Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પહેલાં પૃષ્ટ રહે છે અને ત્યારબાદ ગાઢતર રૂપે પ્રદેશોની સાથે લિષ્ટ થઈ જાય છે તે પુલને બદ્ધપાર્શ્વધૃષ્ટ પુલે કહે છે. કહ્યું પણ છે કે –
gટું રેળવ” ઈત્યાદિ. રેણુ (૨૪) ની જેમ જે પુલે પહેલાં શરીરની સાથે સૃષ્ટ થાય છે અને પછી શરીરની સાથે ચોંટી જાય છે, એવાં પુલને બદ્ધપાર્શ્વ પૃષ્ટ કહે છે. એટલે કે પાર્શ્વધૃષ્ટ (પહેલાં પૃષ્ટ) થઈને પછીથી બદ્ધ થનારાં પુલને બદ્ધપાધંસ્કૃષ્ટ પુલે કહે છે. તે પુદ્ગલેને ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા પિતાપિતાના વિષય રૂપે ગ્રહણ કરવામાં આવે છે. તે પુદ્ગલે જયારે ધ્રાણેન્દ્રિયની સાથે સ્પષ્ટ થઈને બદ્ધ થાય છે ત્યારે તેમની સુગન્ધ આદિ ગંધ તેના દ્વારા સૂઘવામાં આવે છે. જ્યારે તે પુલે રસના ઈન્દ્રિય સાથે સ્પષ્ટ થઈને બદ્ધ થાય છે ત્યારે તેના દ્વારા તેમના મધુર આદિ ૨સ (સ્વાદ) નો આસ્વાદ કરાય છે. જયારે તે મુદ્દલે સ્પશે. ન્દ્રિયની સાથે સ્પષ્ટ થઈને બદ્ધ થાય છે, ત્યારે તેના દ્વારા તેમને કર્કશ આદિ સ્પર્શ અનુભવી શકાય છે.
શંકા–રૂપાદિ ગુણ તે અમૂર્ત છે, તે ઈન્દ્રિ દ્વારા તેમને કેવી રીતે ગ્રહણ કરી શકાય છે?
સમાધાન –ગુણ ગુણ-દ્રવ્યથી ભિન્ન નથી, તેથી અર્થનું ગ્રહણ થાય ત્યારે તેનાથી કંઈક અભિન્ન એવાં ગુણેનું પણ ગ્રહણ થઈ જાય છે. જેમકે ધ્રાણેન્દ્રિયથી ગંધનો સંગ ન થવા છતાં પણ સુગંધ અને દુર્ગધવાળાં પરમાણુઓને જ સંયોગ થાય છે. પરંતુ ઘણેન્દ્રિયમાં ગંધને અભિવ્યક્ત કરવાની યોગ્યતા હોવાથી તેના વિષય તરીકે ગંધને માનવામાં આવે છે.
એજ પ્રમાણે અન્ય ઈન્દ્રિયના વિષયમાં પણ સમજવું. ને બદ્ધપાર્શ્વપૃષ્ઠ પુદ્ગલ બે પ્રકારના હોય છે. તેમાંથી કેટલાંક શ્રોત્રેન્દ્રિયને વિષય બને છે. તેના દ્વારા અનુભવી શકાય છે અને કેટલાક ચક્ષુ ઇન્દ્રિયને વિષય બને છે. તથા જે પુલ બદ્ધ નથી હોતાં પણ માત્ર પાWપૃષ્ઠ જ હોય છે, તે માત્ર શ્રોત્રેન્દ્રિયને જ વિષય બને છે. તથા જે પુલ બદ્ધ પણ હતાં નથી અને પૃષ્ટ પણ હતાં નથી, તેઓ માત્ર ચક્ષુ ઇન્દ્રિયને જ વિષય બને છે, કારણ કે ચક્ષુ ઈન્દ્રિયને અપ્રાપ્યકારી માનવામાં આવી છે. કહ્યું પણ છે કે “
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૫૮