SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ સમજવું. સમિતિ-ગુપ્તિ વગેરેના પાલનમાં સહસાત્કારથી કે ઉપયોગના અભાવે પ્રમાદથી ભૂલ થાય ત્યારે ગુરુની સન્મુખ આલોચના કર્યા વિના પણ મિથ્યાદુષ્કૃત દેવારૂપ આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. (૩) મિશ્ર : ઉપરોક્ત આલોચના અને પ્રતિક્રમણ ઉભય જેમાં હોય તે પ્રાયશ્ચિત્તને મિશ્ર કહ્યું છે. તેમાં પ્રથમ ગુરુની સમક્ષ અતિચારની આલોચના કરે, પછી ગુરુના આદેશથી મિથ્યાદુષ્કત આપે. આ પ્રાયશ્ચિત્ત ઇષ્ટાનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ વગેરેનો સંશય હોય તેને સમજવું. પણ રાગ-દ્વેષ વગેરે કાર્યોનો નિશ્ચય હોય તેને છઠું “તપ” પ્રાયશ્ચિત્ત આવે. (૪) વિવેક દોષવાળાં આહાર પાણી, ઉપકરણ, વસતિ વગેરેનો ત્યાગ કરવો (નહિ વાપરવાં) તેને વિવેક કહ્યો છે. આ વિવેકપ્રાયશ્ચિત્ત, સમ્યગુ ઉપયોગપૂર્વક “આ વસ્તુ શુદ્ધ છે એમ સમજીને લેવા છતાં લાવેલી આહારાદિ વસ્તુ “અશુદ્ધ છે એમ પાછળથી સમજાય, ત્યારે તેનો પાછળથી ત્યાગ કરવાથી થાય છે. ઉપલક્ષણથી (પૂર્વે પિંડવિદ્ધિમાં જણાવ્યાં તે) ક્ષેત્રાતિકાન્ત, કાલાંતિકાત્ત વગેરેનો પણ ત્યાગ કરવો તે સર્વે વિવેક પ્રાયશ્ચિત્ત સમજવું. (૫) વ્યુત્સર્ગ ઉપરોક્ત દોષિત (અષણીય) વગેરેનો ત્યાગ, ગમન-આગમન, સાવધસ્વપ્નદર્શન, નાવડીથી જળાશય ઉતરવું, વછનીતિ-લઘુનીતિ પરઠવવી, વગેરે પ્રવૃત્તિ કર્યા પછી વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારનો ત્યાગ (કાયોત્સર્ગ) કરવો તેને વ્યુત્સર્ગ કહ્યો છે. () તપ છેદગ્રંથોમાં અથવા તકલ્પમાં કહ્યા પ્રમાણે જે જે તપથી (જે અતિચારોની) શુદ્ધિ થાય તે તે તપ આલોચકને આપવું અને તે પ્રમાણે તેણે કરી આપવું, તેને તપપ્રાયશ્ચિત્ત સમજવું. આ પ્રાયશ્ચિત્ત સચિત્ત પૃથ્વી આદિનો સંઘટ્ટો (વગેરે) થાય ત્યારે જઘન્યતયા નીવિથી આરંભીને ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ સુધીનું અપાય છે. (૭) છેદ તપ પ્રાયશ્ચિત્ત આપવા છતાં સુધરે તેમ ન હોય તેવા સાધુના પાંચ અહોરાત્ર, દશ અહોરાત્ર વગેરે ક્રમથી ચારિત્ર પર્યાયનો છેદ કરવૅ (પર્યાયને ઘટાડવો), તે છેદપ્રાયશ્ચિત્ત જાણવું. જે આત્માને તપપ્રાયશ્ચિત્તથી સુધારી ન શકાય, તેવો ક્લિષ્ટ (અર્હમાદિ) તપ કરવામાં પણ સમર્થ સાધુ તપથી ઉલટો ગર્વ કરે કે “ભલેને ગમે તેટલો તપ કરાવે એથી મને શું કષ્ટ છે ? એવાને અથવા તપ કરવામાં અસમર્થ, એવા ગ્લાન વગેરેને અથવા વિના કારણે અપવાદ માર્ગને
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy