Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાયવ્યાયામનું નિરૂપણ – “ો વાચવાવા” ઈત્યાદિ છે ૨૧ સૂત્રાર્થ-કાયવ્યાયામ એક છે. તે ૨૧ છે
ટીકાઈ_“અન્નાદિ દ્વારા જે વૃદ્ધિ પામે છે તે કાય છે, ” આ કાયશબ્દની વ્યુત્પત્તિ છે. કાય એટલે શરીર. તે શરીરના વ્યાપારને (પ્રવૃત્તિને ) કાયવ્યાયામ કહે છે. ઔદારિક આદિ શરીરવાળા આત્માનું જે વીર્યરૂપ પરિ. ણામ વિશેષ છે, તેનું જ નામ કાયવ્યાયામ છે. તે કાયવ્યાયામ એક સંખ્યાયુક્ત છે. જો કે આ કાયવ્યાયામરૂપ કાયાગના (૧) દારિક કાયાગ, (૨) મિશકાયોગ, (૩) વૈક્રિય કાયાગ, (૪) વૈકિય મિશ્ર કાગ, (૫) આહારક કાય, (૬) આહારક મિત્ર કાયયોગ અને (૭) કાર્પણ કાયયોગ, નામના સાત પ્રકાર પડે છે, અને અનંત જીવોની અપેક્ષાએ તેને અનેક પ્રકારને પણ કહ્યું છે, છતાં પણ સામાન્યરૂપ કાયવ્યાયામ (કાયા વ્યાપાર ) ની અપે. ક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે, એમ સમજવું. જે મન આદિકેમાં એક્તાનું નિરૂપણ કરાયું છે, તેનું વિશેષ પ્રતિપાદન આગળ આવનારાં “જે મળે તેવાસુરમયા” ઈત્યાદિ સૂત્રમાં કરવામાં આવશે કે ૨૧ છે
ઉત્પત્તિ કે એકત્વ કા નિરૂપણ
હવે ઉત્પત્તિનું નિરૂપણ કરવામાં આવે છે–
git '' ઈત્યાદિ છે ૨૨ છે સૂત્રાર્થ–ઉત્પત્તિ એક છે. તે ૨૨ છે
ટીકાઈ—“ઉપસર્ગપૂર્વક “પાત ધાતુદ્વારા ભાવમાં “સંવાલિઃ ”િ આ સૂત્ર દ્વારા “ શિરૂ કરીને આ “ઉત્પત્ ' શબ્દ બન્યું છે. તેને અર્થ ઉત્પત્તિ થાય છે. તે ઉત્પત્તિ એક (એક સંખ્યાવાળી) છે. તેમાં એક કહેવાનું કારણ એ છે કે એક સમયમાં એક પર્યાયમાં એક સાથે બે ઉત્પત્તિ થતી નથી. “એક સમયમાં એક પર્યાયની એક રૂપે જ ઉત્પત્તિ થાય છે-બે આદિપે થતી નથી.” તે કારણે તેમાં એક કહ્યું છે. જો કે અન્ય પદાર્થોની (જુદા જુદા પદાર્થોની) જુદી જુદી ઉત્પત્તિ થાય છે, તે અપેક્ષાએ ઉત્પત્તિમાં અનેકતા દેખાય છે, પરંતુ અનેક પર્યાની તે જુદી જુદી ઉત્પત્તિની વાત અહીં કરી નથી, અહીં તે ઉત્પત્તિ સામાન્યની અપેક્ષાએ જ આ કથન કરવામાં આવ્યું છે. તેથી ઉત્પત્તિમાં જે એકત્વ કર્યું છે, તે ઉત્પત્તિ સામાન્યની અપેક્ષાએ જ કહ્યું છે. આ સૂર રર .
હવે વિગતિનું નિરૂપણ કરવામાં આવે છે “gi વિફ” ઈત્યાદિ ર૩
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૪૩