Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १२-१३, षष्ठ किरणे
३०५ પદકૃત્ય-વેદ રૂપ મોહના ઉદયના અભાવવાળા પુરુષે કરેલ (ચંત્ય-ગુરુ) વંદન આદિ કાલવર્તી શરીરસંયોગમાં આશ્રવના નિમિત્તપણાના અભાવના સૂચન માટે ‘વેદોદય હોયે છતે” એવું પદ મૂકેલ છે.
દેવ સંબંધી મૈથુન રૂપ આશ્રવના સંગ્રહ માટે “વૈક્રિય' આવું પદ મૂકેલ છે. મનુષ આદિ અબ્રહ્મના સંગ્રહ માટે “ઔદારિક આવું પદ મૂકેલ છે.
મૈથુન શબ્દનો સ્ત્રી-પુરુષના યોગમાં જ પ્રચૂર પ્રયોગ હોવાથી કર્મજન્ય બે પુરુષ કે બે સ્ત્રી આદિના વિલક્ષણ-વિચિત્ર સંયોગજન્ય અબ્રહ્માશ્રવના લક્ષણમાં અવ્યાપ્તિના વારણ માટે મૈથુન શબ્દને છોડી સામાન્યથી “શરીરસંયોગ એવું પદ મૂકેલ છે.
આ શરીરસંયોગ શબ્દનો પ્રયોગ, સ્ત્રી અને પુરુષના બંને પુરુષો અને બંને સ્ત્રીઓના વિલક્ષણ સંયોગનો લાભ-સ્વીકાર થાય છે.
અહીં વેદના ઉદયવાળા હોવા છતાં, અન્ય પ્રકારે પુરુષ આદિના સંયોગમાં અબ્રહ્માશ્રવના લક્ષણની અતિવ્યાપ્તિના વારણ માટે “વેદનો ઉદય છતે' એ વાક્યનો અર્થ “વેદના ઉદયથી જન્ય' એમ કરવો અને આનો સંબંધ સંયોગ શબ્દની સાથે કરવો. અર્થાત્ ઉપરોક્ત સંયોગ વેદના ઉદયથી જન્ય નહિ હોવાથી દોષ નથી.
શંકા - હાથ આદિનો સંઘટ્ટો આદિ પ્રકારથી એકને અબ્રહ્માશ્રવ નહિ જ થાય ને?
સમાધાન - સ્ત્રી અને પુરુષના રતિ માટે સંયોગ થતાં પરસ્પર કરેલ સ્પર્શના અભિમાનથી જેમ આશ્રવ છે, તેમ અહીં પણ હાથ વગેરેના સંઘટ્ટાથી સ્પર્શના અભિમાનની સમાનતા હોવાથી આશ્રવ છે.
જેમ એક પણ પિશાચથી વશીકૃત હોવાથી બે કહેવાય છે, તેમ એક પણ વેદના મોહના ઉદયથી પ્રગટ થયેલ કામ રૂપ પિશાચથી વશીકૃત હોવાથી બે છે, એમ સિદ્ધિ સમજવી.
अधुना कायाश्रवमाहशरीरचेष्टाजन्याश्रवः कायाश्रवः । १३ ।
शरीरेति । शरीरपदमौदारिकायसप्तकान्यतमपरं यथौदारिककाययोग औदारिकमिश्रकाययोगो वैक्रियकाययोगो वैक्रियमिश्रकाययोग आहारककाययोग आहारकमिश्रकाययोगः कार्मणकाययोगः, तत्र प्रथमद्वितीयौ तिर्यङ्मनुष्याणामेव, केवलिसमुद्घातकाले चाद्यः प्रथमाष्टमसमययोरिष्टः, द्वितीयः केवलिसमुद्धाते द्वितीयषष्ठसप्तमसमयेषु, तृतीयो नारकदेवानां तिर्यङ्मनुष्याणाञ्च विभूतिप्राप्तानाम्, चतुर्थ औदारिकेण सह ग्रहणकाले, देवनारकयोस्त्वपर्याप्तावस्थायाम् कार्मणेन सह, पञ्चम ऋद्धिप्राप्तस्य साधोरेव, षष्ठ औदारिकेण संह ग्रहणकाले, सप्तमः
१. वैक्रियमिश्रं ह्यौदारिकेण कार्मणेन वा सह भवति, तत्र कार्मणेन मिश्रं देवनारकाणामपर्याप्तावस्थायां प्रथमसमयादनन्तरं, पञ्चेन्द्रियतिर्यड्मनुष्याणाञ्च वैक्रियलब्धिमतां वैक्रियारम्भकाले वैक्रियपरित्यागकाले वा औदारिकेण मिश्रमिति भावः ॥ २. सिद्धप्रयोजनस्य चतुर्दशपूर्वविदः आहारकं परित्यज्य औदारिकमुपाददानस्याऽऽहारकं प्रारभमाणस्य वा भवतीति भावः ॥