Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮
ધમધમેલા દત્તે પૂછ્યું કે આ વાતમાં પ્રમાણ શું ? આચાર્યે કહ્યું કે આજથી સાતમા દિવસે તું ચંડાલની કુંભીમાં રંધાઈશ. કોપથી ભવાં ચડાવી લાલ આંખ કરીને દત્તે કહ્યું કે આ વાતમાં શું પ્રમાણ ? આચાર્યે કહ્યું કે ચંડાલની કુંભીમાં રંધાવા પૂર્વે અણધારી તારા મુખમાં વિષ્ટાનો પ્રવેશ થશે. આવા પ્રકારના સાચા ઉત્તરથી ક્રોધિત થયેલા દત્તે સેવકોને આજ્ઞા કરી કે આ દુર્બુદ્ધિક આચાર્યને પકડી લો, દત્તની આજ્ઞા થતાં જ સેવકોએ આચાર્યને પકડી કેદ કર્યા.
અઢાર પાપસ્થાનક
હવે પાપકર્મી એવા દત્તથી કંટાળીને સામંતોએ પહેલાંના રાજાને બોલાવી તેને રાજ્ય અર્પણ કરવાનો નિર્ણય કર્યો. હવે સામંતો મને કાઢી મુકશે એવી શંકાથી દત્ત, સિંહની ગર્જનાથી ત્રાસ પામેલો હાથી જેમ ઝાડીમાં સંતાઈ જાય તેમ ઘરમાં જ છુપાઈ ગયો. ઘરમાં રહેવાથી સાતમો દિવસ કયો ? તેનો ખ્યાલ ન રહેવાથી સાતમા દિવસે જ રાજમાર્ગો ઉપર ચોકીપહેરો ગોઠવીને બહાર નીકળ્યો. ત્યાં જ તે રાજમાર્ગ ઉપર એક માળી ફૂલોનો કરંડીયો લઈને આવતો હતો, તેને ઉતાવળે ઝાડો લાગવાથી રસ્તામાં જ વિષ્ટા કરી અને તેને કરંડીયાના ફુલોથી ઢાંકી દીધી. “સાતમા દિવસે દુષ્ટ એવા તે મુનિને
હણીશ.'' આવા હલકા વિચારો કરતો કરતો ઘોડેસવારો સાથે ઘોડા ઉપર જતાં ઘોડાની ખરીથી ઉછળેલી વિષ્ટા તે દત્તના મુખમાં પડી. “વ્રતધારી સંયમી મુનિની વાણી કદાપિ અસત્ય હોતી નથી.” એમ જાણી મનમાં વિલખો થયેલો તે ઘર તરફ પાછો ફર્યો. ત્યારે ઘરમાં પ્રવેશ કરે તે પહેલાં જ પ્રજા લોકોએ તેને બાંધીને પડયો. પ્રભાત થતાં જેમ તેજથી સૂર્ય પ્રગટે તેમ પહેલાંનો રાજા પ્રગટ થયો. કરંડીયામાંથી છૂટેલા સાપની જેમ ક્રોધથી ધમધમેલા પહેલાના રાજાએ નરકની કુંભી સમાન ચંડાલોની કુંભીમાં તે દત્તને નાખ્યો. નીચેથી અગ્નિ સળગાવ્યો. અગ્નિથી તપેલી તે કુંભીમાં દત્તને ઓગાળી ઓગાળીને મારી નાખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org