SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ विवाहचूलियाए अरुणोववाए वरुणोववाए गरुलोववाए धरणोववाए वेलंधरोववाए वेसमणोववाए देविंदोववाए उट्ठाणसूए समुट्ठाणसूए नागपरियावलियाणं निरयावलियाणं कप्पियाणं कप्पवडिंसयाणं पुप्फियाणं पुप्फचूलियाणं वण्हियाणं वण्हिदसाणं आसीविसभावणाणं दिट्ठिविसभावणाणं चारण (सुमिण) भावणाणं महासुमिणभावणाणं तेयग्गिनिसग्गाणं सव्वेसि पि एअंमि अंगबाहिरे જાહિદ્ માવંતે ” રોવું પૂર્વવત્ ।। ૧૫૦ ૫: વ્યાખ્યા : - नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितम् अङ्गबाह्यं कालिक्कं भगवत् તદ્યા = તે અમારા ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ ! કે જેઓએ આ ભગવત્ (ઐશ્વર્ય યુક્ત) અંગબાહ્ય કાલિકશ્રુત અમોને આપ્યું છે. તે શ્રુતનાં નામ આ પ્રમાણે છે. (૧) ઉત્તરાધ્યયનનિ = આચારાંગ સૂત્રની ઉપર ‘ઉત્તર’ એટલે વધારમાં કહેલાં ‘વિનય અધ્યયન’ વગેરે છત્રીસ અધ્યયનો વાળો ગ્રંથ તે ઉત્તરાધ્યયનાનિ. (૨) વાઃ = દસ અધ્યયનાત્મક ગ્રંથ, જેનું પ્રસિદ્ધ નામ દશાશ્રુતસ્કંધ છે. (૩) = સ્થવિરકલ્પિકાદિ સાધુઓના આચારનો પ્રતિપાદક ગ્રંથ તે કલ્પ. (૪) વ્યવહાર: = પ્રાયશ્ચિત્ત સંબંધી વ્યવસ્થાને જાણવાનારો ગ્રંથ તે વ્યવહાર (૫) ૠષિમાષિતાનિ અહીં ઋષિઓથી પ્રત્યેકબુદ્ધ સાધુઓ લેવા. તે શ્રીનેમિનાથપ્રભુના તીર્થમાં ‘નારદ’ વગેર વીસ, શ્રી પાર્શ્વનાથસ્વામિના તીર્થમાં પંદર, શ્રીવર્ધમાનસ્વામીના તીર્થમાં દસ, એમ કુલ પીસ્તાલીસ ઋષિઓના કહેલા ‘શ્રવણ’ વગેરે તે તે વિષયનાં પીસ્તાલીસ અધ્યયનો તે ‘ઋષિભાષિતાનિ’ જાણવાં. (૬) નિશીયઃ = નિશીથ એટલે મધ્યરાત્રી, તેમાં જેમ વસ્તુ ગુપ્ત ૨હે તેમ ગુપ્ત રાખવા યોગ્ય રહસ્યભૂત અધ્યયન તે ‘નિશીથ’ અર્થાત્ શ્રીઆચારાંગસૂત્રની પાંચમી ચૂલિકા. આ (લઘુ) નિશીથની અપેક્ષાએ મૂળ ગ્રંથ અને અર્થ જેમાં મહાનુ છે તે. (૭) મહાનિશીયઃ = ‘બુદ્ નિશીથસૂત્ર' (૮) નવ્રૂદ્દીપપ્રાપ્તિઃ = જેમાં જંબુદ્વીપ વગેરેનું સ્વરૂપ બતાવેલું છે તે. = = (૯) ચન્દ્રપ્રજ્ઞપ્તિ: = ચંદ્રનું પોતાના માંડલામાં જે પરિભ્રમણ, તેને જણાવના૨ો ગ્રંથ તે ચન્દ્રપ્રજ્ઞપ્તિ. (૧૦) સૂર્યપ્રકૃતિઃ = સૂર્યનાં માંડલા અને તેનું પરિભ્રમણને જણાવનારો ગ્રંથ. (૧૧) દ્વીપસારપ્રકૃતિઃ = અસંખ્યાતા દ્વીપો અને અસંખ્યાતા સમુદ્રોનું જેમાં વર્ણન છે તે ગ્રંથ (૧૨) ક્ષુદ્ધિના વિમાનપ્રવિત્તિ: (૩) મહતી વિમાનપ્રવિમવિત: = વૈમાનિક દેવોનાં શ્રેણીગત અને પ્રકીર્ણક વિમાનોનો વિભાગ જેમાં વર્ણવ્યો છે તે. એક ‘લઘુવિમાનપ્રવિભક્તિ' અને બીજાં વધારે સૂત્રો તથા અર્થવાળી તે ‘મોટી વિમાન પ્રવિભક્તિ.' (૧૪) અાવૃત્ઝિાઃ = શ્રી આચારાંગ વગેરે અંગસૂત્રોની ચૂલિકાઓ તે અંગચૂલિકા અર્થાત્ મૂળગ્રંથમાં કહ્યા ઉપરાંત વિશેષ અર્થનો સંગ્રહ જેમાં કરેલો હોય તે ‘ચૂલિકા’ જાણવી. (૧૫) વર્ણવૃત્ઝિા = વર્ગ એટલે અધ્યયન વગેરેનો સમૂહ, જેમકે શ્રીઅંતગડદશાસૂત્રમાં આઠ વર્ગો છે, તેવા વર્ગો ઉપરની
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy