Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અઢાર પાપસ્થાનક
અહંકારીપણાના કારણે બધે જ સારા સંબંધો તુટતાં આ ત્રણવર્ગનો પણ નાશ થાય છે.
મારી ક્યાંય માનહાનિ ન થાય અને મને સર્વત્ર વધારે માન જ મળે આવા અભિપ્રાયમાં અટવાયેલાનું ચિત્ત આકુળ-વ્યાકુળ અને અશાંત હોવાથી પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ ટકતું નથી. બોલવા ચાલવાનો વિવેક અને વર્તનરૂપી નેત્રનો પણ નાશ થાય છે. પોતાના માનમાત્રને જ સાચવવાનું ધ્યેય હોવાથી વિવેકી જીવન જીવવા સ્વરૂપ ન્યાય-નીતિનો પણ નાશ થાય છે. ન્યાય-નીતિને છોડીને પણ તે જીવ માત્ર માનને જ સાચવે છે. આ રીતે માનકષાય વિવેકરૂપી નેત્રનો તથા બીજા પણ અનેક ગુણોનો નાશક હોવાથી દુઃખોને જ આપનારો છે. જે જીવો તે માનકષાયને છોડી દે છે. તે જીવોને હવે પછી દુઃખ રહેતું નથી. કારણ કે નગ્ન થવાના કારણે દરેક ગુણીયલ મહાત્માઓ સાથે સારા સંબંધો રહેવાથી ગુણોનો નાશ તો થતો જ નથી પરંતુ ગુણોની વૃદ્ધિ જ થાય છે | ૫ |
વશ થાય જાથી વિવેક
માનને જ
માને બાહુબલિ વરસ લગે કાઉસ્સગ્ગ રહ્યા, નિર્મદ ચક્રી સેવક દોય મુનિ સમ કહ્યા. સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા સુજસ-રમા તસ આલિંગન કરે છે ૬ છે.
શબ્દાર્થ - નિર્મદ-મદ વિનાના, ચકી-સેવક - ચક્રવર્તી હોય કે સેવા કરનાર સેવક હોય, સાવધાન - જાગૃત થઈને, ધવલ - ઉજ્વલ, પરમા - સૌથી શ્રેષ્ઠ, સુજસ-રમા - સારા યશવાળી મુક્તિરૂપી સ્ત્રી II ક II
ગાથાર્થ - માનના કારણે બાહુબલિજી એક વર્ષ સુધી કાઉસ્સગ્નમાં રહ્યા, (પણ કેવલજ્ઞાન થયું નહીં) તેથી મદ વિનાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org