Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંજ્ઞા આદિ કે એકત્વ કા નિરૂપણ
સંજ્ઞાનું નિરૂપણ - “pf સત્રા” ઈત્યાદિ છે ૩૦ છે સૂત્રાર્થ—–સંજ્ઞા એક છે. તે ૩૦ છે
ટકાર્થ–-વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહના ભેદથી અવગ્રહજ્ઞાન બે પ્રકા૨નું છે. વ્યંજનાવગ્રહના ઉત્તરકાળે જે જ્ઞાનવિશેષ થાય છે તેને સંજ્ઞા કહે છે. અથવા–આહાર, ભય આદિ વિશેષણયુક્ત ચેતનાને સંજ્ઞા કહે છે. અથવા દેવદત્ત આદિ વિશેષનામને પણ સંજ્ઞા કહે છે. આ રીતે આહાર, ભય આદિ ભેદની અપેક્ષાએ સંજ્ઞા દસ પ્રકારની કહી છે. પરંતુ અહીં તેને જે એક કહી છે તે સંજ્ઞાસામાન્યની અપેક્ષાએ કહી છે, એમ સમજવું. એ સૂ૩૦ છે
મતિનું નિરૂપણ—“uT મ ” ઈત્યાદિ છે ૩૧ છે સૂત્રાર્થ––મતિ એક છે. એ ૩૧ છે
ટકાથે--કઈ પણ પ્રકારે અર્થને નિર્ણય થઈ ગયા બાદ પણ તેના સૂમ ધર્મોના પર્યાલચનરૂપ જે બુદ્ધિ હોય છે, તેને મતિ કહે છે. આલેચન પણ તેનું એક નામ છે જે કે અવગડ આદિના ભેદથી તેને ચાર પ્રકારની કહી છે, છતાં પણ મતિત્વ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ બતાવ્યું છે. સૂ૦૩૧
વિજ્ઞનું નિરૂપણ– p વિન્ન ઈત્યાદિ છે ૩૨ છે સૂત્રાર્થ–-વિજ્ઞ એક છે. ૩૨ છે
ટકાઈ- વિશેષ જ્ઞાનસંપન્ન વ્યક્તિને વિજ્ઞ કહે છે. તેને જ્ઞાયક પણ કહે છે. જેણે જિનાગમને સાર ગ્રહણ કરી લીધું છે, એ તે વિજ્ઞાધ સામાન્યની અપેક્ષાએ એક કહ્યો છે તેને “ઘ” એવું નારી જાતિનું રૂપ આ હોવાની અપેક્ષાઓ આપવામાં આવ્યું છે. જે સૂ૦૩૨ છે
સામાન્ય રૂપે કર્મોનું વેદન કરવું તેનું નામ વેદના છે, એવું પહેલાં કહેવામાં આવી ચૂકયું છે. હવે વિશેષરૂપે કર્મોનું વેદન કરવારૂપ જે વેદના છે, તેનું નિરૂપણ કરવામાં આવે છે--
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૪ ૬