Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રમાણે પિશાચથી લઈને ગન્ધર્વ પર્યાના આઠ વ્યતર નિકામાં પણ પ્રત્યેકના બે ઈન્દ્રોને હિસાબે કુલ ૧૬ ઈન્દ્રો થાય છે. અમાસિક આદિ દેવ વ્યક્તર વિશેષ જ છે. તે આઠ પ્રકારના વ્યતર વિશેના પણ બબ્બે ઈન્દ્રો હોય છે, તેથી તેમના કુલ ૧૬ ઈન્દ્રો થાય છે.
જે કે તિષ્ક દે રૂપ ચન્દ્ર અને સૂર્ય તે અસંખ્યાત છે, છતાં પણ જાતિમાત્રની અપેક્ષાએ જ એક ચન્દ્ર અને એક સૂર્યને ઈન્દ્ર કહેવામાં આવેલ છે. આમ તે જેટલા ચન્દ્ર અને સૂર્ય છે તે સૌ ઈન્દ્રરૂપ જ છે. સૌધર્મથી લઈને અશ્રુત પર્યન્તના બાર કલ્પના ૧૦ ઈન્દ્રો છે. આ રીતે બધા મળીને ૨૦+૧૬+૧૬+૨+૧==૬૪ ઈન્દ્રો થાય છે.
દેવાનો અધિકાર ચાલી રહ્યો હોવાથી હવે સૂત્રકાર તેમના નિવાસસ્થાનરૂપ વિમાનના વિષયમાં પ્રરૂપણ કરે છે, કારણ કે તેઓ વિમાનમાં રહે છે “મહાસુ ” ઈત્યાદિ. આ સૂત્રને ભાવાર્થ સુગમ છે, હારિદ્રપદથી પીળો વર્ણ અને શુકલપદથી વેતવર્ણ ગ્રહણ કરાય છે. સૌધર્મ આદિ વિમાનનાં વર્ણન આ પ્રમાણે છે-સૌધર્મ અને ઇશાનમાં પાંચ વર્ણવાળાં વિમાને છે. સનસ્કુમાર અને મહેન્દ્ર કપમાં કૃષ્ણવર્ણ સિવાયના ચારે વર્ણનાં વિમાન છે. બ્રહાલેક અને લાતકમાં કૃષ્ણ અને નીલવર્ણ સિવાયના ત્રણે વર્ણનાં વિમાને છે. મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં પતિ અને શુકલ વર્ણનાં વિમાન છે. ત્યારપછીનાં કપમાં શુકલવર્ણવાળાં જ વિમાને છે. કહ્યું પણ છે કે“તો પંરવન્ના ઈત્યાદિ.
બે સ્થાને અધિકાર ચાલતું હોવાથી રૈવેયક નિવાસી દેવાની જ શરીરવગાહના અહીં પ્રકટ કરવામાં આવી છે. “જે ” વેકનિવાસી દેના શરીરનું પ્રમાણ ઉંચાઈની અપેક્ષાએ બે ત્નિ પ્રમાણ કહ્યું છે. જે સૂ. ૩૬
બીજા સ્થાનકને ત્રીજો ઉદ્દેશક સંપૂર્ણ છે ૨-૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૯૪