________________
શ્રમણ ધર્મ
૧૦૫
જ્યોતિષીઓ અને એક વૈમાનિક એમ કુલ ચારે નિકાયના ચોવીશ જાતિના દેવોના અસ્તિત્વાદિમાં અશ્રદ્ધાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ૦ પર્વશીત્યા મીવનમ: = પાંચ મહાવ્રતોના રક્ષણ માટે ભાવવાની પ્રત્યેકની પાંચ-પાંચ મળી પચીસ ભાવનાઓ, જેનું વર્ણન વ્રતાધિકારમાં (ગાથા-૧૧ની વ્યાખ્યામાં) કહીશું, તેનું પાલન નહિ કરવું' ઇત્યાદિથી જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.
“छव्वीसाए दशाकप्पववहाराणं उद्देसणकालेहिं, सत्तावीसाए अणगारगुणेहिं, अट्ठावीसाए आयारपकप्पेहिं, एगूणतीसाए पावसुअप्पसंगेहि, तीसाए मोहणीयठाणेहिं, एगतीसाए सिद्धाइगुणेहिं, વત્તીસી નો સંદેહિં ”
વ્યાખ્યા : ઉર્વિશાત્ય વ્યવહાર મુદ્દેશનë. = અહીં સૂત્રાદિના ઉદ્દેશસમુદ્દેશ અને અનુજ્ઞા માટે ગુરુને છ વંદન દેવાં, ત્રણવાર કાયોત્સર્ગ કરવો, ઇત્યાદિ શાસ્ત્રોક્ત (મોટા જોગની ક્રિયા કરવી તે ઉદ્દેશનકાળ જાણવો. તે દશાશ્રુતસ્કંધમાં દશ અધ્યયનોમાં દશ, કલ્પસૂત્રનાં દશ અધ્યયનોમાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાના છે, એમ છવ્વીસનું અધ્યયન (યોગ) કરતાં કાલગ્રહણાદિ ક્રિયા અવિધિએ કરવાથી (કે અશ્રદ્ધા-અસદ્ભાવાદિ સેવવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. સવંત્યાન પરશુળ = સાધુના સત્તાવીસ ગુણોનું પાલન વગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ૦તે ગુણો આ પ્રમાણે છે. (૧૬) રાત્રિભોજન વિરમણ સહિત છ વ્રતોનું પાલન, (૭-૧૧) પાંચે ઇન્દ્રિયોનો વિજય, (૧૨) ભાવશુદ્ધિ, (૧૩) પ્રત્યુપ્રેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, (૧૪) ક્ષમાનું પાલન, (૧૫) વૈરાગ્ય, (૧૬-૧૭-૧૮) મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો નિરોધ, (૧૯ થી ૨૪) છ કાય જીવોની રક્ષા (અહિંસા), (૨૫) વિનય-વૈયાવચ્ચ સ્વાધ્યાય વગેરે સંયમના વ્યાપારોનું સેવન, (૨૬) શીતાદિ પરિષહોની પીડાઓને સમભાવે સહન કરવી (ર૭) પ્રાણાંત ઉપસર્ગ પ્રસંગે પણ સમાધિ રાખવી. વિત્યા. મોવીરત્વે = આચાર એટલે ૧૦આચારાંગ સૂત્ર અને પ્રકલ્પ એટલે તેની જ પાંચમી ચૂલારૂપ “નિશીથ' નામનું અધ્યયન, એ બે મળીને “આચારપ્રકલ્પ' કહેવાય.
૧૯. આચારાંગના પચીસ અધ્યયનોનાં નામો આ પ્રમાણે છે.(૧) શસ્ત્રપરિજ્ઞા,(૨)લોકવિજય,(૩)
શીતોષ્ણીય, (૪) સમ્યક્ત, (૫) આવન્તીલોકસાર, (૯) ધૂત (કર્મધૂનન), (૭) વિમોહ, (૮) ઉપધાનશ્રુત,(૯) મહાપરિજ્ઞા,(૧૦) પિડેષણા,(૧૧) શયા, (૧૨) ઇર્યા, (૧૩)ભાષાજાત, (૧૪)વઐષણા, (૧૫) પાàષણા,(૧૬) અવગ્રહપ્રતિમા,(૧૭-૨૩)સ્થાન,નધિકી,ઉચ્ચાર પ્રશ્રવણ, શબ્દ, રૂપ,પરક્રિયા અને અન્યોન્યક્રિયા,એ સાત સપ્તિક (સત્તકીયાં), (૨૪)ભાવના, (૨૫) વિમુક્તિ. આમાં પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અને બીજાના સોળ છે.