપની : શિષ્ય વગેરેને ઉપદેશ આપવા બોલવું તે. જેમ કે ‘જીવદયાના પાલનથી આયુષ્ય લાંબુ ભોગવાય છે.’ વગેરે ઉપદેશવચનને પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે. (૩) પ્રત્યાખ્યાની ઃ કોઈક વ્યક્તિ કોઈ વસ્તુ માગે કે પૂછે ઇત્યાદિ પ્રસંગે નિષેધ ક૨વા બોલવું તે. (૭) ઇચ્છાનુલોમા : બીજાની ઇચ્છાને અનુસરતું બોલવું તે. જેમ કે - કોઈ વ્યક્તિ અમુક કામ ક૨વાની ઇચ્છા પ્રગટ કરે ત્યારે, તેને ‘તમે એ કામ કરો ! મારી પણ એ ઇચ્છા છે.’ વગેરે કહેવું તે. (૮) અનભિગ્રહીતા : પદાર્થનો જેનાથી નિર્ણય (પ્રશ્નનું સમાધાન)ન થાય તેવું બોલવું તે. જેમકે ઘણાં કાર્યો કરવાના હોય ત્યારે, તેને કોઈ પૂછે કે ‘કયું કામ કરું ?’ ત્યારે ‘તમને ઠીક લાગે તે કરો' આવું નિર્ણય વિનાનું બોલવું તે. (૯) અભિગ્રહીતા: જેનાથી નિશ્ચિત સમાધાન કે પ્રેરણા મળે તેવું બોલવું તે. જેમકે ‘આ કામ હમણાં કરવાનું છે’ અને ‘અમુક કાર્ય હમણાં કરવાનું નથી' આવું સ્પષ્ટ જણાવવું તે. (૧૦) સંશયકરણી: અનેક અર્થનું જ્ઞાપક એવું જે વચન, કે જે બોલવાથી સાંભળનારને સંશય થાય, તેવું બોલવું તે. જેમ કે ‘સૈન્ધવ લાવ’ એમ કહેવાથી શ્રોતાને ‘લવણ, પુરુષ કે ઘોડો' શું માગે છે ? તે નિશ્ચિત ન થાય. પરંતુ સંશય થાય, કારણ કે સૈવ શબ્દના એ દરેક અર્થો થાય છે. (૧૧) વ્યાકૃતા : સ્પષ્ટ અર્થવાળી ભાષા કે જે બોલવાથી શ્રોતાને સ્પષ્ટ (નિશ્ચિત) જ્ઞાન થાય. (૧૨) અવ્યાકૃતા = અતિગંભીર શબ્દાર્થવાળી ભાષા કે સ્પષ્ટ છતાં અસ્પષ્ટ અક્ષરોવાળી શ્રોતાને ન સમજાય તેવી ભાષા. આમ ચારે ભાષાના બેતાલીસ ઉત્તરભેદો કહ્યા. તે સર્વેને સારી રીતે જાણવા જોઈએ. આ ચાર પૈકી પ્રથમ અને ચોથી ભાષા બોલવા યોગ્ય છે. ૧૧૨ આ પ્રમાણે બીજા મહાવ્રતનું વર્ણન પુરું થયું. હવે ત્રીજા મહાવ્રતનું વર્ણન કરે છે. सकलस्याऽप्यदत्तस्य, ग्रहणाद्विनिवर्त्तनम् । मूलम् सर्वथा जीवनं यावत्, तदस्तेयव्रतं मतम् ।।११३ ।। ગાથાર્થ : સર્વ પ્રકા૨ના અદત્તને જીવનપર્યંત સર્વ પ્રકારે લેતાં અટકવું, તેને શ્રી જિનેશ્વ૨૫૨માત્માઓએ ત્રીજું અસ્તેયવ્રત કહ્યું છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ટીકાનો સંક્ષેપભાવાર્થ : ચારે પ્રકારના અદત્તને ‘ત્રિવિધ ત્રિવિધેન’ યાવંજીવ સુધી ન લેવું તે ત્રીજું અસ્તેયવ્રત છે. ચાર પ્રકારનું અદત્ત આ પ્રમાણે છે. (૧) સ્વામી અદત્ત: તૃણ, કાષ્ઠ વગેરે વસ્તુને માલિકની રજા વિના લેવું તે સ્વામી અદત્ત. (૨) જીવ અદત્ત : વસ્તુનો માલિક આપતો હોય, છતાં તે વસ્તુમાં રહેલો જીવ સંમત ન થાય, છતાં પણ તેનો ઉપયોગ કરવો તે જીવ અદત્ત ગણાય. જેમકે પ્રવ્રજ્યાની ઇચ્છા વિનાના પુત્ર વગેરેને તેના માતા-પિતાદિ સાધુને આપે તે જીવ અદત્ત કહેવાય. (૩) તીર્થંકર અદત્ત : જેના સ્વામીએ આપેલું હોય અને પ્રાસુક પણ હોય અર્થાત્ જીવ વડે પણ વિસૃષ્ટ હોય, પરંતુ જે લેવાનો તીર્થંકરોએ નિષેધ કર્યો હોય તેવું લેવું તે તીર્થંકર અદત્ત. જેમકે આધાકર્મ દોષવાળું અન્નાદિ. (૪) ગુરુ અદત્ત : તીર્થંકરોએ નિષેધ ન કર્યો હોય, નિર્જીવ હોય, માલિકે આપ્યું હોય, પરંતુ ગુરુની તે લેવાની અનુજ્ઞા ન હોય, તો તે વાપરવું તે ગુરુ અદત્ત. આ ચારે પ્રકારના અદત્તનો જીવનપર્યંત ત્યાગ કરવો તે ‘અદત્તાદાન વિરમણ' મહાવ્રત કહેવાય. ત્રીજું મહાવ્રત કહ્યું, હવે ચોથું મહાવ્રત કહે છે... ૧૮૦ मूलम् - दिव्यमानुषतैरश्च-मैथुनेभ्यो निवर्त्तनम् । त्रिविधं त्रिविधेनैव तद् ब्रह्मव्रतमीरितम् ।।११४।। ગાથાર્થ : દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી, એમ ત્રણેય મૈથુનોથી ત્રિવિધ-ત્રિવિધ ભાંગે નિવૃત્તિ કરવી, તેને બ્રહ્મવ્રત, કહ્યું છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : વૈક્રિયશરીરધારી દેવસંબંધી, ઔદારિકશરીરધારી મનુષ્ય સંબંધી અને તિર્યંચ યોનિવાળા દેહસંબંધી - એ ત્રણે પ્રકારના સ્ત્રી-પુરુષના સંભોગની ક્રિયાથી અટકવું તેને બ્રહ્મવ્રત કહેવાય છે. તે દેશથી પણ થતું હોવાથી કહ્યું કે ‘ત્રિવિધ-ત્રિવિધેન' અર્થાત્ મન-વચન-કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને અનુમોદવું પણ નહિ, તેને શ્રીજિનેશ્વરોએ બ્રહ્મચર્યવ્રતં કહ્યું છે. તે પણ યાવજ્જીવ. આ રીતે ઔદારિક અને વૈકિય એમ બે શરીરના મન-વચન-કાયાથી (૩×૨)=૬ ને સેવવું આદિ ત્રણની સાથે ગુણતાં અઢાર પ્રકારનું બ્રહ્મચર્યવ્રત છે ।।૧૧૪૫ ચોથું મહાવ્રત કહ્યું, હવે પાંચમું મહાવ્રત કહે છે. मूलम् - "परिग्रहस्य सर्वस्य सर्वथा परिवर्जनम् । आकिञ्चन्यव्रतं प्रोक्तमर्हद्भिर्हितकाङ्क्षिभिः । ।११५ ।। ગાથાર્થ : સર્વ પ્રકારના પરિગ્રહનો સર્વ પ્રકારે ત્યાગ કરવો તેને હિતકાંક્ષી શ્રી અરિહંત દેવોએ આકિંચન્ય (અપરિગ્રહ)વ્રત કહ્યું છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૮૧ : ટીકાનો સંક્ષેપભાવાર્થ : સર્વ એટલે સચિત્ત-અચિત્ત વગેરે સર્વ પદાર્થોમાં અથવા સર્વદ્રવ્યો, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવોમાં, પરિગ્રહ (મૂર્ચ્છના પરિણામ)નો ત્રિવિધ-ત્રિવિધથી ત્યાગ કરવો, તેને હિતેચ્છુ એવા શ્રીતીર્થંકર ૫૨માત્માઓએ આકિંચન્ય (અપરિગ્રહવ્રત) કહ્યું છે. જેને કિંચન (એટલે કંઈપણ) દ્રવ્ય ન હોય તે ‘અકિંચન’ અને અકિંચનપણું તે આકિંચન્ય અર્થાત્ અપરિગ્રહવ્રત કહેવાય. આ શબ્દાર્થ કહ્યો. ભાવાર્થ આ રીતે છે - મૂર્છાને જ પરિગ્રહ કહેવો તે યુક્તિયુક્ત છે. કારણ કે પાસે ધન ન હોવા છતાં રાજગૃહીના ભિખારીને ધનની મૂર્છાના કારણે સંક્લેશ થયો હતો. એ રીતે મૂર્છાવાળાને દુર્ગતિના કારણભૂત સંક્લેશનો સંભવ છે. બીજી બાજુ તૃષ્ણારૂપ કાળી નાગણી જેઓના મનને ઉપદ્રવ કરી શકતી નથી, તેવા મહાત્માઓને પ્રશમસુખનો આનંદ અનુભવવાથી વિશિષ્ટ દ્રવ્યાદ્િરૂપ સામગ્રી (સંપત્તિ) હોવા છતાં ચિત્તમાં સંક્લેશ થતો નથી. તે જ કારણે ધર્મ માટે ધર્મોકરણને રાખવા છતાં મુનિઓને પોતાના શરીરમાં અને ઉપકરણ (વસ્ત્રાદિમાં) નિર્મમત્વ હોવાથી અપરિગ્રહી કહ્યા છે. આમ ધર્મોકરણ રાખવા છતાં મૂર્છાનો અભાવ હોવાથી જેમ સાધુઓને અપરિગ્રહવ્રત અખંડ રહે, છે તેમ સાધ્વીઓને પણ પરિગ્રહ દોષ (થી બચવું અશક્ય) નથી, માટે ધર્મોપકરણ તરીકે તે વસ્ત્રાદિ રાખવા માત્રથી ‘તેઓનો મોક્ષ ન થાય' એમ કહેવું તે તથ્યહીન જ છે. આ પાંચ મહાવ્રતોને વિશિષ્ટ ગુણોથી જે વાસિત કરે તે તેની ભાવનાઓ છે, તે ગ્રંથકારશ્રી જણાવે છે मूलम् - 'एतानि भावनाभिश्च प्रत्येकं पञ्चभिः મત્તિ માવિતાન્યેવ, વથો મુળમાજ્ઞિ તુ ।।૬।।” ગાથાર્થ : એ પાંચ વ્રતો પ્રત્યેક, તેની પાંચ-પાંચ ભાવનાથી સમ્યગ્ ભાવિત (વાસિત) થાય તો જ કહ્યા તેવા (વિશિષ્ટ) ગુણવાળાં બને છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : એ પાંચે મહાવ્રતોનું જે લક્ષણ કહ્યું તેવા લક્ષણવાળાં ત્યારે બને કે જ્યારે તે વ્રતો તેની ભાવનાઓથી સમ્યગ્ ભાવિત થયાં હોય. પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાઓ છે. તેનાથી ભાવિતાત્માના મહાવ્રતો યથાર્થ ગુણવાળા બને છે. પ્રથમ મહાવ્રતની ભાવનાઓ : યોગશાસ્ત્રના પ્રકાશ-૧ની ગાથા-૨૬માં કહ્યું છે કે मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाऽहिंसां भावयेत् सुधीः । Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૧) મનોગુપ્તિ, (૨) એષણા સમિતિ, (૩) આદાન સમિતિ, (૪) ઇર્યાસમિતિ, (૫) આહાર પાણીને જોઈને ગ્રહણ કરવાં. એ પાંચ ભાવનાઓથી બુદ્ધિમાન મુનિ અહિંસાવતનું રક્ષણ (પાલન) કરે. (કરણસિત્તરીમાં કહેવાશે તે) મનોગુપ્તિથી પ્રથમવ્રતનું રક્ષણ કરવું તે પ્રથમ ભાવના. ૪૨ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો તે એષણાસમિતિરૂપ બીજી ભાવના. તમામ વસ્તુને લેવા-મૂકવામાં નિર્દોષ પ્રવૃત્તિ કરવી તે. ‘આદાન ભંડમત્તનિક્ષેપણાસમિતિ રૂપ ત્રીજી ભાવના. આવવા-જવા વગેરેમાં ‘ઇર્યાસમિતિનું પાલન કરવું તે ચોથીભાવના. અન્ન-પાન વગેરે જોઈને લેવાવાપરવાં તે પાંચમીભાવના. આ પાંચ ભાવનાથી બુદ્ધિમાનું મુનિ અહિંસાને પવિત્ર બનાવે. તેની રક્ષા કરે. અહીં હિંસામાં મનના વ્યાપારની મુખ્યતા હોવાથી મનોગુપ્તિનું ગ્રહણ કરેલ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનોગુપ્તિ નહિ પાળતાં દુર્ગાનથી અહિંસાવ્રતનું ખંડન કરીને પ્રત્યક્ષ હિંસા નહિ કરવા છતાં સાતમી નરક પ્રાયોગ્ય કર્મદલિકોનો સંચય કર્યો હતો. એષણા, ઇર્યા અને આદાન આ ત્રણ સમિતિઓનું પાલન તો અહિંસામાં પ્રત્યક્ષ ઉપકારક છે. બીજા મહાવતની ભાવનાઓ માટે કહ્યું છે કે ચોમમયોપ-પ્રત્યા થારિત્તરમ ! ગાસ્ત્રોત્ર ભાવોનાડપિ, માવજૂનૃતવ્રતમ્ ા યો, શા. ૧-૨૭ - હાસ્ય, લોભ, ભય અને ક્રોધના ત્યાગ વડે નિરંતર વિચારીને બોલવા દ્વારા સત્યવ્રતને ભાવવું જોઈએ. કહેવાનો આશય એ છે કે હાસ્ય કરનારો નિચ્ચે મિથ્યા બોલનારો છે, માટે હાસ્યનો ત્યાગ તે પ્રથમભાવના. લોભી ધનની આકાંક્ષાથી મિથ્યા બોલનાર છે, માટે લોભનો ત્યાગ તે બીજીભાવના. ભયવાળો પ્રાણની રક્ષા વગેરેના કારણે મિથ્યા બોલે છે, માટે ભયનો ત્યાગ તે ત્રીજીભાવના. ક્રોધાવિષ્ટ મનવાળો મિથ્યા બોલે છે, માટે ક્રોધનો ત્યાગ તે ચોથીભાવના. જ્ઞાનથી સમ્યગુ પર્યાલોચન કરીને મોતને દૂર કરવાપૂર્વક બોલવું તે પાંચમીભાવના. આ પાંચ ભાવનાથી બીજા વ્રતની રક્ષા કરવી. રાગ-દ્વેષ-મોહ અસત્ય બોલવાના કારણો છે. ત્રીજા મહાવ્રતની ભાવનાઓ માટે કહ્યું છે કેआलोच्यावग्रहयाञ्चा-ऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ।।। समानधार्मिकेभ्यश्च, तथाऽवग्रहयाचनम् । અનુજ્ઞાપિતાના ત્રાડશનમસ્તેયામાવના: || | યો. શા. - ૧-૨૮-૨૯ો. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ભાવાનુવાદ : મનથી વિચારીને (રહેવા-વાપરવા માટેના સ્થાનરૂ૫) અવગ્રહ યાચવો. અવગ્રહના (૧) ઇન્દ્રનો, (૨) રાજાનો, (૩) ગૃહપતિનો, (૪) મકાન માલિકનો અને (૫) સાધુનો, એમ પાંચ પ્રકાર છે. એમાં પૂર્વ-પૂર્વના પ્રકારને પછીનો પ્રકાર બાધક છે. સૌધર્મેન્દ્ર (આપણા ભરતક્ષેત્રની અપેક્ષાએ) દક્ષિણ દિશાના અડધા લોકના અને ઇશાનેન્દ્ર ઉત્તર દિશાના અડધા લોકના અધિપતિ છે રાજા એટલે ચક્રવર્તી, તેના છ ખંડો તે તેનો અવગ્રહ . ગૃહપતિ = અમુક દેશનો અધિપતિ (રાજા). તેનો જે દેશ તે તેનો અવગ્રહ. મકાનના માલિકનો અવગ્રહ તેનું મકાન. સાધુઓએ પહેલાં ૨હેવા વાપરવા માટે ગૃહસ્થ પાસેથી યાચેલું ઘર તે, તે સાધુઓનો અવગ્રહ આ વિષયમાં વિશેષ પ્રવચન સારોદ્વાર ગાથા-૬૮૩થી જાણવું. આ રીતે અવગ્રહોના પ્રકારો સમજીને યથાયોંગ્ય જેની પાસે જે અવગ્રહ માગવાનો હોય તેની પાસે તે માગવો. તેના માલિક પાસેથી યાચના કર્યા વિના રહેવાથી કે વા૫૨વાથી અદત્તાદાનનો દોષ લાગે છે. આ પ્રથમભાવના. (૨) માલિક એકવાર વસતિ આપે છતાં બિમારી વગેરે કા૨ણે વાપરતાં આપનારના ચિત્તમાં ક્લેશ ન થાય તે હેતુથી લઘુ-વડીનીતિ પરઠવવાનાં, પાત્ર રંગવા ધોવાનાં સ્થાનોની વારંવાર યાચના કરવી. આ બીજીભાવના. (૩) “આટલી ભૂમિ વગેરે અમારે ઉપયોગી છે, વધુ નહિ” આવો અમુક પ્રમાણમાં અવગ્રહનો દાતારની સાથે ક૨વો. નિશ્ચય કરવો તે ત્રીજીભાવના. (૪) પૂર્વે ઉપાશ્રયમાં આવીને રહેલા હોય તેવા સાધર્મિકોની (સાધુઓની) પાસે યાચના કરવી. તેઓ જેટલા અવગ્રહની અનુજ્ઞા આપે તેટલા અવગ્રહમાં જ રહેવાય, અન્યથા ચોરી ગણાય. આ ચોથી ભાવના. (૫) ગુરુની આજ્ઞા મળી હોય તેવા, ૪૨ દોષથી રહિત, દ્રવ્યાદિથી શુદ્ધ સાધુતામાં કલ્પે તેવાં જ આહારાદિ (ઉપલક્ષણથી ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ વગેરે લાવીને ગુરુ સમક્ષ આલોચના કરીને, ગુરૂ અનુમતિ આપે તે અને તેટલું માંડલીમાં બેસીને વાપરે તે પાંચમીભાવના. ચોથા મહાવ્રતની ભાવનાઓ... ૧૮૩ "स्त्रीषण्ठपशुमद्वेश्माऽऽसनकुड्यान्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात्, प्राग्रतस्मृतिवर्जनात् ।। स्त्रीरम्याङ्गेक्षणस्वाङग-संस्कारपरिवर्जनात् । પ્રળીતાટ્યશનત્યાત્ બ્રહ્મચર્ય તુ ભાવયેત્ ।। યો. શા. ૧-રૂ૦-રૂ।। ભાવાનુવાદ : (૧) સચિત્ત સ્ત્રી એટલે સાક્ષાત્ દેવી-માનુષી સ્ત્રી, અચિત્ત સ્ત્રી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ એટલે પત્થરની ચૂના વિગેરે લેપની કે ચિત્રલી સ્ત્રીની આકૃતિઓ એમ બંને પ્રકારની દેવી-મનીષી સ્ત્રી તથા નપુંસકવેદના ઉદયવાળા પુરૂષો, તિર્યંચયોનિમાં જન્મેલા (મૈથુનનો સંભવ હોય તેવાં) ગાય આદિ પશુઓ, જ્યાં હોય તેવી વસતિનો અને તેઓએ વાપરેલાં આસનોનો ત્યાગ કરવો, ભીંતના આંતરે સ્ત્રીપુરુષની કામોત્તેજક વાતો સંભળાતી હોય, તેવા સ્થાનનો ત્યાગ કરવો તે પ્રથમ ભાવના. (૨) સરાગપણે સ્ત્રીકથા નહિ કરવી તે બીજીભાવના. (૩) દીક્ષા પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોનું સ્મરણ ન કરવું તે ત્રીજીભાવના. (૪) સ્ત્રીના રમ્ય અંગોપાંગને નિહાળવા નહિ તે તથા સ્વશરીરની વિભૂષા આદિ સંસ્કાર કરવાનું ટાળવું તે ચોથીભાવના (૫) (વિગઈથી લચપચતો) પ્રણીત આહાર અને અતિઆહારનો ત્યાગ કરવો તે પાંચમીભાવના. વીર્યવર્ધક, સ્નિગ્ધ, વિકારવર્ધક, માદક આહાર તે પ્રણીત આહાર. લૂખો આહાર પણ વધુ માત્રામાં લેવામાં આવે તો વિકારવર્ધક બને છે. તેથી અતિઆહાર વર્જવાનું કહ્યું છે. પાંચમા મહાવ્રતની ભાવનાઓ"स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्वपीन्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् ।। પષ્યવાનનોપુ, સર્વથા વર્ણનમ્ ગાશિશ્ચનતંતવ, માવનાઃ પઠ્ઠ વર્તિતા | યો. શા. ૧-૩૨-૩૩ ભાવાનુવાદ : ભોગવવાથી રાગ ઉપજે તેવા મનોહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અતિગૃદ્ધિ (આસક્તિ) નહિ કરવી. તથા એ જ સ્પર્ધાદિ પાંચ વિષયો પ્રતિકૂલ હોય તેમાં સર્વથા દ્વેષ નહિ કરવો તે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે. I/૧૧વા હવે છઠાવતનું લક્ષણ કહે છે કેमूलम् - चतुर्विधस्याहारस्य, सर्वथा परिवर्जनम् । પઇ વ્રતમહેતાન, નિમૅદ મૃતા: સાર૭ા. ગાથાર્થ ચારે પ્રકારના આહારનો (રાત્રીએ) સર્વથા ત્યાગ કરવો, તેને છઠું વ્રત કહ્યું છે, એ છ વ્રતોને શ્રીજિનેશ્વરોએ સાધુતાના મૂળગુણો કહ્યા છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારને રાત્રીએ વાપરવાનો. સર્વથા = ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી ત્યાગ કરવો, તેને છઠુવ્રત કહ્યું છે. હવે એ વ્રતોને અહીં સાધુધર્મના પ્રસંગમાં શ્રી જિનેશ્વરોએ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૮૫ શેષગુણોના આધારભૂત હોવાથી મૂળગુણો કહ્યા છે. અને તેના ઉપલક્ષણથી સંપૂર્ણ ચરણસિત્ત૨ીને પણ મૂલગુણોરૂપ કહી છે. તે આ પ્રમાણે છે. वय' समणधम्म° संजम " वैयावचं" च बंभगुत्तीओ' । નાળાકૃતિત્રં તવાર જોહનિ—હા ચરળમેકં ।। ોય. નિ. માધ્ય ।। વ્યાખ્યા : ૫ વ્રતો, ૧૦ પ્રકારનો સાધુધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્ચ, ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩ જ્ઞાનાદિગુણો, ૧૨ પ્રકારે ત૫, ૪ક્રોધાદિ કષાયોનો નિગ્રહ, એમ (૭૦ પ્રકારે) ચારિત્ર (મૂળગુણો) છે. (૧) તેમાં ‘પ્રાણાતિપાત વિરમણ' વગેરે પાંચ મહાવ્રતોનું વર્ણન ઉ૫૨ કર્યું છે. (૨) દસ પ્રકારનો યતિધર્મ આ પ્રમાણે છે. (૧) ક્ષમા : જીવના સહન કરવાના આત્મપરિણામને ક્ષમા કહેવાય છે અર્થાત્ સર્વ રીતે ક્રોધના ઉદયને નિષ્ફલ બનાવવો તે ક્ષમા. (૨) માર્દવઃ અસ્તબ્ધતા અર્થાત્ અક્કડાઇનો અભાવ. અસ્તબ્ધતાના પરિણામને (ભાવને) અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે. ટુંકમાં જીવની નમ્રતા અને નિરભિમાનતા તે માર્દવ. (૩) આર્જવ : વક્રતા રહિત મન-વચનકાયાવાળા સ૨ળ જીવના ભાવને અથવા કર્મ (ક્રિયા)ને આર્જવ કહેવાય છે. અર્થાત્ જીવનો મન, વચન અને કાયાનો અવિકાર, નિષ્કપટપણું તે આર્જવ. (૪) મુક્તિ : બાહ્ય અનિત્યપદાર્થોની અને અત્યંતર (કામ-ક્રોધાદિ) ભાવો પ્રત્યેની તૃષ્ણા(લોભ)નો ઉચ્છેદ કરવો તે મુક્તિ. (૫) તપ : જેનાથી રસ-રૂધિરાદિ શરીરની સાત ધાતુઓ અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો તપે તે તપ કહેવાય છે. તેના બાર ભેદો આગળ કંહેવાશે. (૬) સંયમ : આશ્રવની નિવૃત્તિ અર્થાત્ નવા કર્મોના બંધને અટકાવવો તે સંયમ. (૭) સત્ય : મૃષાવાદનો ત્યાગ. (૮) શૌચ : સંયમમાં નિરતિચા૨૫ણું (નિર્મળતા). (૯) આકિંચન્ય= કોઈપણ દ્રવ્ય ન હોવાપણું તે આકિંચન્ય. ઉપલક્ષણથી શરીર અને ધર્મોકરણ વગેરેમાં પણ મમત્વનો અભાવ તેને આકિંચન્ય સમજવું. (૧૦) બ્રહ્મ : નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલન પૂર્વકનો સ્પર્શનેન્દ્રિયનો સંયમ. (૩) હવે સત્તર પ્રકારનું સંયમ કહેવાય છે. પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવોથી અટકવું, પાંચ ઇન્દ્રિયોને વશ કરવી, ચાર કષાયોનો જય કરવો અને ત્રણ દંડની વિરતિ કરવી, એમ સંયમ સત્તર પ્રકારે છે. બીજી રીતે સંયમના સત્તર પ્રકાર આ પ્રમાણે છે - (૧-૯) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ દરેક જીવોનો મન-વચન-અને કાયાથી સંરંભ, સમારંભ અને આરંભ કરવો નહિ, કરાવવો નહિ Page #253 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ તથા અનુમોદવો નહિ (તે નવ પ્રકારો.) (મારવાનો (હિંસાનો) સંકલ્પ કરવો તે સંરંભ, પીડા ઉપજાવવી તે સમારંભ અને પ્રાણોનો વિયોગ કરવો તે આરંભ.) ૧૮૬ (૧૦) સંયમમાં ઉપકારક પુસ્તકો વગેરે અજીવ પદાર્થોને, તેનું પ્રતિલેખનપ્રમાર્જન ક૨વાપૂર્વક જયણાથી રાખવા તે અજીવસંયમ. (૧૧) પ્રેક્ષા એટલે બીજ, વનસ્પતિ કે ત્રસજીવના સંસર્ગ વિનાના નિરવઘ સ્થાને ‘નેત્રોથી જોઈને' સુવું, બેસવું, ઉભા રહેવું કે ચાલવું વગેરે પ્રેક્ષાસંયમ. (૧૨) પાપ વ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત્ ‘અમુક ઘર-ગામ વગેરેની સંભાળ ખ્યાલપૂર્વક કરો ઇત્યાદિ ઉપદેશ નહિ કરવો તે ઉપેક્ષાસંયમ (અથવા સંયમમાં અનાદર કરતા સાધુઓને તે તે સંયમનાં કાર્યોમાં જોડવા તે પ્રેક્ષાસંયમ અને નિષ્વસ પરિણામી પાસત્થા વગેરે સંયમની વિરાધના કરે તેની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ.) (૧૩) નેત્રોથી જોયેલી ભૂમિનું કે વસ્ત્રાદિનું પણ રજોહરણ વગેરેથી પ્રમાર્જન કરીને તે વાપરવાં, અર્થાત્ સુતાં, બેસતાં, લેતાં, મૂકતાં વારંવાર પ્રમાર્જન કરવું; એક ગામથી બીજા ગામમાં પ્રવેશ કરતાં-નિકળતાં અર્થાત્ ભૂમિ બદલાતાં પગ પ્રમાર્જવા તે પ્રમાર્જનાસંયમ. (૧૪) વડીનીતિ, લઘુનીતિ, શ્લેષ્મ, કફ વગેરેને તથા જીવસંસક્ત, દોષવાળાં કે વધી પડેલા આહાર, પાણી વગેરેને જંતુ રહિત અચિત્તસ્થાને વિધિપૂર્વક પરઠવવાં તે પરિષ્ઠાપનાસંયમ. (૧૫) દ્રોહ, ઇર્ષ્યા, અભિમાન વગેરે દુષ્ટ ભાવોથી મનને રોકવું અને ધર્મધ્યાનાદિ શુભભાવમાં જોડવું તે મનસંયમ. (૧૭) હિંસક, કઠોર, અપ્રિયવચન નહિ બોલવું અને હિતકારી શુભ, મધુર અને સત્યવચન બોલવું તે વચનસંયમ (૧૭) જવું-આવવું વગેરે આવશ્યક કર્તવ્યોમાં કાયાની પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરવી તે કાર્યસંયમ. (૪) વૈયાવચ્ચ : (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) નવદીક્ષિતશૈક્ષ, (૫) ગ્લાન સાધુઓ, (૬) સ્થવિરાદિ અન્ય સાધુઓ, (૭) સમનોજ્ઞ (એક સામાચારીવાળા અન્ય ગચ્છના) સાધુઓ, (૮) સંઘ, (૯) કુલ, (૧૦) ગણ. એ દસની વૈયાવચ્ચ કરવાને યોગે વૈયાવચ્ચના પણ દસ પ્રકારો કહ્યા છે. (૫) બ્રહ્મચર્યની ગુપ્તિઓ : બ્રહ્મચર્યની રક્ષાના ઉપાયો - ‘વહિિિિિન્દ્રય, કુંતરપુવ્વી(િય) પણ્િ । અમાયાદાવિમૂસળાર્ફ, નવયંમઘેનુત્તીઓ 1.(પ્ર.સા.) (૧) સ્ત્રી-પશુ કે નપુંસક હોય તેવા સ્થાને નહિ રહેવું તે વસહિ. (૨) માત્ર સ્ત્રીઓની સભામાં સાધુએ ધર્મદેશના ન કરવી અર્થાત્ કથા ન કરવી અથવા સ્ત્રીના રૂપ, રંગ વગેરેની વાતો નહિ કરવી તે કથાત્યાગ. (૩) સ્ત્રીએ વાપરેલા આંસનનો બે ઘડી સુધી પુરુષે અને પુરુષે વાપરેલા આસનનો ત્રણ પ્રહર સુધી સ્ત્રીએ ત્યાગ કરવો તે ન Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૮૭ નિષદ્યા ગુપ્તિ સમજવી. (૪) ઇન્દ્રિયોને ઉપલક્ષણથી સ્ત્રીનાં સ્તન, કટિભાગ, સાથળ વગેરે અવયવોને સ્થિર દૃષ્ટિએ નહિ જોવા. કારણ કે તે રીતે જોવાથી કામવાસના જાગે છે. આ ઇન્દ્રિયો નહિ જોવારૂપ પ્તિ સમજવી. (૫) ભીંતના આંતરે સ્ત્રી-પુરુષની વિકારવર્ધક વાતો ચાલતી હોય ત્યાં ન રહેવું. (૯) ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોરૂપ પૂર્વક્રીડાને યાદ નહિ કરવી. (૭) અતિસ્નિગ્ધ (પ્રણીત) આહારનો ત્યાગ કરવો. (૮) રૂક્ષ આહાર પણ અતિમાત્રાએ ન કરવો, ઉણોદરી રાખવી તે અતિમાત્ર આહારત્યાગ. (૯) શરીરની વિભૂષાનો ત્યાગ. () જ્ઞાનાદિ ત્રણઃ સમ્યગુજ્ઞાન-સમ્યગદર્શન-સમ્યગુચારિત્ર આ ત્રણનું પાલન. (૭) તપ છે બાહ્ય અને છ અત્યંતર, એમ બાર પ્રકારનો તપ છે. તેનું વર્ણન તપના અધિકારમાં કરાશે. (૮) ક્રોધાદિનો નિગ્રહ: ક્રોધાદિ ચાર કષાયોનો નિગ્રહ કરવો. આ બધા ભેદો ચારિત્રરૂપ હોવાથી ચરણ, અને (૫+૧૦+૧૭+૧૦+૯+ ૩+૧૨+૪=૭0 એમ) સંખ્યામાં સીત્તેર હોવાથી સિત્તરી, આ રીતે શાસ્ત્રોમાં તેને ચરણસિત્તરી કહી છે. .. આ ભેદોમાં આટલો વિવેક છે કે – ચોથા બ્રહ્મચર્યવ્રતમાં અંતર્ગત હોવા છતાં બ્રહ્મચર્યની ગુપ્તિઓને જુદી કહી, તે “ચતુર્થવ્રતના પાલનમાં અપવાદ નથી” એમ સૂચવવા માટે છે. . પાંચ મહાવ્રતોમાં વસ્તુત: ચારિત્ર આવી જવા છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુન: ચારિત્ર કહ્યું તે સામાયિક ચારિત્ર સિવાયનાં શેષ છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ચારિત્રોના નિરૂપણ માટે સમજવું. દસવિધ શ્રમણધર્મમાં સંયમ અને તપ કહેવા છતાં પુનઃ તેને જુદા કહ્યાં, તેમાં મોક્ષપ્રાપ્તિ માટે સંયમ અને તપની પ્રધાનતા જણાવવારૂપ કારણ સમજવું. તપમાં વૈયાવચ્ચ આવતું હોવા છતાં પુનઃ અલગ ગ્રહણ કર્યું તે વૈયાવચ્ચ સ્વપરને ઉપકારી હોવાથી તપના અનશનાદિ બીજા પ્રકારો કરતાં વધારે અતિશયવાળી વૈયાવચ્ચ છે, તે જણાવવા માટે કહ્યું છે. ક્ષમા, મૃદુતા રૂપ શ્રમણધર્મમાં ‘ક્રોધાદિનિગ્રહ” કહેવાઈ જવા છતાં પુન: ભિન્ન કહ્યા તે નિગ્રહ તે ઉદયમાં આવેલા ક્રોધાદિને નિષ્ફલ કરવારૂપ છે” અને “ક્ષમા, મૃદુતા વગેરે ઉદીરિત ક્રોધાદિના અનુદયરૂપ છે. એમ બંનેના ભેદ સમજાવવા માટે સમજવું. ||૧૧૭lી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આ પ્રમાણે ચારિત્રના ૭૦ મૂળગુણોનું સ્વરૂપ કહ્યું. હવે તે સિવાયના ગુણોને ‘કરણસિત્તરી’ એવા નામથી જણાવીને એ ગુણોને નિરતિચાર પાળવા જોઈએ. એમ જણાવવા માટે કહે છે કે ૧૮૮ मूलम् - "शेषाः पिण्डविशुद्ध्याद्याः स्युरुत्तरगुणाः स्फुटम् । માં ચાનતિવારાળાં, પાન તે ત્વમી મતાઃ ।।૮।।” ગાથાર્થ : બાકીના ‘પિંડવિશુદ્ધિ' વગેરે ગુણોને નિશ્ચે ‘ઉત્તરગુણો’’સમજવા. એ ગુણોનું નિરતિચાર પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. તે ઉત્તરગુણો આ પ્રમાણે કહેલા છે - ટીકાનો સંક્ષેપભાવાર્થ : મૂળગુણો ઉપરાંત બીજા પિંડવિશુદ્ધિ વગેરે સિત્તેર ભેદો છે. તે શાસ્ત્રમાં ઉત્તરગુણો તરીકે પ્રસિદ્ધ છે. તે સિત્તેર ભેદો આ પ્રમાણે છે. “પિંડ વિજ્ઞોદી સમિ માવળ પહિમા'ય કૃતિનિરોદ્દો । પડિòમળ' ગુત્તીઓ, અભિજ્ઞા' ચેવ ર ં તુ ।। ોય. નિ. મા. ।। ભાવાર્થ : ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવનાઓ, બાર પડિમાઓ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહો, એમ સિત્તેર પ્રકા૨ો ક૨ણ (સાધન ધર્મ)ના છે. અર્થાત્ તેને ‘કરણસિત્તરી’ કહેવાય છે. તેમાં (૧) પિંડવિશુદ્ધિ: (પૂર્વે કહેલો) પિંડ મેળવવામાં આધાકર્મ વગેરે (બેતાલીસ અથવા સુડતાલીસ) દોષોના ત્યાગરૂપ શુદ્ધિ અર્થાત્ નિર્દોષતા. અહિં પિંડ શબ્દથી (૧) ચાર પ્રકારનો આહાર, (૨) શય્યા (વસતિ), (૩) વસ્ત્રો અને (૪) પાત્રા સમજવા. તે લેતા પૂર્વે આગળ જણાવ્યાનુસાર વિશુદ્ધિ કરવાની હોવાથી પિંડના ભેદે પિંડવિશુદ્ધિના પણ ચાર પ્રકારો સમજવા. (૨) પાંચ સમિતિ : પાંચ પ્રકારની સમ્યક્ ચેષ્ટાને જૈનપરિભાષામાં ‘સમિતિ’ એવા નામથી ઓળખાવી છે. તે ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એમ પાંચ પ્રકારની છે. કારણસર (બહા૨) જતાં-આવતાં જીવોની રક્ષા માટે એક યુગ (ધૂંસરી) પ્રમાણ ભૂમિને નેત્રોથી આગળ જોઈને, સર્વજીવોને સ્પર્શ ન થાય તેમ, ઊંચી-નીચી ભૂમિ, કાદવાદિને ત્યાગ કરવાપૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ. પ્રયોજનવશે હિત, મિત, પથ્ય, નિરવઘ અને અસંદિગ્ધ વચન બોલવું તે ભાષાસમિતિ. આહારાદિઔઘિક ઉપધિ-ઔપગ્રહિક ઉપધિ એ સર્વે નિર્દોષ લેવું તે એષણા સંમિતિ. આસન સંથારો, પાટ, પાટીયું, વસ્ત્ર, ઘંડો વગેરે પ્રત્યેક વસ્તુને નેત્રોથી જોઈને અને ઉપયોગપૂર્વક રજોહરણ વગેરેથી પડિલેહણ કરીને લેવી-પકડવી તથા નેત્રોથી Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રમણ ધર્મ જોએલી અને પ્રમાર્જન કરેલી ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક મૂકવી તે આદાનનિક્ષેપ સમિતિ. સ્થંડિલ, માત્રુ, થૂંક, શ્લેષ્મ, શ૨ી૨નો મેલ, કે નિરૂપયોગી વસ્ત્રો તથા આહા૨-પાણી વગેરેને નિર્જીવ અને શુદ્ધભૂમિમાં ઉપયોગપૂર્વક ત્યાગ કરવો તે પરિષ્ઠાપના સમિતિ જાણવી. ત્રણ ગુપ્તિ સહિતની આ પાંચ સમિતિઓ સાધુઓના ચારિત્રરૂપ શરીરને જન્મ આપનારી (માતા), પરિપાલન કરનારી અને શુદ્ધ કરનારી હોવાથી આઠ માતાઓ છે. (૩) બાર ભાવનાઓ : ચિંતન દ્વારા આગમને અનુસરીને જગતના તે તે પદાર્થોનું (ધર્મોનું) નિરીક્ષણ જેના દ્વારા થઈ શકે તે ભાવનાઓ બાર છે. (૧) અનિત્યભાવનાઃ જે પદાર્થો પ્રાત:કાળે જેવા હોય છે તે મધ્યાહ્ને હોતા નથી અને રાત્રિએ વળી એનાથી ભિન્ન હોય છે. એમ સંસારમાં સર્વ પદાર્થોનું પ્રત્યક્ષ અનિત્યપણું દેખાય છે. શરીર ક્ષણવિનશ્વર છે, લક્ષ્મી ચપળ છે, સંયોગો વિયોગયુક્ત છે, યૌવન ચંચળ છે. ઇત્યાદિ અનિત્ય ભાવના ભાવવાથી હર્ષ-શોક, રાગ-દ્વેષ આદિ દ્વન્દ્વો થતા નથી. તેથી તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરવા અને મમત્વનો ત્યાગ કરવા પ્રતિક્ષણ જગતનું અનિત્ય સ્વરૂપ ચિંતવવું. (૨) અશરણભાવના : જગતમાં માતા-પિતા, સ્વજન, કુટુંબ પરિવાર કોઈ શરણરૂપ નથી. મૃત્યુના મુખમાંથી કોઈ બચાવનાર નથી. (૩) સંસારભાવના : અનેક યોનિઓમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થવું અને નાશ પામવું-આ સંસારચક્ર અનાદિકાળથી ચાલી રહ્યું છે. માતા મરીને પત્ની થાય છે, બ્રાહ્મણ મરીને ચંડાલ થાય છે, એમ સંસારી જીવને વિવિધ વેષો નટની માફક ભજવા પડે તેવી આ સંસારની વિચિત્રતા છે. (૪) એકત્વભાવના : જીવ એકલો જન્મે છે. એકલો જ મરે છે અને આ ભવમાં અને પરભવમાં બાંધેલાં કર્મોને પણ એકલો જ ભોગવે છે. એના જ શુભ-અશુભ કર્મો સિવાય એની સાથે પરભવમાં કોઈ જ નાર નથી. (૫) અન્યત્વભાવના : ધન, સ્વજન, પરિવાર, ઘર, વાહન આદિ સર્વે તો આ જીવથી જુદા છે જ, પણ આ અનાદિકાળથી સાથે રહેલું શ૨ી૨ પણ જીવથી ભિન્ન છે - અન્ય છે. (૬) અશુચિત્વભાવના : રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ (હાડકાં), મજ્જા (હાડકાંના પોલાણનો ચીકણો ભાગ), શુક્ર, આંતરડાં, મળ-મૂત્રાદિ એમ વિવિધ અશુચિઓનું સ્થાનભૂત એવું આ બહારથી સુંદર દેખાતું મારું શરીર છે. પુરુષના નવ (બે નેત્રો, બે નાસિકાઓ, એક મુખ, બે કાન, એક ગુદા અને એક પુલ્લિંગ એ નવ દ્વા૨ો) તથા સ્ત્રીના (તે નવ ઉપરાંત ગર્ભાશય અને બે સ્તન મળી) બાર દ્વા૨ોમાંથી સતત અશુચિ વહી રહી છે, તેમાં Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કોણ મોહ કરે ? (૭) આશ્રવભાવના : મન-વચન-કાયાના યોગો દ્વારા જીવા શુભાશુભ કર્મોને બાંધે છે (આશ્રવણ કરે છે.) તેથી તે યોગોને “આશ્રવ' કહેવાય છે. મૈત્રાદિ ચાર ભાવનાથી વાસિત ચિત્ત શુભ કર્મને તથા તેથી વિપરીત ક્રોધાદિ કષાય તથા પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વાસિત ચિત્ત અશુભકર્મને બાંધે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ વિગેરે આશ્રવના હેતુઓ છે. (૮) સંવરભાવના સર્વ આશ્રવોનો નિરોધ તે સંવર કહ્યો છે. તે દ્રવ્ય અને ભાવ ભેદે બે પ્રકારનો છે. (૧) તેમાં આશ્રવ દ્વારા જે કર્મપુદ્ગલો ગ્રહણ થતા હોય તેને ગ્રહણ થતાં અટકાવવાં તે દ્રવ્યસંવર છે. (૨) તેમાં હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિ આદિનો જે ત્યાગ, તેને ભાવસંવર જાણવો. ક્રોધાદિને ક્ષમાદિથી રોકવા તે પણ સંવર. ગુપ્તિ દ્વારા યોગનો વિરોધ કરવો તે પણ સંવર. પાપ વ્યાપારોનો ત્યાગ કરવો તે પણ સંવર. (૯) નિર્જરાભાવના : સંસારના બીજભૂત કર્મોને જે જીર્ણ કરે તેને નિર્જરા કહી છે. તે સકામ અને અકામ એમ બે પ્રકારે છે. કર્મક્ષયના હેતુપૂર્વક તપસંયમાદિનું પાલન કરીને નિર્જરા કરવી તે સકામનિર્જરા આ જ નિર્જરા મમત્વનો, તેનાથી બંધાતા કર્મોનો અને એના ફળરૂપ સંસારનો નાશ કરે છે. એકેન્દ્રિયને, વિક્લેન્દ્રિયને અને પૌદ્ગલિક સુખ માટે આતાપનાદિ કષ્ટને સહન કરતાં બાલજીવોને ગરમી, ઠંડી, બળવું કપાવું વગેરે કષ્ટથી થતી.નિર્જરા તે અકામનિર્જરા છે. તપરૂપી અગ્નિથી જીવરૂપી સુવર્ણ વિશુદ્ધ થાય છે, માટે આ જ ભાવનામાં બાહ્યઅભ્યતર તપનું ચિંતન કરવું. ઉપયોગ વિના-સહન કરવાની ભાવના વિના દુ:ખો-કષ્ટો સહન કરવાથી કર્મ ખપે તે અકામનિર્જરા. ઉપયોગ સહિત - સહન કરવાની ભાવનાથી દુઃખો-કષ્ટો-ઉપસર્ગો-પરિસહ સહન કરવાથી કર્મ ખપે તે સકામનિર્જરા અણસનાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત આદિ અત્યંતરતપથી નિર્જરા થાય છે. આમ બાહ્ય-અત્યંતર તપનું ચિંતન કરવું તે કરવાની અભિલાષા કરવી. (૧૦) લોકસ્વભાવભાવના: જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલ એમ પદ્રવ્યાત્મક લોક બે પગ પહોળા કરીને-બે હાથ કેડ ઉપર રાખીને ઉભેલા પુરુષના આકાર જેવો છે. તે શૈર્ય, ઉત્પત્તિ તથા નાશધર્મવાળા દ્રવ્યોથી પૂર્ણ ભરેલો છે. તેને જિનેશ્વર પરમાત્માઓએ ઉર્ધ્વ, અધો અને તિર્જી એમ ત્રણ વિભાગમાં કહેલો છે. આ વિષયમાં ઘણું વિચારી શકાય. તેના માટે ચૌદરાજલોકનું સમગ્ર સ્વરૂપ સમજવું. કર્મને વશ સંસારમાં ભ્રમણ કરતા જીવો કેવા સ્વરૂપે ક્યાં ક્યાં અવસ્થિત છે તે વિચારવું અને વળી આ ચૌદરાજલોકના એક Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૯૧ એક પ્રદેશમાં અનંતીવાર આ જીવ જન્મમરણ કરી ચૂક્યો છે તે વિચારવું. (સમગ્ર લોકનું સંપૂર્ણ સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણી લેવું.) (૧૧) બોધિદુર્લભભાવના અનંતા પુદ્ગલપરાવર્તી સુધી નિગોદાદિ યોનિઓમાં જન્મ-મરણ વગેરેનાં દુ:ખોને ભોગવતાં પ્રાણીને (કર્મોની લઘુતારૂપ) પુણ્યથી સ્થાવરપણું મટીને ત્રસપણું અને પુણ્ય વધતાં કોઈવાર પંચેન્દ્રિય તિર્યચપણું પણ મળે છે. પુનઃ કર્મોનો હ્રાસ થંવાથી મનુષ્યપણું, કોઈવાર આર્યદેશ, તેમાં ય કોઈવાર ઉત્તમજાતિ (-કુળ)માં જન્મ, તેમાં પણ પાંચ ઇન્દ્રિયોની પટુતાવાળું શરીર અને દીર્ઘ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે, તેનાથી વિશેષ પુણ્યનો યોગ અને કર્મોની લઘુતા થતાં શાસ્ત્રશ્રવણ કરાવનાર ગુરુનો ભેટો પણ થાય છે. પરંતુ તત્ત્વના નિશ્ચયરૂપ સમકિતરત્ન પ્રગટ થવું અતીવ દુર્લભ છે. જેટલું ચક્રવર્તીપણું અને ઇન્દ્રપણું દુર્લભ નથી, તેટલું જિનેશ્વર ભગવંતના વચનોની અવિહડ શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન દુર્લભ છે. (આજ સુધી ભવભ્રમણ ચાલુ દેખાય છે. તેથી (વ્યવહારનયથી) સમજાય તેવું છે કે સર્વજીવોએ સર્વ સંયોગો (ભાવો-અવસ્થાઓ) પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરેલા છે. માત્ર એક સમકિત એણે પ્રાપ્ત કર્યું નથી.) (૧૨) ધર્મકથનની સુંદરતા : શ્રી જિનેશ્વર ભગવંતોએ એવો સુંદર ધર્મ કહ્યો છે કે જેનો આશ્રય લેનારો આત્મા નિચ્ચે ભવસમુદ્રમાં ભમતો નથી. ધર્મકથનની સુંદરતા દસ યતિધર્મના કથનમાં છે. અને તેના દ્વારા દસ યતિધર્મને કહેનારા તીર્થંકર પરમાત્માઓની વિશિષ્ટતાનું જ્ઞાન થાય છે. અને આવો સુંદર ધર્મ કહ્યો છે માટે “તે જ ખરેખરા અરિહંત” છે. આવો સભાવ (આત્મામાં) પ્રગટે છે. અને તેના દ્વારા અન્ય ધર્મોમાં અસુંદરતા છે તેવો આત્મામાં નિશ્ચય થાય છે. જગતમાં જે કંઈ સુવ્યવસ્થિતતા ચાલે છે તે ધર્મનો પ્રભાવ છે. શ્રી અરિહંત પરમાત્માઓએ બતાવેલો ધર્મ જ સત્ય છે. એમ સમજીને બુદ્ધિમાન પુરુષો સર્વકર્મના ક્ષયના નિમિત્તે એવા ધર્મમાં દૃઢ આદરવાળા બને છે, તે આ ભાવનાનું ફળ છે. આ પ્રમાણે બાર ભાવનાઓ જણાવી. (૫) બાર પ્રતિમાઓ ભિન્ન-ભિન્ન પ્રકારના અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓને પ્રતિમા કહેવાય છે. તે (૧) એક માસની, (૨) બે માસની, (૩) ત્રણ માસની, (૪) ચાર માસની, (૫) પાંચ માસની, (૬) છ માસની, (૭) સાત માસની, (૮) પહેલા સાત અહોરાત્રની, (૮) બીજા સાત અહોરાત્રની, (૧૦) ત્રીજા સાત અહોરાત્રની, (૧૧) એક અહોરાત્રની, (૧૨) એક રાત્રિની, એમ બાર છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પ્રતિમા પંચાશકમાં કહ્યું છે કે પ્રતિમા અંગીકાર કરવા ઇચ્છતા સાધુ પ્રથમ જિનકલ્પિક સાધુની જેમ ગચ્છમાં રહીને (પ્રતિમા પાલનનું સામર્થ્ય કેળવવા માટે) પાંચ પ્રકારની તુલના કરે અને તે રીતે યોગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને અંગીકાર કરે. પ્રથમનાં ત્રણ સંઘયણવાળો, ચિત્તની સ્થિરતા(સ્વસ્થતા)રૂપ ધૈર્યવાળો અને મહાસાત્વિક, સદ્ભાવનાથી ભાવિત ચિત્તવાળો (અથવા પ્રતિમાની ક્રિયાનો અભ્યાસ કરીને યોગ્ય બનેલો) એવો મુનિ શાસ્ત્રવિધિ પ્રમાણે ગુરુની આજ્ઞા મેળવીને આ પ્રતિમાઓને અંગીકાર કરે. તે ગચ્છમાં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહાર, ઉપધિ વગેરેના પરિકર્મમાં પારંગત થયેલો હોય. પહેલી સાત પ્રતિમાઓમાં જેનું જેટલું કાળમાન કહ્યું કે તે પ્રતિમાનું પરિકર્મ પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે. પ્રતિમાઓનો સ્વીકાર અને પરિકર્મ વર્ષાકાળે કરી શકાતું નથી. એ રીતે (પરિકર્મ સાથે પહેલી બેમાં છ મહિના લાગે, તેથી) પહેલી બે એક જ વર્ષમાં, ત્રીજી-ચોથી એક એક વર્ષમાં અને પાંચમી-છઠ્ઠી-સાતમી ત્રણ (એક વર્ષે પરિકર્મ, બીજા વર્ષે પ્રતિપાલન એમ) બે-બે વર્ષમાં પૂર્ણ થાય. એ રીતે કરતાં નવ વર્ષમાં પહેલી સાત પ્રતિમાઓ પૂર્ણ થાય. આ પ્રતિમાઓ સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દસપૂર્વથી ન્યૂન અને જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચારવસ્ત સુધીના જ્ઞાનવાળો હોય. (તથી ન્યૂનવાળાને કાળ વગેરેનું જ્ઞાન થઈ શકે નહિ તેથી અને સંપૂર્ણ દસ પૂર્વવાળાને વિશિષ્ટ દેશનાલબ્ધિના કારણે અનેક જીવોને ઉપકાર થઈ શકે છે તેથી, તે બંનેને પ્રતિમા સ્વીકારનો નિષેધ છે.), પ્રતિમાધારી સાધુ મમતાજન્ય શરીરનું પરિકર્મ તજવાથી શરીરનો (પરિચર્યાનો) ત્યાગી અને જિનકલ્પિકની જેમ દેવી વગેરે ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હોય, એક દિવસમાં સંસૃષ્ટાદિ (પૂર્વે કહી તે) સાત એષણાઓ પૈકી છેલ્લી પાંચમાંથી એક એષણાથી આહાર અને એકથી પાણી લેનારો, તેમાં પણ અલેપકર આહાર લેનારો હોય. ગચ્છથી નીકળીને પહેલી એક મહિનાની મહાપ્રતિમાને સ્વીકારે, તેમાં એક મહિનો પૂર્ણ થતાં સુધી પ્રતિદિન આહારની અને પાણીની એક-એક દત્તિ લે. તે પૂર્ણ થતાં પુન: ગચ્છમાં આવે. (બીજીનું પરિકર્મ કરીને બીજી સ્વીકારે) એમ દ્વિમાસિકી, ત્રણ માસિકી, યાવત્ સાતમાસિકી પ્રતિમાને સ્વીકારે. માત્ર ઉત્તરઉત્તર પ્રતિમામાં આહાર અને પાણીની એક એક દત્તિ વધે. યાવતું સાતમાસિકી પ્રતિમામાં આહારની અને પાણીની સાત-સાત દત્તિઓ લે. (દરેક પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવીને ઉત્તરપ્રતિમાનું પરિકર્મ કરીને પછી તેનો સ્વીકાર કરે, એ ક્રમથી સાત પૂર્ણ કરે.) Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૯૩ તે પછી પહેલા સાત અહોરાત્રની આઠમી પ્રતિમા સ્વીકારે, તેમાં ચોથભક્તનો (એકાંતરે ઉપવાસનો) ચઉવિહારો તપ કરે, પારણે ઠામચોવિહાર આયંબિલ કરે. આમાં દત્તિઓનો નિયમ નથી. આ પ્રતિમામાં ઉર્ધ્વમુખ (ચત્તો) અથવા પાસુવાળીને સુવે, અથવા સરખો બેસે કે ઊભો રહે. એ રીતે (દશાશ્રુતસ્કંધના અભિપ્રાયથી ગામ-નગર વગેરેની બહાર) સુતો, બેઠેલો કે ઊભો રહીને ઘોર ઉપસર્ગોને મનકાયાથી ચલાયમાન થયા વિના સહે. સાત અહોરાત્રની બીજી (નવમી) પણ આઠમી પ્રતિમા જેવી જ હોય છે. માત્ર એટલું વિશેષ છે કે આ પ્રતિમામાં મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-પીઠથી અદ્ધર રહીને અથવા વાંકા લાકડાની જેમ માત્ર પીઠના આધારે (મસ્તક-પગ જમીનને ન સ્પર્શે તેમ) અથવા દંડની જેમ પગ લાંબા કરીને સુતો રહીને ઉપસર્ગોને સહે. * . ત્રીજી (દસમી) પ્રતિમા પણ ઉપરની જેમ છે. માત્ર તેમાં ગાયને દોહવાની જેમ (પગનાં આંગળના આધારે) ઉભડક બેસીને અથવા વીરાસનથી એટલે સિંહાસન ઉપર પગ નીચે લટકતા રાખીને બેઠા પછી સિંહાસન લઈ લેવા છતાં એ જ પ્રમાણે બેસી રહે તેમ, અથવા કેરીની જેમ વક્ર શરીરે બેસવાનું છે. આમાંના કોઈ પણ આસનથી આ પ્રતિમાને વહન કરી શકાય. • એક અહોરાત્રિની ૧૧મી પ્રતિમા પણ એવી જ છે. વિશેષ એ છે કે તેમાં છ ભક્તનો અર્થાતુ બે ઉપવાસના બે દિવસનાં ચાર ભોજનનો અને આગળ-પાછળના દિવસે (પારણે-ઉત્તરપારણે ઠામચોવિહાર) એકાસણું કરવાનું હોવાથી તે બે દિવસના એક-એક ભોજનનો, એમ કુલ છ ભોજનનો પાણી સહિત ત્યાગ કરવાનો છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય. ગામ કે શહેરની બહાર (કાઉસગ્નમુદ્રાની જેમ) બે હાથ લાંબા કરીને ઉભા રહીને એનું પાલન થાય. એ જ રીતે એકરાત્રિકી (બારમી) પ્રતિમામાં અટ્ટમ ભક્ત તપ કરવો. ગામનગરાદિની બહાર સિદ્ધશિલાની સામે અનિમેષદૃષ્ટિ જોડીને ઊભા-ઉભા તેનું પાલન કરવું અથવા નદી વગેરેના કાંઠે, ઇત્યાદિ વિષમભૂમિએ ઊભા રહીને કોઈ એક પુદ્ગલ (પદાર્થ) ઉપર ખુલ્લી દૃષ્ટિથી નેત્રોને સ્થાપવાં. (નેત્રોનો ચલાયમાન કરવાં કે મીંચવાં પણ નહિ). આ બારમી પ્રતિમામાં અવધિજ્ઞાન વગેરે ત્રણમાંથી કોઈ પણ એક જ્ઞાન Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આત્મામાં પ્રગટે. રાત્રિએ આ પ્રતિમાનું પાલન કર્યા બાદ પછીના ત્રણ દિવસ ઉપવાસ કરવાના હોવાથી ચાર દિવસે પૂર્ણ થાય. આમ બાર પ્રતિમાઓ કહીં. () પાંચ ઇન્દ્રિયોનો નિરોધ: સ્પર્શન,રસના, ઘાણ, ચક્ષુ અને શ્રવણેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયોને પોત-પોતાના વિષયોમાં જતી અટકાવવી. તેના ઇષ્ટ વિષયોમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ ન કરવો. (૭) પચીસ પ્રતિલેખના વસ્ત્ર-પાત્રાદિની પચીસ પડિલેહણાઓ પૂર્વે (સવારના પ્રતિલેખનમાં) જણાવેલા વિધિપૂર્વક કરવી. (૮) ત્રણ ગુપ્તિઓ : જેનાથી આત્માની રક્ષા થાય તે ગુપ્તિ. મન-વચનકાયાના યોગોનો નિગ્રહ કરવારૂપ ગુપ્તિ ત્રણ પ્રકારની છે. (૧) મનોગુપ્તિઃ તે ત્રણ પ્રકારની છે. પ્રથમ આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં કારણભૂત મનની કલ્પનાઓની પરંપરાનો વિયોગ, બીજી ધર્મધ્યાનમાં કારણભૂત, શાસ્ત્રાનુસારિણી, પરલોકમાં હિત કરનારી, મનની મધ્યસ્થપરિણતિ કેળવવી તે અને ત્રીજી મનના કુશળઅકુશળ (શુભાશુભ) સર્વ વિકલ્પોના ત્યાગપૂર્વક ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધની અવસ્થાની આત્માનંદરૂ૫ આત્મપરિણતિ. (૨) વચનગુપ્તિ : બે પ્રકારની છે. મુખની, નેત્રોની, અંગુલીની, વગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન કરવું તે પહેલી વચનગુપ્તિ અને વાચના લેવી, પૃચ્છના કરવી, બીજાએ પૂછેલાનો ઉત્તર આપવો વગેરે સંયમના કારણે મુખે મુખવસ્ત્રિકા રાખીને શાસ્ત્રથી અવિરુદ્ધ વચન બોલનારને વાણીના કાબૂરૂપ બીજી વચનગુપ્તિ જાણવી. (૩) કાયગુપ્તિ : બે પ્રકારની છે. એક સર્વથા કાયચેષ્ટાનો ત્યાગ અને બીજી આગમાનુસારે ચેષ્ટાનો નિયમ, તેમાં પરીસહ-ઉપસર્ગાદિ પ્રસંગે કે તે વિના પણ કાયોત્સર્ગ વગેરેથી કાયાને નિશ્ચલ કરવી, અથવા સર્વયોગોના નિરોધ વખતે કાયચેષ્ટાનો સર્વથા નિરોધ કરવો તે પહેલી અને ગુરુને પૂછીને શરીર, સંથારો, ભૂમિ વગેરેનું પડિલેહણ-પ્રમાર્જન કરવું વગેરે શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરનાર સાધુને શયન કરવું, બેસવું, વગેરે કરવાનું કહેલું હોવાથી તે રીતે સુવું, બેસવું, લેવું, મૂકવું, વગેરે કાર્યોમાં સ્વચ્છન્દતાનો ત્યાગ કરીને શરીરથી નિયત પ્રવૃત્તિ કરવી તે બીજી કાયગુપ્તિ. (૯) અભિગ્રહો: દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વિષયક ચાર પ્રકારની પ્રતિજ્ઞાઓ કરવી. આ રીતે કરણસિત્તરી કહેવાઈ. કરણસિત્તરીમાં આ પ્રમાણે વિવેક છે - એષણા સમિતિમાં પિંડવિશુદ્ધિ આવી જવા છતાં કરણસિત્તરીના ભેદોમાં પિંડવિશુદ્ધિની પ્રધાનતા જણાવવા તેનું અલગ વિધાન કર્યું છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૯૫ આમ મૂળગુણો અને ઉત્તરગુણો કહેવાયા. મૂળગુણો અને ઉત્તરગુણોનું અતિચાર રહિત પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. અતિચારો ન લાગે તેમ પાલન કરવા માટે અતિચારોનું પણ જ્ઞાન આવશ્યક છે દરેક વ્રતના અતિચારોને જુદા-જુદા કહેવાની ઇચ્છાથી પ્રથમવ્રતના અતિચારો કહે છે કેमूलम् - "आद्यव्रते ह्यतिचारा, एकाक्षादिवपुष्मताम् । સટ્ટપરિતાપોદ્રાવિVI: મૃતા નિનૈઃ સારા ” ગાથાર્થ : એકેન્દ્રિયાદિ જીવોનો સંઘટ્ટ, પરિતાપ કે ઉપદ્રવ વગેરે કરવું તેને શ્રીજિનેશ્વરોએ પહેલાં વ્રતમાં અતિચારો કહેલા છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : એકેન્દ્રિયાદિ જીવોને સ્પર્શ કરવો તે સંઘટ્ટ, સર્વ રીતે સંતાપ ઉપજાવવો તે પરિતાપ, અતિશય પીડા કરવી તે ઉપદ્રાવણ, તે કરવાથી અહિંસા નામના પ્રથમવ્રતમાં અતિચારો લાગે છે. ll૧૧૯ બીજાવ્રતના અતિચારો કહે છે કેमूलम् - असौ द्विधाऽणुस्थूलाभ्यां, तत्राद्यः प्रचलादितः ।। द्वितीयः क्रोधलोभादे - मिथ्याभाषा द्वितीयके ।।१२०।। ગાથાર્થ બીજાવ્રતમાં અતિચાર નાનો અને મોટો એમ બે પ્રકારનો છે. તેમાં પ્રચલા” નામની નિદ્રા વગેરેને યોગે મિથ્યા બોલાય તેને નાનો અને ક્રોધલોભાદિને વશ થઈને મિથ્યા બોલવું તેને મોટો અતિચાર સમજવો. ટીકાનો સંક્ષેપભાવાર્થ: બીજા મૃષાવાદ વિરમણ વ્રતમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે અતિચાર થાય છે. તેમાં (બેઠાં બેઠાં કે ઊભા ઊભા ઉઘવું તે) પ્રચલા નામની નિદ્રા વગેરેને વશ થઈ મિથ્યા બોલવાથી સૂક્ષ્મ અતિચાર થાય. જેમકે દિવસે કોઈ (બેઠો કે ઊભો) ઊંઘતો હોય તેને “કેમ ઉંઘે છે ?' વગેરે પૂછવાથી તે કહે કે “હું ઊંઘતો નથી” વગેરે સૂક્ષ્મ અતિચાર સમજવો. ક્રોધ-લોભ-ભય કે હાસ્યથી મિથ્યા બોલવું તે બાદર અતિચાર જાણવો. બોલનારના પરિણામના ભેદથી સૂક્ષ્મ-બાદરનો ભેદ સમજવો. હવે ત્રીજાતના અતિચારોને કહે છે કેमूलम् - "एवं तृतीयेऽदत्तस्य, तृणादेर्ग्रहणादणुः । aો વિક્રમ રોડ વિસ્તારપદારતઃ પાદરા” ગાથાર્થ એ રીતે ત્રીજાવ્રતમાં પણ નહિ આપેલું તૃણ વગેરે લેવાથી અણુ Page #263 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (સૂક્ષ્મ) અતિચાર અને ક્રોધાદિને વશ બીજાની સચિત્તાદિ વસ્તુને હરણ કરવાથી બાદર અતિચાર લાગે છે. ૧૯૬ ટીકાનો સંક્ષેપભાવાર્થ : ત્રીજાવ્રતમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના અતિચાર છે. તેમાં માલિક વગેરેએ આપ્યા વિનાનું તૃણ, માટી, પથ્થર, ઢેકું વગેરે અજાણપણે લેવાથી સાધુને સૂક્ષ્મ અતિચાર થાય. (અને જાણીને લેવાથી અનાચાર થાય એમ સમજવું.) ક્રોધ વગેરે કષાયોથી સાધુ-સાધ્વીની, ચરક વગેરે વિધર્મીઓની અથવા ગૃહસ્થોની સચિત્ત, અચિત્ત કે મિશ્ર કોઈપણ વસ્તુ હરણ કરવાના પરિણામ કરવાથી બાદર અતિચાર લાગે. (લેવાથી અનાચાર થાય.) હવે ચોથાવ્રતના અતિચારો કહે છે કે मूलम् - ब्रह्मव्रतेऽतिचारस्तु, करकर्मादिको मतः । સમ્યતવીયનુમીનાં, તથા ચાનનુપાનમ્ ।।૨૨।।” ગાથાર્થ : ચોથા બ્રહ્મવ્રતમાં ‘હસ્તકર્મ’ વગેરે કરવાથી તથા બ્રહ્મચર્યની વાડોને સમ્યગ્ નહિ પાળવાથી પણ અતિચાર કહ્યો છે. ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : બ્રહ્મચર્યવ્રતમાં ‘હસ્તકર્મ’ વગેરે કરવાથી તથા અધ્યવસાયની વિચિત્રતાથી તદીયગુપ્તિ અર્થાત્ ભાવશુદ્ધિપૂર્વક બ્રહ્મચર્યની નવવાડોનું પાલન નહિ કરવાથી અતિચાર લાગે. હવે પાંચમાવ્રતના અતિચારો કહે છે કે मूलम् - "काकादिरक्षणं बाल મમત્વ પદ્મમેડ]:।”, - द्रव्यादिग्रहणं लोभात्, स्थूलश्चाधिकधारणम् ।।१२३ ।। " ગાથાર્થ : કાગડા વગેરેથી (ગૃહસ્થની) આહારાદિ વસ્તુનું રક્ષણ કરવું, તથા બાળ (શિષ્ય) ઉપર કંઈક માત્ર મમત્વ કરવું, તેને પાંચમાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર અને લોભથી દ્રવ્ય વગેરે રાખવું કે વસ્ત્ર-પાત્રાદિ પણ જરૂરથી અધિક રાખવાં, તેને સ્થૂલ અતિચાર કહ્યો છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : પાંચમા પરિગ્રહવિરમણ વ્રતમાં (પણ સૂક્ષ્મ અને બાદર એમ બે અતિચારો છે તેમાં) કાગડો, કુતરાં, ગાય વગેરેથી ગૃહસ્થના (શાંતરાદિના) આહારાદિનું રક્ષણ કરવું, તે પ્રાણીઓ ખાઈ ન જાય તે માટે પ્રયત્નપૂર્વક મૂકવું, સાચવવું વગેરે શય્યાતરાદિ પ્રત્યે મમત્વ કરવું તે સૂક્ષ્મ અતિચાર અને લોભના પરિણામથી Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૯૭ સુવર્ણ' આદિ દ્રવ્યો ગ્રહણ કરવાં અને વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ પણ શાસ્ત્રમાં કહેલી સંખ્યાથી અને માપથી વધારે રાખવી, સંગ્રહ કરવો, તે બાદર અતિચાર છે. તેમાં એટલો વિવેક છે કે પુસ્તક વગેરે જ્ઞાનાદિનાં ઉપકરણો (અધિક) રાખવા છતાં દોષ નથી. તે સિવાયના (અધિક) સંગ્રહથી અતિચાર જાણવો. અહીં સર્વ પ્રસંગોમાં પરિણામને આશ્રયિને અતિચારનું (-અનતિચારનું) સ્વરૂપ જાણવું. હવે છઠ્ઠાવ્રતના અતિચારો કહે છેमूलम् - "दिनात्तदिनभुक्तादिचतुर्भङग्यादिरन्तिमे ।। | સર્વેશ્વવેષ વિવા, ઉષા વાતિમવિધિઃ ૨૪” ગાથાર્થ : “દિવસે લાવવું અને દિવસે વાપરવું' ઇત્યાદિ ચાર ભાગા સેવવા વગેરેથી છેલ્લા (છઠ્ઠા) વ્રતમાં અતિચાર લાગે, અથવા સર્વવ્રતોમાં અતિક્રમાદિથી દોષો (અતિચારો) જાણવા. ટીકાનો સંક્ષેપભાવાર્થ : (પૂર્વ દિવસે લાવીને રાખી મૂકેલું બીજા દિવસે ખાતાં) સંન્નિધિ દોષ લાગે. માટે “દિવસે લીધેલું દિવસે વાપરવું વગેરે ચાર ભાંગાવાળી ચતુર્ભગી સેવવા વગેરેથી છેલ્લા (છઠ્ઠા) વ્રતમાં અતિચારો કહ્યા છે. તેમાં પૂર્વ દિવસે લીધેલું બીજા દિવસે વાપરવું તે પ્રથમ ભાંગી, તે દિવસે લીધેલું રાત્રે વાપરવું તે બીજોભાંગો, રાત્રે લીધેલું બીજા દિવસે વાપરવું તે ત્રીજો ભાંગો અને રાત્રે લીધેલું રાત્રે વાપરવું તે ચોથો ભાંગો. એ ચારે ય ભાંગાથી તથાવિધ પરિણામને અનુસાર અતિચારો સમજવા. અતિમાત્રાએ (પ્રમાણાતિરિક્ત) આહાર લેવો વગેરેથી પણ છઠ્ઠા વ્રતમાં અતિચારો સમજવા. હવે મૂળગુણોમાં અને ઉત્તરગુણોમાં સમાન રીતે દોષો કેવી રીતે લાગે તે જણાવવા કહે છે કે – કેવલ વ્રતાદિમાં જ નહિ, પણ સમસ્ત મૂળગુણોમાં અને ઉત્તરગુણોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અથવા અનાચાર દોષો સમજી લેવા. વ્યવહારભાષ્યમાં, આધાર્મિકદોષને આશ્રયિને કહ્યું છે કે- “આધાકર્મ' દોષથી દૂષિત વસ્તુને આપવા વિનંતી કરતા દાતારની વિનંતિ સાંભળે, તે માટે તૈયારી કરતો યાવત્ ઉપયોગનો કાયોત્સર્ગ વગેરે કરીને જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દોષ ગણાય, ત્યાં જવા માટે પગલું ભરે ત્યાંથી માંડીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને પાત્ર ધરે ત્યાં સુધી વ્યતિક્રમ ગણાય. આધાર્મિક વસ્તુ ગ્રહણ કરે અને ઉપલક્ષણથી ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવે, ગુરુની સમક્ષ આલોચના કરે, ભોજન માટે બેસીને મુખમાં તે વસ્તુ નાખે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (ગળે ઉતારે નહિ) ત્યાં સુધી અતિચાર નામનો ત્રીજો દોષ ગણાય અને ગળે ઉતારે ત્યારે ચોથો અનાચાર કર્યો ગણાય. આ પ્રમાણે મૂળગુણોમાં અને ઉત્તરગુણોમાં અતિક્રમાદિ દોષોની ઘટના સ્વયમેવ કરવી. અહીં આ પ્રમાણે વિવેક કરવો કે - મૂળગુણોમાં અતિક્રમાદિ ત્રણ દોષો લાગવાથી ચારિત્રમાં મલિનતા સમજવી, તેથી આલોચના - પ્રતિક્રમણ' વગેરે પ્રાયશ્ચિત્તોથી તેની શુદ્ધિ થઈ શકે. ચોથા અનાચારથી તો ગુણનો ભંગ થાય, માટે અનાચાર દોષ લાગે તો એ ગુણની પુન: ઉપસ્થાપના કરવી યોગ્ય છે. ઉત્તરગુણોમાં તો અતિક્રમાદિ ચારેય દોષો લાગવા છતાં ચારિત્રની મલિનતા જ કહી છે -ભંગ કહ્યો નથી. (અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય) એ મૂળ - ઉત્તરગુણોના અતિચારો કહ્યા. //૧૨૪ll હવે મૂળગુણોમાં લગભગ કહેવાઈ જવા છતાં જ્ઞાનાચારાદિનું સંયમજીવનમાં પ્રાધાન્ય જણાવવા માટે તે આચારોને જુદા કહે છેमूलम् - "ज्ञानादिपञ्चाचाराणां, पालनं च यथागमम् । __ गच्छवासकुसंसर्ग - त्यागोऽर्थपदचिन्तनम् ।।१२५ ।। ગાથાર્થ : જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું આગમાનુસારે પાલન કરવું, ગચ્છમાં રહેવું, કુસંસર્ગને તજવો અને આગમના પદોને સૂક્ષ્મબુદ્ધિથી અર્થપૂર્વક વિચારવાં, તે સાપેક્ષ યતિધર્મ છે. ટકાનો સંક્ષેપભાવાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારોનું આગમને અનુસરીને પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. (૧) તત્ત્વનો સમ્યગુબોધ તે જ્ઞાન. તે પણ જ્ઞાનાચારમાં હેતુભૂત હોવાથી અહીં બાર અંગો, ઉપાંગો વગેરે શ્રુતજ્ઞાન સમજવું. (૨) તત્ત્વની સમ્યક શ્રદ્ધા તે દર્શન. (૩) જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સર્વ (બાહ્ય-અત્યંતર) પાપવૃત્તિઓનો ત્યાગ તે ચારિત્ર. (૪) ઇચ્છાનો નિરોધ તે તપ. (૫) આત્માની શક્તિને શુભયોગોમાં ફોરવવી તે વીર્ય. એમાં (૧) – (૩) જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણના આઠ-આઠ આચારોમાં વિપરીત આચરણ કરવાથી અતિચાર લાગે છે. (૪) તપના બાર પ્રકાર છે. તે પૈકી છ બાહ્યતાનું સ્વરૂપ આ પ્રમાણે છે. - “સમૂળગરિમા, વિત્તીસંવેવ સંશામાં कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ।। || યશ લે. નિ. . . Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૧૯૯ ભાવાનુવાદ - (૧) અનશન : આહારનો ત્યાગ, તેના બે પ્રકાર છે - એક અમુક મર્યાદિત કાળ સુધી, બીજો યાવજીવ સુધી. તેમાં પહેલો “નમસ્કાર સહિત (નવકારશી) તપથી આરંભી શ્રીવીર પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિના સુધી, શ્રી ઋષભદેવા સ્વામિના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી અને મધ્યમ (બાવીશ) તીર્થકરોના શાસનમાં ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી હોય છે. બીજા યાવજીવ આહારત્યાગરૂપ અનશનમાં (૧) પાદપોપગમન, (૨) ઇંગિતમરણ, (૩) ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારો છે. એનું સ્વરૂપ આગળ મૂળગ્રંથથી કહેવાશે. (૨) ઉણોદરી : એકાસણા આદિ તપમાં ભૂખ કરતાં ઓછું વાપરવું તે ઉણોદરી. પુરુષના બત્રીસ અને સ્ત્રીના અઠ્ઠાવીસ કોળીયા આહાર કરતાં, ન્યૂન વાપરવું તે ઉણોદરી. તે ઉણોદરી બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી ણોદરી એક ઉપકરણને આશ્રયિને, બીજી આહાર-પાણીને આશ્રયિને હોય છે. ઉપકરણને આશ્રયિને જિનકલ્પિકોને હોય છે. આહાર-પાણીને આશ્રમિને પાંચ ભેદો છે - આઠ, બાર, સોળ, ચોવીસ, એકત્રીસ કોળીયા પર્યન્ત આહાર લેવો તેને અનુક્રમે.. (૧) અલ્પાહાર, (૨) અપાદ્ધ, (૩) દ્વિભાગ, (૪) પ્રાપ્ત, (૫) કિંચિત્ જૂન નામની ઉણોદરી કહી છે. ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરવો તે ભાવ ઉણોદરી. (૩) વૃત્તિસંક્ષેપ : જેનાથી જીવાય તે વૃત્તિ (=આજીવિકા = ભિક્ષા), તેમાં સંક્ષેપ = હાસ કરવો તે વૃત્તિસંક્ષેપ. ગૃહસ્થાદિ એકસાથે જેટલું આપે તેને એક દત્તિ કહેવાય, તેવી દત્તિઓનું પ્રમાણ (નિયમન) કરવું. તથા અમુક સંખ્યાથી વધારે ઘરોમાંથી કે અમુક શેરી, ગામ કે અડધા ગામ વગેરે અમુક ક્ષેત્રથી વધારે ક્ષેત્રમાંથી નહિ લેવાનો નિયમ કરવો તે વૃત્તિસંક્ષેપ સમજવો. (કરણસિત્તરીમાં કહ્યા તે) દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સંબંધી અભિગ્રહો પણ આ જ તપના પ્રકાર છે. (૪) રસત્યાગ : વિશિષ્ટ રસવાળા, માદક કે વિકારક પદાર્થોનો ત્યાગ, અર્થાત્ વિગઇ શબ્દથી ઓળખાતા મધ, માંસ, માખણ અને મદિરા એ અભક્ષ્ય વિગઈઓનો અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન, એ છ વિગઈઓનો ત્યાગ તે રસત્યાગ જાણવો. (૫) કાયફ્લેશ : - કાયાને ફ્લેશ આપવો તે કાયક્લેશ. તે અમુક વિશિષ્ટ આસનો કરવાથી, શરીરની સારસંભાળ-રક્ષા-પરિચર્યા નહિ કરવાથી કે કેશનો લોચ કરવા વગેરેથી કરી શકાય. (આ કાયક્લેશ સ્વયં કરેલા કુલેશના અનુભવરૂપ છે. અને પરીષહો સ્વયં તથા બીજાએ કરેલા કુલેશના અનુભવરૂપ છે. એમ કાયક્લેશમાં અને પરીષહમાં ભિન્નતા છે. (૬) સંલીનતા (= ગોપાવવાપણું) તે (૧) ઇન્દ્રિયોને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૨) કષાયોને અને (૩) યોગોને ગોપવવાથી તથા (૪) પૃથર્ (નિર્જનાદિ પ્રદેશોમાં) શયન-આસન (સુવા-બેસવાથી) એમ ચાર પ્રકારે થાય છે. તેમાં ઇન્દ્રિયાદિ ત્રણને ગોપવવાનું વર્ણન તો લગભગ પૂર્વે કહેવાઈ ગયું છે. એકાંત, બાધારહિત, જીવસંસક્તિથી અને પશુ, નપુંસક-સ્ત્રી વગેરેથી રહિત એવાં શૂન્યધરો, દેવકુલિકા, સભા કે પર્વતની ગુફા વગેરે કોઈ સ્થળે રહેવું તે પૃથક્ શવ્યાસનનો અર્થ છે. આ છ પ્રકારના તપમાં બાહ્યવસ્તુઓની અપેક્ષા રહેતી હોવાથી, બીજાઓ (પ્રત્યક્ષ) જોઈ શકતા હોવાથી, બાહ્ય શરીરને તપાવતું હોવાથી અને અન્યદર્શનના (જૈન શાસનથી બાહ્ય) તાપસ તથા ગૃહસ્થો પણ તેને કરતા હોવાથી બાહ્યતપ કહેવાય છે. અભ્યતરતપ આ પ્રમાણે છે"पायच्छित्तं विणओ, वेयावचं तहेव सज्झाओं । झाणं उस्सग्गो वि अ, अभिंतरओ तवो होइ .।।" । રશ વૈ. નિ. I. - ૪૮ || - અભ્યતરતા છ પ્રકારનો છે. (૧) પ્રાયશ્ચિત્ત : પ્રાય: અતિચારથી મલિન થયેલા ચિત્તની વિશુદ્ધિ કરે તે પ્રાયશ્ચિત્ત. અથવા પ્રકર્ષથી (વિશેષતયા) આચારરૂપ ધર્મ જેનાથી (તે= પ્રાપ્ત થાય તે પ્રાયશ્ચિત્ત, અથવા પ્રાય: (સાધુઓ) અતિચારની વિશુદ્ધિ માટે (ચિત્તન=ોસ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત. (= તે એક પ્રકારનું અનુષ્ઠાન સમજવું.) તેના દસ પ્રકારો આગળ કહેવાશે. (૨) વિનય : આઠ પ્રકારનું કર્મ જેનાથી (વિનીયતેત્ર) દૂર કરાય તે વિનય જ્ઞાનાદિ વિષયભેદં સાત પ્રકારનો છે. (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનોવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય, (૭) ઉપચારવિનય. (૧) જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. (૧) મતિજ્ઞાન વગેરે તે તે “જ્ઞાનના સ્વરૂપમાં શ્રદ્ધા કરવી. (૨) તે તે જ્ઞાનવાળા જ્ઞાનીઓની કે જ્ઞાનના સાધનોની બાહ્યસેવારૂપ ભક્તિ કરવી. (૩) હૃદયથી તેઓ પ્રત્યે ‘બહુમાન કરવું. (૪) તેમાં જણાવેલા “અર્થોનો સમ્યકુ વિચાર કરવો. (૫) વિધિપૂર્વક “જ્ઞાન ભણવું, વારંવાર અભ્યાસ કરવો. (૨) દર્શનવિનયના (૧) શુશ્રુષા અને (૨) અનાશાતના એમ બે પ્રકારો છે. તેમાં (૧) દર્શનગુણમાં જેઓ અધિક (નિર્મળશ્રદ્ધાવાળા) હોય તેઓનો શુશ્રુષારૂપ વિનય કરવો. અર્થાત્ તેઓની સ્તુતિ કરવારૂપ સત્કાર કરવો, આવે ત્યારે ઊભા Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ થવું, વસ્ત્રાદિ ભેટ આપવારૂપ સન્માન કરવું વગેરે શુશ્રુષાવિનય જાણવો. (૨) અનાશાતનાવિનય આ પ્રમાણે પંદર પ્રકારે કહ્યો છે. ૨૦૧ (૧) તીર્થંકરો, (૨) (ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ) ધર્મ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સ્થવિર, (૬) કુલ, (૭) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક સાધુઓ, (૧૦) ક્રિયા (અર્થાત્ અસ્તિત્વવાદ), (૧૧-૧૫) મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનો, આ પંદરની બાહ્ય સેવારૂપ ભક્તિ કરવી, હાર્દિક પ્રીતિરૂપ બહુમાન કરવું, તેમના ગુણોની પ્રશંસા કરવી, આ અનાશતનાવિનય છે. (૩) સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રની (મનથી) શ્રદ્ધા કરવી, (કાયાથી) તેનું સ્પર્શન (પાલન) કરવું અને (વચનથી) ભવ્ય પ્રાણીઓની આગળ તેની પ્રરૂપણા કરવી. તે ચારિત્રવિનય સમજવો. (૪થી ૬) આચાર્ય વગેરે દરેક પૂજ્યો પ્રત્યે સર્વદા દુષ્ટમન (દુર્ભાવ), દુષ્ટવચન, અવિનયી વર્તનનો રોધ કરવો તથા પ્રશસ્ત મન (=સદૂભાવ), વચનથી પ્રશંસા, અને કાયાથી સેવાભક્તિ વગેરેની ઉદીરણા કરવી, તેને અનુક્રમે મનોવિનય, વચનવિનય અને કાયવિનય કહ્યો છે. (૭) ઉપચારવિનય : (વિનયના પાત્ર એવા) સામા વ્યક્તિને સુખકારક એવી ક્રિયા દ્વારા વિનય કરવો તે ઔપચારિકવિનય જાણવો. તેના આ પ્રમાણે સાત પ્રકારો છે = ગ્લાન (૧) અજ્માસøળ = શ્રુત ભણવા સિવાયના સમયે પણ ગુર્વાદિની પાસે બેસવું. (૨) છંવાળુવત્તળ = તેઓની ઇચ્છાને અનુકૂળ વર્તવું. (૩) વૅડિાિર્ડ = ભક્તિમાં ઉદ્યમ ક૨વો. (૪) રિતનિમિત્તરળ = શ્રુતદાતા ગુરુનો ઉપકાર માની તેઓની સેવા-ભક્તિ વગેરે વિનયમાં વિશેષ પ્રવૃત્તિ કરવી. (૫) દુ:વાર્ત્તવેષા હોય ત્યારે ઔષધાદિ મેળવી આપવું અને ભક્તિ ઉપચાર કરવો. (૬) વેશાજ્ઞાનં = દેશ-કાળને ઓળખીને તદનુસા૨ સેવા કરવી. (૭) સર્વાર્થેનુમતિ: = સર્વ વિષયોમાં તેઓની અનુમતિ લઈ કાર્ય કરવું. હવે બાવન પ્રકારે પણ વિનય આ રીતે થાય છે - (૧) તીર્થંક૨, (૨) સિદ્ધ, (૩) નાગેન્દ્ર વગેરે કુલ, (૪) કોટિક વગેરે ગણ, (૫) ચતુર્વિધસંઘ, (૬) અસ્તિત્વ વગેરે ક્રિયા, (૭) શ્રુતધર્મ - ચારિત્રધર્મ, (૮) મતિ આદિ પાંચ જ્ઞાન, (૯) જ્ઞાનીઓ, (૧૦) પાંચ પ્રકારના આચાર્યો, (૧૧) ત્રણ પ્રકારના સ્થવિરો, (૧૨) ઉપાધ્યાય, (૧૩) ગણના અધિપતિ ગણધરો. તે પ્રત્યેકનો (૧) આશાતના ત્યાગ, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૨) બાહ્યસેવા રૂ૫ ભક્તિ, (૩) આંતરિક બહુમાન, (૪) ગુણગણની પ્રશંસા, આ ચાર પ્રકારે તેનો વિનય કરવાથી (૪૪૧૩= ) બાવન પ્રકારે વિનય થાય છે. (૩) વેયાવચ્ચ : ચરણસિત્તરીમાં દસ પ્રકારે વૈયાવચ્ચ કહેવાઈ ગઈ છે. (૪) સ્વાધ્યાય : જેના દ્વારા સ્વ = આત્માનું અધ્યયન થાય તે સ્વાધ્યાય. તેના પાંચ ભેદો છે. (૧) વાચના = શિષ્યને શાસ્ત્રનો અભ્યાસ કરાવવો. (૨) પૃચ્છના: - ભણતાં શંકા પડી હોય તે પૂછવું. (૩) પરાવર્તન : ભણેલું ભૂલી ન જવાય તે માટે વારંવાર પાઠ કરવો તે. (૪) અનુપ્રેક્ષા = અર્થનું ઉંડાણમાં વારંવાર ચિંતન કરવું તે. (૫) ધર્મકથા : એ રીતે ભણેલું વારંવાર અભ્યસ્ત પરિચિત) થયા પછી ધર્મનું કથન કરવું (અન્યને ભણાવવું, સમજાવવું તે.) (૫) ધ્યાનઃ પ્રતિક્રમણ સૂત્રના અર્થમાં ચાર ધ્યાન કહ્યાં, તે પૈકી ધર્મધ્યાન અને શુક્લધ્યાન બેને તપમાં ગણવાં. (૬) ઉત્સર્ગ : ત્યાગ કરવા યોગ્ય (નિરૂપયોગી) વસ્તુનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. તેમાં વધારાની – નિરૂપયોગી ઉપધિ અને અશુદ્ધ આહાર વગેરે બાહ્યવસ્તુનો ત્યાગ કરવો તે બાહ્ય ઉત્સર્ગ અને કષાયો (વગેરે દોષો)નો તથા મૃત્યકાલે શરીરનો ત્યાગ કરવો તે અત્યંતર ઉત્સર્ગ સમજવો. (આ ઉત્સર્ગને દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ગણ્યો છે, તે અતિચારની શુદ્ધિ માટે અને અહીં તપમાં કહ્યો તે સામાન્ય નિર્જરા માટે સમજવો.) આ છે પ્રકારનો તપ લોકમાં તપ તરીકે પ્રગટ નથી, બહાર દેખાતો નથી, બહુલતાએ જૈનશાસન પામેલા આત્માઓ એને સેવે છે, મોક્ષપ્રાપ્તિમાં તે અંતરંગ કારણભૂત છે અને અત્યંતરકર્મોને તપાવે છે, એ કારણોથી એને અત્યંતરતપ કહેવાય છે. એ તપાચાર કહ્યો. (૫) વીર્યાચાર : મન-વચન-કાયા દ્વારા પ્રાપ્ત સામર્થ્યને અનુસાર (અન્યૂનાધિક) ધર્મકાર્યો કરવાથી ત્રણ પ્રકારે વર્યાચારનું પાલન થાય છે. આ પ્રમાણે (પાલન કરવા માટે) પાંચ આચારો કહ્યા. હવે (૧૨૫ મા શ્લોકના ઉત્તરાદ્ધ તથા ૧૨૬-૧૨૭ મા શ્લોકો) એમ અઢી શ્લોકથી મહાવ્રતોના પાલનમાં ઉપાયભૂત સાપેક્ષ યતિધર્મના કેટલાક (આવશ્યક) કર્તવ્યો કહેવા માટે કહે છે કે ગચ્છમાં વાસ કરવો તે સાપેક્ષ યતિધર્મ છે. ગચ્છમાં રહેવાથી પોતાનાથી અધિક ગુણવાળા કેટલાક સાધુઓનો વિનય કરી શકાય. પોતે બીજા નવદીક્ષિત Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૦૩ વગેરેને વિનયનું કારણ બને. (અર્થાત્ પોતે વિનય કરે, તે જોઈને બીજાઓ પણ શીખે.) વિધિ વગેરેમાં ભૂલ થતી હોય તો બીજાઓ સ્મરણ કરાવી શકે. એ પ્રમાણે ગચ્છમાં રહેવાથી સ્વ-પર ઉભયને કર્તવ્યનું સ્મરણ કરાવવારૂપ સ્મારણા, અકાર્યથી રોકવારૂપ વારણા, પ્રેરણારૂપ નોદના અને વારંવાર પ્રેરણારૂપ પ્રતિનોદના પણ કરી-કરાવી શકાય છે, આથી પરસ્પર વિનયાદિ પ્રવૃત્તિ કરનાર (કરાવનાર) ગચ્છવાસી સાધુને અવશ્ય મોક્ષની સાધના થાય છે, એ કારણે ગચ્છવાસ પણ સાક્ષેપયતિનો મુખ્યધર્મ છે. પંચવસ્તુમાં કહ્યું છે કે - મુનિઓનો પરિવાર તે ગચ્છ. તેમાં રહેનારાઓને પરસ્પરના વિનયથી ઘણી નિર્જરા થાય તથા સ્મારણા વગેરેથી ચારિત્રમાં દોષો પણ ન લાગે. અન્યોન્ય સહાયથી તે તે વિનયાદિ યોગોમાં પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુને નિયમા અસંગ(મોક્ષ)પદનો સાધક કહ્યો છે. ગચ્છમાં થતી સ્મારણા આદિ ગુણકારક યોગોને લાભને બદલે દુ:ખ માનીને કંટાળીને ગચ્છને છોડી દેનારા સાધુઓને જ્ઞાનાદિ ગુણોની હાનિ થાય છે, વળી જ્યાં સ્મારણા આદિ ન થતા હોય તે ગચ્છ તો છોડવા યોગ્ય છે જ, કારણ કે ૫૨માર્થથી (વસ્તુત:) તે ગચ્છ જ નથી. પરસ્પરના ગુણ વગેરેમાં બહુમાન વગેરે કરવારૂપ પૂજ્ય-પૂજકપણાના સંબંધથી ગચ્છવાસી સાધુઓને પરસ્પર ઉપકાર ન થતો હોય, તેમ જ ગુણવાન રત્નાધિક પ્રત્યે નાનાને સન્માન અને રત્નાધિકને નાના પ્રત્યે વાત્સલ્ય ન પ્રગટે તે, એ ગચ્છમાં રહેવા છતાં તેનું પ્રાય: કાંઈ ફળ નથી. વળી ગચ્છ છોડવા યોગ્ય હોય, તો પણ ત્યારે જ છોડવો કે જ્યારે બીજો ઉત્તમ આશ્રય મળે, અન્યથા આત્મરક્ષા અને સંયમરક્ષા માટે પણ તે જ ગચ્છમાં ૨હે, પણ એકલો વિચરે નહિ. કારણ કે પાસસ્થાદિના સંસર્ગથી અનેક દોષોનો સંભવ છે. કુશીલના સંસર્ગનો ત્યાગ કરવો તે પણ સાપેક્ષ યતિધર્મ છે. પાપમિત્રતુલ્ય પાસત્યાદિની સાથે સાધુએ સંબંધ રાખવો તે કુસંસર્ગ કહેવાય. તેઓની સાથે રહેવાથી પણ તેઓના જેવો (શૈથિલ્યાદિનો) પરિણામ અવશ્ય થાય. જેમ પુષ્પોની સાથે રહેલા તલ પણ પુષ્પના ગંધવાળા થાય છે, તેમ જે જેવાની સાથે મૈત્રી કરે તે શીઘ્ર તેવો થાય છે. જે કાળમાં સંવેગી સાધુ ઘણા હોય, તે કાળની અપેક્ષાએ આ ઉત્સર્ગમાર્ગ જાણવો. (અપવાદમાર્ગે તો) સંક્લિષ્ટ (જીવો બહુ હોય તેવા) કાળમાં તેવા (શુદ્ધ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સંવેગી) સહાયક ન મળે તો છ કાય જીવોની દયાના પરિણામવાળા સંવેગી પણ સાધુએ પાસત્થો,અવસગ્ન, યથાછંદ, બકુશ અને કુશીલ એ પાંચ પૈકી કોઈ એક દોષવાળાની સાથે રહેવું, પણ બે-ત્રણ વગેરે દોષોથી દૂષિતની સાથે ન રહેવું. કારણ કે દોષ-ગુણના સંયોગની તરતમતાને આશ્રયિને વિરાધક-આરાધક ભાવની પણ તરતમતા થાય છે. ઉત્સર્ગથી તો પાસત્યાદિને અભ્યત્યાન વિગેરે વિનયાદિ કરવાથી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પણ કારણે (અપવાદમાર્ગે) તો તેઓને વંદનાદિ કરવું જોઈએ. આ ' વિષયમાં ઉત્સર્ગ-અપવાદ બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવા. દુષ્કાળ, રાજભય વગેરેના પ્રસંગોમાં કે બીમારીમાં, ગચ્છના અશનાદિ દ્વારા ઉપકાર કે પરિપાલન વગેરે વિષયમાં પાસત્યાદિ દ્વારા કામ નીકળતું હોય તો, નિર્વિન સંયમપાલન થાય તેવો યોગ મેળવવામાં કુશળ મુનિઓ તેવા ઉપાયો કરે કે રસ્તા આદિમાં પાસત્યાદિને વંદન કર્યા વિના માત્ર તેના શરીરની વાર્તા વગેરે પૂછવાથી પણ તેઓ પ્રસન્ન થાય, કોઈ વાર તેઓની ઇચ્છાનુસાર તેઓના ઉપાશ્રયે પણ જાય, પણ ત્યાં બહાર ઊભા રહીને સુખશાતાદિ સર્વ કુશળ સમાચાર પૂછે, જો તેઓ આગ્રહ કરે તો ઉપાશ્રયમાં જઈને પણ પૂછે. વળી બીજા ભણાવનાર ન હોય અને પાસત્યાદિ પાસેથી શ્રુતની અવિચ્છિન્નતા માટે ભણવું પડે તો અભ્યત્થાન, વિનય, વંદન, વગેરે જે જે કરવાથી પ્રસન્ન થાય તે રીતે કરવું, આવા કારણસર પણ જો તેઓને વંદન કરવામાં ન આવે તો ઉલટાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિશેષ અપવાદો બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવા. ૧૨૫માં શ્લોકમાં કહેલા “અર્થપદચિતનની હવે વ્યાખ્યા કરે છે. જે પદ કે વાક્યના આધારે અર્થનું જ્ઞાન થાય તે “અર્થપદ’ કહેવાય. એવા પદ, વાક્ય વગેરેના આધારે અર્થનું ચિંતન કરવું. અર્થાત્ પદાદિના વિષયનો વિચાર કરીને જે પદાદિ જે અર્થના વાચક હોય તે અર્થને ઘટાવવો, તેને અર્થપદનું ચિંતન કહેવાય. કહેવાનો ભાવાર્થ એ છે કે સૂક્ષ્મબુદ્ધિથી શાસ્ત્રપાઠોના અર્થોનો વિચાર કરવો જોઈએ - આ રીતે સ્વયં વિચારીને, બીજા બહુશ્રુત પાસેથી તેની ખાત્રી મેળવીને જે પદનો જે અર્થ થતો હોય તેનો તે જ રીતે અર્થ કરી નિશ્ચય કરવો જોઈએ. તેના વિના ધર્મમાં શ્રદ્ધા પ્રગટતી નથી. તે વિચારણા દ્વારા નિશ્ચય કેવી રીતે કરવો તેનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે (બાહુ-સુબાહુ ની અનુક્રમે આહારાદિ લાવવાની અને વૈયાવચ્ચની ક્રિયાને જોઈને પ્રશંસા કરતા ગુરુની ઉપર પોતાનું કામ કરે તેની પ્રશંસા કરે છે. અમારા Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૦૫ આટલા આકરા તપની પ્રશંસા કરતા નથી” આવો દુર્ભાવરૂપ વિકલ્પ કરનાર પીઠ-મહાપીઠ સૂક્ષ્મ અતિચારથી સ્ત્રીવેદ બાંધી બ્રાહ્મ-સુંદરી તરીકે જન્મ્યાં, તે) સૂક્ષ્મ પણ અતિચાર બ્રાહ્મી-સુંદરી વગેરેની જેમ સ્ત્રી અવતાર વગેરેનું કારણ બને તો “પ્રમત્ત (ગુણસ્થાને વર્તતા) સાધુઓનું ચારિત્ર (સાતિચાર છતાં) મોક્ષનું કારણ બને,' એમ શાસ્ત્રમાં કહ્યું તે કેમ ઘટે ? કારણ કે તે ગુણસ્થાનકે પ્રમાદ હોવાથી ત્યાં અતિચારો ઘણા લાગે ? એનું સમાધાન એ રીતે વિચારવું કે – જો સાધુ દીક્ષિત થવા છતાં સૂક્ષ્મ પણ અતિચાર સેવે તો તેના વિપાક અતિરૌદ્ર (આકરો) જ હોય છે. પરંતુ એ અતિચારના પ્રતિપક્ષી શુદ્ધ અધ્યવસાયો જ પ્રાય: તે અતિચારજન્ય પાપનો ક્ષય કરી શકે છે, આલોચના વગેરે પ્રાયશ્ચિત્ત કરવા માત્રથી તેનો ક્ષય થતો નથી. કારણ કે બ્રાહ્મી વગેરેએ પણ તે આલોચના તો કરી હતી, છતાં અતિચારનો ક્ષય થયો ન હતો. આથી તે તે અતિચારના પ્રતિપક્ષી તુલ્યગુણ (સરખા બળવાળા) અથવા અધિકગુણવાળા શુદ્ધ અધ્યવસાયો જેનામાં પ્રગટે છે, તે પ્રમત્તચારિત્રવંતને પણ ચારિત્રનું પાલન અઘટિત નથી. * આનાથી પ્રાયશ્ચિત્ત વગેરે કરવા-કરાવવાનો વ્યવહાર નિરર્થક પણ નથી. કારણકે પ્રાયશ્ચિત્ત વગેરે યતનાની (સંયમનો) વ્યવહાર જ્યાં અતિચારની તુલના ન કરી શકે (અર્થાત્ પ્રાયશ્ચિત્ત કરવા છતાં અતિચારો આકારા હોવાથી નિફ્ટ ન થાય), ત્યાં પ્રતિપક્ષી અધ્યવસાયો પૂર્વક તે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કરવું” એમ કહેવાથી પ્રાયશ્ચિત્તની વિશિષ્ટતા જણાવનારું પ્રતિપક્ષી અધ્યવસાયપૂર્વક એ વિશેષણ સફળ છે – ઘટે જ છે. આ રીતે શાસ્ત્રવાક્યો - પદોનો ગંભીર અર્થ, તર્ક અને સમાધાનરૂપે ચિતવવો. તેથી શ્રદ્ધા શુદ્ધ થાય છે. આ રીતે અર્થપદચિંતન કહ્યું. હવે શેષ કર્તવ્યો કહે છે કેमूलम् - विहारोऽप्रतिबद्धश्च, सम्यग् गीतार्थनिश्रया ।। મહામુનિચરિત્રા, શ્રવ થનું મિથ: આશરદા ગાથાર્થ : ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરવો અને મહામુનિઓનાં ચરિત્ર સાંભળવા અને પરસ્પર કહેવાં, તે પણ સાપેક્ષ યતિધર્મ છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : (દ્રવ્ય-ક્ષેત્ર વગેરેના પ્રતિબંધથી થનારા) રાગ-દ્વેષાદિ ત્યજીને માસકલ્પ વગેરના ક્રમથી અન્ય-અન્ય સ્થાને જવારૂપ વિહાર કરવો તે સાપેક્ષ યતિધર્મ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ દ્રવ્યવિષયમાં એટલે ભક્તો, આહાર પાત્ર, વગેરેમાં, ક્ષેત્રમાં એટલે પવન રહિત હોવાથી આ ઉપાશ્રય અનુકૂળ છે, એમ ક્ષેત્ર પ્રતિબંધ, કાળમાં એટલે અમુક ક્ષેત્રમાં અમુક ઋતુ સુખકર છે માટે તે ઋતુમાં ત્યાં જાઉં એ કાળ પ્રતિબંધ અને ભાવમાં એટલે સ્નિગ્ધ, મધુર આહારાદિ મળવાથી શરીરપુષ્ટિ વગેરે સુખની ઇચ્છા તે ભાવપ્રતિબંધ, એજ રીતે પ્રતિકૂળ દ્રવ્યાદિને ત્યાગ કરવારૂપ પ્રતિબંધ એમ દ્રવ્યાદિ ચાર પ્રકારે પ્રતિબંધ સમજવો. . ' ' આમ પ્રતિબંધથી શાસ્ત્રાનુસારે માસકલ્પાદિના ક્રમે કરેલો પણ વિહાર કાર્ય . સાધક બનતો નથી, માટે જ દ્રવ્યાદિ પ્રતિબંધ રહિતને જ વિહાર અથવા તો ગાઢ કારણે કરેલો સ્થિરવાસ પણ શ્રેયસ્કર છે. ઉપરોક્ત પ્રતિબંધથી સુખની લાલચે ઉત્સર્ગ માર્ગે એક માસથી અધિક એક સ્થળે રહેવું નહિ. તે જ રીતે ઉપરોક્ત પ્રતિબંધથી અન્યત્ર વિહાર પણ ન કરવો. જેમકે અમુક ક્ષેત્રમાં જઈશ તો શ્રાવકો મારા ભક્ત થશે, ઉપાશ્રય પવનરહિત મળશે, આહારાદિ સારા મળશે, શરી. પણ પુષ્ટ થશે. આવા પ્રતિબંધથી વિહાર ન કરે. ' કારણે તો (દુષ્ટ દ્રવ્યાધિરૂપ દોષોના કારણે તો) ન્યૂનાધિક માસકલ્પ પણ કરી શકાય. પરંતુ કારણે બાહ્યદૃષ્ટિએ માસકલ્પાદિ વિહાર ન થઈ શકે અને એક જ ગામ વગેરેમાં રહેવું પડે ત્યારે પણ ભાવથી ઉપાશ્રય, મહોલ્લો અથવા ઉપાશ્રયમાં જ ખૂણો બદલીને પણ પ્રતિમાસ સ્થાન બદલવું. વિહાર પણ દ્રવ્યાદિની જયણાથી કરવો. દ્રવ્યથી, નેત્રો વડે જોઈને, ક્ષેત્રથી, યુગપ્રમાણ ભૂમિને જોતો, કાળથી, જ્યાં ચાલે ત્યાં સુધી અને ભાવથી, ઉપયોગપૂર્વક, એમ ચતુર્વિધ જયણાથી વિહાર કરવો. સૂત્ર અને અર્થ બંનેથી યુક્તને ગીતાર્થ કહેવાય છે. તે ગીતાર્થની આજ્ઞાપૂર્વક વિચરવું. ઉપદેશમાલામાં કહ્યું છે કે એક સ્વયં ગીતાર્થ હોય તેનો અને બીજો ગીતાર્થની નિશ્રામાં એમ બે પ્રકારે વિહાર કહ્યો છે. વિહારનો ત્રીજો પ્રકાર શ્રી જિનેશ્વર પરમાત્માએ કહ્યો નથી. કારણ કે ગીતાર્થ જ કાર્યાકાર્યનો વિચાર કરી સંયમમાં લાભ થાય તે રીતે ઉત્સર્ગ અને અપવાદને સેવે, જ્યારે અજ્ઞાન સાધુ સ્વબુદ્ધિએ વર્તે, જેથી આત્મ અને સંયમ વિરાધનાનો સંભવ રહે. . પ્રસંગાનુસાર વિહારનો કંઈક વિધિ બૃહત્કલ્પભાષ્યને અનુસાર કહેવાય છે. ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુક અને ક્ષુલ્લક એ પાંચ પ્રકારે સાધુઓ હોય છે. આ પાંચ પ્રકારના સાધુઓ શિષ્યોની ઉત્પત્તિ કરતા (યોગ્ય જીવોને દીક્ષા Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૦૭ આપતા) આઠ મહિના સુધી વિચરે ત્યારે જે પ્રત્યુપેક્ષકો (એટલે ઉપધિ-વસતિ આદિને મેળવી આપનારા ગીતાર્થો) હોય, તેઓ ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા (વિચરવા યોગ્ય ક્ષેત્રની શોધ) આ પ્રમાણે કરે કોઈ વ્યાઘાત (વિખ) હોય તો કાર્તિકી ચોમાસીના પ્રારંભ પહેલાં અથવા પછી નીકળવું અને વ્યાઘાતના અભાવે કાર્તિકી ચોમાસી શરૂ થાય તે જ દિવસે નીકળીને બહાર જઈને પચ્ચખાણ પારવું. જ્યાં જવાનું હોય તે ક્ષેત્ર પૂર્વે જાયેલું હોય કે ના હોય, પણ તેની પ્રત્યુપેક્ષણા (શોધ-માહિતી) અવશ્ય કરવી, અન્યથા (ત્યાં જાય ત્યારે સ્થાન ન મળે વગેરે) દોષો થાય. ક્ષેત્રની શોધ માટે ગીતાર્થોને મોકલવાનો વિધિ આ પ્રમાણે છે- . સાંજે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા પૂર્ણ થયા બાદ આચાર્ય બધા સાધુઓને ભેગા કરીને પૂછીને ચારે દિશામાં પ્રત્યુપ્રેક્ષકોને મોકલે. જો સાધુઓને પૂછ્યા વિના મોકલે તો જનારને માર્ગમાં ચોર વગેરેનો કે ત્યાં પહોંચ્યા બાદ કોઈ દુશ્મન વગેરેનો ભય ઊભો થાય તો પાછળ રહેલા સાધુઓ તેઓની શોધ-સહાય માટે ન જાય. તેમાં પણ દરેક દિશામાં ઉત્કૃષ્ટથી સાત, તેટલા ન હોય તો પાંચ, અથવા જઘન્યથી નિયામાં ત્રણ ત્રણ અભિગ્રહધારીઓ જાય. એવા અભિગ્રહધારીઓ (વસતિની શોધ કરવાના અભિગ્રહધારીઓ) ન હોય તો ગણાવચ્છેદક (ગચ્છમાં સર્વ કાર્યોની ચિંતા કરનારે) જવું જોઈએ, તેના અભાવે અન્ય ગીતાર્થને, તેના અભાવે અનુક્રમે અગીતાર્થ, યોગોઢાહી, તપસ્વી, વૃદ્ધ, બાળ અને તે પણ ન હોય તો વૈયાવચ્ચકારકને મોકલવા. ગચ્છની નિશ્રાએ રહેલા યથાસંદિક (જિનકલ્પ જેવું ચારિત્ર પાળનાર મુનિઓ, તેઓનું સ્વરૂપ નિરપેક્ષયતિધર્મમાં કહેવાશે તે) તો એ પણ એક જ દિશામાં જાય અને બાકીની ત્રણ દિશાઓમાં ગયેલા ગચ્છવાસી મુનિઓ યથાસંદિકને યોગ્ય ક્ષેત્રની શોધ કરે. તેમાં પણ જો અગીતાર્થને મોકલવો પડે તો, તેને ઓઘસામાચારી (સામાન્યવિધિ) સમજાવીને તેના અભાવે યોગદ્વાહીને મોકલવો પડે તો નિક્ષેપ કરીને (યોગ છોડાવીને) અને તપસ્વીને મોકલવો પડે તો પહેલાં પારણું કરાવીને, પછી “તપ ન કરીશ' એમ કહીને મોકલવો. વૈયાવચ્ચ કરનારો જાય તો પાછળ રહેલા સાધુઓને સ્થાપનાકુલ બતાવ્યા પછી જાય. અને બાલ કે વૃદ્ધને મોકલવો પડે તો સશક્તને અથવા વૃષભની (યુવાનની) સાથે મોકલવા. આ રીતે મોકલેલા સાધુઓ, વિહારનો માર્ગ સુગમ છે કે દુર્ગમ? તથા ક્યાં કઈ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ દિશામાં વળે છે? વગેરે જોઈને ધારી લે. ઉપરાંત વડીનીતિ – લઘુનીતિ માટેની યોગ્યભૂમિ, પાણી મળવાનાં સ્થળો, વિસામાના સ્થાનો, ભિક્ષા દુર્લભ છે કે સુલભ ? વચ્ચે રહેવા માટે ઉપાશ્રયો મળે તેમ છે કે નહિ, માર્ગમાં ચોર-લૂંટારા વગેરે છે કે નહિ ? અથવા દિવસે અને રાત્રે ક્યાં ક્યાં કેવા વિદ્ગો સંભવિત છે ? ઇત્યાદિ સઘળું જાણી લે. ક્ષેત્રને શોધવા જનારા (ગચ્છવાસી) પ્રત્યુપેક્ષકો (ભણે, પણ) સૂત્રપોરિસીઅર્થપોરિસીને ન કરે. અર્થાત્ (પાછા આવે ત્યાં સુધી) સ્વાધ્યાયને ગૌણ કરે. અન્યથા (વિલંબ થવાથી) ગુરુને તેટલો સ્થિર (નિત્ય) વાસ કરવો પડે, વગેરે દોષો થાય. યથાલદિક સાધુઓ જાય તો સૂત્ર-અર્થ (પોરિસીના ક્રમે) ભણે. બાળ, વૃદ્ધ, નવદીક્ષિત, આચાર્ય, ગ્લાન, તપસ્વી તથા પ્રાદુર્ણક સાધુઓને યોગ્ય - અનુકૂળ આહાર પાણી આદિ જ્યાં ત્રણે કાળ મળે તે ક્ષેત્ર.ગચ્છ માટે યોગ્ય ગણાય વિશેષ - બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવું. . આ રીતે ક્ષેત્રની શોધ કર્યા પછી તે તે ક્ષેત્રમાં ગયેલા સાધુ ગુરુ પાસે જઈને તે તે ક્ષેત્રનું સ્વરૂપ જણાવે. ગુરુ પણ સમગ્ર વાતો સાંભળી, વિચાર કરીને સમગ્ર ગચ્છની સંમતિપૂર્વક જે ક્ષેત્ર નિર્દોષ જણાય ત્યાં જવા માટે નિર્ણય કરે. જવાના પૂર્વના દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ જેના મકાનમાં રહ્યા હોય તે ગૃહસ્થને ધર્મોપદેશ કરીને પોતાનો જવાનો સમય (-નિર્ણય) જણાવે. પહેલાંથી જણાવે તો (ગર હવે જશે એમ સમજીને) સારું જમણ બનાવે અને જતી વેળા જણાવે તો (ગુરુવિરહના દુઃખથી) રડે, વગેરે અનેક દોષો લાગે. તે પછી બીજા દિવસે સવારે સૂત્રની-અર્થની બે પોરિસી પૂર્ણ કરીને (વાચના પછી) અને અપવાદથી સૂર્યોદય પછી કે પહેલાં પણ વિહાર કરે. સમગ્ર ઉપધિ તૈયાર કરી ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો બતાવે તે માર્ગે ક્રમશ: જ્યાં જવાનું નક્કી કર્યું હોય તે ગામે પહોંચે, ત્યાં પહોંચ્યા પછી પ્રથમ ક્ષેત્રની ગવેષણા કરનારા પ્રત્યુપ્રેક્ષકો પડદો, દાંડો, અને દંડાસણ લઈને જ્યાં ઉતરવાનું નિર્ધાર્યું હોય ત્યાં જાય અને “અમારા ગુરુ પધારે છે' એમ શય્યાતરને જણાવીને વસતિને પ્રમાર્જીને બારણે પડદો બાંધે અને ધર્મકથા કરનાર એકને ત્યાં શય્યાતરની પાસે મૂકીને બીજા પાછા ગુરુ પાસે જઈને સઘળું જણાવે. વળી વૃષભસાધુઓ શકુનોને જોતા અક્ષ (સ્થાપનાચાર્યજી)ને લઈને આગળ ચાલે, કારણ કે ગુરૂ આગળ ચાલે અને મકાન વ્યાઘાતવાળું હોય અને પાછા ફરવું પડે તો હલકાઈ થાય. વિપ્ન જેવું ન લાગે તો ગુરુ ઉપાશ્રયમાં પ્રવેશે, ત્યારબાદ શેષ સાધુઓ થોડા થોડા પ્રવેશ કરે. પણ બધા Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૦૯ એક સાથે પ્રવેશ ન કરે. આચાર્ય-ગુરુ પ્રવેશ કરીને મકાન માલિકને “શયાતરને વસતિ આપવાથી થતા લાભો' વગેરે પ્રાસંગિક ધર્મોપદેશ કરે. ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો શય્યાતરે અનુમતિ આપી હોય તે તે ગ્લાન વગેરેને લઘુનીતિ કરવાની, પાત્ર ધોવાની વગેરે ભૂમિઓ તેઓને જણાવે. સંથારો (આસન) કરવા માટે (પવનયુક્ત, પવનરહિત અને મધ્યમ, એમ) ત્રણ ભૂમિઓ આચાર્ય-ગુરુ માટે રાખીને શેષભૂમિમાં રત્નાધિકના ક્રમે કોને ક્યાં આસન કરવું તે સર્વસાધુઓને સમજાવે. પ્રત્યુપ્રેક્ષકો પણ પોતપોતાની મૂકેલી ઉપાધિ ઉપાડિ લે. (કે જેથી સહુને સરખી રીતે ભૂમિ વહેંચી શકાય.) ગોચરીવાળા ઘરોમાં દાનરુચીવાળા, વ્રતધારિઓનાં કે સમ્યગુદૃષ્ટિ શ્રાવકોનાં ઘરોમાં ગુર્વાદિની વૈયાવચ્ચ કરનારા એક જ ગીતાર્થ સંઘાટકે જવું અને તે પણ ગુરૂ અથવા પ્રાદુર્ણકને પ્રાયોગ્ય આહારાદિ માટે જ જવું. હંમેશાં કે નિષ્કારણ જવું નહીં. ત્યાં જવાનું સર્વથા બંધ પણ ન કરવું કારણે એમ કરવાથી તેઓની દાનરુચિ અવરાઈ જાય. વિશેષવિધિ બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવી. હવે ‘મહામુનિવરિત્રા શ્રવ વથ મિશઃ' અર્થાતું મહાત્મા સ્યુલિભદ્ર મુનિ, આર્ય વજસ્વામિજી વગેરે પૂર્વકાલીન મહામુનિઓનાં ચરિત્રોનું (જીવનચર્યાનું) પરસ્પર શ્રવણ કરવું-કરાવવું તે પણ સાપેક્ષ યતિધર્મ છે. કહેવાનો આશય એ છે કે સાધુએ પ્રતિદિન ચર્યા રૂપ સ્વાધ્યાય-પડિલેહણ-પ્રતિક્રમણાદિ કાર્યો કરવા અને સ્વાધ્યાયાદિ કરતાં શ્રમિત થાય ત્યારે ‘સ્થિર આસન' વગેરે વિધિપૂર્વક બેસીને સંવેગ (સંસારનો ઉગ અને મોક્ષનો રાગ) વધારે તેવી મહર્ષિઓની કથા-વાર્તાઓ કરવી. આ રીતે ઉત્તમકથાઓના કથન-શ્રવણથી સ્વ-પરના ચારિત્રમાં સ્થિરતા-ઉત્સાહ વગેરે ઘણા ગુણો પ્રાપ્ત થાય એ સ્પષ્ટ છે: હવે બીજાં વિશેષ કર્તવ્યો કહે છે કેमूलम् - अतिचारालोचनेन, प्रायश्चित्तविधेयता । ૩૫તિતિક્ષા ૨, પરીષદનયસ્તથા ર૭ાા ” ગાથાર્થ : અતિચારની આલોચના કરવાપૂર્વક ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તને કરવું, ઉપસર્ગો સહન કરવા તથા પરીષહોનો જય કરવો, તે પણ સાપેક્ષ યતિધર્મ છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : મૂળગુણ અને ઉત્તરગુણમાં લાગેલા તથા પૂર્વે કહ્યા તે Page #277 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ જ્ઞાનાચારાદિના આચારોથી વિપરીત વર્તન કરવારૂપે સેવેલા જે જે અતિચાર થયા હોય, તેનું ગુરુ ભગવંતની આગળ આલોચના (= યથાર્થરૂપે જણાવવું) અને ગુરુએ આપેલી આલોચના - પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તોને કરવાં તે સાપેક્ષ યતિધર્મ છે. આલોચનાનો વિધિ પહેલા ભાગમાં કહ્યો છે. ૨૧૦ અહીં એ સમજવાનું છે કે (જેનું સ્વરૂપ આગળ કહેવાશે તે) પુલાક અને પ્રતિસેવાકુશીલ મૂળ-ઉત્તર બંને ગુણના વિરાધક હોય છે. બકુશ માત્ર ઉત્તરગુણનો વિરાધક હોય છે. એ સિવાયના કષાયકુશીલ વગેરે દોષવાળા હોવા છતાં મૂળગુણઉત્તરગુણના વિરાધક નથી. - અવસરપ્રાપ્ત પુલાક વગેરે સાધુઓનું સ્વરૂપ જણાવે છે - મિથ્યાત્વ, ત્રણવેદ, હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક અને દુર્ગંછા એ હાસ્યાદિ છ તથા ક્રોધાદિ ચાર કષાયો – આ ચૌદ અત્યંતર ગ્રંથ(બંધનો) કહેવાય છે. એ ચૌદ અત્યંતર અને ભૂમિ, મકાનો, ધન-ધાન્ય, મિત્રો-જ્ઞાતિજનો, વાહનો, શયનો, આસનો, દાસ, દાસીઓ અને કુષ્ય એટલે શેષ રાચરચિલું-ધરવખરી એ દસ બાહ્ય ગ્રંથોથી છૂટેલા (નિર્ગત) હોવાથી સાધુઓને નિગ્રંથો કહેવાય છે. સાધુઓ પાંચ પ્રકારના કહ્યા છે. (૧) પુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ, (૫) સ્નાતક. એ પ્રત્યેકના બે-બે પ્રકારો છે. જો કે એ પાંચેને ચારિત્રનો સામાન્યતયા તો સદ્ભાવ હોય છે, પણ મોહનીયકર્મના ક્ષયોપશમ વગેરેની વિચિત્રતાને યોગે તેઓમાં ભેદો કહ્યા છે. તેમાં (૧) પુલાક : એટલે સત્ત્વ વિનાનું - ચોખા વિનાનાં ફોતરાં વગેરે અસાર ધાન્યને.જેમ પુલાક (પલાલ) કહેવાય છે, તેમ અસાર ચારિત્ર જે સાધુને હોય તેને પણ પુલાકના જેવો હોવાથી ‘પુલાક' કહેલો છે. તપ અને શ્રુતની આરાધનાથી પ્રગટેલી સંઘ વગેરેના કોઈ પ્રયોજને લશ્કરથી યુક્ત ચક્રવર્તી વગેરેને પણ ચરી નાખવામાં સમર્થ એવી પોતાની લબ્ધિથી આજીવિકાને ચલાવવા માટે જ્ઞાનાદિ ગુણોમાં (ચારિત્રમાં) અતિચારો લગાડવાથી જે સંયમને અસાર કરી દે, તે ફોતરાંના જેવા નિઃસાર ચારિત્રવાળો સાધુ પુલાક કહેવાય છે, તેના બે ભેદ છે. (૧) લબ્ધિપુલાક અને (૨) પ્રતિસેવા પુલાક. તેમાં ઇન્દ્રના જેવી સમૃદ્ધિ વિકુર્તી શકવાની લબ્ધિવાળો હોય તે લબ્ધિ પુલાક કહેવાય છે. બીજા પ્રતિસેવા પુલાકના જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને યથાસૂક્ષ્મ એમ પાંચ ભેદો છે. તેમાં સૂત્રના અક્ષરો (પાઠ)માં સ્ખલના કરે તથા ખૂટતા પાઠને જેમ તેમ મેળવે ઇત્યાદિ અતિચારો દ્વારા જ્ઞાનવિરાધના કરીને આત્માને અસાર કરે તે જ્ઞાનપુલાક. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૧૧ મિથ્યાદર્શનીઓની પ્રશંસા વગેરે કરીને દર્શનને વિરાધનારો દર્શન પુલાક. મૂળગુણઉત્તરગુણની વિરાધના કરે તે ચારિત્રપુલાક. શાસ્ત્રોક્ત મુનિવેશમાં વધારો (ભેદ) કરે કે વિના કારણે અન્ય (સાધુઓના જેવો) વેશ કરે તે લિંગપુલાક. કંઈક માત્ર મનના પ્રમાદથી અથવા સાધુને અકથ્ય પદાર્થોને ગ્રહણ કરે-ભોગવે તે યથાસુક્ષ્મપુલાક જાણવો. (બીજી રીતે અન્યત્ર કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેશમાં જે થોડી થોડી વિરાધના કરે તેને જ યથાસૂક્ષ્મપુલાક સમજવો.) (૨) બકુશ : બકુશ એટલે શબલ, વિચિત્ર વગેરે. અર્થાત્ કંઈક દોષવાળું અને કંઈક નિર્દોષ એવું કાબરચિત્રે એટલે કે અતિચારવાળા ચારિત્રને બકુશ કહેલું છે, અને એવા ચારિત્રવાળો હોવાથી તે સાધુને પણ બકુશ કહેવાય છે, અર્થાત્ અતિચારયુક્ત શુદ્ધાશુદ્ધ-મિશ્ર ચારિત્રવાળો. આ બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારનો હોય છે. તેમાં અકાળે (વિના કારણે) ચોલપટ્ટો, અંદર (ઓઢવા)નો કપડો વગેરે વસ્ત્રોને ધોનારો, બાહ્યશૌચમાં આસક્તિ-પ્રીતિવાળો, શોભાને માટે પાત્રા-દંડો વગેરેને પણ તેલ વગેરેથી સુશોભિત-ઉજળાં કરીને (અથવા રંગીને) વાપરનારો ઉપકરણ બકુશ. તથા પ્રગટ પણ (ગૃહસ્થાદિને જોતાં) શરીરની શોભા (સુખ) માટે હાથ-પગ ધોવા, મેલ ઉતારવો વગેરે અસ–વૃત્તિ કરનારો શરીર બકુશ જાણવો. આ બંને પ્રકારના બકુશના આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ એમ પાંચ-પાંચ ભેદો છે. (૧) “શરીર અને ઉપધિ બંનેની શોભા (સાધુઓને) અકરણીય છે” એ પ્રકારનું જ્ઞાન હોવા છતાં જે તેવી શોભાને કરે (અર્થાત્ સમજીને ભૂલ કરનારો) તે આભોગ વિપર્યાસ બકુશ. (૨) તે બંન્ને પ્રકારની શોભાને (અકરણીય માનવા છતાં) સહસા (ઇરાદા વિના) કરનારો અનાભોગબકુશ. (૩) જેના દોષો લોકમાં અપ્રગટ રહે તે સંવૃત્તબકુશ. (૪) પ્રગટ રીતે ભૂલ કરનારો (નિષ્ફર-નિર્લજ્જ) તે અસંવૃત્તબકુશ. (૫) નેત્રનો મેલ દૂર કરવો વગેરે કંઈક માત્ર (સૂક્ષ્મ) ભૂલ કરનારો તે સૂક્ષ્મબકુશ. એ સર્વ બકુશો સામાન્યતયાં વસ્ત્ર-પાત્રાદિ ઋદ્ધિની અને પ્રશંસા-યશ આદિની ઇચ્છાવાળા, બાહ્યસુખમાં ગૌરવ માની તેમાં આદંર (આશ્રય) કરનારા, અવિવિક્ત પરિવારવાળા અને (દીક્ષા પર્યાયનો છેદ કરવારૂપ) છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય સદોષ-નિર્દોષ (શબલ) ચારિત્રવાળા સમજવા. તેમાં “અવિવિક્ત' એટલે અસંયમથી દૂર નહિ રહેનારા અર્થાત્ સમુદ્રફીણ વગેરેથી જંઘાને ઘસનારા, તેલ વગેરેથી શરીરને ચોળનારા, કાતરથી કેશને કાપનારા, એવા શિષ્યાદિ જેને હોય તે “અવિવિક્ત પરિવારવાળા જાણવા. Page #279 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૩) કુશીલ : મૂળ-ઉત્તરગુણોની વિરાધનાથી અથવા સંજ્વલન કષાયોના ઉદયથી જેનું શીલ એટલે આચારો કુત્સિત હોય તે કુશીલ કહેવાય. તેના પણ આસેવનાકુશીલ અને કષાયકુશીલ એમ બે પ્રકારો છે. તેમાં સંયમથી વિપરીત આચરણા કરનારો તે આસેવના કુશીલ અને સંજ્વલન કષાયવાળો તે કષાયકુશીલ. તે બંનેના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂક્ષ્મ એમ પાંચ-પાંચ પ્રકારો છે. ૨૧૨ પોત-પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ગુણથી આજીવિકા મેળવનારો હોય તે અનુક્રમે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ પ્રતિસેવાવાળો કહેવાય છે. (બીજા આચાર્યો તો ચોથા તપને બદલે વેશ કહે છે.) આ ‘તપસ્વી છે, જ્ઞાની છે, શ્રદ્ધાળુ છે' ઇત્યાદિ લોકના મુખે સ્વપ્રશંસા સાંભળીને ખુશ થાય તે યથાસૂક્ષ્મકુશીલ જાણવો. કષાયકુશીલ પણ પાંચ પ્રકારનો છે, પોતાના જ્ઞાનને, દર્શનને અને તપને જે ક્રોધ વગેરે ચાર સંજ્વલન કષાયોને વશ થઈને તે તે ક્રોધાદિના વિષયમાં જ્ઞાનાદિને વાપરે (અર્થાત્ જ્ઞાનાદિથી ક્રોધાદિ કરે), તેને અનુક્રમે જ્ઞાન, દર્શન અને તપ’કુશીલ જાણવો. જે કોઈને પણ શાપ દે તે ચારિત્રકુશીલ અને મનથી માત્ર દ્વેષ વગેરે કરે તે યથાસૂક્ષ્મકુશીલ જાણવો. (૪) નિગ્રંથ : મોહનીય કર્મરૂપ ગ્રંથીથી (બંધનથી) નીકળેલો (છૂટેલો) તે નિગ્રંથ કહેવાય. તેના ઉપશાંતમોહનિગ્રંથ અને ક્ષીણમોહનિગ્રંથ એમ બે ભેદો છે. તે બેના પણ આ પ્રમાણે પાંચ-પાંચ પ્રકારો છે. તેમાં’(૧) પ્રથમસમયનિગ્રંથ, (૨) અપ્રથમસમય નિગ્રંથ, (૩) ચરમસમય નિગ્રંથ, (૪) અચરમસમય નિગ્રંથ, (૫) યથાસૂક્ષ્મ નિગ્રંથ. તેમાં શ્રેણીના અંતર્મુહૂર્તના પહેલા સમયે રહેલો, પહેલા સિવાયના કોઈપણ સમયમાં વર્તતો, શ્રેણીની સમાપ્તિના અંતિમસમયે વર્તતો અને અંતિમસમય પહેલાના કોઈપણ સમયે વર્તતો, એમ પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી એ બે બે ભેદો ગણતાં ચાર ભેદો સ્પષ્ટ છે. અને પહેલા છેલ્લા વગેરે સમયની વિવક્ષા વિના જ શ્રેણિના સર્વ સમયો પૈકી કોઈપણ સમયમાં વર્તતો તે યથાસૂક્ષ્મ. એ બંન્ને નિગ્રંથોના (પૂર્વાનુપૂર્વીએ અને પશ્ચાનુપૂર્વીએ તે તે સમયોની) વિવક્ષાથી (અને વિવાક્ષા વિના) પાંચ ભેદો છે. તેમાં શ્રપકશ્રેણી માંડનારા નિગ્રંથો ઉત્કૃષ્ટથી એક સમયે એકસો આઠ અને જઘન્યથી એક, બે વગેરે હોય. અને ઉપશમશ્રેણી માંડનારા ઉત્કૃષ્ટથી ૫૪ અને જઘન્યથી એક-બે વગેરે હોય. ભિન્ન-ભિન્ન સમયે પ્રવિષ્ટ શ્રેણિમાં વર્તતા સર્વ ક્ષીણમોહવાળા ઉત્કૃષ્ટ શતપૃથ (બસોથી નવસો) અને ઉપશાંતમોહવાળા સંખ્યાતા હોય. Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૧૩ (૫) સ્નાતક : સ્નાનથી (શરીરનો) સઘળો મેલ ધોઈ નાખનારાની જેમ, જેણે ઘાતકર્મોરૂપી આત્માના મેલને ધોઈ નાખ્યો હોય તે “સ્નાતક' કહેવાય, તેના સયોગી અને અયોગી બે ભેદો છે. પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે કે શુક્લધ્યાનરૂપી પાણી વડે સર્વઘાતી કર્મોરૂપી મલ ધોઈ નાખવાની અપેક્ષાએ સ્નાતક કહેવાય છે. મન-વચન-કાયારૂપ યોગોના વ્યાપારવાળો સયોગી અને યોગોનો નિરોધ કર્યો હોય તે અયોગી સમજવો. આ પાંચ પ્રકારના સાધુઓ પૈકી નિગ્રંથ, સ્નાતક અને પુલાક, એ ત્રણનો (આર્ય જંબુસ્વામીથી) વિચ્છેદ થયેલો છે. પ્રભુ મહાવીર પરમાત્માનું શાસન ચાલશે ત્યાં સુધી બકુશ અને કુશીલ બંને પ્રકારના સાધુઓ રહેશે. હવે દસવિધ પ્રાયશ્ચિત્તનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે છે (૧) આલોચના (૨) પ્રતિક્રમણ, (૩) મિશ્ર, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૯) તપ, (૭) છેદ, (૮) મૂળ, (૯) અનવસ્થાપ્યતા, (૧૦) પારાંચિત. . (૧) આલોચના : ગુરુની આગળ સ્વ-અપરાધને પ્રગટ કહેવા તે આલોચના. એક, અપરાધ સેવ્યા હોય તે ક્રમે અને બીજી, પ્રાયશ્ચિત્ત નાનું (અલ્પ) હોય તે અતિચારોને પહેલા, તેથી અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, તેથી પણ અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, એમ પ્રાયશ્ચિત્તના ક્રમે - એમ બે રીતે થાય છે. આ આલોચનાં પ્રાયશ્ચિત્ત તે ગોચરી માટે ફરવું, વિહાર કરવો, અંડિલભૂમિએ જવુંઆવવું વગેરે કાર્યો માટે સો હાથથી દૂર જવા-આવવારૂપ આવશ્યક કાર્યોમાં સમ્યગૂ ઉપયોગવાળા અને એથી શુદ્ધ ભાવનાને યોગે જેને અતિચાર લાગ્યો ન હોય એવા છદ્મસ્થ છતાં અપ્રમત્ત સાધુને માટે સમજવું. કારણ કે અતિચારવાળા સાધુને ઉપર-ઉપરનાં પ્રાયશ્ચિત્તનો સંભવ છે અને કેવળી ભગવંતો તો કૃતકૃત્ય હોવાથી તેઓને પ્રાયશ્ચિત્ત હોતું નથી. અહીં પ્રશ્ન થાય કે આગમને અનુસાર વર્તનારા, અપ્રમત્ત અને અતિચારરહિત સાધુને આલોચના નિષ્ફળ છે, તો એ શા માટે કરે ? તો કહે છે કે એવા પણ સાધુની ક્રિયામાં સૂક્ષ્મ પ્રમાદ નિમિત્તભૂત હોવાથી તેઓની ક્રિયા આશ્રવ(કર્મબંધ)વાળી હોવાનો સંભવ છે. માટે તેઓએ આલોચના કરવી તે સફળ છે જ. (૨) પ્રતિક્રમણ · અતિચારનો પક્ષ ત્યજીને, તેનાથી પ્રતીપ (ઉલટું) ક્રમણ કરવું તેને પ્રતિક્રમણ કહેવાય છે. અર્થાત્ પશ્ચાત્તાપથી મિથ્યાદુષ્કૃત દેવાપૂર્વક ‘પુન: આવો અપરાધ નહિ કરું' એમ બોલવું, નિશ્ચય કરવો, તેને પ્રતિક્રમણ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સમજવું. સમિતિ-ગુપ્તિ વગેરેના પાલનમાં સહસાત્કારથી કે ઉપયોગના અભાવે પ્રમાદથી ભૂલ થાય ત્યારે ગુરુની સન્મુખ આલોચના કર્યા વિના પણ મિથ્યાદુષ્કૃત દેવારૂપ આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. (૩) મિશ્ર : ઉપરોક્ત આલોચના અને પ્રતિક્રમણ ઉભય જેમાં હોય તે પ્રાયશ્ચિત્તને મિશ્ર કહ્યું છે. તેમાં પ્રથમ ગુરુની સમક્ષ અતિચારની આલોચના કરે, પછી ગુરુના આદેશથી મિથ્યાદુષ્કત આપે. આ પ્રાયશ્ચિત્ત ઇષ્ટાનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ વગેરેનો સંશય હોય તેને સમજવું. પણ રાગ-દ્વેષ વગેરે કાર્યોનો નિશ્ચય હોય તેને છઠું “તપ” પ્રાયશ્ચિત્ત આવે. (૪) વિવેક દોષવાળાં આહાર પાણી, ઉપકરણ, વસતિ વગેરેનો ત્યાગ કરવો (નહિ વાપરવાં) તેને વિવેક કહ્યો છે. આ વિવેકપ્રાયશ્ચિત્ત, સમ્યગુ ઉપયોગપૂર્વક “આ વસ્તુ શુદ્ધ છે એમ સમજીને લેવા છતાં લાવેલી આહારાદિ વસ્તુ “અશુદ્ધ છે એમ પાછળથી સમજાય, ત્યારે તેનો પાછળથી ત્યાગ કરવાથી થાય છે. ઉપલક્ષણથી (પૂર્વે પિંડવિદ્ધિમાં જણાવ્યાં તે) ક્ષેત્રાતિકાન્ત, કાલાંતિકાત્ત વગેરેનો પણ ત્યાગ કરવો તે સર્વે વિવેક પ્રાયશ્ચિત્ત સમજવું. (૫) વ્યુત્સર્ગ ઉપરોક્ત દોષિત (અષણીય) વગેરેનો ત્યાગ, ગમન-આગમન, સાવધસ્વપ્નદર્શન, નાવડીથી જળાશય ઉતરવું, વછનીતિ-લઘુનીતિ પરઠવવી, વગેરે પ્રવૃત્તિ કર્યા પછી વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારનો ત્યાગ (કાયોત્સર્ગ) કરવો તેને વ્યુત્સર્ગ કહ્યો છે. () તપ છેદગ્રંથોમાં અથવા તકલ્પમાં કહ્યા પ્રમાણે જે જે તપથી (જે અતિચારોની) શુદ્ધિ થાય તે તે તપ આલોચકને આપવું અને તે પ્રમાણે તેણે કરી આપવું, તેને તપપ્રાયશ્ચિત્ત સમજવું. આ પ્રાયશ્ચિત્ત સચિત્ત પૃથ્વી આદિનો સંઘટ્ટો (વગેરે) થાય ત્યારે જઘન્યતયા નીવિથી આરંભીને ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ સુધીનું અપાય છે. (૭) છેદ તપ પ્રાયશ્ચિત્ત આપવા છતાં સુધરે તેમ ન હોય તેવા સાધુના પાંચ અહોરાત્ર, દશ અહોરાત્ર વગેરે ક્રમથી ચારિત્ર પર્યાયનો છેદ કરવૅ (પર્યાયને ઘટાડવો), તે છેદપ્રાયશ્ચિત્ત જાણવું. જે આત્માને તપપ્રાયશ્ચિત્તથી સુધારી ન શકાય, તેવો ક્લિષ્ટ (અર્હમાદિ) તપ કરવામાં પણ સમર્થ સાધુ તપથી ઉલટો ગર્વ કરે કે “ભલેને ગમે તેટલો તપ કરાવે એથી મને શું કષ્ટ છે ? એવાને અથવા તપ કરવામાં અસમર્થ, એવા ગ્લાન વગેરેને અથવા વિના કારણે અપવાદ માર્ગને Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૧૫ (દોષોને) સેવવાની રૂચિવાળાને આ છેદપ્રાયશ્ચિત્ત અપાય એમ સમજવું. (૮) મૂળ મહાવ્રતોને પુન: ઉચ્ચરાવવાં (અર્થાત્ પૂર્વના સઘળા પર્યાયનો છેદ કરવો) તે પ્રાયશ્ચિત્તને મૂળ કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “આકુટ્ટિથી” એટલે વારંવાર કે જાણી સમજીને પંચેન્દ્રિય જીવનો વધ કરે, ગર્વ-અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે, અદત્તાદાન કે પરિગ્રહ કરે અથવા નાના પણ એ મૃષાવાદાદિ દોષોને જાણવા છતાં વારંવાર સેવે, તેને આપવામાં આવે છે. (૯) અનવસ્થાપ્યતા : અવસ્થાપન એટલે પુન: વ્રતોચ્ચારણ, તે પણ ન કરી શકાય તેવી મોટી વિરાધના કરનારો સાધુ અનવસ્થાપ્ય કહેવાય અને એવા અતિદુષ્ટપરિણામવાળા સાધુને આપેલો તપ જ્યાં સુધી તે પૂર્ણ ન કરે ત્યાં સુધી પુન: વ્રતો નહિ ઉચ્ચરાવવાં, એવું જે પ્રાયશ્ચિત્ત, તેને પણ અનવસ્થાપ્ય કહેવાય. એવા વિરાધકને તપકર્મ પણ એવું અપાય કે તે તપ પૂર્ણ કરતાં તેનામાં ઉઠવાબેસવાની પણ ક્ષમતા ન રહે અને જ્યારે તે તપ કરતાં તદ્દન અશક્ત બની જાય ત્યારે અન્ય સાધુઓને સેવાની યાચના કરે, ત્યારે અન્ય સાધુઓ તેની સાથે વાત ર્યા વિના માત્ર તેનું કામ કરે. એ રીતે તપ કર્યા પછી એને વ્રતોચ્ચારણ કરાવાય. આ પ્રાયશ્ચિત્ત જે સાધુ લાઠી, મુઠી વગેરેથી નિરપેક્ષપણે પોતાનો અથવા પરનો ઘાત કરવા વડે અતિદુષ્ટ-રૌદ્ર અધ્યવસાયોને સંવે તેને અપાય છે. (૧૦) પારાંચિત ઃ જેનાથી મોટું બીજું પ્રાયશ્ચિત્ત કે અપરાધ ન હોવાથી સઘળાં પ્રાયશ્ચિત્તોનો પાર (છેડો) પામેલું એવું છેલ્લું પ્રાયશ્ચિત્ત તેને “પારાંચિત” કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “સાધ્વી કે રાજપત્નીને ભોગવવી અથવા સાધુ-સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યોનો વધ વગેરે કરવો, ઇત્યાદિ અતિમોટો અપરાધ કરે તેને કુલ, ગણ અને સંઘથી પણ બહાર મૂકવા દ્વારા અપાય છે. તે જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું હોય છે. તેટલા કાળ પછી અપરાધી અતિચારોનો પાર પામે (ટાળી દે), ત્યારે શુદ્ધ થયેલાને પુન: દીક્ષા અપાય, અન્યથા નહિ. આ પારાંચિત પ્રાયશ્ચિત્ત આચાર્યને જ અપાય છે. અને પ્રાયશ્ચિત્ત દરમ્યાન તે અપ્રગટપણે સાધુનો વેષ રાખીને (લોકમાં સાધુ તરીકે ન ઓળખાય તેમ) જનિકલ્પિત મુનિની પેઠે (પોતે જે તે ક્ષેત્રમાં વિચર્યો હોય, જ્યાં લોકો ઓળખતા હોય તે ક્ષેત્રો સિવાયના) અજાણ્યા પ્રદેશમાં રહીને, અતિઆકરો તપ કરે, ત્યારે પૂર્ણ થાય છે. ઉપાધ્યાયને તો દશમા પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધ કરવા છતાં અનવસ્થાપ્યને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પ્રાયશ્ચિત્ત જ અપાય, પારાંચિત ન અપાય. એ રીતે સામાન્ય સાધુઓને પણ અનવસ્થાપ્ય કે પારાંચિતને યોગ્ય મોટો અપરાધ કરવા છતાં આઠમા મૂળ સુધીનું જ પ્રાયશ્ચિત્ત અપાય, એમ સમજવું. અનવસ્થાપ્યના બે ભેદો છે - (૧) આશાતના અનવસ્થાપ્ય અને (૨) પ્રતિસેવા અનવસ્થાપ્યું. તેમાં પહેલું તીર્થકર ગણધર વગેરે ઉત્તમોત્તમ પુરૂષોની અવહીલના કરે તેને જઘન્યથી છ મહિના સુધીનું અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું અપાય છે. બીજું તો હાથથી માર મારવો, સમાનધર્મીની (સાધુઓની) કે અન્યધર્મીની ચોરી કરવી વગેરે કુકૃત્યો કરનારને જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું અપાય છે. નવમું અને દસમું બે પ્રાયશ્ચિત્તો ચૌદપૂર્વીઓ અને પહેલા સંઘયણવાળા સાધુઓ સુધી હતાં, તે પછી વિચ્છેદ પામ્યાં છે. મૂળ સુધીનાં આઠ તો શ્રીદુષ્પહસૂરિજી સુધી રહેશે. આ રીતે પ્રાયશ્ચિત્તનું લેશથી સ્વરૂપ કહ્યું. હવે ૧૨૭માં શ્લોકમાં કહેલ ‘૩૫તિતિક્ષા' પદની વ્યાખ્યા કરતાં ઉપસર્ગનું યત્કિંચિત્ સ્વરૂપ જણાવે છે. ‘ST એટલે સમીપમાં અને સર્વ એટલે સર્જન કરવું” અર્થાત્ (દવાદિ) સમીપમાં આવીને કરે અથવા જે સમીપમાં થાય (દૂરથી ન થાય) તેને ઉપસર્ગ કહેવાય. યોગશાસ્ત્ર પ્રકાશ-૩, શ્લોક-૧પ૩ની ટીકામાં કહ્યું છે કે - દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને સ્વયં કરાતા, એમ ઉપસર્ગો ચાર પ્રકારના છે. તે પ્રત્યેકના પણ ચાર પ્રકારો છે (૧) તેમાં (૧) હાસ્ય (કુતૂહલ)થી, (૨) દ્વેષથી, (૩) રોષથી, (૪) એ ત્રણ પ્રકારથી કરાતો મિશ્ર, એમ દેવી ઉપસર્ગ ચાર પ્રકારે થાય. (૨) (૧) હાંસીમશ્કરીથી, (૨) વેષથી, (૩) વિમર્શ-રોષથી, અને (૪) દુરાચારીઓની સોબતથી, એમ મનુષ્ય વડે કરાતા ઉપસર્ગ ચાર પ્રકારે થાય છે. (૩) તથા (૧) ભયથી ગભરાઈને, (૨) ક્રોધથી, (૩) આહાર મેળવવા માટે અને (૪) બચ્ચાંના રક્ષણ માટે, એમ તિર્યંચ તરફથી ઉપસર્ગ ચાર પ્રકારે થાય. અને (૪) (૧) સ્વયં અથડાવું, (૨) થંભવું, (૩) ભેટવું (વળગી પડવું), (૪) પડતું. મૂકવું, એ ચાર પ્રકારે સ્વયં ઉપસર્ગ કરાય છે અથવા (૧) વાતરોગ, (૨) પિત્તરોગ, (૩) કફનો રોગ અને (૪) એ ત્રણ ભેગા થાય તે ત્રિદોષ અર્થાત્ સન્નિપાત, એમ પણ સ્વકૃત ઉપસર્ગોના ચાર પ્રકારો શારીરિક રોગજન્ય સમજવા. તથા પરીષદન: એટલે મોક્ષમાર્ગમાં સ્થિર-દઢ-અચલ થવા માટે તથા કર્મોની 'નિર્જરા માટે વારંવાર સહન કરવામાં આવે તે પરીષહ કહેવાય. તેના બાવીસ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ શ્રમણ ધર્મ પ્રકાર છે તેનો જય કરવો તે સાપેક્ષ યતિ ધર્મ છે. (૧) ક્ષુધા : ભૂખથી પીડાવા છતાં શક્તિમાન્ મુનિ એષણા સમિતિમાં દોષ ન સેવે, પરંતુ દીનતા-વિહ્વળતા વિના જ માત્ર સંયમરૂપી દેહના પાલન માટે અપ્રમત્તપણે આહારાદિ માટે ફરે. (૨) તૃષા : વિહાર કરતાં માર્ગે તૃષા(તરસ)થી પીડા થવા છતાં મુનિ દીનતા ન કરે, ઠંડા (કે સચિત્ત) પાણીની ઇચ્છા ન કરે. (તૃષા પરીષહને સહન કરે.) મળે તો અચિત્ત જ પાણી ગ્રહણ કરે. (૩) શીત : ઉત્તમ મુનિ ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષોની છાલ કે બીજાં સૂત્રાઉ વગેરે વસ્ત્રોના અભાવમાં પણ અકલ્પ્ય વસ્ત્રને ન સ્વીકારે અને અગ્નિની સહાય પણ ન લે. (૪) ઉષ્ણ : ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિંદા ન કરે, અકળામણ ન અનુભવે. છાયાનું સ્મરણ, વિંજણો, પંખો કે હવા વગેરેનો ઉપયોગ અને શરીરે પાણી છાંટવું વગેરે શીતલ ઉપચારો પણ ન કરે. (૫) મચ્છર અને ડાંસ : મચ્છરાદિ કરડવા છતાં ‘સર્વ જીવોને આહાર પ્રિય છે' એમ સમજતો મુનિ તેની ઉપર દ્વેષ કે ત્રાસ”ન કરે, ઉડાડે નહિ, ઉપેક્ષા કરે અને પીડાને સમભાવે સહન કરે. (૬) અચેલ (નગ્નતા) : જીર્ણ અને તુચ્છ વસ્ત્રો પહે૨વા છતાં મુનિ ‘મારે વસ્ત્ર નથી અથવા ખરાબ છે અથવા સારું છે’ ઇત્યાદિ વસ્ત્રના રાગ-દ્વેષમાં મુંઝાય નહિ, પણ લાભાલાભમાં ક્ષયોપશમની વિચિત્રતાનો જાણ, અચેલ પરીસહને સહન કરે, કુવિકલ્પો ન કરે.. (૭) અતિ : ધર્મમાં આનંદ માનતો મુનિ આવી પડતા કષ્ટોમાં અતિ - ખેદ ન કરે, કિન્તુ ચિત્તની સ્વસ્થતાનો અનુભવ કરે. (૮) સ્ત્રીઓ : ‘દુર્ધ્યાનના કારણરૂપ અને મોક્ષમાં પ્રતિબંધક સ્ત્રીનો વિચાર માત્ર કરવાથી પણ ધર્મનો નાશ થાય છે' એમ સમજતો મુનિ સ્ત્રીને ભોગવવાનો વિચાર પણ ન કરે. (૯) વિહાર : કોઈ ગામ વગેરેમાં સ્થિ૨વાસ ન કરતાં પ્રતિબંધથી મુક્ત મુનિ (ગચ્છવાસને પૂર્ણ કરીને પડિમા વગેરે) વિવિધ અભિગ્રહો કરીને એકલો પણ ફરે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૧૦) આસન : સ્ત્રી, પશુ અને નપુંસકો વગેરે ભાવકાંટાઓથી રહિત સ્મશાન - પર્વતની ગુફા) વગેરેને આસન માનીને નિર્ભય અને શરીરમમતાથી પણ રહિત બનેલો મુનિ ત્યાં ઇષ્ટ-અનિષ્ટ ઉપસર્ગોને સહન કરે. (૧૧) શવ્યા (ઉપાશ્રય) : સારા-નરસા ઉપાશ્રયમાં સુખ-દુ:ખને સમભાવે. સહન કરે, તેમાં રાગ-દ્વેષ ન કરે. (૧૨) આક્રોશ : કોઈ આક્રોશ કરે તો પણ પોતાના ક્ષમાશ્રમણપણાને સમજતો મુનિ સામો આક્રોશ ન કરે: આક્રોશ કરનારનો અપકાર નહિ પણ સમતા ધર્મની સાધના માટે નિમિત્ત આપતો હોવાથી ઉપકાર માને. (૧૩) વધ : કોઈ તાડન-તર્જન કરે તો પણ સમતાથી સહન કરે. ક્રોધની દુષ્ટતાને અને ક્ષમાધર્મના ઉપકારને સમજતો જ્ઞાની સામો પ્રહાર ન કરે. (૧૪) યાચના : બીજાના દાન ઉપર જીવનારા સાધુઓને યાચના કરવી અનુચિત નથી' એમ (જિનાજ્ઞાને) સમજતો મુનિ યાચનાનું દુઃખ ન ધરે અને પુનઃ ગૃહસ્થજીવનની ઇચ્છા પણ ન કરે. (૧૫) અલાભ : લાભાંતરાય કર્મના ઉદય તથા ક્ષયોપશમની વિચિત્રતાને જાણનારી મુનિ આહાર-વસ્ત્ર-પાત્રાદિ (બીજાને માટે કે પોતાના માટે) ગૃહસ્થ-દાતાર પાસેથી ન મળે તો પણ ખેદન કરે, અને મળે તો હર્ષ પણ ન કરે, (૧૩) રોગ : શારીરિક રોગ આવે ત્યારે ઉદ્વેગ ન કરે. ‘કર્મોદય જન્ય રોગને સમતાથી સહન કરતાં કર્મો ખપી જાય છે એમ સમજી ઔષધની ઇચ્છા પણ ન કરે, કિન્તુ આત્માથી શરીરને ભિન્ન અનુભવતો દીનતા વિના સહન કરે. (૧૭) તૃણ સ્પર્શ : વસ્ત્રોના અભાવે કે વસ્ત્રો થોડાં અથવા ટુંકાં હોવાથી તૃણ-ઘાસ વગેરે પાથરીને સુવે, તૃણના કર્કશ સ્પર્શને સહન કરે, કિન્તુ કોમળતૃણની(સ્પર્શની) ઇચ્છા ન કરે. (૧૮) મલ: ઉનાળાના તાપથી થતા પરસેવાને યોગે સર્વ અંગોમાંથી ઝરતા મેલથી ઉત્તમમુનિ ઉગ ન પામે, સ્નાનને ન ઇચ્છે, અને મેલને ન ઉતારે, પરંતુ શરીરની અશુચિતાનું તથા વસ્તુના તે તે ધર્મનું ધ્યાન કરતો) સમતાથી સહન કરે. (૧૯) સત્કાર : ઉત્તમમુનિ સત્કારને ઇચ્છે નહિ. સત્કાર કોઈ ન કરે તો દીન થાય નહિ. તેમ કરે તો હર્ષ પણ ન કરે. (કિંતુ તે સત્કાર ચારિત્રધર્મનો થાય છે, તેમ સમજી ચારિત્રધર્મમાં સન્માન-પ્રીતિ વધારે.) (૨૦) પ્રજ્ઞા : પ્રાજ્ઞવંત મુનિ પોતાના પ્રજ્ઞાના (બુદ્ધિના) ઉત્કર્ષથી અહંકાર ન કરે. પરંતુ અધિક જ્ઞાનીઓની અપેક્ષાએ પોતે અજ્ઞાન છે. એમ વિચારી તેઓનો વિનય કરે તથા અલ્પજ્ઞાનવાળા પ્રત્યે અનાદર ન કરતાં વાત્સલ્ય કરે. (૨૧) અજ્ઞાન : પ્રયત્ન કરવા છતાં ભણી શકાતું ન હોય તો ખેદ ન કરે. અજ્ઞાનને સમતાથી સહન કરી પ્રયત્ન Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૧૯ ચાલું રાખે. (૨૨) સમકિત : શ્રીજિનેશ્વરોના કહેલા શાસ્ત્રવચનો તથા જીવાદિ પરોક્ષભાવો પણ મિથ્યા નથી, એમ માની સમકિતને પામેલો ઉત્તમમુનિ ‘તે સર્વ સત્ય છે' એમ ચિંતવે, કોઈના પ્રયત્નથી ચલિત ન થાય. આમ સ્વ-૫૨થી થતા શારીરિક તથા માનસિક પરીષહોને મન-વચન-કાયાનો વિજેતા મુનિ નિર્ભય (-અદીન) બનીને સહન કરે. આ પરીષહોમાં વેદનીયકર્મના ઉદયથી ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસ (મચ્છ૨), ચર્યા (વિહાર), વસતિ (ઉપાશ્રય), વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ (કુલ ૧૧) પરીષહો સંભવે છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન (૨) પરિષહ હોય છે, તથા અંતરાય કર્મના ઉદયથી અલાભ (૧) પરીષહ. આ (૧૧+૨+૧)ચૌદ પરિષહ છદ્મસ્થને જ હોય છે. વેદનીયકર્મના ઉદયથી થતા અગીયાર પરીષહો છદ્મસ્થ ઉપરાંત કેવલીને (જિનને) પણ હોય.છે. પ્રવચન સારોદ્વારમાં પરીષહોની ઘટના બે રીતે બતાવી છે. (૧) કર્મ પ્રકૃતિઓના ઉદયની અપેક્ષાએ અને (૨) ગુણસ્થાનકોની અપેક્ષાએ. - દર્શનમોહનીય કર્મના ઉદયથી દર્શન (૧) પરીષહ, જ્ઞાના૰ કર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન (૨) પરીષહ, અંત૰ કર્મના ઉદયથી અલાભ (૧) અને ચારિત્રમો કર્મના ઉદયથી આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્યા (આસન), અચેંલ, યાચના, સત્કાર (૭) આ સાત, અને વેદનીય કર્મના ઉદયથી આગળ કહેલા અગીયાર પરિષહ હોય છે. શેષ કર્મોના ઉદયમાં પરીષહો હોતા નથી. બાદરસં૫રાય(નવમા) ગુણસ્થાનક સુધી બાવીસ, સૂક્ષ્મ સંપરાય ગુણ માં (દસમામાં) ચૌદ, છદ્મસ્થ વીતરાગને (અગીયાર-બારમે) ચૌદ અને કેવલીને અગીયાર પરીષહો હોય છે. દસમા ગુણ૦ અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર અને દર્શન એ દર્શન અને ચારિત્ર મોહનીયજન્ય આઠ સિવાયના ચૌદ અગીયારમા - બારમા ગુણ પણ તે ચૌદ તેરમા ચૌદમા ગુણ વેદનીયકર્મજન્ય અગીયાર. એક સાથે એક જીવને ઉત્કૃષ્ટથી વીસ અને જઘન્યથી એક જ પરીષહ હોય છે. કારણ કે શીત-ઉષ્ણ તથા વિહાર-ઉપાશ્રય પરસ્પરવિરુદ્ધ હોવાથી એક સાથે ન હોય. આ ગચ્છવાસ, કુસંસર્ગત્યાગ, અર્થપદચિંતન, વિહાર, આલોચના, પ્રાયશ્ચિત્ત Page #287 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કરવું, ઉપસર્ગોને સહવા તથા પરીષહોને જીતવા વગેરે ચારિત્રાનુષ્ઠાનોનું ભાવપૂર્વક નિર્મળમનથી પાલન કરનારને પ્રાપ્ત થયેલા ચારિત્રના અધ્યવસાયોનું રક્ષણ થાય છે. ૨૨૦ નિશ્ચયનયના મતે ચારિત્રરૂપ આત્મસ્વભાવનો વિઘાત થવાથી જ્ઞાન-દર્શનનો પણ વિધાત મનાય છે. વ્યવહારનયના મતે તો ચારિત્રનો વિઘાત થવા છતાં દર્શન-જ્ઞાનનો વિદ્યાત થાય અથવા ન પણ થાય. (અનંતાનુબંધીના ઉદયથી ચારિત્રના ઘાતની સાથે દર્શન અને જ્ઞાન પણ હણાય. અપ્રત્યાખ્યાનીયના ઉદયથી તો એક જ ચારિત્રનો ઘાત થાય.) ભાવની અપેક્ષાએ (અવસરપ્રાપ્ત) કર્મોની લઘુતાથી પ્રાપ્ત થતા સમ્યગ્દર્શન આદિ ગુણો ક્રમશઃ પ્રગટ થાય છે, તે વિશેષ આવશ્યભાષ્યના આધારે રજૂ કરે છે કે “દેશ ન્યૂન એક ક્રોડાક્રોડ સાગરોપમ જેટલી કર્મોની સ્થિતિ બાકી રહે ત્યારે સમ્યક્ત્વ પામે, તે પછી તેમાંથી બે થી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઘટતાં દેશવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટતાં સર્વવિરતિ, તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટતાં ઉપશમશ્રેણી અને તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટતાં શ્રપકશ્રેણીના અધ્યવસાયો પ્રગટે છે. અપ્રતિપતિત સમ્યક્ત્વવાળો જે જીવ દેવના અને મનુષ્યના જ ભવો કરે, તેને અંગે આ ક્રમે તે તે ગુણોની પ્રાપ્તિ સમજવી. અથવા કોઈને બેમાંથી કોઈ એક શ્રેણિ સિવાયના સમ્યક્ત્વાદિ સર્વ ભાવો એક જ ભવમાં પણ પ્રાપ્ત થાય. એક ભવમાં બે શ્રેણીઓ ન હોય. વળી શાસ્ત્રોમાં “ચારિત્ર વિના મુક્તિ નહિ” આવું કહ્યું છે, તે ભાવચારિત્રને આશ્રયિને સમજવું. જે કોઈ (દ્રવ્યચારિત્ર વિના) ભાવચારિત્રને પામી મોક્ષે જાય, તેમાં પણ વર્તમાનનું ભાવચારિત્ર પૂર્વજન્મના દ્રવ્યચારિત્રનું ફળ છે. મરુદેવા માતા પૂર્વભવમાં દ્રવ્યચારિત્ર વિના મોક્ષ થયો તે પણ (દસ આશ્ચર્યોંમાં ન ગણેલો હોવા છતાં) આશ્ચર્યભૂત જ છે, એમ પંચવસ્તુમાં કહ્યું છે. II૧૨૭ના આ ઉત્તમ ક્રિયાઓને આરાધતો, (કોઈ સાધુ) પર્યાય પૂર્ણ થતાં ગણની અનુજ્ઞાને (ગણીપદને) યોગ્ય પણ બને, તેથી હવે ગણીપદરૂપ સાપેક્ષ યતિધર્મને કહેવાપૂર્વક ક્રમની પ્રસ્તાવના કરે છે કે Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ मूलम् अनुयोगगणानुज्ञाऽप्यनवद्यक्रमागता । तमेव सूत्रविदितं वर्णयामो यथास्थितम् ।। १२८ । । ગાથાર્થ : અનુયોગ અને ગચ્છની અનુજ્ઞાને પણ કહેવાનો શાસ્ત્રોક્ત ક્રમ હવે પ્રાપ્ત થયો, માટે શાસ્ત્રમાં કહેલા તે ક્રમને યથાસ્થિત કહીએ છીએ. - ૨૨૧ ટીકાનો સંક્ષેપભાવાર્થ : ‘અનુયોગ' એટલે સૂત્રના અર્થનું વ્યાખ્યાન, અને ‘ગણ’ એટલે ગચ્છ, આ બન્નેની અનુમતિ (અનુજ્ઞા) આપવી અને લેનારે લેવી તે પણ સાપેક્ષ યતિધર્મ છે. દીક્ષા લઈને ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા મેળવવી વગેરે ક્રમથી આરાધના કરીને જેણે અનુજ્ઞાની યોગ્યતા પ્રાપ્ત કરી હોય. તેવાને અનુજ્ઞા કરવી તે સાપેક્ષ યતિધર્મ છે. હવે ક્રમનું યથાર્થસ્વરૂપ શાસ્ત્રોક્તવિધિ દ્વારા બતાવે છે. मूलम् - व्रतग्रहेऽष्टौ सूत्रार्थ - विहारे द्वादश क्रमात् । पञ्चचत्वारिंशवर्षे, योग्यतैवं गणिस्थितेः । ।१२९।। ગાથાર્થ : વ્રત ગ્રહણ કરવામાં આઠ અને સૂત્ર, અર્થ અને વિહારમાં બાર-બાર એમ (કુલ ૪૪ વર્ષ ગયા પછી ઉંમરથી) પીસ્તાલીસમાં વર્ષે અનુયોગની અને ગણની અનુજ્ઞા માટેની યોગ્યતા પ્રગટેં છે. . ટીકાનો સંક્ષેપભાવાર્થ : આઠ વર્ષથી નાની ઉંમરે પરાભવનો સંભવ હોવાથી અને તથાઅધ્યવસાયની પ્રાપ્તિ પણ થતી ન હોવાથી આઠ વર્ષથી નીચેનાને ચારિત્રનો નિષેધ છે. સૂત્રાર્થ વિહારમાં પ્રત્યેક બાર-બાર વર્ષો કહ્યા તે સૂત્ર ભણવામાં ૧૨, અર્થ ભણવામાં ૧૨ અને વિહાર એટલે કે ભિન્નભિન્ન દેશોનો અનુભવ મેળવવા પૂર્વક ભવ્યજીવોને ધર્મોપદેશ કરતા વિચરવામાં ૧૨ વર્ષ પસાર કરતાં જે ૪૫ વર્ષની વયવાળો હોય તે અનુયોગ અને ગણની અનુજ્ઞા માટે યોગ્ય બને છે. હવે તે યોગ્યતા પ્રગટ થયા પછીનું કર્તવ્ય બે શ્લોકોથી કહે છે. मूलम् - ईदृग्पयार्यनिष्पन्नः, षट्त्रिंशद्गुणसंगतः । तो यतियुक्तो, मुक्त्यर्थी सङ्घसंमतः । । १३० ।। · श्रुतानुयोगानुज्ञायाः पात्रं न तु गुणोज्झितः । अपात्रे तत्प्रदाने यन्, महत्याशातना स्मृता ।।१३१।। ગાથાર્થ : એવા પર્યાય (ઉંમરે) પહોંચેલા, છત્રીસ ગુણોથી યુક્ત, દૃઢ (અખંડ) વ્રતવાળા, શિષ્યાદિ પરિવારયુક્ત, મુક્તિનો અર્થી અને સંઘમાન્ય, એ ગુણોથી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ યુક્ત મુનિ શ્રુતની અનુજ્ઞાનું પાત્ર છે, નહિ કે ગુણ વિનાનો, કારણ કે-અપાત્રમાં આચાર્યપદ સ્થાપવાથી મોટી આશાતના કહી છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : ઉપર કહ્યા પ્રમાણે પર્યાય (ઉંમર) જેની પૂર્ણ થઈ હોય, તથા જે છત્રીસ ગુણોથી યુક્ત હોય, તે (ગણીપદ માટે યોગ્ય છે, તે) ગુણો આ પ્રમાણે છે' પાંચ ઇન્દ્રિયોથી સંવૃત્ત (વિજેતા) તથા બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિનો ધારક, ચતુર્વિધ કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચારોનું પાલન કરવામાં સમર્થ, પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એમ ગુરુ (આચાર્ય-ગણી) કુલ છત્રીસ અને ઉપરના શ્લોકમાં કહેલા ગુણોથી યુક્ત, શ્રીજિનાગમના વ્યાખ્યાનની અનુમતિ, અર્થાત્ ‘તું દ્રવ્ય-ગુણ અને પર્યાયરૂપ ત્રણે અપેક્ષાઓથી શ્રીજૈન આગમોનું વ્યાખ્યાન કર' એવી અનુજ્ઞા માટેનું પાત્ર કહ્યો છે, તેમજ આચાર્યપદે સ્થાપવા યોગ્ય કહ્યો છે. પ્રાચીન સામાચારીમાં કહ્યું છે કે – કાળ, સંઘયણ વગેરે (વર્તમાનકાલીન) દોષોને વશ એકાદિ ગુણથી હીન છતાં જે વિશુદ્ધગીતાર્થ (શાસ્ત્રોનાં રહસ્યોનો જ્ઞાતા), વિરાગી અને શિષ્યાદિની સારણા વગેરે કરવામાં ઉદ્યમી(કુશલ) હોય તેને સૂરિપદે સ્થાપવો. શ્રી જિનેશ્વરોએ અયોગ્યને અનુયોગની અનુમતિ (આચાર્ય પદવી) આપવામાં શ્રી તીર્થકરો વગેરેની મોટી આશાતના આપનાર ગુરૂને મૃષાવાદ દોષ, લોકમાં શાસનની અપભ્રાજના, યોગ્યનાયકના અભાવે બીજાઓના પણ ગુણોની હાનિ અને સમયગુજ્ઞાનાદિની વૃદ્ધિ નહીં થવાથી તીર્થના ઉચ્છેદરૂપ દોષો સંભવે છે. સમ્મતિ પ્રકરણમાં શ્રી સિદ્ધસેનસૂરીજીએ કહ્યું છે કે જેમ જેમ લોકમાં બહુશ્રુત તરીકે ખ્યાતિ પામે, જેમ જેમ શિષ્યાદિ પરિવાર બહુ વધતો જાય, છતાં જે સિદ્ધાન્તના અધ્યયનમાં (અર્થમાં) જો સુનિશ્ચિત ન હોય તો તે ગુરૂ ઉત્તરોત્તર સિદ્ધાન્તનો શત્રુ થાય. કેવા સાધુને કેવી રીતે આચાર્ય બનાવવો ? તે કહે છે કે - मूलम् - "तस्मादुक्तगुणाढ्याय, देयं सूरिपदं ध्रुवम् । विधिपूर्वं विधिश्चात्र, सामाचार्यां प्रपञ्चितः ।।१३२।। ગાથાર્થ : તે કારણે અહીં કહ્યા તે ગુણોથી યુક્ત સાધુને સૂરિપદ વિધિપૂર્વક આપવું, તે વિધિ સામાચારી ગ્રંથમાં કહેલો છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૨૩ ટીકાનો સંક્ષેપભાવાર્થ : પ્રાચીન સામાચારીના ૧૧મા દ્વારમાં કહ્યું છે કે (સૂરિપદ આપતાં પૂર્વે) સાધુમાં સૂરિપદને યોગ્ય ગુણોની પરીક્ષા કરવી, પદવી ઉત્તમ સમયે (શુભલગ્ન) આપવી, બે આસનો કરવાં, ચૈત્યવંદન-ગુરુવંદન કરવું, સત્તાવીશ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો, નંદિસૂત્ર કહેવું – સાંભળવું, સાત ખમાસમણનો વિધિ કરવો, સૂરિમંત્ર અને અક્ષનું દાન કરવું, નામ સ્થાપવું, ગુર્વાદિ સર્વસંઘે નૂતન આચાર્યને વંદન કરવું, નૂતન આચાર્યને અને શિષ્યાદિને હિતશિક્ષા આપવી, ગુરુ અને નૂતન આચાર્ય બંનેએ નિરુદ્ધ (તપનું પચ્ચક્ઝાણ) કરવું, નૂતન આચાર્યને ગણ સોંપવો અને આચાર્યપદના લાભો સમજાવવા. | વિશેષવિધિ પ્રાચીન સામાચારીના ૧૧મા દ્વારથી તથા શ્રી યોગાદિ-પ્રવજ્યાવિધિ સંગ્રહ પુસ્તકથી જાણી લેવી. શ્રી વ્યવહારભાષ્યમાં આચાર્યના પાંચ અતિશયો કહ્યા છે – (૧) આહાર અને (૨) પાણી એ બે આચાર્યને વિશિષ્ટ આપવાં, (૩) તેઓનાં મલિન વસ્ત્રો ધોવાં, (૪) તેઓની પ્રશંસા કરવી, (પ) તેઓના હાથપગ ધોવા વગેરે શૌચ કરવો, એમ આચાર્યને પાંચ અતિશયો (કરવા યોગ્ય) છે. અનાચાર્યને તે અનતિશયો છે અર્થાત્ તે કરવા યોગ્ય નથી.). ચોત્રીસ અતિશયોથી યુક્ત શ્રી જિનેશ્વર પરમાત્મા જેમ (કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ) ભિક્ષા માટે જતા ફરતા) નથી. તેમ આઠ પ્રકારની ૧૮ગણી (આચાર્ય) પદની સંપત્તિથી યુક્ત આચાર્ય પણ તીર્થકરની જેમ ઋદ્ધિમાનું હોવાથી ભિક્ષા માટે ફરે નહિ. અનુયોગની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્યને વ્યાખ્યાન કરવાનો વિધિ કહે છે૧૮. આચાર્ય જે આઠ વિષયોથી વિશિષ્ટ હોય છે તે આઠ વિષયોને ગણિસંપત્તિ કહેવાય છે. તેમાં (૧) આચાર સંપત્તિ તેના ચાર ભેદો છે. (અ) ચારિત્રમાં નિત્ય સમાધિ રહે તેવો ઉપયોગ (બ) પોતાનાં ઉચ્ચ જાતિ-કુલ વગેરેના આગ્રહનો-ગૌરવનો અભાવ, (ક) અનિયત (અપ્રતિબદ્ધ) વિહાર, (ડ) શરીરના અને મનના વિકારોનો અભાવ, (૨) શ્રુતસંપત્તિ : તેના પણ ચાર ભેદો છે. (અ) બહુશ્રુતપણું (બ) સૂત્રનો (આગમનો) દઢ પરિચય, (ક) સ્વ-પર સિદ્ધાંતરૂપ વિવિધસૂત્રોના જ્ઞાતા, (ડ) ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે સ્વરોનો-શબ્દાદિનો ઉચ્ચાર કરવામાં કુશલ, (૩) શરીર સંપત્તિ : તેના ચાર ભેદોમાં (અ) શરીરની ઊંચાઈ પહોળાઇ વગેરે તે કાળને ઊચિત હોય, (બ) લજ્જા ન પામે તેવાં સર્વ અંગો શોભાયુક્ત હોય, (ક) પાંચે ઇન્દ્રિયોથી પૂર્ણ શરીર, (ડ) શરીરનું સંઘયણ (બાંધો) સ્થિર મજબૂત હોય. (૪) વચન સંપત્તિ તેના ચાર ભેદોમાં (અ) વચન આદેય હોય, (બ) મધુર હોય, (ક) મધ્યસ્થ હોય અને (ડ) Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ मूलम् - ततोऽसौ नित्यमुद्युक्तः कार्ये प्रवचनस्य च । व्याख्यानं कुरुतेऽर्हेभ्यः, सिद्धान्तविधिना खलु ।।१३३।। ગાથાર્થ : આચાર્યપદની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્ય શાસનનાં (સંઘનાં) કાર્યોમાં નિત્ય ઉદ્યમ કરવા સાથે આગમોક્તવિધિથી યોગ્ય સાધુઓને અવશ્ય વ્યાખ્યાન સંભળાવે. ટીકાનો સંક્ષેપભાવાર્થ આચાર્ય પદવી આપ્યા પછી તે નૂતન આચાર્ય હંમેશાં આગમનાં અને સંઘનાં કાર્યોમાં અવશ્ય ઉદ્યમ કરે અને આગમોક્તવિધિને અનુસાર યોગ્ય શિષ્યોને નિચ્ચે વ્યાખ્યાન (વાચના) પણ આપે તે સાપેક્ષ યતિધર્મ છે. અહીં જેઓ સર્વ વિષયમાં રાગદ્વેષ રહિત, બુદ્ધિમાનું અને પરલોકના ભયવાળા હોય તેઓને સામાન્યતયા સિદ્ધાંત સાંભળવાની યોગ્યતાવાળા સમજવા. કારણ કે સર્વવિષયોમાં અસદુ આગ્રહને વશ થયા વિના તેઓ જ પોતાની નાની-મોટી ભૂલો સંદેહ વિનાનું હોય. (૫) વાચના સંપત્તિ : તેના ચાર ભેદો છે. (અ) શિષ્યની યોગ્યતાને જોઈને તેને ઉપકારક થાય તેટલા સૂત્રનો ઉદ્દેશ કરે અને અયોગ્યને (અનધિકારીને) ઉદ્દેશ ન કરે. (બ) ઉદ્દેશની જેમ યોગ્યતાને જોઈને અર્થાત્ શિષ્ય પરિણત છે કે અપરિણત ? તે વિચારીને સમુદ્દેશ કરે, (ક) પૂર્વે આપેલું કૃત (આલાપકો) બરાબર સમજાયા પછી નવું શ્રત આપે. (ડ) પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને સમજાવે. (ક) મતિ સંપત્તિ : તેના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા આ ચાર ભેદો છે, તેમાં તે તે ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોનું માત્ર નિરાકાર ગ્રહણ તે અવગ્રહ, તેનો વિમર્શ-વિચાર કરવો તે ઇહા, નિર્ણય કરવો તે અપાય અને ઇહા-અપાય દ્વારા પડેલા સંસ્કારો ધારણ કરી રાખવા તે ધારણા સમજવી. (૭) પ્રયોગ સંપત્તિ : પ્રયોગ એટલે વાદ કરવો. તેના ચાર ભેદોમાં (અ) વાદ વગેરે કરવામાં પોતાનું આત્મબળ-જ્ઞાનબળ કેટલું છે તે સમજે, (બ) સામે વાંધી કોણ છે ? ક્યા નયને આશ્રયને વાદ કરવા ઇચ્છે છે વગેરે વાદીને સર્વ રીતે સમજી શકે. (ક) જ્યાં વાદ કરવાનો હોય તે ક્ષેત્ર (નગર-ગામ-દેશ) કોના પક્ષમાં છે? કયા ધર્મનું રાગી છે? વગેરે સમજે. (ડ) જે સભામાં વાદ કરવાનો હોય તેના સભાપતિ, સભાસદો (રાજામંત્રી-પ્રજાજન-પંડિત પુરુષો) વગેરેને ઓળખી શકે. (૮) સંગ્રહપરિણાસંપત્તિ અર્થાત્ સંયમના ઉપકરણો વગેરેના સંગ્રહનું જ્ઞાન તેના ચાર ભેદો છે. (અ) બાલ-વૃદ્ધ-ગ્લાન વગેરે સર્વને અનુકૂળ રહે તેવા ક્ષેત્રની પસંદગીનું જ્ઞાન હોય. (બ) પાટ-પાટલા વગેરે જરૂરી વસ્તુ મેળવવાનું જ્ઞાન હોય. (ક) સ્વાધ્યાય-ભિક્ષા-ભોજન વગેરે તે તે કાર્યો કરવાના છે તે સમયનું જ્ઞાન હોય. (ડ) નાનામોટા, યોગ્ય-અયોગ્ય વગેરે કોણ સાધુ કોને વંદનીય છે. વગેરે વિનય સંબંધી જ્ઞાન હોય. જેમ ગૃહસ્થને દ્રવ્યસંપત્તિથી સંસારના તમામ વ્યવહારો ચાલે છે, તેમ આચાર્યને આ આઠ પ્રકારની ભાવ(ગુણ)સંપત્તિ હોય તો જ ગચ્છનું પાલન, રક્ષણ કરી, ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિની રક્ષા કરી-કરાવી શકે, માટે તેને સંપત્તિ કહી છે. દરિદ્રીના કુટુંબની જેમ ધનના અભાવમાં વ્યવહારના સર્વ કાર્યો સિદાય છે, તેમ સર્વ સાધુઓનું સંયમજીવન સદાય અને એ માટે જવાબદાર આચાર્યનું ભવભ્રમણ વધે. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૨૫ સ્વીકારી શકે. વિનયપૂર્વક ક્રમસર અધ્યયન કરતા કરતા જેની બુદ્ધિ તર્કસમાધાનથી નિર્મળ (સૂક્ષ્મ) બની હોય તેને તેને ઉત્તરોત્તર વિશિષ્ટ સૂત્રો ભણવા માટે યોગ્ય સમજવો. છેદગ્રંથો વગેરે ભણવામાં તો પર્યાયથી યોગ્ય બન્યો હોય તો પણ જે સદ્ભાવયુક્ત, (ચારિત્ર અને શ્રુત) ધર્મમાં પ્રીતિવાળો, પાપભીરૂ અને પરિણત હોય તેને અધિકારી સમજવો. પરિણત એટલે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ વગેરે તે તે અપેક્ષાઓને અનુસરીને ઉત્સર્ગના વિષયમાં ઉત્સર્ગનો અને અપવાદના વિષયમાં અપવાદનો, એમ જ્યાં જે ઉચિત હોય ત્યાં બંનેનો વિવેક કરી શકે તેવો સમજવો. એવા ગુણવાનને છેદ વગેરે સૂત્રોનું વ્યાખ્યાન સંભળાવવું તે નિર્મળબોધ વગેરેમાં હેતુ બનવાથી હિતકર થાય. અતિપરિણત અને અપરિણતને સંભળાવેલું તો તેઓના વિચિત્રકર્મોના દોષથી અહિતકર જ થાય એમ સમજવું. કારણ કે તેવાઓને તેવો વિષય સાંભળવાથી (પ્રાય:) અનર્થ થાય, અને પરંપરાએ બીજાઓને પણ અનર્થ થાય છે. વ્યાખ્યાતાએ પદાર્થોનું વ્યાખ્યાન એવી રીતે કરવું કે જેથી શ્રોતાને સમ્યગુ બોધ થાય. આગમગમ્ય પદાર્થો આગમના વચનોથી જ અને યુક્તિગમ્ય પદાર્થો યુક્તિપૂર્વક જ સમજાવવા જોઈએ. જો આમાં વિપરીત કરવામાં આવે તો સિદ્ધાંતનો વિરાધક બને છે. વધારે શું કહેવું ? નયસાપેક્ષ રીતે એવું વ્યાખ્યાન કરવું કે જેનાથી શ્રોતાઓને (સંસાર પ્રત્યે ઉદાસીનતા અને મોક્ષમાર્ગમાં ઉત્સાહ રૂ૫) સંવેગ પ્રગટ થાય અને મોક્ષમાર્ગના દર્શક સર્વજ્ઞ ભગવંત પ્રત્યે વિશ્વાસ પ્રગટે. ઇરાદાપૂર્વક વ્યાખ્યાન દ્વારા જિનવચનને અસત્ય ઠરાવવું તે વિષાદિ તુલ્ય છે. કારણ કે તેનો વિપાક અત્યંત દારુણ છે જ્યારે બીજી બાજુ વીતરાગની આજ્ઞા પ્રત્યે બહુમાન થવારૂપ આત્મસામર્થ્ય એક મહામંત્ર તુલ્ય છે. કારણ કે તે સમસ્ત દોષોને ટાળનાર છે. વ્યાખ્યાનનો વિધિ ઉપસંપદાના પ્રસંગે કહ્યો છે તે પ્રમાણે સમજવો. હવે ગચ્છની અનુજ્ઞારૂપ સાપેક્ષ યતિધર્મનું વર્ણન કરે છે. मूलम् - एतस्यैव गणानुज्ञाऽन्यस्य वा गुणयोगिनः । गुरुणा विधिना कार्या, गुणयोगी त्वयं मतः ।।१३४।। ગાથાર્થ : ઉપર કહ્યા તે અનુયોગાચાર્યને અથવા બીજા ગુણયોગીને ગુરુએ વિધિપૂર્વક ગચ્છની અનુજ્ઞા કરવી. ગુણયોગી તો આવા ગુણવાળાને માન્યો છે. ટીકાનો ભાવાર્થ ઉપર પ્રમાણે જ જાણવો, હવે ગચ્છાચાર્ય કેવા ગુણવાળા હોય તે કહે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ मूलम् - सूत्रार्थज्ञः प्रियदृढधर्मा सर्वानुवर्तकः । । सजातिकुलसंपन्नो, गम्भीरो लब्धिमांस्तथा ।।१३५ ।। संग्रहोपग्रहपरः, श्रुतरागी कृतक्रियः ।। एवंविधो गणस्वामी, भणितो जिनसत्तमैः ।।१३६ ।। ગાથાર્થ : સૂત્ર-અર્થનો જ્ઞાતા, ધર્મમાં પ્રીતિવાળો અને દઢ, સર્વને અનુકરણ કરાવનારો, ઉત્તમ જાતિ-કુલવાળો, ગંભીર, લબ્ધિવંત, શિષ્યાદિનો સંગ્રહ કરનારો તથા તેઓને આશ્રય અને આલંબન આપનારો, શ્રુતનો રાગી અને પ્રતિલેખનાદિ સર્વ ક્રિયા-અનુષ્ઠાનનો અભ્યાસી હોય તેને શ્રી જિનેશ્વરદેવોએ ગચ્છાધિપતિ (પદ માટે યોગ્ય) કહેલો છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ સૂત્ર-અર્થ અને તે ઉભયનો જ્ઞાતા હોય તે ગચ્છાધિપતિપદ માટે યોગ્ય છે. અર્થાત્ (૧) સૂત્રનો જ્ઞાતા અર્થથી અજ્ઞાત, (૨) અર્થનો જ્ઞાતા સૂત્રથી અજ્ઞાત, (૩) ઉભયનો જ્ઞાતા અને (૪) ઉભયથી અજ્ઞાત. એ ચાર ભાંગા પૈકી ત્રીજા ભાંગાવાળો જોઈએ. કારણ કે શેષ સર્વગુણો હોવા છતાં છેદસૂત્રના અર્થનો જ્ઞાતા (પાર પામેલો) ન હોય તો ભાવથી તેને અવ્યવહારી કહેલો છે. વળી સચિત્તાદિ દ્રવ્યસંપત્તિ - શિષ્યાદિ સચિત્ત, ઉપધિ-ઉપકરણાદિ અચિત્ત અને ઉપધિયુક્ત શિષ્યાદિમિશ્ર, આ રીતે દ્રવ્યસંપત્તિથી તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયરૂપ ભાવસંપત્તિથી યુક્ત હોય તે જ ગચ્છાધિપતિપદ માટે યોગ્ય છે. વળી સર્વને પ્રકૃતિ અનુસાર ધર્મમાર્ગમાં જોડનાર હોવા જોઈએ. ગુપ્તવાતોને જ્યાં ત્યાં પ્રગટ નહિ કરનાર ગંભીર હોવા જોઈએ. ધર્મોપદેશ વગેરેથી શિષ્યો બનાવવા, તેઓને આશ્રય આપવો, તેઓને સંયમમાં ઉપકારી વસ્ત્રાદિ મેળવી આપવા. અને આરાધનામાં ઉદ્યમશીલ બની રહે તે માટે મારણા-વારણાદિ વગેરે કરવામાં કુશળ હોય તે ગચ્છાધિપતિ પદ માટે યોગ્ય છે. શેષ સુગમ છે. હવે પ્રસંગાનુસાર પ્રવર્તિનીના ગુણો કહે છે. मूलम् - गीतार्था कुलजाऽभ्यस्त - सत्क्रिया पारिणामिकी । गम्भीरोभयतो वृद्धा, स्मृताऽऽर्याऽपि प्रवर्तिनी ।।१३७।। ગાથાર્થ : સાધ્વી પણ ગીતાર્થા, કુલવતી, સર્વ ક્રિયાઓમાં કુશલ, પરિણત બુદ્ધિવાળી, ગંભીર અને ઉભયથા વૃદ્ધ હોય તેને પ્રવર્તિની (પદ માટે યોગ્ય) કહી છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : અહીં ગીતાર્થાથી (પોતાને ભણવાનો અધિકાર છે Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૨૭ તેટલા) શ્રતના વિભાગોને અર્થાત્ ઉત્સર્ગ-અપવાદ, વ્યવહાર-નિશ્ચય, દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવ વગેરે અપેક્ષાઓને સમજનારી સાધ્વી પ્રવર્તિની થવા યોગ્ય છે. શેષ સુગમ છે. ચિરદીક્ષિત અને પ્રૌઢ-પરિણત ઉંમરવાળી સાધ્વી યોગ્ય છે. આ પદની અનુજ્ઞાનો વિધિ પણ સામાચારીમાંથી જાણવો. /૧૩૭ll હવે ઉપરોક્ત ગુણોથી રહિત હોય તેને ગચ્છ સોંપવાથી થતા દોષોને કહે છેमूलम् - एतद्गुणवियोगे तु गणीन्द्रं वा प्रवर्तिनीम् । ___ स्थापयेत्स महापाप, इत्युक्तं पूर्वसूरिभिः ।।१३८ ।। ગાથાર્થ એવા (ઉપરોક્ત) ગુણોના અભાવવાળા અયોગ્ય સાધુને જે ગચ્છાચાર્યપદે અથવા સાધ્વીને પ્રવર્તિનીપદે સ્થાપે તે મહાપાપી છે, એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ સ્પષ્ટ છે. પંચવસ્તુમાં કહ્યું છે કે – એ ગુણો ન હોય તેને જે ગણિપદ અથવા પ્રવર્તિનીપદ આપે અને અયોગ્ય છતાં યશની ઇચ્છાથી જે તેને સ્વીકારે, તે બંને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાદિ દોષોના ભાગી બને છે. મહાનીશિથ સૂત્રમાં (અધ્યયન-પ, સૂત્ર-૧૫માં) ગચ્છની અનુજ્ઞા આપવા યોગ્યના ઘણા ગુણો કહ્યા છે. છતાં કાળને ઉચિત મહાવ્રતના પાલનમાં દઢતા, શુદ્ધ ગીતાર્થપણું અને સારણા વગેરે કરવાપણું” વગેરે ગુણો તો જઘન્યથી પણ જોઈએ. આચાર્ય પદની યોગ્યતામાં વાવડી વગેરે ૧૩ ઉદાહરણો વ્યવહારભાષ્યના ઉદ્દેશા-૩માં આપેલા છે. (જિજ્ઞાસુએ ધર્મસંગ્રહ ભાગ-૨ની ટીકાથી અથવા વિસ્તારથી વ્યવહારભાષ્યમાંથી જોઈ લેવા.) હવે સ્વલિબ્ધિક સાધુની યોગ્યતાનું વર્ણન કરે છે.. मूलम् - दीक्षावयःपरिणतो, धृतिमाननुवर्तकः । વધિયોથઃ પીઠાદિ - જ્ઞાતા ઉષાવિદ્ ારા ગાથાર્થ : દીક્ષા અને વયથી પૂર્ણ, વૈર્યવાનું, સર્વને અનુવર્તન કરાવનાર, બૃહત્કલ્પસૂત્રની પીઠિકાની નિયુક્તિ વગેરેનો અને પિંડેષણાદિનો જાણ, એવા સાધુને સ્વલબ્ધિક કહ્યો છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ દીક્ષા અને વયથી પરિણત એટલે ચિરદીક્ષિત અને પ્રૌઢ ઉમરવાળો, સંયમમાં સારી રીતે સ્થિર, સર્વના (શિષ્યાદિના) ચિત્તને અનુસરનારો (અનુકૂલ વર્તન કરનારો-કરાવનારો), બૃહત્કલ્પસૂત્રની પીઠિકા વગેરેના અર્થનો જાણ તથા આહારાદિની શુદ્ધિ-અશુદ્ધિ વગેરેને સમજનારો, એવા સાધુને પોતાની Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (લબ્ધિ) શક્તિથી આહાર-વસ્ત્રાદિને મેળવવા માટે યોગ્ય કહ્યો છે. અર્થાત્ પૂર્વે તેને જે વસ્ત્રાદિની પ્રાપ્તિ થતી હતી તેની પરીક્ષા ગુરુ કરે તે પછી શુદ્ધ ગણાતી હતી. હવે (ઉપરોક્ત યોગ્યતાને કારણે) સ્વયં પરીક્ષા કરવાને લાયક થયો એમ સમજવું. હવે તેના વિહારનો વિધિ કહે છે કેમૂત્રમ્ - ષોડરિ ગુરુ સાદ્ધ, વિદરે પૃથરો: . तद्दत्तार्हपरिवारोऽन्यथा वा पूर्णकल्पभाग् ।।१४०।। ગાથાર્થ : એ સ્વ-લબ્ધિમાનું પણ સાધુ ગુરુની સાથે અથવા ગુરુએ આપેલા યોગ્ય (શિષ્ય) પરિવારની સાથે કે બીજી રીતે પૂર્ણ (સમાપ્ત) કલ્પવાળો ગુરુથી જુદો પણ વિચરે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : ગુરુની લબ્ધિને પરાધીન તો ગુરુની સાથે વિચરે, પણ (ઉપર જણાવ્યા પ્રમાણેનો) સ્વલબ્ધિવંત પણ ઉત્સર્ગથી ગુરુની એટલે સ્વલબ્ધિથી આહાર-વસ્ત્રાદિ લાવવા માટેની અનુજ્ઞા આપનારાં આચાર્યની સાથે વિચરે (= ગ્રામાનુગ્રામ વિહાર કરે.) અપવાદથી સ્વલબ્ધિક અનુજ્ઞા આપનાર ગુરુથી જુદો પણ વિચરે. જુદો વિચરવાનો વિધિ એ છે કે જેને ગુરુએ યોગ્ય પરિવાર સાથે આપ્યો હોય તે જુદો વિચરે. અપવાદથી ગુરુએ યોગ્ય પરિવાર સાથે આપેલો ન હોય, ત્યારે પોતાનો પૂર્ણકલ્પ (સમાપ્તકલ્પ) થાય તો જુદો વિચરે. વળી તેમાં પણ શ્રુતજ્ઞાનરૂપી સંપત્તિને પામેલો (જાત) યોગ્યપરિવારવાળો કે યોગ્યપરિવાર વગરનો તથા શ્રુતજ્ઞાનની સંપત્તિ નહિ પામેલો (અજાત) યોગ્ય પરિવારવાળો કે તેનાથી રહિત એમ જાત અને અજાતના બે-બે ભેદો પડે છે. શેષકાળમાં પાંચ સાધુઓ સાથે વિચરે તે સમાપ્તકલ્પ તેથી ન્યૂન તે અસમાપ્તકલ્પ. વર્ષાકાળે તો સાત સાધુઓ સાથે રહે તે સમાપ્તકલ્પ, અને તેથી ન્યૂન હોય તે અસમાપ્તકલ્પ. ઉત્સર્ગથી અસમાપ્તકલ્પ અને અજાત કલ્પવાળા સાધુઓને તેઓ જ્યાં રહ્યા હોય તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલા શિષ્ય-આહાર-વસ્ત્ર-પાત્ર વિગેરેમાં તેઓનો અધિકાર (આભાવ્ય) હોતો નથી. વિશેષ પંચવસ્તુગ્રંથથી જાણી લેવું. સાધ્વી પણ શેષસાધ્વીઓથી ગુણોમાં જે અધિક હોય, દીક્ષા પર્યાય અને વય (ઉંમર)થી પરિણત (પ્રોઢ) હોય, તેને સ્વલબ્ધિ માટે યોગ્ય કહી છે. પ્રશ્ન: સાધ્વીને સ્વલબ્ધિ (સ્વયં વસ્ત્ર વગેરે લેવાનું) ન હોય, કારણ કે તેઓને પ્રાય: શિષ્યા, ભિક્ષા કે વસ્ત્રાદિ સર્વ ગુરુએ પરીક્ષા કરેલું લેવાનું હોય છે. સ્વત: લેવામાં તેઓને Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૨૯ અવશ્ય લઘુતા વગેરે દોષો થાય. ઉત્તર : તમારું કથન યોગ્ય નથી કારણ કે શિષ્યા કે ભિક્ષા વગેરે ઉચિત વસ્તુ લેવાનો તેઓને અધિકાર હોય છે. વય પરિણત થયે છતે તે આચરણ થતુ હોવાથી અને લેનાર યોગ્ય-પાત્ર હોવાથી લઘુતારૂપ દોષો પણ થતા નથી. સાધ્વીઓનો બહુદોષોનો સંભવ હોવાથી સાધુ કરતાં સંખ્યામાં દ્વિગુણાદિરૂપ અધિક હોય તે સમાપ્તકલ્પ, તેથી ન્યૂન વિચરે તો અસમાપ્તકલ્પ થાય છે. વિશેષ પંચવસ્તુથી જાણવું. અહીં સુધી અનુયોગની અને ગણની અનુજ્ઞારૂપ સાપેક્ષ યતિધર્મ વિસ્તારથી કહ્યો. હવે શેષપદોની અનુજ્ઞાવિધિ અતિદેશથી એટલે ભલામણરૂપે કહે છે કેमूलम् - उपाध्यायपदादीना - मप्यनुजैवमेव च । । गीतार्थत्वगुणस्तुल्य-स्तेषु व्यक्तत्या त्वमी क्रमात् ।।१४१।। ગાથાર્થ : ઉપાધ્યાયપદ વગેરે અન્યપદોની અનુજ્ઞા પણ એ જ રીતે કરવી. ગીતાર્થપણાનો ગુણ તુલ્ય જોઈએ. ઉપરાંત વ્યક્તિગત ગુણો કેવા જોઈએ તે ક્રમશ: આ પ્રમાણે સમજવા. . • ટીકાનો સંક્ષેપભાવાર્થ ઃ ઉપ = જેની સમીપમાં આવીને શિષ્યો અધ્ધતિ અધ્યયન કરે તે ઉપાધ્યાય, તેનું પદ તે ઉપાધ્યાયપદ. આદિ શબ્દથી પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક પણ સમજવાં. આ ઉપાધ્યાય આદિ પદની અનુજ્ઞા લેવી-દેવી તે લેનાર-દેનાર બંનેનો સાપેક્ષ યતિધર્મ છે. ઉપાધ્યાય આદિ ચારે પદોનો સઘળો વિધિ ગણની અનુજ્ઞાની વિધિ પ્રમાણે સમજવો. માત્ર ઉપાધ્યાય પદ આપતાં, જેને આપવાનું હોય તે શિષ્યનું આસન કરવું તથા નંદિસૂત્ર કહ્યા પછી (ગુરુએ) લગ્નવેળાએ જમણા કાનમાં બૃહદ્વર્ધમાનવિદ્યાનો મંત્ર સંભળાવવો. આ મંત્રને ઉપાધ્યાયે ચતુર્થભક્ત તપ કરીને એક હજાર જાપ કરીને સાધવો. પ્રવ્રજ્યા, ઉપસ્થાપના, ગણિપદ, યોગ, પ્રતિષ્ઠા અને અનશન ઇત્યાદિ કાર્યોમાં આ મંત્રનો સાતવાર જાપ કરીને વાસનિક્ષેપ કરવાથી તે અધિકારનો (સ્વસ્વકાર્યોનો) પાર પામે છે અને પૂજા-સત્કારને પામે છે. પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદકપદની અનુજ્ઞામાં પણ એ જ પ્રમાણે કરવું. માત્ર તેઓનું આસન નહિ કરવું, મંત્ર તરીકે વર્ધમાનવિદ્યા સંભળાવવી. એ પાંચે આચાર્યાદિ પદસ્થો પર્યાયથી લઘુ હોય તો પણ પર્યાયથી મોટા પણ અન્ય સર્વ સાધુઓને તેઓ વંદનીય છે. જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સ્થવિર અને ગણાવચ્છેદક આ પાંચ હોય તે પ્રામાણિક છે. આ પાંચ ઉત્તમ પુરુષો જ્યાં નથી તે કુસ્તિગચ્છ હોવાથી સાધુને રહેવું કલ્પતું નથી. ઉપાધ્યાયાદિ ચારે પદો સામાન્યતયા ગીતાર્થને જ આપી શકાય. હવે એ ચારેયના વ્યક્તિગત વિશેષ ગુણોને જણાવતાં કહે છે કેमूलम् - सम्यक्त्वज्ञानचारित्र-युगाचार्यपदोचितः । सूत्रार्थविदुपाध्यायो, भवेत् सूत्रस्य वाचकः ।।१४२।। .. ભાવાનુવાદ : સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રવાનું (ભવિષ્યમાં) આચાર્યપદને યોગ્ય, સૂત્ર તથા અર્થનો જ્ઞાતા અને સૂત્રોની વાચના આપનાર આપવામાં કુશલ) એવા ગુણવાનું સાધુ ઉપાધ્યાય પદને યોગ્ય હોય. હવે પ્રવર્તકના ગુણોને જણાવે છે - मूलम् - तपः संयमयोगेषु, योग्यं यो हि प्रवर्त्तयेत् ।। निवर्तयेदयोग्यं च, गणचिन्ती प्रवर्तकः ।। १४३ ।। ભાવાનુવાદઃ તપ-સંયમ વગેરે યોગો પૈકી જેનામાં જે યોગ(કાર્યોની યોગ્યતા હોય તેને તેમાં જોડે અને અયોગ્યને રોકે, એવા ગચ્છની ચિંતાને કરનાર સાધુ પ્રવર્તકપદને યોગ્ય ગણાય. સ્થવિરપદને યોગ્યના ગુણો આ પ્રમાણે -. मूलम् - तेन व्यापारितेष्वर्थे - वनगारांश्च सीदतः । स्थिरीकरोति सच्छक्तिः, स्थविरो भवतीह सः ।।१४४।। ભાવાનુવાદ : પ્રવર્તક તપ-સંયમ વગેરે તે તે કાર્યોમાં જોડેલા જે સાધુઓ સીદાતા (પ્રમાદ વગેરેથી સમ્યગુવર્તન ન કરતા) હોય તે તે સાધુઓને તે તે (ઉચિત) ઉપાયોથી જે સ્થિર કરે, દઢ બનાવે, તે (ગુણરૂપી) સુંદર સામર્થ્યવાળાને શ્રી જિનમતમાં “સ્થવિર' કહ્યો છે બીજાને નહિ. હવે ગણાવચ્છેદક કોણ બની શકે તે કહે છે – मूलम् - प्रभावनोद्धावनयोः क्षेत्रोपध्येषणासु च । __ अविषादी गणावच्छेदकः सूत्रार्थविन्मतः ।।१४५।। . ગાથાર્થ શાસન પ્રભાવના કરવી, ગચ્છને માટે દૂર દૂર પ્રદેશમાં ફરવું તથા ક્ષેત્ર વસતિ), ઉપાધિ અને આહારાદિની શુદ્ધ ગવેષણા કરવી વગેરે કાર્યોમાં ખેદ નહિ પામનારો તથા સૂત્ર-અર્થનો જાણકાર એવા સાધુને ગણાવચ્છેદક કહ્યો છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૩૧ ટીકાનો સંક્ષેપભાવાર્થ : “પ્રભાવના' એટલે જૈનશાસનનો વિશિષ્ટ મહિમા ફેલાવવો અને “ઉદ્ધાવના' એટલે ગચ્છના ઉપકાર માટે દૂર દૂર ક્ષેત્ર વગેરેમાં શીધ્ર જવું-આવવું તે બેમાં તથા ગામ વગેરે યોગ્ય ક્ષેત્રની-વસ્ત્રાદિ ઉપધિની-આહારાદિઔષધાદિની નિર્દોષ પ્રાપ્તિ કરવામાં ઇત્યાદિ દરેક કાર્યોમાં ખેદ પામનારો ન હોય તથા સ્વ-સ્વ કાળની અપેક્ષાએ ઉચિત સૂત્ર-અર્થનો જ્ઞાતા હોય, તેને શ્રીજિનેશ્વરોએ ગણાવચ્છેદક માટે યોગ્ય કહ્યો છે. આચાર્ય આદિ પાંચના અધિકારો યતિદિનચર્યામાં આ પ્રમાણે જણાવ્યા છે - આચાર્ય અર્થ ભણાવે (અર્થની વાચના આપે), ઉપાધ્યાય સૂત્રની વાચના આપે, પ્રવર્તક તપ વગેરેમાં પ્રવર્તાવે (જોડે), સ્થવિર સીદાતાને સ્થિર કરે અને ગણાવચ્છેદક ક્ષેત્ર-ઉપાધિ વગેરે સંયમના સાધનો મેળવી આપે. એમ અધિકાર પ્રમાણે કાર્યોને સાધે. પ્રસંગાનુસાર વાચનાચાર્યપદવી પણ એ પ્રમાણે જ સમજવી. આ વાચનાચાર્ય ગુરુની અનુમતિ અનુસાર આચાર્યની પેઠે સર્વ કાર્યો કરે. વંદન વિષયમાં તો લઘુપર્યાયવાળા જ તેને વંદન કરે. ગોચરી જવાનો પણ વાચનાચાર્યને નિષેધ નથી. પ્રવર્તિનીને આગમની પરિભાષામાં “અભિષેકા” પણ કહેવાય છે. તેને પદ આપવાનો સઘળો ય વિધિ મહત્તરાપદના વિધિ પ્રમાણે સમજવો. માત્ર મંત્ર તરીકે વર્ધમાનવિદ્યા અને ઓછા પર્યાયવાળા સાધ્વીઓ જ તેને વંદન કરે, એટલો ભેદ સમજવો. મહત્તરાપદ આપીને તેને આ પ્રમાણે હિતશિક્ષા આપવી – સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલું આ “મહત્તરાપદ' સર્વશ્રેષ્ઠ ફળને આપનારું છે. આર્યા બ્રાહ્મી, આર્યા સુંદરી અને આર્યા ચંદનબાળા વગેરે મહાસતીઓએ તેને સમ્યક પ્રકારે આરાધેલું છે અને સર્વપદોમાં તે પ્રધાન (શ્રેષ્ઠ) છે. માટે સંસારના ભયથી તમારે શરણે આવેલી અન્ય સાધ્વીઓનું તમારે સારણા, વારણા, નોદના અને પ્રતિનોદના વગેરેથી રક્ષણ કરવું. અન્ય સાધ્વીઓને પણ આ પ્રમાણે હિતશિક્ષા આપવી કે - કોઈ કાર્ય પ્રસંગે ઠપકો આપે તો પણ કુલવધુ પતિને ન છોડે તેમ તમારે આ મહત્તરાનું શરણ જીવતાં સુધી નહિ છોડવું, જ્ઞાનના ભંડારતુલ્ય આ મહત્તરાના આદેશથી વિરુદ્ધ વર્તન કદાપિ નહિ કરવું. એ રીતે તેની આજ્ઞા પાળવાથી તમારો ગૃહવાસનો ત્યાગ સફળ થશે.” અહીં સુધી “ગચ્છની અનુજ્ઞા' વગેરે વિસ્તારથી જણાવ્યું, હવે શેષ સાપેક્ષ યતિધર્મની આરાધના માટેનો કાળ કહે છે કે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મૂમ્ - વિધિના પુર્વનુજ્ઞાત - ગળ્યાવિપવપાનમ્ । तावद्यावच्च चरम-कालो न स्यादुपस्थितः । ।१४६ ।। ગાથાર્થ : વિધિપૂર્વક ગુરુએ આપેલા તે તે ગણિપદ વગેરે પદોનું પાલન ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી અંતકાળ નજીક ન આવે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : ગુરુએ (અનુજ્ઞાચાર્યે) આપેલા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક અને પ્રવર્તિની વગેરે જે જે પદો (અધિકારો) હોય, તેનું સુંદર પાલન યાવજ્જીવ અર્થાત્ અંત સમય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરવું. એમ કરતાં અંતે શું કરવું ? તે કહે છે કે મૂળમ્ - ૩પસ્થિતેઽથ તસ્મિન્તુ, સમ્યક્ સંòવનાકૃતિઃ । . सा चोत्कृष्टादिभेदेन, त्रिविधा गदिता जिनैः । ।१४७।। ગાથાર્થ : પછી તે અંતકાળ પ્રાપ્ત થતાં સુંદર સંલેખના ક૨વી. આ સંલેખના શ્રીજિનેશ્વરોએ ઉત્કૃષ્ટ વગેરે ભેદોથી ત્રણ પ્રકારે કહી છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : જેનાથી દેહ-કષાયો વગેરેંનું સંલેખન થાય અર્થાત્ શરીર-કષાય વગેરે જેનાથી ઘસાય ક્ષીણ થાય તેવી તપ:ક્રિયાને અંતિમ સમયે કરવી તે સાપેક્ષ યતિધર્મ છે. જો કે સઘળી તપની ક્રિયા કષાયો વગેરેને નિર્બળ કરનારી છે જ, તો પણ અહીં છેલ્લા સમયોમાં દેહનો ત્યાગ કરવા માટે કરાતી તપ:ક્રિયાને અન્યની અપેક્ષાએ વિશિષ્ટ સમજવી,' કારણ કે ગણિપદ વગેરેનું પાલન કર્યા પછી (ગચ્છના રક્ષણ-પાલનની જવાબદારી પૂર્ણ થતાં) સાધુઓને અભ્યાત વિહાર (જિનકલ્પ વગેરેનો સ્વીકાર) કરવો અથવા અભ્યુદ્ઘત મરણ (અનશન) સ્વીકારવું તે જ ઉચિત છે. તેમાં અભ્યાત વિહારનું સ્વરૂપ સાપેક્ષ યતિધર્મની પછી નિરપેક્ષયતિધર્મ તરીકે સ્વતંત્ર કહીશું. અભ્યઘતમરણ પ્રાય: સંલેખનાપૂર્વક હોવાથી પહેલા સંલેખના કહીશું. સંલેખના ગૃહસ્થ પણ કરી શકે છે. છતાં સાધુ-શ્રાવક બંનેને સમાન હોવાથી ગૃહસ્થધર્મમાં નહિ વર્ણવતાં સાધુધર્મના પ્રસંગે તેનું વર્ણન કર્યું છે. હવે તેના ભેદો કહે છે. (૧) ઉત્કૃષ્ટ સંલેખના : બાર વર્ષની આ પ્રમાણે છે - પહેલાં ચાર વર્ષો સુધી ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત અને અષ્ટમભક્ત વગેરે વિચિત્ર (ભિન્ન-ભિન્ન) તપને કરે અને પારણું સર્વ કામગુણવાળા (પાંચે ઇન્દ્રિયોને પોષક) અને ઉદ્ગમાદિ દોષોથી રહિત-વિશુદ્ધ આહારથી કરે. તે પછી બીજા ચાર વર્ષો સુધી તે જ રીતે વિચિત્ર (જુદો જુદો) તપ કરે. પરંતુ પારણું (વિગઈઓથી રહિત) નિવિના આહારથી કરે. તે પછીનાં બે વર્ષો સુધી એક દિવસ ઉપવાસ અને એક દિવસ આયંબીલ કરે. એમ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૩૩ દસ વર્ષો ગયા પછી અગીયારમા વર્ષે પ્રથમના છ મહિના ચોથભક્ત કે ષષ્ઠભક્ત કરે (અષ્ટમ વગેરે અતિવિકષ્ટ તપ ન કરે) અને પારણે ઉણોદરિતા સહિત આયંબીલ કરે. તે પછીના છ મહિના વિકૃષ્ટ (અષ્ટમભક્ત વગેરે ઉગ્ર) તપ કરે અને મરણ વહેલું ન થઈ જાય એ કારણે પારણે પરિપૂર્ણ (તૃપ્તિ થાય તેમ) આયંબીલ કરે, ઉણોદરિતા ન કરે. બારમા વર્ષે કોટીસહિત પચ્ચખાણથી (વચ્ચે બીજો તપ કર્યા વિના સળંગ) દરરોજ આયંબીલ કરે. અર્થાત્ બારમા વર્ષે દરરોજ ઘટતા ઘટતા આહારથી ઉષ્ણ પાણી સાથે આયંબીલ કરે, તે તપ કોટિસહિત થાય. કારણ કે એક આયંબીલ પૂર્ણ થતાં સાથે જ બીજું આયંબીલ કરવાથી બેના છેડા મળે, માટે તે કોટિસહિત કહેવાય. આ બારમા વર્ષમાં પ્રતિદિન ભોજન કરવામાં એક એક કવલ ઓછો કરતાં આહાર ત્યાં સુધી ઘટાડે કે છેવટે એક કવલ આહાર વાપરે, પછી એક કવલમાંથી પણ એક-એક દાણો ઘટાડતાં યાવત્ છેલ્લે એક જ દાણો વાપરે. જેમ દીવામાં તેલ અને વાટ બંનેના ક્ષય સાથે થાય તેમ અહીં શરીર અને આયુષ્ય બંનેનો ક્ષય એક સાથે થવો જોઈએ, માટે આયુષ્ય ભોગવાતું જાય તેમ તેમ શરીરને એ રીતે ઘસતો જાય કે યાવત્ છેલ્લે શરીર પણ પૂર્ણ ઘસાઈ જાય. આ બારમા વર્ષના છેલ્લા ચાર મહિનામાં સંલેખના કરનારો એકાંતરે દિવસે તેલનો કોગળો ચિરકાલ પર્યંત મુખમાં ભરી રાખે, (ગળી ન જાય) પછી શ્લેષ્મની કુંડીની ભસ્મમાં તે કોગળો ઘૂંકીને મુખને ઉષ્ણ પાણીથી શુદ્ધ કરે, જો એ રીતે તેલનો કોગળો ન કરે તો વાયુથી સુકાઈ જવાથી મુખ (જડબાં) બંધ થઈ જતાં સંભવ છે કે છેલ્લે સમયે શ્રીનસ્કારમંત્રનું ઉચ્ચારણ પણ ન થઈ શકે. આમ આ પરિપાટીથી અનુક્રમે બાર વર્ષ સુધીની ઉત્કૃષ્ટ સંખના જાણવી. મધ્યમ સંલેખના: ઉત્કૃષ્ટની જેમ મધ્યમસંલેખના બાર મહિના સુધી કરવી. જઘન્ય સંલેખના : ઉત્કૃષ્ટની જેમ જઘન્ય સંલેખના પણ બાર પખવાડીયા સુધી કરવી. શરીરની સંખના ન કરવાથી માંસ વગેરે ધાતુઓ એક સાથે ક્ષીણ થતાં મરણકાલે આર્તધ્યાન થાય અને ઉપરોક્ત વિધિપૂર્વક ક્રમશ: થોડા થોડા ધાતુઓ ક્ષીણ કરવાથી સંસારરૂપી વૃક્ષનું બીજભૂત આર્તધ્યાન ન થાય, એ કારણે સંલેખના કરવી યુક્તિયુક્ત છે. આ સંલેખના આત્મવધનું નિમિત્ત નથી કારણ કે વધનું લક્ષણ એમાં ઘટતું નથી. પ્રમાદને (અજ્ઞાન-મોહાદિને) યોગે કરાતો વધ સ્વરૂપે નિયમા રાગ (ઢષ) વગેરે દોષોથી પૂર્ણ અને જિનાજ્ઞા વિરુદ્ધ હોય અર્થાત્ શાસ્ત્રવિરુદ્ધ હોય તેને વધ કહેવાય. અને સંલેખનામાં આવું નથી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ * વળી જેનું કર્તવ્ય (શેષ આરાધન) આ જન્મમાં પૂર્ણ થયું હોય અને માત્ર શુભ (સમાધિ) મરણનું કાર્ય બાકી હોય તે જ આ સંલેખનાનો સ્વીકાર કરે. કારણ કે તેની આ સંલેખના પણ (શુભભાવની વર્ધક હોવાથી) શુદ્ધક્રિયા સ્વરૂપ બનીને (ભાવિ અનેક) જન્મ-મરણોના પ્રતિકારભૂત બને છે. જેમકે ગંડચ્છેદ (ઓપરેશન) વગેરેની ક્રિયા મરણ માટે નહિ પણ મરણથી બચવા હિતકર છે, તેમ આ સંલેખના પણ આત્મવિરાધના માટે નથી, કિંતુ અનેક મરણોમાંથી. બચાવનારી હિતકર છે. હવે સંલેખનાના અતિચારો જણાવે છે. मूलम् - ऐहिकामुष्मिकाशंसा-ऽऽशंसा जीवितकालयोः । निदानं चेत्यतिचारा, मता संलेखनाव्रते ।।१४८।। ગાથાર્થ આલોક સંબંધી અને પરલોક સંબંધી વાંછા, જીવવાની અને મરવાની વાંછા અને નિયાણું, સંલેખના વ્રતમાં એ (પાંચ) અતિચારો કહ્યા છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ આ સંલેખન-વ્રતથી આ જન્મમાં પૂજા, કીર્તિ વગેરે મળે તે ઐહિક આશંસારૂપ પ્રથમ અતિચાર. દેવલોક સંબંધી સુખોની વાંછા તે પારલૌકિક આશંસારૂપ બીજો અતિચાર. આ સંલેખનાવ્રતથી પૂજા-સત્કાર મળે ત્યારે, વધુ લાંબો સમય જીવું તેવી આશંસારૂપ ત્રીજો અતિચાર. કષ્ટ સહન ન થાય અથવા આદર-સત્કાર ન મળે તો જલ્દી મરવાની ઇચ્છા થાય તે ચોથો અતિચાર. આ તપથી અન્ય જન્મમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અથવા મોટો માંડલિક રાજા થાઉં, સૌભાગ્યવાળો, રૂપવાનું અથવા સ્વામી થાઉં ઇત્યાદિ પ્રાર્થના (અભિલાષા) કરવી તે પાંચમો અતિચાર. હવે તે પછીનું કર્તવ્ય કહે છે કેमूलम् - मरणस्माभ्युद्यतस्य, प्रपत्तिविधिना ततः ।। तदप्युक्तं पादपोपगमनादि त्रिभेदकम् ।।१४९।। ગાથાર્થ તે પછી વિધિપૂર્વક અભ્યત મરણનો સ્વીકાર કરવો, તે મરણ પણ ‘પાદપોપગમન” વગેરે ત્રણ પ્રકારનું કહેવું છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ સંલેખના કર્યા પછી અભ્યઘત મરણનો (પંડિત મરણનો) સ્વીકાર કરવો તે પણ સાપેક્ષ યતિધર્મ છે. તે પંડિતમરણ ત્રણ પ્રકારનું છે. (૧) પાદપોગમન, (૨) ઇંગિની, (૩) ભક્તપરિજ્ઞા. આમ ત્રણ પ્રકારના અનશનથી ઓળખાતું પંડિતમરણ પણ ત્રણ પ્રકારનું છે. પાદપ' એટલે વૃક્ષ – ‘ઉપ' એટલે ઉપમા (સાદૃશ્ય) માટે વૃક્ષની જેમ નિશ્ચલ રહીને જે અનશન કરવું તે પાદપોપગમન. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૩૫ પ્રતિનિયત પ્રદેશમાં રહીને જ, જે અનશનક્રિયામાં (ફ્ળનમ્ એટલે કે) અમુક મર્યાદિત ચેષ્ટાઓ કરી શકાય તે અનશન ઇંગિની કહ્યું છે. ‘ભક્ત’ એટલે ભોજન અને ‘પરિજ્ઞા' એટલે જ્ઞાનથી જાણીને પચ્ચક્ખાણ દ્વારા ત્યાગ કરવું. જેમાં સમજણપૂર્વક ભોજનનો ત્યાગ કરાય તે ભક્તપરિક્ષા. આ ત્રણેનું સ્વરૂપ જણાવવા માટે કહે છે કે - मूलम् आद्यसंहनिनामेव, तत्रादिममचेष्टने । इङिगनीमरणं चेष्टावतामाहारवर्जनात् ।। १५०।। आहारस्य परित्यागात्, सर्वस्य त्रिविधस्य वा । भवेद्भक्तपरिज्ञाख्यं, द्विधा सपरिकर्मणाम् ।। १५१ ।। ગાથાર્થ : તેમાં પ્રથમ ‘પાદપોપગમન’ અનશન પહેલા સંઘયણવાળા મનુષ્યોને જ સર્વચેષ્ટાઓનો ત્યાગ કરવાથી થાય છે. ઇંગિનીમરણ સર્વ આહારનો ત્યાગ કરવાપૂર્વક અમુક મર્યાદિતચેષ્ટા કરવાની છૂટ-જયણાવાળાને થાય છે. સર્વ (ચારે ય) આહારનો કે પાણી વિના ત્રિવિધ આહારનો ત્યાગ તથા સ્વયં કે બીજાઓ દ્વારા એમ ઉભય પ્રકારની પરિકર્મણા (શરીર સેવા) કરવાવાળાને ભક્તપરિજ્ઞા નામનું અનશન થાય છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : (૧) પાદપોપગમન અનશન : મરણ પૂર્વે પ્રથમ (વજઋષભનારાચ) સંઘયણવાળાઓ સર્વ ચેષ્ટાઓના અભાવસ્વરૂપ અને ચારે આહારના ત્યાગસ્વરૂપ આ પાદપોપગમન અનશન કરે છે. આ અનશન કરનારા દ્રવ્યથી (શ૨ી૨ને) અને ભાવથી (કષાયોને) પાતળા કરીને, ગૃહસ્થને પાછું આપવા યોગ્ય પાટી-પાટીઉ વગેરે વસ્તુઓ પાછી સોંપીને અને ગુરુ વગેરેને તથા ગુરુની પાસે રહેલા શેષ સાધુઓને પણ ક્ષમાપના કરીને અનશનનો સ્વીકાર કરે છે. ‘સર્વ સંયોગો અંતે વિયોગને પામે છે' એમ જીવને સમજાવીને, દેવવંદન કરીને અને ગુરુ વગેરેને વાંદીને, ગુરુ સમીપે ચારે આહારનો ત્યાગ કરે. તે પછી સમતાથી ભાવિત થયેલો પોતે સર્વ (બાહ્ય) ઇચ્છાઓને ત્યજીને, પર્વતની ગુફામાં જઈને ત્રસ-સ્થાવર જીવથી રહિત ભૂમિમાં શરીરને દંડની જેમ લાંબુ (દંડાયત) વગેરે આસન (આકા૨) વાળું કરીને, ઉન્મેષ-નિમેષ ત્યજીને જીવતાં સુધી વૃક્ષની જેમ સર્વ ચેષ્ટાઓને ત્યજીને (સમભાવમાં) રહે, તેને પાદપોપગમન અનશન કહ્યું છે. તેના બે પ્રકારો છે તેમાં (ઉપર કહ્યું તે) એક નિર્વ્યાઘાત અને બીજું વ્યાઘાત (આયુષ્યના ઉપક્રમ) સહિત. નિર્વ્યાઘાત અહીં ઉ૫૨ કહ્યું તે અને વ્યાઘાતાવાળું પાદપોપગમન તો આયુષ્ય દીર્ઘ છતાં કોઈ તથાવિધ આકરા વ્યાધિની પીડાથી અથવા સિંહ વગેરેના આક્રમણથી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ઉત્પન્ન થયેલી મહાવેદનાથી ‘હવે આયુષ્યને ઉપક્રમ લાગશે (લાબું જીવી શકાશે નહિ)' એમ જાણી શકે તેવા ગીતાર્થને હોય છે. આ બંને પ્રકારનું પાદપોપંગમન ચૌદપૂર્વીઓની સાથે વિચ્છેદ પામ્યું છે. (૨) ઇંગિનીમરણ : પરિમિત (મર્યાદિત) ચેષ્ટાવાળાઓને હોય છે અને તે પણ સર્વ આહારનો ત્યાગ કરવાથી થાય છે. ભાવાર્થ એ છે કે - ઇંગિની મરણને સ્વીકારનાર પૂર્વે જણાવેલા ક્રમે ગચ્છનાં કાર્યોથી મુક્ત થઈને, આયુષ્યનો થૉડા વખતમાં અંત જાણીને, તેવા (સમર્થ) સંઘયણના અભાવે પાદપોપગમન અનશન કરવામાં અશક્ત હોવાથી આયુષ્યને અનુસારે થોડા કાળની સંલેખના કરે. ગુરુની સમક્ષ દીક્ષાકાળથી માંડીને આજ સુધીના અતિચારોની આલોચના કરીને નિયમા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે. પછી તેવા (પાદપોપગમનવાળાની જેવા) જ સ્થળમાં એકલો, છાયાથી તાપમાં અને તાપમાંથી છાયામાં જવા-આવવાની છૂટપૂર્વક નિશ્ચિત કરેલા મર્યાદિત પ્રદેશમાં ચેષ્ટા કરવા છતાં સમ્યગ્ ધ્યાનમાં લીન બનીને પ્રાણોને તજે. આ અનશનવાળો બીજાદ્વા૨ા પરિકર્મણા (સેવા) ન કરાવે; પણ સ્વયં કરે. (૩) ભક્તપરિજ્ઞા : ચારે પ્રકારના અથવા પાણી વિના ત્રણ પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવાથી ‘ભક્તપરિશા’ નામનું અનશન થાય છે. આ અનશનમાં સ્વયં પરિકર્મ કરે અને બીજાઓ દ્વારા પરિકર્મ (વૈયાવચ્ચ) કરાવે. ભાવાર્થ એ છે કે દીક્ષાકાળથી આરંભીને સેવેલા અતિચારોની આલોચના કરીને, પૂર્વે જેનું જીવન શિથિલ (પ્રમાદી) હોય તે પણ પાછળથી સંવેગ ગુણ પ્રગટ થતાં યથોચિત સંલેખના કરીને, ગચ્છમાં રહીને જ (ગુફાદિ અન્ય સ્થળે નહિ જતાં) કોમળ સંથારાનો આશ્રય લેવાપૂર્વક શરીર અને ઉપધિના મમત્વને છોડીને ત્રિવિધ કે ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને સ્વયં શ્રીનમસ્કાર મહામંત્રને ઉચ્ચારે અથવા સમીપવર્તી સાધુ સંભળાવે. એમ ઉર્તન-પરિવર્તન (અવર-નવર પાસું વગેરે બદલવા) પૂર્વક સમાધિથી કાલધર્મને વશ થવું, તેને ભક્તપરિજ્ઞા મરણ સમજવું. આ અનશનવાળાને અંતકાળે આરાધના કરાવનાર ઉત્કૃષ્ટથી અડતાલીસ નિર્યામકો હોય છે. એટલા ન હોય તો એ-બે આદિ ઓછા કરતાં યાવત્ જઘન્યથી બે નિર્યામકો તો અવશ્ય જોઈએ. એક અનશનીની પાસે રહે અને બીજો આહારાદિ કાર્યે બહાર ફરે. એક નિર્યામકને આશ્રયે અનશન કરનારને સહાયકના અભાવે પોતાને અસમાધિ અને પ્રવચનનો પણ ઉડ્ડાહરૂપ બે મહાદોષો- છે. આ ત્રણે અનશનનું ફળ મોક્ષ અથવા વૈમાનિકદેવભવની પ્રાપ્તિ છે. આ વિષયમાં વિશેષ, ‘પ્રવચન સારોદ્વારથી’ જાણી લેવું. આ રીતે અભ્યઘત Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૩૭ મરણનું (અનશનનું) સ્વરૂપ કહ્યું . હવે અનશનમાં અવશ્ય વર્જવા યોગ્ય દુષ્ટ ભાવનાઓને વર્ણવે છે કે मूलम् - कान्दप कैल्बिषिकी चाऽभियोगिक्यासुरी तथा । सांमोही चेति पञ्चानां, भावनानां विवर्जनम् ।। १५२ ।। : ગાથાર્થ : (૧) કાન્હર્પી, (૨) કૈલ્બિષિકી, (૩) આભિયોગિકી, (૪) આસુરી, (૫) સાંમોહી, એ પાંચ દુષ્ટ ભાવનાઓનો (અનશનમાં) ત્યાગ કરવો. ટીકાનો સંક્ષેપભાવાર્થ : (૧) કાન્હર્ષી : કંદર્પ (કામ) જેમાં મુખ્ય છે, તેવા નિરંતર મશ્કરી (કુતૂહલ-ક્રીડા) વગેરેમાં આસક્તપણાને લીધે ભાંડ જેવા એક કન્દર્યજાતિના દેવો હોય છે, તેઓની ભાવનાને કાંન્તર્પી કહી છે. તેના પાંચ પ્રકાર છે. (૧) કન્દર્પ : અટ્ટહાસ્ય કરવું; સ્વભાવથી હસવું, ગુર્વાદિને પણ નિષ્ઠુર કે દુષ્ટ વચનો કહેવાં, કામની વાતો કરવી, તેવો ઉપદેશ દેવો, કામકથાની પ્રશંસા કરવી. ઇત્યાદિ સર્વ કન્દર્પ સમજવો. = (૨) કૌત્સુચ્ય = ભાંડના જેવી ચેષ્ટા. તેમાં ભ્રકૂટી, નેત્રો વગેરે શરીરના અવયવોનો વિકાર કરીને પોતેં નહિ હસતાં બીજાઓને હસાવવા તે કાયકૌત્કચ્ય અને હાસ્યજનક વચનો બોલીને બીજાઓને હસાવવા તે ‘વચનકૌત્સુચ્ય' જાણવું. (૩) દ્રુતશીલત્વ અવિચારિત પણે સંભ્રમના આવેશથી જલ્દી જલ્દી બોલવું, જલ્દી ચાલવું, જલ્દી કાર્ય કરવું તથા બેઠાં બેઠાં પણ અહંકારના અતિશયથી ફૂલવું. (૪) હાસ્ય : ભાંડની જેમ વિચિત્ર વેષ કરીને કે વિચિત્ર વચનો બોલીને સ્વ-પરને હાસ્ય ઉપજાવવું. (૫) પરવિસ્મય = બીજાનાં છિદ્રો (દૂષણો) શોધવાં અને ઇન્દ્રજાળ વગેરે કુતૂહલો કરીને બીજાને આશ્ચર્ય કરવું કે પ્રહેલિકા અર્થાત્ ગૂઠ આશયવાળા પ્રશ્નો અથવા 'વાતોથી અને કુહેડક (એટલે ચમત્કારી મંત્ર-તંત્ર) વગેરેથી પોતે વિસ્મય નહિ પામતાં બીજાઓના મનમાં વિસ્મય પ્રગટ કરવો. એમ પાંચ પ્રકારની કાન્હર્પી ભાવના(ચેષ્ટા) વર્જવી. (૨) કૈલ્બિષિકી : પાપકારી - અસ્પૃશ્ય વગેરે સ્વરૂપવાળા દેવોને કિધ્ધિષ કહ્યા છે. તેઓની ભાવના તે કૈલ્બિષિકી સમજવી. તેની પાંચ ભાવનાઓ છે. (૧) ‘છ કાય જીવોની કે વ્રતો વગેરેની વાતો વારંવાર કહી છે, વારંવાર અપ્રમાદ માટે જ વર્ણન કર્યું છે. મોક્ષ માટે જ્યોતિષ વગેરે નિમિત્ત શાસ્ત્રોની શી જરૂર છે ?' ઇત્યાદિ દુષ્ટ બોલવું તે (દ્વાદશાંગીરૂપ) શ્રુતજ્ઞાનની નિંદા. (૨) ‘કેવલી હોવાં છતાં સર્વને તારતા નથી માટે પક્ષપાતી છે, સર્વને સરખો ઉપદેશ કરતા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ નથી” વગેરે અવર્ણવાદ કરવો તે કેવલજ્ઞાનીઓની નિંદા. (૩) આચાર્યની સાચીખોટી નિંદા કરવી. (૪) “સાધુઓ નિષ્ફર છે, સહનશીલ નથી, વિહાર કરતા નથી અથવા ગામોગામ રખડે છે, લાચાર ભીખારી છે. વારંવાર રોષ-તોષ કરે છે' ઇત્યાદિ બોલવું તે સાધુની નિંદા. (૫) પોતાના દોષોને છૂપાવવા અને બીજાના વિદ્યમાન ગુણોને પણ છૂપાવવા, ચોરની જેમ સર્વથી શંકાશીલ રહેવું અને સર્વ કાર્યોમાં ગૂઠ હૈયાવાળું રહેવું તે માયાકરણ. (૩) આભિયોગિકી ભાવના : દરેક કાર્યમાં જોડી શકાય તે “અભિયોગા' અર્થાત્ કિંકરતુલ્ય દેવોની જાતિ, તેઓની ભાવના તે આભિયોગિકી ભાવના. તેના પાંચ પ્રકાર છે. (૧) કૌતુક : બાળક વગેરેની રક્ષા માટે (મંત્ર) સ્નાન કરાવવું. (માથે અથવા શરીરે મંત્રોચ્ચારપૂર્વક) હાથ ફેરવવો, થુથુકાર કરવો કે બલિદાનધૂપ વગેરે કરવા. (૨) ભૂતિકર્મ: મકાનની, શરીરની કે પાત્ર વગેરે વસ્તુઓની રક્ષા માટે ભસ્મ કે માટી ચોપડવી - લગાડવી અથવા સૂત્ર (દોરા) વીંટવા (બાંધવા). (૩) પ્રશ્ન : લાભ-હાનિ વગેરે જાણવા માટે બીજાને પ્રશ્ન પૂછવા અથવા સ્વયં અંગુઠો, દર્પણ, ખડ્ઝ, પાણી વગેરે જોવું. (૪) પ્રજ્ઞાપ્રશ્ન : સ્વયં કે વિદ્યાએ (અધિષ્ઠાતા દેવીએ) કહેલું (ગુહ્ય) બીજાને કહેવું. (૫) નિમિત્ત: ત્રણે કાળની વસ્તુને જણાવનાર જ્ઞાનવિશેષ ભણવું જાણવું. (રસગારવ વગેરે ગારવામાં આસક્ત થઈને તે તે પદાર્થો મેળવવા માટે એ પાંચ પ્રકારો સેવનારા સાધુને અભિયોગ (બીજાની ચાકરી) કરાવનારાં (નીચગોત્ર) કર્મબંધનાં કારણો બને છે, તેથી તજવા યોગ્ય છે.) (૪) આસુરી અસુરા એટલે ભવનપતિ દેવોની એક જાતિ, તેઓની ભાવના તે આસુરી. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. (૧) સદા વિગ્રહ (કલહ) કરવાનો સ્વભાવ. અર્થાત્ કલહ કર્યા પછી પશ્ચાત્તાપ પણ ન થાય ને ક્ષમાપનાદિ કરવા છતાં પ્રસન્નતા ન થાય એવા વિરોધની (વરની) પરંપરા વધારનારો સ્વભાવ. (૨) સંસક્તતપ: આહારાદિની અભિલાષાથી કરેલો તપ. (૩) નિમિત્તકથન : અષ્ટાંગનિમિત્તોને કહેવાં. (૪) કૃપારહિતતા : સ્થાવર જીવોની વિરાધના કરવા છતાં પશ્ચાત્તાપ ન થાય તેવું નિર્દયપણું. (૫) અનુકંપારહિતપણું : કોઈને દુ:ખી જોવા છતાં દયા ન થાય તેવું કઠોરપણું. આ પાંચ કરનારને આસુરી ભાવનાવાળો કહ્યો છે. (૫) સાંમોહી : સંમોહ પામે (મુંઝાય), તેવા મૂઢદેવોને “સંમોહા” કહેલા છે. તેવા દેવોની ભાવનાને સાંમોહી ભાવના જાણવી. તેના પાંચ પ્રકાર છે. (૧) ઉન્માર્ગદેશના જ્ઞાનાચાર વગેરે પંચાચારરૂપ પોતે સ્વીકારેલા મોક્ષમાર્ગને દોષિત Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શ્રમણ ધર્મ જણાવી, વિપરીત અસત્યમાર્ગને સત્યમાર્ગ તરીકે પ્રરૂપવો તેને ઉન્માર્ગદેશના કહેવાય છે. તેને કરનારો. (૨) માર્ગદૂષક = મોક્ષમાર્ગને પામેલા સાધુ-સાધ્વી વગેરેને દૂષણ દેનારો. (૩) માર્ગવિપ્રતિપત્તિક : ખોટાં દૂષણોથી મોક્ષમાર્ગને દૂષિત કરીને જમાલીની જેમ દેશથી (અમુક અંશે) ઉન્માર્ગને સ્વીકારનારો. (૪) મોહમૂઢ : અન્યધર્મીઓની સમૃદ્ધિ જોઈને સૂક્ષ્મભાવોમાં (ગહન અર્થમાં) મોહ કરનારો. (૫) મોહજનક : સ્વભાવથી અથવા કપટથી બીજાઓને ઉલટા માર્ગે ચઢાવનારો. આ (૫૪૫= ૨૫) ભાવનાઓ અશુભ ફળને આપનારી છે. આ ભાવનાઓ ચારિત્રવંતને સર્વદા વર્જવા યોગ્ય છે જ. તથાપિ ચારિત્રની વિશુદ્ધિ માટે કરાતા અનશનમાં તો વિશેષતયા વર્જવી જ જોઈએ, એમ જણાવવા અહીં અનશનનાં અધિકા૨માં તેનું વર્ણન કર્યું છે. આ અનશનનો સ્વીકાર કરતાં પૂર્વે કરવાની વિધિ પ્રાચીન સામાચારીથી જાણી લેવી. અહીં માત્ર સ્વરૂપ બતાવ્યું છે. કારણ કે વર્તમાનમાં આ અનશનનો વિધિપૂર્વક સ્વીકાર કરાવાતો નથી. શ્રાવક પણ ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારી શકે છે. શ્રાવકનો વિધિ પણ એ પ્રમાણે જાણવો. એ અનશન કરતાં પહેલા યથાશક્તિ સાત ક્ષેત્રમાં ધન વ્યય કરે; અને સામગ્રી હોય તો તે પછી સંસ્તારકદીક્ષાને પણ સ્વીકારે. ભક્તપરિજ્ઞાથી મરણ પામેલા સાધુનું મૃતક અન્ય સાધુઓએ વિધિપૂર્વક પરઠવવું જોઈએ. તેથી હવે પ્રાચીન સામાચારી દ્વાર - ૨૦ અનુસાર મહાપારિષ્ઠાપનિકાનો વિધિ કહે છે - તેના ૧૧ દ્વારો છે " दिसि वत्थ चिंध नक्खत्त रक्ख चुन्ने य कप्प उस्सग्गो વિરૂ ગુરુપાક્ષુસ્લો(), બહુસાસા અસાઓ ।। ભાવાનુવાદ : (૧) દિશા : નવકલ્પી વિહારના ક્રમે ચાતુર્માસ રહેવા માટે યોગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરતા સાધુઓ ઉત્સર્ગથી નૈઋત્ય દિશામાં (નજીક, મધ્ય અને દૂર) ત્રણ મોટાં સ્થંડિલોને પ્રમા% (કોઈ સાધુ મરે તો, તેના મૃતકને પઠવવા માટે નિરવઘ ભૂમિઓને જોઈ રાખે.) (૨) વત્થ : કોઈ સાધુ મરણ પામે ત્યારે તેના મૃતકને ઉપયોગી બને તેવા કોરાં ત્રણ વસ્ત્રોનો સંગ્રહ કરે. દિવસે કે રાત્રે મરણ પામેલા સાધુના મૃતકના હાથ-પગના અંગુઠા આંગળીઓ સાથે બાંધવા અથવા આંગળીઓમાં (રેખાઓમાં) કંઈક માત્ર છેદ કરવો. (કારણ કે મૃતસાધુનાં શ૨ી૨માં કોઈ વ્યંતરાદિ પ્રત્યેનીક દેવ અધિષ્ઠાન કરીને નાચવું, કુદવું, દોડવું વગેરે ઉપદ્રવો ન કરે, અખંડ શરીર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ હોય તો પ્રવેશ કરી શકે, છેદ કર્યા પછી ન કરી શકે.) એ છેદ કે અંગુલીબંધન કર્યા વિના રાત્રે પાસે બેઠેલો ઉંઘે કે જાગે તો જિનાજ્ઞાનો ભંગ થાય અને વ્યંતરાદિના ઉપદ્રવનો સંભવ રહે. ઉપરાંત મૃતકને સ્નાન કરાવીને, કંકુ (ચંદન) વગેરેથી વિલેપન કરે. પછી નવો અખંડ ચોલપટ્ટક (અધોવસ્ત્રો પહેરાવે. મુખે મુખવસ્ત્રિકા બાંધીને એક વસ્ત્ર (સંથારો) નીચે પાથરીને ઉપર બીજું વસ્ત્ર ઓઢાડીને સંથારાને દોરીથી કટીભાગ સાથે બાંધે. (૩) ચિંધ: = મુખવસ્ત્રિકા અને ચરવલી (નાનો ઓળો) એ બે સાધુના ચિન્હો મૃતકની પાસે મૂકે. કારણ કે દેવગતિમાં ગએલો એ આત્મા અવધિથી પૂર્વભવનું કદાચ જ્ઞાન કરે, ત્યારે આ લિંગ જોતાં તેને આ સાધુધર્મનું ફળ છે એમ સમજાવાથી સમકિતદૃષ્ટિ બને અને એવા ચિન્ટ ન દેખાય તો કદાચ મિશ્રાદષ્ટિ થાય, માટે મૃતકની પાસે સાધુનું લિંગ અવશ્ય મૂકવું. નીડર ગીતાર્થ વૃષભ સાધુઓ રાત્રે મૃતક પાસે બેસીને (રક્ષણ) જાગરણ કરે. નવદીક્ષિત કે બાળ વગેરેને મૃતક પાસે બેસાડવા નહિ. મહાપરાક્રમવાળા હોય તેઓએ બેસવું. વળી મૃતકની પાસે માત્રાની કુંડી રાખે અને વૃષભો જાગતા રહે, મૃતક જો કોઈ વ્યંતરાદિના અધિષ્ઠાનથી ઉઠે, બેઠું થાય તો ડાબા હાથમાં માત્ર લઈને ડુ યુ ' અર્થાત્ હે ગુહ્યક (યક્ષ) સમજ ! સમજ ! એમ કહીને તેને મૃતક ઉપર છાંટે. (૪) નક્ષત્ર : મરણ નક્ષત્રને અનુસારે બિંબો (પૂતળાં) કરે. ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા એ છ ચંદ્રનક્ષત્રોમાં સાધુ કાલધર્મ પામે તો તેના મૃતકની સાથે મુખવસ્ત્રિકા અને ચરવલી સહિત બે પૂતળાં (દર્ભનાં) કરીને મૂકવાં. અભિજિત્ શતભિષફ, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને યેષ્ઠા એ સાત નક્ષત્રોમાં એક પૂતળું ન મૂકવું અને શેષ પંદર નક્ષત્રોમાં એક-એક પુતળું કરીને મૂકવું. (કારણ કે આ વિધિ નહિ કરવાથી સામાચારીનો ભંગ થાય અને તેના પરિણામે જેટલાં પુતળાં કરવાનાં ન કરે, તેટલા સાધુઓનું મરણ થાય.) (૫) રક્ષા : મૃતકને ઉપાડીને લઈ જનારા ચાર ખાંધીઆની રક્ષા કરવી. અર્થાતુ છાણાની ભસ્મ (નાં તિલક કરવાં) તથા કુમારીએ કાંતેલા ત્રણ તારવાળા સૂત્રને વામણુજાની નીચેથી આરંભીને જમણા ખભા ઉપર (જનોઈની પેઠે) બાંધીને રક્ષા કરવી. (એમ કરવાથી કોઈ વ્યંતરાદિ ઉપદ્રવ ન કરી શકે.) મૃતકને વસતિ (મકાન)માંથી બહાર કાઢતાં તેના પગ આગળ અને પુસ્તક પાછળ રાખવું. ગ્રામાદિની હદ બહાર ગયા પછી મસ્તક આગળ કરીને પગ પાછળ રાખવા. (૯) દંડધારક-ગીતાર્થ વાચનાચાર્ય જેણે પૂર્વે પાઠવવાની ભૂમિ જોઈ હોઈ તેણે શરાવસંપુટમાં કેસરા સાથે લેવાં. (અન્ય ગ્રંથાનુસાર તૃણ કે ચૂર્ણ પણ સાથે લઈ શકાય.) અન્ય Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૪૧ સાધુઓએ પાત્રમાં અસંસ્કૃષ્ટ (મૃતક ને અડકે નહિ તે રીતે) પાણી સાથે લેવું. (પરઠવતાં ગૃહસ્થ જોતો હોય તો શૌચ કરવા માટે.) ઉપાશ્રયમાં રહેલા સાધુઓએ મૃતકનાં વડીનીતિ-લઘુનીતિની તથા શ્લેષ્મની કુંડીઓ પરઠવી દેવી. પછી વસતિ પ્રમાર્જવી, પરઠવવા જનારાઓએ, પરઠવવા માટેની ભૂમિમાં પાણી ભરાયું હોય, વનસ્પતિ ઉગી હોય અથવા મૂળ ભૂમિ વિસરી જાય એથી પાછા ફરવું પડે તો જે માર્ગે જાય તે માર્ગે પાછા ન ફરવું, પણ અન્ય માર્ગેથી પાછા ફરવું. પરઠવવાની ભૂમિએ પહોંચ્યા પછી વાચનાચાર્ય તે ભૂમિને પ્રમાર્જીને સાથે લાવેલ કેસરાઓની અખંડધારાથી તે ભૂમિ ઉપર અવળો ‘ì’ આલેખે. (સામાચારીમાં અને આવશ્યકાદિ ગ્રંથોમાં ‘ત્’ આલેખવાનું વિધાન છે.) પછી તેના ઉપર મૃતકને સ્થાપીને અમુકનો શિષ્ય-અમુક નામનો સાધુ અતીત થયો (-કાલધર્મ પામ્યો), અમુક આચાર્યનાઅમુક ઉપાધ્યાયનો નિશ્રાવર્તી અમુક સાધુ કાળધર્મ પામ્યો, (એમ સર્વનાં નામ ઉચ્ચારવાં.) સાધ્વી કાળધર્મ પામે ત્યારે અમુકની શિષ્યા-અમુક સાધ્વી કાલધર્મ પામી, અમુક પ્રવર્તિનીનું નામ પણ આચાર્યાદિના નામ પછી બોલવું. (વર્તમાનમાં ગણ-શાખા-આચાર્ય-ઉપાધ્યાય અને પ્રવર્તિનીના નામોચ્ચારપૂર્વક કાલધર્મ પામનારનું નામ દઈને વોસિરાવાય છે, તે આ વિધિનું અનુકરણ છે.) એમ નામોચ્ચારપૂર્વક “તિવિહં િિવષેમાંં આ વોસિરાવ્યું” એમ ત્રણવાર કહીને વોસિરાવે. ૫૨ઠવ્યા પછી પાછા ફરતાં મૃતકને પ્રદક્ષિણા ન થાય તેમ જ્યાં ઊભા હોય ત્યાંથી (સીધા) પાછા ફરવું. (૭) ૫૨ઠવ્યા પછી કપડાં ઉતારી લઈને (૮) મહાપારિટ્ઠાવણિઆ વોસિરણત્યં કાયોત્સર્ગ કરવો, તેમાં એક નવકાર મંત્રને ચિંતવીને ‘તિવિહં તિવિહેણું વોસિરિઅં’ એમ પ્રગટ બોલવું. તે પછી વસ્ત્ર ઉલટું પહેરીને યથારત્નાધિકનો ક્રમ તજીને ત્યાંથી ચૈત્યઘરમાં (નંદી પાસે) જાય, ઉલટા હાથમાં ઓઘો ઉલટો પકડીને ગમનાગમનની આલોચના કરે, તે પછી ઇરિયાવહિ પ્રતિક્રમણ કરે, તે પછી ઉલટું ચૈત્યવંદન કરે અને તેમાં ‘અજિતશાંતિ’ સ્તવ કહે, તે પછી સીધા ક્રમથી ઇરિ૦ પ્રતિક્રમણ કરીને (૯) દેવવંદન કરે. સ્તવમાં અજિતશાંતિસ્તવ કહીને (૧૦) આચાર્યની સન્મુખ આવીને વંદન કરી પરઠવવામાં અવિધિ થઈ હોય તેનો કાઉસ્સગ્ગ કરે, તેમાં એક નમસ્કાર ચિંતવીને ઉપર પ્રગટ નવકાર બોલે, (૧૧) કોઈ મહર્ક્ટિક (આચાર્ય, અનશની, મોટા તપસ્વી, બહુશ્રુત અથવા બહુજનમાન્ય) સાધુ કાલધર્મ પામ્યા હોય તો અસ્વાધ્યાય પાળે અને તે દિવસે ઉપવાસ કરે, સર્વ સાધુના નિમિત્તે અસ્વાધ્યાય કે ઉપવાસ કરવાનો વિધિ નથી. તે પણ ઉપદ્રવ ન હોય તો આ વિધિ કરવાનો છે, અશિવાદિ ઉપદ્રવ પ્રસંગે તો ઉપવાસ, અસ્વાધ્યાય, અને અવિધિએ પરઠવવાનો કાયોત્સર્ગ, એટલું નહિ કરવું. એ પ્રમાણે Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મહાપારિષ્ઠાપનિકાનો વિધિ કહ્યો. હવે સાપેક્ષ યતિધર્મનો ઉપસંહાર કરતાં કહે છે કેमूलम् - "सापेक्षो यतिधर्मोऽयं, परार्थकरणादिना । તીર્થપ્રવૃત્તિદેતુત્વા, ત: શિવસોથઃ મારૂ” ગાથાર્થ : શિવસુખને આપનારો આ સાપેક્ષ યતિધર્મ પરોપકાર વગેરે કરવા દ્વારા તીર્થની અવિચ્છિન્ન પ્રવૃત્તિનો હેતુ હોવાથી અહીં તેનું વર્ણન કર્યું. અર્થાત્ સાપેક્ષ યતિધર્મની આરાધનાથી પરંપરાએ મોક્ષ અને સ્વ-પર કલ્યાણાદિ થાય છે, જૈનશાસનનો પ્રવાહ અખંડ રહે છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : આ સાપેક્ષ યતિધર્મ તીર્થની અર્થાત્ શ્રી ચતુર્વિધ સંઘની અથવા પ્રવચન(આગમ)ની પ્રવૃત્તિ (અવિચ્છ પ્રવાહ)નું કારણ છે. તીર્થને ચલાવનાર હોવાથી સાપેક્ષ યતિધર્મ મોક્ષરૂપ ફળને આપનારો છે. હવે પ્રસંગોપાત્ત બૃહત્કલ્પોક્ત સ્થવિરકલ્પવાળા સાધુઓની ૨૭ પ્રકારની સામાચારી કહેલ છે તે કહેવાય છે. ' (૧) શ્રત : ગચ્છવાસીઓને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાનું અને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વ સુધીનું હોય. (૨) સંઘયણ: મનના આલંબનરૂપ ધીરજ, તેમાં ગચ્છવાસી બલીન કે બલવાનું અર્થાત્ ધૈર્યવાળા અને ધર્મ વિનાના પણ હોય. ” (૩) ઉપસર્ગ અને (૪) આતંકઃ પૂર્વે જણાવેલા ઉપસર્ગો અને આતંક (અર્થાત્ દુઃસાધ્ય અથવા શીધ્રઘાતક રોગ) એ બંનેને સામાન્યતયા સહન કરે અને જ્ઞાનાદિની રક્ષારૂપ કોઈ વિશેષ લાભાર્થે સહન ન પણ કરે. અર્થાત્ ઔષધાદિકથી પ્રતિકાર પણ કરે. (૫) વેદના : પણ સામાન્યતયા સહન કરે અને વિશેષ કારણે સહન ન પણ કરે. તે વેદના બે પ્રકારની છે. એક સ્વીકારેલી અને બીજી ઉપક્રમથી થયેલી. તેમાં લોચ વગેરેની સ્વીકારેલી અને વૃદ્ધાવસ્થાની વગેરે ઉપક્રમજન્ય કહેવાય. (૬) કેટલા? જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી બત્રીસ હજાર સાધુઓ એક ગચ્છમાં હોય. (૭) અંડિલ : અનાગાઢ પહેલી અનાપાત - અસંલોક વગેરે નિર્દોષ ભૂમિમાં, આગાઢ કારણે બાકીની આપાતાદિ દૂષણવાળી ભૂમિઓમાં પણ પાઠવે. (૮) વસતિ = ઉપાશ્રયમાં મમત્વ ન રાખે અને એક માત્ર પ્રમાર્જન સિવાય પ્લાસ્ટર વગેરે ક્રિયા વગરની હોય તેમાં રહે. નવદીક્ષિત-અપરિણત વગેરે સાધુઓ તો રાગ થવાના કારણે તેના મમત્વવાળા પણ હોય અને નિર્દોષ ન મળે તેં પરિકર્મવાળી પણ વાપરે. (૯) ક્યાં સુધી ?= વસતિનો માલિક પૂછે કે અહીં ક્યાં સુધી રહેશો? Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૪૩ ત્યારે કોઈ વિઘ્ન ન હોય તો એક માસ અને વિઘ્ન આવે તો તેથી ન્યૂન કે અધિક પણ રહેવાનું થાય' એમ કહે. (૧૦) વડી નીતિ – (૧૧) લઘુનીતિ = શય્યાતરે એ બંને જ્યાં પરઠવવાની અનુમતિ આપી હોય ત્યાં જ પરઠવે; બીમારી વગેરે કારણે તો કુંડી વગેરેનો ઉપયોગ કરીને બહાર પરઠવે. (૧૨) અવકાશ= બહાર ખુલ્લી ભૂમિમાં બેસવું, પાત્ર ધોવાં વગેરે પણ શય્યાતરની અનુમતિ હોય ત્યાં કરે. અને કારણે તો કમઠક (મોટા પાત્ર) વગેરેમાં પણ ધોવે. (૧૩) તૃણ-પાટીઉં= સંથારા માટે તૃણ કે પાટીયું વગેરે વસ્તુઓ પણ શય્યાતરની અનુમતિ મળે તે વાપરે (બીજું નહિ.) (૧૪) સંરક્ષણ : જ્યાં રહેલા હોય ત્યાં ગૃહસ્થ જો પશુઓ વગેરેની રક્ષા ભળાવે તો, અશિવ આદિના કારણે રહેવું પડે તેમ હોય તો કહે કે “અમે રહીશું તો રક્ષણ કરીશું.” (૧૫) સંસ્થાપન : ગૃહસ્થ મકાનાદિના સંસ્કાર કરવા માટે કહે તો કહેવું કે “એવા કામમાં અમે કુશળ નથી.” (૧૬) પ્રાકૃતિકા. જ્યાં બલિ-નૈવેદ્ય તૈયાર થતું હોય તેવી વસતિ-ઉતારાને પ્રાભૃતિકા કહેવાય છે. કારણે એવા સ્થાનમાં રહેવું પડ્યું હોય તો પોતાનાં ઉપકરણોનું સારી રીતે રક્ષણ કરે અને જ્યાં સુધી ગૃહસ્થો બલિ તૈયાર કરે ત્યાં સુધી એક બાજુ રહે.' (૧૭) અગ્નિ, (૧૮) દીપક મકાનમાં અગ્નિ કે દીપક સળગાવેલાં હોય ત્યાં કારણે રહેવું પડે તો આવશ્યક (પ્રતિક્રમણ) બહાર-તેના પ્રકાશથી બચી શકાય ત્યાં કરે. • (૧૯) અવધાન : જો ગૃહસ્થો બહાર ખેતર વગેરેમાં જતાં કહે કે “અમારા ઘરોનો ઉપયોગ (સંભાળ) રાખજો” ત્યારે પણ કારણે રહેવું પડ્યું હોય તો સ્વયં ઉપયોગ રાખે અથવા ઉપસ્થાપના કર્યા વિનાના સામાયિક ચારિત્રવાળા સાધુઓ હોય તો તેમના દ્વારા સંભાળ રખાવે. (૨૦) કેટલા? ગૃહસ્થ પૂછ્યું હોય કે કેટલા સાધુઓ મારા મકાનમાં રહેશો ? ત્યારે કારણે ત્યાં રહેવું પડ્યું હોય અને અમુક સંખ્યામાં રહીશું, અધિક નહિ રહીએ' એવો નિર્ણય ગૃહસ્થને જણાવીને રહ્યા હોય તો પછી પ્રાપૂર્ણકાદિ (અન્ય) સાધુઓ આવે તેઓને રાખવા માટે પુનઃ ગૃહસ્થની અનુમતિ માગે, જો આપે તો ત્યાં, નહિ તો બીજા મકાનમાં ઉતારે. (૨૧-૨૨) ભિક્ષાચરી અને પાણી : ગોચરી-પાણી કોઈવાર નિયત દ્રવ્યાદિ ભાંગે અને કોઈવાર અનિયત દ્રવ્યો, અનિયત ક્ષેત્રમાંથી, અનિયતકાળે પણ ગ્રહણ કરે. (૨૩-૨૪) લેપાલેપ-અલેપ : કોઈવાર આહાર-પાણી લેપકૃતું, કોઈવાર અપકૃત્ વહોરે. (૨૫) આયંબિલ કોઈવાર આયંબિલ કરે, કોઈવાર ન પણ કરે. (૨૬) પડિમા: ભદ્રા” વગેરે પડિકાઓ વહન કરવી અવિરુદ્ધ છે. અર્થાત્ વહન કરી શકે. (૨૭) માસકલ્પઃ માસકલ્પ વગેરે અભિગ્રહો પણ ગચ્છાવાસીઓને કરી શકાય. Page #311 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ હવે ગચ્છવાસી મુનિઓની સ્થિતિ ઓગણીસ દ્વારથી બૃહત્કલ્પાનુસાર કહેવાય છે (૧) ક્ષેત્ર : ગચ્છવાસી (સ્થવિર કલ્પી) મુનિઓ જન્મની અને સદ્ભાવની અપેક્ષાએ પંદરે કર્મભૂમિઓમાં હોય અને સંહરણ કરાએલા તો અકર્મભૂમિઓમાં પણ હોય. (૨) કાળ : જન્મથી અને સદ્ભાવથી બંને પ્રકારે પણ અવસર્પિણીમાં ત્રીજા, ચોથા અને પાંચમા ત્રણે આરામાં હોય, ઉત્સર્પિણીમાં જન્મથી બીજા, ત્રીજા અને ચોથા આરામાં હોય અને સદ્ભાવથી (ચારિત્રધારી) તો ત્રીજા-ચોથા આરામાં જ હોય. અર્થાત્ બીજા આરામાં જન્મે પણ ચારિત્ર તો ત્રીજા-ચોથા આરામાં જ લે. વળી નોઉત્સર્પિણીઅવસર્પિણીમાં જન્મથી અને સાધુતાથી બંને પ્રકારે દુષમ-સુષમા જેવો કાળ હોય તે મહાવિદેહમાં અને સંહરણથી તો સુષમાદિ જેવા કાળવાળાં દેવકુરુ વગેરે ક્ષેત્રમાં પણ હોય. (૩) ચારિત્ર : ચારિત્રને પ્રાપ્ત કરતાં ભિન્ન વ્યક્તિની અપેક્ષાએ બે (સામયિક-છેદોપસ્થાપના) ચારિત્રવાળા હોય અને પૂર્વપ્રતિપત્ર પરિહારવિશુદ્ધિક વગેરે સર્વ ચારિત્રવાળા હોય. (૪) તીર્થ : સ્થવિરકલ્પી સાધુઓ નિયમા શાસન સ્થપાય ત્યારથી શાસન ચાલે ત્યાં સુધી (તીર્થમાં) જ હોય, તીર્થ સ્થપાય પહેલાં કે વિચ્છેદ થયા પછી ન હોય. (૫) પર્યાય : ગૃહસ્થપર્યાય જઘન્યથી આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો પણ હોય. ચારિત્રપર્યાય જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ હોય. (કારણ કે ક્રોડ પૂર્વથી અધિક આયુષ્ય હોય તેને ધર્મ પ્રાપ્તિ ન હોય, યુગલિકપણું હોય.) (૬) આગમ : સ્થવિકલ્પીઓ નવું શ્રુત ભણે અથવા ન પણ ભો. (૭) કલ્પ : સ્થવિરકલ્પી સ્થિત અને અસ્થિત બંને કલ્પવાળા હોય છે. કલ્પસૂત્રમાં કહેલા અચેલકપણું વગેરે દશ કલ્પોમાં જેનું નિયતપાલન હોય તે સ્થિતકલ્પ અને મધ્યમ તીર્થંકરોના કાળે જેનું અનિયતપાલન હોય તે અસ્થિતકલ્પ કહેવાય. (૮) વેદ : સ્થવિરકલ્પીઓને ચારિત્રની પ્રાપ્તિ વખતે વેદનો ઉદય હોય જ, પછી તો કોઈ અવેદી પણ હોય. (૯) લેશ્યા : સ્થવિકલ્પીને દીક્ષા લેતી વખતે છેલ્લી ત્રણ પૈકી કોઈ શુદ્ધ લેશ્યા હોય, પછીથી છ પૈકી કોઈપણ હોય. (૧૦) ધ્યાન : ચારિત્રની પ્રાપ્તિ વખતે ધર્મધ્યાન હોય અને પછીથી ચારમાંથી કોઈપણ ધ્યાન હોઈ શકે. (૧૧) લિંગ : દ્રવ્યલિંગ (રજોહરણાદિ) હોય અથવા ન હોય, ભાવલિંગ (ચારિત્રના પરિણામ) તો નિયમા સદૈવ હોય. (૧૨) ગણના : ચારિત્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરતાં સંખ્યામાં ઉત્કૃષ્ટથી બેથી નવ હજાર હોય અને કોઈ કાળે એકપણ ન હોય. ચારિત્ર પામેલા જઘન્ય-ઉત્કૃષ્ટ ઉભય પ્રકારે બે થી નવ હજાર ક્રોડ હોય. (૧૩) અભિગ્રહ ૨૪૪ : દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહવાળા હોય. (૧૪-૧૫) દીક્ષા-મુંડાપન : દીક્ષા આપવી, મુંડન કરવું, જ્ઞાન-ક્રિયા શીખવાડવારૂપ બંને શિક્ષાઓ આપવી, ઉપસ્થાપના Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૪૫ કરવી, સાથે આહારપાણી કરવા અને સાથે રહેવું, એ છ પ્રકારનો સચિત્તદ્રવ્ય (શિષ્ય કરવારૂપ)-જે કહ્યું તેને પાળે. અથવા એ કલ્પમાં પોતે અસમર્થ હોય તો મુમુક્ષુને ઉપદેશ કરીને અન્ય ગચ્છમાં મોકલે. (૧૯) પ્રાયશ્ચિત્ત : મનથી અપરાધ થાય તો પણ પહેલાં બે (આલોચના-પ્રતિક્રમણ) પ્રાયશ્ચિત્ત કરે (અર્થાત્ માનસિક દોષમાં બે પ્રાયશ્ચિત્ત હોય, બીજા ન હોય). (૧૭) કારણ : જ્ઞાનાદિ પુષ્ટ આલંબને (સબળ કારણે) અપવાદમાર્ગને પણ આચારે. (૧૮) પ્રતિકર્મ : વિના કારણે શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષા) ન કરે, કારણે તો બીમાર, વાદી, આચાર્ય અને વ્યાખ્યાનકારને પગ ધોવા, મુખ સાફ કરવું, શરીર દબાવવું, વગેરે પ્રતિકર્મ હોય પણ ખરું. (૧૯) ભિક્ષાટન અને વિહાર : આ બે કાર્યો ઉત્સર્ગથી ત્રીજા પ્રહરમાં અને અપવાદે બાકીના પ્રહરોમાં પણ કરે. . યથાલંકિ ચારિત્રનું સ્વરૂપ નિરપેક્ષ યતિધર્મમાં કહેવાનું છે, તેનું (શેષ-પ્રક્ષિપ્ત) વર્ણન ૧૯ લારોથી કરાય છે (૧-૨-૩) ક્ષેત્ર-કાલ-ચારિત્ર યથાલન્ટિકોને આગળ કહેવાશે તે પ્રમાણે જિનકલ્પીની તુલ્ય સમજવા. (૪) તીર્થ : યથાલબ્દિકો નિયમ તીર્થની હયાતિમાં જ હોય, જાતિસ્મરણાદિના યોગે પણ તીર્થ સ્થપાયા પહેલાં કે વિચ્છેદ થયા પછી હોય નહિ. (૫)-પર્યાય : જઘન્યથી ગૃહસ્થપર્યાય ઓગણત્રીસ વર્ષનો અને સાધુપર્યાય વીસ વર્ષનો હોય. ઉત્કૃષ્ટથી ગૃહસ્થ-સાધુ બંને પર્યાયો દેશોનપૂર્વક્રોડ વર્ષના હોય. (૯) આગમ : નવું શ્રત ન ભણે. કારણ કે સ્વીકારેલા યથાલંદિકકલ્પના આરાધનથી જ તે કૃતાર્થ છે. પૂર્વ ભણેલું ભૂલી ન જવાય તે માટે સ્મરણ ચાલું હોય. (૭) વેદ : પ્રતિપત્તિકાળે પુરુષવેદ, નપુંસકવેદ બંને હોય, પછી ઊપશમશ્રેણીની અપેક્ષાએ વેદોદયવાળો કે કોઈ વેદોદય રહિત પણ હોય. (સાધ્વી યથાલન્ટિક ન હોય.) (૮) કલ્પઃ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પમાં પણ હોય. (૯) લેશ્યા = પ્રતિપત્તિકાળે ત્રણ શુદ્ધ વેશ્યાવાળા અને પછી છએ વેશ્યાઓવાળા પણ હોય. (૧૦) ધ્યાન : પ્રતિપત્તિકાળે ધર્મધ્યાનવાળો હોય, પછીથી આર્તધ્યાનરૌદ્રધ્યાનવાળો પણ હોય, તથાપિ પ્રાય: તેનું દુર્બાન નિરનુબંધિ (અનુબંધ રહિત) હોય. (૧૧) લિંગ : યથોલન્દિકને વસ્ત્ર-પાત્રાદિ સાધુવેષ હોય, અથવા જે પાણીપાત્રી હોય તેને ન પણ હોય. (૧૨) ગણના યથાલન્ટિકકલ્પને સ્વીકારનારા જઘન્યથી પાંચ-પાંચના ત્રણ ગણો હોવાથી પંદર પુરુષો હોય અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકત્વ હોય. ગ્લાન–ાદિને કારણે કોઈ પાછો ગચ્છમાં જાય કે બીજાને લેવામાં આવે તો ઓછા વધારે થતાં સ્વીકારનારા જઘન્યથી એક કે બે પણ હોય અને ઉત્કૃષ્ટથી એક સો પણ હોય. પૂર્વપ્રતિપન્ન તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અપેક્ષાએ ક્રોડપૃથકત્વ હોય. (૧૩) અભિગ્રહઃ યથાલદિકકલ્પ અભિગ્રહ સ્વરૂપ હોવાથી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ તેમાં દ્રવ્યાદિ અન્ય અભિગ્રહો ન હોય. (૧૪-૧૫) દીક્ષા-મુંડાપન = યથાલંબ્દિક કલ્પવાળો બીજાને દીક્ષા ન આપે અને મુંડે પણ નહિ, દીક્ષાનો ઉપદેશ કરે અને કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો બીજાને સોંપે. (૧૬) પ્રાયશ્ચિત્ત : મનથી પણ અપરાધ થતાં તેઓને ઓછામાં ઓછું “ચતુર્ગુરુ' પ્રાયશ્ચિત્ત હોય. (૧૭) કારણ યથાસંદિકોનો કલ્પ નિરપવાદ ચારિત્રને પાલન કરનારો હોવાથી જ્ઞાનાદિ પુષ્ટ આલંબને પણ તેઓ અપવાદ ન સેવે. (૧૮) પ્રતિકર્મ : આ મહાત્માઓ નેત્રનો મેલ સરખો પણ દૂર ન કરે, તો બીજાની તો શું વાત ! (૧૯) ભિક્ષાટન-વિહાર ભિક્ષાભ્રમણ અને વિહાર ત્રીજા પ્રહરમાં જ કરે, શેષ પ્રહરોમાં પ્રાય: કાયોત્સર્ગ અને અલ્પમાત્ર નિદ્રા હોય. જંઘાબળ ક્ષીણ થવા છતાં અપવાદ ન સેવે, કિંતુ વિહારના અભાવે પણ જ્યાં રહે ત્યાં કલ્પને અનુસાર પોતાની જ્ઞાનાદિની આરાધના કરે. હવે નિરપેક્ષયતિધર્મનું વર્ણન કરતાં પહેલાં તેની યોગ્યતા જણાવે છે. मूलम् - प्रमादपरिहाराय, महासामर्थ्यसंभवे ।। कृतार्थानां निरपेक्ष - यतिधर्मोऽतिसुन्दरः ।।१५४।। ગાથાર્થ : ગચ્છવાસના (સાપેક્ષયતિધર્મના) પૂર્ણ પાલનથી કૃતાર્થ થયેલા અતિસામર્થ્યવાળા સાધુઓને પ્રમાદનો પરિહાર કરવા માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો) અતિ સુંદર છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : પ્રથમનાં ત્રણ પૈકી કોઈ એક સંઘયણ હોવાથી કાયનું બળ અને તેના યોગે માનસિક બળવાળા મહાત્માઓને અપ્રમત્તદશાને પ્રાપ્ત કરવા માટે અને વિશેષ નિર્જરા માટે, આચાર્યાદિ જે પદો પ્રાપ્ત થયા હોય તેનું પરિપાલન કરીને, સહાયની અપેક્ષા ન હોવાથી, ગચ્છથી મુક્ત થવારૂપ (નિરપેક્ષ) સાધુધર્મ સ્વીકારવો અતિશ્રેષ્ઠ છે. નિરપેક્ષ સાધુઓ ત્રણ પ્રકારના હોય છે. (૧) જિનકલ્પિક, (૨) શુદ્ધ પારિહારિક (પરિહાર વિશુદ્ધિવાળા) અને (૩) યથાલન્ટિક. જિનેશ્વરોનાં જેવો કલ્પ પાળવો તે જિનકલ્પ. અને તે જ આચરે તે જિનકલ્પિક. પરિહાર (વિશિષ્ટ જાતિના તપને) જે આચરે તે પારિવારિક, કલ્પ પ્રમાણે અમુક કાળ આચારણ જે કરે તે યથાલન્ટિક. (આ ઉપરાંત બાર પ્રતિમાઓનું પાલન કરવું તે પણ નિરપેક્ષ યતિધર્મ છે જ. પણ તે પૂર્વે કહેવાઈ ગયેલ છે.) આ નિરપેક્ષયતિધર્મના અધિકારી આચાર્યાદિ પાંચ જ છે. (સાધ્વીઓને આ ધર્મ સ્વીકારવાનો અધિકાર નથી). આ ધર્મનો સ્વીકાર કરતાં પૂર્વે તુલના (યોગ્યતા માટે પ્રયત્નો કરવાની હોય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૪૭ આ ધર્મને સ્વીકારવાની ઇચ્છાવાળાઓ પ્રથમ તો પૂર્વરાત્રે અને પાછલી રાત્રે એમ વિચારવું કે-ગચ્છવાસમાં રહીને દીર્ઘ પર્યાય સુધી ચારિત્રનું પાલન કર્યું, યોગ્ય જીવોને વાચના આપી, અનેક શિષ્યોને આચાર્યાદિપદને લાયક બનાવ્યા, તો હવે પછી મારે શું કરવું યોગ્ય છે ? ઇત્યાદિ વિચારી જ્ઞાન હોય તો પોતાનું આયુષ્ય કેટલું છે તે સ્વયં વિચારે, પોતાની પાસે વિશિષ્ટ જ્ઞાન ન હોય તો અતિશય જ્ઞાનીને પૂછે. આયુષ્ય અલ્પ જાણે તો અનશનનો સ્વીકાર કરે. આયુષ્ય લાંબુ હોય અને જંઘાબળ ક્ષીણ થયેલું હોય તો સ્થિરવાસ સ્વીકારે, અને શરીરશક્તિ સારી હોય તો જિનકલ્પ વગેરે નિરપેક્ષધર્મનો સ્વીકાર કરે. આ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા ઇચ્છતા આચાર્યાદિએ તુલના (સ્વસામર્થ્યની ખાત્રી) કરવી જોઈએ. ઉપરાંત અમુક કાળ માટે આચાર્યાદિએ સ્વ-સ્વ યોગ્ય કાર્ય ગચ્છમાં બીજા યોગ્યને સોંપવું જોઈએ. તે પછી નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવાની ઇચ્છાવાળો પોતે નીચેની પાંચ તુલનાઓ વડે આત્માને તોળ, શક્તિને કેળવે-યોગ્યતાને માપે. (૧) તપથી આત્માને એવો યોગ્ય બનાવે કે કોઈ દેવ વગેરે, ઉપસર્ગ કરવા માટે શુદ્ધ આહાર ન મળે તેવો પ્રસંગ ઉભો કરે તો છ મહિના સુધી સુધાને સહન કરી શકે. (૨) સત્વથી ભય અને નિદ્રાનો વિજય કરે, આ સર્વોતુલના પાંચ પ્રકારે થાય છે. પહેલી જ્યારે રાત્રે સર્વસાધુઓ નિદ્રાધીન થાય ત્યારે ઉપાશ્રયમાં જ કાયોત્સર્ગ કરવાથી, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી ચોકમાં (ચૌટામાં), ચોથી શૂન્યઘરમાં (નિર્જન ખંડિયેરમાં) અને પાંચમી સ્મશાનમાં (અર્થાત્ ઉત્તરોત્તર વૈર્યને કેળવતાં છેલ્લી રાત્રીએ સ્મશાનમાં પણ ભય ન લાગે તેવી નિર્ભયતા કેળવે.) (૩) સૂત્ર ભાવનાથી સૂત્ર પોતાના નામની માફક એવું અતિપરિચિત કરે કે દિવસે કે રાત્રે શરીરછાયા વગેરે સમયને જાણવાનાં અન્ય સાધનોનો અભાવ હોય ત્યારે પણ સૂત્ર પરાવર્તન કરીને તેને અનુસાર એક ઉચ્છવાસ કે પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત વિગેરે તે તે સમયને સારી રીતે જાણી શકે. (૪) એકત્વભાવનાથી એકાંતમાં રહી શકાય તેવો પ્રયત્ન કરે. તેમાં પ્રથમ ગુર્નાદિનાં દર્શન અને તેઓ સાથે બોલવાનું પણ બંધ કરે; એમ કરતાં બાહ્યવસ્તુનું મમત્વ મૂળમાંથી જ તૂટી જાય ત્યારે શરીર, ઉપધિ વગેરેનું મમત્વ પણ દૂર કરવા આત્માને શરીરાદિથી ભિન્ન સમજતો ઉત્તરોત્તર શરીરનો, ઉપધિનો પણ રાગ તોડી નાખે. (૫) બળ ભાવનાથી શરીર અને મન બંનેનું બળ કેળવે, તેમાં શરીરબળ શેષ મનુષ્યો કરતાં અતિશાયી સમજવું. એવા બળના અભાવે પણ ધૈર્યબળથી (મનથી) આત્માને તેવો દઢ બનાવે કે આકરા પણ પરીષહો અને ઉપસર્ગો તેને બાધા ન કરી શકે. આ પાંચ ભાવનાથી ભાવિત થયેલો (જિનકલ્પી બનેલો) પોતે ગચ્છમાં રહીને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોબાર : ભાગ-૨ જ ઉપધિ અને આહાર બંનેની પરિકર્મણા કરે (યોગ્યતા કેળવે.) ઉપધિના પરિકર્મમાં જો પોતાને પાણિપાત્રી (હાથમાં ભોજન-પાણી વિગેરે લેવા છતાં એક બિંદુ પણ નીચે ન પડે કિન્તુ ઉપર શિખા વધતી જાય તેવી) લબ્ધિ હોય તો તેને અનુરૂપ પરિકર્મ કરવા (સંસ્કાર ઘડવા) યથાયોગ્ય ઉદ્યમ કરે. તેવી લબ્ધિ ન હોય તો પાત્રધારી તરીકેના પરિકર્મમાં ઉદ્યમ કરે. આહાર પરિકર્મમાં તો ત્રીજા પ્રહરનો પ્રારંભ થયા પછી વાલ-ચણા આદિ પ્રમાણોપેત, ગૃહસ્થને વધી પડેલું, નિર્લેપ ભોજન (પૂર્વે કહેલી) સપ્ત પિંડેષણાઓ પૈકી છેલ્લી ઉદ્ધત વગેરે પાંચમાંથી ગમે તે બેનો અભિગ્રહ કરીને, તે બેથી આહાર-પાણી ગ્રહણ કરે. તેમાં પણ એક એષણાથી ભોજન અને બીજીથી પાણી ગ્રહણ કરે. આ પ્રમાણે વિધિપૂર્વક આત્માને સંસ્કારી બનાવીને, સકલસંઘને ભેગો કરીને, સકલ સાધુઓને ખમાવીને અને પોતાના સ્થાને સ્થાપેલા આચાર્યાદિને હિતશિક્ષા આપીને તે કાળે હોય તો તીર્થકરની સમીપે, તેઓના અભાવે શ્રીગણધરની સમીપે, તેઓના અભાવે ચૌદપૂર્વધરની સમીપે, તેઓના અભાવે દશપૂર્વધરની સમીપે અને તે પણ ન હોય તો વડ, અશોક વગેરે ઉત્તમ વૃક્ષની નીચે સ્વયં મોટા આડંબરપૂર્વક જિનકલ્પનો સ્વીકાર કરે. આ જિનકલ્પિકને (૧) આવશ્યિકી, (૨) ઔષધિકી, (૩) મિથ્યકાર, (૪) ગૃહસ્થને પૂછવારૂપ પૃચ્છા અને (૪) (ગૃહસ્થની) ઉપસંપદા, આ પાંચ સામાચારી હોય છે. હવે જિનકલ્પના આચારને જણાવતાં ૨૭ તારો જણાવે છે. (૧) શ્રત : જઘન્યથી નવ પૂર્વની ત્રીજી વસ્તુ સુધી હોય, કારણ કે ઓછામાં ઓછા તેટલા જ્ઞાનવાળાને ભવિષ્યનું જ્ઞાન થાય (ભવિષ્યના જ્ઞાન વિના જિનકલ્પ સ્વીકારી શકાય નહિ.) ઉત્કૃષ્ટથી અપૂર્ણ દસપૂર્વ હોય, કારણ કે સંપૂર્ણ દસપૂર્વીને દેશનાલબ્ધિ ઉત્પન્ન થતી હોવાથી શાસન પ્રભાવના, ભવ્યજીવોને ઉપકાર વગેરે દ્વારા સ્થવિરકલ્પથી જ ઘણી નિર્જરા કરી શકે, માટે જિનકલ્પ ન સ્વીકારે. (૨) સંઘયણ :- પ્રથમ સંઘયણ હોય. (૩) ઉપસર્ગો : દેવ વગેરેથી ઉપસર્ગો થાય અથવા ન પણ થાય, થાય તો માનસિક પીડા વિના સમાધિથી સહન કરે. (૪) આતંક : આતંક આવે અથવા ન પણ આવે, આવે તો જિનકલ્પીને શરીરની પ્રતિકર્મણાનો (રક્ષાનો) નિષેધ હોવાથી સહન કરે, પણ ચિકિત્સા ન કરે. (૫) વેદના : લોચ વગેરેની સ્વકૃત અને વૃદ્ધાવસ્થા વગેરેની ઉપક્રમરૂપ બંને વેદનાઓ હોય, છતાં શુભભાવથી સહન કરે. (૬) કેટલા? વસતિ વગેરેમાં રહે ત્યાં બીજા હોય તો પણ) બીજાની સહાયની અપેક્ષા રાખવાની નહિ હોવાથી ભાવથી એકલા જ હોય અને એક સ્થાને ઉત્કૃષ્ટથી સાતનો સંભવ હોવાથી દ્રવ્યથી તો અનેક પણ હોય. (૭) ચંડિલ : Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૪૯ વડીનીતિ - લઘુનીતિ અને જીર્ણવસ્ત્રોને જિનકલ્પી અનાપાત-અસંલોક વગેરે (પૂર્વે જણાવ્યા તે) દસ ગુણોવાળી ભૂમિમાં જ પરઠવે, દોષિતમાં નહિ. (૮) વસતિ : માસકલ્પ કે ચાતુર્માસકલ્પ માટે જ્યાં રહે તે ક્ષેત્રના છ ભાગ કહ્યું અને એક દિવસે જે ભાગમાં ભિક્ષા માટે ફરે ત્યાં પુન: સાતમા દિવસે ફરે. (૯) ક્યાં સુધી રહેશો ? (૧૦-૧૧) વડીનીતિ, લઘુનીતિ અમુક સ્થળે પરઠવવી, અમુક ભૂમિમાં નહિ. (૧૨) અવકાશ (અહીં બેસવું, અહીં નહિ વગેરે), (૧૩) તૃણ, પાટીયું વગેરે વાપરજોં અથવા ન વાપરશો, (૧૪) મકાનની રક્ષા, (૧૫) વસતિને સંસ્કારવી - સાફસુફ કે મરામત કરવી. (૧૬) બલિ તૈયાર થતો હોય તે વસતિમાં ન રહેવું. (૧૭-૧૮) અગ્નિ કે દીપક સળગતો હોય તેવી વસતિમાં ન રહેવું (૧૯) ગૃહસ્થની વસ્તુની રક્ષા કરવી અને (૨૦) કેટલા રહેશો ? એ દ્વારોમાં જો ગૃહસ્થ પૂછે, તેની પરાધીનતા હોય, તો તેવા સ્થાને જિનકલ્પી રહે નહિ, કારણ કે સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય ત્યાં જિનકલ્પી મહાત્મા ન રહે. માટે એટલાં ધારો જિનકલ્પીને નિષેધરૂપ સમજવાં. (૨૧-૨૨) ભિક્ષાચરી-વિહાર - આહાર અને વિહાર બંને ત્રીજા પ્રહરમાં જ કરે, કાળનું જ્ઞાન હોવાથી ચોથો પ્રહર શરૂ થતાં જ નિયમા, હોય ત્યાં અટકી જાય. (૨૩-૨૪) લેપાલેપ અને અલેપ : પૂર્વે કહેલી સાત પૈકી બે એષણાના અભિગ્રહપૂર્વક આહાર-પાણી અલેપતું મળે તો જ લે. (૨૫) આચાર્લીઃ વિગઈવાળાં અશનાદિ ન લે અને આયંબિલનાં પણ લેપકતું ન ગ્રહણ કરે. (૨૦) પડિમા - કોઈ સ્વીકારે નહિ, કારણકે જિનકલ્પ સ્વયં અભિગ્રહરૂપ છે. તેનું પાલન કરવાથી જ કૃતકૃત્ય થાય. (૨૭) માસકલ્પ: એક ક્ષેત્રના છ ભાગ કલ્પીને પ્રતિદિન એક એક ભાગમાં ફરે, કોઈ ક્ષેત્રાદિમાં એક દિવસ પણ મમત્વ ન કરે, માટે છેલ્લાં ત્રણ વારો પણ નિષેધ રૂપ સમજવાં. સિંહ, વાઘ, હિંસક પ્રાણી સામે આવે તો પણ માર્ગ છોડીને ઉજ્જડ માર્ગે ચાલી ઇર્યાસમિતિનો ભંગ ન કરે. હવે જિનકલ્પની સ્થિતિ (સ્વરૂપ) જણાવવા માટે કેટલાંક ધારો કહેવાય છે તે ઓગણીસ દ્વારા આ પ્રમાણે છે. (૧) ક્ષેત્ર : જન્મથી અને સદ્ભાવથી (જિનકલ્પ પ્રતિપન્ન) પંદરે કર્મભૂમિઓમાં હોય, સંકરણથી તો કર્મભૂમિ-અકર્મભૂમિમાં પણ હોય. (૨) કાલ : જિનકલ્પીનો જન્મ અવસર્પિણીના ત્રીજા-ચોથા-આરામાં જ હોય, વ્રતધારી (જિનકલ્પ પામેલા) તો ત્રીજાચોથા-પાંચમાં આરામાં પણ હોય. (અર્થાતું પાંચમા આરામાં જન્મેલો જિનકલ્પને સ્વીકારી ન શકે.) (૩) ચારિત્ર : પ્રથમ બે ચારિત્રવાળા હોય. (૪) કલ્પ : સ્થિતકલ્પમાં જ હોય. (૫) લિંગ : જિનકલ્પ સ્વીકાર કરતાં અવશ્ય દ્રવ્ય અને ભાવ બંને લિંગો હોય. સ્વીકાર્યા પછી અવશ્ય ભાવલિંગ હોય, દ્રવ્યલિંગ (રજોહરણાદિ ઉપકરણો) કોઈ હરણ કરી જાય Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૫૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વારે : ભાગ-૨ અથવા જીર્ણ થઈ જાય, વગેરે કારણે ન પણ હોય. (૩) લેશ્યા જ્યારે સ્વીકારે ત્યારે શુદ્ધ ત્રણ લેગ્યામાંની કોઈપણ હોય. પૂર્વપ્રતિપત્રને છ એ વેશ્યા હોય. (૭) ગણના સ્વીકાર કરનારા જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બસોથી નવસો (શત પૃથકત્વ) હોય અને સ્વીકાર કરેલા (પૂર્વે પ્રતિપ્રશ્ન) જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પ્રકારે સહસથકત્વ હોય જ. તીર્થ, પર્યાય, આગમ, વેદ, ધ્યાન, અભિગ્રહ, પ્રવજ્યા આપવી, મુંડન કરવું, નિપ્રતિકર્મતા ભિક્ષા અને પંથ આ અગીયાર ધારો પરિહારવિશુદ્ધિના દ્વારા પ્રમાણે હોવાથી આગળ કહેવાશે. આમ અઢાર થયા. ૧૯મું કારણદ્વાર જિનકલ્પી પુષ્ટ આલંબને પણ અપવાદ ન સેવતા હોવાથી નથી અને ૨૦મું પ્રાયશ્ચિત્તદ્વાર મનના સૂક્ષ્મ પણ અતિચારનું જિનકલ્પીને જઘન્ય પણ ‘ચતુર્ગુરુ’ પ્રાયશ્ચિત્ત હોય છે. હવે શુદ્ધપારિહારિકનું સ્વરૂપ કહેવાય છે. પરિહારવિશુદ્ધિ નામના ચોથા ચારિત્રવાળા સાધુઓ બે પ્રકારના હોય, એક નિર્વિશમાન એટલે વિવક્ષિત અમુક તપને કરતા અને બીજા નિર્વિષ્ટકાયિક એટલે વિનંતિ અમુક તપને પૂર્ણ કરી ચૂકેલા. આ કલ્પવાળા સાધુઓનો સમુદાય નવનો હય છે. તેમાં ચાર તપ કરનારા, ચાર તેઓની વૈયાવચ્ચ કરનારા અને એક વાચનાચાર્ય, તે સઘળાએ બહુશ્રુત હોય. આ કલ્પમાં પ્રવેશ કરનારનો તપ ગ્રીષ્મકાળમાં જઘન્યથી ચતુર્ભક્ત, મધ્યમ ષષ્ઠભક્ત, ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત હોય. શીતકાળ અનુક્રમે ષષ્ઠભક્ત અષ્ટમભક્ત અને દસભક્ત હોય. વર્ષાકાળે અનુક્રમે અઠ્ઠમભક્ત, દસભક્ત, દ્વાદસભક્ત હોય. પારણે ત્રણે કાળમાં આયંબિલ કરવાનું કહ્યું છે; ભિક્ષા ગ્રહણ જિનકલ્પની જેમ બે એષણાથી છે. છ મહિના જેણે તપ કર્યું હોય તે પછીના છ મહિના વૈયાવચ્ચ કરે અને વૈયાવચ્ચ કરનાર તપ કરે. વાચનાચાર્ય તો તે જ રહે. પછીના છ મહિનામાં વાચનાચાર્ય તપ કરે. અને બાકીના આઠમાંથી એક વાચનાચાર્ય થાય અને સાત વૈયાવચ્ચ કરે. આમ કુલ અઢાર મહિનાનો તપ છે. આ કલ્પ પૂર્ણ થયા બાદ પુન: તે જ કલ્પને સ્વીકારે, જિનકલ્પ સ્વીકારે અથવા ગચ્છમાં પાછા ભળી જાય. પરિહારવિશુદ્ધ વળી બે પ્રકારના આ રીતે પણ હોય. (૧) ઇત્વરિક - કે જેઓ કલ્પસમાપ્ત થતાં એ જ કલ્પને સ્વીકારે અથવા ગચ્છમાં પાછા જાય. આ ઇતરિક મહાત્માઓને કલ્પના મહિમાથી જ ઉપસર્ગો કે આતંકો હોતા નથી. (૨) વાવ,કથિકકે જેઓ કલ્પ પૂર્ણ થાય પછી જિનકલ્પને જ સ્વીકારે. તેઓને જિનકલ્પીની જેમ ઉપસર્ગો અને આતંકો હોય અથવા ન પણ હોય. આ કલ્પનો સ્વીકાર તીર્થકરની સમીપે અથવા તીર્થકરની પાસે પરિહાર Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૫૧ વિશુદ્ધિકલ્પ જેણે સ્વીકાર્યો હોય તેની પાસે જ થાય. તેની પ્રરૂપણા ૨૦ દ્વારથી કરાય છે. (૧) ક્ષેત્ર : પરિહારકલ્પવાળા જન્મથી અને સભાવથી પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં (પહેલા-છેલ્લા તીર્થકરના કાળમાં-ત્રીજા ચોથા આરાના અંતે) હોય. સંહરણ તેઓનું થાય નહિ, આથી મધ્યમ તીર્થકરોના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં પણ ન હોય. (૨) કાળ : અવસર્પિણીમાં ત્રીજા અથવા ચોથા આરામાં જન્મ અને કલ્પપાલન કરનારા (ત્રીજા-ચોથા ઉપરાંત) પાંચમા આરામાં પણ હોય. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અથવા ચોથા આરામાં જન્મ અને કલ્પનું પાલન કરનારા ત્રીજા અથવા ચોથા આરામાં હોય. (૩) ચારિત્રઃ આ કલ્પવાળાને ચારિત્ર એક જ પરિવાર વિશુદ્ધિક હોય. (૪) તીર્થ : આ તપ કરનારા નિયમો તીર્થ વર્તતું હોય ત્યારે જ હોય. (૫) પર્યાય : જઘન્યથી ગૃહસ્થપર્યાય ઓગણત્રીસ વર્ષનો તથા સાધુપર્યાય વીસ વર્ષનો હોય અને ઉત્કૃષ્ટથી ગૃહસ્થ અને સાધુ બંને પર્યાયો દેશોનપૂર્વક્રોડ વર્ષના હોય. () આગમ : આ ચારિત્રવાળા નવું શ્રત ન ભણે, કારણ કે સ્વીકારેલા કલ્પની આરાધનાથી તેઓ કૃતાર્થ થાય છે. પૂર્વે ભણેલાનું નિત્ય સ્મરણ કરે. (૭) વેદ : પ્રવૃત્તિકાળે પુરુષ અને નપુંસક એ બે વેદવાળા હોય, કારણ કે સ્ત્રીઓને આ ચારિત્રની પ્રાપ્તિ હોતી નથી. પૂર્વે કલ્પ સ્વીકાર્યો (પૂર્ણ કર્યો) હોય તે તો બે વેદવાળા અથવા અવેદી પણ થાય. (૮) કલ્પ : સ્થિતકલ્પમાં જ હોય. (૯) લિંગ :નિયમા દ્રવ્ય-ભાવ બંને લિંગો હોય. (૧૦) લેશ્યા : ત્રણ શુદ્ધ લશ્યાનાં ઉદય વખતે આ કલ્પનો સ્વીકાર હોય, પૂર્વપ્રતિપન્ન (તે પછી) તો એ વેશ્યાવાળા પણ હોય. (૧૧) ધ્યાન : વધતા ધર્મધ્યાનથી આ કલ્પનો સ્વીકાર થાય, પૂર્વમતિપત્રને તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન પણ હોય, પરંતુ તે ધ્યાનો નિરનુબંધી હોય. (૧૨) ગણના: જઘન્યથી ત્રણ જ ગણો અને ઉત્કૃષ્ટથી સો ગણો પણ સ્વીકાર હોય. સ્વીકાર કરેલા તો જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો પણ હોય. (૧૩) અભિગ્રહ: આ કલ્પ અભિગ્રહરૂપ હોવાથી દ્રવ્યાદિ અભિગ્રહો ન હોય. (૧૪-૧૫) પ્રવજ્યા-મુંડાપન : કોઈને દીક્ષા આપે નહિ અને મુંડે પણ નહિ. (૧૩) પ્રાયશ્ચિત્ત : મનથી પણ સૂક્ષ્મ માત્ર અપરાધ થતાં નિયમા આ કલ્પવાળાને “ચતુર્ગુરુ' પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૭) કારણ : આ કલ્પનું પાલન નિરપવાદ હોય છે. (૧૮) નિષ્પતિકર્મ : નેત્રનો મલ દૂર કરવા જેટલી પણ શરીરની સંભાળ લેતા નથી. (૧૦-૨૦) ભિક્ષાટનવિહાર : આ બંને કાર્યો ત્રીજા પ્રહરમાં જ કરે. શેષ પ્રહરોમાં કાયોત્સર્ગ કરે. નિદ્રા અલ્પ હોય, જંઘાબળ ક્ષીણ થવા છતાં અપવાદનો આશ્રય ન કરે; સ્થિરવાસ રહીને પણ કલ્પના આચારો પ્રમાણે પોતાના યોગોની સાધના કરે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ - હવે યથાલંદિકનું સ્વરૂપ કહેવાય છે – શાસ્ત્રમાં “લન્દ’નો અર્થ કાળ કહ્યો છે. એ કાળ જઘન્યાદિ ત્રણ પ્રકારનો છે. તેમાં આ કલ્પવાળાને જઘન્ય કાળ પાણીથી ભિંજાયેલો હાથ જેટલાં સમયમાં સુકાય તેટલો કહેલો છે. આ કલ્પવાળાને પચ્ચક્ખાણ કે અમુક અમુક નિયમો આટલો જઘન્યકાળ વિશેષતયા ઉપયોગી છે. ઉત્કૃષ્ટકાળ પૂર્વકોડવર્ષ પ્રમાણ જાણવો. કારણ કે ઉત્કૃષ્ટથી આ ચારિત્ર આટલા કાળ સુધી જ હોય છે. એ બેની વચ્ચેનો કાળ મધ્યમ જાણવો. અન્યથા એક સમય એ જઘન્ય અને સાગરોપમાદિ એથી પણ મોટા કાળ કહી શકાય, પણ એ અહીં ઉપયોગી નથી. એક વીથિમાં (ક્રમમાં) પાંચ જ અહોરાત્ર ભિક્ષાર્થે ફરતા હોવાથી (ઉત્કૃષ્ટ) યથાલંદ તેટલો (પાંચ દિવસનો) થાય અને તેઓનો ગણ પાંચ પુરુષોનો હોય, એ તેઓનું ઉત્કૃષ્ટ પ્રમાણ સમજવું. યથાલન્દિકની સર્વ મર્યાદા જિનકલ્પવાળાના સરખી જ સમજવી. માત્ર સૂત્ર-ભિક્ષા અને માસકલ્પમાં ભિન્નતા છે. યથાલંદિકો બે પ્રકારના છે. એક ગચ્છથી પ્રતિબદ્ધ અને બીજા અપ્રતિબદ્ધ, તે પ્રત્યેકના પણ જિન અને સ્થવિર એ બે-બે ભેદો છે, તેમાં જેઓ યથાલન્દિક કલ્પ પછી જિનકલ્પ સ્વીકારે તે જિન અને ગચ્છનો આશ્રય લે તે સ્થવિરો જાણવા. જેને અર્થજ્ઞાન દેશથી બાકી હોય તો તે પૂર્ણ કરવા પુન: ગચ્છનો આશ્રય લે. અન્યથા જિનકલ્પિક બનેં. લગ્નબળ આદિ શુભ હોવાથી મુહૂર્ત સારૂ હોય અને બીજું શુભ મુહૂર્ત દૂર હોય તો અર્થજ્ઞાન સંપૂર્ણ કર્યા વિના કલ્પ સ્વીકારનારને અર્થજ્ઞાન ન્યૂન હોય તો ગચ્છમાં રહેલા આચાર્ય પાસે ભણવાનું હોવાથી ગચ્છપ્રતિબદ્ધ રહેવું પડે છે, અર્થજ્ઞાન પૂર્ણ થયા બાદ ગચ્છથી અલગ વિચ૨વાનું હોવાથી ગચ્છ અપ્રતિબદ્ધ હોય છે. (આ વિષયમાં વિશેષ પંચવસ્તુથી જાણી લેવું) ભિક્ષાના વિષયમાં ભિન્નતા એ છે કે - બંને પ્રકારના યથાલર્જિકો પણ ઋતુબદ્ધકાળમાં મોટા ગામ વગેરે જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રમાં ઘરોની પંક્તિઓરૂપ છ શેરીઓની કલ્પના કરીને એક એક શેરીમાં પાંચ-પાંચ દિવસ ભિક્ષા માટે ફરે અને ત્યાં જ રહે, એ રીતે એક ગામમાં છ શેરીઓમાં ૧ માસકલ્પ પૂર્ણ થાય. ગામ એવું મોટું ન હોય તો નજીક નજીકનાં છ ગામોમાં પાંચ પાંચ દિવસ માસકલ્પ પૂર્ણ કરે. જે યથાલંદિક ગચ્છપ્રતિબદ્ધ (અર્થાત્ જ્ઞાન માટે આચાર્ય સાથે પ્રતિબદ્ધ) હોય તેઓને તો પોતે રહેલા હોય તે ક્ષેત્રથી એક કોસ અને એક યોજન (પાંચ કોસ) સુધી આચાર્યનો અવગ્રહ ગણાય. ત્યાંથી મળે તે વસ્તુ આચાર્યની ગણાય. ગચ્છથી અપ્રતિબદ્ધને તો જિનકલ્પની પેઠે ક્ષેત્રનો અવગ્રહ હોય જ નહિ. Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધર્મ ૨૫૩ જિનયથાલંદિક નિયમ શરીરના પ્રતિકર્મથી રહિત હોય, સ્થવિરયથાલંદિકો વ્યાધિગ્રસ્ત (યુથાલદિક) સાધુને પરિચરણા (વૈયાવચ્ચ) માટે ગચ્છને સોંપે અને તેને સ્થાને બીજા સાધુને પોતાના ગણમાં સ્વીકારે. સ્થવિર યથાસંદિકો એક એક પાત્રધારી અને વસ્ત્રધારી હોય તથા જિનકલ્પિક યથાસંદિકો તો જિનકલ્પની જેમ ભજનાવાળા સમજવા. એટલે કે પાત્રધારી-વસ્ત્રધારી હોય કે ન પણ હોય. ગણનાને આશ્રયિને યથાસંદિકોના જઘન્યથી ત્રણ ગણો અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ ગણો હોય, પુરુષની ગણનાએ જઘન્યથી પંદર અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકત્વ હોય. પૂર્વપ્રતિપન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ ક્રોડપૃથકત્વ જ હોય. આ રીતે નિરપેક્ષ યતિધર્મ કહેવાયો. હવે તે ધર્મને ભિન્ન-ભિન્ન સૂત્રોમાંથી સંક્ષિપ્ત રૂપમાં સમજાવવા માટે કહે કેमूलम् - स चाल्पोपधिता सूत्रगुरुतोगविहारिता । अपवादपरित्यागः, शरीरेऽप्रतिकर्मता ।।१५५।। देशनायामप्रबन्धः, सर्वदा चाप्रमत्तता । ऊर्ध्वस्थानं च बाहुल्याच्छुभध्यानैकतानता ।।१५६।। उघृतावेषणाभिक्षा, क्षेत्रे षड्भागकल्पिते । गमनं नियते काले, तुर्ये यामे त्ववस्थितिः ।।१५७।। ગાથાર્થ : તે નિરપેક્ષ યતિધર્મમાં અલ્પ ઉપધિ, પોતાનું જ્ઞાન એ જ ગુરુ, ઉગ્રવિહાર, અપવાદનો ત્યાગ, શરીરની સાર સંભાળનો અભાવ, દેશના સાંભળવા આવેલા ઉપર પણ રાગનો અભાવ; સર્વદા અપ્રમત્તપણું, બહુધા ઉભા રહેવું, શુભધ્યાનમાં એકાગ્રતા, ઉદ્ધતાદિ કોઈ બે એષણાદ્વારા ક્ષેત્રના છ ભાગ કલ્પીને આહાર-પાણી લેવાં, નિયતકાળે વિચરવું અને ચોથા પ્રહરે સ્થિર રહેવું વગેરે, કડક પાલન કરવાનું હોય છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : વિરકલ્પિક સાધુ કરતાં ઉપધિ અલ્પ હોય. સર્વ પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં આગમનો ઉપદેશ જ તેમના માટે ગુરુ હોય છે. અર્થાત્ આગમવિહારી હોય. ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ વગેરે ઉગ્રવિહારો કરનારા હોય. જ્યારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષયતિધર્મ સ્વીકાર્યો હોય ત્યારે ઋતુબદ્ધ (શેષ) કાળમાં ગામમાં અજાણ્યો (અજ્ઞાત) રહીને એક કે બે રાત્રી રહે. જિનકલ્પિક, યથાલદિક કે પરિહારવિશુદ્ધિક નિરપેક્ષયતિધર્મવાળા તો જ્ઞાત અને અજ્ઞાતપણે પણ એક ગામમાં એક માસ રહે. અપવાદનો આસરો લેતા નથી. તેથી અપવાદથી પણ શરીરની ચિકિત્સા કરાવતા નથી. ધર્મ સાંભળવા આવતા ભાવિકો ઉપર રાગ કરતા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ નથી. સાથે સાથે તેઓની પ્રત્યે “આવો, બેસો” વગેરે દાક્ષિણ્યતા કરતા નથી. નિરપેક્ષયતિ નિચ્ચે એષણા વગેરેના કારણ સિવાય કોઈની સાથે બોલતા નથી. રાત્રે અને દિવસે અપ્રમત્તપણે સાધના કરે. અર્થાત્ નિદ્રા વગેરે પ્રમાદન સેવે. મોટા ભાગે કાયોત્સર્ગ મુદ્રાએ ઉભા રહે, કોઈવાર બેસવું પડે તો ઉત્કટુંક આસને બેસે. આસન ઉપર ન બેસે. કારણ કે તેઓને ઔધિક ઉપકરણ હોય જ નહિ. ધર્મધ્યાનમાં સ્થિત એકાગ્ર હોય, ઉદ્ધતાદિ પાંચ પૈકી બે એષણાથી નિર્વાહ કરનારા હોય,વિશેષ આગળ જોયું છે. હવે આ ધર્મની પ્રરૂપણાનો ઉપસંહાર કરતાં કહે છે કેमूलम् - संक्षेपानिरपेक्षाणां, यतीनां धर्म ईरितः । ત્યુપ્રર્મિદનો, 1નોવિહારતઃ ૫૮ ' ' ગાથાર્થ : કષ્ટકારી પાલન કરવાનું હોવાથી અતિ ઉગ્ર(કઠોર)કર્મને પણ " બાળવામાં સમર્થ એવો નિરપેક્ષ સાધુઓનો ધર્મ અહીં આ રીતે સંક્ષેપથી કંધો. ટીકાનો ભાવાર્થ સ્પષ્ટ છે. ll૧૫૮ હવે સકળ શાસ્ત્રાર્થની (ગ્રંથની) સમાપ્તિ કરતાં કહે છે કેमूलम् - "इत्येष यतिधर्मोऽत्र, द्विविधोऽपि निरूपितः । તતઃ શાર્વેન ઘર્મસ્ય સિદ્ધિના નિરૂપામ્ પારn . ગાથાર્થ આ રીતે અહીં બંને પ્રકારનો યતિધર્મ જણાવ્યો, તેથી ધર્મનું નિરૂપણ સંપૂર્ણ સિદ્ધ થયું. ટીકાર્થ સ્પષ્ટ છે. આ રીતે પરમગુરુ ભટ્ટારક શ્રીવિજયાનંદસૂરિજીના શિષ્યરત્ન પંડિત શ્રી શાંતિવિજયગણિના ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત સ્વોપજ્ઞ ધર્મસંગ્રહ ભાગ-૨, ની ટીકામાં વર્ણવેલ સાધુધર્મનો સંક્ષેપમાં ગુજરાતી અનુવાદ (સારોદ્ધાર) પૂર્ણ થયો. / શ્રાવણ સુદ-૧૫, ૨૦૫૯ માલેગાંવ, ચંદનબાળા જેન ઉપાશ્રય. Page #322 -------------------------------------------------------------------------- ________________ (હારતા-સરિ, ખારીમાં शासन T શિ.સ 1et-ete, પોય મુt 1 6ৗধাৰাবাড়ী ભા) પાક શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળા (18) UOO સાહિત્ય સેવા H 100/ KHUSHI DESIGNS Mo.09227504555