SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વ્યાખ્યા : નમસ્તેભ્યઃ ક્ષમાશ્રમોમ્યો વૈરિવું વાષિત દાવશા, નિટિવ્ઝ માવત્ = તે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ ભગવત્ એવું આ શ્રી આચાર્યના રત્નોના ખજાના તુલ્ય બાર અંગોરૂપ શ્રુત અમોને આપ્યું છે તથા સભ્ય જાયેન स्पृशन्ति पालयन्ति पूरयन्ति तीरयन्ति कीर्त्तयन्ति सम्यगाज्ञयाऽऽराधयन्ति જેઓ સારી રીતે કાયાથી સ્પર્શ કરે છે = ભણવાના સમયે ગ્રહણ કરે છે, પાલન કરે છે = પુન: પુન: અભ્યાસ વડે રક્ષણ કરે છે, પૂર્ણ કરે છે = બિન્દુ-અક્ષર વિગેરેની ભૂલ સુધારે છે, તરે છે = યાવજ્જીવ યાદ રાખે છે, કીર્તન કરે છે = સમ્યક્ પ્રકારે શબ્દોચ્ચારણ કરે છે. અને આજ્ઞાના યથાર્થપાલન દ્વારા આરાધે છે. (તેઓને પણ ‘નમસ્કાર થાઓ’ એ અર્થ અહીં પણ જોડવો.) વળી અહં ચ નારાધયામિ તસ્ય મિથ્યા મે દુષ્કૃતમ્ હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતો તે તે દોષનું ‘મિથ્યાદુષ્કૃત' આપું છું. અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. = ૧૫૪ હવે મંગલ માટે શ્રુતદેવીની સ્તુતિ કહે છેસૂગ (૫) સેવવા માવડું, નાળવરળીયામ્મસંધાય । તેસિં અવેડ સયં, નેમિં સુવસાવરે મન્ની ।।।।” = વ્યાખ્યા : ભગવતી શ્રુતદેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને હંમેશાં ક્ષય કરો, કે જેઓને આ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રમાં વિનય અને બહુમાનરૂપ ભક્તિ છે. પાક્ષિકસૂત્રનો લેશમાત્ર અર્થ કહેવાયો. હવે જેમ મંગલપાઠકો કોઈ શ્રેષ્ઠકાર્ય પૂર્ણ થતાં રાજાનું બહુમાન કરતાં ‘હે રાજન્ ! આપનો ગયેલો કાળ સુંદર ગયો અને બીજો પણ એવો હિતકર સુંદર આવ્યો' વગેરે કહે છે તેમ સાધુઓ પણ ખામણા (ક્ષમાપના) સૂત્રથી ગુરુનો પાક્ષિક વિયનરૂપ ઉપચાર (સ્તુતિ) કરે છે, તે ખામણા સૂત્ર આ પ્રમાણે છે “इच्छामि खमासमणो ! पिअं च मे, जं भे ! हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्गजोगाणं सुसीलाणं सुव्वयाणं सायरियउवज्झायाणं ना ( णा ) णेणं दंसणेणं चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेण भे ! दिवसो पोसहो पक्खो वइक्कंतो, अन्नो (य) भे ! कल्लाणेणं पज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि ।। " ( " तुब्भेहिं समं' इति गुरुवचनम् ) ।। १ ।। વ્યાખ્યા : રૂર્ચ્છામિ = હું ખમાવવાની અભિલાષા કરું છું. અથવા ઇચ્છું છું. હે ! ક્ષમાશ્રમ[[: ! = હે પૂજ્ય ગુરુજી ! પ્રિયં ચ મમ = (હું ઇચ્છું છું) ‘અને મને પ્રિયમાન્ય પણ છે.’ (એમ કહેવાનું એ કારણ છે કે કોઈને કોઈ કારણે અપ્રિયની પણ ઇચ્છા થાય.) શું ? નં મે ! (થવું મવતાં=) જે આપનો (પર્વ દિવસ અને પક્ષ પૂર્ણ
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy