Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 757
________________ ७२० तत्त्वन्यायविभाकरे चारित्रावारकस्य सम्यक्त्वावारकत्वानुपपत्तिस्तथा च सप्तविधं दर्शनमोहनीयमेकविंशतिविधञ्च चारित्रमोहनीयमिति वाच्यम्, अनन्तानुबन्धिभिरेव सम्यक्त्वे आवृते मिथ्यात्वस्य वैयर्थ्यांपत्तेः, आवृतस्याप्यावरणेऽनवस्थानात्, तस्माद्यथा कषायाणां केवलज्ञानानावारकत्वेऽपि कषायक्षयः केवलज्ञानकारणतयोच्यते तस्मिन् सत्येव तस्य भावात्, तथानन्तानुबन्धिषूदितेषु न मिथ्यात्वं क्षयोपशममुपयाति तदभावाच्च न सम्यक्त्वमिति सम्यक्त्वसहचार्युपशमादिगुणावारकत्वमनन्तानुबन्धिनां, सम्यग्दर्शनमोहनीयस्य क्वचित्सप्तविधत्वकथनन्तु सम्यक्त्वसहचारिगुणेषु सम्यक्त्वोपचारात् । देशविरत्यावारका अप्रत्याख्यानाः, सर्वविरतिघातिनः प्रत्याख्यानाः, संज्वलना यथाख्यातचारित्रावारकाः ।। કષાયમાર્ગણાના ભેદનું કથનભાવાર્થ - ક્રોધ-માન-માયા-લોભરૂપ ચાર કષાયમાર્ગણાઓ છે. વિવેચન - ચારમાં પ્રતિષ્ઠિત ક્રોધ છે. તથાપિ પોતે આચરેલ આલોક સંબંધી-પરલોક સંબંધી વિરુદ્ધઅનિષ્ટ કર્તવ્યને જાણી જ્યારે કોઈ એક, પોતાના જ ઉપર ગુસ્સો કરે છે, ત્યારે તે ૧-ક્રોધ “આત્મપ્રતિષ્ઠિત થાય છે. જયારે આક્રોશ આદિથી બીજો કોપની ઉદીરણા કરે છે, ત્યારે ખરેખર, તે બીજા ઉપર ક્રોધ થાય છે. તે ક્રોધ ૨-પરપ્રતિષ્ઠિત છે. જયારે કોઈ એક, તથા પ્રકારના અપરાધથી આત્મવિષયક-પરવિષયક ક્રોધને કરે છે, તે ૩-સ્વ-પર આશ્રિત ક્રોધ છે. જ્યારે પોતે દુષ્ટ આચરણ અને આક્રોશ વગેરે રૂપ કારણ વગર, કેવળ ક્રોધમોહનીયના ઉદયથી થાય છે, ત્યારે ખરેખર, તે ક્રોધ આત્મપ્રતિષ્ઠિત નથી; કેમ કે-બીજો પણ નિરપરાધી છે. એથી જ ઉભય પ્રતિષ્ઠિત નથી. એથી તે ક્રોધ ૪-“અપ્રતિષ્ઠિત તરીકે કહેવાય છે. એ પ્રમાણે માન વગેરે કષાયો પણ સમજવાં. વળી અનંતાનુબંધી આદિ ભેદો પહેલાં જ કહેલા છે. તેમજ આભોગ નિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્તના ભેદથી પણ તે કષાયો ચાર પ્રકારના છે. ૦ જયારે જેના અપરાધને સારી રીતે જાણી, પુષ્ટ અવલંબન તરીકે વ્યવહારથી કોપનું કારણ જાણી, અન્ય પ્રકારે શિક્ષા નથી થવાની; આ પ્રમાણે જોઈને કોપને કરે છે, ત્યારે તે કોપ “આભોગનિવર્તિત કહેવાય છે. ૦ જયારે એ પ્રમાણે જ તથાવિધ મુહૂર્ત-કાળવશે, ગુણ-દોષની વિચારણાથી રહિત-પરવશ બની કોપ કરે છે, ત્યારે તે કોપ “અનાભોગનિવર્તિત કહેવાય છે. ૦ ઉદયની અવસ્થા વગરનો ‘ઉપશાન્ત ક્રોધ' કહેવાય છે. છે કારણ વગર ઉદયની અવસ્થાવાળો ક્રોધ “અનુપશાન્ત' કહેવાય છે. १. शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्येषु ॥

Loading...

Page Navigation
1 ... 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814