SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ધર્મ ૨૪૯ વડીનીતિ - લઘુનીતિ અને જીર્ણવસ્ત્રોને જિનકલ્પી અનાપાત-અસંલોક વગેરે (પૂર્વે જણાવ્યા તે) દસ ગુણોવાળી ભૂમિમાં જ પરઠવે, દોષિતમાં નહિ. (૮) વસતિ : માસકલ્પ કે ચાતુર્માસકલ્પ માટે જ્યાં રહે તે ક્ષેત્રના છ ભાગ કહ્યું અને એક દિવસે જે ભાગમાં ભિક્ષા માટે ફરે ત્યાં પુન: સાતમા દિવસે ફરે. (૯) ક્યાં સુધી રહેશો ? (૧૦-૧૧) વડીનીતિ, લઘુનીતિ અમુક સ્થળે પરઠવવી, અમુક ભૂમિમાં નહિ. (૧૨) અવકાશ (અહીં બેસવું, અહીં નહિ વગેરે), (૧૩) તૃણ, પાટીયું વગેરે વાપરજોં અથવા ન વાપરશો, (૧૪) મકાનની રક્ષા, (૧૫) વસતિને સંસ્કારવી - સાફસુફ કે મરામત કરવી. (૧૬) બલિ તૈયાર થતો હોય તે વસતિમાં ન રહેવું. (૧૭-૧૮) અગ્નિ કે દીપક સળગતો હોય તેવી વસતિમાં ન રહેવું (૧૯) ગૃહસ્થની વસ્તુની રક્ષા કરવી અને (૨૦) કેટલા રહેશો ? એ દ્વારોમાં જો ગૃહસ્થ પૂછે, તેની પરાધીનતા હોય, તો તેવા સ્થાને જિનકલ્પી રહે નહિ, કારણ કે સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય ત્યાં જિનકલ્પી મહાત્મા ન રહે. માટે એટલાં ધારો જિનકલ્પીને નિષેધરૂપ સમજવાં. (૨૧-૨૨) ભિક્ષાચરી-વિહાર - આહાર અને વિહાર બંને ત્રીજા પ્રહરમાં જ કરે, કાળનું જ્ઞાન હોવાથી ચોથો પ્રહર શરૂ થતાં જ નિયમા, હોય ત્યાં અટકી જાય. (૨૩-૨૪) લેપાલેપ અને અલેપ : પૂર્વે કહેલી સાત પૈકી બે એષણાના અભિગ્રહપૂર્વક આહાર-પાણી અલેપતું મળે તો જ લે. (૨૫) આચાર્લીઃ વિગઈવાળાં અશનાદિ ન લે અને આયંબિલનાં પણ લેપકતું ન ગ્રહણ કરે. (૨૦) પડિમા - કોઈ સ્વીકારે નહિ, કારણકે જિનકલ્પ સ્વયં અભિગ્રહરૂપ છે. તેનું પાલન કરવાથી જ કૃતકૃત્ય થાય. (૨૭) માસકલ્પ: એક ક્ષેત્રના છ ભાગ કલ્પીને પ્રતિદિન એક એક ભાગમાં ફરે, કોઈ ક્ષેત્રાદિમાં એક દિવસ પણ મમત્વ ન કરે, માટે છેલ્લાં ત્રણ વારો પણ નિષેધ રૂપ સમજવાં. સિંહ, વાઘ, હિંસક પ્રાણી સામે આવે તો પણ માર્ગ છોડીને ઉજ્જડ માર્ગે ચાલી ઇર્યાસમિતિનો ભંગ ન કરે. હવે જિનકલ્પની સ્થિતિ (સ્વરૂપ) જણાવવા માટે કેટલાંક ધારો કહેવાય છે તે ઓગણીસ દ્વારા આ પ્રમાણે છે. (૧) ક્ષેત્ર : જન્મથી અને સદ્ભાવથી (જિનકલ્પ પ્રતિપન્ન) પંદરે કર્મભૂમિઓમાં હોય, સંકરણથી તો કર્મભૂમિ-અકર્મભૂમિમાં પણ હોય. (૨) કાલ : જિનકલ્પીનો જન્મ અવસર્પિણીના ત્રીજા-ચોથા-આરામાં જ હોય, વ્રતધારી (જિનકલ્પ પામેલા) તો ત્રીજાચોથા-પાંચમાં આરામાં પણ હોય. (અર્થાતું પાંચમા આરામાં જન્મેલો જિનકલ્પને સ્વીકારી ન શકે.) (૩) ચારિત્ર : પ્રથમ બે ચારિત્રવાળા હોય. (૪) કલ્પ : સ્થિતકલ્પમાં જ હોય. (૫) લિંગ : જિનકલ્પ સ્વીકાર કરતાં અવશ્ય દ્રવ્ય અને ભાવ બંને લિંગો હોય. સ્વીકાર્યા પછી અવશ્ય ભાવલિંગ હોય, દ્રવ્યલિંગ (રજોહરણાદિ ઉપકરણો) કોઈ હરણ કરી જાય
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy