Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધર્મ કે એકત્વ કા નિરૂપણ
જે ગમે” ઈત્યાદિ ૮ છે સૂત્રાર્થ–-અધર્મદ્રવ્ય એક છે. ૮ છે
ટીકાઈ–-જે દ્રવ્ય જીવપુલેને ગતિ પરિણતિમાં ધારણ કરતું નથી, તે દ્રવ્યનું નામ અધર્માદ્રવ્ય છે. તે દ્રવ્યનું નામ ગતિપરિણત જીવ અને પુલને ગતિ કરતાં રોકવાનું છે-તેમની ગતિ અટકાવવામાં મદદ કરવાનું છે. અધર્મ રૂપ જે અસ્તિકાય છે તેને અધર્માસ્તિકાય કહે છે. તે અધર્મ દ્રવ્ય પણ સંપૂર્ણ કાકાશમાં વ્યાપ્ત થઈને રહેલું છે, તે અસંખ્યાત પ્રદેશ છે, અરૂપી છે અને અજીવદ્રવ્યને એક ભેદવિશેષ છે. ગતિની નિવૃત્તિનું નામ સ્થિતિ છે. રસ્તા પર ચાલ્યા જતા, ગરમીથી આકુળવ્યાકુળ થયેલા પથિકને થંભવામાં જેમ છાંયડે સહાયક બને છે, તેમ સ્થિતિ પરિણામે પરિવૃત જીવને અને પુતલેને ભવામાં અધર્મદ્રવ્ય સહાયક થાય છે. જેમ સ્થળ મજ્યને થેવામાં મદદ કરે છે, તેમ જીવ અને પુલેને થોભવામાં જે મદદ કરે છે, તે અધર્મદ્રવ્ય છે.
કહ્યું પણ છે.-સાળ જુવાળ છે ઈત્યાદિ
આ પ્રકારનું આ અધર્માસ્તિકાય એક સંખ્યાવાળું છે. જો કે પ્રદેશથતાની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી હોવાથી તે અસંખ્યાતરૂપ પણ છે, પણ અહીં તે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ તેને એક કહેવામાં આવ્યું છે, એમ સમજવું.
પ્રશ્ન--ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ કેવી રીતે જાણ શકાય છે?
ઉત્તર--જે ધર્માસ્તિકાય ન હોય તે જીવ અને પુલેની ગતિ સંભવી શકતી નથી. “નવપુષ્ટાન સચવાનુના ધર્માતિવાયોડરિતપરનું તેમની ગતિ સંભવિત હેવાથી, ધર્માસ્તિકાયના અસ્તિત્વની પ્રતીતિ થાય છે. “શવપુજાનાં થિચભ્યથાનુરૂપઃ ” એજ પ્રમાણે જે અધર્માસ્તિકાય ન હોત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧