Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 244
________________ ભિન્ન-ભિન્ન વેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની ભિન્નતા 2 27 ભિન્ન-ભિન્ન વેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની ભિન્નતા - સ્ત્રીવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર પહેલા નપુંસકવેદને ઉપશમાવે છે. પછી તે સ્ત્રીવેદને ઉપશમાવે છે. સ્ત્રીવેદોદયના ચરમ સમયે સ્ત્રીવેદના તે ચરમ સમયના દલિકો સિવાયના બધા દલિકો ઉપશાંત થઈ જાય છે. તે ચરમ સમયના દલિકોને ઉદય વડે ભોગવે છે. ત્યારે સ્ત્રીવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. પછી અવેદક થઈ પુરુષવેદ અને હાસ્ય દુને એકસાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. ત્યાર પછી પુરુષવેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની જેમ સ્ત્રીવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું. સ્ત્રીવેદોદયે કે પુરુષવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર જે સ્થાને નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરે છે તે સ્થાન સુધી નપુંસકવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર એકલા નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર પછી તે નપુંસકવેદ-સ્ત્રીવેદ બનેને સાથે ઉપશમાવે છે. નપુંસકવેદોદયના ચરમ સમયે સ્ત્રીવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. અને નપુંસકવેદના તે ચરમ સમયના દલિકો સિવાયના બધા દલિકો ઉપશાંત થઈ જાય છે. નપુંસકવેદના તે ચરમ સમયના દલિકો ઉદય વડે ભોગવાય છે. ત્યાર પછી નપુંસકવેદ સર્વથા ઉપશાંત થઈ જાય છે. પછી અવેદક થઈ પુરુષવેદ અને હાસ્ય 6 એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. ત્યાર પછી પુરુષવેદોદયે ઉપશમશ્રેણિ માંડનારની જેમ નપુંસકવેદોદયે ઉપશમશ્રેણિ માંડનાર માટે જાણવું. ૧૧માં ગુણઠાણેથી પ્રતિપાત :- ૧૧માં ગુણઠાણેથી જીવ બે રીતે પડે છે. તે આ પ્રમાણે - (1) ભવક્ષયથી :- ૧૧મા ગુણઠાણે જે જીવનું આયુષ્ય પૂરું થાય છે તે જીવ મરીને વૈમાનિક દેવલોકમાં જાય છે અને ત્યાં ૪થું

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298