SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ मूलम् - "अप्राप्तोऽनुक्तकायादि - रज्ञातार्थोऽपरीक्षितः । અનુપસ્થાપનીયોડાં, ગુરુ પાપમUT T૨૦૮ના ગાથાર્થ : જે ઉપસ્થાપના માટે કહેલા દીક્ષા પર્યાયને પામ્યો ન હોય, જેને પૃથ્વીકાયાદિ છકાય જીવોનું, મહાવ્રતોનું અને તેના અતિચાર વગેરેનું જ્ઞાન આપ્યું ન હોય કે આપવા છતાં તે તે અર્થને જે સમજ્યો ન હોય અથવા સમજવા છતાં જેની પરીક્ષા ન કરી હોય, તેવા શિષ્યની ઉપસ્થાપના પાપભીરુ ગુરુએ નહિ કરવી. ટીકાનો સંક્ષેપભાવાર્થ ઃ ઉપસ્થાપનાને (મહાવ્રતોને ઉચ્ચરાવવા માટે) અયોગ્ય સાધુનું વર્ણન કરતાં કહે છે કે - જેનો દીક્ષા પર્યાય ઓછો હોય, દીક્ષા પર્યાય પૂર્ણ થવા છતાં જેને શકય જીવોનું સ્વરૂપ, મહાવ્રતો, વ્રતોના અતિચાર, ચરણ અને કરણ સિત્તરી વગેરેનું જ્ઞાન ન અપાયું હોય અથવા અપાયા છતાં જે સમજ્યો ન હોય અને સમજ્યો હોય તો તેનામાં વ્રતોનું પાલન કરવાનો પરિણામ પ્રગટ્યો છે કે નહિ, એ માટે પરીક્ષા ન કરાયો હોય, તે પણ ઉપસ્થાપનાને અયોગ્ય સમજવો, કારણ કે પકાયાદિના જ્ઞાન અને વ્રતપાલનની પરિણાતિ પ્રગટ્યા વિના ચારિત્ર પાળી શકાય જ નહિ. અયોગ્ય શિષ્યને પાપભીરુ ગુરુએ મહાવ્રતો ઉચ્ચરાવવાં નહિ, કારણ કે આવા અયોગ્ય શિષ્યમાં ઉપસ્થાપના કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, વ્રતાદિની વિરાધના અને મિથ્યાત્વાદિ દોષો લાગે છે. આ ઉપસ્થાપનાની જઘન્યા, મધ્યમ અને ઉત્કૃષ્ટા એમ ત્રણ ભૂમિકાઓ છે. જઘન્યા ભૂમિકા સાત રાત્રિ-દિવસની, મધ્યમા ચાર મહિનાની અને ઉત્કૃષ્ટ છે મહિનાની. તેમાં પૂર્વે બીજા ક્ષેત્રમાં (અન્ય ગચ્છમાં) દીક્ષિત થયેલો હોય તેવા જુના દીક્ષિતને તો (ષકાયાદિના જ્ઞાનથી યુક્ત હોય એ કારણે) ઇન્દ્રિઓનો વિજય કરવા માટે જઘન્યા ભૂમિ અને બુદ્ધિથી હીન-અશ્રદ્ધાળુ એવા શિષ્યને માટે ઉત્કૃષ્ટા ભૂમિ સમજવી. મધ્યમા પણ બોધિ વિનાના અશ્રદ્ધાળુ માટે જ સમજવી. પણ પૂર્વે કહેલી જઘન્યાની અપેક્ષાએ તે મોટી અને ઉત્કૃષ્ટાની અપેક્ષાએ ઓછી (ટુંકી) હોય એમ ભેદ સમજવો. પરિણતબુદ્ધિવાળા નૂતનદીક્ષિતને પણ ઇન્દ્રિયજય કરવા માટે મધ્યમા ભૂમિ જ સમજવી. સ્વયોગ્યભૂમિને પ્રાપ્ત ન થયેલાની ઉપસ્થાપના કરવાથી કે પ્રાપ્ત થયેલાની નહિ કરવાથી ગુરુને મોટો દોષ લાગે છે. ભૂમિને પ્રાપ્ત-અપ્રાપ્તિ એવા પિતા-પુત્ર વગેરેનો કલ્પ ભાષ્યમાં કહેલો ક્રમ, પંચવસ્તુક ગ્રંથથી જાણી લેવો. સામાન્યથી પિતા અને પુત્ર સાથે દીક્ષા લીધી હોય અને બંને ઉપસ્થાપનાને યોગ્ય હોય તો, તે
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy