SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કરનારા (ચારિત્ર મોહનીયાદિ) પાપકર્મોથી મુક્ત થવાથી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરીને મૂલ અને ઉત્તરગુણ રૂ૫ આચારોને માટે યોગ્ય બને છે. અર્થાત્ તેના સ્વીકાર કરવામાં અને પાલન કરવામાં સમર્થ બને છે. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજીએ પણ પોડશકઇ પ્રકરણમાં આ જ વાત કરી છે. (૧) ગુરુચરણની સેવા કરવામાં રક્ત (૨) દઢ સમ્યગ્દર્શનવાળા અને (૩) શ્રાવકના સમગ્ર આચારોના પરિપાલનથી પ્રગટેલા સંવેગના પરિણામવાળા જ્ઞાની આત્માઓમાં જ સાધુધર્મનું નિયોજન કરવાથી પ્રવ્રજ્યા શ્રેષ્ઠ બને છે. ૭૧// સાધુધર્મની યોગ્યતા માટેના ગુણો અને તે ગુણોનું સ્વરૂપ છે શ્લોકથી હવે જણાવાય છે. मूलम् :-आर्यदेशसमुत्पन्नः:, शुद्धजातिकुलान्वितः' । ક્ષીપ્રાપાડશુમવાર, તત પર્વ વિશુદ્ધથી આકરા 'दुर्लभं मानुषं जन्म, निमित्तं मरणस्य च । સપપ સુણ-દેતવો વિષયાસ્તથા ૭રૂા. संयोगे विप्रयोगश्च, मरणं च प्रतिक्षणम् । दारुणश्च विपाकोऽस्य, सर्वचेष्टानिवर्तनात्' ।।७४।। इति विज्ञातसंसार - नैर्गुण्यः स्वत एव हि । तद्विरक्तस्ततः एव, तथा मन्दकषायभाक् ।।७५ अल्पहास्यादि विकृतिः, कृतज्ञों विनयान्वितः । १"सम्मतश्च नृपादीना - मद्रोही सुन्दराङ्गभृत्३ ।।७६ ।। શ્રાદ્ધ સ્થિર" સમુસંપન્ન*િ : | भवेद्योग्यः प्रव्रज्याया, भव्यसत्त्वोऽत्र शासने ।।७७ ।। षड्भिः कुलकम् ।। ગાથાર્થ : (૧) જે આર્યદેશમાં જન્મેલો હોય, (૨) વિશુદ્ધ જાતિ-કુલવાળો હોય, (૩) અશુભ કર્મો જેના ઘણાં ક્ષીણ થયેલા હોય અને (૪) તેથી જેની બુદ્ધિ વિશુદ્ધ-નિર્મલ હોય, (૫) મનુષ્યપણું અતિદુર્લભ છે, જન્મ મરણનું નિમિત્ત છે, સંપત્તિઓ ચંચળ છે, વિષયો દુ:ખના કારણ છે, સંયોગોનો વિયોગ અવશ્ય છે, પ્રતિસમય (આયુષ્ય ઘટવારૂપ) મરણ ચાલું છે. અને અંતિમ મરણ વખતે સર્વ ચેષ્ટાઓ અટકી જવાથી તેનો વિપાક અતિ દારૂણ હોય છે. એ પ્રમાણે સ્વયં જ
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy