SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મૂમ્ - વિધિના પુર્વનુજ્ઞાત - ગળ્યાવિપવપાનમ્ । तावद्यावच्च चरम-कालो न स्यादुपस्थितः । ।१४६ ।। ગાથાર્થ : વિધિપૂર્વક ગુરુએ આપેલા તે તે ગણિપદ વગેરે પદોનું પાલન ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી અંતકાળ નજીક ન આવે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : ગુરુએ (અનુજ્ઞાચાર્યે) આપેલા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક અને પ્રવર્તિની વગેરે જે જે પદો (અધિકારો) હોય, તેનું સુંદર પાલન યાવજ્જીવ અર્થાત્ અંત સમય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરવું. એમ કરતાં અંતે શું કરવું ? તે કહે છે કે મૂળમ્ - ૩પસ્થિતેઽથ તસ્મિન્તુ, સમ્યક્ સંòવનાકૃતિઃ । . सा चोत्कृष्टादिभेदेन, त्रिविधा गदिता जिनैः । ।१४७।। ગાથાર્થ : પછી તે અંતકાળ પ્રાપ્ત થતાં સુંદર સંલેખના ક૨વી. આ સંલેખના શ્રીજિનેશ્વરોએ ઉત્કૃષ્ટ વગેરે ભેદોથી ત્રણ પ્રકારે કહી છે. ટીકાનો સંક્ષેપભાવાર્થ : જેનાથી દેહ-કષાયો વગેરેંનું સંલેખન થાય અર્થાત્ શરીર-કષાય વગેરે જેનાથી ઘસાય ક્ષીણ થાય તેવી તપ:ક્રિયાને અંતિમ સમયે કરવી તે સાપેક્ષ યતિધર્મ છે. જો કે સઘળી તપની ક્રિયા કષાયો વગેરેને નિર્બળ કરનારી છે જ, તો પણ અહીં છેલ્લા સમયોમાં દેહનો ત્યાગ કરવા માટે કરાતી તપ:ક્રિયાને અન્યની અપેક્ષાએ વિશિષ્ટ સમજવી,' કારણ કે ગણિપદ વગેરેનું પાલન કર્યા પછી (ગચ્છના રક્ષણ-પાલનની જવાબદારી પૂર્ણ થતાં) સાધુઓને અભ્યાત વિહાર (જિનકલ્પ વગેરેનો સ્વીકાર) કરવો અથવા અભ્યુદ્ઘત મરણ (અનશન) સ્વીકારવું તે જ ઉચિત છે. તેમાં અભ્યાત વિહારનું સ્વરૂપ સાપેક્ષ યતિધર્મની પછી નિરપેક્ષયતિધર્મ તરીકે સ્વતંત્ર કહીશું. અભ્યઘતમરણ પ્રાય: સંલેખનાપૂર્વક હોવાથી પહેલા સંલેખના કહીશું. સંલેખના ગૃહસ્થ પણ કરી શકે છે. છતાં સાધુ-શ્રાવક બંનેને સમાન હોવાથી ગૃહસ્થધર્મમાં નહિ વર્ણવતાં સાધુધર્મના પ્રસંગે તેનું વર્ણન કર્યું છે. હવે તેના ભેદો કહે છે. (૧) ઉત્કૃષ્ટ સંલેખના : બાર વર્ષની આ પ્રમાણે છે - પહેલાં ચાર વર્ષો સુધી ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત અને અષ્ટમભક્ત વગેરે વિચિત્ર (ભિન્ન-ભિન્ન) તપને કરે અને પારણું સર્વ કામગુણવાળા (પાંચે ઇન્દ્રિયોને પોષક) અને ઉદ્ગમાદિ દોષોથી રહિત-વિશુદ્ધ આહારથી કરે. તે પછી બીજા ચાર વર્ષો સુધી તે જ રીતે વિચિત્ર (જુદો જુદો) તપ કરે. પરંતુ પારણું (વિગઈઓથી રહિત) નિવિના આહારથી કરે. તે પછીનાં બે વર્ષો સુધી એક દિવસ ઉપવાસ અને એક દિવસ આયંબીલ કરે. એમ
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy