Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્યિા કે એકત્વ કા નિરૂપણ
તે દંડની આત્મા કિયા કરે છે. તેથી સૂત્રકાર હવે તે ક્રિયાનું પ્રતિપાદન કરે છે – “i #રિચા” ઈત્યાદિ છે૪ છે
સૂત્રાર્થ–ક્રિયા એક છે. તે ૪ છે
ટીકાથે કરવામાં આવે તે કિયા. તે ક્રિયાનાં કાયિકી આદિ ભેદની અપેક્ષાએ તે અનેક પ્રકાર છે, પરંતુ અહીં તે ભેદને ગૌણ સ્થાન આપીને કરવારૂપ સામાન્ય ક્રિયાને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી સંગ્રહ નયની અપેક્ષાએ સામાન્ય રૂપને આધાર લઈને કિયામાં એકત્વ-એક સંખ્યાવ–પ્રકટ કરવામાં આવેલ છે.
અથવા–“p રે જે શ્વિરિયા” આ બે સૂત્રો દ્વારા આત્મામાં અકિયત્વનું ખંડન કરીને સક્રિયત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–દંડ અને ક્રિયા આ બે શબ્દો દ્વારા ૧૩ કિયાસ્થાન કહ્યાં છે. અર્થદડ, અનર્થદંડ, હિસાદંડ અને અકસ્માત દંડ આદિરૂપ જે પરમાણુપહરણ દંડ છે, તેમને “દંડ' શબ્દ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ દંડમાં સામાન્ય પ્રાણાતિપાત રૂ૫ એકતાની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. ક્રિયા શબ્દથી મૃષાપ્રત્યયા, અદત્તાદાનપ્રત્યયા, આધ્યાત્મ પ્રત્યયા, માનપ્રસ્થમાં મિત્રદ્રષ પ્રત્યયા, માયા પ્રત્યયા, લોભ પ્રત્યયા અને ઐર્યા પથિકી, એ આઠ ક્રિયાઓ ગ્રહણ કરાયેલ છે. તે ક્રિયાઓમાં કરણ સામાન્યની અપેક્ષાએ એકવ પ્રકટ કરવામાં આવેલ છે. આત્માને ક્રિયારહિત માનનાર સાંખ્ય આદિ દર્શન નકારોને મત અત્યન્ત ગુંચવણે ઉભી કરનારે છે, કારણ કે આત્માને કિયારહિત માનવા છતાં પણ તેઓ તેને જોતા માને છે, પરંતુ ભુજિકિયાને કર્તા બન્યા વિના તેમાં ભકતૃત્વ સંભવી શકતું નથી. જ્યારે તે ભુજિક્રિયાને ભક્તા બની જાય છે, ત્યારે તેમાં ક્રિયાવ (કિયાયુક્તતા) પ્રાપ્ત થઈ જ જાય છે. શંકા-પ્રકૃતિ કરે છે અને પ્રતિબિંબન્યાયની અપેક્ષાએ પુરુષ ભોક્તા છે. આ ન્યાય અનુસાર પુરુષના આત્મામાં અક્રિયતા હોવા છતાં પણ ભકતૃત્વ આવી જાય છે? ઉત્તર-પ્રતિબિંબન્યાયની અપેક્ષાએ જે પુરુષને સેક્તા માનવામાં આવે, તે તેના દ્વારા પુરુષમાં કિયાવત્વ સિદ્ધ થાય છે, કારણ કે રૂપા-તર પરિણમન રૂપ જ પ્રતિબિંબ હોય છે. તથા રૂપાન્તર પરિણતિ જ આત્મામાં ક્રિયારૂપ છે. આત્મામાં કિયાને સદ્ભાવ માનવામાં ન આવે, તે પ્રકૃતિની સાથે સંબંધ હોવા છતાં પણ તેનું પ્રતિબિંબ પડી જ શકતું નથી, અને જે તેનું પ્રતિબિંબ પડતું હોય તે અનિચ્છાએ પણ તેમાં કિયાત્વ માનવું પડશે.
શંકા–પ્રકૃતિની વિકૃતિરૂપ બુદ્ધિનું જ સુખાદિને માટે આત્મામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૭