SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ધર્મ નિંદા કરવી. જિનમંદિર-મૂર્તિ-તીર્થોની અને પ્રભાવક ઓચ્છવ, મહોત્સવ વિગેરે ધર્મકાર્યોની નિંદા કરવી. (૪) સાધર્મિક વગેરે ચતુર્વિધ સંઘને ઉપદ્રવ કે તેના ધર્મકાર્યમાં અંતરાય કરવો. (૫) દર્શનાચારના આઠ આચારોનું પાલન ન કરવું. ચારિત્રની વિરાધના પણ પાંચ પ્રકારે છે. (૧) ચારિત્રની નિંદા (૨) ચારિત્રવાનું સાધુ-સાધ્વીની નિંદા (૩) ચારિત્રના ઉપકરણોની (અવિધિએ વાપરવાં વગેરે) આશાતના કરવી. (૪) ચારિત્ર લેનાર કે પાળનારને તે તે પ્રકારે અંતરાય કરવો (૫) ચારિત્રના આઠ આચારોનું સેવન ન કરવું. તથા ચરણસિત્તરી-કરણસિત્તરી તથા અષ્ટ પ્રવચન માતાનું સમ્યગુ પાલન ન કરવું. “पडि० चउहिं कसाएहिं • कोहकसाएणं माणकसाएणं मायाकसाएणं लोभकसाएणं । पडि० चउहिं सन्नाहिं - आहारसन्नाए भयसन्नाए मेहुणसन्नाए परिग्गहसन्नाए । पडि० चउहिं झाणेहिं - अट्टेणं झाणेणं रुद्देणं झाणेणं धम्मेणं झाणेणं सुक्केणं झाणेणं । વ્યાખ્યા પ્રતિ વર્તાઃ પાયે ધવષયે માનપાન માયાજાયેન મવષાયેન જેનાથી કષ=સંસારનો આય=લાભ થાય તે કષાય. તેના ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકારો છે. તેમાં ક્રોધ અપ્રીતિરૂપ, માન અક્કડતારૂપ, માયા કપટકુટિલતારૂપ, લોભ જડ-વસ્તુઓમાં મૂચ્છરૂપ છે. એ ચારેયનો ઉદય થતાં પહેલાં ઉદય નહિ અટકાવવાથી અને ઉદયમાં આવેલા એ ચારેયને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે. (કષાયનું સ્વરૂપ ઉત્તરભેદો, સ્થિતિ અને ફળ વગેરે અન્ય ગ્રંથોથી જાણી લેવાં.) એ કષાયોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ. પ્રતિ વત: સંજ્ઞામ: - કાદીરસંશયા, ભયસંશયા, મૈથુનસંશયા, પરિગ્રસંશય” સંજ્ઞા એટલે અનાદિ કાલથી આત્મા ઉપર રહેલું પૌદ્ગલિકવાસનાઓનું બળ. તેના ચાર ભેદો છે. (૧) સુધાવેદનીયકર્મના ઉદયથી થતી આહારની અભિલાષા તે આહારસંજ્ઞા (૨) ભયમોહનીયકર્મના ઉદયથી ભય લાગે તે ભયસંજ્ઞા. (૩) વેદમોહનીય કર્મના ઉદયથી મૈથુન (ભોગ)ની અભિલાષા તે મૈથુનસંજ્ઞા. (૪) તીવ્રલોભના ઉદયથી જેડ પદાર્થોમાં જે મૂચ્છ (મમત્વ) તે પરિગ્રહસંજ્ઞા (શાસ્ત્રોમાં સંજ્ઞાના દશ, સોળ વગેરે ભેદો કહ્યા છે તે અન્યગ્રંથોથી જાણી લેવા.) એ સંજ્ઞાઓને વશ થવાથી જે અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ. પ્રતિ- વતર્વિવથામ: - સ્ત્રી થયા, મોનનાથયા, દેશથયા, રાખેથયા, વિપરીત વાતોને વિકથા કહેવાય છે. અર્થાત્ સ્વભાવમાંથી વિભાવમાં લઈ જનારી વાતોને વિકથા કહેવાય છે. (૧) સ્ત્રી કે પુરુષ સંબંધી કામોત્તેજક વાર્તાલાપ કરવો તે સ્ત્રીકથા.” (૨) બળ-રૂપ-સ્વાદ વગેરેને ઉદ્દેશીને
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy