Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ મૂર્તરૂપ માનવે પડશે, અમૂર્તરૂપ માની શકાશે નહીં ! ” તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“ સિદ્ધાંતકારોએ સંસારી જીવને મૂર્તરૂપે સ્વીકારેલ જ છે.”
પ્રશ્ન-જ્યાં ભેગ્યત્વ હોય છે ત્યાં સિદ્ધ આત્માને અભાવ રહે છે. તેથી હેતુના આધારભૂત શરીરમાં સાધ્યને અભાવ તેના દ્વારા પ્રકટ થાય છે, આ રીતે વિચારતાં આ અનુમાન સિદ્ધાત્માનું સાધક થતું નથી. સાધન પિતાના સાધ્યને સદ્ભાવનું સ્થાપક ત્યારે જ થાય છે કે જ્યારે તે લિંગ સાધન (અમુક નિશાની) વડે પિતાના સાધ્યની સાથે અવિનાભાવ સંબંધથી યુક્ત હોય છે. જે તે લિંગ એવું ન હોય તે તેના આધારે અનુમાન દ્વારા તેનું અસ્તિત્વ સિદ્ધ જ થાય નહીં.
ઉત્તર–આ કથન આ કારણે ઉચિત નથી–યક્ષાદિ ગ્રહરૂપ (યક્ષ વળગ્યો છે એવા) પિતાના સાધ્યની સાથે હાસ્યાદિક લિંગ (લક્ષણ) વિશેષને અવિ નાભાવ ગ્રહણ કર્યા વિના પણ તેના ગમનને દેખી શકાય છે, એ જ પ્રમાણે લિંગના સદ્દભાવ વિના પણ સાધ્યને સદ્દભાવ સંભવી શકે છે. જે એવી દલીલ કરવામાં આવે કે અમે તે બન્નેને અવિનાભાવ સંબંધ શરીરમાં જ માની લઈશું, તે એ વાત પણ ઉચિત નથી, કારણ કે એ વાત તે ત્યારેજ ઉચિત ગણી શકાય કે જ્યારે તે બને સાધ્ય–સાધનને અવિનાભાવ અન્યત્ર ગૃહીત થઈ શકતો ન હોય.
આગમ દ્વારા પણ આત્માને જાણ શકાય છે, કારણ આગમમાં જ કહ્યું છે કે “જે ગયા” જે તેની સામે એવી દલીલ કરવામાં આવે કે અન્ય આગમમાં આ વાતને વિરોધ કર્યો છે, તે એ વાત પણ નીચેના કારણે ઉચિત નથી “જે સાચ” “આત્મા એક છે” એવી પ્રરૂપણા સર્વજ્ઞ આસ દ્વારા જૈન આગમોમાં કરવામાં આવી છે. તેથી અસર્વજ્ઞ અનાસ દ્વારા અન્ય આગમેમાં પ્રતિપાદિત વિરોધને માન્ય કરી શકાય નહીં.
આત્માને અભાવ હોય તે જાતિસ્મરણ આદિ સંભવી શકે નહી અને દેવાદિકૃત અનુગ્રહ અને ઉપઘાત પણ સંભવી શકે નહીં. આત્માને વિષે આના કરતાં અધિક જાણવાની ઈચ્છાવાળા વાચકોએ મેં લખેલી આચારાંગસૂત્રની
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૫