________________
૧૨૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૩) વસ્ત્રતયા = બાલબુદ્ધિ(મૂઢતા)થી, અથવા બાલકપણાથી. (૪) મોહંતયા = મિથ્યાત્વ વગેરે મોહનીયકર્મના ઉદયને આધીન થવાથી. (૫) તથા = કાયાની મંદતા (જડતા)થી આલસથી. () ડનવા = ક્રીડાપ્રિયતાથી (કુતૂહલપણાથી). (૭) ત્રિગોરવાહતયા = રસ, ઋદ્ધિ અને શાતા, એ ત્રણ ગારવના ભારેપણાથી (મદથી). (૮) તુષાયોપાતે = ક્રોધાદિ ચાર કષાયોના ઉદયને વશ થઈને (૯) પશેન્દ્રિયોપવીત્તેન = સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોની આધીનતાના કારણે આર્તધ્યાનને વશ થઈને. (૧૦) પ્રત્યુતંત્રમારિક(ત) = વર્તમાનકાલીન કર્મોના ભારેપણાથી, (૧૧) સાતસીધ્યમનુષત્ર્યિતા = શાતાકર્મના ઉદયથી મળેલાં સુખોને ગૃદ્ધિથી ભોગવતાં, અર્થાત્ સુખમાં મનને આસક્ત કરવાથી. (એમ અગીયાર હેતુઓથી) સ્મિનું વા ભવે = વર્તમાન જન્મમાં, મજેવુ વા મવBરીપુ=અથવા ભૂતકાળના અને ભાવિકાળના જન્મોમાં, પ્રાણાતિપાત તો વા કરતો વા ત્રિયમાણે વા પરે: સમનુજ્ઞાત: = જે પ્રાણાતિપાત સ્વયં કર્યો, બીજાઓ દ્વારા કરાવ્યો અથવા બીજાઓએ સ્વયં કરતાં તેને મેં સારો માન્યો અર્થાતુ એમાં સંમત થયો; તં નિમિ પર્દામિ =તે પ્રાણાતિપાતને આત્મસાક્ષીએ મેં તે ખોટું કર્યું એમ નિંદુ છું. પરસાક્ષીએ “મેં તે અયોગ્ય કર્યું એમ મારી દુષ્ટતાને કબૂલ કરું છું. - ગહ કરું છું. તે નિંદા-ગ કેવી રીતે ? ત્રિવિયં ત્રિવિધેન = કરવાકરાવવા અને અનુમોદવારૂપ ત્રિવિધ પ્રાણાતિપાતને, મનસા વાવ કાન = મનવચન-કાયા એ ત્રણ યોગોથી (નિંદા-ગહ કરું છું.)
હવે ત્રણકાળ માટે પ્રાણાતિપાતનો ત્યાગ કરતો કહે છે કે- અતીત નિમિ = ભૂતકાલીન પ્રાણાતિપાતને નિંદુ છું. પ્રત્યુત્પન્ન સંવૃnfમ = વર્તમાનમાં પ્રાણાતિપાતને સંવરું (રોકું) છું. અને સનાત પ્રત્યાધ્યમ = ભવિષ્યમાં નહિ કરવાનું પચ્ચખાણ કરું છું. સર્વ પ્રાણાતિપાત = એમ સર્વ પ્રાણાતિપાતની નિંદા-સંવર અને પચ્ચકખાણ કરીને તેનો સૈકાલિક ત્યાગ કરું છું.
(હવે ભવિષ્યના પચ્ચખાણને જ વિશેષરૂપમાં કહે છે કે-) વાવઝીવનિશ્રિતોડë = જીવું ત્યાં સુધી આશંસા રહિત એવો હું, નૈવ સ્વયં પ્રVIન્ તિપતિયામિ, નૈવા. પ્રાણાતિપાતર્યામ, પ્રાણાતિપતિયતોડણવા સમન્નાનામિ = સ્વયં પ્રાણોનો નાશ નહિ જ કરું, બીજાઓ દ્વારા પ્રાણોનો નાશ નહિ જ કરાવું અને પ્રાણનાશ કરનારા બીજાઓને સારા નહિ માનું. આ પચ્ચખાણ કોની કોની સાક્ષી પૂર્વક કરે છે તે કહે છે કે – તથા ગર્દત્સાક્ષિ, સિદ્ધસંક્ષિ, સાધુસંક્ષિ, રેવસર્જિ, માત્મસિદ્ધ = તે પચ્ચક્કાણ આ પ્રમાણે કરું છું. (૧) અરિહંતોની સાક્ષીએ અર્થાત્ ત્યાં ત્યાં રહેલા તીર્થંકરાદિ પોતાના કેવલજ્ઞાનરૂપ ચક્ષુથી મારા આ પચ્ચખાણને પ્રત્યક્ષ દેખે છે,