Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४७८
तत्त्वन्यायविभाकरे शैक्षकादेरिति । आदिना तीर्थान्तरसंक्रामतो ग्रहणं तस्य हि चतुर्महाव्रतधारिणः पञ्चमहाव्रतारोपणं भवति । सातिचारस्वरूपमाचष्टे-खण्डितेति । मूलगुणहन्तुः पुनर्वतारोपणमित्यर्थः । उभयविधमपि छेदोपस्थापनं क्व भवतीत्यत्राह-उभयमपीति । चारित्रमिदं भरतैरावतेष्वाद्यन्ततीर्थंकरतीर्थयोर्भवति नान्यत्रेति भावः ॥
હવે છેદોપસ્થાપન નામક ચારિત્રને કહે છેભાવાર્થ – પૂર્વના પર્યાયનો ઉચ્છેદ છતે ઉત્તરપર્યાય આરોપણને યોગ્ય ચારિત્ર “છેદો પસ્થાન,” અને તે છેદોપસ્થાપન ચારિત્ર નિરતિચાર અને સાતિચારના ભેદથી બે પ્રકારનું છે. ભણેલા વિશિષ્ટ અધ્યયનના જાણકાર શૈક્ષક (નવદીક્ષિત) આદિમાં જે મહાવ્રતો આરોપિત કરાય છે, તે “નિરતિચાર છે.” મૂલગુણોને ખંડિત કરનારમાં ફરીથી વ્રતોનું આરોપણ “સાતિચાર છે. આ બંનેય ભેદવાળું ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થકાળમાં જ છે.
વિવેચન - સામાન્ય ઇત્વરકાલીન) સામાયિક (લઘુદીક્ષા)ના પર્યાયના ઉચ્છેદના ઉત્તરકાળમાં જે પ્રથમ સામાયિકચારિત્રની અપેક્ષાએ વિશુદ્ધતર સર્વ સાવદ્યયોગની વિરતિમાં રહેવું. વિવિક્ત-પૃથફ પૃથફ મહાવ્રતોનું આરોપણ તેને યોગ્ય જે ચારિત્ર, તે “છેદોપસ્થાપનીય ચારિત્ર' જાણવું.
[પ્રથમ જેટલા કાળ સુધી લધુદીક્ષા પાળી હોય, તે કાળને દીક્ષાનો નહિ ગણવો, તે પૂર્વપર્યાયનો છેદ કહેવાય છે. ઉપસ્થાપના એટલે ફરીથી પાંચ મહાવ્રતોની સ્થાપના ક્યાંથી દીક્ષાનો કાળ ગણાય, દીક્ષાપર્યાયની ગણતરી થાય, એવી રીતનું ફરીથી ગ્રહણ કરાતું ચારિત્ર, તે “છેદો પસ્થાપનીય' કહેવાય છે.]
લક્ષણ - પૂર્વપર્યાયના ઉચ્છેદપૂર્વક ઉત્તરપર્યાયના આરોપણયોગ્યત્વ છતે ચારિત્રપણું છેદોપસ્થાપનીય ચારિત્રનું લક્ષણ છે.
પદકૃત્ય - સામાયિક આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પૂર્વપર્યાય ઉચ્છેદન-આ પ્રમાણે કહેલ છે અને પૂર્વપર્યાય ચારિત્રનો જાણવો.
૦ નિરતિચાર સ્વરૂપને કહે છે કે-અહીં આદિ પદથી તીર્થાન્તરમાં સંક્રમણ કરનારનું ગ્રહણ છે. અર્થાત્ એક તીર્થંકરના શાસનના મુનિ, તેઓના નિર્વાણ બાદ બીજા તીર્થંકરના શાસનનાં ચારિત્રને અંગીકાર કરે, તે વખતે ચાર મહાવ્રતધારીમાં પાંચ મહાવ્રતોનું આરોપણ થાય છે, જેમ કે-શ્રી પાર્શ્વનાથસ્વામીના તીર્થમાં દીક્ષા લીધેલ કેશીશ્રમણ વગેરે મુનિઓએ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં પ્રવેશ કરતી વેળાએ ગ્રહણ કરેલું ચારિત્ર.
૦ સાતિચાર સ્વરૂપને કહે છે કે-મૂલગુણ મહાવ્રતોનું ખંડન-ભંગ કરનાર મુનિમાં ફરીથી મહાવ્રતોનું આરોપણ કરાય, તે “સાતિચાર છેદોપસ્થાપ્ય.” બંને પ્રકારનું પણ છેદો પસ્થાપન ચારિત્ર ક્યાં હોય છે? એના જવાબમાં કહે છે કે-આ છેદોપસ્થાપન ચારિત્ર ભરત-ઐરાવતક્ષેત્રોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના તીર્થમાં હોય છે, બીજે નહિ, એવો ભાવ જાણવો.
१. यथा पार्श्वनाथतीर्थाद्वर्धमानस्वामितीर्थं संक्रामतः पञ्चयामधर्मप्राप्तौ ॥