Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૧૧-૧૨, સક્ષમ: નિ:
कोटीशतपृथक्त्वमिति यावत् । इदञ्च छेदोपस्थापनीयसंयतपरिमाणमादिमतीर्थकरतीर्थान्याश्रित्य सम्भवति, जघन्यन्तु सम्यङ् नावगम्यते, यतो दुष्षमान्ते भरतादिषु दशसु क्षेत्रेषु प्रत्येकं तदूयस्य भावाद्विंशतिरेव तेषां श्रूयते । केचित्पुनराहुः, इदमप्यादितीर्थकराणां यस्तीर्थकालस्तदपेक्षयैव समवसेयम्, कोटीशतपृथक्त्वञ्च जघन्यमल्पतरं उत्कृष्टञ्च बहुतरमिति ॥
(૩૬) પરિમાણદ્વાર
ભાવાર્થ - સામાયિક સંયતો, પ્રતિપદ્યમાન (સ્વીકારનાર)ની અપેક્ષાએ એક કાળમાં કદાચ હોય છે અને કદાચ નથી હોતા. જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક (૧), બે (૨) કે ત્રણ (૩) અને ઉત્કૃષ્ટથી બે (૨) હજારથી માંડી નવ (૯) હજાર સુધી હોય છે. પહેલાં સ્વીકારેલની અપેક્ષાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે હજાર ક્રોડથી માંડી નવ (૯) હજાર ક્રોડ થાય છે. છેદોપસ્થાપનીય સંયતો તો પ્રતિપઘમાનની અપેક્ષાએ કદાચ હોય છે અને કદાચ હોતા નથી. જ્યારે હોય છે, ત્યારે જધન્યથી એક (૧), બે (૨) કે ત્રણ (૩) અને ઉત્કૃષ્ટથી બસો (૨૦૦)થી માંડી નવસો (૯૦૦) સુધી હોય છે. પ્રત્તિપન્નની અપેક્ષાએ તો કવચિત્ નથી હોતા અને કવચિત્ જધન્યથી અને ઉત્કૃષ્ટથી બસો (૨૦૦) ક્રોડથી નવસો (૯૦૦) ક્રોડ હોય છે.
વિવેચન – ‘યાવન્તસહસ્રકોટિ' ઇતિ. બે (૨) હજાર ક્રોડથી નવ (૯) હજા૨ ક્રોડરૂપ સંખ્યા કોટિસહસ્ર પૃથ કહેવાય છે, એમ સમજવું.
૦ જો કે-સર્વ સંયતો તો આટલા જ માત્ર પ્રમાણવાળા હોઈ, સામાયિકનું આનું જ તેટલું પ્રમાણ હોયે છતે, બીજા સંયતનું માન લઈ અધિક સંયતોની શંકા થાય તો પણ હજા૨કોટિ પૃથકત્વને બે-ત્રણ આદિ કોટિ સહસ્રરૂપ કલ્પીને બીજાઓની સંખ્યાનો પ્રવેશ-સમાવેશ થવાથી કહેલ માનથી અધિક સંભવનો નિષેધ કરવો.
५४१
૦ ‘દ્વિશતાત્’ ઇતિ. બસો (૨૦૦) ક્રોડથી નવસો (૯૦૦) ક્રોડ સુધી, એવો અર્થ કરવો. અર્થાત્ કોટિશત પૃથ, એવું સમજવું. વળી આ છેદોપસ્થાપનીય સંયત પરિમાણ, પ્રથમ તીર્થંકરના તીર્થોની અપેક્ષાએ સંભવે છે, જઘન્ય તો સારી રીતે જણાતું નથી, કેમ કે-દુઃષમાને અંતે ભરત આદિ દશ (૧૦) ક્ષેત્રોમાં, દરેક ક્ષેત્રોમાં તે બે સંખ્યાનો ભાવ હોવાથી તેઓની વીશ (૨૦) સંખ્યા જ સંભળાય છે. વળી કેટલાક કહે છે કે-આ પણ આદિ તીર્થંકરોનો જે તીર્થંકાળ છે, તેની અપેક્ષાએ જ સમજવું, અને કોટિશત પૃથક્ત્વ જધન્ય-અલ્પત જાણવું અને ઉત્કૃષ્ટ-બહુતર એમ જાણવું. અર્થાત્ (૨૦૦) બસો ક્રોડ જઘન્ય અને (૯૦૦) નવસો ક્રોડ ઉત્કૃષ્ટ છે, એવો અર્થ જાણવો.
परिहारविशुद्ध्यादीनां परिमाणं विचारयति
परिहारविशुद्धिका अप्येवमेव, किन्तु प्रतिपन्नापेक्षया जघन्येनैको द्वौ त्रयः, उत्कर्षेण च द्विसहस्राद्यावन्नवसहस्त्रम् । सूक्ष्मसम्परायाश्च क्वचिन्न स्युः क्वचिच्च जघन्येनैको द्वौ त्रयः, उत्कृष्टतः क्षपकश्रेण्यामष्टोत्तरशतमुपशमश्रेण्यां चतुःपञ्चाशत्स्युः । प्रतिपन्नापेक्षया