Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વામાં આવે, તે “famraoળા તુનાશોરવીરાસરિયor” સિદ્ધિ નિર્મળ, જળ, તુષાર, ગોક્ષીર અને હાર જેવા વર્ણવાળી છે. આ વર્ણન સંગત લાગતું નથી, કારણ કે લેકાગ્ર અમૂર્ત હોવાથી તેને વણેયુક્ત કેવી રીતે કહી શકાય? લેકને અગ્રભાગ તે આકાશરૂપ છે અને આકાશને તે અમૂર્ત દ્રવ્ય માનવામાં આવ્યું છે. અમૂર્ત દ્રવ્ય તે રૂપ, રસ ગંધ અને સ્પર્શ, આ વિદ્રલિક ગુણોથી રહિત જ હોય છે. સિદ્ધિને નિર્મળ જળ, તુષાર, ક્ષીર અને હાર જેવા વર્ણવાળી કહેલી હોવાથી એ જ વાત માનવી પડશે કે ઈષ–ાભારા પૃથ્વી જ અહીં સિદ્ધિપદ દ્વારા ગૃહીત થયેલ છે. તે સિદ્ધિ એક છે, કારણ કે દ્રવ્યાર્વિકનયની દષ્ટિએ આ સિદ્ધરૂપ કન્ય એક પરિણામથી પરિણત થયેલે માનવામાં આવ્યો છે. જો કે આ ઈષ~ામ્ભારા પૃથ્વીરૂપ સ્કન્ધ ૪૫ લાખ જનપ્રમાણુવાળે છે, છતાં પણ તે એક પરિણામથી પરિણત થયેલ હેવાથી ભિન્ન ભિન્ન રૂપે પરિણત થયેલે માન્ય નથી. આ રીતે એક પરિ. ણામથી પરિણુત થયેલે હેવાથી તેને તે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એક કહેલ છે. પર્યાયાર્થતાની અપેક્ષાએ તે સિદ્ધિમાં અનંતતા છે.
અથવા–કૃતકૃત્યતાનું નામ સિદ્ધિ છે, લેકાગ્રનું નામ સિદ્ધિ છે, અણિમાદિકનું નામ સિદ્ધિ છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું જોઈએ,
સિદ્ધિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સિદ્ધોનું ( સિદ્ધિમાં ગયેલા આત્માએનું) નિરૂપણ કરે છે-“u f ” જે કૃત્યકૃત્ય થઈ ગયા છે, જેમાં લોકના અગ્રભાગમાં પહોંચી ગયા છે, જેમનું ત્યાંથી સંસારમાં પુનરાગમન થવાનું નથી, એવાં જીને સિદ્ધ કહે છે અથવા ખાદ્ધકર્મોને જેમણે બાળી નાખ્યાં છે તેઓ સિદ્ધ કહેવાય છે. એવાં તે સિદ્ધ કર્મપ્રપંચથી રહિત હોય છે. સિદ્ધમાં દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એકતા પ્રકટ કરી છે અને પર્યાવાર્થતાની અપેક્ષાએ અનંતતા પણ કહી છે. આ પ્રકારે સિદ્ધોમાં અનંતતા હોવા છતાં પણ સામાન્યરૂપ સિદ્ધ સ્વરૂપની અપેક્ષાએ સિદ્ધિોમાં એકતા પ્રકટ કરવામાં આવી છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧