Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 769
________________ ७३२ तत्त्वन्यायविभाकरे ૦ આવા-વિષય સંશ્લેષ (સંયોગ)રૂપ સંબંધના અભાવથી જ પેદા થનાર હોવાથી ‘ચક્ષુદર્શન'નું પૃથગુઅલગ કથન કરેલું છે. જેમ કે-ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારીરૂપે માનેલ છે. ૦ મનનું તો અપ્રાપ્યકારીપણું હોવાછતાં મનના અનુસારે-ઇસારે વર્તનારી પ્રાપ્યકારી ઇન્દ્રિયવર્ગની સંખ્યા ઘણી હોવાથી અચક્ષુદર્શનના અન્તર્ગત તે મન (મનોદર્શન) જાણવું. અથવા મન તો અનિન્દ્રિય છે. અનિયિ દર્શનનો સંગ્રહ અચક્ષુદર્શનપદથી થઈ શકે છે. (૩) અવધિદર્શન-અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી પ્રકટેલ અવધિદર્શનની લબ્ધિવાળા જીવનું અવધિદર્શન સઘળા રૂપીદ્રવ્યોમાં થાય છે, પરંતુ સર્વ પર્યાયોમાં નહીં, કેમ કે-શાસ્ત્રમાં, અવધિમાં ઉત્કૃષ્ટથી પણ એક વસ્તુમાં રહેલ સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોની વિષયતાનું કથન છે. જઘન્યથી તો તે અવધિના રસ-રૂપ-ગંધ-સ્પર્શરૂપ ચાર (૪) ગુણરૂપ પર્યાયો વિષય તરીકે છે. શંકા - પર્યાયો વિશેષ તરીકે કહેવાય છે. વળી દર્શન વિશેષના વિષયવાળું બની શકતું નથી, કેમ કેજ્ઞાન જ વિશેષના વિષયવાળું છે. તો કેવી રીતે અવધિદર્શનના વિષય તરીકે પર્યાયો થઈ શકે ? સમાધાન - તમારું કહેવું સત્ય છે, પરંતુ માટી વગેરે સામાન્ય ઘટ-શરાવ-ઢાંકણાં વગેરે પર્યાયોથી પણ તથારૂપે વિશિષ્ટ થાય છે. વળી તે એકાન્તથી ઘટ-શરાવ-ઢાકણું વગેરે પર્યાયો, માટી વગેરે સામાન્ય દ્રવ્યથી ભિન્ન નથી-અભિન્ન છે. મુખ્યથી સામાન્ય, દ્રવ્ય) ગૌણરૂપે-અપ્રધાનભૂત વિશેષો પણ આ અવધિદર્શનના વિષયો બને છે. (૪) કેવલદર્શન-કેવલદર્શન આવરણના ક્ષયથી પ્રકટેલ કેવલદર્શન લબ્ધિવાળા કેવલદર્શની જીવનું, સર્વ મૂર્ત-અમૂર્ત દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં સકલ દશ્ય પદાર્થની વિષયતા હોઈ પરિપૂર્ણરૂપ કેવલદર્શન હોય છે. જેિ પદાર્થો સામાન્યધર્મને ગૌણ કરી વિશેષ ધર્મ વિશિષ્ટરૂપે જ્ઞાનથી જણાય છે, તે જ પદાર્થો વિષમતાવિશેષધર્મોને ગૌણ કરી સમતા-સામાન્યધર્મોથી વિશિષ્ટ પ્રધાનરૂપે દર્શનથી ગમ્ય થાય છે-દેખાય છે, કેમ કેજીવનો સ્વભાવ છે.] મન:પર્યવજ્ઞાન તો તથા પ્રકારની ક્ષયોપશમની પટુતાથી સર્વદા મુખ્યતઃ પર્યાયોને જ ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે, માટે મન:પર્યવ સામાન્યદર્શન નથી. એથી મન:પર્યાયનું દર્શન કહેલું નથી. सम्प्रति लेश्यामार्गणाभेदमाख्याति - कृष्णनीलकापोततेजःपद्मशुक्लभेदेन षड् लेश्यामार्गणाः ।१५। कृष्णेति । लिश्यते प्राणी कर्मणा यया सा लेश्या, कृष्णादिद्रव्यसहकारबलेनात्मनः परिणामविशेषः । अत्र विशेषतो यद्वक्तव्यं तत्पूर्वमेवादर्शितम् ॥ હવે લશ્યામાર્ગણાના ભેદને કહે છેભાવાર્થ - કૃષ્ણ-નીલ-કાપોત-તેજ:-પા-શુકલના ભેદથી છ (૬) લેગ્યામાર્ગણાઓ છે.

Loading...

Page Navigation
1 ... 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814