________________
૧૬
કલામૃત ભાગ-૫
કારતક વદ ૪, મંગળવાર તા. ૨૯-૧૧-૧૯૭૭.
કળશ–૧૫૪ પ્રવચન–૧૬૨
કળશ-ટીકા’ ‘નિર્જરા અધિકાર'(નો) ૧૫૪ (કળશ છે), છેલ્લો ભાગ છે ને ? ‘ભાવાર્થ આમ છે.” ત્યાંથી લ્યો. છે ? “ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાષ્ટિને જ્ઞાનની સૂધ રહેતી નથી.” શું કહે છે ? જે આત્મા ચૈતન્ય અને આનંદસ્વરૂપ (છે) એની જેને ખબર નથી અને એ પુણ્ય અને પાપના રાગાદિ ભાવ (થાય છે. એમાં એકત્વબુદ્ધિથી મિથ્યાદૃષ્ટિ થયો છે એને પરીષહ અને ઉપસર્ગ આવતાં શુદ્ધિ નહિ રહે. સૂધ-બુધ ઊડી જશે. છે ? જ્ઞાનની સૂધ રહેતી નથી.” છે ? ભાઈ ! જરી ઝીણી વાત છે. નિર્જરા અધિકાર' છે ને ?
આ આત્મા અંદર જ્ઞાનસ્વરૂપ નિત્ય ધ્રુવ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું દળ ! એનું જેને ભાન નથી અને જે પુણ્યપાપના ભાવ (થાય છે) એનું બંધન અને એનું ફળ (જે) સંયોગ (મળે” “એ મારા છે' એવી જેની બુદ્ધિ છે તે મિથ્યાષ્ટિ છે. એને આત્મા શું ચીજ છે એની એને ખબર નથી. આહા..હા...! એ મિથ્યાદૃષ્ટિ ચાહે તો મહાવ્રત પાળતો હોય પણ એ રાગ છે અને પોતાનો માની અને ચૈતન્ય ત્રિકાળી શુદ્ધ આનંદકંદનો અનાદર કરી એ રાગના નાનામાં નાના કણને પણ પોતાનો સ્વીકારે છે એ મિથ્યાદૃષ્ટિ છે. ઝીણી વાત છે, ભગવાન ! આહા...હા...! એ મિથ્યાદૃષ્ટિને ઉપસર્ગ અને પરીષહ આવે ત્યારે તેને) જ્ઞાનની સુધ રહેતી નથી. કારણ કે એને ભાન નથી કે, હું આત્મા આનંદ છું. એને કંઈ સૂધ રહેતી નથી.
કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ ? સ્વને અર્થાત્ શુદ્ધ ચિતૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે.' આ..હા...હા..! ધર્મની પહેલી (સીઢી) સમ્યગ્દર્શન, ધર્મની મોક્ષમહેલની પહેલી સીઢી એવું જે સમ્યગ્દર્શન જેને પ્રગટ થયું છે) એ સમદષ્ટિ જીવ ત્રિકાળી શુદ્ધ આનંદ જ્ઞાયક ચૈતન્યમૂર્તિ છું એમ) તે એનો આશ્રય લઈને એને અનુભવે છે. આ..હા...હા...! સમજાણું કાંઈ ? એને રાગાદિ આવે એનો એ જાણનાર રહે છે. એ રાગ મારો છે એમ સમ્યક્દૃષ્ટિ અંતરદૃષ્ટિમાં માનતો નથી. સમજાય છે કાંઈ ? આહા...હા..! વીતરાગમાર્ગ અપૂર્વ અને અલૌકિક છે !
અહીંયાં કહે છે કે, સમ્યક્દષ્ટિ – સત્યદૃષ્ટિ એટલે જેની દૃષ્ટિમાં પરમાત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વસ્યું છે અથવા એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જેનો વાસ છે.. આહાહા..! એવો સમ્યક્દષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનમાં પણ.... આ...હા...હા....! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે). પુણ્ય-પાપના ભાવ તો મલિન છે, મારા છે જ નહિ. શુભ ભાવથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ જે લોક, આનંદનો સાગર ! એને અનુભવતો... આ..હા.હા...! એની શુદ્ધતાને વેદતો, જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તેને સમ્યક્રદૃષ્ટિ પર્યાયમાં – અવસ્થામાં શુદ્ધપણે વેદતો