Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકટ કરવા માં આવેલ છે, એમ સમજવું. ધ્રાણેન્દ્રિ દ્વારા જે સૂંઘવામાં આવે છે, તેનું નામ ગબ્ધ છે. તેમાં પણ ગર્વ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે. જીભ દ્વારા જેને સ્વાદ લેવાય છે, તે રસ છે. તેમાં પણ રસત્વસામાન્યની અપેક્ષાએ એકત્વ છે. પશેન્દ્રિયની સહાયતાથી જે સ્પર્શજ્ઞાન થાય છે, તેમાં પણ એકત્વ છે. જો કે સ્પર્શના આઠ પ્રકાર છે, તે પણ સ્પર્શત્વસામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું. આ પ્રકારે શદાદિકેનું સામાન્ય કથન કરીને હવે સૂત્રકાર તેમની વિશેષ પ્રરૂપણ કરે છે.
પહેલાં તેઓ શબ્દના બે ભેદનું કથન કરે છે તે બે ભેદ નીચે પ્રમાણે છે-(૧) સુરભિ શબ્દ. અથવા મને શબ્દ, (૨) દુરભિ શબ્દ અથવા અમનેશ-
કન્દ્રિયને ન ગમે એવો શબ્દ, સુરભિ શબ્દમાં એક પ્રકટ કરવાનું કારણ એ છે કે તેમાં શબ્દવ સામાન્યરૂપ ધર્મ રહેલો હોય છે. ફરજિ શબ્દમાં પણ શબ્દવ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે. શબ્દનાં બીજા જે ભેદે છે તેમનો સમાવેશ આ બે ભેદમાં જ થઈ જાય છે. હવે સુરૂપથી લઈને શુકલ પર્યન્તના જે રૂપના ૧૪ ભેદે છે તેમને પ્રકટ કરવામાં આવે છે.
યુ ” શુભારૂપ કે મનેણ રૂપને સુરૂપ કહે છે. તે એક છે. અશુભ રૂપ કે અમનેષરૂપને દરેપ કહે છે. તે પણ એક છે. દીર્ઘ, આયત, હસવ, વૃત્ત (ગોળાકારનું), વ્યસ્ત્ર (ત્રિકોણાકાર), ચતુરસ્ત્ર (ચેખૂણીયું ), આયત અને પરિમડલ, એ પ્રત્યેકમાં પણ એકત્વ સમજવું જોઈએ. વૃત્ત આદિ પાંચ સ્કન્ધ સંસ્થાનના ભેદ છે.
લાડુના જેમ જેનો આકાર ગોળ હોય છે તેને વૃત્ત સંસ્થાન કહે છે. તે વૃત્ત સંસ્થાનના બે ભેદ છે-(૧) પ્રતર અને (૨) ઘન. તે બન્નેના પણ નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) સમપ્રદેશાવગાઢ અને (૨) વિષમપ્રદેશાવગાઢ. આ રીતે વૃત્તસંસ્થાન ચાર પ્રકારનું હોય છે. છતાં પણ વૃત્તત્વ સામા ચની અપેક્ષાએ તેને એક કહેવામાં આવેલ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧