SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ધર્મ ભાવાનુવાદ : મનથી વિચારીને (રહેવા-વાપરવા માટેના સ્થાનરૂ૫) અવગ્રહ યાચવો. અવગ્રહના (૧) ઇન્દ્રનો, (૨) રાજાનો, (૩) ગૃહપતિનો, (૪) મકાન માલિકનો અને (૫) સાધુનો, એમ પાંચ પ્રકાર છે. એમાં પૂર્વ-પૂર્વના પ્રકારને પછીનો પ્રકાર બાધક છે. સૌધર્મેન્દ્ર (આપણા ભરતક્ષેત્રની અપેક્ષાએ) દક્ષિણ દિશાના અડધા લોકના અને ઇશાનેન્દ્ર ઉત્તર દિશાના અડધા લોકના અધિપતિ છે રાજા એટલે ચક્રવર્તી, તેના છ ખંડો તે તેનો અવગ્રહ . ગૃહપતિ = અમુક દેશનો અધિપતિ (રાજા). તેનો જે દેશ તે તેનો અવગ્રહ. મકાનના માલિકનો અવગ્રહ તેનું મકાન. સાધુઓએ પહેલાં ૨હેવા વાપરવા માટે ગૃહસ્થ પાસેથી યાચેલું ઘર તે, તે સાધુઓનો અવગ્રહ આ વિષયમાં વિશેષ પ્રવચન સારોદ્વાર ગાથા-૬૮૩થી જાણવું. આ રીતે અવગ્રહોના પ્રકારો સમજીને યથાયોંગ્ય જેની પાસે જે અવગ્રહ માગવાનો હોય તેની પાસે તે માગવો. તેના માલિક પાસેથી યાચના કર્યા વિના રહેવાથી કે વા૫૨વાથી અદત્તાદાનનો દોષ લાગે છે. આ પ્રથમભાવના. (૨) માલિક એકવાર વસતિ આપે છતાં બિમારી વગેરે કા૨ણે વાપરતાં આપનારના ચિત્તમાં ક્લેશ ન થાય તે હેતુથી લઘુ-વડીનીતિ પરઠવવાનાં, પાત્ર રંગવા ધોવાનાં સ્થાનોની વારંવાર યાચના કરવી. આ બીજીભાવના. (૩) “આટલી ભૂમિ વગેરે અમારે ઉપયોગી છે, વધુ નહિ” આવો અમુક પ્રમાણમાં અવગ્રહનો દાતારની સાથે ક૨વો. નિશ્ચય કરવો તે ત્રીજીભાવના. (૪) પૂર્વે ઉપાશ્રયમાં આવીને રહેલા હોય તેવા સાધર્મિકોની (સાધુઓની) પાસે યાચના કરવી. તેઓ જેટલા અવગ્રહની અનુજ્ઞા આપે તેટલા અવગ્રહમાં જ રહેવાય, અન્યથા ચોરી ગણાય. આ ચોથી ભાવના. (૫) ગુરુની આજ્ઞા મળી હોય તેવા, ૪૨ દોષથી રહિત, દ્રવ્યાદિથી શુદ્ધ સાધુતામાં કલ્પે તેવાં જ આહારાદિ (ઉપલક્ષણથી ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ વગેરે લાવીને ગુરુ સમક્ષ આલોચના કરીને, ગુરૂ અનુમતિ આપે તે અને તેટલું માંડલીમાં બેસીને વાપરે તે પાંચમીભાવના. ચોથા મહાવ્રતની ભાવનાઓ... ૧૮૩ "स्त्रीषण्ठपशुमद्वेश्माऽऽसनकुड्यान्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात्, प्राग्रतस्मृतिवर्जनात् ।। स्त्रीरम्याङ्गेक्षणस्वाङग-संस्कारपरिवर्जनात् । પ્રળીતાટ્યશનત્યાત્ બ્રહ્મચર્ય તુ ભાવયેત્ ।। યો. શા. ૧-રૂ૦-રૂ।। ભાવાનુવાદ : (૧) સચિત્ત સ્ત્રી એટલે સાક્ષાત્ દેવી-માનુષી સ્ત્રી, અચિત્ત સ્ત્રી
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy