Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંવર કે એકત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર આવના પ્રતિપક્ષરૂપ સંવરનું નિરૂપણ કરે છે-- “pજે સવારે ” ઈત્યાદિ છે ૧૪ છે સૂત્રાર્થ–-સંવર એક છે. તે ૧૪ છે
ટીકાર્થ–-જે કારણ દ્વારા કર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિને રેકી દેવામાં આવે છે, તે સંવર છે. કર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિ વડે આત્મામાં કર્મોને આસ્રવ થાય છે. તે આઅવને રેક તેનું નામ જ સંવર છે. આસવ ૪૨ પ્રકારનાં કહ્યાં છે. તે ૪૨ પ્રકારના આસવ જે આત્મપરિ. ણામેથી રેકાય છે, તે બધાં પરિણામે સંવરરૂપ ગણાય છે. એટલે કે આત્મામાં કર્મોનું આગમન કરાવનારા જે પ્રાણાતિપાતાદિરૂપ પરિણામ છે તે પરિણામને અભાવ થવે તેનું નામ જ સંવર છે. તે સંવર એક છે. જો કે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ, જય અને ચારિત્ર દ્વારા સંવર થાય છે, આ રીતે તેના અનેક પ્રકાર હોવા છતાં પણ સંવર સામાન્યની અપેક્ષાએ તેમાં એકવા પ્રકટ કરવામાં આવ્યું છે. સંવરના ગુપ્તિ આદિની અપેક્ષાએ તે નીચે પ્રમાણે ૫૭ ભેદ છે-મુસિ ૩, સમિતિ ૫, ધર્મ ૧૦, અનુપ્રેક્ષાઓ ૧૨, પરીષહ જય ૨૨, તથા ચારિત્ર પાંચ પ્રકારનું હોય છે. આ રીતે તેના કુલ ૫૭ ભેદ કહ્યા છે. તદુપરાંત તપથી પણ સંવર થાય છે–
કહ્યું પણ છે કે-“હવે તુ ”
અથવા સંધર બે પ્રકાર હોય છે. (૧) દ્રવ્યસંવર અને (૨) ભાવસંવર. પાણીમાં રહેલી નૌકા આદિમાં જે છિદ્રો મારફત નિરન્તર જલ દાખલ થતું હોય, તે છિદ્રોને બંધ કરી દેવા તે દ્રવ્યસંવર છે. તથા જીવરૂપી નૌકાના પ્રાણાતિપાતાદિ રૂ૫ છિદ્રો કે જેમના દ્વારા કર્મજલ તેમાં પ્રવેશે છે, તે છિદ્રોને ગુપ્તિ, સમિતિ આદિ વડે બંધ કરી દેવાં, તેનું નામ ભાવસંવર છે. આ રીતે આ સંવરમાં અનેકવિધતા હોવા છતાં પણ સંવર સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્ર કહ્યું છે.
સંવરના અસ્તિત્વની સિદ્ધિ--પ્રત્યક્ષ, અનુમાન અને આગમ, આ પ્રમાથી સંવરની સિદ્ધિ આ પ્રમાણે થઈ શકે છે. આત્મામાં એક વિશિષ્ટ પ્રકારની
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૩૭