________________
શ્રમણ ધર્મ
દેવા યોગ્ય વસ્તુ પૃથ્વી આદિ, અચિત્ત કે અચિત્ત વસ્તુમાં નાખીને, પાત્ર ખાલી કરીને તે પાત્રથી વહોરાવે તો સંહત દોષ લાગે. તેના (૧) સચિત્ત વસ્તુ સચિત્તમાં, (૨) સચિત્ત અચિત્તમાં, (૩) અચિત્ત સચિત્તમાં, (૪) અચિત્ત અચિત્તમાં નાખવારૂપ ચાર ભાંગામાંથી છેલ્લો ભાંગો શુદ્ધ જાણવો.
() દાયક : વહોરાવનાર દાયક જો બાળક, વૃદ્ધ, નપુંસક, કંપવાળો, તાવવાળો, અંધ, દારુ વગેરે પીવાથી મત્ત બનેલો, ઉન્માદી બનેલો, હાથે કે પગે બેડી વાળો, પગે પાદુકાવાળો, ખાંડતો, વાટતો, ભુંજતો (અનાજ સેકતો), રૂને કાંતતો, કપાસને લોઢતો, હાથ વડે રૂને જુદું કરતો, રૂનું પીંજણ કરતો, અનાજ વગેરે દળતો, વલોણું કરતો, ભોજન કરતો તથા છ કાયના જીવોની વિરાધના કરતો હોય, તો તેના હાથે લેવાનો નિષેધ છે.
વળી સ્ત્રીના ગર્ભના આઠ માસ પૂર્ણ થયા હોય, જેણે બાળક તેડેલું હોય, જેનું બાળક મહિના-બે મહિનાનું તદ્ન નાનું હોય તેવી સ્ત્રીના હાથે પણ સાધુને આહારાદિ લેવા કલ્પ નહિ. .
આ દાયકોમાં કોના હાથે કહ્યું-ન કલ્પ વગેરે ઉત્સર્ગ-અપવાદ આગળ ઉપર કહીશું. એમ જે દાયકના હાથે લેવાનો નિષેધ કર્યો હોય તેના હાથે લેવાથી દાયકદોષ લાગે.
(૭) ઉન્મિશ્ર : વહોરવાની ખાંડ વગેરે કથ્ય-અચિત્ત વસ્તુમાં અનાજના દાણા વગેરે સચિત્ત વસ્તુનું મિશ્રણ થયું હોય તો તેવી વસ્તુ લેવાથી ઉન્મિશ્ર દોષ લાગે.
(૮) અપરિણત : દાન દેવાની વસ્તુ પૂર્ણ અચિત્ત ન થતાં કોચી રહી હોય, તે અપરિણત કહેવાય. તે અકથ્ય છે, આના ભેદો-પ્રભેદો પિંડવિશુદ્ધિથી જાણી લેવા.
(૯) લિપ્ત દહિ, દુધ છાશ, શાક, દાળ, કઢી વગેરેથી હાથ-પાત્ર વગેરે ખરડાય-લેપાય, માટે તેવી વસ્તુઓ “લિપ્ત કહેવાય. ઉત્સર્ગ માર્ગે સાધુઓએ તેવું દ્રવ્ય લેવું નહિ. જેનાથી હાથ ન ખરડાય-લેપાય નહિ તેવા વાલ-ચણા વગેરે લેવા. કારણે તો લેપક લેવું પણ કલ્પ છે.
(૧૦) છર્દિત : દાતા ઘી-દૂધ વગેરે વસ્તુને ઢોળતો (છાંટો પાડતો) વહોરાવે તે છર્દિત કહેવાય. જીવવિરાધના સંભવિત હોવાથી અકથ્ય છે. મધુબિંદુના દષ્ટાંતથી શાસ્ત્રમાં વિરાધનાનો સંભવ બતાવેલો છે.
આ ગ્રહમૈષણાના દશ દોષ મળીને કુલ બેતાલીસ દોષો થયા. આ દોષ રહિત ૧૨. વારત્તપુર નગરમાં અભયસેન રાજાનો વારત્તક નામે અમાત્ય હતો, તેને ત્યાં સંયમમાં