________________ 4 6 મૂળપ્રકૃતિઓમાં સ્થિતિ ઉદીરણાના સાઘાદિ ભાંગા મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ઉત્કૃષ્ટસંક્લેશમાં રહેલ મિથ્યાષ્ટિ કરે છે. થોડા સમય પછી તે અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરે છે. વળી કાલાંતરે તે ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરે છે. આમ સંક્લેશ-વિશુદ્ધિને અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા સતત બદલાતા રહે છે. તેથી તે બન્ને સાદિ અને અદ્ભવ છે. (i) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય = 3 :- ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિઅદ્ભવ છે. આ પ્રકૃતિઓની તે સિવાયની બધી સ્થિતિઉદીરણા તે અજઘન્ય સ્થિતિઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા થાય ત્યારે તેમની અજઘન્ય સ્થિતિઉદીરણા અધ્રુવ છે. આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુષ્ટ સ્થિતિઉદીરણાની જેમ સાદિ અને અધ્રુવ છે. | (i) નામ, ગોત્ર :- ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે નામ અને ગોત્રની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને ધ્રુવ છે. નામ અને ગોત્રની તે સિવાયની બધી સ્થિતિઉદીરણા તે અજઘન્ય સ્થિતિઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને નામ અને ગોટાની અજઘન્ય સ્થિતિઉદીરણા ધ્રુવ છે. ભવ્યને નામ અને ગોત્રની જઘન્ય સ્થિતિઉદીરણા કરે ત્યારે તેમની અજઘન્ય સ્થિતિ ઉદીરણા અધ્રુવ