Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 263
________________ 2 46 કરણકૃત દેશોપશમના અધિકાર દેવ થાય, કેમકે કોઈપણ આયુષ્ય ન બાંધ્યું હોય અથવા દેવાયુષ્ય બાંધ્યું હોય એવા જીવો જ ઉપશમશ્રેણિ માંડે છે. ૧૧મા ગુણઠાણેથી થતા પ્રતિપાતના વિશેષ વિવેચન માટે જુઓ અમે લખેલ “ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ 1' ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડી શકાય. જે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન માંડી શકે. જે એક ભવમાં એક વાર ઉપશમશ્રેણિ માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકે. આ કર્મગ્રન્થનો મત છે. આગમના મતે એક ભવમાં બેમાંથી એક જ શ્રેણિ હોય છે, એક ભવમાં બે શ્રેણિ ન હોય. (9) કરણકૃત દેશોપશમના અધિકાર વિશેષ પ્રકારના અધ્યવસાયથી થોડા કર્મદલિકોને ઉપશમાવવા, બધાને નહીં તે દેશોપશમના છે. દેશોપશમનામાં જીવ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ વડે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશને ઉપશમાવે છે. દેશોપશમનાથી ઉપશમેલા દલિકોમાં ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ અને સંક્રમકરણ પ્રવર્તે છે, શેષ કરણો પ્રવર્તતા નથી. અપૂર્વકરણ સુધીના બધા જીવો બધા કર્મોની દેશોપશમના કરે છે. દર્શન ૩ની ક્ષપણા ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીમાં થાય છે. દર્શન ૩ની ઉપશમના ૬ઢા ગુણઠાણે અને ૭મા ગુણઠાણે થાય છે. ૧લા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીમાં દર્શન ૩ની ક્ષપણાના કે ઉપશમનાના અપૂર્વકરણ સુધી દર્શન ૩ની દેશોપશમના થાય છે. પ્રથમ પરામિક સમ્યકૃત્વ પામતા મિથ્યાદષ્ટિને અપૂર્વકરણ સુધી મિથ્યાત્વમોહનીયની દેશોપશમના થાય છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કે ઉપશમના

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298