Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ દેવકે શરીર બદ્ધ તીન સૂત્રકા નિરૂપણ તો પ્રશ્નો શાસેળ કિન્નતિ” ઈત્યાદિ– ટીકાથે–આ ત્રણ પ્રજ્ઞપ્તિએ ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વિીપસાગર પ્રજ્ઞપ્તિ, પ્રથમ અને પશ્ચિમ (છેલ્લા) કાળે અધ્યયન કરવા ગ્ય છે. જો કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અને જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિને આ ત્રણ પ્રજ્ઞપ્તિ એમાં ઉમેરવાથી કુલ પાંચ પ્રજ્ઞપ્તિ થાય છે, પણ અહીં ત્રિસ્થાનકને અધિકાર ચાલતો હોવાથી ત્રણ પ્રજ્ઞમિઓનો જ ઉલ્લેખ થયે છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્ર સંબંધી ચાર ક્ષેત્રનું મુખ્યત્વે પ્રતિપાદન થયું છે, સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સૂર્ય સંબંધી ચાર ક્ષેત્રોને વિચાર કરવામાં આવ્યું છે. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં મુખ્યત્વે દ્વીપે અને સાગરોની પ્રરૂપણ કરી છે. નન્દીસૂત્રમાં સૂર્યપ્રજ્ઞપ્તિને ઉત્કાલિક રૂપે પ્રકટ કરી છે, અને અહીં તેને કાલિક રૂપે પ્રકટ કરી છે. આ વિષયનું હાર્દ કેવલિગમ્ય છે, એમ સમજવું. એ સૂ. 29 છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના ત્રીજા સ્થાનકને પહેલે ઉદ્દેશક સમાપ્ત. ૩–૧છે || સમાસ || શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ 278