SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ કરવાના અભાવથી, અનુપદ્રવળતય = સર્વથા મરણ (અથવા અતિત્રાસ) નહિ કરવાથી, હિતકર-સુખકર વગેરે ગુણોને કરનારું છે.) વળી પણ આ પ્રાણાતિપાત વિરમણ વ્રત કેવું છે ? તે કહે છે કે મહાઈ, મહાપુનું મહાનુભાવ મહાપુરુષાનવી પશિવં પ્રશસ્ત = મહા અર્થવાળું, મહાગુણસ્વરૂપ મહામહિમાવાળું, તીર્થકરાદિ મહાપુરુષોએ આચરેલું, તીર્થંકરાદિ પરમર્ષિઓએ ઉપદેશેલું છે અને (સકલ કલ્યાણને કરનારું હોવાથી) પ્રશસ્ત છે. તે પ્રાણાતિપાત વિરમણ મને દુ:વૃક્ષયાય; કર્મક્ષયાય, મોક્ષાય, વોધિત્રામાય, સંસારોત્તરીય = દુ:ખોના ક્ષય માટે, કર્મ ક્ષય માટે, મોક્ષ માટે, સમ્યકત્વની પ્રાપ્તિ માટે અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતારવા સહાયક થશે. કૃતિ સ્વી = એ કારણથી ૩પમ્પ વિદામ = તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અંગીકાર કરીને નવકલ્પી સાધુના વિહારથી વિચરું છું. કારણ કે એ રીતે નહિ વિચરવાથી વ્રતનો સ્વીકાર વ્યર્થ થાય છે. - હવે છેલ્લે વ્રતસ્વીકારની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે – પ્રથને પ્રવૃત્ત મહત્રિતે ૩પસ્થિતોડસ્મિ સર્વ પ્રાણાતિપાત વિરમr = હે ભગવંત ! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો છું. સર્વથા પ્રાણાતિપાતની વિરતિનો સ્વીકાર કરું છું. અહીં “હે ભગવંત” એવું આમંત્રણ આદિમાં, મધ્યમાં અને અંતમાં, એમ ત્રણ વાર કર્યું છે, તેનાથી ગુરુને પૂછયા વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું. એમ કરવાથી આ વ્રતની આરાધના થાય છે એમ સમજવું. આ વ્રત લઈને તેની વિરાધના કરનારાઓને “પભવમાં નરકમાં જવું, અલ્પ આયુષ્યવાળા થવું, બહુરોગી થવું, કદરૂપા થવું વગેરે દોષો સમજવા. હવે બીજા મહાવ્રતને કહે છે. બીજા મહાવ્રતના આલાપકમાં પ્રથમ મહાવ્રતના આલાપકથી જે વિશેષ છે તે જ કહેવાશે.) "अहावरे दु (दो)च्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं, सव्वं भंते ! मुसावायं पञ्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव सयं मुसं वइ(ए)ज्जा-नेवन्नेहिं मुसं वायावि(वे)ज्जा मुसं वयंतेवि अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत् ___ "से मुसावाए चउव्विहे पन्नत्ते, तं जहा-दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ णं मुसावाए सव्वदव्वेसु, खित्तओ णं मुसावाए लोए वा अलोए वा, कालओ णं मुसावाए दिया वा राओ वा, भावओ णं मुसावाए रागेण वा दोसेण वा, जं मए इमस्स०" शेषं पूर्ववत् __ "मुसावाओ भासिओ वा भासाविओ वा भासिज्जंतो वा परेहिं समणुनाओ, तं निंदामि" ત્યાદ્રિ - "सव्वं मुसावायं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं मुसं वइ(ए)ज्जा नेवन्नेहिं मुसं वायावि(वे)ज्जा मुसं वयंते वि अन्ने न समणुजाणिज्जा, तं जहा" शेषं पूर्ववत् ।
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy