________________
શ્રમણ ધર્મ
૯૧
ઉત્પાદનાદોષોથી અને શંકિત વગેરે એષણાદોષોથી દૂષિત લીધું. પરિમુક્ત વા યત્ર પરિપિતમ્ = લેવા છતાં જે પરઠવ્યું નહિ અથવા વાપર્યું એમ જે જે અતિચારો લાગ્યા હોય તસ્સ મિચ્છા મિ કુંડું = તે મારું પાપ મિથ્યા થાઓ.
હવે સ્વાધ્યાયાદિમાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે - “पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए, उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणयाए दुप्पडिलेहणयाए - अप्पमज्जणयाए दुप्पमज्जणयाए, अइक्कमे वइक्कमे अइआरे अणायारे, जो मे देवसिओ अइआरो कओ तस्स मिच्छा मि दुक्कडं ।।"
વ્યાખ્યા : “પ્રતિક્રમણ કરું છું.” કોનું પ્રતિક્રમણ ? તુષારું સ્વાધ્યાયસ્ય અરતિયા = દિવસનો અને રાત્રિનો પહેલો અને છેલ્લો એક-એક પ્રહર એમ ચાર વેળા સૂત્રનો સ્વાધ્યાય નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તથા ૩મામ્ = દિવસની પહેલી અને છેલ્લી બે પોરિસીમાં મcોપારસ = ભાંડ એટલે પાત્ર વગેરેની અને ઉપકરણ એટલે વસ્ત્ર વગેરેની પ્રત્યુક્ષિણ = સર્વથા નેત્રોથી નહિ જોવાથી, ડુપ્રત્યુવેક્ષણયા = જેમ તેમ (અસંપૂર્ણ-અવિધિથી) જોવાથી, મમિર્ઝનયા = સર્વથા રજોહરણ વગેરેથી પ્રમાર્જન નહિ કરવાથી અને દુષ્ટમાર્ગની = અવિધિથી (જેમ-તેમ) પ્રમાર્જના કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ તથા તમેતમેડતિવારેડના વારે = અતિક્રમ - વ્યતિક્રમ - અતિચાર અને અનાચાર કરવાથી ‘ા: મા વૈવસ: તિવારઃ કૃતઃ તમિથ્યા સુકૃતમ્' = “મેં સમગ્ર દિવસ દરમ્યાન જે અતિચાર કર્યો હોય તે મારું પાપ મિથ્યા થાઓ.” અતિક્રમ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) કોઈક આધાર્મિકાદિ વસ્તુ વહોરવા નિમંત્રણ કરે, તેને દોષિત જાણવા છતાં) સાંભળવાથી (નિષેધ નહિ કરવાથી) અતિક્રમ, (૨) તે (દોષિત વસ્તુ) વહોરવા માટે જતાં વ્યતિક્રમ, (૩) દોષિત છતાં તે વસ્તુ લેવાથી અતિચાર, (૪) તેનું ભોજન કરવા કોળીયો હાથમાં લેવાથી અનાચાર. આ રીતે અન્ય સર્વ કાર્યોમાં અતિક્રમાદિનું સ્વરૂપ સ્વયં સમજી લેવું.
હવે એકવિધ-દ્વિવિધ આદિ ભેદોથી પ્રતિક્રમણ કહે છે કે“पडिक्कमामि एगविहे असंजमे । पडि० दोहिं बंधणेहि-रागबंधणेणं दोसबंधणेणं । पडि० तिहिं दंडेहि-मणदंडेणं वयदंडेणं कायदंडेणं । पडि० तिहिं गुत्तीहिं - मणगुत्तीए वयगुत्तीए कायगुत्तीए । पडि० तिहिं सल्लेहि-मायासल्लेणं नियाणसल्लेणं मिच्छादसणसल्लेणं । पडि० तिहिं गारवेहि-इड्ढीगारवेणं रसगारवेणं सायागारवेणं । पडि० तिहिं विराहणाहि-नाणविराहणाए दंसणविराहणाए चरित्तविराहणाए ।