SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પ્રશ્ન : આજીવિકાની વ્યવસ્થા કરવા છતાં મોહના કારણે માતા-પિતાની આજ્ઞા મળતી ન હોય તો શું કરે ? ઉત્તર : તો માતા-પિતાનો ત્યાગ કરે. ૧૮ કહેવાનો આશય એ છે કે ઉપરોક્ત ઉપાયો કરવા છતાં માતા-પિતાદિ આજ્ઞા ન આપતાં હોય તો જેમ રોગથી પીડાતા માતા-પિતાદિને અટવીમાં છોડીને સુપુત્ર શહેરમાં ઔષધ લેવા અને પોતાના નિર્વાહ માટે જાય, કારણ કે તેવી જ રીતે માતાપિતાદિને વ્યાધિમાંથી મુક્ત કરી શકાય તેમ છે. તેથી સુપુત્રએ અટવીમાં માતા-પિતાદિનો જે ત્યાગ કર્યો, તે વાસ્તવમાં ત્યાગ નથી. પરંતુ તે પુત્રની ઉત્તમતા છે અને જો તે વખતે ત્યાગ ન કરે તો (અર્થાત્ તેમને અટવીમાં મૂકીને ઔષધ લેવા ન જાય તો) ઉપચારના અભાવે માતા-પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે તેથી ત્યાગ ન કરવા છતાં વાસ્તવમાં ત્યાગ જ થાય છે. તેવી જ રીતે આ સંસારરૂપી અટવીમાં આવી પડેલો શુક્લપાક્ષિક જીવ માતાપિતાદિની સાથે ઘ૨માં ૨હે અને તેમનો ત્યાગ ન કરે તો, મોહનીય કર્મના ઉદયરૂપ રોગથી પીડાતા માતા-પિતાદિ અવશ્ય સમ્યક્ત્વરૂપી ઔષધ વિના વિનાશ પામશે. સંસારમાં રખડશે. અને જો તેમનો ત્યાગ કરશે તો પોતાના ચારિત્રનો નિર્વાહ થશે અને અવસરે અવસરે માતા-પિતાદિને ઉપદેશાદિ દ્વારા સમ્યક્ત્વરૂપી ઔષધનું સેવન કરાવશે કે જેના યોગે માતા-પિતાદિનો મોહનીય કર્મના ઉદયરૂપી રોગ વિનાશ પામશે. આમ સમ્યક્ત્વરૂપી ઔષધ માટે કરાતો ત્યાગ પણ ત્યાગ નથી. કારણ કે તેના દ્વારા જ સંસાર પરિભ્રમણ અટકવાનું છે. આ રીતે માતા-પિતા ઉપર પારમાર્થિક ઉપકાર કરવો તે સત્પુરુષોનો ધર્મ છે. આ વિષયમાં ભગવાન શ્રી મહાવીરદેવ દૃષ્ટાંતરૂપ છે. કારણ કે જેનાથી અકુશલકર્મોનો અનુબંધ (પરંપરા) ચાલે તેવા માતા-પિતાદિના શોકને તેઓશ્રીએ ટાળ્યો હતો. આ રીતે પ્રવ્રજ્યા માટે તૈયારી કરી ગુરુને પોતાનો ભાવ જણાવવો. અર્થાત્ ગુરુને પોતાનું જીવન સમર્પિત કરવું. આ રીતે દીક્ષા લેનારનું કર્તવ્ય કહ્યું. હવે દીક્ષા આપનારનું કર્તવ્ય કહે છે. ઉત્તમ ધર્મકથાને સાંભળીને આકર્ષિત થયેલો ભવ્યાત્મા, દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે ગુરુએ તેને પુછવું કે-હે વત્સ ! તું કોણ છે ? શા માટે દીક્ષા લેવા માટે ઇચ્છે છે ? તેના જવાબમાં જો તે કહે કે ... ‘હે ભગવન્ ! હું કુલપુત્ર છું. અમુક નગરનો છું અર્થાત્ આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ છું. અને સઘળાં અશુભ(કર્મો)ની ખાણ સમાન સંસાર રૂપ
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy