Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવ-અજીવ આદિ કે દ્ધિત્વ કા નિરૂપણ
બીજું સ્થાનક પ્રારમ્ભ પહેલા સ્થાનની પ્રરૂપણા પૂરી થઈ હવે સંખ્યાક્રમાનુસાર જે બીજુ સ્થાન આવે છે તેની પ્રરૂપણા કરવામાં આવે છે. આ સ્થાનને પૂર્વ સ્થાન સાથે આ પ્રકારનો સંબંધ છે. સ્યાદ્વાદમાં માનનારા જૈન એ વાતને સ્વીકારે છે કે સર્વ વસ્તુઓ સામાન્ય વિશેષ ધર્માત્મક હોય છે. તેથી પહેલા સ્થાનમાં સામાન્ય ધની અપેક્ષાએ આત્માદિ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે વિશેષ ધર્મની અપેક્ષાએ એજ આત્માદિ રૂપ પદાર્થોમાં દ્વિપ્રકારતાનું ( દ્વિવિધતાનું ) કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલા ચોથા ઉદ્દેશાત્મક દ્વિતીય સ્થાનના સૂત્રાનુગમમાં પહેલા ઉદ્દેશકનું આ સૌથી પહેલું સૂત્ર છે—“ યતિથof ઢોરે તં વર્ષ ડુમોરાર” ઈત્યાદિ ના
કેવળજ્ઞાન રૂપ આલેક (પ્રકાશ) દ્વારા જેનું અવલોકન કરી શકાય છે, તેનું નામ લેક છે. એ આ લેક પંચાસ્તિકાયરૂપ છે. આ પંચાસ્તિકાયરૂપ લેકમાં જે કોઈ જીવાદિ વરતુઓ મોજુદ છે, તે બે પ્રકારવાળી છે. એટલે કે (૧) સ્વરૂપવાળી અને (૨) પ્રતિપક્ષ રૂપવાળી છે. “બિચવતાર” આ પદનો અર્થ એ જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેકની સમસ્ત વસ્તુઓ બે પ્રકારની છે. પ્રત્યેક વિવક્ષિત (અમુક) વસ્તુ પોતાના કરતાં વિપરીત લક્ષવાળી વસ્તુના સમાવેશવાળી હોય છે. અથવા જે વસ્તુ “મત્તિ” શબ્દ દ્વારા વાચ્ય છે, તે પ્રત્યેક વરતુ દ્વિપ્રત્યવતાર (બે પ્રકાર) વાળી છે. વસ્તુમાં બે પ્રકારના કેવી રીતે રહેલી છે તે વાત સૂત્રકાર (તંઠ્ઠા) નીચે બતાવેલાં દૃષ્ટાન્ત દ્વારા પુરવાર કરે છે-“નીલા ર મનીના ચેર” આ લેકમાં જીવે પણ છે અને અજી પણ છે. અહીં “અને ” પદ અવધારણ અર્થમાં વપ. રાયું છે. આ રીતે જે પદાર્થોને જીવરૂપે ઓળખવામાં આવે છે, તે જીવરૂપ જ હોય છે. અને જે પદાર્થોને અજીવરૂપે ઓળખવામાં આવે છે, તે અજીવરૂપ જ હોય છે. જીવથી વિપરીત શબ્દ અજીવ છે. આ રીતે અહીં એવું સૂચિત કરવામાં આવ્યું છે કે જીવે અજીવ આરાશિદ્વય જ જૈનો દ્વારા અનુદિત (સંમત) છે.
શંકા–જીવ નામની પણ એક ત્રીજી રાશિ છે, કારણ કે તેની પણ પ્રત્યક્ષ ઉપલબ્ધિ થાય છે.
ઉત્તર–અને જીવ’ આ પદમાં જે “” શબ્દ આવ્યું છે તે સર્વ નિષેધકરૂપે વપરાય છે કે દેશનિષેધકરૂપે વપરાય છે, એ વાત પહેલાં વિચા. રવી પડશે. જે તે સર્વનિષેધકરૂપે વપરાયો હોય તે “ને જીવ” ને આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧