Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૬
વિવેચન - પારાને કાઢવાની આવા પ્રકારની એક રીત હોય છે. ચારે બાજુ આગ લગાડવાથી અંદર રહેલો પારો ઉછળીને બહાર આવે છે. તેમ મન પણ રતિ-અતિના જોરે બાહ્યભાવમાં જ ઉડ્યા કરે છે. જ્યારે તે રતિ-અતિ રૂપી આગ હોવા છતાં પણ મનરૂપી પારો ઉડતો નથી. આત્માને વશ થઈ જાય છે. ત્યારે તે આત્માના કલ્યાણની સિદ્ધિ થાય છે. અને ભવની ભાવઠ (ભવમાં ભટકવાની ચાલ) ભાગી જાય છે. નાશ પામી જાય છે.
જ્યાં જ્યાં રતિ હોય છે ત્યાં ત્યાં અન્ય પદાર્થ ઉપર અથવા કાળાન્તરે તે જ પદાર્થ ઉપર અરિત પણ ચોક્કસ હોય જ છે. આમ રતિ-અતિ સેવીને જે જીવો પાંચ ઈન્દ્રિયોના સુખોમાં જ ૨ક્ત બને છે. તેઓને વિવેક જાગૃત રહેતો નથી. અને રતિ-અતિ સેવવા વડે દુઃખ જ પામે છે. ॥ ૩-૪ ||
અઢાર પાપસ્થાનક
નહી રતિ-અતિ છે વસ્તુથીજી, તે ઉપજે મનમાંહી । અંગજ વલ્લભ સૂત હુઓજી, યૂકાદિક નહી કાંઈ.
સુગુણનગર. ॥ ૫ ॥
શબ્દાર્થ - વસ્તુથી - કોઈ પણ પદાર્થ થકી, અંગજ - શરીરથી જન્મેલા, વલ્લભ વહાલા, સૂત - પુત્ર, હુઓ - હોય છે, યુકાદિક - જુ-લીખ વગેરે ક્ષુદ્ર જીવાત, નહી કાંઈ - કંઈ વહાલી હોતી નથી. || ૫ |
-
Jain Education International
ગાથાર્થ - રતિ-અરતિ એ કોઈ વસ્તુથી થતી નથી, માત્ર મનની કલ્પનાથી જ થાય છે. શરીરથી જન્મેલ પુત્ર જેવો વહાલો છે તેવી શરીરમાંથી જ થયેલી જુ-લીખ વગેરે જીવાત વહાલી હોતી નથી. II ૫ II
વિવેચન - સામાન્યપણે અજ્ઞાની અને મોહાન્ય જીવો, સામે
For Private & Personal Use Only
www.jainelibrary.org