SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૫) ઇર્ષ્યાલુ ઃ સ્ત્રીને ભોગવતાં કોઈ પુરુષને જોઈને જેને અતીવ ઇર્ષ્યા થાય તે. (૭) શકુની : વેદની અતિ ઉત્કટતાથી ચકલાની જેમ વારંવાર સ્ત્રી સેવવામાં જે આસક્ત હોય તે. ૧૦ (૭) તત્કર્મ સેવી : મૈથુનથી વીર્યપાત થવા છતાં કૂતરાની જેમ ‘જીહ્વાથી ચાટવું' વગેરે નિંદ્ય આચરણમાં સુખ અનુભવે તે. (૮) પાક્ષિકાપાક્ષિક : જેને શુક્લ પક્ષમાં અતીવ અને કૃષ્ણપક્ષમાં સ્વલ્પ કામવાસના જાગે તે. (૯) સૌગંધિક : સુગંધ માનીને સ્વલિંગને સુંઘે તે (૧૦) આસક્ત : મૈથુનથી વીર્યપાત થયા પછી પણ જે સ્ત્રીને આલિંગન દઈને પડ્યો રહે તે. આ દસે પ્રકારના પંડકાદિ નપુંસકો દીક્ષા માટે અયોગ્ય છે. અહીં કોઈને શંકા થાય કે દીક્ષા માટે જે પુરુષ અયોગ્ય છે, તેમાં નપુંસકનું ગ્રહણ કરેલ જ છે. તો પુન: દીક્ષા માટે અયોગ્ય નપુંસકો શા માટે બતાવ્યા ? આનું સમાધાન એ છે કે અયોગ્ય પુરુષોના વર્ણનમાં જે નપુંસકનું ગ્રહણ કર્યું છે તે પુરુષાકૃતિવાળા જાણવા અને અયોગ્ય નપુંસકના વર્ણનમાં નપુંસક તરીકે નપુંસક આકૃતિવાળા ગ્રહણ કરવા. આમ જ સ્ત્રીઓમાં પણ સ્ત્રી આકૃતિવાળી છતાં નપુંસુક અયોગ્ય સમજવી. શંકા : શાસ્ત્રોમાં તો નપુંસકના સોળ પ્રકારો જોવા મળે છે, તમે તો અહીં માત્ર દસ જ બતાવો છો ? તો શાસ્ત્રો સાથે વિરોધ નહીં આવે ? સમાધાન : ઉપર જણાવેલા દસ દીક્ષા માટે અયોગ્ય છે. જ્યારે શાસ્ત્રનિર્દિષ્ટ બાકીના છ દીક્ષા માટે યોગ્ય હોવાથી દસનું ગ્રહણ કરેલ છે. (૧) (ભવિષ્યમાં રાજાના અંત:પુરની ચોકી માટે કંચુકીપણાની નોકરી મળે વગેરે ઉદ્દેશથી) બાળપણમાં જ અંડકોષ ગાળી નાખ્યો હોય તેવા વર્દિતક. (૨) જન્મ વખતે જ જેનો અંડકોષ અંગુઠા-આંગળીઓ વડે મસળીને ગાળી નાખ્યો હોય તે ચિપ્પિટ. (૩) કોઈ સ્ત્રી કે પુરુષને મંત્રના બળે સ્ત્રી કે પુરુષવેદ નાશ થઈ નંપુસક વેદ પ્રાપ્ત થયો હોય તે
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy