SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ = ગ્રંથસહિત, નિયુક્તિ સહિત અને સંગ્રહણી સહિત, એવા આવશ્યકમાં, (તેમાં માત્ર સૂચન કરવારૂપ-બીજ સ્વરૂપ જે પાઠ તે સૂત્ર જાણવું, વૃત્તિ તથા ટીકાથી જે વર્ણન કર્યું હોય તે અર્થ જાણવો, અખંડિત સૂત્ર અને અર્થ, એમ બંને પ્રકારનો પાઠ તેને ગ્રંથ કહેવાય. વિવિધ અનુક્રમણિકાદિ વિસ્તારયુક્ત હોય તે નિર્યુક્તિ અને બહુ અર્થનો જેમાં ગાથાબદ્ધસંગ્રહ કરેલો હોય તે સંગ્રહણી કહેવાય. આ દરેકથી યુક્ત આવશ્યકમાં શુ વા = વિરતિના અને જિનેશ્વરના ગુણોનું ઉત્કીર્તન રૂપ ગુણો (અહીં 'વા' પદ ઉત્તરપદનું જોડાણ બતાવવા માટે જ છે, પણ વિકલ્પ અર્થમાં નથી માટે) પાવા વા = અને ક્ષાયોપથમિક, ક્ષાયિકાદિ આત્માના ભાવો અથવા જીવાદિ પદાર્થો, ઈમિ: નવમ: પ્રજ્ઞા વી શ્રી અરિહંત ભગવંતોએ સામાન્યરૂપે કહ્યા છે. પ્રરૂપિતા (વા) = વિશેષરૂપમાં કહ્યા છે. તાન નવીન = તે ભાવોને, શ્રદૂખ = “આ એમ જ છે' એ રીતે સામાન્યથી શ્રદ્ધાગત કરીએ છીએ, પ્રતિપદ્યામ = પ્રીતિ . કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ, સૌરયામ: = તે ભાવોમાં આચરવાની અભિલાષા કરીએ છીએ, પૃપામ: =માત્ર તે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવોને સ્પર્શ કરીએ છીએ, પાક્યા: = રક્ષણ કરીએ છીએ અનુપયિામ: = વારંવાર તે ભાવોનું રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણોમાં અને ભાવોમાં શ્રદ્ધાને , પ્રતિપદમા, રોમ, સૃષિ, પાસ્ટયમિ, અનુપાત્રિય = ઉપર જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, આચરવાની અભિલાષા પૂર્વક સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરતા અમોએ મન્ત: પક્ષચ = આ પક્ષ (પખવાડીયા)માં, યજ્ઞવિતમ્ = બીજાઓને જે જે મૃત આપ્યું, પવિતમ્ = જે સ્વયં ભણ્યા, પરિવર્તિતમ્ = જે જે મૂલસૂત્રથી ગમ્યું (આવર્તન કર્યું), પૃષ્ઠમ્ = પૂર્વે ભણેલા સૂત્રાર્થ વગેરેમાં શંકા રહેલી તે પુછી, માણિતમ્ = વિસ્મરણના ભયે અર્થનું ચિંતન કર્યું અને અનુપાતિમ્ = ઉપર જણાવ્યા મુજબ ભણાવવા-ભણવાદિ કરવા વડે નિરતિચાર આરાધ્યું, ત૬ ૩:વક્ષયાય = તે અમોને દુ:ખોનું નાશક થશે, (કર્મ ક્ષય થયા વિના દુ:ખક્ષય થતો નથી, માટે કહે છે કે, કર્મક્ષયાય = જ્ઞાનાવરણીયાદિ કર્મોનું ઘાતક થશે. મોક્ષા = મોક્ષ માટે થશે, વયિત્રામાય = અન્ય જન્મમાં સદ્ધર્મની પ્રાપ્તિ કરાવશે, સંસાર ત્તાર = ભવભ્રમણથી પાર ઉતારશે, કૃતિ કૃત્વ = એ હેતુથી, સંઘ i વિહરામિ = તેને અંગીકાર કરતા અમે વિચારીએ છીએ. અન્તઃ પક્ષસ્થ ય વિતમ્ – હિતમ્ = પરિવર્તિત ન પૃ નાનુપ્રેક્ષિત નાનુપાછિત = આ પખવાડીયામાં જે ભણાવ્યું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન કર્યું નહિ, પૂછ્યું નહિ, અર્થ ચિંતન કર્યું નહિ અને એ રીતે યથાર્થ આરાધ્યું નહિ, તે પણ સતિ વ = શારીરિક બળ હોવા છતાં,
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy