Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમના ૧૫ પ્રકાર છે. તે પ્રત્યેક પ્રકારના અનન્તર સિદ્ધોની વર્ગણામાં એકત્વ છે. એજ વાત “gut તિત્તિઓ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. સંસાર રૂપી સાગર જેના પ્રભાવથી તરી જવાય છે તેને તીર્થ કહે છે. દ્વાદ શાંગ ( બાર અંગ) રૂપ પ્રવચન જ એવું તીર્થ છે. તથા આ દ્વાદશાંગના આધારભૂત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ પણ તીર્થરૂપ જ છે. આ તીર્થની પ્રવર્તનો થયા બાદ સિદ્ધ થયેલા જીવોને તીર્થ સિદ્ધ કહે છે, પરંતુ તીર્થની પ્રવર્તન વિના જે સિદ્ધ થયા છે, તેમને અતીર્થ સિદ્ધો કહે છે. વૃષભસેન આદિ તીર્થસિદ્ધા અને મરુદેવી આદિ અતીર્થસિદ્ધ થઈ ગયા છે. તીર્થને વ્યવ છેદ (નાશ) થયા બાદ જે સિદ્ધો થયા છે, તેમને તીર્થવ્યવચ્છેદ્ય સિદ્ધો કહે છે. જાતિસ્મરણ આદિ દ્વારા આ પ્રકારના સિદ્ધ થાય છે. જેમકે ચદ્રપ્રભુસ્વામી અને સુવિધિસ્વામીના અન્તરાલમાં થયેલા સિદ્ધ. તે પ્રત્યેક પ્રકારના સિદ્ધોની એક એક વર્ગણ હોય છે. તથા તિર્થંકર સિદ્ધોની પણ એક વર્ગણ હોય છે. અનુમતાથી અથવા હેતુ રૂપે અથવા તે પ્રકારને સ્વભાવ હોવાથી જેઓ તીર્થની પ્રવૃત્તિ કરે છે, તેમને તીર્થકર કહે છે. કહ્યું પણ છે કે-“અનુસ્રોમ ” ઈત્યાદિ. તીર્થંકર થઈને જેઓ સિદ્ધ થાય છે, તેમને તીર્થકર સિદ્ધ કહે છે. રાષભદેવ આદિ એવાં તીર્થકર સિદ્ધ ગણાય છે. તેમની વણ સામાન્યની અપેક્ષાએ એક હોય છે, તથા ગૌતમ આદિ જે તીર્થકર સિદ્ધો છે તેમની વર્ગણ પણ સામાન્યતઃ એક છે. તથા જે સ્વયંબુદ્ધ સિદ્ધો છે, તેમની વર્ગણ પણ એક છે. જે જી સ્વતઃ (પિતાની જાતે જ) તને જાણી લે છે, તેમને સ્વયં બુદ્ધ કહે છે. સ્વયંબુદ્ધ થઈને સિદ્ધપદ પામનાર જીને સ્વયં બુદ્ધ સિદ્ધ કહે છે. એટલે કે અન્યના ઉપદેશ વિના, પિતાની જ જ્ઞાનશક્તિ દ્વારા બંધ પામીને સિદ્ધ થનારા જીવોને સ્વયં બુદ્ધ કહે છે. તથા જે વૃષભાદિ જેવાં અન્ય જ્ઞાનીને જોઈને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧