Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દો પ્રકાર કે દંડ કા નિરૂપણ
“ો રંer gowત્તા” ઈત્યાદિ છે ૧૩ છે
દંડ શબ્દ દ્વારા અહીં પ્રાણાતિપાત આદિને ગ્રહણ કરવામાં આવેલ છે. આ દંડના બે પ્રકાર છે. દંડ શબ્દનો અર્થ, મારા દ્વારા આવશ્યક સૂત્રની જે નિતોષિણી ટીકા લખવામાં આવી છે, તેમાં આપે છે. તેથી જિજ્ઞાસ પાઠકોએ ત્યાંથી તે વાંચી લે. દંડના પ્રકાર નીચે પ્રમાણે છે –
ગp સંકે રેવ બટ્ટા ઢ રેવ(૧) અર્થ દંડ અને (૨) અનર્થ દંડ. ઈન્દ્રિયાદિ પ્રયજનને નિમિત્તે જે પ્રાણાતિપાતાદિ રૂ૫ દંડ થાય છે, તેને અર્થ દંડ કહે છે, પણ નિપ્રોજનયુક્ત જે દંડ હોય છે તેને અનર્થ દંડ કહે છે. હવે આ દંડનું સમસ્ત જીવમાં ૨૪ દંડક દ્વારા સૂત્રકાર નિરૂપણ કરે છે-“રેરા '' ઈત્યાદિ. નારકમાં બે દંડ હોય છે (૧) અર્થ દંડ અને (૨) અનર્થ દંડ. એજ અભિલાપ કમથી ચોવીસે દંડકના માં-વૈમાનિકે પર્યન્તના જેમાં અર્થ દંડ અને અનર્થ દંડના સદ્દભાવનું કથન થવું જોઈએ. અર્થ દંડ અને અનર્થ દંડની અપેક્ષાએ નારકોમાં આ પ્રમાણે વિશેષતા છે. નારકમાં પિતાના શરીરની રક્ષાને માટે અર્થ દંડ થતો હોય છે અને તે અન્ય નારકાના ઉપહનન રૂપ હોય છે, અને ત્યાં વ્યર્થ પ્રદ્વેષ કરવા રૂ૫ અનર્થ દંડને સદૂભાવ હોય છે. પૃથ્વીકાય આદિ માં અનાગ રૂપે આહાર ગ્રહણ કરવામાં જીવેનો જે ઉપઘાત થાય છે, તે ઉપઘાત રૂ૫ અર્થ દંડનો સદૂભાવ હોય છે. તદુપરાંત તેઓમાં અનર્થ દંડને પણ સદુભાવ હોય છે. અથવા ભવાન્તરીય જે અર્થ દંડાદિ રૂપ તેમનું પરિણામ છે, તે દષ્ટિએ એમ સમજવું જોઈએ કે પૃથ્વીકાય આદિમાં પણ બન્ને પ્રકારના દંડને સદભાવ હોય છે. જે સૂઇ ૧૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૨૪